Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૮ મું
પણ અમારે ફરક નથી. પણ ગુણસ્થાનકની અપેક્ષાએ કબૂલ, ક્રિયાની અપેક્ષાએ નહિં. એજ હરિભદ્ર સૂરિ શુકલપક્ષી એકમતે અર્ધપુદ્ગલ પરાવર્તવાળાને સાધુપણું કબૂલ કરે છે.
શુકલપાક્ષિકને સાધુપણું શ્રાવકપણું કહ્યું છે તે ન માનવું ? માટે બે વ્યવસ્થા માનવી પડે. એક અગર અર્ધપુદ્ગલપરાવર્ત સંસારવાળાને સમ્યકત્વ વગર પણ દેશવિરતિ ને સર્વવિરતિ માનેલી છે. વગર સમ્યક પણ દેશવિરતિ પાળનારા બારમા દેવકને મેળવી શક્યા, વગર સમ્યક ચારિત્ર પાળનારા ઘણું નવવેયક પામી શક્યા છે. તે નવમા સૈવેયકને બારમા દેવલેકે સમ્યકત્વ વગર ગયા. ક્રિયા કરવામાં શાસ્ત્રકારને વાંધો નથી. ગુણસ્થાનકની પરિણતિ થયા પછી જ પાંચમા ગુણસ્થાનકના અણુવ્રત ન્યાયયુકત કહેવાય. અણુવ્રતની પરિણતિ ગુણસ્થાનકની અપેક્ષાએ, ૪ થું ને ૫ મું પછી જ લાયક છે. તેમ અહીં ચાહે દાન તપ શીલ પૂજા સ્નાત્ર વિલેપન બધા કાર્યો ગુણસ્થાનકની લાયક રીતે કરવા હોય તે સામાયકના ઉદ્દેશથી હોવા જોઈએ. સામાયકના સાધ્ય વગર સામાયક એટલે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રના ઉદેશ વગર બની શકે છે, પણ ગુણઠાણની પરિણતિની અપેક્ષાએ સામાયકના ઉદ્દેશ વગર દાન તપ શીલ વિગેરે ન્યાયયુકત ન કહેવાય. હવે અનુક્રમે વિચારીએ.
સામાયકના ઉદ્દેશ વગર-સામાયિકની સ્થિતિ વગર પડિકમણું કરવાનું હોતું નથી. પડિકમણમાં છ અધ્યયન. પ્રથમ અધ્યનન સામાયક કહો. જેને સામાયકને ઉદ્દેશ ન હોય, સામાયકની સ્થિમિ ન હોય તેને છ આવશ્યક શી રીતે થાય છે? જ આવશ્યકમાં પ્રથમ સામાયક આવશ્યક. કેઈએ શંકા કરી કે એક વખત સામાયિક ઉચ્ચાર્યું. અમારે સામાયિક થયું. વળી દેવસિપડિકમણું ઠાઈ વંદિતુ કહેતા આયરિય ઉવજઝાય કહી કરેમિસંતે કહેવું, આ વારંવાર કરેમિભંતે શા માટે? તે સામાયકમાં રહેલાએ બધા આવશ્યક કરવાના છે. માટે વારંવાર સામાયકની જરૂર છે. આ કહી આ સફળ સૂત્ર જણાવ્યું. બધાય આવશ્યકને સામાયકની જરૂર, આથી વારંવાર બોલવાનું સફળ થયું. જેને ખરેખર
સ્તુતિ કરવી હોય વંદન પ્રતિકમણ કાઉસ્સગ્ગ એ બધાં ખરેખર શુદ્ધ કરવાં હોય તેવા સામાયિકમાં સ્થિર થવાની પ્રથમ જરૂર છે. સાવધ
૧૧