SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રયમય આત્માની ભયંકર કુસેવા થાય છે. આત્માની કુસેવા કરવાથી સમગ્ર જીવલેાકના જિનેાક્ત આશયની સેવા કરવાની પાત્રતાથી ભ્રષ્ટ થવાય છે. તેના પરિણામે દેવદુલ ભ માનવભવ હારી જવાય છે. અંગારાને અડતાંની સાથે દાઝીએ છીએ. તેમજ મેાંમાંથી આયકારા' નીકળી જાય છે, જો દેહુપીડા આટલી પજવતી હોય તે આત્માને પીડનારા પાપને મન અડાડતાં ગભરામણ પણુ ન થાય, તે માનવું કે આપણું મન કેવળ દેહભાવમાં મગ્ન છે, વિશુદ્ધ આત્મસ્વભાવનું આરાધક નથી. એટલે પાપ ન કરવા ઉપર, ન કરાવવા ઉપર, પાપ કરનારની પીઠ ન થાબડવા ઉપર ઉપકારી ભગવ તાએ પૂરતા ભાર મૂકયો છે. માહ, મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈ અનંત જીવા અનાદિ, અન ́ત સંસારમાં ભૂંડે હાલે ભટકતા રહે છે, તેનું અપાર દુ:ખ, આત્મા સાથે પાયાના સગપણને યથાર્થ પણે જાણુનારા તથા જાળવનારા શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાની એકનિષ્ઠાપૂર્વક આરાધના કરનારા પુણ્યાત્માને થયા સિવાય રહેતું નથી. એટલે તેવા ધ રિસિક ભવ્ય આત્માએ કાઈ એક જીવને પણ જાણતાં-અજાણતાં ભવવાના, પજવવાના, પીડવાના અસત્ કૃત્યરૂપ પાપથી વેગળા રહે છે, તેમ છતાં પ્રમાદવશાત્ કોઈ પણ જીવને દૂભવવારૂપ પાપ તેમનાથી થઈ જાય છે, તે તત્કાલ સુગુરૂ પાસે જઈ તેનું પ્રાયશ્ચિત્ત લે છે, તેમજ વિધિવત્ C Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy