Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
પાંચમું]
સ્થાનાંગસૂત્ર સમાધાન–તીર્થકરપણાની પરીક્ષાની કસોટી અહીં–પાંચ મહાવ્રતોમાં પાંચને આચરવામાં કસેટી નહિ. સાધુ, ઉપાધ્યાય વગેરે આચરે. પંચ મહાવ્રતની પ્રરૂપણામાં તીર્થકરોની કિંમત.
પ્રશ્ન–પંચ મહાવ્રત આચરે તેમાં કિંમત નહિ, પ્રરૂપણામાં કિંમત ?
સમાધાન–દયાન રાખજો. માર્કો (mark) રજિસ્ટર થાય છે. પણ તેની માલિકી કારખાનાના કારીગરોની નહિ. ડિઝાઈન (designs) રજિસ્ટર થાય છે. કરનારની તે માલિકી નહિ.' ગોઠવનારની માલિકી નહીં પણ કાઢનારની માલિકી. જે દવા, વસ્તુ રજિસ્ટર થાય તેમાં કાઢનારની માલિકી છે. કારણ કે મીલમાલિક મીલ ઊભી કરી ચલાવનાર છે. તેમ સાધુ વડી દીક્ષા લે, પંચ મહાવ્રત આચરે પણ તે કારીગરે. ત્યારે કંપનીને માલિક કેણી પંચ મહાવ્રતના માલિક કેણ? તીર્થકર ભગવાન એ જ પંચ મહાવ્રત કંપનીના મેનેજર. પંચ મહાવ્રતની એ ડિઝાઈન એમને ત્યાં રજિસ્ટર તીર્થકર સિવાય બીજાને ત્રસાદિનું જ્ઞાન નથી
તીર્થકર સિવાય બીજાને ત્રસ જીવોને પૂરે ખ્યાલ નથી તે તેને સ્થાવરનો ખ્યાલ કયાંથી લાવે? જે તેને ખ્યાલ નથી તો પછી એનાં દુખે, ઘા જાણે કયાંથી? વળી એનાં દુઃખને અંગે અનુકંપાવાળે થાય કયાંથી? તે પછી હિંસા છોડવી જોઈએ એવી ડિઝાઈન કાઢે કયાંથી? વેપારીને દુનિયામાં જેવી ડિઝાઈન જરૂરી છે તેવી ડિઝાઈન ખેળી કાઢવી પડે છે. ચૌદ રાજલકમાં બધા જ જોઈ લેવા, જાણી
લેવા, બધા કોળની સ્થિતિ ધ્યાનમાં લેવી. કયા ઉપાય દ્વારાએ . બચાવ થાય? એ સ્થિતિ ક્યારે આવે? સર્વ પાપથી વિરમવું