Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 344
________________ શ્યામંજરી प्रमाणं तु सम्यगर्थनिर्णयलक्षणं सर्वनयात्मकं । स्याच्छब्दलाञ्छितानां नयानामेव प्रमाणव्यपदेशभाक्त्वात् । तथा च श्रीविमलनाथंस्तवे श्रीसमन्तभद्रः - "नयास्तव स्यात्पदलाञ्छना इमे, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥” इति । " तच्च द्विविधम् प्रत्यक्षं परोक्षं च । तत्र प्रत्यक्षं द्विधा - सांव्यवहारिकं पारमार्थिकं च । सांव्यवहारिकं द्विविधम् इन्द्रियानिन्द्रियनिमित्तभेदात् । तद् द्वितयम् अवग्रहेहावायधारणाभेदाद् एकैकशश्चतुर्विकल्पम् । " अवग्रहादीनां स्वरूपं सुप्रतीतत्वाद् न प्रतन्यते । “पारमार्थिकं पुनस्त्पत्तौ आत्ममात्रापेक्षम् ' तद् द्विविधम्। क्षायोपशमिकं क्षायिकं च । आद्यम् अवधिमनःपर्यायभेदाद् द्विधा । क्षायिकं तु केवलज्ञान ॥ परोक्षं च स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमभेदात् पञ्चप्रकारम् । “तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारसंवेदनं स्मृतिः । तत् तीर्थंकरबिम्बमिति यथा । अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् । यथा तज्जातीय एवायं गोपिण्डः, गोसदृशो गवयः स एवायं जिनदत्त इत्यादिः । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनमूहस्तर्कापरपर्यायः । પ્રતિપાદિત થયેલા નયો) ઇષ્ટફળને દેનારા થાય છે. (કેમકે પ્રમાણ બની જાય છે.) તેથી હિતની ઇચ્છાવાળા આર્યપુરુષો આપને નમસ્કાર કરે છે." પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણના બે ભેદ છે --(૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ– (૧) સાંવ્યવહરિક અને (૨) પારમાર્થિક. સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ, (૧) ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારું અને (૨) અનિન્દ્રિય (=મન) થી ઉત્પન્ન થતું. આ બન્ને પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષના દરેકનાં અવગ્રહ, ઇહા, અવાય,ધારણા એમ ચાર-ચાર ભેદ છે. અવગ્રહવગેરેનું સ્વરૂપ પ્રતીત હોવાથી દર્શાવ્યું નથી. જે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષાવાળું હોય, (અર્થાત્ ઇન્દ્રિય કે મનવગેરેની સહાય વિના જ આત્માને સાક્ષાત્ થતું જ્ઞાન ) તે પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય. તે પણ બે ભેદવાળું છે. (૧) ક્ષાયોપમિક અને (૨) ક્ષાયિક ક્ષાયોપશમિક (=તે—તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયો॰થી ઉત્પન્ન થતું) જ્ઞાન પણ ભેદવાળું છે. (૧) અવધિજ્ઞાન (૨) મન: પર્યાયજ્ઞાન. ક્ષાયિકજ્ઞાન એક જ છે અને તે કેવળજ્ઞાન. બે પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ પરોક્ષજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞા (૩) ઊણ (૪) અનુમાન અને (૫) આગમ. (૧) સ્મૃતિ :–સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થયેલું, અને પૂર્વ અનુભવેલા અર્થઅંગે ‘તે હતું” ઇત્યાદિ १. बृहत्स्वयंभूस्तोत्रावल्यां विमलनाथस्तवे ६५ । २. प्रमाणनयतत्त्वालोकालंकारे २ - १, ४, ५, ६, १८ । ३. क्षयेणोदयप्राप्तकर्मणो विनाशेन सहोपशमेन विष्कम्भितोदयत्वं क्षयोपशमः । ૧. અવગ્રહના બે ભેદ-વ્યંજનઅવગ્રહ અને અર્થાવગ્રહ. ચક્ષુરિન્દ્રિય તથા મન સિવાયની ચાર ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ હોય અર્થાવગ્રહ, ઇહા, અવાય, અને ધારણા આ પાંચ ઇન્દ્રિય અને મન એમ છએને અંગે હોય. વ્યંજનઅવગ્રહ વિષય, ઇન્દ્રિય અને તે બન્નેના સંબંધને વ્યંજન કહે છે. તે દ્વારા થતો અત્યંત અવ્યક્ત બોધ વ્યંજનાવગ્રહ છે, તે અસંખ્યસમયાત્મક છે. આ કંઇક છે. ઇત્યાદિપ અત્યંતસામાન્યબોધ અર્થાવગ્રહ છે. તે નિશ્ચયથી એક સમયનો અને વ્યવહારથી અસંખ્યસમયાત્મક છે. વસ્તુનો નિર્ણય કરાવવામાં હેતુભૂત ધર્મોનો વિચાર ઇહા છે. કાળ–અંતર્મુહૂર્ત. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય = અવાય. એ પણ અંતર્મુહૂર્ત કાળ નો છે. તે નિશ્ચયને લાંબાકાળ સુધી ધારી રાખવો તે ધારણા છે. તેના ત્રણ ભેદ છે. (i) અવિચ્યુતિ (=ધારાવાહિ જ્ઞાન)(ii વાસના (=સંસ્કાર, ક્ષયોપશમરૂપ.) (iii) સ્મૃતિ. વ્યંજનાવગ્રહના ચાર અને બાકીના ચારના છ છ ભેદ હોવાથી મતિજ્ઞાનના કુલ અવીશ ભેદ થાય. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતાં સાક્ષાત્ જ્ઞાનને લોકો પ્રત્યક્ષતરીકે ગણતા હોવાથી આ જ્ઞાનને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહ્યું. વાસ્તવમાં જેમ લિંગના નિમિત્તથી થતું અનુમાન પરોક્ષ છે, તેમ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું @વાથી સાંવ્યવહારિકપ્રત્યક્ષ પણ પરોક્ષજ્ઞાન જ છે. અને તે મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે. (૨.) આ બન્ને જ્ઞાનને વિકલપ્રત્યક્ષ પણ કહે છે. કેમકે આ બન્ને સર્વદ્રવ્યવિષયક નથી. અવધિજ્ઞાન રૂપીદ્રવ્યવિષયક અને મનપર્યાયજ્ઞાન-મનોદ્રવ્યવિષયક છે. પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ 313

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376