SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શા ફરમાવે છે કે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું યથાર્થ બહુમાન કરનાર આત્મા ધર્મ મહાસત્તાના અનુગ્રહને ભાગી બને છે અને તેનું અપમાન કરનારે આત્મા નિગ્રહને ભાગી બને છે. કર્મસત્તાની તાકાત અસાધારણ છે, તે ધર્મ મહાસત્તાની તાકાત અચિત્ય છે. આ હકીકતને હૈયું આપનારા સત્વશીલ આત્માઓ અધર્મને આદર કરવામાં સદાય પીછેહઠ કરે છે. વિવેકપૂર્વકની આ પીછેહઠ તે તત્વતઃ પ્રતિક્રમણને જ એક ભાગ છે. મારો આતમા, ભવભવાંતરના અગણિત કર્મો વડે બંધાયેલો છે માટે તેના મૂળ ગુણે ઢંકાયેલા છે. વાસ્તવિક આ હકીકતની જરા પણ ઉપેક્ષા મને પાલવે નહિ. પિોસાય નહિ. એટલે હવે હું ગાફેલ બનું તે સાવ કંગાલ, કમર, નિમાલ્ય બની જાઉં. હવે તો મારે શ્રી જિનાજ્ઞા મુજબ ધર્મની જ આરાધના કરીને, આત્માને સર્વ કર્મ મુક્ત કરવાને મક્ષ પુરુષાર્થ ઉત્કૃષ્ટપણે આદરે જોઈએ. કઈ પણ આત્માથી આવી સાચી સમજના ઘરમાં સ્થિર રહીને, જીવને સતત અસ્થિર રાખનારા અશુભ કર્મોને પ્રતિક્રમણાદિના સેવન વડે કમજોર બનાવવામાં શુરાતન દાખવે છે. કમજોર દેખાતે માનવી પણ જ્યારે કેઈ હિંસક પશુ તેની પાછળ પડે છે ત્યારે તેનાથી બચવા બધા બળપૂર્વક આંધળી દેટ મૂકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy