SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સામાયિક છે. તે પછી બીજા આવશ્યક “ચકવિસમાં આરાધક અપૂર્વ ઉમંગે એકાકાર બની જાય છે અર્થાત વીસે શ્રી તીર્થંકર પરમાત્મા સાથે તાવિક અભેદના અનુભવની કક્ષાએ પહોંચે છે. તે પછી ત્રીજા આવશ્યક “વાંદણુ”માં “અહો! હું મુજ નમું” એ આનંદઘન ભાવમાં રમણતા માણે છે. તે પછી ચોથા આવશ્યક “ પ્રતિકમણને પામવાનું અપૂર્વ આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે અને તે પછી પાંચમા આવશ્યક કાઉસગ્ગ” અર્થાત્ કાર્યોત્સર્ગ સ્વાભાવિક કેમે સધાય છે. અને છેલ્લા “પચ્ચકખાણુ’ આવશ્યકથી ચરમ સીમાને તે આત્માને સાક્ષાત્કાર થાય છે. આ રીતે સમગ્ર પ્રતિક્રમણું જીવંત ધર્મપર્યાય બની રહે છે. આ સઘળાં પ્રતિક્રમણ સૂત્રોના અંતરાળે આ ધર્મામૃત વસેલું છે. વાતે-વાતે મન જેને તેને આપી દેતા રહીશું ત્યાં સુધી ભૂંડા સંસારની વસમી વેઠ જ નસીબમાં રહેશે. - જ્યાં સુધી જીવને સાંસારિક સુખ મીઠાં લાગે છે, ત્યાં સુધી તેને મેક્ષસુખ આપનારે ધર્મ મીઠો નહિ લાગે. મને દુઃખ મંજુર છે, પણ પાપ હરગીઝ નહિ.” એવો દઢ સંકલપ કરીને, તદનુરૂપ જીવન જીવવાથી જ આત્મા ઉજળું બને છે. તે પછી તેને મેલે કરનારા પાપ પ્રત્યે જુગુપ્સા જાગે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy