Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૫૩મું
થાય છે પણ કાયાને સંબંધ અનાદિથી માનીએ છીએ. ચાલું ભવને પણ શાસ્ત્રકાર કહે છે કે ભલે દુનિયામાં લક્ષ્મીવાળે માલદાર શ્રીમંત ગણાતો હોય છતાં તેને રાંકડો ગણે છે, જે બહ્ય દ્રવ્યની મમતા ન છોડી શકે તેને રાંકડો બિચારો ગરીબ ગણે છે. જે જીવ પિતાના દરઇને દરદ ન સમજે, નુકશાન કરનારને નુકશાન ન સમજે; તેવાને રાંકડે બિચારો ન કહીએ તે શું કહેવું ? હેમચંદ્રાચાર્ય મહારાજા પણ કહે છે કે, બહારથી મેળવી શકાય એવાં ધન કેટલાનાએ ગએલાં પાછા આવ્યાં છે. કાયા ગયા પછી કોઈ એને લા? તો ગએલું આવી શકે તેની ઉદારતા ન કરે તે ગએલું જ સમજવું, રૂપીઆની થેલીને મશરૂની તળાઈમાં રાખીએ કે આપણે ખજુરીની સાદડીમાં સુઈએ તે આપણને સુંવાળાશ લાગે ? ઠંડક છેદ ભેદ એને થાય તે અહીં લાગે છે? કારણ બાહ્ય અલગ છે; આંગળીથી નખ વેગળ એટલા વેગળા, પણ આંગળીને અને નખને અંદરથી સંબંધ છે પણ આને તે અંદરથી પણ સંબંધ નથી. આપણું મમતાએ આપણને અસર કરી છે, હજારની થેલી ભેંયરામાં મૂકી હોય અને બાયડીએ બીજી જગો પર મૂકી હોય. બાયડી પરગામ ગઈ હોય. થેલી ન દેખી તે શું થાય છે? થેલી ગઈ નથી પણ મારાપણું એ ઉડી જવા લાગ્યું. તેમ તળાઈમાંથી કઈ લઈ ગયું પણ ખબર નથી પડી તે કશું થતું નથી. જેમ બાહ્ય થેલીને મશરૂની તળ ઇમાં મેલી તેથી સુંવાળે સ્પર્શ ન થયે પણ કાયાને મશરૂની તળાઈમાં સુવરાવીએ તે સુખ થાય. કાયા અને આત્મા એ બેને સુખદુઃખની ભાગીદારી છે, તેથી તેના સુખદુઃખે આત્માને સુખદુઃખ થાય છે. તેમ દ્રવ્ય સાથે ભાગીદારી નથી. દ્રવ્યને તડકે મૂકીએ તે આપણને તાવ આવતું નથી પણ આ શરીરને તડકે મૂકીએ તે આપણને દુઃખ થાય છે. બહારથી મળી શકે એવી ચીજ છે. આત્માથી અલગ છે અનિત્ય છે પિતાના ધનની અદ્ધિની રક્ષા કરવા મથે છે, પણ રક્ષા થાય કયાં સુધી ? નશીબદારી હોય ત્યાં સુધી. માટે બાહા જવા આવવાવાળું આવું ધન છતાં ક્ષેત્રેગુ ક્ષેત્ર શબ્દ વિચારવાનું છે. ખેડુત અને શ્રાવક બેમાં ઉત્તમ કેશુ?
ક્ષેત્રનો વ્યવહાર લેક જાતમાં વપરાય છે. ખાવામાં ચાહે જેવું ખાશે પણ વાવવામાં ઉંચામાં ઉંચા ભાવનું ધાન લેશે. ખેડૂત વાવવા માટે હલકું ધાન નહીં લે. આપણે જાણી જોઈને હલકું લઈશું. દહેરામાં