Page #1
--------------------------------------------------------------------------
________________
પાણી
ઉં
રય પ્રકાશ
sluડમ
પ્રતિક્રમણ
| દર્શનાવરણે.
CPHE
I'
ગોત્રમ
વેદનીય
લેખક : પચાસ શ્રી છે પ્રભાકરવિજયજી છે. મહારાજા,
11\\
.
વિક
Iી
પ્રકાશક : આ. શ્રી સ્મૃતિ
રય ૬
ભદ્રસૂરીશ્વરજી મહારાજ
છે.
2) +
જૈન આરાધના ટ્રસ્ટ, અમદાવાદ,
Jan Educationa International
Page #2
--------------------------------------------------------------------------
________________
વાચકાને નમ્ર વિનતી
આ પુસ્તકને કબાટમાં કેદ રાખશેા નહિ. નિત્ય આવશ્યક ક્રિયા કરનાર પુણ્યાત્માઓનાં હાથમાં પહેોંચાડવામાં પણ પુરુષાર્થ કરો, આટલા નાના પ્રયાસ ઘણું સારું ફળ લાવી શકે છે. ટુંકમાં આ પુસ્તક એક હાથેથી બીજે હાથમાં ફરતું રાખશેા.
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતા, પાઠશાળાના શિક્ષક ભાઈ–બહેના, બાળકો સમક્ષ આ પુસ્તક વાંચીને સંભળાવશે, અને જ્યાં જરૂર હેાય ત્યાં વિશેષ સમજ અપાશે તે તે બાળકો જરૂર આ ધક્રિયા કરવા ઉત્સાહિત મનશે. વાચકાને પોતાના અભિપ્રાય લખી મોકલવા વિનતી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂ. પ. પ્રવર શ્રી પ્રભાકરવિજયજી મહારાજનાં પુસ્તકમાં સહાયક દાતાઓની શુભ નામાવિલ
રૂપિયા
૫૦૦૦] શાહુ રતિલાલ નાનચંદ, આગલેડ તા. વિજાપુર, જી. મહેસાણા.
૧૦૦૦] શ્રી ધીરજલાલ કાંતિલાલ ઢાશી પરિવાર ૧૦૦૦] એક સદ્દગૃહસ્થ રાધનપુરવાળા તરફથી ૧૦૦૦] શ્રી સેવતિલાલ નાનાલાલ માધાણી પરિવાર રાધનપુરવાળા
૧૦૦૦] શ્રીમતી કાંતાબેન ચંપકલાલ ચીમનલાલ સૈજપુર, મેધા, અમદાવાદ.
૨૫૧] સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ. નાં શિષ્યા
સાધ્વીજી શ્રી નદિતાશ્રીજી મ.ની પ્રેરણાથી ઈડરવાલા શ્રીમતી મંગુબેન સાકરચંદ શાહ તરફથી
૫૦૦ દેવસી આણંદ પરિવાર તરફથી જામનગર.
*
Jain Educationa International
For Personal and Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
KUVVUNIOWWWWWWWWWUWUN
શ્રી મહાવીરાય નમ:
પ્રતિક્રમણ રહસ્ય પ્રકાશ હૈં
AMANMANOMADAMNAMANMAMAMMA
: લેખક પરિચય : કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાંત મહોદધિ સચ્ચારિત્ર ચૂડામણિ સ્વ. આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર શાસન પ્રભાવક પૂ. આ. શ્રીમદ્
વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.નાં શિષ્ય પૂ આ 3 શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. નાં શિષ્ય પં. શ્રી
પ્રભાકરવિજયજી મહારાજ.
WIMMINNANMINDANAMNAF
I : પ્રકાશક : આ. શ્રી મુક્તિચન્દ્ર સૂરીશ્વરજી
જૈન આરાધના ટ્રસ્ટ,
અમદાવાદ, SMAMMOEINANANANANANAN
Jain Educationa International
For Personal and Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
વિક્રમ સંવત ૨૦૪૬
ઈ. સ. ૧૯૯૦
|
-પ્રાપ્તિસ્થાન :
|
દાર
સેમચંદ ડી. શાહ વી. સં. ૨૫૬ જીવન નિવાસ સામે, પાલીતાણું
મૃતપાસક ટ્રસ્ટ
પ્રભાકુંજ', વિરાસાની પળ, વડોદરા કિંરૂ. ૧૫=૦૦ . સેવંતીલાલ જૈન
- ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર,
મુંબઈ-૪૦૦૦૦૨, તે
જશવંત ગીરધરલાલ : પ્રકાશક :
દેશી વાડાની પિાળ, અમદાવાદ આ, શ્રી મુક્તિચંદ્ર - સૂરીશ્વરજી | કીર્તિ પ્રકાશન C/o. દીપક આર. ઝવેરી જૈન આરાધના ટ્રસ્ટ ૧૦/૧૨૭૦, હાથીવાલા દેરાસર સામે, C/o, દીલીપકુમાર
ગેપીપરા, સુરત, ચીમનલાલ શાહ | મહાવીર જૈન ઉપકરણ ભંડાર ઠિ. સસ્તા અનાજની દુકાન ભોજનશાળા સામે, શંખેશ્વર-૩૮૪ ૨૪. ભૈરવનાથ રોડ,
અમરસી લક્ષ્મીચંદ કેકારી યુકે બેન્કની બાજ, |
એસ. ટી. બુક સ્ટોલ, શંખેશ્વરતીર્થ. અમદાવાદ-૩૮૦૦૦૮.|
વાયા: હારીજ. (ઉ. ગુ.). સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ, હાથીખાના,
અમદાવાદ-૧,
For Personal and Private Use Only
Jain Educationa International
Page #6
--------------------------------------------------------------------------
________________
પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંતના
પાવન ચરણમાં
શરૂ સમર્પણ....
સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડગી ન જવું, મેક્ષ સુખ માટે જ ધર્મ કરવાને ઘેરી માર્ગ બતાવનાર, સિદ્ધાંતની રક્ષા કાજે માનપાન અને જીવનને સમર્પિત કરનાર, અનેક સાધર્મિકેને ગુપ્ત સહાય કરનાર, શ્રી જિનેશ્વરદેવેની પ્રવચનધારાને ભવ્યજીવોના હૃદયકમળમાં સેંસરી ઉતારી દેનાર, સંયમ પામવા, સંસારથી ભાગી છૂટવા અને મેક્ષ પામવા, સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્ર અને સુદેવ સુગુરુ સુધર્મને ઓળખે-આવું સમજાવનાર યુગપુરુષ સુવિશાળ ગચ્છાધિપતિ પરમ શાસનપ્રભાવક પૂ આ. ભગવંત દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પાવન ચરણેમાં ભાવભય વંદન સહ સાદર સમર્પણ.
આપશ્રીને ચરણરેણુ પં. પ્રભાકર વિજય
વડોદરા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
શ્રી જિનેશ્વર દેએ ઉત્તમ અવશ્યક ક્રિયાઓ બતાવી છે. ભવભ્રમણને વધારનારી અને આત્મગુણોનું નિકંદન કાઢનારી પાકિયાએ પલાયન થાય અને કલપેવેલડી સમાન પ્રતિકમણની ક્રિયાઓમાં જોડાવાનું મન થાય અને રસ પડે તેવા શુભ આશયથી આ લખાણ તૈયાર કરેલ છે. આ સંકલન કરવામાં અનેક પુસ્તકોના વાંચન-મનન-ચિંતનને સહયોગ મળ્યો છે, તે સૌને હૃદયપૂર્વક આભાર માનું છું.
આ પુસ્તકમાં જે કાંઈ વિશિષ્ટતા છે તે તેઓની છે. જે કાંઈ સુટી છે તે મારી છે. વાંચકોને જે કંઈ વિચારણીય બાબત જણાય તે જણાવે તે ભૂલનું પરિમાર્જન કરી શકાય.
પૂ આ. ચિદાનંદસૂરિ મહારાજે પોતાનું કામ માની પુસ્તકનું સંશોધન આદિ કરી આપેલ છે. તેઓને ઉપકાર શી રીતે ભૂલાય? તેમજ પંડિત મફતલાલ સંઘવી ડીસાવાલાએ પુસ્તકને સુંદર રીતે સંમાર્જન કરી આપી પુસ્તકને શોભાવ્યું છે.
ભવ્યાત્માઓ દુર્લભ માનવજીવન અને જિનશાસન પામી મોક્ષ પામવા પુરૂષાથી બને એ શુભાભિલાષા.
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં.
લિ.
પં. પ્રભાકરવિજય
વડોદરા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ રહસ્ય પ્રકાશ વણા રન-શાન-જાઝિળિ મોક્ષમા
સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીના અલૌકિક તેજને અખંડ, નિર્મળ રાખવામાં “પ્રતિકમણને ફાળે
અમાપ છે.”
અર્ધમાગધી ભાષામાં “રિમા' તરીકે પ્રજાતા આ શબ્દને સંસ્કૃતમાં “તિમા કહે છે અને શિષ્ટ ગુજરાતી ભાષામાં પણ તે, તે જ ભાષામાં બોલાય છે, જ્યારે ગામઠી ભાષામાં તેને પડિકમણ” કહે છે.
“આક્રમણનો અર્થ દુનિયા સારી રીતે જાણે છે, પણ પ્રતિક્રમણને અર્થ અને ભાવાર્થ ખાસ કરીને જેનો જ જાણે છે. કારણ કે તે તેમના આરાધક જીવનમાં ગૂંથાયેલું ઉત્તમ એક આધ્યાત્મિક સત્કાર્ય છે. સર્વાગ સંપૂર્ણ એક અનુપમ વ્યાયામ છે. જેના પ્રભાવે આખું શરીર તેમજ મન અને ઈન્દ્રિયે આત્મસ્વભાવને અનુકૂળ બનીને સ્વ–પર હિતમાં ઉપગવંત રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
પ્રતિક્રમણ શબ્દને એક અર્થ પાછા ફરવું તે છે. તેને ભાવાર્થ છે પરભાવ રમણતાથી પાછા ફરીને સ્વભાવ રમણતામાં લીન થવું.
પરભાવ રમણતા એ જીવને ચાર ગતિરૂપ સંસારમાં ભૂંડે હાલે રઝળવનારું ભયંકર પાપ છે તેનું સેવન કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રયમય આત્માની ભયંકર કુસેવા થાય છે.
આત્માની કુસેવા કરવાથી સમગ્ર જીવલેાકના જિનેાક્ત આશયની સેવા કરવાની પાત્રતાથી ભ્રષ્ટ થવાય છે. તેના પરિણામે દેવદુલ ભ માનવભવ હારી જવાય છે.
અંગારાને અડતાંની સાથે દાઝીએ છીએ. તેમજ મેાંમાંથી આયકારા' નીકળી જાય છે, જો દેહુપીડા આટલી પજવતી હોય તે આત્માને પીડનારા પાપને મન અડાડતાં ગભરામણ પણુ ન થાય, તે માનવું કે આપણું મન કેવળ દેહભાવમાં મગ્ન છે, વિશુદ્ધ આત્મસ્વભાવનું આરાધક નથી. એટલે પાપ ન કરવા ઉપર, ન કરાવવા ઉપર, પાપ કરનારની પીઠ ન થાબડવા ઉપર ઉપકારી ભગવ તાએ પૂરતા ભાર મૂકયો છે.
માહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈ અનંત જીવા અનાદિ, અન ́ત સંસારમાં ભૂંડે હાલે ભટકતા રહે છે, તેનું અપાર દુ:ખ, આત્મા સાથે પાયાના સગપણને યથાર્થ પણે જાણુનારા તથા જાળવનારા શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની એકનિષ્ઠાપૂર્વક આરાધના કરનારા પુણ્યાત્માને થયા સિવાય રહેતું નથી.
એટલે તેવા ધ રિસિક ભવ્ય આત્માએ કાઈ એક જીવને પણ જાણતાં-અજાણતાં ભવવાના, પજવવાના, પીડવાના અસત્ કૃત્યરૂપ પાપથી વેગળા રહે છે, તેમ છતાં પ્રમાદવશાત્ કોઈ પણ જીવને દૂભવવારૂપ પાપ તેમનાથી થઈ જાય છે, તે તત્કાલ સુગુરૂ પાસે જઈ તેનું પ્રાયશ્ચિત્ત લે છે, તેમજ વિધિવત્
C
Jain Educationa International
For Personal and Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ કરતાં, સર્વ ને ખમવા-ખમાવવા સાથે તે જીવને પણ ખમાવે છે. અર્થાત્ તેની પાસે પિતાના પાપની વિનમ્રપણે ક્ષમા યાચે છે.
કેઈ પણ જીવને કદી પણ ન દૂભવવાની, તેનું અશુભ ન ચિંતવવાની, પરંતુ સદ્દભાવપૂર્વક તેનું ઉત્કૃષ્ટ હિત ચિંતવવાની શ્રી જિનાજ્ઞાનું સાંગોપાંગ ત્રિવિધ જતન કરવામાં સદા જાગૃત તેમજ મહા શૂરા પૂજ્યાચાર્ય ભગવંતાદિને ભાવથી વિધિવત્ વંદન કરવાથી પણ પાપ કરવાની અધમ વૃત્તિને દૂર કરવાનું આંતર સત્ત્વ ઝડપથી ફુરાયમાન થાય છે.
હું એક સુખી થાઉં, બાકી બધા જીનું જે થવાનું હોય તે થાય !”
નિગોદમાં રહીને સતતપણે સેવેલા આ અતિ અધમ અધ્યવસાયની પ્રગાઢ અસર ઉત્તમ સામગ્રીયુક્ત માનવભવમાં પણ જીવને પંડ (self) પ્રત્યેના આંધળા રાગમાં ગળાબૂડ રાખીને તેની પાસે અગણિત પાપ કરાવે છે તેમાં હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મસેવન, અનીતિ, પરિગ્રહ લાલસા, કેપ, માન, માયા, લેભ વગેરેનો સમાવેશ થાય છે.
નિ = નિકૃષ્ટ ગેદ = ળે
અર્થાત્ નિગેદ એટલે નિકૃષ્ટ પ્રકારના અધ્યવસાયને બાળો.
પા = પાછે. ૫ = પડે. અર્થાત જે કરવા, કરાવવા તેમજ અનુમોદનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
આત્મા મોક્ષમાર્ગથી પાછા પડે તેને “પાપ” કહે છે.
આવા કેઈપણ પાપથી પાછા ફરવા માટે અસાધારણ શૂરાતનની જરૂર પડે છે.
આવું શૂરાતન “પ્રતિકમણ” કરવાથી પ્રગટે છે અથવા એમ પણ કહી શકાય કે આવા શૂરાતનનો પર્યાય પ્રતિકમણ છે.
અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્માના શુદ્ધ સ્વરૂપની અપ્રમત્તપણે નિત્ય આરાધના કરવાના શ્રી જિનોપદેશના અંગભૂત પ્રતિકમણુ સકળ શ્રી સંઘના ચારે અંગેના આરાધક આત્માઓ નિયમિતપણે સવાર-સાંજ કરે છે, તેના પ્રભાવે સકળ શ્રી સંઘનું વિશ્વવ્યાપી પ્રભુત્વ યથાર્થ પણે જળવાઈ રહે છે. સર્વત્ર પાપરૂપી અંધકારનું પ્રભુત્વ સ્થાયી રહી શકતું નથી.
સંગ્રામમાં શત્રુ સામે ટક્કર લેવા માટે જે શુરાતન દાખવવું પડે છે તેના કરતાં ચઢીઆતા શૂરાતન વડે પાપકરણવૃત્તિને પરાસ્ત કરવા માટે દાખવવું પડે છે.
ધર્મશૂરા આત્માએ આવું શુરાતન દાખવીને અનંત શક્તિશાળી આત્માને સર્વ કર્મમુક્ત બનાવતા હોય છે.
આ શરીરને ચપુને ઘા વાગે તે ઈજા થઈ કહેવાય.
આત્માને હિંસા, જૂઠ, ચેરીને ઘા વાગે તે “પાપ” થયું કહેવાય.
શરીરને થતી ઈજાથી સમાજ, રાષ્ટ્ર અને વિશ્વરૂપી શરીરને ઈજા થતી નથી, પણ આત્માને થતી પાપરૂપી ઈજાથી સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વને માઠી અસરરૂપી ઈજા થાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
કારણ કે તે અસંખ્ય પ્રદેશ છે, કાલે ક–પ્રકાશક જ્ઞાનને અર્ણવ છે, આનંદને ઘન છે.
માટે જીવમાત્રની જયણા કરવાનું ફરમાન અનંત ઉપકારી ભગવંતોએ કર્યું છે.
આંખની કીકીનું જતન ન કરીએ તે પારાવાર જે મુશ્કેલીઓ સહવી પડે છે, તેના કરતાં અનંતગુણ મુશ્કેલીઓ આત્માના ગુણેનું જતન ન કરનારા જીવને સહન કરવી પડે છે.
આત્માના ગુણેને ઘાત કરનાર પાપકરણવૃત્તિ અને પ્રવૃત્તિ ઉભયને લાત મારવાની સચોટ શાસ્ત્રીય પ્રક્રિયાને પ્રતિક્રમણ” કહે છે.
પાપ કર્યા પછી કે થઈ ગયા પછી તેને પસ્તા સુદ્ધાં જેને ન થાય, તે ખરેખર દયાપાત્ર ગણાય.
ઉજળાં વસ્ત્રોને લાગેલા ડાઘ અખરે અને અનંત શક્તિશાળી આત્માને લાગેલે પાપનો ભયાનક ડાઘ તત્કાલ ન આખરે, ન ખટકે તો માનવું કે આપણી ભીતરમાં ખૂબ વધારે પાપ માલિન્ય છે, આપણે દષ્ટિ બહિર્મુખ છે. - નિષ્પાપ જીવનનો અનુપમ આસ્વાદ અનુભવનારા પુણ્યાત્માને તો સપાપ જીવન ભારે બોજારૂપ લાગે છે, લાગવું જોઈએ.
મળની મહેબૂત તો ભૂંડ કરે! આરાધક આત્મા નહિ.
અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માએ સર્વ જીના આત્યંતિક હિતના ઉત્કૃષ્ટ આશયથી પ્રકાશેલા ધર્મના અંગભૂત પ્રતિકમણને પાવનકારી પ્રકાશ તેને એકનિષ્ઠ આરાધકને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
ભૂંડા સંસારથી તારીને રૂડા મેક્ષના અધિકારી બનાવે છે. તેમાં કોઈ શક નથી.
પ્રતિક્રમણની સમગ્ર પ્રક્રિયા ઉત્તમ કોટિના આધ્યાત્મિક વ્યાયામરૂપ છે.
પ્રતિક્રમણ કરવા છતાં પાપનો પ્રતિકાર કરવાની આત્મશક્તિ પ્રગટ ન થાય તો તેમાં દોષ પ્રતિક્રમણનો નહિ પણ પ્રતિક્રમણ કરનારા આત્માનો માનવા.
રાગના સચોટ નિદાન પછી કુશળ વૈદની દવા લેવાથી પણ રાગ ન ઘટે તો દર્દીએ જાતે તેનાં કારણેાની ઊંડી તપાસ કરવાની હોય છે તેમ પ્રતિક્રમણ કરવા છતાં પાપ કરવાની વૃત્તિ મેાળી ન પડતી હોય, તે પ્રતિક્રમણ કરનારા આત્માએ જાતે પેાતાની નિત્યની કરણી તેમજ વિચારસરણીની તટસ્થપણે ચકાસણી કરવી જોઈ એ. પણ કોઇપણ સર્ચંગમાં પ્રતિક્રમણને વગેાવવાના જમાનાવાદી વલણને આધીન ન થવું જોઈ એ.
અત્યારે આ દેશમાં જે પવન વાઈ રહ્યો છે તે મહત્ અંશે અશાસ્ત્રીય જીવનપ્રવાહની પુષ્ટિ કરનારી છે. શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા ધની અવહેલના કરનારા છે. તેનાથી બચવા માટે આપણે સ્વ-પર હિતકર શાસ્ત્રીય પર'પરાને ખરાખર વક્ાદાર રહેવું જ પડશે.
પ્રતિક્રમણના રચયિતા કોણ ?
પ્રતિક્રમણને અર્થથી સ્વયં શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશ્યું છે અને સૂત્રરૂપે પ. પૂ. શ્રી ગણધર ભગવતે એ ગૂંચ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
કહ્યું છે કે"सामाइयमाईयं सुयनाणं बिन्दुसाराओ ।
तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ।"
અર્થાત્ સામાયિકથી માંડી બિંદુસાર પર્વતના શ્રુતજ્ઞાનને એક ભાગ પ્રતિકમણ છે, તેને સારી રત્નત્રયીનું સમ્યક્ પ્રકારે આચરણ છે અને તેને સારી નિર્વાણ યાને મુક્તિ છે.
આ હકીકતનું સમર્થન આવશ્યક સૂત્રે ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટેકા વગેરે કરે છે અને તે બધાના આધારે પ્રતિકમણું રહસ્ય પ્રકાશ” નામક આ લખાણ
આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ ઉપર વિશેષ આવશ્યક ભાષ્ય ”ના કર્તા શાસ્ત્રકાર મહર્ષિ પ. પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે.
ત્રણ પ્રકારના લેકે ત્તર આગમોમાં આવશ્યક સૂત્રને સમાવેશ શેમાં થાય છે, તેનું વર્ણન કરતાં ભાગ્યકાર મહર્ષિ ફરમાવે છે કે, 'सुयओ गणहारीजं तस्सिसाणं तहाऽवसेसाणं । एवं अत्ताणंतर, परंपरागम पमाणम्मि । अत्थेण उ तित्थंकर गणधर सेसाणमेवे हु
વિ. માં. ગાથા ૨૪૮ આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે કોત્તર આગમના ત્રણ પ્રકાર છે. (૧) આત્માગમ, (૨) અનંતરાગમ અને (3) પરંપરાગમ.
શ્રી આવશ્યક સૂત્ર સૂત્રથી ગણધર ભગવંતને આત્માગમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
છે, તેમના શિષ્ય જંબૂ સ્વામી આદિને અનંતરાગમ છે અને તેમના શિષ્ય શ્રી પ્રભવસ્વામી શ્રી શય્યભવ સ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે.
અથથી અનુક્રમે શ્રી તીર્થકર ભગવંતને આત્માગમ, શ્રી ગણધરને અનંતરાગમ અને શેષ શ્રી જંબુસ્વામી આદિને પરંપરાગમ છે કારણ કે અર્થના પ્રથમ પ્રકાશક શ્રી તીર્થકર ભગવંતે છે.
ગમ ગતિ એટલે જવું. આગમ એટલે પાછા ફરવું. પાછા ક્યાં ફરવું ? તે કે આત્મામાં.
આમ “આગમ” શબ્દ આત્માને એના પિતાના ઘરમાં પાછા ફરીને સ્થિર બનવાનું ગર્ભિત સૂચન કરે છે. | સર્વ આગમમાં કેન્દ્રવતી આત્મા છે. તે હકીકત આ અર્થ પ્રકાશનું સમર્થન કરે છે.
આ હકીકતનું મૂળ કારણ એ છે કે સર્વ શ્રી તીર્થકર પરમાત્માઓને સર્વ જી પ્રિયતમ હોય છે. માટે તેઓશ્રી જીવ માત્રના પ્રિયતમ છે.
તેમ છતાં કમગ્રસ્ત જે જીને શ્રી તીર્થંકર પરમાત્મા પ્રિયતમ નથી લાગતા, તે આત્માઓ પ્રત્યે પણ શ્રી તીર્થકર પરમાત્માને પરમ આત્મીયતા હોય છે.
માટે જીવ માત્રના હિતને ઉત્કૃષ્ટ ભાવ આપવાનું સ્પષ્ટ ફરમાન સર્વ આગામાં છે અને તે ફરમાનના જ એક ભાગરૂપે પ્રતિક્રમણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલ તેમજ પૌગલિક અને ભાવ આપવાના ભયંકર પાપથી પાછા ફરીને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માને યથાર્થ ભાવ આપે તે પ્રતિકમણનો ભાવાર્થ છે.
પ્રતિકમણ અને તેની ઉપકારક મહત્તા..
પાપનાં મુખ્ય ઘર (સ્થાન) અઢાર છે. તેને આપણે અઢાર પાપસ્થાનક' કહીએ છીએ. આ પાપ કરવા, કરાવવા તેમજ અનુદનાથી નિષ્પાપ આત્મા દૂષિત થાય છે.
ગૃહસ્થ જીવનમાં આમાનું કઈ પણ પાપ જાણતાંઅજાણતાં થઈ જાય છે. સાધુપણુમાં પણ સર્વ પાપથી સર્વથા નિલેપ રહેવાનું કામ અત્યંત અઘરૂં છે.
એટલે ગૃહસ્થ તેમજ સાધુ ભગવંતો સવાર-સાંજના પ્રતિક્રમણમાં આ પાપની ત્રિવિધે આલોચના કરે છે. પ્રાણતિપાત, મૃષાવાદ, અદત્તાદાન આદિ અઢાર પાપ પૈકી કઈ પણ પાપ મારા જીવે જાણતા-અજાણતાં કર્યું હોય, તે સવિ મિચ્છામિ દુક્કડું, બેલીને નિષ્પાપ જીવનની સરાહના કરે છે.
ધનને અથી માણસ, એક પાઈનું નુકસાન પણ સાંખી શકતે નથી તેમ ધર્મને અથી માણસ જરા જેટલું પણ પાપ થઈ જાય છે તે બેબાકળ બની જાય છે. ચોધાર આંસુએ રડવા માંડે છે એમ કે મેં આ તે શે ગજબ કર્યો? લાખનું નુકસાન થયું હોત તો સાંખી લેત, પણ મેં તે એ અપરાધ કર્યો છે કે જે ન કરવાની સ્પષ્ટ આજ્ઞા પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી છે.
એટલે પાપભારે બેવડ વળેલે તે રડતા-રડતે સુદેવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
સુગુરૂ સમક્ષ નિષ્કપટભાવે પિતાના પાપને એકરાર કરે છે. ફરીથી તેવું પાપ ન લેવાય તેનું પ્રાયશ્ચિત્ત કરે છે.
પ્રાયશ્ચિત્ત એ અત્યંતર તપને એક પ્રકાર છે, તે અંગીકાર કરનારે ભવભીરૂ આત્મા પિતાનું ચિત્ત, પ્રાયઃ ફરીથી તે પાપમાં નથી પરંવતે.
દિવસ-રાત્રિ દરમ્યાન આ આત્માને સર્વથા પાપ મુક્ત રાખવાની શાસ્ત્રાજ્ઞાનું ત્રિવિધે પાલન કરવાના વિશુદ્ધ અધ્યવસાયની અખંડ સુરક્ષા (યણ) કરવાને મહાન પુરુષાર્થ કરનારા સાત્વિક આત્માઓ પણ ઉપયોગ” ચૂકી જવારૂપ પાપના ભાગી બની જતા હોય છે. એટલે આ પાંચમાં આરામાં યુગ પ્રભાવક પ. પૂ. આચાર્યદેવથી માંડીને એનડીઆ આરાધકને પણ સવાર-સાંજ શાસ્ત્રોક્ત વિધિ-બહુમાનપૂર્વક નિત્ય પ્રતિક્રમણ કરવું પડે છે.
સાવ ચોખા જણાતા ઓરડાને પણ દિવસમાં બેત્રણવાર ચેક કર પડે છે, ચેખે કરતી વખતે તેમાં પ્રવેશેલે કચરે નજરે ચડે જ છે અને તેથી–રોજ કચરો કાઢવાની શી જરૂર? એ પ્રશ્ન કેઈ સમજુ માણસ કરતા નથી.
તે પછી અસંખ્ય ઓરડા (પ્રદેશે) વાળા આત્માને રોજે રોજ પાપરૂપી કચરાથી વિમુક્ત રાખવા માટે સકળશ્રી સંઘના સર્વ પુણ્યાત્માએ પ્રતિક્રમણ કરવામાં પ્રમાદ કરે યા કઈ બહાનું કાઢે, તેને અર્થ એ થાય કે તેઓ પાપને આક્રમણ કરવાની અનુકૂળતા કરી આપનારા કાયર જીવે છે.
અનિવાર્ય સંગમાં કદાચ કઈગૃહસ્થ ઉભય સંધ્યાએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ ન કરી શકે તે પણ તેના આખા મનમાં તેને પસ્તા હોય, દુઃખ હેય એમ કે હું આજે મારા આત્માની યથાર્થ જયણું ન કરી શક્યા.
શરીરને સાચવીએ, સંપત્તિને સાચવીએ, આબરૂને સાચવીએ અને જે તે બધાના મૂળાધારરૂપ આત્માને ન સાચવીએ તે એક નંબરના ગાફેલ તેમજ ગમાર ગણુઈએ તે નિર્વિવાદ હકીકત છે.
આત્માની ઈજત કરવા માટે, તેની શુદ્ધિની જાળવણું માટે, તેના ગુણેની સુરક્ષા માટે, પ્રતિકમણ નિતાંત આવશ્યક છે.
આંખ, કાન, નાક વગેરે ઈન્દ્રિયોને ચેખી રાખવા છતાં, જે આત્માને ચેખે રાખવા માટેનું શાસ્ત્રજ્ઞાનું અંગભૂત પ્રતિકમણ ન કરીએ. તેની ઉપેક્ષા કરીએ, રેજેરોજ પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે એવું માનસ કેળવીએ, તે આખો માનવભવ ગટરની જેમ ગંધાઈ ઉઠે.
આપણે પાપના પ્રતિપક્ષી છીએ એનો સબળ પુરા પ્રતિક્રમણ કરવા દ્વારા પૂરી પાડી શકીએ.
પ્રાણોને ટકાવવા માટે પાણી જેટલું જરૂરી છે, તેમ ભાવ પ્રાણેની શુદ્ધિને ટકાવી રાખવા માટે, તેટલું જ જરૂરી પ્રતિકમણ છે.
પ્રતિક્રમણ કરનાર આત્મા, પછી પાપ ન કરે એવું બને?
એવી શક્યતા કાળક્રમે નિર્માણ અવશ્ય થાય અને તે જ લક્ષ્ય વિવેકી આરાધક રાખે છે, એટલે પ્રતિક્રમણ એકાંતે આત્મહિતકારી છે, તેમાં કોઈ સંદેહ નથી.
નિત્ય વિધિ-બહુમાનપૂર્વક પ્રતિક્રમણ કરવાથી દૈનિક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
જીવનમાં પાપ કરવાની વૃત્તિ મળી પડે છે, અર્થાત પાપરસિક્તા મંદ પડી જાય છે એટલે શ્વાસેચ્છવાસ લેતાં-સૂતાં જે કર્મો વડે આત્મા બંધાય છે, તે કર્મો પ્રાયઃ પૃષ્ટિ અને બદ્ધ પ્રકારનાં હોય છે, નિધત્ત અને નિકાચિત પ્રકારનાં નથી હોતાં. - એટલે જે આત્માને કંઈક પણ આત્મહિત ચિંતા હોય છે, તેને પ્રતિક્રમણ ખરેખર પ્યારું લાગે છે, પાપ ખરેખર નઠારું લાગે છે.
પ્રતિક્રમણનું ઉપકારક જે મૂલ્ય જ્ઞાની ભગવંતેએ આંકયું છે, તેનું યથાર્થ બહુમાન કરવા માટે પ્રતિક્રમણ નિત્ય કરવું જોઈએ. કદાચ ન થઈ શકે તે ભારોભાર પસ્તા થા જોઈએ, પ્રતિક્રમણ જેઓ કરતા હોય, તેમની હાર્દિક અનુમોદના કરવી જોઈએ, પણ તેની લવલેશ ઉપેક્ષા તે ન જ કરવી જોઈએ.
પ્રતિકમણની ઉપેક્ષા એટલે પાપને આત્માના ઘરમાં પ્રવેશ કરવા દેવાની અનુમતિ.
આ પાંચમાં આરામાં આ ક્ષેત્રમાં વસતા સર્વ જિનાનુયાયીઓને પ્રતિક્રમણ કરવાની આવશ્યક્તા વિષે જરા પણ સંદેહ રહેશે તો તેમના આત્માને અવશ્ય અધિક ભવભ્રમણ કરવું પડશે.
પ્રતિક્રમણ કરવાથી, કરેલું પાપ સદંતર નાબૂદ થઈ જાય ખરું? , કર્મક્ષયના પ્રણિધાનપૂર્વક, વિધિપૂર્વક કરાતા પ્રતિકમણથી કરેલાં પાપ પાતળાં પડીને કાળક્રમે સદંતર નાશ પામે છે.
કર્મો જડ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
ધર્મ પૂર્ણ ચેતનવંતે છે એટલે તેની સમ્યફ પ્રકારે શરણાગતિ સ્વીકારવાથી આરાધકનો આત્મા નિયમા નિર્મળતા પામે છે. તેના અસંખ્ય પ્રદેશોમાં નીરક્ષીર ન્યાયે ભળીને રહેલાં કર્મો નામશેષ થવા માંડે છે.
શ્રી જિનવચનમાં નિઃસંદેહ બુદ્ધિવાળા આત્માને પ્રતિક્રમણમાં રહેલી પાપ દૂરીકરણ ક્ષમતામાં લવલેશ સંદેહ રહેતું નથી.
સ્વ ઘરમાં પાછા ફરવાનું કેને ન ગમે? પર ઘરની ગમે તેવી પ્રીત આખરે જીવને છોડવી જ પડે છે. એ શાસ્ત્રવચનમાં પૂર્ણ નિષ્ઠાવાળાને પ્રતિક્રમણમાં અપૂર્વ રસ પેદા
થાય છે.
સંધ્યા ટાણે પિતાના વાડામાં પાછા ફરતાં પશુઓગાય-ભેંસ વગેરેના પગ પણ જેરથી ઉપડે છે એ કેણ નથી જાણતું !
તે પછી આત્માથીને આત્મઘરમાં પાછા ફરવાના ધન્ય અવસરરૂપ પ્રતિકમણમાં અપૂર્વ ઉમંગ આવે તે સ્વાભાવિક છે.
પાપાનુકૂળ જીવન વ્યવહાર સારે કે ધર્માનુકૂળ જીવનવ્યવહાર સારે ?
આ પ્રશ્નનો જવાબ પ્રત્યેક વિવેકી આત્મા એ આપશે કે ધર્માનુકૂળ જીવન વ્યવહાર સારે.
એટલે પાપના પ્રતિપક્ષી તરીકેના પવિત્ર જીવનનું સંગીન પ્રકારે ઘડતર કરવાની શુભ ભાવનાવાળા આત્માઓ પ્રતિક્રમણ કરવામાં પ્રમાદ નથી સેવતા, કદાચ કઈ ખાસ કારણસર પ્રતિકમણ ન કરી શકે ત્યારે પણ પ્રતિક્રમણ કરવું જ જોઈએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
એવું દૃઢપણે માને છે તેમજ બોલે છે અને પ્રતિક્રમણ કરનારા પુણ્યાત્માઓની હાર્દિક અનુમોદના કરે છે.
એ તે કર્યો મૂઢ માણસ હોય કે જે પાપનો પક્ષકાર બનવામાં આનંદે?
પ્રતિકમણું શા માટે? દ્રવ્ય આરોગ્યની સુરક્ષા માટે શુદ્ધ હવા-પાણી આવશ્યક છે, તેમ ભાવ આરોગ્યની સુરક્ષા માટે પ્રતિકમણ પણ આવશ્યક છે.
આવશ્યક એટલે અવશ્ય કરવા જેવું.
જેને જ્ઞાની ભગવંતે એ અવશ્ય કરવા જેવું કહ્યું, તે પ્રતિક્રમણ ન કરીએ તો પ્રતિ સમયે બંધાતાં સાત કમે (પ્રાયઃ આઠ) અનંત શક્તિશાળી આત્માને સાવ નિર્માલ્ય, નિસ્તેજ, નગુણે બનાવી દે.
લૌકિક ન્યાય અનુસાર પણ ગુન્હો કરનાર પકડાય છે તે તેને સજા થાય છે અને નથી પકડાતે તે સજામાંથી ઉગરી પણ જાય છે. અથવા પૂરતા સબળ પુરાવાના અભાવે પણું સજામાંથી બચી જાય છે. તે ક્યારેક પિતાના વકીલની તર્કસંગત દલીલના કારણે પણ તે નિર્દોષ પૂરવાર થઈને છૂટી જાય છે.
પણું લોકેત્તર ન્યાય વ્યવસ્થામાં જરા પણ ઘાલમેલ, લાગવગ, બનાવટ, યુક્તિ તેમજ ચાલાકીને લવલેશ અવકાશ નથી.
આ ન્યાયતંત્ર પૂર્ણતઃ વિશુદ્ધ છે. અફર છે, અકાઢ્ય છે, તેમાં કેઈ ચકવતી કે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માની પણ લાગવગ ચાલતી નથી, પક્ષપાતને મુદ્દલ અવકાશ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
ચરમ તીપતિ શ્રી મહાવીરસ્વામી પરમાત્માના ૨૭ ભવાનો ખરાખર અભ્યાસ કરવાથી આ હકીકત યથાર્થ પણે સમજી શકાય છે.
એટલે રાજીદા જીવન વ્યવહારમાં જાણતાં-અજાણતાં નાના-મોટાં પાપ થઈ જવા છતાં, કરવા કરાવવા છતાં તેના તરફ હાર્દિક નફરત વ્યક્ત કરવારૂપ પ્રતિક્રમણ ન કરીએ તે આત્માને લાગેલ એ પાપકમ વધુ ચીકણું અને, ગાઢ ખને, સાથેાસાથ તેના અનુખ ધરૂપ વ્યાજ પણ માથે ચઢે,
આબદાર માણસને માથે દેવું ચઢે એટલે તેની ઉંઘ હરામ થઈ જાય. સ્વાદિષ્ટ ભેાજન મીઠું ન લાગે, એ દેવું વહેલી તકે ભરપાઈ કરવાની ભાવના ભાવે જાહેરમાં ઊઁચા સાદે ખેલતાં પણ શરમાય.
તે જ રીતે આત્માને કમ ગ્રસ્ત કરનારા પાપકર્મો કર્યો પછી અથવા થઈ ગયા પછી વિવેકી આત્માને તેનાથી છૂટકારા મેળવવાના સચોટ શાસ્રીય ઉપાયરૂપ પ્રતિક્રમણ કર્યાં સિવાય ચેન ન પડે.
પ્રતિક્રમણ કરવાથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું બહુમાન થાય છે ધ`સત્તાના આદર થાય છે, આશ્રવ ઘટે છે, સવર સેવાય છે અને મેક્ષના માગ માકળા થાય છે. એક રાજાની આજ્ઞાનું અપમાન કરનારને સજા થાય છે, તે પછી ત્રિભુવનપતિ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું અપમાન કરનારને આકરી સજા ખમવી પડે તે સ્વાભાવિક છે. બહુમાન કરવું એટલે આખુ'ય મન સમર્પિત કરી દેવું. સમગ્ર અહુને–વે સિરાવી દેવા, આજ્ઞાકાર ભગવતને સર્વેસર્વાં માનવા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
શા ફરમાવે છે કે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું યથાર્થ બહુમાન કરનાર આત્મા ધર્મ મહાસત્તાના અનુગ્રહને ભાગી બને છે અને તેનું અપમાન કરનારે આત્મા નિગ્રહને ભાગી બને છે.
કર્મસત્તાની તાકાત અસાધારણ છે, તે ધર્મ મહાસત્તાની તાકાત અચિત્ય છે.
આ હકીકતને હૈયું આપનારા સત્વશીલ આત્માઓ અધર્મને આદર કરવામાં સદાય પીછેહઠ કરે છે.
વિવેકપૂર્વકની આ પીછેહઠ તે તત્વતઃ પ્રતિક્રમણને જ એક ભાગ છે.
મારો આતમા, ભવભવાંતરના અગણિત કર્મો વડે બંધાયેલો છે માટે તેના મૂળ ગુણે ઢંકાયેલા છે. વાસ્તવિક આ હકીકતની જરા પણ ઉપેક્ષા મને પાલવે નહિ. પિોસાય નહિ.
એટલે હવે હું ગાફેલ બનું તે સાવ કંગાલ, કમર, નિમાલ્ય બની જાઉં. હવે તો મારે શ્રી જિનાજ્ઞા મુજબ ધર્મની જ આરાધના કરીને, આત્માને સર્વ કર્મ મુક્ત કરવાને મક્ષ પુરુષાર્થ ઉત્કૃષ્ટપણે આદરે જોઈએ.
કઈ પણ આત્માથી આવી સાચી સમજના ઘરમાં સ્થિર રહીને, જીવને સતત અસ્થિર રાખનારા અશુભ કર્મોને પ્રતિક્રમણાદિના સેવન વડે કમજોર બનાવવામાં શુરાતન દાખવે છે.
કમજોર દેખાતે માનવી પણ જ્યારે કેઈ હિંસક પશુ તેની પાછળ પડે છે ત્યારે તેનાથી બચવા બધા બળપૂર્વક આંધળી દેટ મૂકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
આજે આપણા આત્માની આવી જ દશા છે. તેનું અનંત જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મ વડે મહદ્ અંશે ઢંકાયેલું છે. એ જ દશા તેના અનંત દર્શન ગુણની છે તેમજ તેના બીજા અગણિત ગુણે પણ કર્મરૂપી ચેરેના કબજામાં છે, છતાં આપણું પેટનું પાણી હાલતું નથી. આપણે નિરાંતે હરીએ ફરીએ છીએ. મોજથી જમીએ છીએ. નફીકરા થઈને ઉંઘીએ છીએ.
આવી ભયાનક સંસાર રસિકતા આપણને માફક આવે, બેચેન ન બનાવે તે હકીકત આપણે ધર્મરૂચિ વાન ન હોવાનું પ્રમાણ નથી શું ?
ધર્મરૂચિ પ્રગટ કરવા માટે જીવાદિ નવ તના અભ્યાસ સાથે પ્રતિક્રમણ ખાસ આવશ્યક છે.
જે એટલો વિચાર કરીએ કે સર્વ વિરતિધર સાધુ, સાધ્વીજી મહારાજેને પણ નિત્ય સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું પડે છે તે પછી પાપના ઘરમાં રહેનારા આપણે પ્રતિક્રમણ ન કરીએ તે આત્માના ઘરની હાલત કંઈની ભઠ્ઠી જેવી થઈ જાય. શુભ અધ્યવસાય દુર્લભ બની જાય. ચિત્ત ચાળણું જેવું બની જાય, દિન-રાત પશુવૃત્તિમાં રમણતા રહે.
માટે બેજે હોય છે તે ગિરિરાજ ચઢતાં નાકે દમ આવી જાય છે. તે આપણે જાત અનુભવ છે તે પછી કર્મોનો ભાર વેંઢારીને નિરાંત અનુભવી ન જ શકીએ, તેમ છતાં નિરાંત અનુભવતા હોઈએ તે કરૂણવંત ભગવંતની દૃષ્ટિએ દયાપાત્ર, લાચાર, મડદાળ જ ઠરીએ.
પળપળે પલટાતા પર્યાય સમયે એક આત્મદ્રવ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
આરાધક અનવાની ચાગ્યતા ખીલવવા માટે પ્રતિક્રમણ કરવું જ જોઈ એ.
ઈતર દશ નકારાએ કહ્યું છે કે,
“ હૅરિના મારગ જે શૂરાને....”
જ્યારે શ્રી જિનદર્શન ક્રમાવે છે કે, “ પ્રભુને માગ મહાશૂરાઓના છે....”
નક્કર આ ફરમાન જૈન સાધુ સાધ્વીજીએના જીવનનો અભ્યાસ કરનારા વિવેકી આત્માને તરત સમજાય તેવું છે. તે સિવાય પૂજ્ય શ્રી આન ંદઘનજી વગેરે પૂજ્યાએ “ધારી તલવારની સેાહુલી,
ઢાહુલી ચૌદમાં જિનતણી ચરણ સેવા ! '
આદિ સ્તવનો પટ્ટો ન રચ્યાં હોત.
આવા સ્તવન-પદની રચના તે જ પૂજ્યવર કરી શકે છે, કે જે દિનરાત જિનાજ્ઞાની આરાધનામાં રચ્યા-પચ્યા રહે છે. માટે આવા પૂજ્યવાને દેખાવે રૂડો સંસાર, કિંપાકના ફળ જેવો ભૂડો લાગે છે,
વિષ્ટા ચુ'થતા ભૂંડને જોઈ ને જુગુપ્સા અનુભવતા હોઇએ છીએ, તેા ભૂંડા સંસારને સેવતાં જે જુગુપ્સા ન અનુભવતા હાઈ એ તા આપણે એક નંબરના ગમાર ગણુાઈ એ.
ગટરની દુધથી અકળાઈને નાકે રૂમાલ ધરીએ અને ભીતરની દુર્ગંધ, ભાવ-મલિનતા હાંસે હાંસે ખસીએ તે મિાદષ્ટિ કેમ ન ગણાઈએ? પ્રભાકરની પવિત્રતાનું આ કંઠે પાન કરીને પરિમલ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૯
પ્રસારતા પુષ્પની જેમ આપણે ક્યારે પરમાત્માની આજ્ઞાન પ્રકાશમાં સ્નાન કરીને “સુમન” બનીશું? - સર્વ પાપથી સર્વથા મુક્ત થવાને દદ નિર્ધાર મન જ્યારે સુમન બને છે ત્યારે જ થઈ શકે છે તેમજ તે નિર્ધાર મુજબનું નિષ્પાપ જીવન શરૂ થાય છે.
સમજાતું નથી કે ઘરમાંથી જ બે-ત્રણ વખત કચરો કાઢનારા યા કઢાવનારા આપણે, આત્માના ઘરમાંથી કચરોકર્મ રજ દૂર કરવાના ધર્મપુરુષાર્થરૂપ પ્રતિક્રમણ દરરોજ બે વાર (સવાર-સાંજ) કરવામાં પ્રમાદ શાને સેવીએ છીએ!
ઉત્તમ માતૃકાક્ષરોના સુસજનવાળા પ્રતિકમણ સૂત્રોના અર્થ ન જાણનારને પણ તે સૂત્રોનું શ્રવણ કરવાથી લાભ થાય છે.
જેમ અંધારામાં ભૂલથી ખાધેલી ખાંડ મીઠી લાગે છે તેમ પ્રતિક્રમણ સૂત્રોનું શ્રવણ કરવાથી મોહરૂપી વિષનું ઘેન થોડું પણ ઘટે તે છે જ.
ભૂમિ પ્રમાજી કટાસણું પાથરી, વિધિવત્ સામાયિક ઉચ્ચરી, એક આસને જેટલો કાળ બેસી રહેવાય છે તે દરમ્યાન છ કાય જીવની રક્ષા થાય છે. ચારે આહારને ત્યાગ થવાથી અનાયાસે તપને લાભ મળે છે, તેટલા કાળ પૂરતું શીલ પણ અવશ્ય પળાય છે અને દાન તેમજ ભાવરૂપી ધર્મનું સૂત્રપાઠાન્તર્ગત સેવન થાય છે.
પાપભીરતા કેળવવા માટે પ્રતિક્રમણ અતિ આવશ્યક છે.
માતા તેમજ મંત્રની વ્યાખ્યા કરવાથી તેનું નૈસર્ગિક સામર્થ્ય ઘવાય છે, અર્થાત્ ન્યૂન થાય છે.
પદાર્થના ઉપકારક સ્વરૂપના વિઘટનમાં પરિણમનારી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
કઈ પણ પ્રકારની પ્રક્રિયા હેય ગણાય છે તેમ અનાદિ સિદ્ધ શ્રી નવકાર પ્રમુખ અનેક સૂત્રોના શબ્દાર્થ કરવાની જમાનાવાદીઓની જે ઝુંબેશ જોર પકડતી જાય છે તે ચિંતાજનક છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજાએ આજ્ઞા નિરપેક્ષપણે રચેલા.
–“નમોઝર સિદ્ધાવસ્થા સર્વ પુષ્યઃ” અને તેના મૂળરૂપ શ્રી નવકાર વચ્ચે આસ્માન જમીનનું અંતર છે, તેમ પંચિંદિય, તસ્ય ઉત્તરી, અન્ન, લોગસ્સ આદિ સૂત્રોને પણ જે સંસ્કૃતમાં ઢાળવામાં આવે તો તેમાં પણ ભારોભાર તત્વ-વિરાધના થાય.
કહેવાનું તાત્પર્ય એ છે કે અનાદિ સિદ્ધ શ્રી નવકાર અને પરમ પૂજ્ય શ્રી ગણધર ભગવંતાદિએ અર્થથી પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્માના શ્રીમુખે સાંભળીને સૂત્રરૂપે ગૂંથેલાં અનેક જે સૂત્રો આપને ત્યાં વિદ્યમાન છે, તેને તે જ સ્વરૂપે કંઠસ્થ કરવાની સુવિશુદ્ધ પરંપરાને (કેસેટેના ઉન્માદી વાતાવરણમાં) આપણે ચુસ્તપણે વફાદાર રહેવું જોઈએ.
આત્માના અસંખ્ય પ્રદેશોમાં અડ્ડો જમાવીને રહેલાં કેવળગેચર કમણુઓને, આવા સૂત્રના અક્ષરો-અક્ષર, આત્મવીર્યને સ્કુરાયમાન કરીને વેરવિખેર કરવાનો સ્વભાવ ધરાવે છે.
જે લેગસ્સ સૂત્રના અર્થમાં રાચીએ તે તેનું ખોખું હાથમાં આવે, આત્મા નહિ.
પંચિંદિય સંવરણ સૂત્રના કોઈ વિદ્વાન ભલે લાખ અર્થ કરે પણ તે બધા તેના પડછાયાથી વિશેષ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ પ્રકારના જ્ઞાનના ક્ષયોપશમના બળે કોઈ એક સૂત્રનું આંતર સ્વરૂપ ખોલવું તે એક વાત છે અને તેના માત્ર સ્થલ અર્થ કરવા તે બીજી વાત છે.
પહેલી વાત શાસ્ત્રમાન્ય છે. બીજી સર્વાપેક્ષાએ માન્ય નથી.
પ્રતિકમણના સૂત્રેના અતિ ગહન સ્વરૂપને યથાવત્ જાળવીને પ્રતિક્રમવાથી પાપકરણ વૃત્તિ અચૂક મંદ પડે છે.
રસોડાની કાળી દિવાલ ચૂનાના એક હાથથી પૂરી સફેદ નથી થતી, તેમ આત્માના શુદ્ધ સ્વરૂપને આવરીને રહેલાં કરૂપી વાદળ, એકાદ ભવના પ્રતિક્રમણથી સર્વથા ન વિખરાય તે બનવાજોગ છે, તેમ છતાં તેના પ્રભાવે આત્મા કંઈક નિર્મળ થાય છે.
લાખ રૂપિઆનું નુકશાન, રૂપીઆ મળવાથી સર્વથા સરભર ન થતું હોવા છતાં, તે રૂપીઆ જેટલું ઓછું તે થાય જ છે, તેમ વિધિ-બહુમાનપૂર્વક પ્રતિક્રમણ કરવાથી ડેક પણ આત્મલાભ થયા સિવાય રહેતું નથી.
સકળ લોકમાં પ્રતિક્રમણ જેવી સર્વાગ સંપૂર્ણ શરીર વિજ્ઞાન, મને વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાન એ ત્રણેયના સુભગ સમન્વયરૂપ ધ્યાનના ચરમ શિખરે પહોંચાડનારી અમૃતમયી બીજી કોઈ સ્વ–પર હિતકારી કિયા નથી.
પાપ કરણવૃત્તિને નિષ્કિય બનાવીને સકલસર્વ હિતાશય પ્રધાન કર્તવ્ય પંથે લઈ જનારી પ્રતિક્રમણની ક્રિયામાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨
તે પછી રોજ પ્રતિકમણ કરનારા ભાઈઓના જીવનમાં ધર્મશુરાતન નહિવત્ જણાય છે તેનું કારણ શું?
રૂપીઆમાં એક પૈસા જેટલું પણ ધર્મશૂરાતન હોવું એ કઈ મામૂલી બાબત નથી. વાદળ વીંધીને પૃથ્વી તલે પ્રકાશ પાથરતા સૂર્યના એક કિરણની જેમ રૂપીઆમાં એક પૈસા જેટલો પણ ધર્મ સ્વ–પર ઉપકારક નીવડે છે.
તેમ છતાં વ્યક્તિની નબળાઈનો આરોપ, વસ્તુ ઉપર ન કરાય, તેમ પ્રતિક્રમણ કરનારની કચાશના કારણે પૂરતું ધર્મશૂરાતન જીવનમાં ન પ્રગટે તેનો દોષ પ્રતિકમણ ઉપર ન ઓઢાડાય.
મંદ જઠરાગ્નિવાળાને દૂધ ન પચે, તેમાં દૂધને શે દોષ?
આજ કાલ વ્યક્તિની નબળાઈને કારણે, તે જે ધર્મના આરાધના યથાશકિત કરવામાં ઉણુ ઉતરે છે તેમાં ધર્મની ઉણપ કાઢવાની શી જરૂર?
આવું નકારાત્મક વલણ ક્રિયામાર્ગની ઉપેક્ષામાં પરિણમશે.
વર્તમાનકાળે છે એટલા તે જ જાળગ્રસ્ત બની ગયા છે કે આત્માના ઘરની દેખભાળ રાખવાની જરા પણ ભાવના તેમના મનમાં જાગતી નથી,
કાયા, કુટુંબ, કામિની, કંચન અને કીર્તિની કામનામાં ગળાબૂડ આજના મોટાભાગના માણસોને પાપ અખરતું નથીખટકતું નથી. ભૌતિક સુખ આપનારી સામગ્રી મેળવવા માટે તેઓ ગમે તેવું પાપ રસપૂર્વક કરતા હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૩
જીનું અહિત કરનારા આ ઝેરી વાતાવરણને ફેલાવે એટલે વેગ ધારણ કરી ચૂક્યો છે કે જે આજે આ દેશમાં શ્રી જિનેશ્વર પરમાત્માએ સ્થાપેલો શ્રમણપ્રધાન શ્રી જૈનસંઘ વિદ્યમાન ન હોય, તે સર્વત્ર પાપરૂપી અંધકાર ફેલાઈ ગયો હોત.
આ શ્રી સંઘના પ્રભાવે આજે નાના-મોટા ગામનગરના શ્રી સંઘમાં નિત્ય જિનપૂજા, સામાયિક, તપ તેમજ પ્રતિકમણાદિ પૂર્વવત્ ચાલુ છે.
જે તિક્રમણ સૂત્રો મુંબઈને જૈન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતાં બેલાય છે. તે જ પ્રતિક્રમણ સૂત્રો, આ દેશના એક નાના ગામના ઉપાશ્રયમાં પણ પ્રતિકમણ કરતાં બોલાય છે.
સૂત્રોનું આ એક સરખાપણું સર્વ ધર્મારાધકોને એકસૂત્રે બાંધવામાં પાયાને ભાગ ભજવે છે. તેને કારણે મિથ્યા મતભેદ ઊભા થતા નથી અને ધર્મારાધનામાં એકસંપી જળવાય છે.
મોટા ભાગનાં પ્રતિક્રમણ સૂત્રો અર્ધમાગધી ભાષામાં છે, થોડાંક સંસ્કૃત ભાષામાં છે એકમાત્ર અતિચાર–સૂત્ર ગુજરાતી ભાષામાં છે.
અર્ધમાગધી ભાષાનાં જે સૂત્રો છે, તેને પુનઃ પુનઃ મમળાવવાથી, પાણીમાં ઓગળતી સાકરની જેમ તે સૂત્રોનું આંતરસવ અંત:કરણમાં તેજરૂપે પરિણત થાય છે.
શ્રી વંદિત્તા સૂત્રમાં ગહન જે તાત્વિકતા છે તેને જ વિસ્તાર શ્રી અતિચાર સૂત્રમાં છે.
પાપ કરવાની વૃત્તિથી સર્વથા નિવૃત્ત થવાની તીવ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
તાલાવેલી પેદા કરવામાં અર્ધમાગધી સૂત્રો એટલે કે શ્રી નવકાર. પંચિંદિય, લેગસ, જગચિંતામણિ વગેરે જે ભાગ ભજવે છે તે ભાગ સંસ્કૃત યા ગુજરાતી ભાષામાં રચાયેલાં સૂત્રો ભાગ્યે જ ભજવી શકે છે.
તેમ છતાં બાળજના ઉત્કટ હિતની અપાર ચિંતાથી પ્રેરાઈને પરમ પૂજ્ય શાસન પ્રભાવક મહાપુરુષેએ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં જે સૂવે, તેત્રે, સ્તવને, પૂજાની હાળે વગેરે રચ્યાં છે તે પણ તે અપેક્ષાએ એટલાં જ ઉપાદેય છે.
આ લખાણ મુખ્યત્વે પ્રતિક્રમણ કેન્દ્રિત હેઈને તેમાં બેલાતાં અર્ધમાગધી ભાષાનાં સૂત્રોનું વારંવાર ચિંતન કરવાની ભાવના આરાધક વર્ગને થાય તે આશયથી અહીં અર્ધમાગધે ભાષાનાં સૂત્રોની ઉપકારક તાત્વિકતાનું યથાર્થ નિરૂપણ કર્યું છે.
લલિત વિસ્તાર માં શ્રી નમુત્થણું સૂત્રને આંતપ્રકાશ જરૂર છે. તેમ છતાં નમુત્થણું તે સાક્ષાત્ ભાવજિનસ્વરૂપ છે. " તેમ છતાં આરાધક વર્ગને જિનાભિમુખ કરવામાં
આ “લલિત વિસ્તરા” એ જે ભાગ ભજવ્યો છે તે દષ્ટિએ આપણે તેના રચયિતા પ. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
મારા નમ્ર અનુભવ અનુસાર બધાં અર્ધમાગધી પ્રતિક્રમણ સૂત્રો માતાના ધાવણ જેવાં છે માટે તેનું પુનઃ પુનઃ ચિંતન-મનન નિતાંત ઉપકારક નીવડે છે.
કઈ રીતે ઉપકારક નીવડે છે એ પ્રશ્નના ખુલાસામાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
૫
લખવાનું કે જે રીતે અધકારને દૂર કરવામાં વિતેજ ઉપકારક નીવડે છે, તે રીતે.
જે માણસને સપનું ઝેર ચઢે છે તેને કડવેા લીમડો પણ મીઠો લાગે તેમ મેહવિષગ્રસ્ત જીવાને સપના ઝેર કરતાં વધુ કાતિલ આત્મગુણુઘાતી વિષય-કષાય મધ કરતાં વધુ મીઠા લાગે છે.
લગભગ આવી જ દશા આજે આપણા આત્માની છે. તેથી આપણને નિષ્પાપ જીવનની સાચી ભૂખ નથી લાગતી. દાજીશું એ બીકે અંગારાને અડતા નથી, એ હકીકત દેહ પ્રત્યેના આપણા રાગનું સમન કરે છે. જો આવા જ રાગ આપણને આત્મા તરફ હાત તે તેને દઝાડનારા પાપથી સર્વથા વિરમી ગયા હોત.
અલિહારી છે શ્રી જિનશાસનની કે તેની અમૃતમયી નિશ્રાના પ્રતાપે આજે આપણે ત્યાં આવા પાપવિરક્ત મહાત્માએ વિદ્યમાન છે.
તેથી આ કાળના વિકરાળ સ્વરૂપથી ડઘાયા સિવાય, ધર્મના અંગભૂત પ્રતિક્રમણ કરનારા પણ વિદ્યમાન છે.
*
*
વિધિ-બહુમાન
પ્રતિક્રમણના વિવિધ અંગોનું વિશદ વિશ્લેષણ કરતાં પહેલાં વિધિ' પદાર્થના તાત્ત્વિક સ્વરૂપનું વિશ્લેષણ અત્યંત જરૂરી હોવાથી અહીં તેનું નિરૂપણ કરૂ છું.
આપણે જાણીએ છીએ કે અવિધિએ સેયમાં દોરા પણ પરાવી શકાતા નથી.
Jain Educationa International
*
For Personal and Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
એટલે આપણે ત્યાં પ્રત્યેક ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું શાસ્ત્રકાર મહર્ષિએનું ફરમાન છે.
વિધિ” પદાર્થ, સંવિધાન જન્ય છે. સંવિધાન એટલે બંધારણ
જયવંત શ્રી જિન શાસનના સંવિધાનના પ્રકાશક સ્વયં શ્રી જિનેશ્વર પરમાત્મા છે એટલે તેને વિવિધ વફાદાર રહેવું તે સઘળા ધર્મારાધકોની ફરજ છે.
એટલે વિધિનું બહુમાન કરવું એ સ્વયં શ્રી જિનરાજનું
બહુમાન છે.
“બહ-માન' શબ્દનો ભાવાર્થ એ છે કે સમગ્ર મન તે-તે ધમક્રિયામાં પરોવી દેવું.
સમગ્ર મન પ્રતિકમણની ક્રિયામાં પરોવવું હોય તો તેને ચોખ્ખું તેમજ એકાગ્ર બનાવવું પડે.
જે રીતે અણિયાળ તેમજ ચોખ્ખો દોરો સોયમાં પરોવી શકાય છે, તે જ રીતે એકાગ્ર તેમજ રાગદ્વેષ રહિત મન પ્રતિકમણમાં પરોવી રાકાય છે.
સોયમાં નહિ પરોવાયેલ દોરો વસ્ત્રને સાંધવામાં સફળ નથી થતે એટલું જ નહિ, પણ તે સોય પણ હેતુસાધક નથી નીવડતી. તે જ રીતે બહાર ભટકતું મન આત્માની માત્રા કુસેવામાં પરિણમે છે.
આંખની કીકી જેટલી મૂલ્યવાન વિધિનું જતન કરવાથી સમ્યક્ત્વરૂપી રનનું જતન આપોઆપ થાય છે.
આ વિધિમાં ભવરાગને વીંધવાની અમાપ શક્તિ છે. જે કેઈએમ કહેતું હોય કે ધર્મ કરણીમાં વિધિની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
હ
શી જરૂર છે? તે મારા એ જવાબ છે કે તમે કાઈ પણુ કાય. અવિધિએ દીપાવી શકે! યા સાંગોપાંગ પાર પાડી શકે તે હું વિધિનું બહુમાન કરવાને મારો આંતરિક આદર આજે જતા કરૂ.
એક વૈજ્ઞાનિક યા ડૉકટરને
પૂછશે તે પણ તમને
વિધિનું મહત્ત્વ સમજાઈ જશે.
આખું પ્રતિક્રમણ વિધિના અક્ષય તારમાં ગૂંથાયેલું છે. જો એ તારની ઉપેક્ષા થાય તે પાપના પ્રતિકાર કરનારી વૃત્તિનું સબળ પ્રાગટય અવશ્ય મદ પડી જાય.
કેઈ વિમાન ચાલક અવિધિએ વિમાન ચલાવે તે શું થાય ?
કાઈ ડાકટર ઇજેકશનની સેયને ગરમ કરવાની વિધિ ન પાળે તે શું થાય ? અનથ કે બીજુ કાઈ?
તે જ રીતે જે વિધિપૂર્વક પ્રતિ મણ કરવાનું ફરમાન છે, તે વિધિ પાળવામાં પ્રમાદ સેવીએ, તેા આત્માના ઘરમાંથી પાપરૂપી કચરાને દૂર કરવામાં લગભગ નિષ્ફળ જઈએ.
ખાસ અપવાદરૂપ કારણ સિવાય પ્રતિક્રમણ ઊભાઊભા કરવાનું છે તે જ રીતે વાંદણામાં શરીરના પ્રત્યેક અ'ગની હીલચાલ પણ વિધિપૂર્વક કરવાની છે મુહપત્તિ પણ વિધિપૂર્વક પડિલેહવાની છે.
પ્રતિક્રમણના પ્રત્યેક સૂત્રને દેહના પ્રત્યેક 'ગ સાથે સંબંધ છે તે સમંધ વિધિ પાળવાથી ખરાખર જળવાય છે, તેના પ્રભાવે કર્મનાં અધન ઢીલાં પડે છે.
કોઈ પણ રાષ્ટ્રના વડાને પોતાના રાષ્ટ્રના સવિધાનને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
ગક શ્વાસ રો-બર્ન રહે છે,
વફાદાર રહેવું જ પડે છે, તે જ રીતે સમર્થ યુગપ્રભાવક ભગવંતે પણ શ્રી જિનશાસનના સંવિધાનને વફાદાર રહીને જ એક એક શ્વાસ લે છે.
સોય અને દોરો-બંને જ્યાં સુધી અલગ રહે છે ત્યાં સુધી તેમનું અસ્તિત્વ નામનું જ રહે છે, તે જ રીતે મન અને આત્મા અલગ રહે છે ત્યાં સુધી જીવનું દળદર ફીટતું નથી.
મુદ્દાની વાત, આખા મનને આત્મામાં ઓગાળી દેવું
અતિ દુષ્કર આ ધર્મકાર્ય પાર પાડવા માટે સંસારના પારને પામેલા શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાના અંગભૂત સંવિધાનનું જીવની જેમ પાલન કરવું તે છે.
ઉપગ” અને “જયણ” આ અણમેલ શબ્દ-રત્નના આંતર-પ્રકાશને આત્મસાત્ કરીને જ આપણે આ અતિ દુષ્કર ધર્મકાર્ય, પાર પાડી શકીશું.
સમયને દુરૂપયોગ જેને ખરેખર ખટકો હોય છે, તેને તે જ ભાવમાં આત્માના ઉપગની લગની લાગે છે, તે લગનીના પ્રભાવે તે જ્યારે પ્રતિક્રમણ આદરે છે ત્યારે તેનો આખો આત્મા થનથની ઉઠે છે. બધાં અશુભ કર્મો ધ્રુજી ઉઠે છે. જેમ ભયંકર ભૂકંપમાં મજબૂત મહેલે પણ ધ્રુજવા માંડે છે.
કર્મો પ્રજે એટલે માનવું કે ધર્મ શૂરાતન પ્રગટયું છે.
જેટલા રસપૂર્વક આત્માએ અશુભ કર્મો બાંધ્યા હોય છે, તેના કરતાં સવા રસ, જે આપણુ આત્માને ધર્મકરણીમાં લાગી જાય તે એ અશુભ કર્મો, બિચારાં-બાપડાં બનીને અવશ્ય ભાગી જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ દ્વારા આપણે શિવપદના ઉમેદવારની આગવી પાત્રતા ખીલવવાની છે.
જે કટાસણું ઉપર બેસીએ છીએ, તેને મેબાઈલ ( Mobile) (હાલતી–ચાલતી) સિદ્ધશિલા સમજવાની છે.
મુહપત્તિને શુકલ લેશ્યાનું પ્રતીક ગણવાની છે,
ઘા યા ચરવળાને ભાવશુદ્ધિપ્રદ શક્તિને પર્યાય સમજવાને છે.
સપાટી ઉપરના તકલાદી જીવનને મઠારવાના મેહમાં આપણે આત્માને અજવાળવાની જિનાજ્ઞા સાવ વિસરી ગયા છીએ, એમ કહેવામાં લવલેશ અતિશયોક્તિ નથી.
–નહિતર કર્મદાસત્વ આપણું રૂંવાડે રૂંવાડે આગ લગાડ્યા સિવાય ન રહ્યું હેત. “મને દુઃખ મંજુર છે. પાપ હરગીઝ નહિ.” એ આપનું જીવનસૂત્ર હોત.
પ્રતિક્રમણ કરનારા પુણ્યશાળીને પેટ ભરવા માટે પણ પાપ કરવું પડે, તે પિશ–પોશ આંસુએ રૂએ તે પછી એ પટારા ભરવાની ઘેલછાને તે તિલાંજલિ જ આપે ને?
ઐહિક સુખના આશયને આપણા જીવનમાં અગ્રીમતા આપીશું, તે શ્રી જિનેશ્વર પરમાત્માના સકળ સત્ત્વહિતાશયને જાકારો દેવાના મહાપાપના ભાગી બનીશું.
- પરમ દયાળુ શ્રી જિનેશ્વર પરમાત્માને પ્રિયતમ આત્માને પાપને ડાઘ લગાડીને આપણે એ પરમ તારકને તિરસ્કાર નથી કરતા શું ?
આષાઢી વિજળીના ઝબકારામાં સેયમાં દોરો પરોવવાનો લાભ લઈ લેવાને બદલે આડીઅવળી વાતમાં આયુષ્ય વ્યર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
- ૩૦
ગુમાવીશું. તે ફરી આ લાખેણે માનવભવ ક્યારે પામીશું?
બિંદુ જેટલા વર્તમાનકાલિન ઐહિક સુખ ખાતર સિંધુ જેટલા ભાવિ દુઃખના કારણરૂપ પાપને સેવવામાં શી બુદ્ધિમત્તા છે?
પ્રતિકમણુ-મર્મને આત્મસાત્ કરવાની માનસિક જાગૃતિ કેળવવા માટે જરૂરી આ લખાણનું ગંભીરતાથી અધ્યયન કરવાને આરાધકને સાદર અનુરોધ છે.
કઈ પણ માણસને પાપી” તરીકે સંબોધવામાં આવે છે તે તે તરત લાલપીળે થઈ જાય છે.
તેનો અર્થ એ થયે કે દરેક માણસ “પાપ” ને ખરાબ તે ગણે છે.
તે પછી માણસ પાપ કરે છે શા માટે? કારણ કે તે કમેને દાસ છે.
કહેવાય છે કે જીવ માત્રને સ્વતંત્રતા ગમે છે. આ વાત સ્થલ સ્વતંત્રતા પૂરતી સાચી છે. આત્મિક સ્વતંત્રતાને લાગે વળગે છે ત્યાં સુધી બહુ ઓછા આત્માએ સર્વ કર્મથી મુક્ત થવારૂપ સાચી સ્વતંત્રતાના ખરેખરા ચાહક હોય છે.
આવી સ્વતંત્રતા મેળવવા માટે જિનકથિત ધર્મના અંગભૂત પ્રતિક્રમણ કરવું પડે છે.
પાપ પ્રતિકારશક્તિ ખીલવવાના શાસ્ત્રોક્ત જે ઉપા છે, તેમાં એક પ્રતિકમણ પણ છે.
તે પ્રતિક્રમણના અંગેનું સ્વરૂપ જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૧
પ્રતિકમણમાં છે આવશ્યક ક્રિયાઓને સમાવેશ
પ્રતિક્રમણમાં જે છે આવશ્યક ક્રિયાઓને સમાવેશ થયેલો છે તે નીચે પ્રમાણે છે.
(૧) સામાયિક (૨) ચઉવિસત્થો (૩) વાંદણાં (૪) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ.
હવે જોઈએ સામાયિકનું યથાર્થ સ્વરૂ૫.
સ્વનામ ધન્ય પુણઆજીના સામાયિકની વર્તમાન શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ સ્વમુખે અનુમોદના કરી હતી, તે હકીક્તના ઉંડાણમાં ઉતરીશું તે સામાયિકના શુદ્ધ સ્વરૂપને પાકે ખ્યાલ આવશે.
ગૃહસ્થનું એક સામાયિક બે ઘડી (૪૮ મિનિટ) નું હોય છે.
ભૂમિ પ્રમાજી, કટાસણું પાથરી, શ્રી નવકાર અને કરેમિ ભંતે બેલી પુઆ છે સામાયિકમાં પ્રવેશતા અને એક સમયના પ્રમાદ સિવાય તત્કાલ તેમનું મન, આત્મામાં એકાકાર બની જતું. પછી પણ આજી અને તેમને આત્મા એકરૂપ બની જતા.
કહ્યું છે કે ભાવ-સામાયિકની સ્પષ્ટ સ્પર્શના સાથે આરાધક આરાધ્યમાં એકાકાર બનવા માંડે છે.
પુણઆજીનું સામાયિક આવી ઉચ્ચ કક્ષાનું હતું. તેમ છતાં એક વાર સામાયિક લીધા પછી તેમનું મન આત્મામાં પૂરું એકાકાર ન થયું. એટલે તેમને દુઃખ થયું. શાથી આમ બન્યું તેની તરત તપાસ શરૂ કરી. તપાસના અંતે કારણ મળી ગયું. તે એ કે તેમનાં ધર્મપત્નીએ પિતાના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૨ છાણાં સાથે ભૂલથી પાડોશનું છાણું લઈને તે છાણથી બનાવેલી રઈ પુણઆજીએ એકાસણામાં વાપરી હતી.
શુદ્ધ ચાંદની જેવા અધ્યવસાયની સતત સુરક્ષામાં આવે દોષ પણ નાવમાં છિદ્ર સમાન ગણાય છે. - આજકાલ અનેક આરાધકે પૂજ્ય મહાત્માઓ પાસે આવીને ફરિયાદ કરે છે કે, “સાહેબજી! અમારૂં મન શ્રી નવકારમાં લાગતું નથી. અમારૂં ચિત્ત સામાયિકમાં ચુંટતું નથી.”
પિતાની નબળાઈનો આ નિખાલસ એકરાર કરનારને ધન્યવાદ છે, પણ એટલે જ અટકી ન જવાય, પરંતુ તેનું કારણ શોધીને તેનું નિવારણ કરવાની અપૂર્વ ધગશ, તાલાવેલી, તમન્ના પેદા કરવી જોઈએ.
નિયમ છે કે રૂચિ અનુસાર વીર્ય સ્કુરાયમાન થાય છે જે માણસને જે પદાર્થમાં રૂચિ હોય છે, તે પદાર્થમાં તે અલ્પ પ્રયત્ન એકાકાર બની જાય છે.
આ નિયમ અનુસાર વિચારતાં જે આપણને આત્મા અને તેના ગુણેમાં ખરેખર રૂચિ હોય, તે શ્રી નવકાર અને સામાયિક કે જે આત્માથી અભિન્ન છે તેમાં ખરેખર રૂચિ જાગવી જોઈએ.
પણ આપણે તે પર પદાર્થો પ્રત્યે મહદ્અંશે પાગલ છીએ એટલે પછી કટાસણા પર બેઠા પછી પણ આપણું મન આત્માને હવાલે નથી કરી શકતા. કેટલાક ભાઈ–બહેને તે ઘડી કે ઘડિયાળ સામે જોઈને ૪૮ મિનિટ પૂરી થવાની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૩
પ્રતીક્ષા કરે છે. એમ કે ૪૮ મિનિટ પૂરી થાય એટલે એક સામાયિક આવી ગયું ગણાય.
દ્રવ્ય-સામાયિક પૂરતી આ માન્યતા કદાચ ઠીક ગણાતી હોય તે પણ ભાવ સામાયિકની અપેક્ષાએ એ ભ્રામક છે. - રાત-દિવસ સંસાર-સરસા રહીએ અર્થાત્ સાંસારિક પ્રપંચમાં ગળાબૂડ રહીએ અને પછી એકાએક જીવ સામાયિકમાં સ્થિર થાય એ કઈ રીતે શકય નથી.
બે ઘડીના શાક્ત સામાયિકના અચિન્ય સામર્થ્યનું જે પ્રતિપાદન શાસ્ત્રોએ કર્યું છે તેના પર ચિંતન કરીશું તે સમજાશે કે તેવું સામાયિક પાપ વ્યાપારમાં અરૂચિ જાગ્યા પછી યથાકાળે આવે છે.
એટલે પૂછીએ આપણુ મનને કે તને ખરેખર રૂચે છે શું ? મેશ કે સંસાર? ધર્મ કે પાપ ?
જે આપણને મોક્ષના અવ્યાબાધ સુખની રૂચિ હેય, તે સામાયિક અવશ્ય રૂ. પાપ વ્યાપાર જરાય ન રૂચે.
મન-વચન-કાયાને નિષ્પા૫ વ્યાપારમાં જોડવાની બહુ ઓછી રૂચિનું કારણ સાંસારિક સુખ પ્રત્યેની ગાઢ રૂચિ છે.
સાચું સામાયિક “આવ્યું” ક્યારે ગણાય ? –જ્યારે સમભાવ પરિણત થાય ત્યારે. આવા સામાયિકનું યથાર્થ પ્રતિપાદન... કમઠે ધરણેન્ટેચ, સ્વોચિત કર્મ કુર્વતિ, પ્રભુતુલ્ય મનોવૃત્તિ: પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુઃ વઃ ૨૫ લેક દ્વારા કલિકાલ સર્વજ્ઞ ભગવંતે કર્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
તાત્પર્ય કે સાનુકૂળ અને પ્રતિકૂળ ઉભય પ્રકારની પરિસ્થિતિમાં હર્ષ કે શોકથી નિલેપ ચિત્તવૃત્તિ રહે તો સાચી સમતામાં જીવી શકાય.
સ = આત્મા મતા = મુડી
સમતા એ જ આત્માની મૂડી છે. તેમાંથી ચિત્ત ડગે એટલે જીવને અધ:પાત થાય.
ઉપયોગમાં ખલન થાય એટલે સામાયિક ડહોળાય.
ઓકસીજન વગર હિમાલયના ઉત્તુંગ શિખરે પહોંચવું તે એટલું કઠિન કાર્ય નથી. જેટલું કઠિન બળતા ઘર જેવા સંસારમાં રહીને સામાયિકમાં લીન થવાનું કાર્ય છે.
| સામાયિકમાં રહેલે આત્મા જ્યાં સુધી પિતાને સામાયિકથી અભિન્નભાવમાં એકાકાર નથી કરી શકતે. ત્યાં સુધી તેને આ શુદ્ધ આત્મા સ્વભાવને અનુપમ આસ્વાદ અનુભવવા નથી મળતું.
આત્માનુભૂતિની આ કક્ષાએ પહોંચવા માટે દરરોજ સામાયિક કરવું પડે, તે કાળક્રમે તે કક્ષાએ પહોંચી શકાય.
આત્મસ્વભાવમાં રહેવાથી સ્વહિત સાથે પરહિત સધાય છે. એ શાસ્ત્રવચનને વફાદાર રહેનારા પૂજ્ય મહાત્માઓ પણ સ્વ પર હિતકર અન્ય કઈ પ્રવૃત્તિ, સામાયિક (સમભાવ) ન ડહોળાય તેનું ખાસ ધ્યાન રાખીને કરે છે. - શેરીની ધૂળમાં આળેટીને થાકેલા તેમજ મેલા થયેલા બાળકને એની માતા, ઘરમાં લઈ જઈ, નવરાવીને ધવરાવે છે, તે જ રીતે સંસાર-શેરીની ગંદકીમાં આળોટીને મેલા થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૫
જીવરૂપી બાળકને સામાયિક રૂપી ધર્મમાતા વહાલથી પિતાના ઉચ્છ ગે લઈને હુલરાવે છે.
સામાયિકને જે મહાપ્રભાવ શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રરૂપે છે તેને નહિવત્ બોધના અભાવે આજે આપણે કાયાને કટાસણ ઉપર ગોઠવવાથી માંડ આગળ વધીએ છીએ, અર્થાત્ મનરૂપી પંખીની ઉડાઉડ ઉપર અંકુશ સ્થાપી શકતા નથી.
એટલે વ્યવહાર નયથી સામાયિકમાં બેઠા ગણતા હોવા છતાં સમભાવના પરમ શિખરે બિરાજતા પરમાત્માથી સાવ વેગળા રહીએ છીએ.
ચેતનરાજને પૂરેપૂરે ભાવ આવવાથી જ ભાવસામાયિકમાં છવાય છે એટલે સામાયિકને આત્મા પણ કહ્યો છે.
જીવ એના સ્વભાવમાં રહે છે તે તેને ગ્રેટેલા અશુભ કર્મો ખરી પડે છે. તેના પ્રભાવે અંતઃકરણમાં ભાવસુધા વરસે છે. રૂંવાડે-રૂંવાડે શાંત રસને અભિષેક થાય છે. પૌગલિક રાગ અતિ ઝડપથી રમા બની જાય છે.
આજના અત્યંત ધમાલીઆ વાતાવરણમાં જીવને સાચી માતાના અખૂટ વાત્સલ્યનું પાન કરાવવાની અચિત્ય જે ક્ષમતા સામાયિકમાં છે તેના ઉપર ચિંતન કરવાથી સામાયિક”ની બહાર રહેવું તે ભયંકર દુષ્કૃત લાગે છે.
“માંહી રહે તે મહાસુખ માણે,
બહાર રહે તે ભવદુઃખ માણે.” વધુ શું લખું? સમગ્ર પ્રતિકમણને વજા પાયે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
સામાયિક છે. તે પછી બીજા આવશ્યક “ચકવિસમાં આરાધક અપૂર્વ ઉમંગે એકાકાર બની જાય છે અર્થાત
વીસે શ્રી તીર્થંકર પરમાત્મા સાથે તાવિક અભેદના અનુભવની કક્ષાએ પહોંચે છે.
તે પછી ત્રીજા આવશ્યક “વાંદણુ”માં “અહો! હું મુજ નમું” એ આનંદઘન ભાવમાં રમણતા માણે છે.
તે પછી ચોથા આવશ્યક “ પ્રતિકમણને પામવાનું અપૂર્વ આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે અને તે પછી પાંચમા આવશ્યક કાઉસગ્ગ” અર્થાત્ કાર્યોત્સર્ગ સ્વાભાવિક કેમે સધાય છે.
અને છેલ્લા “પચ્ચકખાણુ’ આવશ્યકથી ચરમ સીમાને તે આત્માને સાક્ષાત્કાર થાય છે.
આ રીતે સમગ્ર પ્રતિક્રમણું જીવંત ધર્મપર્યાય બની રહે છે.
આ સઘળાં પ્રતિક્રમણ સૂત્રોના અંતરાળે આ ધર્મામૃત વસેલું છે.
વાતે-વાતે મન જેને તેને આપી દેતા રહીશું ત્યાં સુધી ભૂંડા સંસારની વસમી વેઠ જ નસીબમાં રહેશે. - જ્યાં સુધી જીવને સાંસારિક સુખ મીઠાં લાગે છે, ત્યાં સુધી તેને મેક્ષસુખ આપનારે ધર્મ મીઠો નહિ લાગે.
મને દુઃખ મંજુર છે, પણ પાપ હરગીઝ નહિ.” એવો દઢ સંકલપ કરીને, તદનુરૂપ જીવન જીવવાથી જ આત્મા ઉજળું બને છે. તે પછી તેને મેલે કરનારા પાપ પ્રત્યે જુગુપ્સા જાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
- ૩૭
જુગુપ્સા જાગવી એટલે ચીતરી ચઢવી.
પાપ પ્રત્યે જ્યારે હાડોહાડ નફરત પેદા થાય છે, ત્યારે આવી ચીતરી જાગે છે.
વિષ પ્રાણોને નાશ કરે છે, તો પા૫ આત્માના ગુણેને ઘાત કરે છે.
તાત્પર્ય કે પાપ વિષ કરતાં વધુ ભયંકર છે, તેમ છતાં મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈને જીવો પાપરૂપી મહાવિષનું પાન કરતાં ખચકાતા નથી.
જીવહિંસા કરવી એ પાપ. અસત્ય બોલવું એ પાપ. આ રીતે પાપનાં મૂળ સ્થાને અઢાર છે.
આ પૈકી ક્યા પાપનું મેં આજે સેવન કર્યું તેની નૈધ આરાધકે પિતાની નેંધપોથીમાં રાખવી જોઈએ અને તેના અધિકારી ગુરુ પાસે પ્રગટ એકરાર કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.
પ્રાયશ્ચિત્ત એ અત્યંતર તપનો એક પ્રકાર છે.
ચિત્તને પ્રાયઃ તે પાપમાં હું હવે નહિ જેડું એ ભાવાર્થ પ્રાયશ્ચિત્ત-તપનો છે.
* પ્રાયઃ” શબ્દ એટલા માટે ગોઠવ્યો છે કે સંસારી જીવનું ચિત્ત કયારેક ડામાડેળ થઈને કદાચ એ પાપ પુન: કરી પણ દે પણ અંગીકાર કરેલા પ્રાયશ્ચિત્તને પાળવાની ચીવટવાળે વિવેકી આત્મા તે પુનઃ એ પાપથી વેગળે જ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રતિકમણ પૂર્વે લેવાતા સામાયિકનો પ્રારંભ ગૃહસ્થો મંત્રાધિરાજ શ્રી નવકાર બેલીને કરે છે.
શ્રી નવકારને પ્રણામ એટલે સર્વથા નિષ્પાપ જીવનના પરમ શિખરે બિરાજતા શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માને પ્રણામ, તેમજ સર્વ પાપ વ્યાપારથી વિરમીને નિષ્પા૫ વ્યાપારમાં લીન થવાના પુરુષાર્થમાં ઉજમાળ આચાર્ય– ઉપાધ્યાય અને સાધુ ભગવંતને પ્રણામ.
વિરમવું એટલે પંડ પ્રત્યેના ગાઢ રાગથી વિરક્ત થઈને, આત્માથી બનવું તે.
નિકૃષ્ટ અધ્યવસાયની જે ગેદ, તે “નિદ”.
નિકૃષ્ટ અધ્યવસાય એટલે પિતાની જાત (Self) પ્રત્યેના ગાઢ રાગમાં રંગાઈને એક પિતા સિવાયના સર્વ જીવે પ્રત્યે દુર્ભાવ દાખવવે.
આ અધ્યવસાય ઘટ્ટ બને છે તે કૃણયાનું સ્વરૂપ ધારણ કરે છે.
નિગોદના જ મુખ્યત્વે આ જ અધમાધમ અધ્યવસાયમાં મગ્ન રહે છે, કારણ કે ત્યાં એક શરીરમાં અનંત જીવને સાથે રહેવું પડે છે. એટલે દરેક જીવ, બાકી બધા જીને પોતાના અંગત સુખના કટ્ટર શત્રુ માને છે અને તેથી તે બધા જી તરફ દુર્ભાવનું ઝેર ઓકે છે.
અનાદિ અવિદ્યાજન્ય આ મિથ્થા સંસ્કારનું એટલું બધું પ્રભુત્વ છે કે આ માનવના ભાવમાં પણ તે જીવને સ્વાર્થોધ રાખે છે, પુદ્ગલાનંદી રાખે છે.
આ અધમાધમ અધ્યવસાયને નિર્મળ કરવાને શ્રેષ્ઠ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૯, રાજમાર્ગ શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલા સર્વ સત્વ હિતાશયમૂલક ધર્મની વિધિ-બહુમાનપૂર્વક આરાધના કરવી
આવી ઉત્તમ પ્રકારની આરાધના માટેની ભૂખ શ્રી નવકારના ભાવપૂર્વકના જાપથી જાગે છે. તેવા પરિણામે પાપબુદ્ધિ પાંગળી બને છે, ધર્મબુદ્ધિ સશક્ત બને છે એટલે ધ્યાન ધર્મમાં રહે છે.
વિભાવને નમવું તે પાપ,
સ્વભાવને નમવું તે ધર્મ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થે જઈ, શ્રી આદીશ્વર દાદાની પૂજા કરનારા પુણ્યશાળીઓની લાંબી કતાર લાગે છે.
આ કતારમાં ઉભેલા, ભાવિકે પૈકી અનેક વિવેક છેડીને આગળ વધવાનો જે પ્રયત્ન કરે છે તે પણ નિગોદવાસ દરમ્યાન લાગુ પડેલા “હું પહેલે” નામના ભાવગનું જ સબળ પ્રમાણ છે.
એકવાર દાદાની પૂજા કરનારા ભાઈઓમાં ચોથા ક્રમે ઊભેલા મને પાંચમા નંબરના ભાઈએ જોરથી એ ધક્કો માર્યો કે હું પડતાં માંડ બચે, છતાં મારે ખસી તે જવું જ પડયું. કારણ કે ત્રણ જગતના નાથ સન્મુખ હું કોઈ અવિવેક, ગેરશિસ્ત, ગરબડ, ફરિયાદ કરી શકું તેમ ન હતે.
મારો આ જાત અનુભવ અહીં એટલા માટે ટાંક્યો છે કે તેમાંથી આરાધક આત્માએ બોધ ગ્રહણ કરીને ઉત્તમ આરાધનાના ક્ષેત્રમાં વિરાધનાનું પાપ કરતાં ખચકાય તેમજ પાછા પડે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગમાં આગળ વધવાની ભાવના અનમેદનીય છે, પણ અહને અગ્રતા આપવાની ઈચ્છા ગીંણીય છે કારણ કે અને સેવવાથી આત્મા નબળે પડે છે
એટલે અહંકારને નામશેષ કરીને અરિહંતાકારે પરિ. મવું તેને સાચો ભાવ-નમસ્કાર કહ્યો છે.
નમે અરિહંતાણું ” બેલ્યા પછી પણ જે આપણે આત્માના અરિ એવા અહંકારાદિને નમીએ તે આપણે શ્રી નવકારને તિરસ્કાર કરવાના ચીકણું પાપથી બંધાઈએ.
પણ તનની કુશળતાના જેટલા ચાહકે આ દુનિયામાં છે, તેના કરતાં ઓછા મનની કુશળતાના ચાહકે છે અને તેના કરતાં ઘણું એાછા આત્માની કુશળતાના ચાહકે છે.
નહિતર આત્માની કુશળતા માટે કરાતા પ્રતિક્રમણમાં જય અને ઉપગનું એકચક્રી સામ્રાજ્ય હાય, પણ આવું વાતાવરણ અપવાદરૂપ સ્થાનમાં જ માનવા મળે છે.
શ્રી જિનરાજને સકળ કુશળ વલી” કહીને સ્તવનારા આપણે, બીજી જ ક્ષણે સ્વ-પર આત્માની અકુશળતાના કારણરૂપ પાપકર્મને સેવતાં જે તીવ્ર આંચકે ન અનુભવીએ તે માનવું પડે કે આપણે ધર્મોપાસના મડદાળ છે. આપણે મેહ દળદાર છે.
નિયમા સચ્ચારિત્રવંત શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમનારા આપના મનમાં, રવિતેજના પ્રભાવે અલોપ થતા તિમિરની જેમ, પાપ કરણબુદ્ધિ અલેપ ન થાય ત્યાં સુધી સ્વીકારવું રહ્યું કે આપણું નમન ઐહિક સ્વાર્થ જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
માટે તે પ્રતિક્રમણમાં વારંવાર શ્રી નવકાર ગણવાનું વિધાન છે.
દીર્ઘકાળને રીઢ રોગ, કુશળ વૈદની એક દિવસની ઔષધિથી સર્વથા નાબૂદ થતું નથી, તેમ અનાદિકાળથી આત્મામાં નીરક્ષીરન્યાયે મળીને રહેલે ભાવમળ, એક માનવભવમાં થોડાક વર્ષોની ધર્મારાધનાથી સર્વથા નાબૂદ ન પણ થાય. તેમ છતાં તે ક્ષણ તે થાય જ છે.
માટે તે સમર્થ શાસનપ્રભાવક આચાર્ય ભગવંતાદિને પણ દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રનું ફરમાન છે.
આજે આ દેશમાં જે વાતાવરણ છે, તેનાથી ઘેરાયેલા કેઈ પણ જીવને, આત્માભિમુખ રહેવા માટે શ્રી જિનાલય અને જિનબિંબને આશ્રય અનિવાર્ય છે.
પ્રતિક્રમણમાં આગમ-મર્મ છે. જિનબિંબમાં ધર્મ-મર્મ છે. જિનબિંબમાં ધર્મ–મર્મ શી રીતે છે?
સાક્ષાત્ શ્રી જિન સ્વરૂપ શ્રી જિન પ્રતિમાજીનું દર્શન. આત્માના પરમાત્મા સ્વરૂપના દર્શન માટેનું અજોડ અનન્ય અનુપમ માધ્યમ છે માટે જ કહ્યું છે કે –
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ, દર્શન સ્વર્ગ સોપાન, દર્શન મોક્ષ સાધનમ.
પ્રતિક્રમણ દરમ્યાન બેલાતાં સૂત્રોના શ્રવણમાં એક્તાનતાને જે અભાવ આજકાલ જોવા મળે છે તે એવું સૂચવે છે કે આપણને ચલણ ને ગણવામાં જેટલો રસ પડે છે. તેટલે પણ રસ આ સૂત્રોને સાંભળવામાં પડતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૨
માટે આપને આત્માને સરસ બનાવવાની નહિવત્ તાલાવેલી છે.
હું છાતી ઠોકીને કહું છું કે જો પ્રતિક્રમણ સૂત્રોને કાન સાથે મન અપાય તો આત્મ પ્રદેશેામાં રહેલા કમરૂપી કચરો ઝડપથી બેઘર બનવા માંડે.
સાકરની વ્યાખ્યા નહિં જાણનારને પણ તે મીઠી લાગે છે, કારણ કે તે તેના સ્વભાવ છે. તેમ પ્રતિક્રમણ સૂત્રોના અ નહિં જાણનારો સુપાત્ર આત્મા સાકરને મેાંમાં મૂકવાની જેમ તે સૂત્રોને આપુ' મન આપી દે છે તો તેને તરત સરસ આત્માની અનુભૂતિ થાય છે.
પણ ધર્માંકરણીની બાબતમાં આપણે એટલા ઉત્સાહી નથી જેટલા ભવરાગ પાષક કરણીમાં છીએ.
પ્રતિક્રમણ કરનારા પુણ્યાત્માને ઘર કરતાં ઉપાશ્રય વધુ ગમે. પેઢી કરતાં દહેરાસર વધુ ગમે. એટલે તે ઘર અને પેઢીની સંભાળ, આત્માને સંભાળીને કરે.
અર્થાત્
સભ્યષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી અળગેા રહે, જિમ ધાવ ખિલાવત ખાળ
પૂ. ઉપાધ્યાયજી ભગવ'તના ઉક્ત કથનનો સાર એ છે કે સમ્યગ્દૃષ્ટિ આત્મા જળકમળવત્ નિલેષે રહીને કુટુંબ આદિની સારસભાળ રાખે. સામાન્ય પ્રકારના માણસાને એમ લાગે કે એ સાંસારિક કાડૅમાં રચ્યા પચ્ચી છે, પણ એનો જીવ જિનમાં હોય. આત્મામાં હોય.
જેમ એ લાંબા વાંસ વચ્ચે ખાંધેલા દોરડા પર નાચતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
નટને જીવ પિતાના પગના અંગુઠાની દોરડા સાથેની પકડમાં હોય છે તેમ સમ્યગદષ્ટિ આત્મા બહારથી જે કામકાજ કરે છે તે સમયે તેનું મન તે આત્મામાં હોય છે.
પ્રભાકરના પ્રકાશમાં સ્નાન કરીને હસતા-નાચતા મૃદુ પુષ્પની જેમ પ્રતિકમણના પાવનકારી પ્રકાશમાં સ્નાન કરીને આપણે પુષ્પ જેવા મૃદુ, પવિત્ર, પ્રસન્ન ચિત્તવાળા બનવાનું છે.
પ્રતિકમણમાં આપણે જે સૂત્રે બોલીએ છીએ તેમજ સાંભળીએ છીએ, તે પ્રત્યેક સૂત્રમાં અસાધારણ કટિની આત્મશુદ્ધીકરણની ક્ષમતા છે. અને તે બધા સૂત્રોમાં શ્રી નવકાર શિરમોર છે એટલે તેને શ્રી જિનશાસનને સાર (શિળતા
) કહેલ છે. ચૂલિકા વગરને શ્રી નવકાર એ સહી વગરના ચેક જેવો છે. પાયા વગરના પ્રાસાદ જે છે, માટે ૬૮ અક્ષરના પૂરા જાપનું વિધાન છે.
શ્રી નવકારમાં રમતા મનમાં, સંસાર શી રીતે ટકી શકે? જે સૂર્ય સામે અંધકાર ટકે તે જ આવી આશ્ચર્યજનક ઘટના બને.
આખું પ્રતિક્રમણ શું છે ?
પાપનું ઘર છોડીને સર્વશ્રેયસ્કર ધર્મના ઘરમાં ત્રિવિધે વસવાટ કરે તે છે.
તેમ છતાં પ્રતિકમણના પાવનકારી પ્રકાશને ઝીલવાની જે તાલાવેલી આપણું આખા મનમાં જાગવી જોઈએ તે ન જાગવાનું કારણ આત્માના અચિત્ય સામર્થ્યને કુંઠિત કરતા પાપાચાર પ્રત્યેની આપણું કૂણી લાગણી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
અમૃતમાં ઝેર ભેળવીને આપણે શું પામીશું ? ગગાજળને ગટરમાં વહાવીને આપણે શું ખાટીશું ? કુંદનને કથીર સાથે વેચીને આપણે શી કમાણી કરીશું ? મેરૂનું માટી જેટલું મૂલ્ય આંકીને આપણે માટીધેલા’જ પૂરવાર થઈશું !
‘માટીથેલા ' એટલે પુદ્દગલ રસિક—ભવાભિન’દી~ –સ'સારસેવક.
શ્રી જિનાજ્ઞાના અંગભૂત પ્રતિક્રમણને સેવનારા પુણ્યાત્મા સંસારની સેવામાં રચ્ચા-પચ્ચા રહી શકે ખરો ?
તે તે માનવું પડે કે સિંહમાળે ઘાસમાં માં ઘાલ્યુ' ? વિજળીના તારને ભૂલથી પણ સ્પર્શ થઈ જાય છે, તો તીવ્ર જે આંચકાને પ્રાય: જીવલેણ અનુભવ થાય છે, તે અનુભવ જીવતા જીવને જ થાય છે, મડદાને નથી થતો.
તો પછી હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મ સેવન આદિ પાપ પૈકી કઈ એક પાપને કોઈ પ્રતિક્રમણ-પ્રેમી આત્મા ઇરાદાપૂર્વક સ્પર્શ કરવાની હામ ભીડી શકે ખરો? અને જો સ્પર્શ કરે તો મૂતિ થયા વગર રહે ખરો? તેમ છતાં જો મૂચ્છિત ન થાય તો માનવું પડે કે તે પાકેા પ્રતિક્રમણુપ્રેમી નથી. પણ મડદાળ માનવી છે.
પ્રતિક્રમણ-પ્રેમી એટલે પાપનો કટ્ટર પ્રતિપક્ષી ધમનો નિષ્ઠાવાન પક્ષકાર.
—તા આપણે કેાના પક્ષકાર છીએ ? પાપના કે
ધર્મના ?
૪૪
પાપ કાલસા કરતાં વધુ કાળુ છે. ઝેર કરતાં વધુ કાતિલ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
છે. આગ કરતાં અધિક દાહક છે. વિષ્ટા કરતાં વધુ ગંદુ છે.
ધર્મ ચાંદની કરતાં વધુ ઉજજવળ છે, અમૃત કરતાં વધુ મીઠો છે. બરફ કરતાં અધિક શીતળ છે. ક્ષીરાન્ન કરતાં સવા પિષક છે.
તેમ છતાં પાપ તરફ લપસવાના મનના મિથ્યા વલણ ઉપર આપણે અંકુશ ન સ્થાપી શકીએ તે આપણે ભીષણ વનમાં ભૂંડે હાલે ભટકતા પશુ કરતાં હલકી કક્ષાના જ ગણુઈએ ને !
પશુ કરતાં હલકી કક્ષાના એટલા માટે ગણાઈએ કારણ કે પશુઓ વિવેકરહિત અસંજ્ઞી જેવા જીવે છે, આપણે સંજ્ઞી જ છીએ એટલે સારાસાર વિવેક કરવાના અમોઘ સાધનરૂપ પ્રગટ મનવાળા છીએ,
પશુને ભૂખ લાગે છે, તો ગમે તે ખેતરમાં ઘૂસી જઈને ચરવા માંડે છે, પણ આપણે તેમ કરી શકતા નથી, કારણ કે આપણું મન આપણને તેમ કરતાં અટકાવે છે.
જે આપણું મન ચોરી છૂપીથી ભજન કરતાં આપણને અટકાવી શકતું હોય તો હિંસા, અસત્ય, પનિંદા, કૅધ, માન, માયા, લોભ આદિ પાપ કરતાં કેમ અટકાવી શકતું નથી ?
ગંભીર આ પ્રશ્નનો શાસ્ત્રોક્ત ખુલાસે એ છે કે આપણું મન, આત્માને બદલે સંસાર તરફ ઝૂકેલું હોય છે ત્યારે જ તે આવા પાપ કરતાં અચકાતું નથી.
–તો પ્રશ્ન એ ઊભે થશે કે જે આત્મા પ્રતિક્રમણ કરતો હોય. તે આત્મા પાપરૂચિવાળે હોઈ શકે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નનો સચોટ જવાબ પૂ. ઉ૫. શ્રી યશેવિજયજી ગણિવર નીચેની સ્તવન પંક્તિઓ દ્વારા આપે છે.
ઝીલ્યા જે ગંગાજળે, તે છિલર જળ નવિ પેસે રે, જે માલતી ફૂલે મેલીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે.
તો પછી પાવનકારી પ્રતિક્રમણરૂપી ભાવગંગામાં ઉમંગે બધા જ પ્રાણેને સ્નાન કરાવ્યા પછી. જે આપણને કાળા ડામરના પ્રવાહ જેવા પાપમાં આળોટવામાં મઝા આવે તો હદ થઈ ગઈ કહેવાય. અર્થાત્ આપણે સાવ નિર્માલ્ય ઠરીએ.
પાપ થઈ જાય તે એક વાત છે અને પાપ કરવા જેવું લાગે તે બીજી વાત છે.
'ગૃહસ્થ પાપ ન જ કરે એ શકય નથી. કારણ કે એ કાજળની કોટડી જેવા સંસારમાં વાસ કરે છે પણ જે પાપ તેને ડાઘરૂપ, કલંકરૂપ ન લાગે તો તેનો આત્મા અધિક મેહગ્રસ્ત છે એ પૂરવાર થાય છે.
આ મેહનું સચોટ મારણ મહામોહજેતા શ્રી અરિહંત પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ જરૂરી છે.
પ્રતિક્રમણ એ આ ભક્તિને જ એક પ્રકાર છે.
સાચી ભક્તિ તેને કહે છે, જેના અસાધારણ પ્રભાવે વિભક્તિને (અલગતાને) સમૂળ ઉછેદ થાય.
શ્રી નવકારનું સવ્વપાવપણાસણે પદ-ભક્ત અને ભગવાન વચ્ચે વાદિવાલરૂપ-પાપકરણવૃત્તિને સમૂળ ઉચ્છેદ કરવાની, શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતની પૂર્ણ પ્રકર્ષવાન શક્તિની આપણને ગેરંટી આપે છે.
પાપ કરવાની વૃત્તિનું મૂળ સહજમળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૭
ધર્મ કરવાની વૃત્તિનું મૂળ ભવ્યત્વભાવ છે.
સહજમળને હાસ અને ભવ્યત્વભાવને વિકાસ બંને કાર્યો શ્રી અરિહંતાદિ ચારનું અનન્યભાવે શરણ ગ્રહણ કરવાથી થાય છે.
પ્રતિક્રમણ એ પંચ પરમેષ્ઠિ ભગવંતેમાં જીવ પરોવવાનું એક અનુપમ ધર્મકાર્ય છે. માટે તેનો આરાધક, પાપનો પ્રતિપક્ષી બની શકે છે. ધર્માનુરાગી બની શકે છે. ધર્મકરણમાં ઉદ્યમવંત, ઉપગવંત બની શકે છે.
જેને પાપ કરતાં થાક લાગે, તમ્મર આવે અને ધર્મ કરતાં હર્ષ થાય તેને શા “પાપભીરુ” અને “ધર્મરસિક આત્મા કહે છે.
સાતે ધાતુઓની શુદ્ધિ સિવાય, પાપ પ્રતિકારશક્તિ ભાગ્યે જ પ્રકટે છે.
સાતે ધાતુઓની શુદ્ધિ માટે માર્ગાનુસારીના ૩૫ પાંત્રીસ ગુણેને અંગીકૃત કરવા પડે છે. તેમાં પહેલો ગુણ–ન્યાપાર્જિત વિત્ત છે. છે તેનો અર્થ એ છે કે ન્યાયના માર્ગે મળેલા કે મેળવેલા દ્રવ્ય વડે ખરીદેલા ધાન્યથી બનાવેલું ભોજન વાપરવું. તેમજ નિર્વાહ માટે પણ જરૂરી વસ્તુઓ ન્યાય-દ્રવ્યથી જ ખરીદવી.
મૂળ મુદ્દે આ ગુણ આપણને ન્યાયના પાકા પક્ષકાર બનવાની ખાસ તાકીદ કરે છે.
અન્યાય કહો કે અધર્મ બંને શબ્દો એકાઈક છે. ન્યાય કહો કે ધર્મ એ બંને શબ્દો પણ એકાWક છે. સાતે ધાતુઓને કમજોર કરવામાં પાયાનો ભાગ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૮ અન્યાયોપાર્જિત વિત્તથી ખરીદેલા ધાન્યાદિનું ભેજન સેવન ભજવે છે.
હું તે ત્યાં સુધી કહીશ કે કદાચ પત્થરને પચાવી શકનારી જઠરાગ્નિ પણ પાપનું ધાન્ય કદી ન પચાવી શકે, તે પિટમાં જાય એટલે પાપબુદ્ધિ પુષ્ટ થાય થાય ને થાય જ!
આરાધક માટે અતિ ઉપકારક મહત્ત્વ ધરાવતી આ વાત અહીં એટલા માટે ટાંકી છે કે, તેમાંથી સાર ગ્રહણ કરીને, આરાધકે અન્યાય-અધર્મના માર્ગે મળતા કે હીનૂરથી પણ સદંતર દૂર રહેવાનું સત્ત્વ ખીલવી શકે.
કુશળ વૈદરાજના સચોટ નિદાન પછી લેવાતા ઔષધથી પણ જે દર્દીને રેગ ક્રમશઃ ઓછો ન થવા માંડે તે શું સમજવું?
એ જ કે તે અનુપાન અર્થાત્ પરહેજી પાળવામાં ઢીલે હશે.
આ સંસારના સર્વ દુર રેગોને સદંતર નાબૂદ કરનારા ધર્મના પ્રકાશક શ્રી જિનરાજને અનંતાનંત ઉપમાઓ પૈકી એક ઉપમા મહાવૈદરાજ ની પણ આપવામાં આવી છે.
અને તેઓશ્રીએ જ જગતના જીવોને અનાદિકાળથી વળગેલા મહામોહરૂપી મહારોગને નાબૂદ કરવાનો અજોડ એક ઉપાય તરીકે પ્રતિક્રમણ-ધર્મને પ્રરૂપ્યો છે. એ પ્રતિક્રમણ કરવા છતાં આપણી પાપબુદ્ધિ પાંગળી ન પડતી હોય તે તેનું કારણું પ્રતિકમણ કરનારે અર્થાત્ ધર્મના આરાધકે જે પરહેજી પાળવી જોઈએ તે પાળવામાં બેપરવાઈ કરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
નહિતર પ્રતિક્રમણ લાગુ પડે છતાં પાપવૃત્તિ પાતળી પડ્યા સિવાય ન રહે. પણ પ્રતિકમણની પરિણતિ આડે મોટો અવરોધ તો આપની પિતાની સાતે ધાતુઓની કમજોરી પેદા
જે કેલસે ચાવવાથી માં લાલ થાય, તે અન્યાય, અનીતિ, અધર્મ આદિના સેવનથી આત્મા ઉજળે બને !
પ્રત્યેક વિવેકી પુરુષ પિતાની આવક-જાવકનું ચોકખું ચિત્ર હંમેશાં ધ્યાનમાં રાખીને ખર્ચ કરે છે તેના કારણે તે દેવાદાર બનતું નથી.
તે જ રીતે પ્રત્યેક ધર્મારાધકે પણ પિતાના રજીદા જીવનમાં થતાં પાપ-પુણ્યનાં કાર્યોની પાકી ખતવણું કરવી જોઈએ. " એમ કે આજ સવારથી સાંજ સુધીમાં હું કેટલીવાર જૂઠું બોલ્યો. કેટલો સમય ક્ષેધ, માનાદિ કષાયોને આપ્યો. કેટલો સમય છકાય જીવની રક્ષામાં સાર્થક કર્યો. કેટલો સમય પરપદાર્થના ધ્યાનમાં બરબાદ કર્યો. મારી પાંચે ઈન્દ્રિયે આજે કેટલીવાર શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોના તે–તે આગવા વિષયમાં લયલીન રહી અને કેટલીવાર પૌગલિક શબ્દ, રૂપ, રસ, ગંધાદિમાં મશગુલ રહી.
આવી સ્પષ્ટ, નિર્દભ નોંધ આરાધક માટે ખાસ જરૂરી છે.
એકવાર મેં મારા અનન્ય ઉપકારી ગુરૂદેવશ્રીને પૂછ્યું. કૃપાળુ! રોજ ગણાતા શ્રી નવકારની નેધ રાખું ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦ તેઓશ્રીએ સહજભાવે ફરમાવ્યું. “રેજ તમે શ્રી અરિહંતાદિ ભગવંતની આજ્ઞાને કેટલીવાર તિરસ્કારઉપેક્ષા કરે છે. તેની નેંધ રાખવા અવસર જેવા સાથે, તમે નવકારની નેંધ રાખે તેને વધે નથી, સાથે આ કામ પણ કરજે.
તેઓશ્રીના આ ઉપકારક ફરમાન ઉપર સતત ચિંતન કરતાં મને એ શાસ્ત્ર-સત્ય પર્યું કે મારે તેમજ આરાધક માત્રે, પિતાનાં દુષ્કૃત અર્થાત્ પાપકૃત્યને ચીવટપૂર્વક ધ્યાનમાં રાખવા જોઈએ. તે જ આરાધના માટે અનિવાર્ય વિનમ્રતા અંગભૂત બની શકે છે.
પિતાની સારી કરણની પિતે જાતે વાહવાહ કરે તેને શાસ્ત્રોએ આત્મશ્લાઘારૂપ અવગુણ તરીકે વર્ણવેલ છે.
માટે જ ઉપકારી ભગવંતે એ સર્વ જીવોના સુકૃતની હાર્દિક અનુમોદના પર પૂરતે ભાર મૂક્યો છે, કે જેથી પ્રત્યેક જીવને પિતાનું દુષ્કૃત ખટકે.
દુષ્કૃત ખટકે એટલે પાપ કરવાની વૃત્તિને ઝાટકો લાગે.
“પ્રતિકમણ–પ્રકાશ” નામક આ ગ્રંથમાં પાપનો પ્રણાશ કરવાની ધર્મની અચિત્ય શક્તિમાં આપણું સમગ્રતા ઓતપ્રેત થઈ જાય તેવી ભવ્ય આબોહવા, તેવું મંગળકારી વાતાવરણ, અને શુભંકર હવામાન નિર્માણ કરવાનાં મુખ્ય આશય હોઈને વારંવાર પ્રતિકમણ કેમ લાગુ પડતું નથી, તેનું શાસ્ત્રોક્ત નિરૂપણ કરવું પડે છે.
અનંતા શ્રી અરિહંતાદિ ભગવંતના શાશ્વત મહાપ્રસાદરૂપ શ્રી નવકારમાં નિત્ય ઉમંગે નિવાસ કરવાના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૧
ધન્યતર અવસરના ભાગી પુણ્યાત્માઓને પાપનો પડછાયો પણ ન જ ગમે એમાં કાઈ નવાઇ નથી.
નવાઈ હોય તે એ વાતની છે! કે તેવા કોઈ આત્માને પાપ કરવા જેવું લાગે !
તો ખચિત કબુલવું પડે કે તેનો આત્મા ઘણો જ મેલો છે, અર્થાત્ તેના આત્મપ્રદેશોમાં સહજમલ ખૂબ જ વધારે પ્રમાણમાં જામેલો છે.
સ્થૂલ આરોગ્ય જાળવવા માટે મળશુદ્ધિ આવશ્યક ગણાય છે તેમ ભાવ આરાગ્યની પરિણતિ માટે સહજમળઅર્થાત્ પાપકરણવૃત્તિથી નિવૃત્ત થવું તે અનિવાય છે.
રેશમી વસ્રને જો અવળી થ્રેડ પડી જાય છે તે તેને સવળી કરવા માટે ફરીથી પાણીમાં પલાળીને નવેસરથી ઈસ્ત્રી કરવી પડે છે.
સર્વથા
તે જ રીતે સહજમળ-જીવને પાપાભિમુખ જ રાખે છે, તેને ધર્માભિમુખ કરવા માટે દેહભાવથી નિલે પ એવા પરમાત્માને સમર્પિત થવું પડે છે. તે પ્રતિક્રમણને અપૂર્વ આસ્વાદ
"
મળે છે.
મીનને (માછલીને) જેવી પ્રીત જળ સાથે છે, એવી પ્રીત ધમ સાથે આંધવા માટે પ્રતિક્રમણ એ શાસ્ત્રઓક્ત શ્રેષ્ઠ સાધનો પૈકી એક છે.
Jain Educationa International
તત્કાલ અનુભવવા
ઉપાશ્રયમાં વિધિવત્ પ્રતિક્રમણ કર્યાં પછી, ઘરમાં દાખલ થતાંની સાથે જ તે આપણા જીવ સાંસારિક રગરાગમાં ભળી
For Personal and Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
જતે હોય તે આપણું તે પ્રતિક્રમણ સાવ ઉપલક ગણાય. અંત:કરણપૂર્વકનું ન ગણાય.
આપણે પ્રતિક્રમણ શા માટે કરીએ છીએ?
–તે કે પાપથી નિવૃત્ત થઈને ધર્મમાં પ્રવૃત્ત થવા માટે. - અનંતજ્ઞાની ભગવંતોએ પ્રતિકમણ સૂત્રની જે સંકલના કરી છે, તે એવી અજબ ખૂબીવાળી છે કે જે આપણે તેમાં ખરેખર ઓતપ્રેત થઈ એ તે મેહરૂપી મલ્લની હાલત મગતરા જેવી થઈ જાય. અર્થાત પછી આપણને અસત્ય બેલતાં તમ્મર આવી જાય. આ પણ જીભ થોથવાય. જ્યારે ધર્મકાર્ય સાવ સરળતાથી કરી શકાય. - શ્વાસ લેવાની જે સ્વાભાવિક પ્રક્રિયા ચાલે છે, તે જ રીતે ધર્મધ્યાન આપણા સ્વભાવમૂલ બનવા માંડે. આર્તધ્યાન આપના ચિત્તની ગરિમાને સ્પશી ન શકે. ' પણ ખાટલે મોટી ખોડ એ છે કે–આત્મવિયને કુરાયમાન કરનારા પ્રતિક્રમણ સૂત્રોના અર્કને, આપણે બજારૂ વસ્તુને આપીએ છીએ તેટલો પણ ભાવ આપી શકતા નથી.
આપણે બધે ઉત્તમ ભાવ ભવ પરંપરાનાશક ધર્મને હસે હેસે આપવાને બદલે, ભવપરંપરાવર્ધક રાગ-દ્વેષને હસે હસે આપતા રહીશું, ત્યાં સુધી પ્રતિક્રમણનો પાવનકારી પ્રકાશ, આપના આત્મ પ્રદેશમાં ભાવ–માલિન્ય સુધી નહિ પહોંચી શકે.
સ્નાન કરીને દેહને શુદ્ધ કર્યા પછી તેના ઉપર કોલસે ઘસનારો મૂર્ખ ગણાય છે. તેમ પ્રતિક્રમણ દ્વારા આંતરિક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
પ?
વિશુદ્ધિ કર્યા પછી પાપના પંકમાં રગડેનારો પણ મૂર્ખ ગણાય છે.
જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે ચારગતિરૂપ સંસારમાં સુખ નથી. સાચું, અખંડ, અવ્યાબાધ, શાશ્વત સુખ મોક્ષમાં છે.
પણ ભેળા તેમજ અજ્ઞાન દુઃખના અલ્પકાલીન અભાવને સુખ માનીને તેમાં લપટાય છે.
ભૂખનું દુઃખ ભેજનથી શમે ખરૂં. પણ આઠ–દસ કલાક માટે, પુનઃ ભૂખ લાગે છે એટલે ભજન કરવાની વૃત્તિ સળવળે છે.
એટલે આહાર આદિ ચાર સંજ્ઞાઓને જ્ઞાનીઓએ કારમો વળગાડ કહેલ છે.
આ વળગાડના ધૂણાવ્યા ધૂણવામાં નાનમ નહિ સમજનારા પણ બેદા છે.
નક્કર આત્માને તો ભૂખ, નિદ્રા આદિ હોતાં જ નથી. માટે જ તેને આનંદઘન” કહ્યો છે.
એવા આનંદઘનને તે વળી દુન્યવી સુખના અભરખા હોય?
ન જ હોય, છતાં હોય તે તેનું કારણ કારમે દેહાધ્યાસ છે, એકાંત બહિર્મુખતા છે.
આ બંને દોષોને નિર્મૂળ કરવાની તીવ્ર તાલાવેલીથી પ્રતિક્રમણમાં પ્રાણે પૂરા પલળે છે એટલે પ્રગટે છે.
ચાલો ત્યારે જોઈએ પ્રતિકમણના સૂત્રોને પ્રભાવ!
Jain Educationa International
For Personal and Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ પ્રતિકમણને પ્રારંભ ગુરૂ મહારાજની અનુપસ્થિતિમાં શ્રીનવકાર અને પંચિંદિય સૂત્ર બેલીને ભાવાચાર્યની સ્થાપના કરીને કરે છે.
જેને આપણે “સ્થાપનાજી” કહીએ છીએ, તે ભાવાચાર્ય ભગવંતનો સ્થાપના નિક્ષેપ છે.
આ પંચિંદિય સૂત્રમાં ભાવાચાર્ય ભગવંતના ૩૬ ગુણેનું વર્ણન છે.
પંચિદિય પછી “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં” સૂત્ર બેલાય છે, કારણ કે કોઈ પણ સત્કાર્યમાં બહુગુણ મહાપુરુષને નમસ્કાર કરવાનું વિધાન છે. આ નમસ્કારથી આપનો અહંકાર ઘટે છે. સત્કાર્ય પ્રાયઃ નિર્વિકને સંપન્ન થાય છે.
“ઈરિયાવહી” સૂત્રમાં ગુરૂની આજ્ઞાનું મહત્ત્વ છે.
અમેઘ જિનાજ્ઞાના અંગભૂત ગુરૂજીની આજ્ઞા છે, તે માથે ચઢાવીને સત્કાર્યની શરૂઆત કરવાથી માથે ચઢી બેઠેલો અહંકાર પગની પાનીએ ધકેલાય છે.
આ સૂત્રને “ઈરિયાપથિકી” સૂત્ર પણ કહે છે. ઈરિયા એટલે ચાલવું, પથિકી એટલે પથ–રસ્તે. અર્થાત્ રસ્તે ચાલતાં જે કઈ દોષ લાગ્યા હોય તેની ક્ષમા આ સૂત્ર દ્વારા યાચવામાં આવે છે.
રસ્તે ચાલતાં લાગેલા દોષની ક્ષમા યાચવા પૂરતું આ સુત્ર સીમિત નથી, પણ માનસિક વાચિક કે કાયિક દોષ લાગે છે તેની ક્ષમાયાચના આ સૂત્રદ્વારા કરાતી હોય છે.
ઈરિયાવહી સૂત્રમાં ઉપયોગ રમણતાનો ગહન મર્મ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
પષ એટલે આ સૂત્ર બેલતાં–બોલતાં અઈમુત્તા મુનિરાજ કેવળજ્ઞાન પામ્યા. આ બાળમુનિરાજની કથા જાણીતી છે.
કોઈપણ જીવની વિરાધના, તેને સંતાપવો, દુભવવો, રંજાડવો, ચગદવો તે પાપ છે, પછી ભલે તે જીવ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, પણ છે તે જીવ જ. એટલે તેને લવલેશ દુઃખ પહોંચાડવારૂપ પાપની ત્રિવિધ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા યાચવાનું ધર્મકાર્ય આ સૂત્ર દ્વારા સંપન્ન થાય છે.
એટલે જયણધર્મનું જીવની જેમ જતન કરવાનું સ્પષ્ટ વિધાન આ સૂત્રમાં છે.
પ્રમાદ સેવવાથી–જયણું લેપાય છે, જયેનો લેપ થવાથી ધર્મ ટૂંપાય છે. પાપ પિષાય છે.
આ સૂત્રમાં ૧૮૨૪૧૨૦ મિચ્છામિ દુક્કડના ભાગમાં રહેલા છે તેનું ગણિત નીચે પ્રમાણે છે. તે આ સૂત્રમાં વર્ણવેલ
અભિયા, વરિયા, લેસિયા, આદિ દસ પદ જીવવિરાધનાના કારણભૂત છે.”
દુનિયામાં જેટલી–જેટલી સજા તેમજ પરમાધામીએ નારકીમાં રહેલા જીવોને મારકૂટ આદિ વેદનાઓ આપે છે, તે આ દસ પ્રકારમાં સમાઈ જાય છે.
એટલે જીવના પ૬૩ ભેદોને ૧૦ થી ગુણતાં ૫૬૩૦ થાય. આ વિરાધના રાગ તેમજ ષથી થાય છે એટલે પદ૩૦ ને બે વડે ગુણતાં ૧૧૨૬૦ થાય. મન, વચન, કાયા એ ત્રણ ગે કરીને વિરાધના થાય છે. તેથી તેને ત્રણે ગુણતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ પ્રકારે ગુણતાં ૧૦૧૩૪૦ થાય. તેને ભૂત, ભવિષ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૬
અને વર્તમાન એ ત્રણ કાળમાં થયેલી વિરાધનાનો મિચ્છામિ દુક્કડં” દેવા માટે ત્રણથી ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેને શ્રી અરિહંત. સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્મા એ છની સાક્ષીએ “મિચ્છામિ દુક્કડં? દેવા માટે છ વડે ગુણતાં ૧૮ ૨૪ ૧૨૦ થાય. “મિચ્છામિ દુક્કડ'નું પ્રમાણ આ રીતે શાસ્ત્રમાં આપેલું છે.
આ સૂત્રમાં જે જે જીવ વિરાધનાઓમાં જે જે જીવોના નામ આપેલાં છે, તે સૂત્રકાર ભગવંતની નિતાંત હિતબુદ્ધિના પરિજ્ઞાયક છે. જે જીવો તરત આપણા ખ્યાલમાં નથી આવતા. તે જીવો આ નામે લેખ દ્વારા તરત ખ્યાલમાં આવે છે. આ સૂત્રમાં ચૌદ રાજલેકના સર્વ જીવોને “
મિચ્છામિ દુક્કડં' આપવામાં આવ્યું છે. અર્થાત્ ભવભવાંતરમાં ભટકતાં તેમજ વર્તમાનકાળે જે કંઈ જીવને દુભવવાનું, રંજાડવાનું કે તેવું બીજુ જે કોઈ પાપ આ આત્માએ કર્યું હોય, તે દુષ્કૃતની તે–તે જીવ પાસે નિર્દભપણે ત્રિવિધ ક્ષમા યાચવાની જિનપતિની યથાર્થ પ્રતિષ્ઠા આ સૂત્રમાં કરવામાં આવી છે.
“તસ્સ મિચ્છામિ દુક્ક” એટલે મારું તે દુષ્કૃત મિથ્યા થાઓ.’
પિતાના દુષ્કતની આ રીતની ગહ એ પણ સુકૃતનો એક પ્રકાર છે.
એટલે ચૌદ રાજલોકના કોઈ એક પણ જીવને આપણે ન ખમાવીએ તે આપની ઈરિયાવહી અધૂરી રહે. - ચોપડામાં એક રકમ ખોટી છે, તે આખો ચોપડો ખોટે કહેવાય છે, તે જ રીતે ઈરિયાવહી સૂત્રની અંદર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
કોઈ એક પણ જીવના કરેલા અપરાધની આપણે ક્ષમા ન યાચીએ તે પણ આપણી ઇરિયાવહી અધૂરી રહે.
૫૭
ભૂતકાળમાં દરેક જીવે આપના ઉપર જાણતાં-અજાણતાં ઉપકારા કરેલા છે અને વર્તમાનકાળમાં પણ એ બધા જીવો આપના ઉપર ઉપકાર કરી રહ્યા છે, તે તેથી ઉપકારી જીવોને ન ખમાવવા તેના જેવી કેાઈ નôારતા કે કઠારતા નથી. જીવ જીવને જાતિભાઈ છે. શત્રુ નથી, એટલે સમ્યગ્દષ્ટિ આત્મા
તે મધા જીવોને
સામિકની આંખે જુએ છે.
આ વિશ્વમાં આપના ત્રણ પ્રકારના ઉપકારીઓ છે. (૧) મિત્ર.
(૨) શત્રુ. (૩) ઉદાસીન.
મિત્ર મુશ્કેલીમાં વહારે ધાય છે.
શત્રુ અંતરાયભૂત બનીને આપણને ચીકણાં કમ ખપાવવામાં મિત્રથી સવાઈ મદદ કરે છે. જેમ સુવણ કારે મેતારજ મુનિવરને મદદ કરી હતી.
ઉદાસીન, કેાઈ જાતના અવરોધ ન પેદા કરવારૂપ ઉપકાર કરે છે. પણ કેાઈ જીવ, જીવના તત્વતઃ અપકારી નથી,
એટલે જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે અનંત ઉપકારીએથી ભરેલા આ વિશ્વમાં તમારે વિનમ્રભાવે ઉપકારનું ઋણુ ચૂકવવું જોઈએ. કે જેથી કર્મોનું દેવું સમયસર ચૂકતે કરીને માથે પહોંચી શકે.
અનંત કરૂણાવત શ્રી જિનેશ્વર પરમાત્માએ જીવમાત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
સ્વતુલ્ય ઉત્કૃષ્ટ ભાવ આપીને આપણને જીવદયાપ્રધાન જીવન જીવવાની ઉત્તમ પદ્ધતિ સમજાવી છે.
એટલે કે એક જીવ આપણી ક્ષમાપનામાંથી બાકાત રહે. ત્યાંસુધી ક્ષમાને આપણે અધ્યવસાય પાંગળો કરે.
એટલે જીવમાત્રના અપરાધને ખમવાની તેમજ આપણે કરેલા અપરાધોની ક્ષમા યાચવાની બુલંદ ઘોષણું શ્રી વંદિત્તા સૂત્રની ૪૯મી ગાથામાં છે અને તેનો મર્મ ધ્વનિ ઇરિયાવહી સૂત્રમાં છે.
જીવને ખમવા માટે વાત્સલ્યજન્ય સહિષ્ણુતા આવશ્યક છે. જીવને ખમાવવા માટે કૃતજ્ઞભાવજન્ય વિનમ્રતા જરૂરી છે.
ઈરિયાવહી સૂત્ર દ્વારા વિશ્વના સર્વ જીવોને મિચ્છામિ દુષ્ઠ દેવા માટેના નિર્મળ અધ્યવસાયના અશ્રાવ્ય ધ્વનિ તરંગોની ફેલાતી ગૂઢ અસર વૈજ્ઞાનિક નિયમ અનુસાર, લગભગ બધા જીવોને થાય છે. નથી થતી માત્ર કેરડુ જેવા અર્થાત મોક્ષગમન ગ્યત્વ રહિત છને. તેમાં આ સૂત્ર યા અધ્યવસાયને કઈ દોષ નથી.
હાશ ! આજે સાચી હળવાશ અનુભવી! એવો અનુભવ આ સૂત્રથી ભાવિત થનારને થાય છે.
- ૨૫ બોલ સુધીનું વિવરણું
સુદેવ–સુગુરુ-સુધર્મ આદરૂં, આ બેલ પછી તરત જ કુદેવ-કુગુરુ-દુધર્મ લખ્યું છે. તે ન લખ્યું હોત, તે ન ચાલત? એ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે તે સહેતુક છે. નિતાંત હિતાશયપૂર્વક લખાયેલું છે કે જેથી આરાધકને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
અનાદિના અવળા રાહ પ્રત્યેના રાગમાં હવે પછી ન રંગાવાની ચાનક-ચીવટ રહે અને મેક્ષમાર્ગમાં દઢતાપૂર્વક આગળ વધવા માટે સુદેવ-સુગુરુ સુધર્મની જ આરાધના અનિવાર્ય હેવાના શાસ્ત્રમતમાં તેની નિષ્ઠા બરાબર જળવાય.
કુદેવ-કુગુરુ-કુધર્મને સેવવાથી સાંસારિક સુખની ભૂખ
વધે છે.
સુદેવ-સુગુરુ-સુધર્મને સેવવાથી મોક્ષના અવ્યાબાધ સુખની ભૂખ કકડીને લાગે છે.
સ્વપ્નમાં ખાધેલી સુખડીથી ભૂખ ભાંગતી નથી, તેમ સાંસારિક સુખથી આત્મા સુખી થતો નથી, પરંતુ તે વધુ દુઃખના કારણરૂપ અશુભ કર્મ વડે વધુ બંધાય છે.
એટલે તવત્રયના સાચા આરાધકે સાંસારિક સુખના આશયથી ધર્મ કરતા નથી, પણ મેક્ષના અવ્યાબાધ સુખના ઉત્તમ આશયથી ધર્મ કરે છે.
પર વસ્તુના ભેગવટામાં સુખ માણનાર જીવ, આ સંસારમાં ક્યાંય સુખી થઈ શકતું નથી, પણ કેવળ પાપના પિટલા બાંધતે રહીને વધુ દુઃખી થાય છે.
સાચુ સુખ ધર્મથી જ છે એ ટંકશાળી સૂત્રમાં સંપૂર્ણ આસ્થા રાખીને આપણે જે પ્રતિકમણાદિ અનુષ્ઠાન કરીશું તે તે અચૂક આત્મશુદ્ધિમાં પરિણમશે.
- તાલી-મિત્ર (જુહારમિત્ર) જેવા સાંસારિક સુખો માટે ધર્મ કરે એ તે સેનાની કલ્દી સાટે સડેલી સેવ ખરીદવા જે અવળે નુકસાનકારક ધંધો છે.
ભૌતિક સુખની ઘેલછા મને આ સંસારમાં ભૂતની જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૦
લટકાવી રહી છે. સતત બેચેન બનાવી રહી છે. એવો રાજનો અનુભવ હોવા છતાં તે ઘેલછા નહિ છેડુ' અને મન જિનધ સાથે નહિ જોડુ, તે અચૂક દુર્ગતિમાં જઈશ.
વિવેકપૂર્વક આટલું પણ નહિ વિચારી શકનાર આત્મા ભાગ્યે જ પાપભીરૂતા કેળવી શકે છે.
ખોટના ઈરાદે ધધો કરનારા વેપારી મૂખ ગણાય છે, તેમ સાંસારિક સુખના આશયથી ધમ કરનારા માનવી મૂખ શિરોમણિ ગણાય છે,
પણ આજકાલ મેોટા ભાગના જીવા, કુદેવાદિની પકડમાં રહીને ધર્મોના સુમાર્ગે ચાલવામાં કાયરતા સમજે છે. અધમના કુમાને પેટ ભરીને વખાણે છે.
આપણા નંબર આવા આત્માઓમાં તે નથી ને ? આપણે દહેરાસરમાં જઈ, દેવાધિદેવ સન્મુખ ઊભા રહી, વસી નાખવા જેવા સાંસારિક સુખની માંગણી તેા કરતા નથી ને!
ઉપાશ્રયમાં સુગુરૂ પાસે જઈ, વંદના કરી, સાંસારિક સુખના આશયથી વાસક્ષેપ નંખાવતા તે નથી ને?
દાન-શીલ-તપ-ભાવરૂપ ધર્મની આરાધના કરતી વખતે આપના અધ્યવસાય કમ મુક્ત થવાના જ હોય છે ને ? તીથયાત્રા ભવની ભૂંડી રખડપટ્ટીનો કાયમી અંત આણવાના શુભ આશયથી જ કરીએ છીએ ને?
માળા ગણતી વખતે આપનું મન ધર્મના માળામાં રહે છે ને?
આપની જાત તરફના લવલેશ. રાગ યા પક્ષપાત સિવાય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
આપણે આ પ્રશ્નો આપના અંતઃકરણને પૂછવા જોઈએ. તે આ બોલને યથાર્થ તેલ કરવાની દિશામાં થોડી પણ પ્રગતિ કરવામાં કામિયાબ થઈશું.
એ તે કયે પાગલ નર હોય કે જે સૂર્ય પાસે અંધકાર યાચે? ગંગાજળ પાસે મલીનતા થાશે ? ક૯પવૃક્ષ પાસે કંગાલિયત યાચે?
જે આપણે આવા પાગલ ન હોઈએ, તે ધર્મ પાસે સાંસારિક સુખની યાચના કરવાને વિચાર કરતાં પણ કંપારી અનુભવીએ.
તસ્ય ઉત્તરી કરણેણું ઈરિયાવહી પછી બોલાતાં આ સૂત્રના શબ્દોમાં પાપકર્મોને નિઃશેષ કરવાનું અદ્ભુત આધ્યાત્મિક રસાયણ રહેલું છે. આખા મનમાંથી રાગદ્વેષરૂપી સંસારની જડને ઉખેડી નાખવાની ઉત્તમ આધ્યાત્મિક ચુંબકીયતા આ સૂત્રના પાયછિત્ત કરણેશું, વિસહી કરણેણં, “વિસલ્લી કરણેણં” શબ્દમાં ભારોભાર રહેલી છે.
જ્યાં પીપર ઘૂંટાતી હોય છે, ત્યાં જઈને ઊભા રહેનારને તેના પટની ઉષ્ણુતાને તત્કાલ અનુભવ થાય છે. તેમ આ સૂત્રના શ્રવણથી પણ આત્મપ્રદેશોમાં રહેલા અશુભ તત્ કર્મો શિથિલ થાય છે અર્થાત પાપ જુગુપ્સા તત્કાલ પશે છે. ' પ્રકાશના પગલે અંધકાર અલેપ થાય છે. તેમ પ્રાયશ્ચિત્તની પ્રચંડ આગમાં પાપરૂપી તિમિરનાં ગાત્રે ગળવા માંડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૨
અભ્ય'તર પ્રકારના છ તપમાં પ્રાયશ્ચિત્ત પહેલાં નખરે છે. આવા પ્રાયશ્ચિત્તથી નિકાચિત કર્મો મળે છે, નિત્ત આદિ કર્યાં નામશેષ થાય છે, આત્મશુદ્ધિ પૂનમની ચાંદનીના પ્રકાશને આંબે છે. ક્ષપકશ્રેણિ મંડાય છે. અને શૈલેષીકરણ દ્વારા મેાક્ષ પામી શકાય છે માટે મેાક્ષસાધક અને સોંસારબાધક ઇરિયાવહી સૂત્ર અને તસઉત્તરી સૂત્ર વારવાર સ્વાધ્યાય કરવા જેવા છે.
ત્યારબાદ કાઉસગ્ગ માટેનું સૂત્ર અન્નત્થ’ આવે છે. કાઉસગ્ગમાં નીચેના ૧૯ દોષો દૂર કરવા જેઈ એ. (૧) પગ વાંકો રાખવો.
(૨) શરીરને આમતેમ હલાવવું. (૩) કોઈ વસ્તુનો ટેકો લેવો તે.
(૪) મેડી અથવા માળાને મસ્તક ટેકાવી રાખવું. (૫) અંગૂઠા તથા પગની પાની મેળવીને પગ રાખવા. (૬) એડીમાં નાખ્યાની જેમ પગ પહોળા રાખવા. (૭) ગુહ્ય સ્થાને હાથ રાખવે,
(૮) ચરવળા કે એઘા સાથે હાથ આગળ કરવો (૯) માથુ' નીચે રાખવું.
(૧૦) ઢીંચણથી નીચે લાંબુ' વજ્ર રાખવું.
(૧૧) ડાંસ-મચ્છરના ત્રાસથી બચવા કપડું' અંગે ઢાંકવું.
(૧૨) ઠંડી વગેરેના ભયથી કપડાં વડે શરીર ઢાંકવું. (૧૩) શ્રી નવકાર ગણુવા વેઢા પર આંગળી ફેરવવી. (૧૪) આજુબાજુ નજર કરવી.
(૧૫) પરસેવાના કારણે કપડાં સ`કોરવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૩ (૧૬) માથું ધૂણવવું. (૧૭) મૂંગાની જેમ “હું હું” કરવું. (૧૮) બબડાટ કરવો. (૧૯) વાનરની જેમ આંખો ચકળવકળ કરવી.
કાઉસગ્ગને ડહોળનારા આ દેશે ટાળવાના દઢ નિર્ધાર પૂર્વક કાઉસગ્ગ કરવો જોઈએ.
કાઉસગ્ગ દરમ્યાન શ્વાસની લે-મુક કરવાની સાહજિક પ્રવૃત્તિ બાધારૂપ નથી નીવડતી. પણ વાત પિત્ત અને કફ એ ત્રણ પૈકી કોઈ એક પદાર્થ વિકૃત થાય છે, તે ખાંસી, ઉકળાટ, બેચેની, અજપે અધિક વા–સંચાર આદિ વ્યાધિઓ પેદા થઈને કાઉસગ્નને ડહોળી નાંખે છે.
ડહોળાયેલા પાણીમાં પદાર્થનું સ્પષ્ટ પ્રતિબિંબ નથી પડતું, તેમ કાઉસ્સગ્ન ડહોળાય છે, એટલે ચિત્ત, ચેતનરાજનું અમિટ સ્વરૂપ ઝીલવાની ક્ષમતા ગુમાવી દે છે.
એ માટે ઉદરી તપ યા કેઈ અન્ય પ્રકારના તપપૂર્વક કાઉસ્સગ કરવાનું અનુભવી મહાસંતેનું ફરમાન છે.
ભજન રસિકતા, ભજન રસિકતામાં બાધક છે. કાઉસગ એ પણ શાસ્ત્રોક્ત ભજનનો એક પ્રકાર છે. તેમાં રસ ખીલવવા માટે સ્વાદિષ્ટ પદાર્થોના ભેજનમાંથી રસ એ છે કરવો જ પડે છે.
પેટ ભરીને જમનારો માણસ પલાંઠી વાળીને એક આસને સ્થિર બેસી પણ શકતું નથી, તે પછી એવો માણસ કાઉસગ્ગ તે શી રીતે કરી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
૪
છ પ્રકારના અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત એ પહેલા નખરનો તપ છે, તે કાઉસગ્ગ યાને કાચેત્સગ એ છેલ્લા નખરને તપ છે. તેને તાત્ત્વિક અથ કાયાને વેસિરાવી દેવી તે છે.
સંસારી જીવને કિંમતી હીરા-માણેક કરતાં પણ પેાતાની કાયા વધુ કિંમતી લાગે છે. માટે કોઈ લૂટારો તેને ભેટી જાય છે તે તેને પેાતાના અલંકારાદિ આપીને વિનતી કરે છે કે, ' ભાઈ ! મને મારીશ નહિ?
એટલે કાયાની માયાને, મેહને તેમજ પ્રીતિને પેાતાની સાત ધાતુ, દસ પ્રાણ અને સાડાત્રણ કરોડ રૂ'વાડામાંથી સર્વથા નાબૂદ કરવાની ઉત્તમ આધ્યાત્મિક સાધનાના અંગભૂત કાચાસને સ્વય' શાસનપતિએ અપનાવ્યો છે.
યથાર્થ કાર્યાત્સગની પાત્રતા કેળવવા માટે દેહાધ્યાસ પાતળા પાડવા જોઈ એ. દેહાધ્યાસને પાતળા પાડવા માટે આહાર-નિદ્રાને પાતળા પાડવાં પડે, આહાર-નિદ્રાને પાતળાં પાડવાં માટે આયંબિલ આદિનો તપ અને મત્રાધિરાજ શ્રીનવકારનો જપ નિયમિત કરવો જોઈ એ.
આ તપ-જપની ઉંમ્મા અને પ્રભાથી આંતરપ્રાણોની પવિત્રતા વધે છે, એટલે ત્યાંથી દેહાધ્યાસ દૂર થાય છે અને આત્મભાવ સ્થાન જમાવે છે.
કોઈ પણ ધર્માંરાધક જ્યાં સુધી એમ ખેલતા કે માનતા હોય કે, ' મને ભૂખ નથી લાગતી. મને ઊંઘ નથી આવતી, ત્યાં સુધી તે હજી દેહભાવમાં જીવે છે, એમ સ્વીકારી લેવું પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
અનાહારી ચેતનરાજને શાની ભૂખ હોય? નિત્ય ઉપચગવંત આત્માને નિંદ્રા શાની? એટલે કહ્યું છે કે – નિશ્ચય દષ્ટિ હૃદય ધરી છે,
પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશે,
ભવસમુદ્રને પાર.” તાત્પર્ય કે કાર્યોત્સર્ગ દરમ્યાન સમગ્ર ચિત્ત ચેતનરાજના શુદ્ધ સ્વભાવમાં લયલીન થવું જોઈએ.
પર વસ્તુને સરાવવાની શ્રેષ્ઠ તાલીમ કાર્યોત્સર્ગ દ્વારા મળે છે.
મમતા મારક છે. સમતા તારક છે.
આ શાસ્ત્ર વચનને જાત અનુભવ કાત્સર્ગના અભ્યાસીને રોજેરોજ થાય છે. '
ચેતન જ્ઞાન અજવાળીએ,
ટાળીએ મહ સંતાપ રે. ચિત્ત ડામાડોળતું વારીએ,
પાળીએ સહજ ગુણ આપ રે.... અમૃત વેલની સઝાયના આ બેલને યથાર્થ તેલ કરવાની પાત્રતા કાર્યોત્સર્ગ દ્વારા કેળવાતા મનના મૌન મારફત ખીલે છે. તે પછી એક સમયનો પણ પ્રમાદ નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
કરવાની જિનાજ્ઞાના પાલનમાં એતપ્રેત થઈને આત્મા શિવપુરી તરફ અતિ વેગે પ્રસ્થાન કરે છે.
લેાગસ મહાત્મ્ય
લેગસ્સનું ખીજું નામ ‘નામસ્તવ” છે નામસ્તવ એટલે લેાકાલેકપ્રકાશક ધમના પરમ દાતાર શ્રી તીર્થંકર પરમાત્માઓના નામનું સ્તવન.
શ્રી તીર્થંકર પરમાત્માના ચારે નિક્ષેપા એકસરખા પૂજ્ય અને પાવનકારી છે.
સકલાર્હત્ સૂત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત ક્રમાવે છે કે, નામાકૃતિદ્રવ્યભાવૈ:, પુનત સ્રિજગજ્જન' !' ક્ષેત્રે કાલે ચ સસિમન્, નતઃ સમુપાસ્મહે ર
*
અર્થાત્ સર્વ કાળના, સ ક્ષેત્રના જીવોને નામ નિક્ષેપ. સ્થાપના નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ અને ભાવનિક્ષેપ વડે પાવન કરનારા શ્રી અરિહ'ત પરમાત્માને સમ્યક્ પ્રકારે અમે સેવીએ છીએ.
જિનનામ સ્મરણનો પ્રભાવ વર્ણવતાં પૂ. આ શ્રી સિસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજા કલ્યાણુમંદિર સ્તોત્રની સાતમી ગાથામાં જણાવે છે કે,
“ આસ્તામચિન્હ મહિમા
Jain Educationa International
જિન ! નાપિ પાતિ ભવતા, ભવત
સસ્તવસ્તુ,
જગન્તિ,
For Personal and Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
તીવ્રતાપપહત,
પાન્થજનાન્નિદાથે, પ્રસુતિ પદુમસરસ:
સર નિલપિ nળા અર્થ - જિનેશ્વર પરમાત્મા ! અચિન્ય મહિમાવાળું આપનું સ્તવન દૂર રહો. આપનું નામ પણ ત્રણ જગતનું ભવ (સંસારભ્રમણ ) થકી રક્ષણ કરે છે. ગ્રીષ્મઋતુના પ્રચંડ તાપથી આકુળ-વ્યાકુળ થયેલા પ્રવાસીઓને કમળવાળા સરોવરને સૂફમ જળકણવાળે ઠડે પવન પણ ખુશ કરે છે, તો પછી પાણીની શી વાત ? તેમ આપનું નામ પણ ભવભ્રમણ ટાળે છે, તો પછી આપના તવનનો મહિમા તો શું વર્ણવીએ ?'
આવા અચિન્ય પ્રભાવશાળી, વિશ્વોપકારી ૨૪ તીર્થકર ભગવંતોનાં નિત્ય સ્મરણય નામ લેગસમાં છે. અને તેની રચના એવી ખૂબીવાળી છે કે શ્વાસના આરોહ-અવરોહને તાલબદ્ધ રાખીને સ્મરણ કરવામાં આવે છે, તે નાભિ, હદય અને બ્રહ્મરંધમાં અપૂર્વ લહેર સંચરે છે. જાણે કે સાક્ષાત્ શ્રી અરિહંત પરમાત્માના કરકમળને સ્પર્શ ન થયે હોય. - આ સૂત્રને પહેલે “લોગસ્સ” શબ્દ જ્યારે પણ ઉચરું છું. ત્યારે કસોટીના પત્થર પર થતા કુંદનના ઘસારા જે કર્મ હસ થતો સંવેદાય છે.
આ સમગ્ર સૂત્ર એટલું ગહન, માર્મિક, તાવિક પરમાત્મ ભાવમય છે કે તેમાં રમણતા કરવાથી ભાવ-આરોગ્ય,
.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
બધિલાભ અને સમાધિ-એ ત્રણે અલ્પકાળમાં સાવ સુલભ બને છે
લેકમાં ઉત્તમ સિદ્ધ ભગવંતો તરીકે નિત્ય વંદનીય. પૂજનીય, સ્મરણીય શ્રી રાષભદેવ સ્વામી પ્રમુખ ચોવીસે શ્રી તીર્થકર ભગવંતોને ભાવથી ભેટવાનું આ લોગસ “અમૃત-સદન” છે.
આ સૂત્રની છેલ્લી ગાથા તે એવી અજબ પ્રભાવશાળી છે કે તેનો ભાવપૂર્વક નિત્ય સ્વાધ્યાય કરવાથી ઉત્કૃષ્ટ કેટિના સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્રને પામીને આત્મા, ગણત્રીના ભામાં મોક્ષે સિધાવે.
આ ગાથાને સરળ શબ્દાર્થ એ છે કે –
સેંકડો ચન્દ્રો કરતાં અધિક નિર્મળ, સેંકડો સૂર્યો કરતાં અધિક પ્રકાશવંતા, સેંકડો સમુદ્રો કરતાં અધિક ગંભીર એવા સિદ્ધ પરમાત્મા મને મેક્ષ આપે.
વળી આ જ ગાથા સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્ર ખરેખર કેવાં હોવાં જોઈએ તેને ગર્ભિત નિદેશ પણ કરે છે.
જીવલેકમાં અધર્મનું એકચક્રી સામ્રાજ્ય કયારેય પણ નથી સ્થપાતું, તેનું મૂળ કારણ સર્વ કાળે ધમ દિવાકર શ્રી તીર્થંકર પરમાત્મા વિદ્યમાન હોય છે તે છે. અને જે ક્ષેત્રમાં સાક્ષાત્ શ્રી તીર્થંકર પરમાત્મા વિદ્યમાન નથી હોતા, ત્યાં તે સદંતર ધર્માભાવને અટકાવનાર તેઓશ્રીએ સ્થાપેલો શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ હોય છે.
આ સૂત્રમાં પ્રવેશતાં મારા રૂંવાડે રૂંવાડે હર્ષના જે વિપક પ્રગટે છે, તે અનુભવના આધારે વિવેકી આરાધકને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
વિનવું છું કે–લૌકિક મહત્વનાં હજાર કામ પડતાં મૂકીને પણ આપ જે નિત્ય અપૂર્વ ઉમંગે લેગસમાં રમશે તે અહીં બેઠાં સિદ્ધશિલાને ચમકારે અનુભવી શકશે. કયા શબ્દોમાં વર્ણવું એ અપૂર્વ પરમાત્માનુભૂતિને ?
મુહપત્તિ-પડિલેહણ | મુહપત્તિનું પડિલેહણ એ પણ ખૂબ જ અર્થગંભીર ક્રિયા છે.
મુખ આગળ તેને રાખીને બેસવાનું હોવાથી તેને આપણે મુહપત્તિ કહીએ છીએ.
ઉપગપૂર્વક બોલવાની આત્મજાગૃતિ તસ્દ મુહપતિ, આપણને પ્રેરે છે. “સત ' માં ઉપગ રહે છે, એટલે જીવદયાદિ પણ પળાય છે.
વાણીમાં પાણી કરતાં વિશેષ શક્તિ છે. જે તે વિવેકપૂર્વક ન બોલાય, તે નિબંધ જળપ્રવાહની જેમ નુકશાનબરફ નીવડે છે.
મુહપત્તિ આપણને વાણીને વિવેક રાખવાની શુદ્ધ બુદ્ધિ પ્રેરે છે.
કઈ ચેકસ વિધિમાં પ્રવેશ પામવા માટે મુહપત્તિનું પડિલેહણ અતિ આવશ્યક મનાયેલું છે.
રાષ્ટ્રપતિ બને, તેને તે પદ ગ્રહણ કરતી વખતે ચેસ સોગંદવિધિ કરવી પડે છે, તેમ સામાયિક લેતાં પહેલાં મુહપત્તિ પડિલેહણથી આપણા કર્તવ્યનું ભાન કરાવાય છે અને પછી “કરેમિ ભંતેથી ગંદવિધિ કરાવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
30
- પ્રતિકમણમાં પણ ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવાની વિધિ છે. કારણ “ચઉસિન્થ” એ ભગવંતની ભક્તિ સ્વરૂપ છે.
પ્રતિક્રમણ ગુરુસાક્ષીએ કરવાનું છે તે માટે ત્રીજા આવશ્યકની મુહપત્તિ છે. આ નવા પાપના. પચ્ચકખાણ સ્વરૂપ છઠ્ઠા આવશ્યકની મુહપતિ છે, તે પ્રતિક્રમણની સમાપ્તિરૂપ છે. . સામાયિકનો મહિમા અને પ્રભાવ અપરંપાર છે.
વિદ્યાથી અધ્યાપક પાસે ભણવા જાય ત્યારે પહેલાં તેમને નમસ્કાર કરે છે, તેવી રીતે પ્રતિક્રમણ કરતાં પહેલાં અને છેલ્લે મુહપત્તિનું પડિલેહણ છે.
પડિલેહણ” શબ્દ પણ પ્રતિક્રમણના અંગભૂત છે.
સમ્યગદૃષ્ટિ આત્માનું પડિલેહણ આત્માના અસંખ્ય પ્રદેશે પર્યત વિસ્તરે છે.
મુહપતિ આદિ ઉપકરણે ધર્મારાધનામાં પ્રવેશેલા પ્રત્યેક વિવેકી આત્માને મોક્ષપુરીમાં લઈ જનારી નિસરણીનાં ઉત્તમ પગથિયાં રૂપ લાગે છે. ચાહે તે મુહપત્તિ હોય કે ચરવળા, યા એ, કટાસણું હોય કે નવકારવાળી.
પખી અને સંવત્સરી પ્રતિકમણની સમાપ્તિમાં મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. કારણ કે પ્રતિક્રમણ પૂર્ણ થવા આવ્યું છે, તેના સૂચનરૂપે તથા મુહપત્તિના “બેલ ના ભાવ સિવાય બીજો ભાવ આવી ગયું હોય તેની સાફસૂફી માટે મુહપત્તિનું પડિલેહણ થતું જણાય છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
મુહપત્તિના બોલમાં મનોવિજ્ઞાન સાથે ભારોભાર અધ્યાત્મવિજ્ઞાન પણ રહેલું છે. જે સમયે જીવ જે-જે કાર્ય કરે છે, તેમાં કયા સ્થાને વધુ આત્મપ્રદેશનું સંચાલન થાય છે, તેની પાકી જાણકારી માટે મુહપત્તિ પડિલેહણ છે.
વિધિ-વિધાનનો આ બધો કમ સર્વ કથિત હોવાથી આપનું કર્તવ્ય તેને એકનિષ્ઠાપૂર્વક પાળવાનું છે. તે પછી આપોઆપ તેનાં રહસ્ય આત્મસાત્ થવા માંડે છે. પણ વિધિના બહુમાન પહેલાં આ વિધિ શા માટે?” એ પ્રશ્ન પૂછીશું તે મોક્ષપ્રદધર્મની આરાધનાથી વંચિત રહીશું.
નિષ્કારણ કરૂણસિંધુ શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા સંવિધાનના અંગભૂત વિધિનું બહુમાન એ સ્વયં શ્રી જિનરાજનું બહુમાન છે, અને તેની અવગણના એ શ્રી જિનરાજની તારક આજ્ઞાની અવગણના છે, એ આપણે ન ભૂલીએ !
મુહપત્તિના ૫૦ બેલમાં પ્રારંભના ૨૫ બેલ શરીરના અંગેની પ્રતિલેખના કરવા માટે છે.
અંગાંગની પ્રતિલેખના, દેહભાન દૂર કરીને ત્યાં-ત્યાં બધે આત્મભાવ પ્રતિષ્ઠાન કરવાના નિર્મળ આશયના એક અંગરૂપ છે. | સરવાળે પાપકરણવૃત્તિના અનાદિના વળગાડથી જીવને સર્વથા મુક્ત-નિષ્પા૫ બનાવવાના સહેતુ શાસ્ત્રોક્ત અનેક વિધિઓની જેમ આ પડિલેહણ વિધિમાં રહેલું છે.
મુહપત્તિનું પડિલેહણુ ઉભડક પગે કરવાનું વિધાન જીવદયાના હેતુપૂર્વકનું છે. . . . . .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
બે હાથને, બે પગ વચ્ચે રાખી મસ્તક નીચું રાખી મુહપત્તિનું પડિલેહણ કરવાનું વિધાન “સંલીનતા નામના એક તપના ભાગરૂપ છે, તેનાથી અપગની ચંચળતા દ્વારા થતા જીવહિંસાદિ પાપથી બચાય છે.
ઉભડક પગે મુમત્તિનું પડિલેહણ કરવાના વિધાન પાછળ રહેલા અનેક શુભ હેતુઓમાં મુખ્ય હેતુ એ છે કે, તેનાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે.
* ગનાં અનેક આસનેમાં આ આસનને પણ સ્થાન છે, અને તે દોહાસનને લગભગ મળતું છે. - મુહપત્તિનું પડિલેહણ કરતી વખતે મુહપતિના બંને છેડા બંને હાથ વડે પકડવા જોઈએ. પછી મુહપત્તિ સામે દષ્ટિ સ્થિર કરી “ સૂત્ર-અર્થ તવ કરી સહુ” કહેવું જોઈએ.
સૂત્ર-અર્થનો સાર “તત્વને પામવાને છે.
તત્વ કે જેમાં તારકક્ષમતા રહેલી છે કે નહિં, તે બતાવે છે.
“રમ્ ગાર, ન ઘા ઝુતિ તા: તત્ત્વ પામવું એટલે આત્મા વડે આત્માને પામવે. આત્મા વડે આત્માને શી રીતે પમાય ?
–તે કે સઘળાં અતથી તેને નિરાળે જે, જાણ, અને માનવે.
નવ તત્ત્વમાં પ્રધાન તત્વ જીવતત્વ છે. આ જીવતત્ત્વ જ-આત્મા છે, તેને અનાત્મ પાળેથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
સર્વથા નિરાળ સ્વરૂપે સતત ચિંતવવાને ભાવ, જિનવાણીના અંગભૂત સૂત્રમાં છે.
જેહ સ્વરૂપ અરિહંત કે, તેહી આત્મસ્વરૂપ, ભેદ ઈમેં કછુ નહિ,
એ આતમભૂપ. ચિદાનંદજીનું આ અનુભવ વચન નિશ્ચય નયની દષ્ટિએ સર્વથા ઉપાદેય છે.
આત્માને પૂ. શ્રી આનંદઘનજીએ આનંદઘન
કહ્યો છે.
જે આનંદઘન છે, તેને પિતીકા આનંદ માટે અન્ય કઈ પદાર્થની લિસા રહેતી નથી.
સ્વ–શુદ્ધ સ્વરૂપમાં નિત્ય-નિયમિત રમતા કરતા રહેવાથી આત્મા પિતે પિતાવડે પિતામાં પોતાને માને છે. અનુભવી મહાસંતે આ સત્યને સદા અનુભવે છે.
જાણવું અને માનવું તેમાં આભ-જમીન જેટલું અંતર છે.
એટલે શ્રી જિનશાસનમાં તત્ત્વજ્ઞાન, જે તવ જીવી હોય છે, તે ખરેખર પૂજાય છે.
એટલે સૂત્ર અને તેના અર્થને જાણ્યા પછી સંતેષ માનવાને નથી, પણ આચારમાં વણીને અણમોલ તત્ત્વને પામવાનું છે. અને તેની જ અનુપમ આધ્યાત્મિક પ્રક્રિયા સગ્ર પ્રતિક્રમણમાં દૂધમાં રહેલા ઘીની જેમ રહેલી છે.
માત્ર ઈરિયાવહી ભણીને તત્વને પામે તે સાચો જ્ઞાની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
છે. અને સાડાનવપૂર્વ ભણેલો પણ જે તત્ત્વને ન પામે તો તે અજ્ઞાની છે.
તત્ત્વ પરિણતિ વગરના વિદ્વાનને શાસ્ત્રકાર ભગવંતોએ સાકરનો ભાર વહન કરતા ગર્દભની ઉપમા આપીને, આરાધક આત્માઓને તત્વને પામવાની ઉપકારક ચેતવણી આપી છે.
માટે સૂચ, અથ” અને “તત્વ આ ત્રણ બેલને માત્ર એક જ બેલ ગણે છે.
પછી મુહપત્તિના જમણે ભાગને ખંખેરતી વખતે... સમક્તિ મેહનીય', મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂ” આ ત્રણ બોલ બોલાય છે.
મેહનીયકમ તત્ત્વ પામવામાં જીવને મુંઝવે છે. અસતમાં સની ભ્રાંતિ કરાવીને જીવને ગુમરાહ બનાવે છે. | મુહપત્તિના ડાબા ભાગને ખંખેરતી વખતે-“કામરાગ', સ્નેહરાગ”, “દૃષ્ટિરાગ”, “પરિહરૂં” બેલાય છે.
હૈયામાં રહેલા કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ ધર્મને યથાર્થ સ્વરૂપે સમજવા દેવામાં બાધારૂપ નીવડે છે. ધર્મ ન પામેલો જીવ, તત્ત્વ પામતે નથી. ધર્મ, હેય રેય અને ઉપાદેયને વિવેક કરી આપે છે. - મુહપત્તિને ત્રણ વાર ફેરવીને તેને બે-પડી વાળવાપૂર્વક મધ્ય ભાગથી વળાય છે. અને હથેળીથી ખભા સુધીનું પડિલેહણ કરતાં “સુદેવ-સુગુરુ-સુધમ આદરૂં', બેલાય છે. આમ અહીં ૧૦ બેલ પૂરા થાય છે. આ બોલોની ભીતરમાં જીવમાત્રના આત્યંતિક હિતનું અણમેલ તત્ત્વજ્ઞાન રહેલું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૫
ત્રિભુવનમાં જિનકથિત ધર્મથી અધિક મૂલ્યવાન વસ્તુ બીજી કઈ છે નહિ.
ધર્મ એ ભાવદીપક છે, ભાવમાતા છે, ભાવપિતા છે, ભાવબંધુ છે, ભાવસખા છે. અર્થાત સારી સર્વ ઉપમાઓ પણ ધર્મના સર્વથા અનુપમ સ્વરૂપને યથાર્થ પણે ઓળખવાઓળખાવવા માટે અપૂરતી નીવડે છે.
આવા અણમોલ, અનુપમ, અચિન્ય શક્તિશાળી, અનંત ઉપકારી ધમની આ દુનિયામાં અનેક નકલો થાય છે.
મૂલ્યવાન વસ્તુની નકલ કરીને, ભેળા, અજ્ઞાન જીવોને તે નકલી વસ્તુ, અસલ વસ્તુના નામે બઝાડી દેવાનો ધંધો કરનારા આ દુનિયામાં ઘણું છે. - આવા ધૂતારાઓ નકલી માલથી સાવધાન રહે’નાં મોટાં પાટિયાં પિતાની દુકાને લટકાવે છે. અને તેનાથી પ્રભાવિત થઈને આજના કાળમાં મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ જીવો ધોળે દહાડે ઠગાય છે. : પોલીસ કરેલા પિત્તળને સાચું સોનું સમજીને ખરીદવાની ભૂલ કરતાં પહેલાં જે તેને કસોટી ઉપર ચઢાવવામાં આવે છે તે તેનું નકલીપણું તત્કાલ ઉઘાડું થઈ જાય છે. તેમ મેક્ષ પમાડનારા જિનધર્મનું સાંસારિક સુખ-સગવડો મેળવવા માટે અવમૂલ્યન કરનારા કોઈ પણ મિથ્યાચારીની ૨૪ કલાકની સમગ્ર દિનચર્યાની, આગમની કસોટી પર ચકાસણી કરવામાં આવે, તે તે ઠગ હોવાનું તરત સમજાઈ જાય.
ધમને ભૌતિક સગવડ સાથે કેઈ નાત નથી. એવી સગવડો માટે ધર્મ કરવો યા કરાવો તે અમૃત સાટે ઝેર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
ખરીદવાનો અવળે આત્મગુણઘાતી ધંધો છે.
જીવને શિવ બનાવવાના અચિત્ય સામર્થ્યવાળા ધર્મની તુચ્છ સાંસારિક સુખો કાજે આરાધના કરવાનો ઉપદેશ આપનારા શ્રમણોને શાત્રે પાપશ્રમણ કહ્યા છે.
સાચું, પૂરૂં, અખંડ, શાશ્વત, અવ્યાબાધ સુખ એક માત્ર જિનક્તિ ધમ જ આપી શકે છે.
આવું સુખ આપનારા ધર્મની દુઃખરૂપ, દુઃખફલક, દુઃખ પરંપરાવર્ધક સંસારમાં જીવને ગંધી રાખનારા તુચ્છ વૈષયિક સુખાદિ મેળવવા માટે આરાધના કરવી યા કરાવવી તે ગેર પીને જીવન ટકાવવા જેવું સદંતર વિપરીત દુષ્કૃત છે.
જમાનાવાદના ઝેરી પવનની ગાઢ અસર નીચે આવેલા અનેક ઉપદેશકે તેમજ તેમને અનુસરનારા માનવે જે સ્વસ્થ ચિત્તે એટલું વિચારશે કે--આંગણે બેસીને કર્કશ અવાજ કરતા કાગડાને ઉડાડવા માટે કિંમતી હીરાને ઘા કરાય ખરો?
જે, ના તે “ખાઉં–ખાઉં” કરતી ઈન્દ્રિયની વિષયભૂખ સંતેષવા કે નાશવંત સત્તા અને સંપત્તિની ઘેલછા પૂરી કરવા માટે ધમરૂપી અણમેલ હીરાને ઉપયોગ કરાય તે પરિણામ શું આવે?
એ જ કે અનાદિ-અનંત સંસારમાં ભૂડે હાલે ઠેર-ઠેર ભટકવું પડે.
ઉત્તમ ધર્મ સામગ્રી યુક્ત માનવભવ પામ્યા પછી આવો ગાંડો ધંધે કે શું કરે ?
પણ મહામહરૂપી સપનું વિષ રગ રગમાં વ્યાપેલું હોય છે તેને, જેને સર્પ કરડયો છે, તેને કડવો લીમડો પણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
のり
મીઠો લાગે છે. તેમ વમન કરવા જેવું સંસારનુ' સુખ હાંસેહાંસે ચાટવા જેવુ લાગે છે.
આ મહામહના કાતિલ વિષનું સચાટ મારણ શ્રી જિનાક્ત ધમ છે. તેનું ત્રિવિધે સેવન કરવાથી આત્માના પ્રદેશે-પ્રદેશે વિશુદ્ધ આત્મ-સ્વભાવનુ સ્વામિત્વ સ્થપાવા માંડે છે. અને પ્રતિક્રમમ પણ તે જ આશયની પુષ્ટિનું સબળ સાધન છે.
6.
6
સુદેવ, સુગુરુ, સુધમ આદર્' અહીં સુધીના મેલેાના દાંડા, દોરી, કારે ઇત્યાદિમાં ઉપયોગ થાય છે. દેવ-કુગુરુ-દુધમ ને પરિહરવાના દૃઢ નિર્ધારને આ બેલે। પૂરતું બળ આપનારા હાઈ ને સુદેવ-સુગુરુ સુધમ ના આરાધકને તે અણુમાલ લાગે છે.--લાગવા જોઈ એ. દેવ-કુગુરુ-કુધ –પરિહૐ' ડાબા હાથને અડે તેવી રીતે ત્રણવાર ઘસીને નીચે ઉતારતાં ખેલવાના છે. ત્યાર બાદ ડાખી હુથેળીથી કાણી સુધી મુહપત્તિ અદ્ધર રાખી, અ ંદર લઈ ખોલીએ છીએ-જ્ઞાન-દશન-ચારિત્ર આદર્’. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર એ માક્ષમાગ છે, તે સિવાયનો મોક્ષમાર્ગ નથી. આ શાસ્ત્ર-સત્યને અંતઃકરણમાં સ્થિર કરવા માટે સુગુરૂની પુણ્યનિશ્રા આવશ્યક છે
સમ્યગદર્શન એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું દર્શન જેના વડે થાય તે ષ્ટિ.
આ ષ્ટિને તત્ત્વ દૃષ્ટિ કહે છે.
શ્રી જિનવચનમાં જરા પણ સંદેહથી સમ્યગ્દર્શન ડહોળાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૮
- શ્રી જિનેશ્વર પરમાત્માએ સંસારને દુખમય, દુઃખફલક, દુખપરંપરક કહ્યો છે.
એટલે જે આપણે આવા સંસારના સુખ માટે ધર્મ કરીએ તો સમ્યમ્ દષ્ટિ સાવ ઝાંખી પડે, મિથ્યાદષ્ટિ સતેજ બને.
રસ્તે જતી સુંદરીને જોઈને જે આપની આંખ તરત નીચી ન ઢળે, પણ ચકળવકળ થાય તે માનવું કે આપની દષ્ટિ સમ્યગૂ નથી.
સમગદષ્ટિ તો સડસડાટ આત્માને જ સ્પર્શતી હોય છે-પકડતી હોય છે.
ચારિત્ર સિવાય કદાચ મેક્ષ થાય, પણ સમદષ્ટિ સિવાય મેક્ષ ન જ થાય.
ભરત ચક્રવતીને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન ઉપાર્જિત કરવામાં ખરી સહાય આવી સમ્યગદષ્ટિએ કરી હતી. એક વીંટી આંગળીમાંથી નીકળી ગઈ તેનાથી દેહની શેભામાં થયેલા ઘટાડાએ તેમને એવો ઝાટકે પહોંચાડ્યો કે ઘાતકર્મો નામશેષ થઈ ગયા.
મુનિવેષે આવેલા દેવની માયાથી અલસાજીના હાથમાંથી લક્ષપાક તેલના ત્રણે બાટલા ફરસ પર પડીને ફૂટી ગયા. બધું તેલ ઢેબઈ ગયું. તેમ છતાં તેમના એક રૂંવાડામાં પણ તેલ ઢોળાયું તેની વ્યથા ન જન્મી.
હા, વ્યથિત થયાં ખરાં, પણ તે વ્યથા તે મુનિરાજ વહેર્યા સિવાય પાછા જાય તેની હતી.
એટલે સુલતાજીના સમ્યકત્વને મધ્યાહ્નના સૂર્ય જેવું ઝળહળતું વર્ણવવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
ચાર સાહેલીઓ પાણી ભરવા ગઈ. માર્ગમાં તેમને પાણું ભરીને આવતી ચાર સાહેલીઓ મળી. આઠ સાહેલીઓ વાતે વળગી. પણ તેમને જીવ માથે રહેલાં બેડામાં હતો.
- બેડાના સ્થાને સ્વાત્માને સ્થાપીને વિચાર કરીશું તે આપણને આપની આજની કંગાલ દિનચર્ચાને પાકે ખ્યાલ આવશે.
આપનો જીવ મહદ્અંશે કાયા-કુટુંબ-કીર્તિ આદિમાં જ ભટકતો હોય છે.
પેઢી પર બેઠેલો વેપારી જે સમ્યગદષ્ટિવાળો હોય તો તે પિતાને અણમેલ સમય ગ્રાહકનું ધ્યાન ધરવામાં બરબાદ ન કરે.
ઉપાશ્રયમાં સ્થિરતા ફરમાવતા મુનિરાજ જે સમ્યગદષ્ટિવંત હોય તો તેમનું ધ્યાન મુખ્યત્વે સિદ્ધશિલા તરફ રહે.
બાળકને પારણે ઝુલાવતી માતા જે સમ્યગદષ્ટિવંત હોય તો તે તેને હાલરડામાં જિનવાણીનું અમૃત પાયા સિવાય ન રહે.
સમ્યગુદર્શન વગરનું જ્ઞાન એટલે પાયા વગરનું મકાન, સુગંધ વગરનું સોહામણું ફૂલ.
સભ્ય જ્ઞાન એટલે વસ્તુ સ્વરૂપનો યથાર્થ બોધ.
દેહમાં કીકીનું જેટલું મૂલ્ય અને મહત્વ છે, આરાધનામાં તેટલું જ મૂલ્ય અને મહત્વ સમ્યગદૃષ્ટિનું છે એટલે તેને અનુભવી મહાપુરુષો “આત્માની આંખ” કહે છે અને સમ્યગજ્ઞાનને આત્માની પાંખ કહે છે.
આત્માની આંખે જગતને જેનારો આત્મા કદી કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૦
અનામ પદાથ માં લેપાતે નથી, પણ અન તજ્ઞાનવારિધિ એવા આત્મામાં મગ્ન રહે છે.
જીવને સ્વભાવભ્રષ્ટ કરનારા જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. એટલે જીવને સુખી કરવા માટે ભૌતિક સુખસગવડોની ચેાજનાએ ઘડનારા, શાસ્ત્રદ્રષ્ટિએ અજ્ઞાની છે.
સમ્યગદનમૂલક જ્ઞાનની પરિણતિના પ્રભાવે ચારિત્ર મેહનીય કર્મોના ક્ષય થતાં આત્મા સમ્યક્ ચારિત્રને પાત્ર બને છે.
સમ્યક્ચારિત્ર એટલે સવિરતિપણું અર્થાત્ તત્ત્વજીવી પણુ.
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને અણુમાલ રત્નની ઉપમા આપીને જ્ઞાની ભગવંતોએ આપના ઉપર અસીમ ઉપકાર કર્યાં છે.
માટે કાચના ટૂકડા જેવા પ્રાપ્તિ પાછળ આ રત્નોને લિલામ પાતથી આપણે અચવું જોઈએ.
તેમ છતાં આજે સમ્યગદનાદિની ઊઁચી વાતેા પ્રસ્તુત કરનારાઓના આચારમાં વર્તાતી શિથિલતા જોઇને અપાર ખેદ થાય છે.
સાંસારિક સુખોની કરવાના ભયંકર સનિ
આવા શિથિલાચારીએની આવી વાત એ અનુયાગ નથી પણ બકવાસ છે.
દ્રવ્યાનુયાગ, ગણિતાનુયાગ, ચરણકરણાનુયાગ અને શ્રમ કથાનુયોગના સાચા સાધક જ આવા અનુયાગી ગણાય છે.
અનુપાછળ
Jain Educationa International
ચાગ=જોઢાણ
For Personal and Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
જેની સમગ્રતાનું જોડાણ આ અનુગ સાથે નથી હે તું, તે “અનુભેગી” ગણાય છે.
આમ આ ૨૫ બેલ પાતરા, કપડા આદિના બાહ્ય ઉપગમાં લેવાના ઉપકરણેના પડિલેહણ વખતે બોલાય છે.
બાહ્ય સામગ્રીની મુચ્છ આત્માને મુચ્છિત યાને ઉપયોગભ્રષ્ટ કરે છે. આવી મુચ્છને કરવામાં આ ૨૫ (પચીસ) બેલ મહામૂલા મંત્રનૂલ્ય છે.
આ ૨૫ બોલોથી મંત્રેલાં કપડાં આદિ ઉપકરણે શુદ્ધ ભાવને જગાડવામાં સહાયક બને છે. પછી એને બાધક પરિણામે પરાસ્ત કરી શકતાં નથી. અને સાધક સામગ્રી સુલભ બને છે. સાધકની સાધનાને તે સફળ બનાવે છે.
હવે પછી માત્ર મુહપત્તિમાં જ ઉપયોગી બોલ શરૂ થાય છે.
આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબી હથેળી ઉધી કરી, જમણી બાજુએ વાળતાં બેલીએ છીએ. “હાસ્ય. રતિ, અરતિ પરિહરૂં.'
એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તિ રાખી, જમણે હથેળી ઉધી કરી જમણી બાજુ ત્રણવાર પ્રમાઈ બેલીએ છીએ–“ભય-શેક, છા પરિહર
આ છે બોલ ડાબા હાથ અને હથેળીને ઉદ્દેશીને બેલાય છે. આ છ બેલ નેકષાયને આશ્રીને રહેલા છે. - જે આપણે સાવધ બનીને નેકષાય ન કરીએ, તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૨
ક્રોધ, માન, માયા, લાભ-આ ચાર કષાય ન કરવા તે આપણી હથેળીમાં છે. અર્થાત્ આપણા હાથની વાત છે, એવે ગર્ભિત ઉપદેશ આ મેલેામાં રહેલા છે.
પછી આંગળીઓના આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ, એવડી કરી, મુહપત્તિના બંને છેડા હાથથી પકડી જમણા ભાલે, ડાખા ભાવે અને ભાલની વચ્ચે પ્રમાના કરતાં અનુક્રમે ખેાલીએ છીએ, કૃષ્ણે લેશ્યા, નીલ લેશ્યા, કાપાત લેશ્યા પરિહરૂ.’
6
ઘટ્ટ અનેલો શુભ યા અશુભ ભાવ, સારી યા નઠારી લેશ્યારૂપ ગણાય છે.
ઉપર વર્ણવી તે ત્રણ વેશ્યા નઠારી છે.
પિત (તેજો) પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યા ભાવાનુક્રમે સારી હોવાનું શાસ્ત્રો ક્રમાવે છે.
ખિલાડી કૃષ્ણ વેશ્યાગ્રસ્ત હોવાથી તે અપશુકનિયાળ ગણાય છે.
સારી-માઠી લેશ્યાની પ્રગટ છાપ ભાલ પર ઉપસી
આવે છે.
શાન્તરાગ રૂચિવ ́ત સંતને જોતાં જ હૈયે હર્ષી ઉભરાય છે. ક્રોધાંધ માનવીને જોતાં જ મન ડામાડાળ થાય છે, તાત્પર્ય કે સારી-માઠી લેશ્યા જીવ માત્ર પર પ્રગાઢ અસર ફેલાવે છે.
એટલે મુહપત્તિ ભાલપ્રદેશોને અડાડવા પાછળને આશય, કષાયને નિમૂળ કરવાના છે. મુહપત્તિનું પડિલેહણ લક્ષ્યપૂર્વક કરવામાં આવે તે તે કષાયરૂપી રોગનું નિવારણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
માટેનું રામબાણ ઔષધ બની શકે તેમ છે. - ત્યારબાદ એ રીતે મુહપત્તિ રાખી ત્રણવાર મુખ ઉપર પ્રમાર્જન કરીએ છીએ અને અનુક્રમે “રસગારવ, રદ્ધિગારવ શાતાગારવ પરિહરૂં” બેલીએ. છીએ.
રસ, અદ્ધિ અને શાતા આ ત્રણ ગારોને મુખ સાથે સંબંધ છે.
ગારવ' શબ્દ લીનતાવાચી છે. અર્થાત્ તે યથાર્થ આત્મગૌરવને પ્રતિપક્ષી છે.
રસગારવના કારણે લૂખુ–સુકુ ભેજન મળે છે તે માણસનું મેં કટાણું થઈ જાય છે. સ્વાદિષ્ટ ભેજન મળે છે તે મેં પર પ્રસન્નતા છવાય છે.
સંપત્તિનું અભિમાન પણ માણસના મેં પર દેખાય છે તેમજ મેં વાટે છતું થાય છે.
અશાતાની ફરિયાદ પણ માણસ મેં વાટે કરે છે.
એટલે આ ત્રણ દોષને પરિહરવાનો દઢ નિર્ધાર આ બેલ દ્વારા આપણે વ્યક્ત કરીએ છીએ.
પણ વ્યક્ત કરવા છતાં, ત્યાજ્ય ઉક્ત દેને પૂર્વવત ભાવથી સેવીએ તો આપનું પ્રતિકમણુ” આત્માને અજવાળવામાં નહિવત્ ભાગ ભજવી શકે.
ત્યાર બાદ છાતીની જમણી બાજુએ, ડાબી બાજુએ તેમજ વચ્ચે પ્રમાર્જના કરીને બેલીએ છીએ, “માયાશલ્ય. નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરૂ.
આ ત્રણ શલ્ય સમ્યક્ત્વના ભયંકર શત્રુઓ છે. આંખની કીકીમાં પેસી ગયેલી શૂળ કરતાં અધિક ખતરનાક છે. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
તેને હૈયામાંથી દૂર કરવાના આશયપૂર્વક આ બોલ આપણે બેલીએ છીએ. અને આ ત્રણ શલ્ય મુખ્યત્વે હૈયે ભેંકાય છે એટલે ત્યાં મુહપત્તિ વડે પ્રમાજના કરીને આ બોલ બલવાનું વિધાન છે.
માયાશલ્યથી લક્ષ્મણે સાધ્વીએ, નિયાણશલ્યથી બ્રહ્મદત્ત ચક્રવતીએ અને મિથ્યાત્વશલ્યથી કમલપ્રભ નામના આચાર્ય દેવે સંસાર વધારી દીધાનાં દષ્ટાન્તો સુપ્રસિદ્ધ છે.
આજથી અનંતી ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના ચોવીસમાં તીર્થંકર પરમાત્મા હતા. તેઓશ્રીનાં શાસનમાં કમલપ્રભ નામના મહાન આચાર્ય હતા, આ આચાર્યદેવ જિનશાસનના આચાર-વિચાર અને ઉપદેશાદિમાં અજોડ હતા. તેઓને ૫૦૦ શિષ્યો હતા. આ આચાર્યદેવ એવા ભાવમાં રમતા હતા કે–તેઓ એક જ ભવમાં મોક્ષગામી થાય.
તે સમયે ચૈત્યવાસી સાધુ ચૈત્યની અંદર રહીને સાવદ્યકર્મ કરતા હતા. પરંતુ આ આચાર્યદેવ તે તેઓની સામે નિર્ભયપણે શુદ્ધ ઉપદેશ આપતા હતા.
એકવાર આચાર્યદેવે ચૈત્યવાસી સાધુને સમજાવવા ઘણી મહેનત કરી તેથી ચૈત્યવાસી સાધુઓ આચાર્ય મહારાજને બદનામ કરવાની તક શોધવા માંડ્યા.
તેવામાં એક સાધ્વીજીએ ભક્તિના આવેશમાં આચાર્ય દેવના ચરણને સ્પર્શ કર્યો. ચૈત્યવાસી સાધુઓએ આ જોયું. એટલે ભેગા મળીને અગાઉ તેમનું નામ “સાવઘાચાર્ય પાડયું હતું, તેને ટેકો મળે. પરિણામે આચાર્યદેવને ઐયવાસી વગેવવા માંડ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
કેટલાકે આચાર્ય ભગવંત પાસે જઈને પૂછ્યું, “હમણાં સાધ્વીજીએ તમારા ચરણનો સ્પર્શ કર્યો, તે તમે ઉપયોગમાં હોવા છતાં કરવા દીધે તે બતાવે છે કે, તમે ઉપયોગમાં ન હતા, તો ચૈત્ય-ઉપગ નહિ કરાય, તેમાં ઉપયોગ સાચવવાની જે વાત તમે કરો છો, તે અમે માનતા નથી, માટે તમે કહો કે, સાધ્વીજીએ તમારા ચરણનો પર્શ કર્યો, તેમાં સારવાર છે? તેને તમે જવાબ આપ, નહિતર અમે તમારી વાતને બકવાસરૂપે સાબિત કરીશું.”
ચૈત્યવાસીઓની આ ધમકીથી આચાર્યદેવ ગભરાય ગયા અને અપયશ થવાની બી કે બોલી ઊઠયા કે, “ચોથા વ્રતમાંય અપવાદ છે.”
આ ઉત્સવ પ્રરૂપણું કરીને તેમણે અનંત સંસાર વધાર્યો.
કાળ કરીને આચાર્યદેવ વ્યંતર થયા. યંતરમાંથી મરીને માંસાહારીને ત્યાં જન્મ્યા. ત્યાંથી મરીને કેઈ કુમારિકાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં, કાપવાદથી ડરીને તે કુમારિકાએ ક્ષારાદિ વડે આચાર્યના જીવને જન્મ આપી જંગલમાં છોડી દીધું. તે બાળક જંગલમાં મોટે થયે, ત્યાં શિકારીઓએ આવીને સડેલા માંસના ટૂકડા મૂક્યા, તે ખાવા માટે ભીખ માગી, દારૂ માંસમાં લંપટ બની તે છેક (આચાર્યને જીવ) સાતમી નરકમાં ગયે.
ત્યાંથી મરીને હિંસક પશુ બન્યું. અને અનેકવાર સાતમી નરકે જઈ આવ્યો. ત્યાંથી વાસુદેવ બળે અને પુનઃ સાતમી નરકે ગયે. ત્યાંથી ચૌદ રાજલકમાં પ્રત્યેક આકાશ પ્રદેશમાં ભટકી, શ્રી પાર્શ્વનાથ ભગવાનના કાળમાં મહાવિદેહ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રમાં જન્મી, શ્રી તીર્થંકર પરમાત્માનો વેગ પામી, સર્વ કમ ખપાવી આચાર્યદેવનો જીવ મેક્ષે સિધાવ્યો. તે માટે મિથ્યા પ્રરૂપણ કરવાના મહા પાપથી સદા વેગળા રહેવામાં જ સ્વપરનું હિત સમાયેલું છે તેને બોધ આ દષ્ટાન્તમાંથી ગ્રહણ કરવાનો છે.
પછી જમણુ અને ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં બેલાય છે કે “કેધ, માન પરિહરૂં.'
આમ બેલવાનું કારણુ, ક્રોધ અને માન કષાનું જમણા ખભા સાથે સંકલન છે. માટે જમણે ખભે ઉંચો કરીને બેલતે માણસ મહદ્ અંશે કોંધી તથા અભિમાની જણાય છે.
પછી ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં બોલીએ છીએ, માયા, લેભ પરિહરૂં'. માયા અને લોભ પ્રાયઃ કુખમાં હોય છે. કારણ કે કુખમાં જે હોય તે દેખાય નહિ. માટે જ માયા-લેભને ડાબા ખભા ઉપર રાખ્યા છે. - ત્યારબાદ જમણુ પગની વચ્ચે અને બંને બાજુએ ચરવળાથી ત્રણવાર પ્રમાજના કરી બોલીએ છીએ, પૃથ્વી. કાય, અપકાય, તેઉકાયની જયણું કરું.”
તે જ પ્રમાણે ડાબે પગે બને બાજુએ પ્રમાર્જના કરીને. * વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરૂં. બેલાય છે.
પગને ચરણું કહેવાય છે. ચરણ એટલે ચારિત્ર અને ચારિત્રનો પાયે જીવદયા છે. માટે છેલ્લા છ બેલ પગને આશ્રયીને કહ્યા છે. - સાધુજીઓ “પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિકાય અને ત્રસકાયની રક્ષા કરૂં.” એમ બોલે છે કારણ કે શ્રાવકને તો રક્ષાના ભાવ રાખવાના છે. જ્યારે સાધુજી તે રક્ષા કરે છે.
એટલે જિનાજ્ઞાબદ્ધ પ્રત્યેક જૈન સાધુજી છકાય જીવના રક્ષણહાર તરીકે જગતમાં પંકાય છે.
જીવની જયણ સાથે જિનાજ્ઞાને અવિભાજ્ય સંબંધ છે. એટલે તેને આરાધક જીવદયા પાળવામાં મેખરે હોય છે.
આ ૫૦ બેલનો યથાર્થ તેલ કરીને પ્રતિકમણ કરતા રહીશું તે, આપણે પાપને પરાસ્ત કરીને નિષ્પાપ જીવનનું ક૯પનાતીત સુખ માણું શકીશુ.
પછી સામાયિક મુહપત્તિ પડિલેહવાનો આદેશ માગીને “સામાયિક સંદિરાહુ અર્થાત્ સામાયિકની આજ્ઞા આપે એવી ભાવભિની વિનંતી કરવી પડે છે.
ઉપકારી ગુરુદેવ યા તેઓની અનુપસ્થિતિમાં વડીલની અનુમતિ યાચવાનું કારણ આપણે અહં નબળે પડે એ છે.
અશુભ કાર્યમાં આપ્ત પુરુષની અનુમતિ હોતી નથી. તેથી સાધુ ભગવંતો સંસારના કોઈ કાર્યમાં કોઈપણ આત્માને પ્રેરણુ યા માર્ગદર્શન ન કરી શકે એમ નક્કી થાય છે. આ
સ્વ–પર મંગળ વાંછુ પ્રત્યેક આરાધક શાસ્ત્રોક્ત શુભ કાર્યને પ્રારંભ ઉપકારી સાધુ ભગવંતાદિની આશિષ, અનુમતિ યા આજ્ઞા અંગીકાર કરીને જ કરે છે. તેના પ્રતાપે માગમાં આવતા અંતરાને આંબવાનું અખૂટ બળ મળે છે. સાથોસાથ વિનય ગુણનું પાલન કરવાને લાભ મળે છે.
“સામાયિક સંદિસાહુ?” નો આદેશ એટલા માટે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
લેવાનો છે કે અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લકત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ. એ સુગુરૂના શુભાશિષ સભર આદેશ સિવાય શક્ય નથી.
“સામાયિક થાઉં” ના આદેશ પછી સકળ જેન શાસ્ત્રોના મુખ્ય બીજરૂપ “ કરેમિ ભંતે” સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે. કરેમિ ભંતે સૂત્ર –
માતૃકાક્ષરો એ વર્ણમાતા છે. શ્રી નવકાર એ પુણ્ય માતા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રવચનમાતા છે. કરેમિભંતે એ ધમમાતા છે. ત્રિપદી એ ધ્યાન માતા છે.
જન્મ દેનારી માતાના ઉપકારો કરતાં અનંતગુણ ઉપકારો આ પાંચ માતાઓના છે.
જન્મદાત્રી–જનેતા–પિતાના બાળકને વહાલથી સ્તનપાન કરાવીને ઉછેરે છે. રાતે માતે બનાવે છે. તેમ કરેમિ ભંતેરૂપી ધર્મમાતા એને મેળે રમતા બાળજીવને રાતે માતે કરવાનો સ્વભાવ ધરાવે છે. શરત એટલી જ કે આપણે સંસારશેરીની માટીમાં રમવા-રખડવાનું છોડીને એના ખોળે જવું પડે.
૮૬ અક્ષરના આ સૂત્રનો પ્રભાવ અપરંપાર છે. જોઈએ તેનું સ્વરૂપ. કમિ ” = હું કરું છું. અંતે = હે ભગવંત. સામાઈયં = સામાયિક.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
re
આ
કેવી રીતે સામાયિક કરૂ' છું. તો કે સવ સાવધયેાગના
પચ્ચક્ખાણ પૂર્વક.
સાવધયાગનો ત્યાગ એટલે પાપવ્યાપારને ત્યાગ. પાપવ્યાપારના ત્રિવિધ ત્યાગ સિવાય સાચી સમતા પરિણત થતી નથી. સાચી સમતાને સાચું આત્મધન કહેલ છે. સમતા જાય એટલે આત્મા લૂટાય. સમતા ઘવાય એટલે
આત્મા થવાય.
સર્વ પ્રકારના પાપ વ્યાપાર સાથે રાગદ્વેષ અભિન્નપણે રહેલા હોય છે. માટે રાગદ્વેષને સંસાર' કહ્યો છે. અને રાગદ્વેષ વાસિત ચિત્તને અમંગળનુ કેન્દ્ર કહ્યું છે.
પડ પ્રત્યેના ગાઢ રાગ, જીવને નિગે દવાસથી લાગુ પડેલા છે. આ કારમે રાગ જીવને જીવેાના દ્વેષમાં Àાપચ્ચે। રાખીને અનંત સંસારમાં અનંતકાળ સુધી રખડાવે છે. માટે આ રાગદ્વેષના અંગભૂત સ પ્રકારના પાપવ્યાપારમાં ત્રિવિધ ત્યાગના પચ્ચક્ખાણપૂર્વક સામાયિક વારંવાર કરવું જોઈ એ.
સ'સારી જીવા-મન-વચન-કાયાથી પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, એમ જાવનિયમ'' પચ્ચક્ખાણ કરે છે. વળી પાપની અનુમોદના પણ કોઈ કાળે કરવા લાયક નથી. પાપની અનુમેદનાને ‘ વિષના વધાર'ની ઉપમા છે.
વિષ તો મારક છેજ, પણ તેના કરતાં અધિક જલદ મારણ શક્તિ તેને વઘારવાથી પેદા થાય છે. તેમ પાપ તો સમતાઘાતક છે જ, પણ તેની અનુમેાદના તો અન તગુણી અધિક સમતાનાશક છે.
Jain Educationa International
<
For Personal and Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
અનુ = પાછળ, મેદ = પ્રદ.
અર્થાત્ સ્વપરના પાપ પ્રત્યે પ્રમોદભાવ (આનંદ) વ્યક્ત કરે તે પાપની અનુમંદનાનો અર્થ છે. | મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતાં વિચારતાં પણ એ હકીકત સ્પષ્ટ થાય છે કે, જે માનવી પાપ ન કરવાની તેમજ ન કરાવવાની પ્રતિજ્ઞા લેવા કટિબદ્ધ થાય, તે માનવી પાપની અનુમોદના કરવાના મહાપાપથી તો ફારેગ થયેલો જ હોય !
આ સૂત્રની આખરમાં આવતા “તસ્સ ભતે પતિક્રમામિ, નિંદામિ, ગરિહામ, અપાછું વસિરામિ.” પાઠનો મર્મ, ધર્મ રસિકતા પેદા કરીને પુષ્ટ કરવાને વાહક છે.
તસ્સ ભતે પડિમામિ પદ “હે ભગવંત” ભૂતકાળમાં જે પાપ મેં કર્યા છે, તે સઘળાં પાપથી હું પ્રતિક્રમ્ છું. એ સ્પષ્ટ એકરાર સામાયિક લેનારને કરવાની ફરજ પાડે છે જીવને કરજ મુક્ત કરવાના ઉદાત્ત આશયપૂર્વકનું આ ફરમાન છે. - કરજમુક્તિ એટલે આત્માને કર્ણોરૂપી-રજથી મુક્ત કરે તે. - આવા નિર્દભ એકરાર પછી બેલાય છે “નિંદામિ.
નિંદામિ એટલે હું નિંદા કરું છું. નિંદા શાની? તો કે પિતે કરેલા પાપોની.
નિંદા, આત્મસા થાય છે. ગહ અન્યની સાક્ષીએ થાય છે. એટલે પોતે કરેલા પાપની કેવળ નિંદા આત્માને નિર્મળ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૧
બનાવવા માટે અપાઁપ્ત છે. તેની સાથે ગીં ભળે છે એટલે પાપકરણવૃત્તિના ઉચ્છેદની આંતરિક પ્રક્રિયા શરૂ થાય છે.
વળી આત્મસાખે કરાતી પાપની નિંઢામાં ૬'ભ સેવાવાની શક્યતા છે. જ્યારે અન્ય સામે પાપની થતી ગાઁ દંભને ટકવા દેતી નથી.
એટલે શ્રી જિનશાસનના બંધારણમાં કોઈ સમ આચાય ધ્રુવને જિનાજ્ઞા નિરપેક્ષપણે લેાકનજરે સારૂ ગણાતું કાય પણ કરવાની છૂટ નથી.
"
પછી ખેલાતા અપાણ વાસિરામિ ' શબ્દોનો અર્થ છે આત્માને વાસિરાવું છું.
આ સૂત્રમાં આવતા ‘જાવનિયમ' પજુવાસામિ' પદનો જે ગૂઢા છે તે સમજી લઈ એ.
શ્રાવક-શ્રાવિકાઓનું એક સામાયિક એ ઘડી અર્થાત્ ૪૮ મિનિટનુ હાય છે.
૪૮ મિનિટના આ સામાયિક દરમ્યાન મન-વચન કે તન આત્માની બહાર ન જાય તે, આ નિયમનું યથા પાલન થયું ગણાય.
આત્માની બહાર મન-તનાદિને ન જવા દેવાં એટલે આત્માના શુદ્ધ સ્વભાવથી વિશુદ્ધ ન વવાં દેવા.
પડતા આ પાંચમાં આરાના કાળમાં જીવનું દળ અને સોંઘયણુ-ખળ અને કમજોર હોઇને, આ આરામાં કોઈ સમથ ધમ સાધક મહાપુરુષોનું ધ્યાન પણ એક અંતમુહૂત કરતાં એક સેકંડ પશુ અધિક ધારાબદ્ધ રહી શકતુ નથી. એ સત્યના જ્ઞાતા ભગવંતોએ આ કાળના સંસારી જીવેના એક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
સામાયિકની સમય મર્યાદા ૪૮ મિનિટની રાખી છે.
સર્વવિરતિધર ભગવંતોને જીવનભરનું સામાયિક હોય છે, એટલે તેઓ સાંસારિક પ્રવૃત્તિઓમાં સીધે કે આડકતરે ભાગ લેતા નથી.
સામાયિકના શાક્ત મુખ્ય પ્રકાર ચાર છે.
(૧) સમ્યકત્વ સામાયિક. (૨) શ્રુત-સામાયિક. (૩) દેશવિરતિ સામાયિક. (૪) સર્વવિરતિ સામાયિક.
સામાયિક લઈને વ્યાખ્યાનાદિ ધર્મ-શ્રવણમાં જીવ રાખવાથી શ્રુત સામાયિક પળાય છે.
સામાયિકના અમાપ સામર્થ્યને વર્ણવતાં પૂ. શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે
નાગી કાઢ લે, તાડ લે દુશ્મન,
લાગે કાચી દેય ઘડી રે..” ભાવાર્થ-હે આત્મન ! નાગી (સમ્યજ્ઞાનરૂપી તલવાર) બેમ્યાન કરીને વિભાવ દશારૂપી તારા દુશ્મનને જડબેસલાક માર, મારે, તે માત્ર બે ઘડીનું તારૂં સામાયિક પણ અમેઘ સમતાપ્રદ નીવડશે. - સ્વદશામાં એક ક્ષણની પણ સ્થિરતા વિપુલ કર્મરાશિને ભસ્મ કરે છે. તે માટે પૂર્વે કરેલાં પાપને નિભ પશ્ચાત્તાપ..અનિવાર્ય છે.
પરનિંદા કર્યાના પાપની ગહ અને ભવિષ્યમાં તે પાપના કાંટાળા માગે ન જવાની પ્રતિજ્ઞા, આટલું જે આપણે રોજીંદા જીવનમાં પાળતા થઈએ તે આત્મશુદ્ધિ જરૂર વેગવંતી બને.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
કરેમિ ભંતે સૂવનું મહત્વ નવકાર સામે નહિ મંત્ર, શત્રુંજય સામે નહિ ગિરિ, રાષભ સમો નહિ દેવ, કરેમિ ભંતે સમે ભાવન ભૂતે, ન ભવિષ્યતિ.”
અપેક્ષા વિશેષે આ દુહામાં નામાદિ ચાર નિક્ષેપ ઘટાવી શકાય છે.
શ્રી નવકારમંત્ર એટલે નામનિક્ષેપ (શ્રી અરિહંતાદિ નામની અપેક્ષાએ).
શ્રી શત્રુંજય મહાતીર્થ એટલે સ્થાપના-નિક્ષેપ (ગિરિરાજ પર પ્રતિષ્ઠિત જિનબિંબની અપેક્ષાએ)
શ્રી કષભદેવ સ્વામી છઠ્ઠસ્થ પર્યાયની અપેક્ષાએ તેઓશ્રીને દ્રવ્યનિક્ષેપ ઘટે છે.
કરેમિ ભંતે સૂત્રમાં પરમ સામાયિોગને પામવાનો ઉત્કૃષ્ટભાવ હોવાથી તેને ભાવનિક્ષેપ કરી કે ઘટાવી શકાય છે.
જયવંતા શ્રી જિનશાસનના શાસકો, પ્રભાવકે, આગમો અને તેના અંગભૂત કઈ પણ વાત, ફકરો, વાકય, શબ્દ, અક્ષર વગેરે કરેમિ ભંતે” સૂત્રનો વિસ્તાર છે.
સ્વયં શ્રી તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા અંગીકાર કરતી વખતે આ સૂત્ર-“ભત” શબ્દ છેડીને ઉચ્ચરે છે. તેના પ્રતાપે ચોથું મન:પર્યવજ્ઞાન તેઓશ્રી ઉપાર્જિત કરે છે. - નિરભ્ર ગગનમાં ઝળહળતા સૂર્યની જેમ આ સૂત્રના કેન્દ્રમાં હદયમાં સર્વ સાવદ્ય ગેથી પૂર્ણતઃ પ્રતિક્રમવાને અણુમેલ ભાવ-પ્રભાકર ઝળહળી રહ્યો છે.
–તો આ સૂત્રના અંગાંગમાં ભારોભાર ભાવ-આરોગ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
રહેલું છે. ભવ-રાગનાશક રસાયણ વડે આ સૂત્રના શબ્દો રસાયેલા છે.
કરેમિ ભંતે'નો વિસ્તાર, તે છે આવશ્યક છે.
દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચરણુકરણનુયોગ અને ધર્મકથાનુગ એ ચારેય વેગ આ સૂત્રની અંદર ભારોભાર રહેલા છે.
જીવમાં પ્રચ્છન્નપણે રહેલા શિવત્વને પ્રગટ કરવાની ક્ષમતાવાળા આ સૂત્રનો પ્રભાવ શબ્દાતીત છે.
પંચ મહાવ્રતના ઉચ્ચારણમાં “કરેમિ ભંતે' સૂત્ર મુખ્ય છે. દીક્ષા લેતી વખતે સાધુઓને પંચ મહાવ્રત ન ઉશ્ચરાવતાં. કરેમિ ભંતે સામાઈયં સવૅ સાવજ જેગ પચ્ચકખામિ.” એ સૂત્ર ઉચ્ચરાવીને દીક્ષા અપાય છે. અને વડી દીક્ષામાં પંચ મહાવ્રત ઉશ્ચરાવવામાં આવે છે.
- આત્માને સર્વ સાવદ્ય યોગથી સર્વથા મુક્ત કરવાને દઢ સંક૯પ પુનઃ પુનઃ દેહરાવવાના સતત અભ્યાસપૂર્વક જે આપણે સામાયિક આરાધતા રહીશું તો, આ સૂત્રના ઉત્કૃષ્ટ ભાવ સાથે અભેદતા કેળવીને પરમપદને પામવામાં ભાગ્યશાળી નીવડીશું.
સામાયિક દંડક દંડક એટલે મહાસૂત્ર.
સામાયિક દંડક ઉચ્ચર્યા પછી “બેસણે સંદિસાહું” બેસણે ઠાઉં” “સક્ઝાય સંદિસાહું” “સઝાય કરૂં” એ આદેશ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
નાની–મેટી કઈ પણ આરાધનાની ક્રિયા-આરાધ્ય પરમાત્માની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદરભાવ વ્યક્ત કરવા માટે ઉભા-ઉભા કરવી જોઈએ. બેઠા-બેઠા કરવાથી તેને અનાદર થાય છે. કઈ પૂજ્ય મહાત્મા આંગણે પધારે છે, તે આપણે તરત ઊભા થઈ જઈ તેમને સત્કાર કરીએ છીએ, પણ બેઠા-બેઠા “પધારે” એમ નથી બેલતા.
માટે સામાયિક ઉભા-ઉભા લેવું જોઈએ. અને ઉભા રહેવા માટે તેમજ સામાયિકમાં બેસવું પડે ત્યારે, જીવોની રક્ષા માટે ચરવળે ખાસ જોઈએ.
કદાચ કટાસણું ન હોય તે ચાલે પણ ચરવળા વગર ન ચાલે, પરંતુ આજે સામાયિકમાં ચરવળે ગૌણ બને છે.
ઉપાશ્રયમાં આવીને સામાયિક કરતા ભાઈ–બહેને પૈકી કેઈક પાસે જ ચરવળ હોય છે. જ્યારે કટાસણું દરેક પાસે હેય છે. પણ સામાયિકમાં જેટલું મહત્વ કટાસણુનું છે તેના કરતાં ઘણું વધારે મહત્તવ ચરવળાનું છે.
જીવદયાનું પ્રણિધાન ટકાવવામાં ચરવળે એક અગત્યનું સાધન છે. માટે સામાયિક પ્રતિક્રમણદિ કરનારા પ્રત્યેક આરાધકે પાસે ચરવળ રાખવું જોઈએ.
“બેસણે સંદિસાહું” અને “બેસણે ઠાઉં” ના આદેશ પછી “સઝાય સંદિસાહું' “સઝાય કરૂં'નો આદેશ મંગાય છે. - સાવદ્યોગના પચ્ચક્ખાણનું યથાર્થ પાલન કરવા માટે સ્વાધ્યાય અનિવાર્ય છે.
સ્વાધ્યાય સિવાય સ્વભાવરમણતાની મંગલ કેડી પર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
જીવનું પ્રસ્થાન શક્ય નથી.
સ્વાધ્યાય એટલે સ્વ-અધ્યાય. સ્વ-અધ્યાય એટલે સ્વાભસ્વરૂપનું અધ્યયન કરવું તે.
પર પદાર્થોના અભ્યાસમાં ગમે તે નિપુણે માનવી, જ્યાં સુધી સ્વાત્મસ્વરૂપના અભ્યાસમાં નૈપુણ્યતા નથી કેળવતે, ત્યાં સુધી તે તત્વતઃ અણઘડ ગણાય છે. કેળવાયેલ નથી ગણાતે.
એટલે સ્વાધ્યાય કરવો તે એક પ્રકારનો તપ છે, એમ શાસ્ત્રો ફરમાવે છે.
સતત ઘર બહાર રહેતો માનવી રખડેલ કહેવાય છે. તેમ બહિર્ભાવમાં સતત રાચતે જીવ પણ ભટકેલ કહેવાય છે.
પોતાના ઘરમાં સ્થિર થવાથી માનવીના ગેની અસ્થિરતા અંકુશમાં આવે છે. તેમ સ્વાધ્યાય દ્વારા મનને આત્મામાં રમતું કરવાથી–તપ્રોત કરવાથી સામાયિક ભાવની સ્પર્શના થાય છે. શુદ્ધ સ્વાત્મભાવની આંશિક અનુભૂતિ થાય છે.
એટલે સામાયિક પૂવે, સામાયિકમાં, કે સામાયિક પછી પણ સ્વાધ્યાય ખૂબ જ જરૂરી છે.
સઘળાં આગમમાં આત્માના પૂર્ણ વિશુદ્ધ સ્વરૂપનું જયગાન છે. સ્વાધ્યાય પણ તેમાં જ સૂર પૂરાવે છે.
પરભાવ રમણતાએ આ આત્માને રંજાડવામાં કોઈ કચાશ રાખી નથી. એ મતલબના શાસ્ત્રવચનને માથે ચઢાવીને સામાયિકને સાવંત દીપાવવા માટે સ્વાધ્યાય રમણતા કેળવીને જ આપણે ભવ રણમાં ભટકવાના મિથ્યા વ્યોમેહથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
૨૮
માધ્યમ છે. તેના વડે દેવાધિદેવના નામ-નિક્ષેપ સાથે અભેદતા કેળવવાને સુસંસ્કાર સુદઢ થાય છે. ને તે પછી બેલાતા “જકિંચિ” સૂત્ર દ્વારા આપણે સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં રહેલ સર્વ જિન પ્રતિમાને એને વંદન કરીએ છીએ. તેના પ્રતાપે સ્થાપના નિક્ષેપના તારક સ્વભાવમાં નિષ્ઠા સુદઢ થાય છે.
દેવાધિદેવને આત્મા ચરમભાવ પૂર્વેના ભવથી આવીને માતાની કુક્ષિમાં અવતરે છે ત્યારે કેન્દ્રનું સિંહાસન ડોલવા માંડે છે. એટલે શકેન્દ્ર તત્કાલ અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને તેનું કારણ જાણું લે છે. તે કારણે જ્યારે બીજું નથી હોતું, પણ દેવાધિદેવ માતાની કુક્ષિમાં અવતર્યાનું હોય છે એટલે તત્કાલ અપૂર્વ ઉમંગે, સિંહાસન ઉપરથી નીચે ઉતારી, પ્રભુજીના જન્મક્ષેત્રની દિશામાં સાત ડગલાં ભરી, રત્નજડિત એસથી ભૂમિ પ્રમાઈ ચૈત્યવંદન મુદ્રા ધારણ કરી, ભક્તિભાવભીના હૈયે “નમુત્થણુંબેલે છે. તેથી “નમુત્થણું ”ને
શકસ્તવ” પણ કહે છે. . આ સૂત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના ત્રિભુવન ક્ષેમકર સ્વભાવનું લેકોત્તર સ્વરૂપ એટલી અદ્દભૂત રીતે પ્રતિષ્ઠિત થયેલું છે કે તેની વિધિ–બહુમાનપૂર્વક નિત્ય બે ઘડી સ્વાધ્યાય કરનાર પુણ્યાત્મા શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી શકાય એટલા અમાપ શુભ પુણ્યનો ભાગી બની શકે છે.
આ સૂત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના દ્રવ્ય અને ભાવ ઉભય નિક્ષેપ સમાયેલા છે.
મારા અનન્ય ઉપકારી ગુરુદેવે મને એકવાર કહેલું કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૮
માધ્યમ છે. તેના વડે દેવાધિદેવના નામ-નિક્ષેપ સાથે અભેદતા કેળવવાને સુસંસ્કાર સુદઢ થાય છે. ને તે પછી બેલાતા “જકિંચિ” સૂત્ર દ્વારા આપણે સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં રહેલ સર્વ જિન પ્રતિમાને એને વંદન કરીએ છીએ. તેના પ્રતાપે સ્થાપના નિક્ષેપના તારક સ્વભાવમાં નિષ્ઠા સુદઢ થાય છે.
દેવાધિદેવને આત્મા ચરમભાવ પૂર્વેના ભવથી આવીને માતાની કુક્ષિમાં અવતરે છે ત્યારે કેન્દ્રનું સિંહાસન ડોલવા માંડે છે. એટલે શકેન્દ્ર તત્કાલ અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને તેનું કારણ જાણું લે છે. તે કારણે જ્યારે બીજું નથી હોતું, પણ દેવાધિદેવ માતાની કુક્ષિમાં અવતર્યાનું હોય છે એટલે તત્કાલ અપૂર્વ ઉમંગે, સિંહાસન ઉપરથી નીચે ઉતારી, પ્રભુજીના જન્મક્ષેત્રની દિશામાં સાત ડગલાં ભરી, રત્નજડિત એસથી ભૂમિ પ્રમાઈ ચૈત્યવંદન મુદ્રા ધારણ કરી, ભક્તિભાવભીના હૈયે “નમુત્થણુંબેલે છે. તેથી “નમુત્થણું ”ને
શકસ્તવ” પણ કહે છે. . આ સૂત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના ત્રિભુવન ક્ષેમકર સ્વભાવનું લેકોત્તર સ્વરૂપ એટલી અદ્દભૂત રીતે પ્રતિષ્ઠિત થયેલું છે કે તેની વિધિ–બહુમાનપૂર્વક નિત્ય બે ઘડી સ્વાધ્યાય કરનાર પુણ્યાત્મા શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના કરી શકાય એટલા અમાપ શુભ પુણ્યનો ભાગી બની શકે છે.
આ સૂત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના દ્રવ્ય અને ભાવ ઉભય નિક્ષેપ સમાયેલા છે.
મારા અનન્ય ઉપકારી ગુરુદેવે મને એકવાર કહેલું કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
જે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ * લલિત વિસ્તરા” દ્વારા શ્રી તીર્થંકર પરમાત્માના યથાર્થ
સ્વરૂપનો પરિચય ન કરાવ્યું હોત તો હું પણ તેઓશ્રીની પરમ આત્મીયતાના ગુણ ગાવા છતાં તેના વિશ્વોપકારી સ્વભાવથી અપરિચિત રહી જાત. આ મુદ્દાનું પ્રતિપાદન તેઓશ્રીએ પિતાના લખાણમાં પણ કર્યું છે.
નામ અને નામી વચ્ચે કથંચિત અભેદ રહેલો છે. એટલે નામ નિક્ષેપે આરાધકને નામી સાથેના અભેદાત્મક સંબંધના બીજનું કામ કરે છે. તેમજ આરાધકના હૈયામાં રહેલ અંગત નામનાની કામનાને કમજોર બનાવે છે.
સ્થાપના નિક્ષેપે આરાધકના હૈયામાં સ્થાને વાસ કરાવે છે.
દ્રવ્ય નિક્ષેપ સ્વાત્મદ્રવ્યને દળદાર બનાવીને મુક્તિની ભૂખ જગાડે છે.
ભાવ નિક્ષેપ તન્મય બનાવે છે. આમ શ્રી તીર્થકર પરમાત્માના ચારે નિક્ષેપ ત્રણ કાળના સર્વ ક્ષેત્રોના જીવોને ઉપકારક નીવડતા હોવાનું શાસ્ત્રવચન યથાર્થ પૂરવાર થાય છે.
પછી દેવવંદન કરાય છે. દેવવંદનમાં બાર અધિકાર આવે છે.
નમુથુણંથી “જિયભયાણું” સુધી પહેલે અધિકાર છે. તેનાથી સમવસરણમાં બિરાજમાન ભાવ-અરિહંતને વંદના થાય છે.
નમુત્થણુની છેલ્લી ગાથાથી, દ્રવ્ય જિનને વંદના કરાય છે, ભવિષ્યમાં થનારા શ્રી તીર્થકર ભગવંતે કે જેમના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૦
છે અત્યારે દેવલેકમાં છે તેમજ મોક્ષે સિધાવેલા તીર્થકર ભગવંતે પણ દ્રવ્ય-જિન કહેવાય છે. એ બીજો અધિકાર છે.
અરિહંત થઈધાણથી ત્રીજો અધિકાર ગણાય છે. તેનાથી સ્થાપના જિનને વંદના કરવામાં આવે છે.
લેગસ્સ” એ ચેાથો અધિકાર છે. તેનાથી નામજિનને વંદના કરવામાં આવે છે.
સલ્વલેએ અરિહંત ચેથાણું”થી ત્રણે ભુવનના સ્થાપના-જિનને વંદના કરાય છે, એ પાંચમો અધિકાર છે.
પુખરવર દીવડે થી અઢીદ્વીપમાં આવેલા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં રહેલા સર્વ શ્રી તીર્થકર ભગવંતોને વંદન થાય છે, એ છઠ્ઠો અધિકાર છે.
તમ-તિમિર-પડલ-વિદ્ધ' ઈત્યાદિ ત્રણ ગાથાથી શ્રુતજ્ઞાનને વંદન કરાય છે, એ સાતમો અધિકાર છે.
સિદ્ધાણં બુદ્ધાણં' થી સર્વ સિદ્ધ પરમાત્માને વંદન થાય છે. એ આઠમે અધિકાર છે.
જે દેવાણુવિદે” એ સૂત્રની બે ગાથાથી શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની સ્તુતિ થાય છે, એ નવ અધિકાર છે.
દસમે અધિકારે ઉજિજત–સેલ-સિહરે” બે ગાથાથી રૈવતાચલમંડન શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરાય છે.
“ચત્તારિ–અદ્ર-દસ-દેય” ગાથાથી શ્રી અષ્ટાપદગિરિ ઉપર પ્રતિષ્ઠિત ચોવીસે જિન (પ્રતિમાજીઓ)ને વંદન થાય છે. એ અગ્યારમે અધિકાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૧
બારમે અધિકારે “વૈયાવચ્ચ ગરાણું” સૂત્રથી સમ્યગૂદષ્ટિ દેવનું સ્મરણ કરાય છે.
આમ આ બાર અધિકારમાં મુક્તિના મહામંગળકારી સેતુરૂપ ભક્તિના ઉત્કૃષ્ટ સ્વરૂપનું પ્રતિપાદન છે.
જીવને જિનભક્તિની અપૂર્વ લગની લગાડવામાં આ અધિકારોમાં અદભૂત મંડન છે.
આ બાર અધિકારમાં વારંવાર કાઉસ્સગ્ન કરાવાય છે. ચાર વાર શ્રી નવકારનો કાઉસ્સગ્ગ આવે છે.
દેહમાં જે સ્થાન હૃદયનું છે, શ્રી જિનશાસનમાં તેજ સ્થાન કાઉસ્સગનું છે.
કાઉસગ્ગને આટલો બધો ઊંચો દરજજો આપીને જ્ઞાની ભગવંતોએ આરાધક માત્રને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાઉસ્સગ્ગ સિવાય તમે કાયાની માયા–મમતાને સર્વથા સિરાવિ ત્યાગી) નહિ શકે.
કાયાની માયાને વોસિરાવવાથી જ આત્માની માયામમતામાં મન ઓતપ્રેત થવા માંડે છે.
આત્માના અસંખ્ય પ્રદેશોમાં દેહરાગ કેટલો પ્રબળ છે તેનું તારણ કાઢવું હોય તે માથું દુખવા આવે છે તે, આપણે સ્વ-સ્થ રહી શકીએ છીએ કે અ-સ્વ-સ્થ બનીએ છીએ તેની તટસ્થપણે તપાસ કરવી.
આ દુનિયાના મોટા ભાગના માણસો દેહને આત્મા સમજીને જીવે છે. તેમાં ખાસ અપવાદરૂપ જે કોઈ હોય તો તે આત્મજીવી મહાપુરુષે જ છે.
કાઉસ્સગ એ અત્યંતર તપનો એક પ્રકાર છે. તેના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૨ પ્રભાવથી પાપવૃત્તિ નિષ્ક્રિય અથવા મડદાળ બનવા માંડે છે, ધર્મવૃત્તિ સક્રિય બને છે. અર્થાત્ શાસ્ત્રોક્ત ધાર્મિક પ્રવૃત્તિમાં આરાધક શૂરો બને છે.
સડવા, પડવાના સ્વભાવવાળા દેહ સાથે ગાઢપણે જોડાયેલા મનને કદી નહિ સડનારા, કદી નહિ મરનારા શાશ્વત આત્મામાં ઓગાળી દેવાથી જ અભય, અખેદ અને અષનો અલૌકિક અનુભવ થાય છે.
સમાધિ, સમભાવ, શાતા, સ્વસ્થતા ત્યારે જ આપણા અંગભૂત બને છે, જ્યારે કારમે દેહાધ્યાસ સર્વથા બહિષ્કૃત થાય છે. - દેહાધ્યાસને બહિષ્કાર કરવાનો સચોટ, સિદ્ધ ઉપાય કાઉસ્સગ છે.
કાઉસગમાં રહેલા મુનિરાજના તપકૃશ દેહને વૃક્ષનું થડ સમજીને તેની સાથે પિતાના શરીરની ખંજવાળ દૂર કરવા, શરીર ઘસતા પશુને દાખલે ટાંકીને શાસ્ત્રકાર ભગવંતોએ આપણને સાચા કાઉસગ્નનું યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવી દીધું છે.
એમ કે પશુની આવી વિડંબના વચ્ચે પણ કાઉસગ ધ્યાને રહેલા મુનિરાજ અડોલ અર્થાત નિચેષ્ટ રહ્યા હતા.
નિધ્યેષ્ટ એટલે દેહભાવે મૃત રહ્યા. આત્મ-સ્વભાવે જીવંત રહ્યા.
ધર્મકથાનુગમાં આવા અનેક દાખલા આવે છે. જે આપણે તેના સમગ્ર સ્વરૂપ ઉપર ગંભીરતાથી વિચાર મનનચિંતન કરીએ તે, આપણું ચિત્તમાં પણ ચેતનરાજને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૩ વરવાની તાલાવેલી અવશ્ય જાગે, સાથે સાથે દેહભાવને પરિહરવાની ચાનક પ્રાણવંતી બને.
સમાધિ, સહનશીલતા અને સમાનભાવ (તુલાભાવ) આ ત્રણેને એક દોરે ગૂંથવાની કળામાં કાઉસગ્ગ દ્વારા પારંગત થવાય છે. તે પછી ભવપાર થવાનું અતિશય કઠિન કાર્ય, સરળ બને છે.
દેવવંદનના ચારે કાઉસગ્નમાં એક એક નવકારના કાઉસ્સગ્ન પછી પ્રગટપણે સ્તુતિ બેલાય છે. પહેલી
સ્તુતિમાં-એક જિનરાજની, બીજીમાં–ચેવસજિનરાજની, ત્રીજમાં–આગમની અને ચેથીમાં-સમ્યગૃષ્ટિ દેવની સ્તુતિ કરાય છે.
ચાર સ્તુતિ પછી નમુથુણંથી પુનઃ દ્રવ્ય-ભાવજિનને વંદન કરી, ચાર ખમાસમણાં પૂર્વક ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજીને વંદન કરવામાં આવે છે.
પછી “ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદુ” એમ શ્રાવકે બેલે છે.
શ્રાવકને “શ્ર” શ્રદ્ધાવાચી છે. “વ” વિવેકવાચી છે. “ક” કર્મવાચી છે.
એટલે કે શ્રી જિન વચનમાં શ્રદ્ધાપૂર્વક સારાસારને વિવેક જાળવીને સત્કર્મ કરે તેને “શ્રાવક કહે છે.
પછી દેવસિય પ્રતિકમણ ઠાવવાને આદેશ માગી, જમણે હાથ તથા મસ્તક ચરવળા ઉપર સ્થાપવાને હેતુ–ગુરુના ચરણને સ્પર્શવારૂપ–સમજી “ સવસવિ દેવસિય ને પાઠ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૪ કહેવાને છે. તેથી સામાન્યપણે દિવસના પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે.
પ્રતિક્રમણ ઠાવ્યા પછી બેલાતું કરેમિ ભંતે સૂત્રથી સામાયિક આવશ્યકની શરૂઆત ગણાય છે. અને ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, તસ્મઉત્તરી અન્નત્ય તેમજ “નાણુમિ દસસુંમિ”ની આઠ ગાથાનું ચિંતવન-એ બધું પ્રથમ આવશ્યકમાં ગણ્યું છે.
સામાયિક આવશ્યક ભાવોને આત્મામાંથી નાબૂદ કરવા માટે છે.
આત્મામાં રહેલા ભાવોગોના કારણે ભવરાગ મીઠે લાગે છે. ભવનિર્વેદ પ્રગટ થતો નથી.
ભૂ = ભવતિ એટલે થવું. (To be)
કંઈ પણ થવા-બનવાની માત્ર ચેષ્ટા પણ સ્વયંભૂ આત્માની લાઘવતામાં પરિણમે છે.
એટલે પ્રાર્થના સૂત્ર-જય વિયરાયમાં દેવાધિદેવ સમક્ષ ભવનિવેદ” ની યાચના કરવામાં આવી છે.
ભવરાગ, જીવને રાન–રાન રખડાવનારે જલદ રેગ છે, તેને નાબૂદ કરવાનું સિદ્ધ ઔષધ સામાયિક છે.
આ આવશ્યકમાં સત્તર સંડાસા પ્રમાજના કરવામાં આવે છે.
સંડાસા-માજન એટલે સાણસી માફક વળતા શરીરના અવયની પ્રમાજના–એ અર્થ થાય છે.
સંડાસા પ્રમાર્જનાનો હેતુ આત્મોપયોગવંત બનવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૫ માટે જરૂરી દેહસંયમ આદિનું શિસ્તબદ્ધ પાલન કરવું તે છે.
સત્તર સંડાસા પંચાંગ પ્રણિપાત વખતે પાંચ અંગોને ભૂમિ ઉપર સ્પર્શ કરાવવો. જે જે અંગે સાણસીની માફક વળે છે, તે–તે ઠેકાણે જીવોની વિરાધના અટકાવવા ૧૭ ઠેકાણે પ્રમાર્જના કરવી. જોઈએ. તેથી તેનું નામ ૧૭ સંડાસાપ્રમાજના છે. (સંદશક = સાણસી)
(૩) પાછળ ત્રણ વખત જમણે પગે, વચ્ચે, અને ડાબે પગે (૩) અવગ્રહમાં પ્રવેશ કરવાની ભૂમિ ઉપર (૩) જમણું કપાળેથી ડાબા હાથ ઉપર થઈ તેની કણી સુધી (૧) ડાબા કપાળેથી જમણે હાથ ઉપરથી તેની કોણી સુધી (૧) ચરવળા ઉપર મસ્તક નમાવવાને સ્થાને (૩) અને (૩) ઊભા થઈ પહેલે પગ મૂકવાને સ્થાને.
પહેલાં નવ ચરવળાથી, પછીના પાંચ મુહપત્તિથી અને છેલ્લા ત્રણ ચરવળાથી કરવાના છે.
આમ આ પ્રમાજના પ્રક્રિયા સ્વ–પર ઉભયના દયાના અંગભૂત છે.
પછી સૂક્ષ્મ રીતે પાપ આલેચવા માટે ઈચ્છામિ ઠામિ કાઉસગં, સાત લાખ, અઢાર પાપસ્થાનક, સવ્વસવિ, વંદિત્ત આદિ સૂત્રો બેલાય છે.
આ બધાં સૂત્રો બેલતાં, જેવા સંકલિષ્ટ અધ્યવસાય પાપ બાંધતી વખતે સેવ્યા હોય, તેવા વિશુદ્ધ અધ્યવસાયથી પાપની આલોચના થાય, તે પાપ પ્રતિક્રમણ વૃત્તિ બળવાન બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પેાતે જાતે કરેલા પાપની આલેાચના કરતી વખતે આંખમાં આંસુ આવવાં જોઈએ, વદન ૫૨ વ્યથા અંકિત થવી જોઈએ, હૃદયમાં ભારોભાર પશ્ચાત્તાપ હોવો જોઈ એ. તે સમયે પંડ (Self) તરફ જરા પણ રાગ કે પક્ષપાત ન હોવો જોઈ એ.
ત્યાર પછીના એ વાંદણાં, અશ્રુદ્ધિએ આદિ સૂત્ર ગુરુ મહારાજ તરફ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા સ્વરૂપ છે. કૃતજ્ઞભાવ એટલા માટે વ્યક્ત કરવાના છે કે પાપનું એપરેશન કરવામાં તેએશ્રી કુશળ સર્જનનો ધમ દીપાવે છે.
"
પછી આયરિય ઉવજઝાએ' આવે છે. ચારિત્રાચારની વિશુદ્ધિ, કષાયની ઉપશાન્તિથી થાય છે. તે માટે પ્રથમ આચાય, ઉપાધ્યાય, સ્થવિરોને તેમજ સજીવોને ખમાવવા માટે આયરિય ઉવજઝાએ છે.
ત્યાર બાદ સમતાની વૃદ્ધિ માટે કરેમિ ભ ંતે સૂત્ર કહેવામાં આવે છે.
ચારિત્ર વિના જ્ઞાન પાંગલું છે, ચારિત્રાચારમાં લાગેલ દૂષણની શુદ્ધિ માટે પ્રથમ બે લેગસ્સના કાઉસ્સગ્ગ, જ્ઞાનનું સાફલ્ય દશનથી છે, માટે દેશનાચારના એક લેાગસ, પછી જ્ઞાનના એક લેગિન્સના કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
શ્રુતદેવતા તથા ક્ષેત્રદેવતા રત્નત્રયીની આરાધનામાં સહાયક અને છે. એ માટે એક એક નવકારને કાઉસગ્ગ કરી, ઉપર માંગલિક અર્થે શ્રીનવકાર કહી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૭
જે ક્ષેત્રમાં રહીને આપણે રત્નત્રયીની આરાધના કરતા હોઈએ છીએ, તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવને ક્ષેત્રદેવતા કહેવાય છે. આ ક્ષેત્રદેવતા રત્નત્રયીના આરાધકને અંતરાયભૂત ન થવારૂપ સહાય કરતાં હોય છે. અને તેણે પણ માથે ચઢાવવાની જ્ઞાની ભગવંતની આજ્ઞા આરાધક ભાવની સફળતા માટે જરૂરી, કૃતજ્ઞતા આદિ ગુણની પુષ્ટિમાં સહાયક ગણીને ફરમાવેલી છે.
કેટલાક વિચારકેનું એમ માનવું છે કે ક્ષેત્ર દેવતાને રીઝવવાની શી જરૂર ?
પણ અહીં મુખ્ય મુદ્દો ક્ષેત્ર દેવતાને રીઝવવાને નથી, કિન્તુ આરાધક ભાવની પુષ્ટિમાં અચૂક સહાયક ક્ષેત્ર દેવતાને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાનું છે. એટલે જ બુદ્ધિનિધાન પૂર્વાચાર્ય ભગવંતોએ સ્વાદુવાદગર્ભિત આ વિધાન કર્યું છે.
પછી બે વાંદણું દેવાનાં છે. અહીં પચ્ચખાણ આવશ્યકપૂર્ણ થાય છે.
ત્યારબાદ છ આવશ્યક સંભારવાનાં છે અને ગુરુજીનું અનુશાસન ઈચ્છવા માટે “ઈચ્છામે અણુસ”િ કહી. ગુરુ મહારાજની હિતશિક્ષા બદલ તેમજ પ્રતિક્રમણ હેમખેમ પૂરું થયું તે બદલ આનંદ વ્યક્ત કરવા માટે “નમોસ્તુ વર્ધમાનાર બોલાય છે.
બહેને સંસારદાવાની સ્તુતિ કહે છે. કારણ કે નમોસ્તુ” “નમોડત’ ‘વિરાટ સ્ટોરર' એ ત્રણ સૂત્રો પૂર્વાન્તગત છે, તેથી બહેને કહેતાં નથી.
ત્યારબાદ ઉત્કૃષ્ટકાળે વર્તતા ૧૭૦ શ્રી જિનેશ્વર પરમાત્માને વાંદવા વરકનક કહી, ચાર ખમાસણુપૂર્વક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૮ અઢી દ્વિપના મુનિઓને વંદન કરી અાઈજેસુ બોલાય છે.
વંદન, પહેલાં અને છેલ્લે એમ બે વાર કરવા જોઈએ.
પહેલું વંદન હાર્દિક સકારાદિના ભાવરૂપ છે, છેલ્લે વંદન કૃતકૃત્યતાવાચી છે.
ત્યારબાદ દેવસિય પ્રાયશ્ચિત્ત વિશેધનાથે કાઉસ્સગ કરાય છે. તેનાથી તપની વિશુદ્ધિ થાય છે, ત્યારબાદ સઝાય કહેવા માટે બે આદેશ માગી સ્વાધ્યાય કર્યાની પૂર્વ પ્રક્રિયાની
મૃતિરૂપે સઝાય કહેવાય છે. પછી કાઉસગ્ગ અને “શાન્તિ” બેલાય છે એ રીતે પ્રતિક્રમણ પૂર્ણ થાય છે.
સામાયિક પારવાની વિધિ સામાયિક પારતી વખતે ઈરિયાવહી આદિ સૂત્રો બેલી અન્નત્થ પછી કાઉસગ્ગ આવે છે. ત્યારબાદ પ્રગટ લેગસ્ટ આવે છે.
લેગસ એટલે નામસ્તવ.
નામસ્તવ એટલે અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતેના નિત્ય સ્મરણીય નામની સ્તવના-સ્તુતિ. - આ સ્તુતિ એ ભક્તિનું અવિભાજ્ય અંગ છે અને સાચી ભક્તિ એ મુક્તિનું અવંધ્ય બીજ છે.
એટલે આવશ્યક સૂત્રોમાં તેમજ પ્રત્યેક ધર્મક્રિયાઓમાં દેવાધિદેવની ભક્તિ યથાર્થ પણે ગૂંથાયેલી છે.
દેવાધિદેવના અનંત ઉપકારોને સાચે, પૂરો નમસ્કાર વ્યક્ત કરવા માટે કૃતજ્ઞતાભાવજન્ય ભક્તિ અનિવાર્ય છે. રખે કઈ માત્ર આવશ્યક માને..........
આવશ્યક અને અનિવાર્ય–એ બે શબ્દો વચ્ચે આભજમીનનું અંતર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૯ સુસાધુ માટે ચોથું મહાવ્રત આવશ્યક છે એમ ન કહેવાય, પણ અનિવાર્ય છે એમ જ કહેવું પડે. તો જ તે મહાવ્રતની ત્રિભુવન ક્ષેમંકર ક્ષમતાનું યથાર્થ બહુમાન તેમજ પ્રતિપાદન થાય.
આજે આપણે ત્યાં કૃતજ્ઞભાવની ઠીક-ઠીક મંદતા પ્રવર્તે છે. એટલે જ થતી ધર્મારાધનાનાં શાસ્ત્રોક્ત સુપરિણામ ઓછાં જણાય છે.
શાસ્ત્રો ફરમાવે છે કે ત્રણ જગતના સર્વ જીવોના ઉપકારોને અનંતગુણ કરવાથી જે સરવાળે આવે, તેના કરતાં અનંતગુણ ઉપકારે શ્રી અરિહંત પરમાત્માના છે.
એટલે તેઓશ્રીન આ ઉપકારોને માથે ચઢાવીને કરાતું નવકારસીનું પચ્ચકખાણ પણ શાસ્ત્રોક્ત સુફળદાયી નીવડે છે.
પણ મેં આજે નવકારસી કરી એવો અહંભાવ નવકારસી કરનાર રાખે છે તે, દેવાધિદેવની અનંત કરૂણાજન્ય આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. એટલે તેનું શાસ્ત્રોક્ત સુફળ ઓછું બેસે છે.
હે આત્મીય આરાધક બંધુઓ ! આપણું પ્રત્યેક શ્વાસના સ્વામી પણ શ્રી અરિહંત પરમાત્મા છે. એ મહાસત્યને રૂંવાડે રૂંવાડે પ્રતિષ્ઠિત કરવામાં આડે આવતા અને આપણે માથેથી ઉતારીને પગની પાનીએ પટકીશું ત્યારે જ આપની પ્રત્યેક ધર્મકિયા અમૃતક્રિયા–સ્વરૂપ બની રહેશે.
ત્યારબાદ ચઉક્કસાય દ્વારા ત્રણ ભુવનના સ્વામી શ્રી પાર્શ્વનાથ પરમાત્માની અનુપમ ભક્તિ કરવામાં આવે છે.
આ આખા સૂત્રની રચના એટલી અદ્ભુત છે કે તેને માત્ર સ્વાધ્યાય કરવાથી પણ ચારે કષાયનાં ગાત્રોને સાવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શિથિલ કરનારી ગરમી બધા જ પ્રાણામાં પ્રસરે છે.
શેરડીની વ્યાખ્યા નહિ કરી શકનાર માનવી પણ જો શેરડી ચૂસે છે, તે તેને તેની મિઠાશના અનુભવ થાય છે. તેમ આ સૂત્રાન્તગતભાવનું ઉદ્દીપન, તેના માત્ર સ્વાધ્યાયથી પણ થાય છે.
એટલે સૂત્ર અને તેના અર્થ અને ભણવા પર ભાર મૂકાયા છે. અને અ` પણ સૂત્ર છે, માટે સૂત્રેાને અથ સાથે કંઠસ્થ કરવાની અવિચ્છિન્ન પર'પરાને યથાવત્ રાખવી, તે પ્રત્યેક આરાધકનું કર્તા છે.
પછી જયવીયરાયથી નમ્રુત્યુણું સુધી ખેલાય છે, તેમાં પણ શ્રી વીતરાગ, વિશ્વવલ્લુભ, સર્વજ્ઞ, સ`દશી શ્રી તીથ કર પરમાત્માના ગુણગાન છે.
પછી મુહપત્તિ પડિલેહણુ કરી સામાયિક પારું ?' એમ કહેવાનુ હોય છે. ત્યારે ગુરુ ભગવંત કહે છે, • પુષ્ણેાવિ કાયવો.’( આ સામાયિક પુનઃ કરવા ચૈાગ્ય છે. ) પણ ૬ કરીથી સામાયિક કર' એમ કહેતા નથી, કારણ કે સાધુ ભગવત સામાયિક જેવી ઉત્તમ ક્રિયાના આદેશ દઈ શકતા નથી; તેા પછી દહેરાસર, ઉપાશ્રય કે એવા અન્ય ધર્મસ્થાનની ક્રિયાને આદેશ શી રીતે કરે ? અર્થાત્ ન જ કરે, પણ ઉપદેશ અવશ્ય આપે.
6
સામાયિક કરનાર ફ્રી કહે છે, 'સામાયિક પાયુ’ ત્યારે ગુરુ મહારાજ કહે છે, આયારા ન મુર્ત્તવો' અર્થાત્ હે પુણ્યાત્મા ! આ આચાર છોડવા જેવો નથી.
શ્રી જિનશાસનના અજોડ મધારણના આ અતિ ઉપ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૧
કારક સિદ્વાનોમાં જમાનાવાદના નામે લવલેશ ફેરફાર ન કરવામાં જ સ્વર હિત છે. સાચી શાસન સેવા છે. પાકી સિદ્ધાન્તનિષ્ઠા છે. જીવંત આજ્ઞા પરાયણતા છે.
માટે આપણે જમાનાવાદીઓની મિથ્યા પ્રરૂપણાથી સાવધ રહીને જિનમાર્ગે ચાલવું જોઈએ.
શ્રી જિનરાજને માર્ગ એટલે પરમપદપ્રદ મોક્ષમાર્ગ
જે ચરમ તીર્થપતિએ મોક્ષમાર્ગ ન બતાવ્યો હોત તો આપણી શી દશા થાત? એ પ્રશ્ન પર આત્મહિતની દષ્ટિએ ઊંડાણથી વિચાર કરીએ, તો મેક્ષમાર્ગ અને તેના પ્રકાશક પરમાત્મા શ્રી મહાવીર સ્વામી તરફ આપણું હૃદયમાં પૂજ્યભાવથી ચઢીઆ અહોભાવ જાગે જ જાગે!
ભવને ભાવ આપવાથી શું ખાટીશું? માત્ર પરાધીનતા કે બીજું કાંઈ?
જ્યારે રત્નત્રયીની સમ્ય પ્રકારની આરાધના સ્વરૂપ આ માર્ગ પર મક્કમ મને ચઢીશું તેમજ ચાલીશું તે સંસાર પાછળ રહી જશે.
દેવાધિદેવ સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરવાને આદર્શ સંસારને પાછળ રાખવાના ગર્ભિતાશયાળે છે. પ્રભુજીને તેમજ તેઓશ્રીની આજ્ઞાને આગળ રાખવાના આશયવાળે છે.
માટે જ પ્રતિકમણમાં સ્થાપનાચાર્યજી અનિવાર્ય છે. તે સિવાય પ્રતિક્રમવાની ક્રિયા લગભગ પાણીના વલેણ જેવી ગણાય છે.
અને સ્થાપનાચાર્યજી એટલે સુદેવ અને સુગુરુ એ સ્પષ્ટ અર્થ ગ્રહણ કરવાને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૨
કઈ પણ વિવેકી ગૃહસ્થ પિતાના સંતાનને શિખામણ આપતાં કહે છે કે આડામાગે કદી ન જશે. પણ પાપભીરુ, ધર્મશુરા મહાપુરુષોના માર્ગને અનુસરશે.
આ શિખામણને ઉદાત્ત હેતુ સમજી આપણે પણ જિનમાર્ગે ચાલવું જોઈએ. અને તે માર્ગ મક્કમપણે આગળ વધવા માટે-તે જ નિઃશંકપણે સાચું છે, જે શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપ્યું છે” (તર સર્વ નિરર્દ નિર્દિ જાં) સૂત્રને ગાંઠે બાંધવાનું છે.
- ભવબંધનને તેડી નાખવા માટે આ ગાંઠ-બંધન અણમેલ ભાવકૃપાણ સમાન છે.
કહે છે કે જિનમાર્ગ તલવારની ધાર જેવો છે, હા, વાત સાચી છે પણ જે સુપાત્ર આત્માઓને સંસાર બળતા ઘર જેવો લાગે છે, તેઓ તેનો ત્યાગ કરીને આ માર્ગ પર ચાલવામાં અહોભાગ્ય સમજે છે.
રેતી ફાકવાથી કદાચ ભૂખ ભાંગે તો પણ સંસારના કહેવાતા શ્રેષ્ઠ સુખથી પણ આત્મા સુખી ન જ થાય, એ શાસ્ત્રવચનને આપણે જેટલું વહેલું અંગીકાર કરીશું, તેટલો વહેલો આપણે ભવનિસ્તાર થશે.
એટલા માટે જ નિત્ય ઉમંગપૂર્વક પ્રતિક્રમણ કરવાનું હોય છે. કે જેના પ્રતાપે દેહાદિ પર પદાર્થોના સુખની લાલસાને વશ થઈને આપણે જે પાપ કરીએ છીએ. તે કદી ન કરવા-કરાવવાનું આત્મબળ પ્રગટ થાય.
હવે વિચારીએ સામાયિક વિધિના સૂત્રેના સ્પષ્ટ ઉચાર સંબંધમાં -
Jain Educationa International
For Personal and Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૩
એક ભાઈ “સામાઈ જત્તિ આવારા'ને બદલે સામાઈય ધોતિયાવારા બોલતા હતા, કહો! એક અક્ષરના ફેરથી પણ કેટલી બધી ગેરસમજ ઊભી થાય છે ?
બીજા એક ભાઈ “જય વીયરાય સૂત્રમાં ગુરુજન પૂઆ’ને બદલે ગોરઘન ફુઆ બોલતા હતા. આ બધું હાસ્યાસ્પદ તે લાગે જ છે. પણ તેનાથી સૂત્રની ઘોર આશાતના થાય છે તેનું શું ?
માટે પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ લેતા બાલક-બાલિકાએને શરૂથી જ શુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શિક્ષણ પણ અપાવું જોઈએ.
જીવનમાં આચારશુદ્ધિનું ખાસ મહત્વ છે, તેમ ધાર્મિક શિક્ષણમાં ઉચ્ચારશુદ્ધિનું પણ મહત્વ છે.
શ્રીનવકાર, પંચિંદિય, ઈરિયાવહી, તસ્મઉત્તરી, અન્નત્થ, લેગસ્સ વગેરે સૂત્રો મંત્ર સ્વરૂપ છે એટલે તેના ઉચ્ચારમાં થતી કાના–માત્રાની પણ ભૂલ જ્ઞાનાવરણીયાદ કર્મોના અપેક્ષિત ક્ષયે પશમમાં બાધક નીવડે છે. આ બધા સૂત્રોમાં હસ્ય, દીઘ તેમજ અનુસ્વારની પણ ભૂલ દોષરૂપ ગણાય છે.
બેંકના ખાતેદારની સહીમાં, સહીના મૂળ નમુના કરતાં સહેજ પણ ફેર હોય છે, તે તે ચેકનાં નાણું મળતાં નથી તેમ સૂત્રોચ્ચાર અશુદ્ધ હોય છે, તેનું શાક્ત ફળ મળતું નથી.
હવાઈ જહાજમાં નાનકડે એક સકું પણ એજીનીઅરની ભૂલથી સહેજ ઢીલ રહી જાય છે તો તેમાં પ્રવાસ કરનારા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મુસાફ઼ાના જાન જોખમમાં મૂકાઈ જાય છે. તેમ અત્યંત ગૂઢાઈપૂર્ણ ધાર્મિક સૂત્રોના ઉચ્ચારમાં જાણતા-અજાણતા અદ્ધિ પાષાય તે આત્માને શુદ્ધ કરવાની ક્ષમતા કુંતિ થાય છે.
અતિ ઝડપથી સૂત્રોચ્ચાર કરવો તે પણ તેનો અનાદર છે. તેમ રડમસ અવાજે સૂત્ર ખેલવું તે પણ તેના અનાદર છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે શ્રી તીર્થંકર પરમાત્મા માલકોશ રાગમાં જીવોને ધ દેશના આપે છે. વળી તેએશ્રીની વાણી, પાંત્રીસે ગુણેાવાળી હોય છે. તેના પ્રભાવે આજ સુધીમાં અનંતા આત્માઓ, ધમ પામી, ભેદનો હેન્ર કરી, સવ કર્માં ખપાવી મેક્ષે સિધાવ્યા છે.
અસ્પષ્ટ ઉચ્ચાર, વિકૃત ઉચ્ચાર, ધના આરાધકને ખટકવો જોઈએ.
આજકાલ કેટલાક ભાઈઓ પ્રતિક્રમણમાં બેલાતા કેટલાક સૂત્રાને સીનેમાના ગીતેાના ઢાળ-રાગ આપે છે તે પણ અશાસ્ત્રીય હાઈને સૂત્રની આશાતનારૂપ છે.
કાનો, માત્રા કે બિંદુની વધઘટે પણ અનર્થી સર્જ્યના અનેક દાખલા ઇતિહાસમાં નોંધાયા છે.
તેવો એક દાખલેા અહીં ટાંકીએ છીએ.
પરમ તી પતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માના અનન્ય ભક્ત, શ્રેણિક રાજાની ઉજજવળ ભક્તિ પર પરાને દીપાવનારા સમ્રાટ સ’પ્રતિના પિતા કુણાલને જાતે અધાપો શા માટે વડારવો પડ્યો?
—તે કે રાજવી–પિતાએ લખેલા પત્રમાંના-‘જ્ઞાનીમ્
Jain Educationa International
For Personal and Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પિતાં કુમાર” વાકયમાંના “દિશા” શબ્દમાંના જ અક્ષરને માથે તેની ઓરમાન માતાએ માત્ર એક અનુસ્વાર મૂકીને “પિત્તાં' શબ્દ બનાવી દીધો એટલા માટે.
આ હકીકત સાથે સંકળાયેલે ઈતિહાસ અહીં રજુ નથી કર્યો. પણ કહેવા જેવું કહી દીધું છે, કે શબ્દના એક બિંદુની વધઘટ પણ કેવો અનર્થ સર્જી શકે છે.
ઘટને માથે બિંદુ મૂકીએ તે ઘંટ થઈ જાય અને તેનાથી આખે શબ્દ બદલાઈ જાય.
એટલે આપણે સૂત્રોના અધ્યયનમાં કાના–માત્રાની પણ ભૂલ ન કરવી જોઈએ.
આત્માના ઢંકાયેલા અક્ષર સ્વરૂપને પ્રગટ કરવામાં મંત્ર તુલ્ય અકારાદિથી શરૂ થતા અક્ષરેના સમૂહને વર્ણ માતા” કહેલ છે.
એટલે તેનો આદર કરવો તે પ્રત્યેક આરાધકનો ધર્મ છે.
શ્રી ભક્તામર આદિ તેત્રે સંસ્કૃત ભાષામાં હોવાથી અનેક ભાઈ-બહેનો તેના ઉચ્ચારમાં ભૂલો કરે છે.
એટલે જે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે તેમજ આદરણીય અધ્યાપકો પિતાની પાસે સૂત્રો ભણવા આવતા ભાઈબહેનેને શરૂથી જ ઉચ્ચાર-શુદ્ધિના લાભ સમજાવીને સૂત્રે ભણવે તે આવી ભૂલો થવાની શક્યતા ઓછી થઈ જાય.
આરાધક માટે હિતકર કેટલાક મુદ્દા હવે રજૂ કરૂં છું:
આત્માને શુદ્ધ કરવાના ઉત્તમ આશયવાળા પ્રતિક્રમણમાં થતા ઘંઘાટ, કોલાહલ, દુન્યવી વાર્તાલાપ વગેરે આપણને આંખમાં શૂળની જેમ ખટકવા જોઈએ. કારણ કે તેનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રતિકમણ ડહોળાય છે અને ડહોળાયેલા પાણીમાં, પદાર્થનું પ્રતિબિંબ પડતું નથી, તેમ પ્રતિક્રમણ ડહોળાય એટલે આમે પગ ડહોળાયા સિવાય રહેતું નથી,
પ્રતિક્રમણમાં જરાપણ ઉતાવળ ન કરવી જોઈએ. કારણ કે પ્રતિક્રમણને સમય આપવાથી જીવને સંસાર ઘટે છે.
પ્રતિક્રમણ પૂરું થતાંની સાથે હાશ છૂટ્યા ! એવી લાગણી ન થવી જોઈએ, કારણ કે પ્રતિક્રમણ એ કઈ વેઠ નથી પણ મહા ઉપગારી પ્રભુની મહામૂલી ભેટ છે.
પ્રતિક્રમણ કરવા જઈએ ત્યારે આપણા ચિત્તમાં, આપણે આખા દિવસ દરમ્યાન કરેલાં તેમજ કરાવેલાં પાપનું સ્પષ્ટ ચિત્ર અંકિત કરી દેવું જોઈએ. જેથી આપણે તે બધાં પાપની સાચા દિલથી નિંદા-ગહીં કરી શકીએ.
દવા લાગુ પડે તે દર્દ ઓછું થવા માંડે છે, તેમ જીવને પ્રતિક્રમણ લાગુ પડે તે પાપ-રસિકતા ઘટવા માંડે. જે ન ઘટે તે આપણે તેના કારણની તટસ્થભાવે શોધ કરવી જોઈએ.
પ્રતિકમણને પુણ્યશાળીઓનું અનુપમ સુકૃત સમજીને તેની ભારોભાર અનુમોદના કરવી જોઈએ.
કોઈ આત્મા, પ્રમાદને વશ થઈને યા અન્ય ખાસ કારણસર પ્રતિકમણ ન કરે તે તેને તિરસ્કાર ન કરવો જોઈએ. જે કરીએ તે અહંકારના શિકાર બનીએ! પણ તેવા આત્માઓને આત્મીયતાપૂર્વક પ્રતિક્રમણના ઘણું ઘણું લાભ સમજાવવા જોઈએ.
ઓછામાં ઓછા ઉણાદરી તાપૂર્વક પ્રતિક્રમણ થાય તે ઉમંગ-ઉત્સાહ, સ્કૂર્તિ, અપ્રમત્તતા સંતેષકારક જળવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૭
નવી-નવી માતાઓ અને નવા-નવા પિતાઓ કરવાના કલંકથી આત્માને સર્વથા મુક્ત કરવા માટે જરૂરી પાપભીરુતા અને ધર્મશૂરાતન બંને મહાન ગુણેને સુયાગ કરાવી આપનારા પ્રતિક્રમણને કેટિશઃ પ્રણામ!
લોકેત્તર ધર્મના અવિભાજ્ય અંગરૂપ સામાયિકમાં ભંગાણ પાડનારા મનના દસ દેષ,
(૧) એક વેપારી નિયમિત સામાયિક કરે છે. તેને એક દીકરો હતે. દીકરા તરફ વેપારીને અનહદ રાગ હતે. દીકર લોખંડને વેપાર કરતા હતા. એ વેપારમાં મેટે નફો મળે એવી તક ઉભી થઈ. એ તક એક અમલદારે ઝુંટવી લીધી. આ માથા સમાચાર વેપારીને સામાયિકમાં મળ્યા. એટલે તેમના મનમાં અમલદાર તરફ ભારોભાર દ્વેષ પ્રગટ થયે. અને તે જ સમયે આયુષ્ય પુરૂં થતાં વેપારીનું મૃત્યુ થયું અને મરીને સર્પ થ.
માટે સામાયિકમાં મનના મુખ્ય દસ દોષો પૈકીનો આ પ્રથમ દોષ–રોષ યા કોધ ન કરવો જોઈએ.
(૨) એક ભાઈ સામાયિકમાં હતા તેવામાં એક બોરવાળી બોર વેચવા આવી. “લે રસીલાં, મીઠાં લાલ રતન જેવાં બોર” એમ બોલતી તે આ ભાઈને દ્વારે આવી.
બેરના વખાણ સાંભળીને ભાઈને મોંમાં પાણી છૂટયું. બોર ખાવાની ઈચ્છા થઈ. એટલે તેમને થયું કે “સામાયિક ન કર્યું હોત તે સારૂં.” આવા અશુભ વિચારમાં ભાઈ મૃત્યુ પામ્યા. મરીને બેરમાં કીડારૂપે જમ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૮
માટે સામાયિકમાં ખાવાને વિચાર કરવો ન જોઈએ, પણ સદંતર ત્યજવો જોઈ એ.
X
×
×
(૩) એક શેઠ સામાયિકમાં હતા. તે જ સમયે તેમના એક સેવકે આવીને કહ્યું બજારમાં મોટી વધઘટ છે, અત્યારેજ માલ વેચીએ તો મોટા નફો મળે, પછી શું થાય તે કહેવાય નહિ. એટલે ધનના અતિરાગી શેઠને સામાયિક તરફ દ્વેષ થયેા. તેમનું ચિત્ત ચગડોળે ચઢયું. ઉદ્વેગ પરાકાષ્ઠાએ પહોંચ્યા અને એ જ અધ્યવસાયમાં એકાએક મૃત્યુ પામ્યા અને કરોળિયાના જાળામાં જન્મ લીધા.
માટે સામાયિકમાં આ દ્વેષ-ઉદ્વેગ–દોષ ન જ કરવો જોઇએ.
*
X
X
(૪) સામાયિક કરતાં એક શેઠને વિચાર આવ્યો. નગરના મુખ્ય ઉપાશ્રયના મુખ્ય દ્વારે તકતી મૂકાવીને તેમાં મારૂ નામ કોતરાવીને સમાજમાં યશ મેળવીશ. આથી સામાયિક જતું રહ્યું અને નામનાની કામના માથે ચઢી બેઠી, અને આ જ દુર્ધ્યાનમાં આયુષ્યનો અંધ કરી, મરીને એક તકતી ઉપર સૂક્ષ્મ જંતુ તરીકે જન્મ્યા.
માટે સામાયિકમાં તે આવી કામના ન જ કરવી જોઇએ.
×
X
×
(૫) ઘરના ત્યાગ કરી. વૈભવને લાત મારી એક શ્રીમંત ઘરના યુવાને દીક્ષા લીધી. દીક્ષા લઈને વ્રત, નિયમનું સુંદર રીતે પાલન કરવા લાગ્યા. પરંતુ વારંવાર ગુરુનો વિનય કરવો પડતો હતો, તે તેને જરાય ન ગમ્યું. આ અવિનીતપાના કારણે સાધુના મનમાં વિચાર જાગ્યો કે-આના કરતાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
તો ઉંદરનું જીવન સારૂ ત્યારે તે દાખલ થઈ શકે
શકે છે.
આ સાધુ કાળધમ પામીને ઉંદર અન્યા.
માટે સામાયિકમાં તે મનથી પણ અવિનય ન સેવવો
જોઈ એ.
૧૧૯
કે જ્યારે દરમાં દાખલ થવું હોય છે. અને નીકળવું હોય ત્યારે નીકળી
×
×
×
(૬) એક ભાઈ ને સામાયિક કરતાં મનમાં ભય સંચર્યાં. કોઈ અહીં આવીને મને મારશે તે, આ ભય મનમાં વધુ દૃઢ થયા. તે જ સમયે આયુષ્યના બ`ધ પડ્યો અને મરીને એ ભાઈનો જીવ લૂંટારાએની વસ્તીમાં જન્મ્યા.
માટે આ દોષ, ન લાગે તેની કાળજી રાખવી જોઇએ.
×
×
X
(૭) એક યુવાન સામાયિક લીધા પછી વિચારે ચઢ્યો કે-૪૮ મિનિટ ચૂપચાપ બેસી રહેવું એ તેા કરતાં સામાયિક ન કરવું સારૂ.. મરીને આ રેતીમાં સૂક્ષ્મ 'તુ તરીકે અવતર્યાં.
માટે સામાયિકમાં તે આ ભય કર દોષથી મનને દૂર જ રાખવું જોઈ એ.
Jain Educationa International
×
X
(૮) સામાયિકમાં એક ભાઈએ- એક લાખ ખાંડી સુવર્ણના દાનથી બંધાતા પુણ્ય કરતા, બે ઘડીના એક સામાયિકનુ' પુણ્ય ચઢે.' એ શાસ્ત્રવચન ટાઢા પહેારના ગપ્પા જેવું લાગ્યું, પરિણામે મરીને તે હાથી થયા.
સજા છે, એના યુવાનને જીવ
For Personal and Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૦
માટે સામાયિકમાં તે મનને આવી અવળચ'ડાઈથી દૂર રાખવું જોઈ એ.
×
×
X
(૯) સામાયિકમાં સત્તાકાંક્ષી એક માણુસે વિચાર કર્યાં કે, ‘આ સામાયિકના ફળરૂપે મને રાજગાદી મળે તેા સારૂ.’ તેને રાજગાદી તે મળી પણ સત્તાના મદમાં ઘણી હિંસા કરી. મરીને નરકમાં ગયા.
માટે સામાયિકમાં નિયાણુ' ન બાંધવું જોઈએ.
X
×
X
(૧૦) એક ધનઘેલાં માણસે સામાયિકમાં પુષ્કળ ધન કમાવાને વિચાર કર્યાં. મન તેમાં જ પરાવી દીધું. તે દરમ્યાન તિય "ચગતિના આયુષ્યનો ખંધ પડ્યો અને મરીને મધમાખી અન્યો.
માટે સામાયિકમાં આવો તુચ્છ વિચાર ન કરવો જોઇએ. આ દસ દોષનું સ્વરૂપ સારી રીતે સમજીને આપણે સામાયિકનું હાર્દિક બહુમાન કરવું જોઈએ. પણુ અપમાન કે વિરાધના તે ન જ કરવી જોઈ એ.
સામાયિકમાં મનના દસ દોષ, વચનના દસ દોષ અને કાયાના માર દોષ–એમ કુલ ખત્રીસ દાષા સામાયિક કરનારે છેડી દેવાના છે.
હવે વચનના દસ દોષો છોડવાથી આત્મલાભ અને સેવવાથી થતા આત્માના અહિત ઉપર વિચાર કરીએ. (૧) સામાયિકમાં કઠોર, ખરાબ અસભ્ય વચન ખોલવાથી બીજા ભવમાં ઠેર-ઠેર અપમાનિત થવુ પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨
તીર્થક્ષે કૃતં પ૬ વચ્ચે રિત્તિ” એવો જે શાસ્ત્ર પાઠ છે, તેનું રહસ્ય સમજવાથી ઉક્ત વિધાન બરાબર યુક્તિસંગત, ન્યાયસંગત કરે છે. - ઘરમાં કે બજારમાં ગૃહસ્થ કઠોર વચન યા અસત્ય બોલે તે પણ જે ઉચિત ન ગણાય તે પછી સામાયિકમાં તે અસત્ય બેલે તે અચૂક ભારેકમી, પાપાસત ગણાય, તેમાં શક નથી.
સરિતાના જળમાં ઊભેલે માણસ જળસ્નાન કરે કે શરીર પર રેતી ચળે! તેમ સામાયિકમાં રહેલો આરાધક સત્યને પેખે કે અસત્યની આરતી ઉતારે ? - તાત્વિક આ પ્રશ્ન પર જેટલો ઊંડો વિચાર કરીશું, તેટલો વધુ ધર્મલાભ પામી શકીશ.
(૨) સામાયિકમાં “ હુંકાર કરવાથી, અહંવાળી વાણી બલવાથી ભવાંતરમાં હલકા કુળમાં જન્મ લેવો પડે છે.
(૩) સામાયિકમાં લવારે કરવાથી બીજા ભવમાં મૂંગા બનાય છે.
(૪) સામાયિકમાં પાપને આદેશ આપવાથી, બીજા ભવમાં યાચકને ઘેર જન્મીને ભીખ માંગવી પડે છે.
(૫) સામાયિકમાં કલહ કરવાથી બીજા ભવમાં લગભગ બધા કજીઆળા મળે છે.
. (૬) સામાયિકમાં “આવે, બેસે, “જાવ” કહેવાથી બીજા ભવમાં કઈ “આવો” “પધારે, “” કહેનાર મળતું નથી.
(૭) સામાયિકમાં ગાળ દેવાથી બીજા ભવમાં મેંમાં સતત દુગધ રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૨ (૮) સામાયિકમાં બાળકને મીઠા શબ્દો વડે રમાડતાં, બીજા ભવમાં નિઃસંતાન રહેવું પડે છે. અથવા રંજાડનારા સંતાને મળે છે.
(૯) સામાયિકમાં વિસ્થા કરવાથી બીજા ભવમાં ધર્મકથા સાંભળતાં કંટાળે આવે છે.
(૧૦) સામાયિકમાં હાંસી-મશ્કરી કરવાથી, બીજા ભવમાં ઠેર-ઠેર હાંસીપાત્ર બનવું પડે છે.
લાખેણે આ હિતવચનોની યથાર્થતાનું પ્રતિપાદન કરવા માટે સેંકડો પાનાં પણ ઓછા પડે.
એટલે આ વચનોને અંતઃકરણપૂર્વક આવકારીને આપણે જે સામાયિક કરતા રહીશું, તે સામાયિક અવશ્ય અણમોલ લાગશે. સમતાભાવ પ્રગટ થશે. મિથ્યા-મમત્વ અળખામણું લાગશે. આત્માની બહાર ભટકવાની ભવવર્ધક કુટેવ નાબૂદ થશે,
કાયાના બાર દેષ (૧) સામાયિકમાં શરીરને વારંવાર અસ્થિર કરવાથી બીજા ભવમાં હાડકાં વારંવાર તૂટી જાય છે.
(૨) સામાયિકમાં ચારે દિશામાં જોયા કરવાથી બીજા ભવમાં વાંદરાનો અવતાર મળે છે.
(૩) સામાયિકમાં સાવધ વ્યાપાર કરવાથી બીજા ભવમાં ધર્મમાં અંતરાય નડે છે.
(૪) સામાયિકમાં આળસ મરડવાથી બીજા ભવમાં ધર્મ કાર્યમાં જીવ લાગતું નથી પણ આળસમાં જીવ રહે છે.
(૫) સામાયિકમાં અવિનય કરવાથી બીજા ભાવમાં વનસ્પતિકાય આદિમાં જવું પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૩ (૬) સામાયિકમાં ટેકે બેસવાથી બીજા ભવમાં વૃક્ષના મૂળિયામાં જન્મ લેવો પડે છે.
(૭) સામાયિકમાં શરીરનો મેલ ઉતારવાથી બીજા ભવમાં શરીર દુર્ગધવાળું મળે છે.
(૮) સામાયિકમાં શરીરે ખણવાથી બીજા ભવમાં ખંજવાળને વ્યાધિ લાગુ પડે છે.
૯) સામાયિકમાં ઢાંકવા ગ્ય અંગે ઉઘાડાં રાખવાથી બીજા ભવમાં વેશ્યાને ત્યાં જન્મ લેવો પડે છે.
(૧૦) સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવવાથી બીજા ભવમાં પગ ખોડો થાય છે.
(૧૧) સામાયિકમાં આખું શરીર ઢાંકવાથી બીજા ભવમાં સ્ત્રીનો અવતાર લેવો પડે છે.
(૧૨) સામાયિકમાં નિદ્રા લેવાથી બીજા ભવમાં “થીણુદ્રી નિદ્રાનો રોગ લાગુ પડે છે અને ચારિત્ર્ય માટે અપાત્ર બનાય છે.
આ બધા દોષો સામાયિકના કટ્ટર શત્રુઓ છે, માટે સામાયિકમાં તે તેને ન જ પ્રવેશવા દેવા જોઈએ.
આ દોષો સેવવાથી બંધાતાં અશુભ કર્મોના ફળ સંબંધી જે લખાણ કર્યું છે, તે શાસ્ત્રનું છે. માટે તેમાં જરાય સંદેહ રાખીશું, તે વિદેહ અને મહાવિદેહ બંને પ્રકારના અત્યંત ઉપકારક ભાવથી વંચિત રહી જઈશું, અને ફરી પાછા આવો ધર્મસામીયુક્ત માનવદેહ (ભાવ) કયારે મળશે તે તો અનંતજ્ઞાની ભગવંત જ સચોટપણે કહી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૪
રાઈ–પ્રતિક્રમણ આખા દિવસ દરમ્યાન જાતે કરેલાં, બીજા પાસે કરાવેલાં તેમજ અનુમે દેલાં સર્વ પાપની પૂર્ણ પશ્ચાત્તાપ સાથે આલેચના–નિંદા-ગહીં દેવસિય પ્રતિક્રમણમાં થાય છે. છે જ્યારે આખી રાત્રિ દરમ્યાન ત્રિવિધ કરેલાં સર્વ પાપની કડી આલોચના નિંદા-ગહ “રાઈ-પ્રતિક્રમણમાં થાય છે.
તે કહો! જીવને સર્વ પાપથી સર્વથા મુક્ત કરનારી આવી અનુપમ ભેટ આપણને વિના મૂલ્ય આપનારા શ્રી જિનેશ્વર પરમાતમા નિષ્કારણ કરૂણસિંધુ ઉપકારી ખરા ને ?
તેમ છતાં જે આપણે પ્રતિક્રમણદિને “નવરાને ધંધો કહીને વગેવીએ તે કેવા ગણુઈએ?
ફરી ફરીને કહેવાનું એ જ છે કે પાપને સારું ગણનારી દબુદ્ધિને નાશ કરીને, ખરેખર અનુપમ પ્રતિક્રમણ આપણને જે પ્રભુ તુલ્ય પ્યારું, પૂજ્ય ન લાગતું હોય તે, ભીતરમાં ભારે અંધકાર છે. એ હકીક્તને સ્વીકાર કરીને, “દૂષિતતિમિર-મનુ” એવા શ્રી જિનરાજના ચરણકમળમાં મસ્તક ઝૂકાવી પ્રાર્થના કરવી જોઈએ. કે હે જગનાથ! મને આપના માંગનો નેહ લાગે અને ભવરાગ ભાગે એવી કૃપા વરસાવો.
“મને દુઃખ મંજૂર છે, પણ પાપ હરગીઝ નહીં.” એ સૂત્રને જીવનસૂત્ર બનાવવાનું સર્વ પ્રગટાવવામાં પ્રતિક્રમણ અજોડ છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
પંડ (self) પ્રત્યેના ગાઢ રાગને વશ થઈને આપણે જે પાપ કરીએ છીએ, તે જ રાગ જે આત્મા (Soul) પ્રત્યે કેળવીએ, ધર્મમાં કેળવીએ, તે હિમાલયના ઉત્તગ શિખરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
.
સવ જૈન અ
ઘડી (૪૮ મિલિ
પોરબે
કાગડો પહોંચી શકતો નથી, તેમ આપણું ચિત્તને પાપરૂપી કાગડો ન સ્પશી શકે.
આ દેશ તેમજ વિદેશમાં વસતા સર્વ જૈન બંધુઓ જે દરરોજ બે ઘડી (૪૮ મિનિટ) પૂરતા પણ ધર્મની સામે પોતાના દૈનિક જીવનની બરાબર ચકાસણું કરતા થાય, તે જિન ધર્મના અસીમ ઉપકારક પ્રભાવનો જાત અનુભવ થાય. તેમજ બીજા અનેક સુપાત્ર આત્માઓને જિનધર્મની આરાધના દ્વારા માનવભવને સાર્થક કરવાની પ્રાણવંતી પ્રેરણું પણ મળે.
પેટની સાથે પટારા ભરવાનું ગાંડપણુ પણ જેઓને શાણપણરૂપ લાગતું હોય તો, તેઓને કહેવાનું કે આ ધનમૂચ્છી તે જીવને સાતમી નરકમાં જવાની ફરજ પાડનારાં અતિ કિલષ્ટ કર્મોની જનેતા છે.
પાપરૂપી સાપને જાણી જોઈને સ્પર્શ કરનાર જૈન તો શું, પણ સજજન પણ નથી ગણતે.
આત્મ–ચંદન પર કમ સર્પનું
નાથ ! અતિશય જેર, તે દુષ્ટોને દૂર કરવા કાજે
આપ પધારો “મોર.” આ પ્રાર્થનામાં જે આપણે સમગ્રતાને કેન્દ્રીભૂત કરી શકીએ તે અંતરાત્મામાં પરમાત્માનો પ્રકાશ જરૂર અનુભવાય.
આ પ્રાર્થનામાં આવેલો મોર' શબ્દ દ્વિઅર્થી છે. મોર એટલે મયૂર પણ થાય અને અતિ પાસે અર્થ પણ થાય.
મેર અને સાપ બંનેને એકબીજા તરફ જન્મજાત વેર છે. એટલે મેરને જોઈને સર્પ તત્કાલ નાસી જાય છે. એટલું જ નહિ પણ મેરના પીંછાને જોઈને પણ સર્ષ નાસી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આ હકીકત અનુભવ સિદ્ધ છે.
માટે જંગલમાં વસનારા માણસોને તંબુ કે ઝૂંપડાના અગ્રભાગે મેરના પીંછાંનો બનાવેલો સાવરણું યા પંખો બંધેલો હોય છે.
આ દાખલો એટલા માટે ટાંકા છે કે આપણને એ શાસ્ત્રવચનમાં અતૂટ શ્રદ્ધા બેસે કે મેરને જોઈને સર્ષ નાસી જાય છે તેમ શ્રી જિન પ્રતિમાજીના દર્શનથી પાપના પરમાણુઓ તત્કાલ વેરવિખેર થાય છે.”
સાકર મીઠી શા માટે લાગે છે? એ પ્રશ્નનો જવાબ એ છે કે મિઠાશ એ તેનો સ્વભાવ છે ! તેમ સર્વદોષરહિત પૂર્ણ શાન્તરાગમય વિધિવત્ પ્રતિષ્ઠિત જિન પ્રતિમાજીના દર્શનથી પાપના પરમાણુઓ તત્કાલ વેરવિખેર થાય છે.
શાન્ત રાગનું સ્વરૂપ ગહન છે. બધી જ ઈચ્છાઓના પૂર્ણવિરામ પછી જ તેનું પ્રાગટ્ય થાય છે.
અહીં આપણે જે વિચારવાનું છે, તે એ છે કે ન રેવાર, 2 ઘાનારાનમ' આદિ શાસ્ત્રવચનો સો ટચનાં છે, પાપ-પ્રતિઘાતી છે.
માટે દેવાધિદેવના પરમ દર્શનના અંગભૂત પ્રતિક્રમણમાં અપૂર્વ વિલાસ ફેરવવામાં જરા પણ કચાશ ન રાખીએ!
વાંદણમાં ૨૫ આવશ્યક ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ અણુજાણહ (૧) એ પદથી અવગ્રહમાં પ્રવેશવા માટે આજ્ઞા માગી ત્યાં મસ્તક નમાવવું એ પહેલું આવશ્યક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૭ (૨) મે મિઉગ્નડું નિશીહિ' બીજુ આવશ્યક છે.
(૩) “ખમણિ જે ભે!” ઈત્યાદિ કહેતાં કરસંપુટ રચી મસ્તકે લગાડે તે ત્રીજુ આવશ્યક છે.
(૪) અહો-કાર્ય-કાય એ ત્રણ પદથી ત્રણ આવશ્યક તેમજ બીજીવારના વાંદણાનાં એ જ ત્રણ એટલે નવ થયાં.
દસ આંગળી ભેગી કરીને ગુરુસ્થાને સ્થાપવાની જેમ થાપ મારતાં દસે આંગળી અડે છે, તેમ હળવેથી પશે. તેમ કરતાં અ” અક્ષર બેલવો, લલાટે અડાડતાં હે બોલવો, પછી “કાય તે રીતે કાયસંસ બીજી વાર પણ બેલે.
સાધુ ભગવંતે એઘામાં ગુરુની સ્થાપના કરે છે, મુહપત્તિ પગ પર મૂકે છે કારણ કે તેમને ગુરુને સીધો (Direct) સ્પર્શ કરવાનો છે. શ્રાવકથી સીધો સ્પર્શ ન થઈ શકે માટે વચ્ચે મુહપત્તિ રાખી તેમાં સ્થાપના કરે છે.
જતા ભે! રજવણિ જંચ ઉભે એ ત્રણ પદ ઉચ્ચારતાં પાછાં ત્રણ આવશ્યક એટલે બાર આવશ્યક થયાં.
બીજે વાંદણે ફરી એ જ ત્રણ એટલે પંદર થયાં. આમાં પણ “જ” અક્ષર બેલતાં ઉન્નત હાથ વચ્ચે અદ્ધર રહે અને “ભે અક્ષર બોલતાં તે હાથને લલાટે લગાડવો, એમ જવણિ” તથા “જજ ચલે' અક્ષરો પણ ઉચ્ચારતાં “સંફાસ પદ બેલીને ઉન્નત હાથ મુહપત્તિ પર સ્થાપી તેને માથું અડે તેમ કરવું.
ખામેમિ ખમાસમણે ઈત્યાદિ બેલતાં મસ્તક અડાડવું એમ સત્તરમું આવશ્યક થયું. તેમાં બીજી વારના વાંદણું ગણતાં બે ઉમેરાતાં ૧૯ થયાં.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ‘નિસીહિ કહેતાં અવગ્રહમાં પેસે તે એક અને બીજી વારનું ગણતાં બે, એ રીતે કુલ ૨૧ થયાં.
આવસિસઆએ” એ પદ કહેતાં અવગ્રહથી પાછા નીકળવું એ ૨૨, કારણ કે બીજી વારના વાંદણે બહાર નીકળવાનું હેતું નથી.
અને મન (ર૩), વચન (૨૪) અને કાયાને (૨૫) યોગો સ્થિર રાખવા-આ રીતે સુગુરુ વંદના સૂત્રમાં ૨૫ આવશ્યક વાંદણાનાં થયાં. તે વાંદણું દેતાં ધ્યાનમાં રાખવું જોઈએ.
પ્રતિક્રમણ-સૂત્રોનું આત્મશુદ્ધિમાં જેટલું ઉપકારક મહત્વ છે, તેટલું જ તેની વિધિનું પણ છે.
એટલે અહીં વિધિનું વિવરણ કર્યું છે. આ સમગ્ર વિધિ આત્માન કર્યગ્રસ્ત પ્રદેશોમાં અપૂર્વ ઝંકાર પિદા કરવાની ક્ષમતાવાળી છે. યોગના આઠ અંગેનો અનાયાસે અભ્યાસ પમાડનારી છે. ક્ષિપ્તવિક્ષિપ્ત ચિત્તને ધીમે ધીમે સુલીન’ બનાવનારી છે. અહિતકર બહિર્મુખતાને નાથનારી છે.
માટે જ તેના બહુમાનમાં શાસ્ત્રો અને શાસનપતિનું સાચું બહુમાન સમાયેલું હોવાનું ઉપકારી ભગવંતો સ્પષ્ટપણે ફરમાવે છે.
એટલે વિધિને સહેજ પણ ઓછી આંકીશું તે પાપરસિકતાને ઓ છે ઘસારે પહોંચશે અને પ્રતિકમણના શાસ્ત્રોક્ત પરિણામથી વંચિત રહીશું.
વધુ શું કહું ? આ ભવને ચરમભવના બીજરૂપ બનાવવાની ઉત્કૃષ્ટ અભિલાષા પ્રત્યેક આરાધકના સમગ્ર મનમાં પૂનમના ચન્દ્રની જેમ ઝળહળે! X X
X
Jain Educationa International
For Personal and Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રતિકમણ પ્રશ્નોત્તરી પડતા આ કાળમાં જીવને ચઢતે પરિણામે પ્રતિક્રમણ કરવાની તાલાવેલી લાગે તેમજ પ્રતિક્રમણ અને સામાયિક વિષયક સંશયાદિ નિમ્ળ થાય, તે આશયથી આ પ્રશ્નોત્તરી પ્રસ્તુત કરી છે.
પ્રશ્ન–૧. સામાયિક લેતી વખતે મન-વચન-કાયાથી સાવદ્ય વ્યાપાર ન કરવાની, ન કરાવવાની, ન અનુદવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે, છતાં મન તે વશ થતું નથી તે પ્રતિજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ?
જવાબ:-શ્રી જૈન શાસનમાં સામાયિક આદિ પ્રત્યેક વતના ૧૪૭ વિકલ્પ માનવામાં આવ્યા છે.
(૧) મનથી, વચનથી અને કાયાથી (એક ત્રિક સંગી)
(૨) મનથી, વચનથી, (૩) મનથી, કાયાથી, (4) વચનથી, કાયાથી. (આ ત્રણ દ્વિક સંગી)
(૫) મનથી, (૬) વચનથી, (૭) કાયાથી. (આ ત્રણ અસંગી)
એ રીતે સાત વિકલ્પ, કરવું–કરાવવું–અનુમોદવું એ ત્રણ વેગને ૭૭=૪૯ તેને ત્રણ કાળે ગુણતાં ૧૪૭ થાય. એમાં લીધેલા કેટલાક વિકપનું પાલન થાય, અને બીજા વિકનું પાલન ન થાય તે પણ પ્રતિજ્ઞાને સવશે ભંગ થયે ગણાય નહિ, માનસિક ભંગ થાય છે તેને અતિકામ કે વ્યતિકેમ માન્ય છે, પણ અનાચાર કહ્યો નથી.
અતિક્રમાદિ દેનું નિંદા, મહી, આલેચના અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રતિકમણ વડે શુદ્ધિકરણ થઈ શકે છે. - દેલવાળું કરવા કરતાં ન કરવું સારૂં? તે વચનને શ્રી જૈનશાસનમાં ઉત્સુત્ર કહે છે.
બાળક પડતાં–આખડતાં જ ચાલતાં શીખે છે, તેમ સર્વદોષરહિત અનુષ્ઠાન પણ ભૂલવાળા અનુષ્ઠાને કરતાં-કરતાં શીખાય છે.
કઈ પણ કાર્યને પ્રારંભમાં તત્કાલ સફળતા કે સિદ્ધિ સાંપડતી નથી. જે સાંપડતી હતી તે પ્રણિધાન, પ્રવૃત્તિ વિજય, સિદ્ધિ અને વિનિગ એ પંચક જ્ઞાની ભગવંતોએ ન પ્રરૂપ્યું હતું.
માટે આ નકારાત્મક વલણ ધર્મારાધનામાં ભારેભાર અહિતકર છે.
પ્રશ્ન-૨: પાપનું પ્રતિકમણ કરીને ફરીથી પાપનું સેવન કરવું તે માયાચાર નથી? - જવાબ–૨: પાપનું પ્રતિક્રમણ કરીને ફરીથી તે પાપનું પૂર્વવત્ ભાવે સેવન કરવું તે માયાચાર ખરે, પણ આ રીતેય વારંવાર પ્રતિક્રમણ કરવાથી, કરનાર આત્માને અનુબંધ પાપને નહિ, પણ પાપ નહિ કરવા પડે છે, પાપ નહિ કરવાને અનુબંધ તેને એક વખત સર્વથા પાપ નહિ કરવાની કક્ષાએ પહોંચાડે છે. છે. માટે માયાચારને મુખ્ય બનાવીને પ્રતિક્રમણને ગૌણ કરવામાં આવે તે માયાચાર ઘટે નહિ, પણ વધે, કારણ કે પ્રતિક્રમણ કરતા. રહેનારને ક્યારેક માયાચાર ખટકે છે તેમાં રસ ઓછો પડે છે, પણ નહિ કરનારને તે માયા વધુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પકડમાં લે છે.
પ્રશ્ન-૩ઃ પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શી જરૂર?
જવાબ-૩ઃ સમ્યકત્વ સામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકએમ ચાર પ્રકારનાં સામાયિક છે.
સમ્યકત્વ સામાયિક=મિથ્યાત્વ મળને અપગમ અને જિનવચનમાં અતૂટ શ્રદ્ધા.
શ્રુત સામાયિક=જિનેક્ત તત્ત્વનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેના દ્વારા પરિણમનો અવિપરીત બેધ.
“અવિપરીત બેધ”=શુદ્ધ આત્મ–સ્વભાવાનુકૂળ બેધ. દેશવિરતિ સામાયિક-પાપને આંશિક નિવૃત્તિરૂ૫
પુરુષાર્થ
સર્વવિરતિ સામાયિક પાપથી સર્વથા નિવૃત્ત થવાનો પુરુષાર્થ.
આ ચારેય પ્રકારના સામાયિકથી રહિત થવું તે ઔદયિક ભાવ છે. અને ઔદયિક ભાવમાં પ્રતિક્રમણ થઈ શકતું નથી, માટે પ્રતિક્રમણમાં પ્રથમ સામાયિક લેવાની જરૂર છે.
પ્રતિક્રમણ એ સાધન છે અને સામાયિક એ સાધ્ય છે.
પ્રશ્ન–૪:-પ્રતિકમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાજનક લાગે છે, તે તેને ટૂંકી કરવાની કોઈ રીત છે? અથવા તે પ્રતિક્રમણના બદલે કોઈ સામાયિક–સ્વાધ્યાય કરે તે ચાલે?
જવાબ-૪? આ પ્રશ્ન સંસારસિક જીવોની ઉપજ છે. તેમ છતાં તેનો સંતોષકારક જવાબ નીચે મુજબ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સીનેમારસિક જીવ ભરબપોરે સીનેમાની ટિકિટ લેવાની લાંબી હરોળમાં કલાક સુધી ઉભો રહી શકે છે. પણ કંટાળતું નથી કે થાકતું નથી.
| ક્રિકેટરસિય જીવ ક્રિકેટની મેચની કોમેન્ટ્રી સાંભળવામાં ભેજન લેવાનું પણ ભૂલી જાય છે.
- ધનલેલુપ જવ, ઘરાકની પ્રતીક્ષામાં કલાકો બરબાદ કરવા છતાં કંટાળતું નથી.
તો પછી આત્માને શુદ્ધ કરવાના મંત્રતુલ્ય સૂત્રો ભણતાં સાંભળતાં, જેમાં માંડ એક, બે કલાક ગાળવા પડે તે પ્રતિક્રમણ ધર્મરસિક જીવને તો લાંબુ અને કંટાળાજનક ન જ લાગે. પણ ટૂંકું અને પ્રમેદવર્ધક જ લાગે.
મૂળ સવાલ રસ જાગવાનો છે. બધે ભાવ-રસ સાંસારિક સુખને આપી દેનારને પ્રતિક્રમણ આદિ ઉત્તમ ધમનુષ્ઠાનોમાં ભાવ ન જાગે કે રસ ન પડે તેમાં દોષ કેને?
ઉભય સંધ્યાએ વિધિ-બહુમાનપૂર્વક કરાતા પ્રતિક્રમણનું આગવું આધ્યાત્મિક મૂલ્ય છે તે ભૂલવું ન જોઈએ.
સંધ્યાકાળ એટલે આવતા અને જતા સમયનો સંગમકાળ. આ કાળને અનંત-જ્ઞાનીઓએ ધર્મની આરાધના માટે શ્રેષ્ઠ કાળ કહ્યો છે. કારણ કે તે આરાધકને આરાધનામાં શેષકાળ જેટલો સહાયક થાય છે તેના કરતાં આ કાળ બાવીસ ગુણે અધિક સહાયક થાય છે. માટે એક રૂચિમતિવાળા બે જણને બાવીસ બરાબર ગણ્યા છે.
એટલે પ્રતિકમણની ક્રિયાને ટૂંકી કરવાની વાત, જે આત્માને પિતાનો સંસાર લંબાવ હોય તેને જ ગ્રાહ્ય લાગે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૩
છે. જેને પિતાના આત્માનો સંસારવાસ ઝડપથી ખત્મ કર છે, તે પુણ્યાત્માને તે બે કલાકનું પ્રતિક્રમણ પણ ટુંકું લાગે છે. . પ્રશ્ન-૫ : પ્રતિકમણની ક્રિયામાં છ આવશ્યકની શી જરૂર છે ?
જવાબ-પઃ પ્રતિક્રમણ જેમ સામાયિકનું અંગ છે, તેમ બીજા આવશ્યક પણ સામાયિકનાં અંગો છે. અંગ વગર અંગી ખોડો લાગે છે, એટલું જ નહિ, પરંતુ તે અંગ વગરની લાચાર દશામાં શેષ જીવન રોઈ રોઈને પૂરું કરે છે. તે જ રીતે જે સામાયિકના અંગભૂત પ્રતિક્રમણમાંથી છ પૈકી કોઈ એક આવશ્યક પણ બાકાત કરી દેવાય તો સામાયિક ખોડંગાય તે નિર્વિવાદ હકીકત છે.
પ્રશ્ન-૬ઃ એક પ્રતિકમણું” ને બદલે પાંચ પ્રતિક્રમણ કેમ રાખ્યાં ?
જવાબ–૬: પાંચ પ્રતિક્રમણ રાખ્યાં નથી, પણ ખરેખર છે જ.
(૧) દેવસિય (૨) રાઈ (૩) પાક્ષિક (૪) ચાતુર્માસિક (૫) સાંવત્સરિક.
આ પાંચ પ્રતિકમણનું આયેાજન સ્વયં શ્રી શાસનપતિએ, આ પાંચમાં આરાના આ ક્ષેત્રના જીના આત્યંતિક હિતના આશયથી કર્યું છે.
એ કઈ જૈન ભાગ્યે જ હશે કે જે સંવત્સરી – પ્રતિક્રમણ ન કરતો હોય અને એ કેઈ બારવ્રતધારી સુશ્રાવક ભાગ્યે જ હશે કે જે ઉક્ત પાંચે પ્રતિક્રમણ ન કરતે હાય, જ્યારે પૂ. સાધુ, સાધ્વીજી મહારાજે તે નિયમાં કરે જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૪
એટલે જો આ પાંચ પૈકી એકાદ પ્રતિક્રમણ એછું કરી દેવાય, તેા આરાધક વર્ગને ભારે અજા થાય. ‘ આછું’ આવે. કારણ કે પાંચે પ્રતિક્રમણ દ્વારા આરાધકે દિવસનાં, રાતનાં, પખવાડિયાનાં, ચાર માસનાં અને આખા વર્ષનાં પાપેાની નિંદા-ગહાઁ--આલેાચના કરે છે ત્યારે જ તેમના જીવને ટાઢક વળે છે.
પ્રશ્ન-૭ –પ્રતિક્રમણ તેા ક્રિયારૂપ છે, તેમાં અધ્યાત્મની સિદ્ધિ શી રીતે ?
જવાબ-૭, પોંચાચારનું ઉપયોગપૂર્ણાંક પાલન--એ જ અધ્યાત્મ અને ધ્યાન છે.
પ'ચાચાર એટલે જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર.
આ પાંચ આચારનું અપ્રમત્તપણે પાલન કરવાથી આધ્યાત્મિક સિદ્ધિના ચરમ શિખરરૂપ મેાક્ષ સધાય છે. પ્રશ્ન-૮: પ્રતિક્રમણની ક્રિયામાં ચૈાગ ક્યાં છે ?
જવાબ−૮ : પ.પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા (ચેાગવિશિકા' નામના ગ્રંથરત્નમાં રમાવે છે કેमुक्खेण जोयणाओ जोगो सव्वो धम्मवावागे । '
પૂ. ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજા ફરમાવે છે કે-મોક્ષે ચોનનયોગ: સાડત્ત્વાચાર ચલે કે’ અર્થાત્ જીવને પરમ સુખ સ્વરૂપ મેાક્ષની સાથે સબંધ કરાવી આપનાર સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર એ ાગ છે. ખીજા શબ્દોમાં કહીએ તા મેાક્ષના કારણભૂત આત્મવ્યાપાર એ જ ખરેખરો યોગ છે. અથવા ધમયવાત્વમેવ ચોટ્યમ્ ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૫
ધર્મવ્યાપારપણું એ જ યાગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિક્રમણની ક્રિયામાં સર્વાંશે લાગુ પડે છે, તેથી પ્રતિક્રમણની ક્રિયાએ સાચી મેાક્ષસાધના છે.
વ્યાપાર ’શબ્દથી ભડકવાની કે ભવાં ચઢાવવાની જરૂર નથી, કારણ કે આ વ્યાપારમાં જ જીવને, ભવપાર કરવાની અચિન્હ શક્તિ છે.
શુદ્ધ આત્મત્વભાવમાં રમણુતા, આ ધર્મ વ્યાપારના પ્રતાપે જ કેળવાય છે. અને ચાગ' પણ સાચા તે જ કે જે જીવને મેાક્ષનો યોગ કરાવીને સ`સારનો વિચાગી મનાવી શકે. પ્રતિક્રમણની સઘળી ક્રિયામાં આવા ચેગનો, સુયેાગ અદ્દભુત રીતે કરાવી આપવાની ક્ષમતા હોવાથી તેમાં સાકરમાં રહેલી મિઠાશની જેમ ભારાભાર યાગ રહેલે છે.
પ્રશ્ન-૯ :-પાંચ પ્રતિક્રમણ સિવાય, ખીજા પ્રતિક્રમણ છે કે નહિ ?
જવાબ-૯ :-પ્રતિક્રમણુ તે સખ્યાબંધ છે. પરતુ સકળ શ્રી સઘના હિતમાં પાંચ પ્રતિક્રમણ સમૂહમાં કરવાનાં છે. સમૂહમાં પ્રતિક્રમણ કરવાથી સામુદાયિક પાપનો નાશ થાય છે.
સામુદાયિક પાપ સ`સારમાં અનેક પ્રકારે બંધાય છે. લગ્ન, સીનેમા, ટી.વી., આદિ સામુદાયિક પાપનાં કારણુ છે. બાકી તે વ્યક્તિગત પ્રતિક્રમણ બાવન છે. જેમકે • ભવ-આલેાચના.’ મિચ્છામિ દુક્કડમ વગેરે. પ્રશ્ન-૧૦:-દરેક પ્રતિક્રમણમાં કરેમિ ભ`તે ’
સૂત્ર
વારવાર કેમ આવે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જવાબ ૧૦૩- કરેમિ ભંતે” દરેક પ્રતિક્રમણની અ ંદર ત્રણે ગમની શરૂઆતમાં આવે છે.
પ્રથમ ગમ-અતિચારની ગાથાઓના કાઉસગ્ગ માટે,
બીજો-પ્રતિક્રમણ માટે, વદિત્તુ સૂત્રમાં ખેલવામાં આવે છે તે અને ત્રીજો ગમ પ્રતિક્રમણ થયાં પછી. એટલે વંદિત્તુ મેલ્યા પછી વિશેષ શુદ્ધિ માટે કાર્યાત્સગ કરવા માટે છે. કોઈ પણ ઠેકાણે ત્રણ વખત ખેલવાથી વસ્તુ વધુ દૃઢ થાય છે.
પ્રથમ, અતિચારની આલોચના કરવાથી દોષ યાદ આવે છે, તે યાદ આવેલા ઢાષાનું પ્રતિક્રમણ સારી રીતે થાય છે. પછી દોષની રજ પણ રહેવા ન પામે, વિશેષ શુદ્ધિ થાય તે માટે કાાત્સગ અર્થે કરેમિ ભંતે’ ખેલાય છે. પ્રશ્ન ૧૧ :- કરેમિ ભંતે’ સૂત્રમાં આવશ્યક કેવી રીતે સમાયેલાં છે ?
"
જવાબ ૧૧ :-આ સૂત્રમાં છ આવશ્યકની રચના ગૂથાયેલી છે.
(૧) ભંતે શબ્દથી ચતુર્વિશતિ સ્તવનું પ્રથમ આવશ્યક-સૂચક છે.
(ર) ગુરુવંદન ખીજુ` આવશ્યક સૂચવે છે ‘સામાઈઅ', પચ્ચકખાસિ, પડિઝમામિ, અપ્પાણ વાસિરામિ એ ચારે પદો (૩) સામાયિક, (૪) પચ્ચકખાણુ, (૫) પ્રતિક્રમણ અને (૬) કાઉસગ્ગ એમ છએ આવશ્યકની સૂચના સ્પષ્ટ રીતે કરે જ છે.
આત્માની શુદ્ધિ માટે જે ખરેખર આવશ્યક છે, તેને આવશ્યક કહે છે. અર્થાત્ એ છ આવશ્યક અવશ્ય કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૭ જેવાં છે, માટે પ્રતિકમણ પણ અવશ્ય દરેકને કરવા જેવું છે.
પ્રશ્ન-૧૨ ઃ દેવવંદનના ચાર થોયના જેડકામાં– સદ્ધાએ, મેહાએ, ધિઈએ. ધારણુએ, અણુપેહાએ વમાએ કામિ કાઉસગ્ગને અર્થ છે ? અને તે એક જેડકાને બદલે ત્રણ જેડકામાં કેમ બોલાય છે?
જવાબ-૧૨ : સદ્ધાએ–એટલે શ્રદ્ધાથી. બળાત્કાર વિના-મનની રૂચિપૂર્વક
મેહાએ–એટલે મેધાથી. મેધા એટલે સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે તને ઝીલી શકે તેવી બુદ્ધિ. અતત્ત્વને ગ્રહણ ન કરે તેવી બુદ્ધિ.
ધિઈએ એટલે ધીરજથી. ધીરજથી એટલે બુદ્ધિને રાગદ્વેષાદિ રજથી મુક્ત રાખીને.
ધારણુએ એટલે ધારણાથી એટલે મનને શ્રી અરિહંત પરમાત્મામાં પરોવીને, આડું અવળું રખડવા જવા દીધા સિવાય
આણુપેહાએ એટલે અનુપ્રેક્ષાથી. અનુપ્રેક્ષા એટલે તાત્વિક વિચારણા.
વડુંમાણીએ એટલે વધતા જતાં પરિણામથી.
ઠામ કાઉસ્સગ્ગ એટલે કાત્સર્ગ–કાયાના ત્યાગમાં સ્થિતિ. મૌન અને ધ્યાન વડે સ્થિર થાઉં છું.
એક જોડકામાં ન બેસવાનું કારણ ચોથા જેડકામાં દેવતાની સ્તુતિ છે. જ્યારે ત્રણ જેડકામાં શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ છે.
તે સ્તુતિ શ્રદ્ધાથી, મેધાથી, ધીરજથી, ધારણાથી અને અનુપ્રેક્ષાથી આત્માના વધતા જતા પરિણામોથી કરવી તે જ
"CUS
.
'
Jain Educationa International
For Personal and Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૮ સાચું ધ્યાન છે, સાચે કાત્સર્ગ છે.
જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી. તેમ શ્રદ્ધામાંથી મેધા, મેધામાંથી ધીરજ, ધીરજમાંથી ધારણા, ધારણામાંથી અનુપ્રેક્ષા અને તેમાંથી પ્રગટતી વિશુદ્ધ પરિણામની ધારા એ ઘી છે.
વૃત (ઘી) ને આયુષ્ય કહે છે. તે જ રીતે ઉક્ત ઘી આત્માનું આયુષ્ય છે. ચંકશે નહિ સ્પષ્ટતા કરૂં છું અને તે એ કે-કાયેત્સર્ગથી પરાકાષ્ઠારૂપ આ ઘી આત્માને જન્મમરણના ચકકરમાંથી છેડાવીને અમર-સિદ્ધપદે સ્થાપે છે. એટલે તેને આત્માનું આયુષ્ય કહ્યું છે. દેહનું આયુષ્ય મર્યાદિત છે. જ્યારે આ આયુષ્ય અક્ષર છે.
સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાથી આ વિધાન હૃદયગત થશે.
નહિ મરવાના આત્માના સ્વભાવને પરાભક્તિરૂપી આ ઘી પરમપદનું પરમ સૌભાગ્યવંતુ અક્ષય આયુષ્ય પ્રદાન કરે છે, જેને કાળ પણ કાંઈ કરી શકતું નથી.
૮૦–૧૦૦ વર્ષના આયુષ્ય પછી પણ મેટા ભાગના માનવ-પ્રાણીઓને મરવાની વાત સાંભળતાં પણ ભારે દુઃખ થાય છે, મતલબ કે બધા જીવોને અમરત્વ ગમે છે. એ અમરત્વ આ સૂત્રમાંના શ્રદ્ધા આદિ શબ્દના અર્કરૂપ કાર્યોત્સર્ગ દ્વારા આત્મા કાળક્રમે પામી શકે છે.
પ્રશ્ન ૧૩:-પ્રતિક્રમણમાં તપ, ત્યાગ, ગ, ભક્તિ વગેરે સમાયેલાં છે, તે કેવી રીતે? . જવાબ ૧૩ –પ્રતિક્રમણ કરનારને સવારના (રાઈ) પ્રતિક્રમણમાં નવકારશીનું પચ્ચક્ખાણ અને સાંજના (દેવસિય)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૯
પ્રતિક્રમણમાં ચેાવિહાર યા તિવિહારનુ પચ્ચક્ખાણુ કરવું પડે, તે તપધમ નુ પહેલું પગથિયું છે. એ ઘડીનુ સામાયિક એ ચારિત્રધમ નું પગથિયું છે. સામાયિકમાં સ્વાધ્યાય આવી જાય છે. દેવવ'દનમાં પ્રભુજીના ચૈગ સમાયેલો છે. અને દેવ, ગુરુ અને ધમાઁ એ ત્રણ તત્ત્વમાં પણ ધર્માંતત્ત્વ આચરણાથી આરાધી શકાય છે. દેવ, ગુરુ તત્ત્વની ભક્તિ સેવાથી આરાધી શકાય છે, આત્માના બહુમાનથી કરી શકાય છે. આ બધુ' પ્રતિક્રમણમાં સહજ રીતે સમાયેલું છે.
પ્રશ્ન-૧૪ :-પ્રતિક્રમણુમાં ભગવાનના વંદનના મલે ચૈત્યવંદન ’ નામ કેમ આપ્યું ?
જવાબ-૧૪: ધર્મની શરૂઆત કરવાનું સહુથી પહેલું શ્રેષ્ઠ સાધન ચૈત્ય છે. ચૈત્ય દ્વારા દેવાધિદેવની પ્રતિમાને દેવાધિદેવને વંદન થાય છે. વ્યવહારમાં ખેલાય છે– ઘી નો ઘાડવો.' ઘાડવા હાય છે માટીનો છતાં કહેવાય છે ઘીને ઘાડવો, તેમ કરાય છે વંદન પણ ખેલાય છે ચૈત્યવ'દન.
ચૈત્યના એક અય જિનાલય થાય છે અને તેને થતાં વંદુનમાં જિનવ ધ્રુના આવી જાય છે. તેથી ભાવિકો જિનાલયના શિખરે ફક્તી ધજાને જોઈ ને પણ વંદન કરે છે.
પ્રશ્ન-૧૫ : સાધુએ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિએ કેમ ખોલે છે ? દેવતાએ ચાથા ગુણસ્થાનકે છે. જ્યારે સાધુએ ઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકે છે. તે। છઠ્ઠા યા સાતમા ગુણસ્થાનકવાળા ચોથા ગુણસ્થાનકે રહેલાની સ્તુતિ
કેમ કરી શકે ?
જવાબ ૧૫ ઃ- કોઈ પણ જીવના નાનામાં નાના ગુણની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૦ પણ અનુમોદના કરવાનું વિધાન જેનશાસ્ત્રોમાં છે એટલે તેને તે ગુણને કૃતજ્ઞભાવે માથે ચઢાવવામાં નાનમ કે લાઘવતા નથી પણ વિવેકપૂર્ણ વિનમ્રતા છે. - શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતા સાધુઓને મેક્ષમાર્ગની આરાધનામાં અંતરાયભૂત ન નીવડવારૂપે સહાય કરે યા અંતરાય નિવારવારૂપ સહાય કરે તે માટે તેમની સ્તુતિ બોલવામાં આવે છે.
–તે પ્રશ્ન એ થશે કે સાધુજીને આવી સહાયની જરૂર ખરી ?
છદ્મસ્થાવસ્થામાં રહેલા સાધકને આવી સહાય એટલા માટે જરૂરી છે કે તેના વડે તે મેક્ષમાર્ગમાં આગળ વધી શકે,
સમર્થ પ્રવાસીને પણ ભેમિયાની સહાય લેવી પડે છે, ભલે પછી એ ભેમિયો ગુણમાં એ પ્રવાસી કરતાં ઉતરતે હોય. અહીં મુખ્ય મુદ્દે ગુણસ્થાનકનો નથી, પણ મેક્ષમાર્ગની આરાધનાનો છે. અને તેમાં એક શ્રી તીર્થંકર પરમાત્મા સિવાય, સર્વ કક્ષાના ધમરાધકોને અન્ય કોઈની સહાય ન લેવાનો એકાંત આગ્રહ ગેરબંધારણીય છે. હા, તેમાં એટલી ચોકસાઈ અવશ્ય રાખવી જોઈએ કે-“હું શ્રુતદેવતા યા ક્ષેત્રદેવતાની સ્તુતિ ઐહિક કોઈ કામનાથી તે કરતા નથી ને?” - મેક્ષના પ્રણિધાનને વધુ સુદઢ બનાવવાના શુભાશયથી કરાતી આવી સ્તુતિ કરવાથી સમ્યકત્વને ડાઘ લાગે એવી જે માન્યતા કયાંક ક્યાંક પ્રવતે છે, તે “જકારાત્મક હેવાથી અનેકાન્ત મતિવંત મહાપુરુષેએ આવકારી નથી.
આપણે જાણીએ છીએ કે એક કિશોર પણ પત્થરના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૧
એક ઘા વધુ કિંમતી રત્નના ટૂકડે ટૂકડા કરી નાખે છે. તેમ દેવતાઓમાં ધર્મમાં સહાયક થવાની શક્તિ ભલે ઓછી હોય, પણ પેલા કિશારની જેમ તાડફાડ કરવાની શક્તિ તે ઘણી જ છે. એટલે તેઓ આવું કશું મેક્ષમાના આરાધકને ન કરે તે આશયથી તેમને યાદ કરવામાં લવલેશ અશાસ્ત્રીયતા નથી. જો હોત તે તેને સ્વીકાર જ્ઞાનીએએ ન કર્યો હોત.
અહીં જિનકલ્પી સાધુભગવંતના દાખલો અપ્રસ્તુત છે. ઉપસ`હાર :-શ્રી જિનવચનમાં નિઃસમ્રુદ્ધ બુદ્ધિ કેળવીને જ કેઈપણુ જીવ શિવપુરીના મહામંગળકારી પથે સુખરૂપે પ્રયાણ કરી શકે છે.
આવી બુદ્ધિને સદ્બુદ્ધિ કહી છે અને આવી બુદ્ધિવાળાને સુબુદ્ધિમાન કહ્યો છે.
જો આપણે આવા સુબુદ્ધિમાન હાઈ એ તે આપણને પાપના નાશ કરનારી અમેાઘ આધ્યાત્મિક શક્તિના સાગર સમાન સામાયિકમય પ્રતિક્રમણ રોજ અપૂર્વ ઉમંગે કર્યાં સિવાય ચેન ન પડે, ઉંઘ અકારી લાગે. ભૂખ ભૂંડી લાગે જ લાગે. રોજ આપણે જે પાપો કરીએ છીએ તેની જો પાકી નોંધ રાખીએ તે તેને ખટકે આપણને આ પ્રતિક્રમણ
કરાવીને જ જંપે.
પણ દેશકાળના નામે પાપોની ઉપેક્ષા કરવાનો જે ઉન્માદ ઠેર-ઠેર પ્રવતે છે, તેની અસર તળે આવીને અનેક ભેાળા અજ્ઞાન, સંસારરસિક જીવો પાપને ઝેરી સાપ જેટલું પ પ્રાણઘાતક માનવામાં નબળાઈ સમજે છે.
અનત શક્તિશાળી આત્માના કોઈ એક પ્રદેશને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પાપ વડે કલંકિત કરવામાં કયું ડહાપણ છે?
ઉપલક સ્વચ્છતાનો આગ્રહ રાખીને આપણે આત્માનેઆત્મશુદ્ધિને, આત્માના ગુણેને શી રીતે અપનાવી શકીશું?
છાપા, રેડિઓ, ટી.વી., સીનેમા, આપવડાઈ, પરનિંદા, રસકથા, સ્ત્રીકથા વગેરેને આપવા માટે પૂરતો સમય આપણું પાસે છે, તે પછી શું જિનેક્ત ધર્મને આપવા માટે આપણી પાસે સમય નથી?
સમજાતું નથી કે કેવા વિષચક્રમાં આપણે અટવાયા છીએ ?
જેને જીવનમાં અગ્રીમતા આપવી જોઈએ, તેને જ નંબર છેલ્લો! અને જેનો ત્યાગ કરવો જોઈએ તેને માથે ચઢાવીએ?
કહો! પાપ કરવા જેવું ખરૂં? જે, ના તે કબુલવું પડશે કે ધર્મ અવશ્યક કરવા જેવો છે. તે કબૂલાત પછી પ્રતિક્રમણુદિ ન કરીએ તે આપણી કબૂલાત એક માયાચાર ઠરે.
પાપથી પાછા પડવામાં જ સાચું શૂરાતન છે. પાપને પ્રણામ કરવા તે તે નાશીરૂપ નિર્માલ્યતા છે, નામદાઈ છે.
ક્યાં ઘરનું વાતાવરણ અને ક્યાં ઉપાશ્રયનું વાતાવરણ. બંને વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. તેમ છતાં ઉપાશ્રયમાં જવાનો ઉત્સાહ ન જાગે તે માનવું પડે કે, મારો જીવ પણ વિષ્ટાના કીડા જેવો છે. કે જેને ચોકખું પાણી નથી ગમતું.
ઉત્તમ ક્ષેત્રનું આત્મોપકારી મહત્ત્વ સમજીને પણ ઉપાશ્રયે જવાની રૂચિ દઢ બનાવી દઈશું તો ઘર, દુકાન કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૩
સીનેમાઘરો વગેરેમાં જીવ જરાય નહિ કરે.
બાળકનું હૃદય માતાના ખોળે ઠરે છે, તેમ આરાધકનો જીવ ધ ક્ષેત્રોમાં અને ધર્મોનુષ્ઠાનોમાં ઠરે છે.
રેતી પીલવાથી તેલ નથી નીકળતું, તેમ સાંસારિક વાતોમાં રચ્યાપચ્યા રહેવાથી આત્માનું હિત નથી સધાતું.
માટે સ'સારને સમય આપવામાં ખૂબ કંજુસાઈ કરવી જોઈએ. ધમ ને સમય આપવામાં ખૂબ ઉદાર બનવુ. જોઈ એ.
ધર્માંને સમય આપવો એટલે સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, જિનભક્તિ, ગુરુભક્તિ, શ્રુતભક્તિ, તી ભક્તિ, સંઘભક્તિ, સાધમિકભક્તિ આદિને સમય આપવા તે.
માટે હું પુણ્યાત્માએ ! પ્રભુજીના શાસનની સાચી ભક્તિના અંગભૂત પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનામાં સમય, શક્તિ અને બુદ્ધિને સમર્પિત કરવામાં લવલેશ કૃપણુતા ન દાખવશો.
પરમાત્માના પરમ કલ્યાણકારી શાસનને પામીને સવ જીવો વહેલા વહેલા મેાક્ષને પામે !
શિવમસ્તુ સર્વ જગતઃ
ઢાષાઃ પ્રયાન્તુ નાશમ્,
X
પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા,
Jain Educationa International
સર્વત્ર સુખી ભવતુ લોકઃ
X
For Personal and Private Use Only
×
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની સજ્ઝાય
કર પડિમણુ` ભાવ, દેય ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, શંખલ સાચુ જાણુ લાલ રે... કર૦ ૧
૧૪૪
શ્રી વીરમુખ ઈમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતિ જાણુ લાલ રે; લાખ ખાંડી સેાનાતણી, ક્રિયે દિન પ્રતિ દાન લાલ રે....કર૦ ૨
લાખ વરસ લગે તે વળી, જો ક્રિયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકના તેલે, નાવે તેહ લગાર લાલ રે....કર૦ ૩ સામાયિક ચવિસત્થા, ગુરુવંદન દોય વાર લાલ રે; મત સભારો આપણાં, તે ભવ કમ નિવાર લાલ રે....કર૦ ૪ કરો કાઉસગ્ગ શુભ ધ્યાનથી,પચ્ચક્ખાણ શુદ્ધ વિચાર લાલ રે; દાય સધ્યાએ તે વળી, તાળા ટાળે અતિચાર લાલ રે....કર૦ ૫
શ્રી સામાયિક પસાયથી, લહિયે અમર વિમાન લાલ રે; ધમસિંહ સુનિ એમ ભણે,એ છે મુકિત નિદાન લાલ રે....કર૦ ૬
Jain Educationa International
×
×
For Personal and Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
જાગ જાગ એ માનવ જાગ !
માનવી તારા આત્મામાં અનંત શક્તિ વહી રહી છે. તેની આળખાણ કરાવવા માટે વિશ્વમાં સતા અને મહુ, ગ્રંથા અને પથે, સમુદાય અને ધર્માં સતત ધર્માંપ્રવાહ વહેવડાવે છે.
જ્યારે આત્ય વિજેતા ખનવાની ભૂખ જાગે છે. ત્યારે માનવીના હૃદયમાં પાપના ડર, કરુણા, સદાચાર, પાપકાર, પરાકાષ્ટાએ ખીલી ખીલી ઉઠે છે.
રાજ યાદ કરવું જોઈએ કે મારે અજન્મા બનવું છે, મારે અવિનાશી પદ મેળવવું છે. મારે સિદ્ધ પદ મેળવવું છે.
જ્યારે આત્મવિશુદ્ધને પામવાના દૃઢ સ’કલ્પ થશે, ત્યારે, 'તરમાંથી એવી લક્ષ્મી છૂટશે જે ખુદને ખુદા બનાવશે, અને એ લક્ષ્મી જેના હાથમાં આવશે તેના હૈયામાંથી તુચ્છ નાશવત લક્ષ્મીના માહુ મરવા પડશે. માક્ષને પામવા તલપાપડ બનશે.
વાણીના પ્રવાહ એવા ખનશે જે તેને સાંભળશે તે પણ જગતમાં સુતત્ત્વાને ફેલાવવા કમર કસશે. એ માનવ જાગ !
જાગ જાગ
Jain Educationa International
મ
For Personal and Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્રને સારી રીતે સમજવા નીચેનું પુસ્તક સૌ પુણ્યશાળીઓએ વસાવી-વાંચવા જેવું છે. જેની અંદર લેખકે જૈનશાસનની ઊંડાણભરી વાતે હદયમાં સચોટ સમજાઈ જાય તેવી રીતે વર્ણવી છે.
આ પુસ્તકનું નામ : પંચપ્રતિક્રમણ સૂત્રાર્થ
કિંમત રૂા. ૧૨૫/પ્રકાશક : મહાવીર શાસન કાર્યાલય
શાક માર્કેટ પાસે, જામનગર. (સૌરાષ્ટ્ર)
ઘર ઘરમાં નીચેના માસિક વસાવે. જિનવાણી (પાક્ષિક) વાર્ષિક લવાજમ રૂ. ૩૦/વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) કલ્યાણ માસિક વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) મહાવીર શાસન
શાક માર્કેટ પાસે, જામનગર, શ્રી જિનશાસન (સાપ્તાહિક) વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________ પૂ. 5, શ્રી પ્રભાકરવિજયજી મ. સા. નાં પ્રકાશન 1 વિજ્ઞાન અને જૈનદર્શન ભા-૧ 17 માલાગ્ય નવકાર 2 વિજ્ઞાન અને જૈનદર્શન ભા-૨ 18 ફાધના દાવાનળ અને 3 ધર્મનું વિજ્ઞાન ઉપશમની ગગા 4 સંસ્કૃતિનું વિજ્ઞાન 19 દિવાળીમાં બાળકોનું કર્તવ્ય પ સાપેક્ષવાદનું વિજ્ઞાન 20 ક્રોધના દાવાનળ 6 જીવનનું અમૃત 21 ચિતન અને ચેતના 7 પ્રેમસૂરિ દાદા 22 જીવન અને ત્રતા 8 આતમવાદ 23 આચાર સંહિતા 9 શ્રમણાયામકનું ઝગમગતું | 24 રાત્રિભોજન કેમ નહિ ? 25 અદેશ્ય એટમાંખ 10 વલય ચિનગારી 26 પ્રતિક્રમણ રહસ્ય 11 પ્રેરણાની પરબ e પ્રેસમાં 12 જીવનમાં મૌનના ચમત્કાર સમતા સાગરની સફર 13 મહામંત્રનું રહસ્ય પાપથી પાછા હટીએ 14 ત૫ના તેજ પાપની આગ બુઝાવીએ 15 ચિતનનું ચૈતન્ય ધર્મની જ્યોત જગાવીએ 16 વીતરાગવાણી-એ સર્વ શ્રેષ્ઠ વિજ્ઞાન | Sીરને મોહન પ્રિન્ટરી, નવાપુરા નવીસડકે સુરત. For Personal and Private use only