Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 265
________________ વિક8 -: . . . સ્થાઠમેજરી છis न च प्रतिसंधत्ते इत्यस्य जनयतीत्यर्थः, कार्यहेतुप्रसङ्गात् । तेन वादिनास्य हेतोः स्वभावहेतुत्वेनोक्तत्वात् ।। स्वभावहेतुश्च तादात्म्ये सति भवति । भिन्नकालभाविनोश्च चित्तचित्तान्तरयोः कुतस्तादात्म्यम् ? युगपद्भाविनोश्च प्रतिसन्धेयप्रतिसन्धायकत्वाभावापत्तिः, युगपद्भावित्वेऽविशिष्टेऽपि किमत्र नियामकम्, यदेकः प्रतिसन्धायकोऽपरश्च प्रतिसन्धेय इति ? अस्तु वा प्रतिसन्धानस्य जननमर्थः । सोऽप्यनुपपन्नः । तुल्यकालत्वे हेतुफलभावस्याभावात् ।। मन्नकालत्वे च पर्वचित्तक्षणस्य विनष्टत्वात उत्तरचित्तक्षणः कथमपादानमन्तरेणोत्पद्यताम । इति यत्किञ्चिदेतत ॥ સમાધાન:- ભિન્નકાલીન ચિત અને ચિત્તાન્તરક્ષણ વચ્ચે પણ આ ભાવ અસંગત છે. કેમકે પૂર્વચિત્તક્ષણ બીજા સમયે નિરન્વયનાશ પામે છે. તેથી ઉત્તરચિત્તક્ષણ પૂર્વચિરક્ષણાત્મકસ્વઉપાદાનવિના કેવી રીતે ઉત્પન્ન થઈ શકશે? તેથી તમારી આ કલ્પના તુચ્છ છે. મોકભંગની આપત્તિ હવે પ્રમાણભંગદોષ દર્શાવે છે. પ્રકર્ષથી ફરીથી ન થાય એ રીતે કર્મબંધનથી મોક્ષ (મુક્તિ) પ્રમોલ છે છે. તેને પણ ભંગ થાય છે. આ બૌદ્ધમતે “આત્મા જ નથી, તેથી કોણ પરલોકમાં સુખી થવાનો પ્રયત્ન જુ કરે? આત્મા ય, તો તે પરલોકમાં સુખી થવા અર્લી ચેષ્ટા કરે. શંકા :- પૂર્વજ્ઞાનક્ષણ ઉત્તરની જ્ઞાનક્ષણનાં સુખ માટે સ્વસત્તાકાળે ચેષ્ટા કરશે. સમાધાન :- સંસારી જ્ઞાનક્ષણ બીજાજ્ઞાનક્ષણને સુખી કરવા પ્રયત્ન કરે એ સંગત નથી. શંકા :- પરમાર્થરસિકબુદ્ધવગેરે જ્ઞાનક્ષણો બીજાજ્ઞાનક્ષણને સુખી કરવા પ્રયત્ન કરશે. સમાધાન :- એ અસંગત છે, જયાં સુધી પોતે દુ:ખી હેય ત્યાંસુધી કોઇ બીજાને સુખી કરવા પ્રયત્ન કરતું નથી. “ઘરનાં છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' એ પ્રાજ્ઞપુરુષોનું લક્ષણ નથી. બુદ્ધવગેરે પણ પોતાના અજ્ઞાનાદિદુ:ખને દૂર કર્યા વિના બીજાના દુ:ખને દૂર ન કરે–કરી શકે પણ નહિ. જે પોતાના દુ:ખને પણ દૂર કરવા સમર્થ ન હોય, તે શી રીતે બીજાના દુ:ખને દૂર કરી શકે? પરોપકારરસિક પુરુષો સ્વત: કષ્ટ સહન કરીને બીજાના સુખને માટે પ્રયત્ન કરતા દેખાય છે, ત્યાં પણ વસ્તુત: તેઓ બીજાની પીડાના દર્શનથી ઉત્પન્ન થયેલા પોતાના જ દુ:ખને દૂર કરી રહ્યા છે. અથવા કદાચ પરમાર્થરસિકબુદ્ધ બીજાના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે, તો પણ બધા કંઈ તેવા પરમાર્થસિક નથી. તેથી) જે પોતે દુઃખી ય તે બીજાના હું સુખમાટે ચેષ્ટા ન કરે. દુ:ખી દેવદત્ત યજ્ઞદત્તના સુખ માટે ચેષ્ટા કરે એવું કયારેય દેખાયું નથી. શંકા:- દેવદત્ત યજ્ઞદત્તનાં સુખ માટે પ્રયત્ન ન કરે, પણ પોતાનાં દુ:ખને દૂર કરવા તોં પ્રયત્ન કરશે જ. $ સમાધાન:- અહીં દેવદત્ત થી શું ઈષ્ટ છે? ક્ષણ કે દેવદતશરીરગતક્ષણસંતાન? જો તે-તે ક્ષણ ઇષ્ટ છું હેય, તો “ક્ષણ પોતાનાં દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે તે વ્યર્થ છે. કેમકે ક્ષણિકપણ પોતાની સત્તાકાળ નાં દુ:ખને દૂર કરી ન શકે. કેમકે તે વખતે પોતે પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે. અને પછી તો ક્ષણના નાશની શું સાથે જ દુ:ખ નષ્ટ થઈ જશે. માટે “ક્ષણ પોતાનાં દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરે તે અસિદ્ધ છે. શંકા:- દેવદત્તસંતાનગત પૂર્વેક્ષણ ઉત્તરાણોનાં દુઃખને દૂર કરવા પ્રયત્ન કરશે. અર્થાત સ્વસંતાનના છુિં દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરશે. સમાધાન :- આ સંતાન વાસ્તવ (=સત) છે કે અસત? સંતાન જો સત હેય, તે અન્યનામદ્વારા છે. વાસ્તવમાં તો આત્માનો જ સ્વીકાર થયો. કેમકે તમે અનેકાણપ્રવાહને અનુગત એક સંતાનનો સ્વીકાર શું કર્યું, અને તેને આત્મા તરીકે સ્વીકાર્યો. વળી આ સંતાન અક્ષણિક હોઇ ક્ષણિકવાદ હતપ્રાય થઇ જાય છે. અને સંતાન જો અવાસ્તવ હેય, તો અસત્ સંતાનનું દુ:ખ પણ અસત્ જ છે. તેથી તે દૂર કરવા કાવ્ય-૧૪ FE 234

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376