SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રતિકમણ વડે શુદ્ધિકરણ થઈ શકે છે. - દેલવાળું કરવા કરતાં ન કરવું સારૂં? તે વચનને શ્રી જૈનશાસનમાં ઉત્સુત્ર કહે છે. બાળક પડતાં–આખડતાં જ ચાલતાં શીખે છે, તેમ સર્વદોષરહિત અનુષ્ઠાન પણ ભૂલવાળા અનુષ્ઠાને કરતાં-કરતાં શીખાય છે. કઈ પણ કાર્યને પ્રારંભમાં તત્કાલ સફળતા કે સિદ્ધિ સાંપડતી નથી. જે સાંપડતી હતી તે પ્રણિધાન, પ્રવૃત્તિ વિજય, સિદ્ધિ અને વિનિગ એ પંચક જ્ઞાની ભગવંતોએ ન પ્રરૂપ્યું હતું. માટે આ નકારાત્મક વલણ ધર્મારાધનામાં ભારેભાર અહિતકર છે. પ્રશ્ન-૨: પાપનું પ્રતિકમણ કરીને ફરીથી પાપનું સેવન કરવું તે માયાચાર નથી? - જવાબ–૨: પાપનું પ્રતિક્રમણ કરીને ફરીથી તે પાપનું પૂર્વવત્ ભાવે સેવન કરવું તે માયાચાર ખરે, પણ આ રીતેય વારંવાર પ્રતિક્રમણ કરવાથી, કરનાર આત્માને અનુબંધ પાપને નહિ, પણ પાપ નહિ કરવા પડે છે, પાપ નહિ કરવાને અનુબંધ તેને એક વખત સર્વથા પાપ નહિ કરવાની કક્ષાએ પહોંચાડે છે. છે. માટે માયાચારને મુખ્ય બનાવીને પ્રતિક્રમણને ગૌણ કરવામાં આવે તે માયાચાર ઘટે નહિ, પણ વધે, કારણ કે પ્રતિક્રમણ કરતા. રહેનારને ક્યારેક માયાચાર ખટકે છે તેમાં રસ ઓછો પડે છે, પણ નહિ કરનારને તે માયા વધુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy