SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતમાં ઝેર ભેળવીને આપણે શું પામીશું ? ગગાજળને ગટરમાં વહાવીને આપણે શું ખાટીશું ? કુંદનને કથીર સાથે વેચીને આપણે શી કમાણી કરીશું ? મેરૂનું માટી જેટલું મૂલ્ય આંકીને આપણે માટીધેલા’જ પૂરવાર થઈશું ! ‘માટીથેલા ' એટલે પુદ્દગલ રસિક—ભવાભિન’દી~ –સ'સારસેવક. શ્રી જિનાજ્ઞાના અંગભૂત પ્રતિક્રમણને સેવનારા પુણ્યાત્મા સંસારની સેવામાં રચ્ચા-પચ્ચા રહી શકે ખરો ? તે તે માનવું પડે કે સિંહમાળે ઘાસમાં માં ઘાલ્યુ' ? વિજળીના તારને ભૂલથી પણ સ્પર્શ થઈ જાય છે, તો તીવ્ર જે આંચકાને પ્રાય: જીવલેણ અનુભવ થાય છે, તે અનુભવ જીવતા જીવને જ થાય છે, મડદાને નથી થતો. તો પછી હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મ સેવન આદિ પાપ પૈકી કઈ એક પાપને કોઈ પ્રતિક્રમણ-પ્રેમી આત્મા ઇરાદાપૂર્વક સ્પર્શ કરવાની હામ ભીડી શકે ખરો? અને જો સ્પર્શ કરે તો મૂતિ થયા વગર રહે ખરો? તેમ છતાં જો મૂચ્છિત ન થાય તો માનવું પડે કે તે પાકેા પ્રતિક્રમણુપ્રેમી નથી. પણ મડદાળ માનવી છે. પ્રતિક્રમણ-પ્રેમી એટલે પાપનો કટ્ટર પ્રતિપક્ષી ધમનો નિષ્ઠાવાન પક્ષકાર. —તા આપણે કેાના પક્ષકાર છીએ ? પાપના કે ધર્મના ? ૪૪ પાપ કાલસા કરતાં વધુ કાળુ છે. ઝેર કરતાં વધુ કાતિલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy