SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પ્રસારતા પુષ્પની જેમ આપણે ક્યારે પરમાત્માની આજ્ઞાન પ્રકાશમાં સ્નાન કરીને “સુમન” બનીશું? - સર્વ પાપથી સર્વથા મુક્ત થવાને દદ નિર્ધાર મન જ્યારે સુમન બને છે ત્યારે જ થઈ શકે છે તેમજ તે નિર્ધાર મુજબનું નિષ્પાપ જીવન શરૂ થાય છે. સમજાતું નથી કે ઘરમાંથી જ બે-ત્રણ વખત કચરો કાઢનારા યા કઢાવનારા આપણે, આત્માના ઘરમાંથી કચરોકર્મ રજ દૂર કરવાના ધર્મપુરુષાર્થરૂપ પ્રતિક્રમણ દરરોજ બે વાર (સવાર-સાંજ) કરવામાં પ્રમાદ શાને સેવીએ છીએ! ઉત્તમ માતૃકાક્ષરોના સુસજનવાળા પ્રતિકમણ સૂત્રોના અર્થ ન જાણનારને પણ તે સૂત્રોનું શ્રવણ કરવાથી લાભ થાય છે. જેમ અંધારામાં ભૂલથી ખાધેલી ખાંડ મીઠી લાગે છે તેમ પ્રતિક્રમણ સૂત્રોનું શ્રવણ કરવાથી મોહરૂપી વિષનું ઘેન થોડું પણ ઘટે તે છે જ. ભૂમિ પ્રમાજી કટાસણું પાથરી, વિધિવત્ સામાયિક ઉચ્ચરી, એક આસને જેટલો કાળ બેસી રહેવાય છે તે દરમ્યાન છ કાય જીવની રક્ષા થાય છે. ચારે આહારને ત્યાગ થવાથી અનાયાસે તપને લાભ મળે છે, તેટલા કાળ પૂરતું શીલ પણ અવશ્ય પળાય છે અને દાન તેમજ ભાવરૂપી ધર્મનું સૂત્રપાઠાન્તર્ગત સેવન થાય છે. પાપભીરતા કેળવવા માટે પ્રતિક્રમણ અતિ આવશ્યક છે. માતા તેમજ મંત્રની વ્યાખ્યા કરવાથી તેનું નૈસર્ગિક સામર્થ્ય ઘવાય છે, અર્થાત્ ન્યૂન થાય છે. પદાર્થના ઉપકારક સ્વરૂપના વિઘટનમાં પરિણમનારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy