SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે આ પ્રશ્નો આપના અંતઃકરણને પૂછવા જોઈએ. તે આ બોલને યથાર્થ તેલ કરવાની દિશામાં થોડી પણ પ્રગતિ કરવામાં કામિયાબ થઈશું. એ તે કયે પાગલ નર હોય કે જે સૂર્ય પાસે અંધકાર યાચે? ગંગાજળ પાસે મલીનતા થાશે ? ક૯પવૃક્ષ પાસે કંગાલિયત યાચે? જે આપણે આવા પાગલ ન હોઈએ, તે ધર્મ પાસે સાંસારિક સુખની યાચના કરવાને વિચાર કરતાં પણ કંપારી અનુભવીએ. તસ્ય ઉત્તરી કરણેણું ઈરિયાવહી પછી બોલાતાં આ સૂત્રના શબ્દોમાં પાપકર્મોને નિઃશેષ કરવાનું અદ્ભુત આધ્યાત્મિક રસાયણ રહેલું છે. આખા મનમાંથી રાગદ્વેષરૂપી સંસારની જડને ઉખેડી નાખવાની ઉત્તમ આધ્યાત્મિક ચુંબકીયતા આ સૂત્રના પાયછિત્ત કરણેશું, વિસહી કરણેણં, “વિસલ્લી કરણેણં” શબ્દમાં ભારોભાર રહેલી છે. જ્યાં પીપર ઘૂંટાતી હોય છે, ત્યાં જઈને ઊભા રહેનારને તેના પટની ઉષ્ણુતાને તત્કાલ અનુભવ થાય છે. તેમ આ સૂત્રના શ્રવણથી પણ આત્મપ્રદેશોમાં રહેલા અશુભ તત્ કર્મો શિથિલ થાય છે અર્થાત પાપ જુગુપ્સા તત્કાલ પશે છે. ' પ્રકાશના પગલે અંધકાર અલેપ થાય છે. તેમ પ્રાયશ્ચિત્તની પ્રચંડ આગમાં પાપરૂપી તિમિરનાં ગાત્રે ગળવા માંડે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy