Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન મતેમાં માત્ર નથી એમ કહેતા નથી. પાંચ મહાવ્રતો કહે છે. આચાર ગ્રંથ નથી, વિચાર ગ્રંથ નથી, સર્વથા હિંસાથી વિરમવું તેનું નામ “અહિંસા તે આચારાંગને વિષય. હિંસાથી વિરમવું તે જૈન શાસનમાં જ છે તે વિષય સૂયગડાંગને. - અહીં તે વગીકરણને વિષય. મહાવતે પાંચ છે. એમ કહે છે પણ આદરવા લાયક, ટકાવવા લાયક, વધારવા લાયક છે
એમ કહેતા નથી. સીધું કહે છે–પાંચ મહાવ્રત છે. .. આચારાંગમાં જે પરિણામે નીકળ્યો તેને પકડી રાખજે.
સૂયગડાંગમાં સમજવું. અહીં મહાવ્રતને આદરવાની, વધારવાની, ટકાવવાની વાત નહિ પણ વર્ગીકરણની વાત. શાસ્ત્રકારે સીધાં પાંચ મહાવ્રતો છે એમ કહ્યું છે. તમે પાળજે, લેજે એમ કહ્યું નથી. મમ્હાનુભ! આચરવાનો વિષય આચારાંગને ને વિચારવાને વિષય રાયગડાંગ છે' દ્રવ્ય-ભાવ-હિંસાની ચતુર્ભાગી , - પાંચ મહાવ્રતના નિયમમાં આજ અનુક્રમે. પહેલાં પ્રાણુ
તિપાત વિરમણ કોઈ બીજો કમ કહેવા માગે તે નહિ. પાંચે : અનુક્રમ આગળ જોઈ ગયા છીએ. તેમાં પ્રાણાતિપાત વિરમણ
એ નામ કેમ રાખ્યું? હિંસા કેમ ન રાખ્યું ? હિંસાં બે પ્રકારની છેઃ દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા. તેમાં ચાર ભાંગી પડે છે(૧) દ્રવ્યથી તેમજ ભાવથી હિંસા, મારવાની બુદ્ધિએ માર્યો. (૨) મારવાની બુદ્ધિ, પેલે ખસી ગયે. ભાવથી હિંસા, દ્રવ્યથી હિંસા નહિ. (૩) દ્રવ્યથી હિંસા પણ ભાવથી નથી. મારવાની બુદ્ધિ નહિ, પગે જીવ કચડાઈ મરી ગયે. અને (૪) દ્રવ્યથી માર્યો નહિ ને ભાવથી પણ માર્યો નહિ તે ચે.