SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ ન કરી શકે તે પણ તેના આખા મનમાં તેને પસ્તા હોય, દુઃખ હેય એમ કે હું આજે મારા આત્માની યથાર્થ જયણું ન કરી શક્યા. શરીરને સાચવીએ, સંપત્તિને સાચવીએ, આબરૂને સાચવીએ અને જે તે બધાના મૂળાધારરૂપ આત્માને ન સાચવીએ તે એક નંબરના ગાફેલ તેમજ ગમાર ગણુઈએ તે નિર્વિવાદ હકીકત છે. આત્માની ઈજત કરવા માટે, તેની શુદ્ધિની જાળવણું માટે, તેના ગુણેની સુરક્ષા માટે, પ્રતિકમણ નિતાંત આવશ્યક છે. આંખ, કાન, નાક વગેરે ઈન્દ્રિયોને ચેખી રાખવા છતાં, જે આત્માને ચેખે રાખવા માટેનું શાસ્ત્રજ્ઞાનું અંગભૂત પ્રતિકમણ ન કરીએ. તેની ઉપેક્ષા કરીએ, રેજેરોજ પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે એવું માનસ કેળવીએ, તે આખો માનવભવ ગટરની જેમ ગંધાઈ ઉઠે. આપણે પાપના પ્રતિપક્ષી છીએ એનો સબળ પુરા પ્રતિક્રમણ કરવા દ્વારા પૂરી પાડી શકીએ. પ્રાણોને ટકાવવા માટે પાણી જેટલું જરૂરી છે, તેમ ભાવ પ્રાણેની શુદ્ધિને ટકાવી રાખવા માટે, તેટલું જ જરૂરી પ્રતિકમણ છે. પ્રતિક્રમણ કરનાર આત્મા, પછી પાપ ન કરે એવું બને? એવી શક્યતા કાળક્રમે નિર્માણ અવશ્ય થાય અને તે જ લક્ષ્ય વિવેકી આરાધક રાખે છે, એટલે પ્રતિક્રમણ એકાંતે આત્મહિતકારી છે, તેમાં કોઈ સંદેહ નથી. નિત્ય વિધિ-બહુમાનપૂર્વક પ્રતિક્રમણ કરવાથી દૈનિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy