SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ અન્યાયોપાર્જિત વિત્તથી ખરીદેલા ધાન્યાદિનું ભેજન સેવન ભજવે છે. હું તે ત્યાં સુધી કહીશ કે કદાચ પત્થરને પચાવી શકનારી જઠરાગ્નિ પણ પાપનું ધાન્ય કદી ન પચાવી શકે, તે પિટમાં જાય એટલે પાપબુદ્ધિ પુષ્ટ થાય થાય ને થાય જ! આરાધક માટે અતિ ઉપકારક મહત્ત્વ ધરાવતી આ વાત અહીં એટલા માટે ટાંકી છે કે, તેમાંથી સાર ગ્રહણ કરીને, આરાધકે અન્યાય-અધર્મના માર્ગે મળતા કે હીનૂરથી પણ સદંતર દૂર રહેવાનું સત્ત્વ ખીલવી શકે. કુશળ વૈદરાજના સચોટ નિદાન પછી લેવાતા ઔષધથી પણ જે દર્દીને રેગ ક્રમશઃ ઓછો ન થવા માંડે તે શું સમજવું? એ જ કે તે અનુપાન અર્થાત્ પરહેજી પાળવામાં ઢીલે હશે. આ સંસારના સર્વ દુર રેગોને સદંતર નાબૂદ કરનારા ધર્મના પ્રકાશક શ્રી જિનરાજને અનંતાનંત ઉપમાઓ પૈકી એક ઉપમા મહાવૈદરાજ ની પણ આપવામાં આવી છે. અને તેઓશ્રીએ જ જગતના જીવોને અનાદિકાળથી વળગેલા મહામોહરૂપી મહારોગને નાબૂદ કરવાનો અજોડ એક ઉપાય તરીકે પ્રતિક્રમણ-ધર્મને પ્રરૂપ્યો છે. એ પ્રતિક્રમણ કરવા છતાં આપણી પાપબુદ્ધિ પાંગળી ન પડતી હોય તે તેનું કારણું પ્રતિકમણ કરનારે અર્થાત્ ધર્મના આરાધકે જે પરહેજી પાળવી જોઈએ તે પાળવામાં બેપરવાઈ કરી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy