SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ re આ કેવી રીતે સામાયિક કરૂ' છું. તો કે સવ સાવધયેાગના પચ્ચક્ખાણ પૂર્વક. સાવધયાગનો ત્યાગ એટલે પાપવ્યાપારને ત્યાગ. પાપવ્યાપારના ત્રિવિધ ત્યાગ સિવાય સાચી સમતા પરિણત થતી નથી. સાચી સમતાને સાચું આત્મધન કહેલ છે. સમતા જાય એટલે આત્મા લૂટાય. સમતા ઘવાય એટલે આત્મા થવાય. સર્વ પ્રકારના પાપ વ્યાપાર સાથે રાગદ્વેષ અભિન્નપણે રહેલા હોય છે. માટે રાગદ્વેષને સંસાર' કહ્યો છે. અને રાગદ્વેષ વાસિત ચિત્તને અમંગળનુ કેન્દ્ર કહ્યું છે. પડ પ્રત્યેના ગાઢ રાગ, જીવને નિગે દવાસથી લાગુ પડેલા છે. આ કારમે રાગ જીવને જીવેાના દ્વેષમાં Àાપચ્ચે। રાખીને અનંત સંસારમાં અનંતકાળ સુધી રખડાવે છે. માટે આ રાગદ્વેષના અંગભૂત સ પ્રકારના પાપવ્યાપારમાં ત્રિવિધ ત્યાગના પચ્ચક્ખાણપૂર્વક સામાયિક વારંવાર કરવું જોઈ એ. સ'સારી જીવા-મન-વચન-કાયાથી પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, એમ જાવનિયમ'' પચ્ચક્ખાણ કરે છે. વળી પાપની અનુમોદના પણ કોઈ કાળે કરવા લાયક નથી. પાપની અનુમેદનાને ‘ વિષના વધાર'ની ઉપમા છે. વિષ તો મારક છેજ, પણ તેના કરતાં અધિક જલદ મારણ શક્તિ તેને વઘારવાથી પેદા થાય છે. તેમ પાપ તો સમતાઘાતક છે જ, પણ તેની અનુમેાદના તો અન તગુણી અધિક સમતાનાશક છે. Jain Educationa International < For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy