Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
નવમું] સ્થાનાંગસૂત્ર
૧૧૯ એટલે તરવાનું સાધન કે તીર્થકર તરવાનું સાધન ? વિચાર કરીશું તે પ્રશ્ન અટપટ છે. સીધી રીતે કહી શકીએ કે બંને તીર્થ અર્થાત્ તરવાનું સાધન. તરવાનું સાધન પણું કેવળ ગણધરોને જ આપે છે. ત્યારે તીર્થંકર નકામ? તીર્થકરે એ તીર્થને બનાવનારા છે. પહેલા ગણધરની સ્થાપના કરનાર તીર્થ કરે. પણ દુનિયાને તરવાનું સાધન હેય તો પ્રથમ ગણધર. તીર્થ તરીકે તરવાનું સાધન તરીકે પહેલા ગણધર. અરિહંત એ નકકી તીર્થને કરનાર હોય છે. ગણધરની સ્થાપના સિવાયના કેઈ પણ તીર્થંકર હોતા નથી. દરેક તીર્થકર ગણધરની સ્થાપના કરે જ છે. અરિહંત એ તીર્થને જરૂર કરનાર. તીર્થ તરીકે ગણધર. તરવાના સાધન તરીકે ગણધર પ્રવચન દ્વારા એ. ગુણ ગુણી વગર રહેતો નથી
પ્રશ–પ્રવચન કયા દ્વારાએ? સમાધાન–પ્રવચન એ શ્રુતજ્ઞાનરૂપી ગુણ છે. ગુણીકાએ જ ગુણ રહે, તે તેથી ચારે વર્ણવાળે શ્રમણપ્રધાન જે સંઘ તે “પ્રવચન. જ્ઞાનરૂપી ગુણ આધાર વગરનો હોય કયાંથી ! તીર્થકર મહારાજે ભલે જનગામિની વાણીથી દેશના કરી. પણ ગણધરે એ સૂત્રરૂપે
થી ન હોત તે એ જ શ્રોતાઓને કાલાંતરે, ક્ષેત્રમંતરે અને તે વખતે બીજી જગ્યા પર હતું તેનું શું થાત? બીજા નવા થવાવાળાને શું થાત?
આપણે અવિરતિ ટાળીને વિરતિ લીધી, કષાયને ટાળવા તૈયાર થયા તે બધે પ્રભાવ કોનો? ગણધરનો. પાંત્રીસ વાણીના ગુણસહિત વાણીએ તીર્થને ઉપદેશ આપે છે, પણ આપણે માટે તે શૂન્ય.