SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે તે અસંખ્ય પ્રદેશ છે, કાલે ક–પ્રકાશક જ્ઞાનને અર્ણવ છે, આનંદને ઘન છે. માટે જીવમાત્રની જયણા કરવાનું ફરમાન અનંત ઉપકારી ભગવંતોએ કર્યું છે. આંખની કીકીનું જતન ન કરીએ તે પારાવાર જે મુશ્કેલીઓ સહવી પડે છે, તેના કરતાં અનંતગુણ મુશ્કેલીઓ આત્માના ગુણેનું જતન ન કરનારા જીવને સહન કરવી પડે છે. આત્માના ગુણેને ઘાત કરનાર પાપકરણવૃત્તિ અને પ્રવૃત્તિ ઉભયને લાત મારવાની સચોટ શાસ્ત્રીય પ્રક્રિયાને પ્રતિક્રમણ” કહે છે. પાપ કર્યા પછી કે થઈ ગયા પછી તેને પસ્તા સુદ્ધાં જેને ન થાય, તે ખરેખર દયાપાત્ર ગણાય. ઉજળાં વસ્ત્રોને લાગેલા ડાઘ અખરે અને અનંત શક્તિશાળી આત્માને લાગેલે પાપનો ભયાનક ડાઘ તત્કાલ ન આખરે, ન ખટકે તો માનવું કે આપણી ભીતરમાં ખૂબ વધારે પાપ માલિન્ય છે, આપણે દષ્ટિ બહિર્મુખ છે. - નિષ્પાપ જીવનનો અનુપમ આસ્વાદ અનુભવનારા પુણ્યાત્માને તો સપાપ જીવન ભારે બોજારૂપ લાગે છે, લાગવું જોઈએ. મળની મહેબૂત તો ભૂંડ કરે! આરાધક આત્મા નહિ. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માએ સર્વ જીના આત્યંતિક હિતના ઉત્કૃષ્ટ આશયથી પ્રકાશેલા ધર્મના અંગભૂત પ્રતિકમણને પાવનકારી પ્રકાશ તેને એકનિષ્ઠ આરાધકને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy