Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી લેકે વાડ બાંધે છે. પ્રપંચને રક્ષિત કરવાની વાડ બંધાય છે. આ વાત જ્યાં સુધી નિણત ન થાય ત્યાં સુધી ચાણકયને જણાવવી નહિં. હે નિમકહલાલીને લીધે આપને વાત કરું તે વાત નકકી ન થાય ત્યાં સુધી ચાણકયને ન કહેવી. હવે સાંભળવાની હા કહે તે વાત મળે, નિર્ણય સુધી ચાણકયને કહેવી નહિ. જ્યાં સુધી આ વાત નિત દશામાં ન આવે ત્યાં સુધી ચાણકયને આ વાત ન જણાવવી. બિન્દુસારને એ કબૂલ કરવું પડયું. હા, સુબંધુ કહે કે આ એ ખરાબ મનુષ્ય છે કે એનું મેં પણ જોવું વ્યાજબી નથી, એ ચાણકય ખરાબ છે. ચંદ્રગુપ્ત અથવા જે કઈ હોય તે કેટલો સાંભળવા આતુર થાય? હું કહેવા જ આવ્યો છું. પણ વસ્તુ સ્વરુપની કાળજાની હોળી કાઢું છું. રાજા પૂછે છે કે શું એવું છે? ત્યારે સુબંધુ કહે છે કે તમારી માને અંગે છે. બસ હદ આવી ગઈ. આ સાંભળતાની સાથે બિન્દુસારની દશા શી થાય? શું એ કહેવાને હજ તે વાર છે. પ્રપંચકારા પ્રપંચ કેમ ખેલે છે તે જુઓ. ખુદ તમારી માતા એટલે રાજમાતા તેની ખાના ખરાબી કરી છે. હવે રાજાના આવેશમાં બાકી રહે ખરી? એને કુહાડે ચીરી છે. તમારી માને કુહાડેથી ચીરી છે. તેમાં કોઈ બેલી શકયું નહિં. આ વાત હું કહું છું તેમાં જે વહેમ રહેતો હોય તે ફલાણી તમારી માતા હિતમાં રહેનારી છે ને ? એ તે વિરૂદ્ધ નહિ જાય ને? એને બોલાવે. અમારે એક જ વાત પૂછવી છે. આડાઅવળી વાતમાં બાઈ જાતને ન ઉતારશે ને પૂછે કે તમારી માતાને ચીરી છે કે નહિ? કેમ હતું કે નહિ એ પૂછતું નથી. આ વાત ખરી કે બેટી? ક્રોધ થી ધમધમી ગયા છે. એને બીજુ સાંભળવાની જીજ્ઞાસા જ નથી. હવે ધાઈમાતાએ શું કહેવું. વાત તો બની છે ત્યાં પણ રાજા ધામાતા પર તેમજ બધા પર ચીડાય છે. મારી માને કુહાડાથી કાપે તે વખતે જનાનાવાલા શુ કરતા હતા ? હવે સુબંધુની બાજી નકકી થઈ. હવે ચાણક્યને ભલે જણ. સાહેબ સાંભળે, આ વાત ખરીને ? ચાણકયે આ સ્થળે શું કરવું ? આ જગો પર બચાવને કઈ રતે નથી. રેશમની ગાંઠ પર મીણ નાખ્યું છે. ચાણક્ય શું ર્યું?
હવે ચાણકયે દેખ્યું છે કે લુચ્ચાઈ ધન માટે છે. બધું ધન વાપરી વેડફી નાખ્યું. હવે એક ઓરડામાં એક પટારો તેમાં નાની પેટી તેમાં