________________
双双双双双双双双双双双双双双双双双双双双双双涨双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
શકો
ધર્મપરીક્ષા જે તીર્થકરો એક સરખા જ્ઞાનવાળા હોવા છતાં એકે લાલાદિ વસ્ત્રોની રજા આપી, તો એકે ના જ જ પાડી. અહીં તેઓના જ્ઞાનમાં ફરક છે એવું તો કોઈ નથી માનતું, એનો ઉત્તર એ જ અપાય છે જ છે કે પાર્થપ્રભુના શિષ્યો ઋજુ-પ્રાજ્ઞ હોવાથી તેઓ કોઈપણ વસ્ત્ર પહેરે, તોય તેમનું હિત છે
થાય. એટલે પાર્થપ્રભુએ એ દેશના આપી. જ્યારે વીરશિષ્યો વક્ર-જડ હોવાથી તેઓનું એ લાલાદિવસ્ત્રોથી અહિત થાય, એટલે એ ન થવા દેવા માટે વીરપ્રભુએ લાલવસ્ત્રાદિનો જે
નિષેધ કર્યો. બેયના નિરુપણો વિરોધી દેખાતા હોવા છતાં ખરેખર વિરોધ નથી. શિષ્યોના જ - હિતને અનુસારે જ તેઓએ તેવા ઉપદેશો આપેલા છે.
બસ આ જ વાત અહીં લાગુ પડે છે. બુદ્ધ-કપિલ કે વીર આત્માને નિત્યાનિત્ય જાણતા જ હતા. પણ બુદ્ધને પોતાના શિષ્યોના હિતને માટે અનિત્યત્વની દેશના જરૂરી છે કે લાગવાથી તેમણે આત્માને અનિત્ય કહ્યો. કપિલે શિષ્યોના હિતને માટે નિયત્વની , જ દેશના જરૂરી લાગવાથી તેમણે આત્માને નિત્ય કહ્યો. પ્રભુવીરે શિષ્યોના હિતને માટે જે જે નિત્યાનિત્યત્વની દેશના જરૂરી લાગવાથી તેમણે એ રીતે પ્રરુપણા કરી. બાકી બધાને છે - સાચો-સંપૂર્ણ-સમાન જ્ઞાન જ હતુ.
હા એ પછી તેઓના શિષ્યોએ એકાંત પકડીને બધું ક્ષણિક જ છે...આત્મા હું એકાંતે નિત્ય જ છે...એવી પ્રાપણા કરી, પણ એમાં એ સર્વજ્ઞોનો શું દોષ? એમ તો કે વરના વચનો પકડીને પણ દિગંબરાદિમતો ઉભા નથી થયા?
(૨) જૈનો માને છે કે “પ્રભુની દેશના દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે છે ક છે, પ્રભુનો એ અચિત્ય પુણ્યપ્રભાવ છે.” આનો સ્પષ્ટ અર્થ એ છે કે પ્રભુનું એક જ જ વચન દરેક જીવોને પોતપોતાની ભૂમિકા પ્રમાણે પોતાનું હિત થાય એ રીતે જ સમજાય. ૪ દા.ત. જીવહિંસા કરવી ન જોઈએ. આ વચનથી માર્ગાનુસારી કસાઈ ગાય-બળદાદિ પંચેન્દ્રિયોને મારવાના છોડી દે. એ જ વચન સાંભળીને સમ્યગ્દષ્ટિ પ્રમાદ દ્વારા થતી જ કીડી વિગેરેની હિંસાને છોડી દે. એ જ વચન સાંભળીને વ્રતધારી શ્રાવક એકેન્દ્રિયોની # જ હિંસાને છોડે અને એ જ વચન સાંભળીને સાધુ અશુભ પરિણામ રૂપ આત્મહિંસાને છોડી ?
双双双双双双双双双双双双双涨瑟瑟双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双球双双双双双双双双双双双双双双双双双双
વચન એક જ, પણ પ્રભુના પુણ્યપ્રભાવથી બધા તેનો અર્થ જુદો જુદો પકડે. આ અહીં જીવશબ્દથી કોકે પંચેન્દ્રિય, કોકે વિક્લેન્દ્રિય, કોકે એકેન્દ્રિય, કોકે પોતાના આત્માને ; જ પકડ્યો.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૧૬