Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 10
________________ 10 એકઠી કરવા તાલીમ લીધા સિવાય છૂટકે નથી. આ તાલીમ લેવી એટલે જ “આહારશુદ્ધિ કરવી. આ પરેડ કરવી એટલે જ બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય અને ચાર મહાવિગઈઓને જીવનભર માટે ત્યાગ કરે. અજય ત્યાગની તાલીમ લેવાથી જાગેલી જવાંમદ તપયુદ્ધ જગવવા થનગનશે અને પછી જ આહારસંસાની કારમી ગુલામી બેડીને ફગાવી–ફંગળી દઈને જીવ અણુહારી–પદની સ્વતંત્રતાને સર કરી શકશે માત્ર “આહારશુદ્ધિ ને અપનાવી લઈને જ આત્મ સંતોષ નથી માની લેવાનો ! આપણે આખરી આદર્શ અને આપણે મહત્ત્વને મુદ્રાલેખ તો છે આ અણહારી–પદ ! આ આદર્શને આંબવા તે આહારને–રસનો સદંતર ત્યાગ આત્મસાત્ કરે જરૂરી છે, પણ આ તે ઉપર ઉપરનું પગથિયું છે, છેલ્લું પગથિયું કહીએ તો ય ચાલે એવી આ ઉચ્ચ ભૂમિકા છે. આ ઉચ્ચ ભૂમિકાને પામવા શરૂઆતના પગથિયાં ચડવાં જ પડે અને આહારશુદ્ધિ વિના પ્રાથમિક પગથિયા પર પગ ટકી પણ ન શકે. માટે મુક્તિદ્વાર ઉઘાડવાની ચારિત્રચાવી પામવાની પ્રાથમિક શરત છે આહારશુદ્ધિ ! આહારની અસરથી તન-મન-જીવનમાં જાગતા આદોલનના તે આપણે સહુ જ સાક્ષી છીએ. અનુભવગમ્ય આ વાતને વધુ સમજાવવાની જરૂર નથી. ભેજન એવું મન, મન એવું મનન, અને મનન પ્રમાણે જીવન અને જીવન પ્રમાણે અંત. આ લગભગ અનુભવસિદ્ધ તારણ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 288