Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

View full book text
Previous | Next

Page 297
________________ મા યા ામંજરી द्रव्यानतिरेकात् । अतएव द्रव्यास्तिकनयाः शुद्धसंग्रहादयो द्रव्यमात्रमेवेच्छन्ति पर्यायाणां तदविष्वग्भूतत्वात् । पर्ययः पर्यवः पर्याय इत्यनर्थान्तरम् । अद्रव्यमित्यादि । चः पुनरर्थे । स च पूर्वस्माद् विशेषद्योतने भिन्नक्रमश्च । विविच्यमानं चेति, विवेकेन पृथग्रूपतयोच्यमानं पुनरेतद् वस्तु अद्रव्यमेव । अविवक्षितान्वयिद्रव्यं केवलपर्यायरूपमित्यर्थः ॥ यदा ह्यात्मा ज्ञानदर्शनादीन् पर्यायानधिकृत्य प्रतिपर्यायं विचार्यते, तदा पर्याया एव प्रतिभासन्ते, न पुनरात्माख्यं किमपि द्रव्यम् । एवं घटोऽपि कुण्डलौष्ठपृथुबुनोदरपूर्वापरादिभागाद्यवयवापेक्षया विविच्यमानः पर्याया एव, न पुनर्घटाख्यं तदतिरिक्तं वस्तु । अतएव पर्यायास्तिकनयानुपातिनः पठन्ति → “भागा एव हि भासन्ते संनिविष्टास्तथा तथा । तद्वान्नैव पुनः कश्चिन्निर्भागः संप्रतीयते ।” इति । ततश्च द्रव्यपर्यायोभयात्मकत्वेऽपि वस्तुनो द्रव्यनयार्पणया पर्यायनयानर्पणया च द्रव्यरूपता, पर्यायनयार्पणया द्रव्यनयानर्पणया च पर्यायख्पता, उभयनयार्पणया च तदुभयरू - पता । अत एवाह वाचकमुख्यः “अर्पितानर्पितसिद्धेः” इति । एवंविधं द्रव्यपर्यायात्मकं वस्तु त्वमेवादीदृशस्त्वमेव दर्शितवान् नान्य इति काक्वावधारणावगतिः ॥ વિવક્ષિત થાય છે. આત્માવગેરેવસ્તુઓ સામાન્યથી પોતાના પર્યાયોદ્ગારા જ્ઞાત થતા હોય છે. તેથી જ્યારે જ્ઞાનદર્શનાદિ પર્યાયોને આગળ કરી આત્માનો વિચાર કરવામાં આવે છે, ત્યારે માત્ર પર્યાયો જ પ્રતિભાસે છે. આત્મા ભિન્ન દ્રવ્યરૂપે દેખાતો નથી. એ જ પ્રમાણે, ધડાનો ગોળાકાર કાઠો, પૃથુબુબ્બોદર, પૂર્વભાગ, પાછળનો ભાગ વગેરે અવયવોની અપેક્ષાએ જ્યારે વિભાગ કરવામાં આવે છે, ત્યારે આ બધા પર્યાયો જ માત્ર દૃષ્ટિગોચર બને છે, અને પર્યાયોથી ભિન્ન ધટદ્રવ્ય દૃષ્ટિગોચર બનતું નથી. તેથી જ પર્યાયનયવાદીઓ કહે છે– “તેવાતેવા પ્રકારે સંયોજાયેલા ભાગો જ ભાસિત થાય છે. પરંતુ તે ભાગવાળી કોઇ નિર્વંશ વસ્તુ પ્રતીત થતી નથી.” તેથી વસ્તુ દ્રવ્ય-પર્યાયઉભયાત્મક હોવા છતાં, જ્યારે દ્રવ્યનયને પ્રધાન કરવામાં આવે છે, અને પર્યાયનયને ગૌણ કરવામાં આવે છે, ત્યારે તે વસ્તુ માત્ર દ્રવ્યરૂપ જ ભાસે છે, તથા જયારે પર્યાયનયને મુખ્ય કરવામાં આવે છે, અને દ્રવ્યનયને ગૌણ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર પર્યાયરૂપે જ ભાસે છે. અને જયારે બંને નયને પ્રધાન બનાવવામાં આવે છે, ત્યારે વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક ભાસે છે. અતએવ, વાચકમુખ્યશ્રીએ કહ્યું છે કે, “દ્રવ્યનય અને પર્યાયનયને મુખ્ય કે ગૌણ કરવાથી વસ્તુની સિદ્ધિ થાય છે ” હે ભગવન્ ! આ પ્રમાણે દ્રવ્યપર્યાયસ્વરૂપવાળા વસ્તુનું નિદર્શન માત્ર તેં જ કર્યું છે, અન્ય કોઇએ નહિ. કાવ્યમાં શબ્દથી આવો નિર્દેશ થયો નથી, છતાં તેનો બોધ ‘કાક્વ' અવધારણદ્વારા થાય છે. શંકા :- દ્રવ્યનાં નામ અને જ્ઞાન, પર્યાયના નામ અને જ્ઞાનથી ભિન્ન છે. તો એક જ વસ્તુ દ્રવ્યપર્યયઉભયાત્મક શી રીતે હોઇ શકે ? કેમકે વસ્તુ ભિન્નધર્મોથી યુક્ત હોઇ શકે નહિ. સમધાન :- આ શંકાનાનિરાકરણઅર્થે કવિએ ‘આદેશભેદ' ઇત્યાદિ વિશેષણ મૂક્યું છે. સકળાદેશ અને વિકળાદેશ એમ આદેશ બે પ્રકારે છે. આ બે આદેશના ભેદથી સાતપ્રકારની વચનરચના દરેક વસ્તુઅંગે થઇ શકે છે.( જેથી પરસ્પરવિરુદ્ધ દેખાતા દ્રવ્ય અને પર્યાયથી યુક્ત વસ્તુ ઉપપન્ન બની શકે છે.) પરદર્શનકારોનું મિથ્યાત્વજનિતઅજ્ઞાન શંકા :– જો ભગવાને સર્વજીવોને સમાનરૂપે આ પ્રમાણે તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તો અન્યવાદીઓ શા માટે આ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરતા નથી ? સમાધાન :– ભગવાનના આ સૂક્ષ્મ નિરૂપણને નિસર્ગજ (નિસર્ગ-તથાસ્વભાવથી જ ઉપદેશાદિ વિના ૨. તત્ત્વાથાંધિમસૂત્ર ૧-૩૨ | કાચ-૨૩ 266

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376