SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલું છે. ભવ-રાગનાશક રસાયણ વડે આ સૂત્રના શબ્દો રસાયેલા છે. કરેમિ ભંતે'નો વિસ્તાર, તે છે આવશ્યક છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચરણુકરણનુયોગ અને ધર્મકથાનુગ એ ચારેય વેગ આ સૂત્રની અંદર ભારોભાર રહેલા છે. જીવમાં પ્રચ્છન્નપણે રહેલા શિવત્વને પ્રગટ કરવાની ક્ષમતાવાળા આ સૂત્રનો પ્રભાવ શબ્દાતીત છે. પંચ મહાવ્રતના ઉચ્ચારણમાં “કરેમિ ભંતે' સૂત્ર મુખ્ય છે. દીક્ષા લેતી વખતે સાધુઓને પંચ મહાવ્રત ન ઉશ્ચરાવતાં. કરેમિ ભંતે સામાઈયં સવૅ સાવજ જેગ પચ્ચકખામિ.” એ સૂત્ર ઉચ્ચરાવીને દીક્ષા અપાય છે. અને વડી દીક્ષામાં પંચ મહાવ્રત ઉશ્ચરાવવામાં આવે છે. - આત્માને સર્વ સાવદ્ય યોગથી સર્વથા મુક્ત કરવાને દઢ સંક૯પ પુનઃ પુનઃ દેહરાવવાના સતત અભ્યાસપૂર્વક જે આપણે સામાયિક આરાધતા રહીશું તો, આ સૂત્રના ઉત્કૃષ્ટ ભાવ સાથે અભેદતા કેળવીને પરમપદને પામવામાં ભાગ્યશાળી નીવડીશું. સામાયિક દંડક દંડક એટલે મહાસૂત્ર. સામાયિક દંડક ઉચ્ચર્યા પછી “બેસણે સંદિસાહું” બેસણે ઠાઉં” “સક્ઝાય સંદિસાહું” “સઝાય કરૂં” એ આદેશ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy