Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 288
________________ : હચાડી क्तिभिरेकान्तवादप्रतिक्षेपमाख्याय साम्प्रतमनाद्यविद्यावासनाप्रवासितसन्मतयः प्रत्यक्षोपलक्ष्यमाणमप्यनेकान्तवादं .येऽवमन्यन्ते तेषामुन्मत्ततामाविर्भावयन्नाह - (प्रतिक्षणोत्पादविनाशयोगिस्थिरैकमध्यक्षमपीक्षमाणः । (નન તંદ્રાજ્ઞાનવમતે ય ન વાતો નથી પિશાવી વી | ર? | प्रतिक्षणं = प्रतिसमयम् । उत्पादेनोत्तराकारस्वीकाररूपेण, विनाशेन च पूर्वाकारपरिहारलक्षणेन युज्यत इत्येवंशीलं प्रतिक्षणोत्पादविनाशयोगि। किं तत् ? स्थिरैकं कर्मतापन्नं । स्थिरमुत्पादविनाशयोरनुयायित्वात् त्रिकालवर्ति यदेकं द्रव्यं स्थिरैकम् । एकशब्दोऽत्र साधारणवाची। उत्पादे विनाशे च तत्साधारणम्, अन्वयिद्रव्यत्वात् । यथा चैत्रमैत्रयोरेका जननी साधारणेत्यर्थः । इत्थमेव हि तयोरेकाधिकरणता । पर्यायाणां, कथञिदनेकत्वेऽपि तस्य कथञ्चिदेकत्वात् । एवं त्रयात्मकं वस्तु अध्यक्षमपीक्षमाणः प्रत्यक्षमवलोकयन् अपि । हेजिन रागादिजैत्र ! त्वदाज्ञाम्-आ सामस्त्येना - - અનેકાંતવાદની સ્થાપના || વક્ત યુક્તિઓ દ્વારા આ પ્રમાણે એકાન્તવાદનો નિરાસ દર્શાવ્યો. હવે અનાદિ અવિદ્યાની વાસનાથી કલુષિત મતિવાળા જે પરદર્શનકારો પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતા અનેકાન્તવાદની અવગણના કરે છે, તેઓની આ ઉન્મત્તતાને ઉધાડ પાડતા કવિશ્રી કહે છે. કાવાર્થ:- હેનાથ! ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વિનાશથી યુક્ત, અને સ્થિર એવા દ્રવ્યને પ્રત્યક્ષથી દેખતો હું એવો પણ જે, તારી આજ્ઞાની અવહેલના કરે છે, તે વાતરોગી છે, અથવા પિશાચગ્રસ્ત છે. | ત્રિકાળવર્તી બધા દ્રવ્યો ઉત્તરાકારના સ્વીકારરૂપ ઉત્પાદ અને પૂર્વકારના પરિહરરૂપ વિનાશથી યુક્ત, અને ઉત્પાદમાં તથા વિનાશમાં અનુયાયી લેવાથી સ્થિર છે. અહીં ‘એકશબ્દ સાધારણવાચી છે, જેમ કે ચૈત્ર | અને મૈત્રની માતા એક છે. અહીં એકસાધારણ. દ્રવ્ય ઉત્પાદ અને વિનાશ બંનેનું એક અધિકરણ છે. અર્થાત બન્નેમાં સાધારણ છે, કેમ કે તે અન્વયી દ્રવ્ય છે. આમ જ ઉત્પાદ અને વિનાશ એકાધિકરણ બની શકે. તેથી પર્યાયોરૂપે કથંચિત અનેક લેવા છતાં વસ્તુ દ્રવ્યરૂપે કથંચિત એક છે. આમ ઉત્પાદ-વ્યય અને શૈર્ય એમ ત્રયાત્મક તરીકે વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ છે. અનન્તધર્મોથી વિશિષ્ટ જીવાજીવાદિપદાર્થોનું સંપૂર્ણતાથી જ્ઞાન જેનાથી થાય તે આજ્ઞા (આગમ = શાસન). જે કોઈ અવિવેકી તારી સાદ્વાદમુદ્રારૂપ આજ્ઞાની અવહેલના કરે છે, તે પુરુષ વાતરોગી છે, અથવા પિશાચગ્રસ્ત (=ભૂતગ્રસ્ત) છે. અહીં પરવાદીઓ માટે એકવચનનો પ્રયોગ જાતિને અપેક્ષીને છે. અથવા અવજ્ઞા:તિરસ્કારરૂપે છે. વાર શબ્દ સમુચ્ચય અથવા ઉપમાનઅર્થક્ત છે. તેથી “તારી આજ્ઞાની અવજ્ઞા કરનાર તે પુરુષાધમ વાતકી અને પિશાચકની તવ્યતાને પામે છે.' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં વાતાતીસારપિશાચાત્કથાન: સૂત્રથી મત્વર્ગીય (=સ્વામિતાદર્શક) ઇન" પ્રત્યય લાગ્યો છે અને અંતે “ક ઉમેરાયો છે. જેમ વાત કે પિશાચથી ગ્રહણ થયેલા શરીરવાળી વ્યક્તિ વસ્તુતત્વનો સાક્ષાત્કાર કરતી હેવા છતાં, વાત કે પિશાચનાં આવેશથી તેનો ફી અન્ય પ્રકારે જ સ્વીકાર કરે છે, તેમ આ વ્યક્તિ પણ એકાન્તવાદરૂપી અપસ્મારને પરવશ થઈ વસ્તુતત્વનો છે અન્યથા સ્વીકાર કરે છે. અહીં “જિન”પદ મુકવામાં આચાર્યનો આ ગૂઢ અભિપ્રાય છે–રાગાદિનો વિજેતા જિન કહેવાય. દોષોની કાલુક્યતા વિચલિત થઇ હેવાથી જિન (=ભગવાન)ના એકાંતે હિતકરવચનો અવશ્ય અનેકાંતવાદની સ્થાપના TS 257 :::::::::::: *

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376