Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
સૂરીશ્વરજી
સ્થાનાંગસૂત્ર
૩૨ એક આનીમાં પરિણતિવાળું-જ્ઞાન જેમાં અવિકતિને સાથે હોય તેવું જ્ઞાન પર આની. તે જ્ઞાન સર્વ આરાધક છે, જે તેમ છે તે અભ્યપેત્યનું શું કામ ? જેને પ્રતિજ્ઞા કરવાની. મરજી હોય તેનું જ કાન, પંદર. આનીવાળું જ્ઞાન છે ને તે વિરતિ તરફ ઝુકાવનારૂ જ્ઞાન છે. અહીં પદાર્થનું જ્ઞાન થવું જોઈએ. “જ્ઞાવા' એટલે જ્ઞાનવાળો થયા છતાં, કમ્યુવેર એટલે સ્વીકારવું અને પછી પ્રતિજ્ઞા કરવી જોઈએ. આદ્રકુમારે પ્રતિજ્ઞા કરી હતી ને? પાપ જાણીને પાપની પ્રતિજ્ઞા કરીને પાપથી દૂર રહેવું. પાપને જાણવું, માનવું અને પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી. તેમ કરીને તેનાથી દૂર રહેવું તેનું નામ “વિરમણું.”
દ્રવ્ય–પ્રાણ અને ભાવ-પ્રાણ જાણે તે દ્વારાએ કર્મ કેમ બંધાય છે અને રોકાય છે તે જાણે છે જીવનિકાયનું અધ્યયન (૩૦ ક. ૪) તે છ જવનિકાયનું સ્વરૂપ જણાવનારું હતું છતાં કટુક ફળ સુધી કેમ પહોંચ્યા? “વિરમણ શબ્દ તેથી વપરાયે. નુકશાન બંધ થવાથી આત્માની ઉજજવળતાનું સ્વરૂપ વગેરે જણાવવું જોઈએ. સર્વ પ્રાણાતિપાતકાત્રિા વિરમગ. સર્વ પ્રાણે જાણવા, સર્વ પ્રાણોને અતિપાત જાણવો, એનાથી કટુક પરિણામ આવે તે જાણવું, તે કર્મ કેમ રેકાય તે સમજવું. પ્રાણાતિપાતને આશ્રીને જ્ઞાન કરવું, એના પચ્ચખાણ કરવાં. પ્રાણાતિપાતથી દૂર રહે. અહીં સમાસ થઈ શક્યો નહિ, તેથી પંચમી રાખવી પડી. સર્વ જાતિના પ્રાકૃતિપાતને આશ્રીને જ્ઞાન, પ્રત્યાખ્યાન-દૂર રહેવું બને તે પહેલું પ્રાણાતિપાત વિરમણ-પહેલું મહાવ્રત.
પ્રથમ ભાગ સમાપ્ત