________________
પૂર્વવિદ્ આચાર્યાં હતા; આજે તે જ્ઞાન પરિમિત છે; જેટલુ જ્ઞાન રહ્યુ છે, તેના અવગાહનથી જેએ શ્રી જિન શાસનનાં રહસ્યાને પામ્યા છે, એવા પુરુષા અત્યંત અલ્પ સંખ્યામાં છે. આ માધ્યસ્થ્યના એક પણ હિંદુના આસ્વાદથી જીવન ધન્ય બની જાય છે, આ મહામાધ્યસ્થ્ય અનેકાંતન એવા ગુરુની નિશ્રામાં સિદ્ધ થઇ શકે તેમ છે.
અનેકાંતવાદ શું છે ? ના શું છે ? ભગા શું છે ?', વગેરેને સમજાવવાનું આ સ્થાન નથી. જિજ્ઞાસુએ તે માટે યેાગ્ય ગુરૂનું અવલંબન લેવું જોઈ એ. પ્રસ્તુતમાં તે તે માધ્યસ્થ્યનુ જ થાડું વર્ણન કરીશું.
આ મહામાધ્યસ્થ્ય વિના વસ્તુતત્ત્વના યથાર્થ સ્વરૂપના નિશ્ચય સભવતા જ નથી. આ મહામધ્યસ્થ્ય ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, વિધિ અને નિષેધ, જ્ઞાન અને ક્રિયા, વગેરે સર્વ જોડકાંઓમાં સાપેક્ષતાને ધારણ કરે છે. તે આગમિક પદાર્થોના આજ્ઞાના +આધારે અને યુક્તિગમ્ય પદાર્થના યુક્તિથી નિર્ણય કરે છે. તે અન્ય દર્શનના સર્વ પદાર્થોના સ્વદર્શનમાં સમવતાર કરી શકે છે. જેમ ‘પરા’ સંખ્યામાં શત’ સંખ્યા આવી જ જાય છે, તેમ જૈન આગમાક્ત પદાર્થોમાં અન્ય આગમાક્ત પદાર્થોં સમાઈ જ જાય છે.
*ઉત્સ= નિયમેા= ધાર્મિક કાનૂના
+ આસા = જિનવચન.
: યુક્તિ
ત.
=
૮૦