Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
. . . .. શ્યાહુઠમજી
દિકરી अत्र संग्रहश्लोकाः- “अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः ॥ १ ॥ सद्रूपतानतिक्रान्तं स्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं संगृह्णन् संग्रहो मतः ॥ २ ॥ व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यापारयति देहिनः ॥ ३ ॥ तत्रर्जुसूत्रनीतिः स्याद् शुद्धपर्यायसंश्रिता । नश्वरस्यैव भावस्य भावात् स्थितिवियोगतः ॥ ४ ॥ विरोधिलिङ्गसंख्यादिभेदाद् भिन्नस्वभावताम् । तस्यैव मन्यमांनोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥ ५ ॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनः । बूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ॥ ६ ॥ एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वाद् एवंभूतोऽभिमन्यते ॥ ७ ॥"
'एत एव च परामर्शा अभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नयसंज्ञानमश्नुवते । तद् | बलप्रभावितसत्ताका हि खल्वेते परप्रवादाः । तथाहि-नैगमनयदर्शनानुसारिणौ नैयायिकवैशेषिकौ । संग्रहाभिप्रायप्रवृत्ताः ।। सर्वेऽप्यद्वैतवादाः सांख्यदर्शनं च । व्यवहारनयानुपाति प्रायश्चार्वाकदर्शनम् । ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः शब्दादिनयावलम्बिनो वैयाकरणादयः ॥
શંકા:- તત્કાળે તેવી વિશિષ્ટચેષ્ટા ન લેવા છતાં, ભૂતકાલીન તેવી ચેષ્ટાઓ અને ભવિષ્યમાં થનારી તેવી ચેષ્ટાઓને આશ્રયી સામાન્યથી તો તે ઘડાઓ પણ “ઘટપદથી વાચ્ય બની શકે.
સમાધાન :- આ સંગત નથી.અતીતકાલીનચેષ્ટાઓ નાશ પામી છે, અને ભવિષ્યકાલીનચેષ્ટાઓ અનુત્પન્ન છે. તેથી વર્તમાનમાં તે બંને સસલાનાશિંગડાની જેમ અસત છે, એ અસત ચેષ્ટાને આશ્રયી શબ્દપ્રયોગ થઇ શકે નહિ. જો આ અસત ચેષ્ટાને આશ્રયીને પણ અન્ય “કહેવાતા ઘાઓમાં “ઘટ શબ્દનો પ્રયોગ કરી શકાતો હોય, તો પટવગેરે અન્યવસ્તુઓમાં પણ તે ચેષ્ટા સમાનરૂપે અસત છે. તેથી તે બધા અર્થોના આ વાચક તરીકે પણ “ઘટ' પદનો પ્રયોગ કરવાની આપત્તિ આવશે. વળી જો અતીતની અને ભવિષ્યની ચેષ્ટાને શું અપેક્ષી “ઘટ' શબ્દ ચેષ્ટા વિનાની વસ્તુમાં પણ પ્રયુક્ત થઈ શકતો હોય, તો કપાલમાટે અને મૃપિંડમાટે પણ ઘટ પદનો પ્રયોગ થવો જોઇએ. કેમકે કપાલ જયારે ઘટઅવસ્થામાં હતો, ત્યારે તેમાં તેવી ચેષ્ટા હતી, અને હું મૃપિંડ ઘટ બનશે ત્યારે તેમાં તેવી ચેષ્ટા થવાની છે. અને વર્તમાનકાળે બન્નેમાં તેવી ચેષ્ટાનો અભાવ છે. તથા જેમાં ધટ' શબ્દનો પ્રયોગ પરનયવાદીઓને ઈષ્ટ છે, એ પદાર્થ પણ ભૂતકાળ-ભવિષ્યકાળે તેવી ચેષ્ટાવાળો છે અને વર્તમાનમાં તેવી ચેષ્ટા વિનાનો છે. તેથી વિશેષતાન લેવાથી ચેષ્ટા વિનાના કહેવાતા ઘાઓના વાચકની જેમ કપાલ અને મૃપિંડના વાચક તરીકે પણ “ઘટ પદ માન્ય કરવાની પરનયવાદીઓને આપત્તિ છે. તેથી જે |ક્ષણે અવિકળવ્યુત્પત્તિનિમિત્ત હાજર હેય, તે જ ક્ષણે તે વસ્તુ તે શબ્દથી વાચ્ય બને. (આ નયમતે શબ્દ અર્થને,
અને અર્થ શબ્દને નિયત કરે છે. જેમકે તે જ તત્વથી ઘટ' શબ્દ કહેવાય, કે જે પોતાના વ્યુત્પત્તિનિમિત્તભૂત વિશિષ્ટચેષ્ટા વાળી વસ્તુનો બોધક બને. અને તેવી વિશિષ્ટચેષ્ટાવાળી વસ્તુ તત્વત: ઘટ' શબ્દથી જવાચ્ય બને, અન્યથી નીં. “ઘટ શબ્દથી તેવી ચેટાવિનાની વસ્તુઓ વાચ્ય ન બને, અને તેવી ચેષ્ટાવાળી વસ્તુ બઘટ સિવાયના બીજા કુમ્ભવગેરેશબ્દથી વાચ્ય ન બને.)
સાતનયોનો સંગ્રહ આ સાતેયોનો સંગ્રહકરનારા શ્લોકો– “નૈગમન માને છે કે અભિન્નજ્ઞાનમાં કારણભૂત એવું સામાન્ય છે આ વસ્તુમાં રહેલું) ભિન્ન છે. અને ભિન્ન જ્ઞાનમાં હેતુ એવો વિશેષ પણ ભિન્ન છે. (અર્થાત્ સામાન્ય અને દર વિશેષ પરસ્પર ભિન્ન છે.) !! !! “સતરૂપતાનો ત્યાગ કર્યા વિના આખું જગત સ્વસ્વભાવમાં રહેલું છે. દર
તે સર્વપદાર્થનો સત્તા સામાન્યરૂપે સંગ્રહ કરનાર નય સંગ્રહનય કહેવાય છે. રા સત્તા સામાન્યના જેવા કરી અને પ્રત્યેક વસ્તુમાં રહેલા એવા અવાજસત્તા સામાન્ય માટે જ (અર્થાત ઘટવાદિઅવાજર સામાન્યથી કરી યુક્ત પદાર્થો માટે જ વ્યવહારનય લોકોને પ્રવૃત્તિ કરાવે છે, કેમકે લોકમાં પ્રતીતિ પણ તેવી જ થાય છે. કારણ કાવ્ય-૨૮
308