Page #1
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
નિત્ય અપરિણામી ધ્યેય જ્ઞાયક નિત્ય પરિણામી ડ્રેય જ્ઞાયક
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી સીમંધરદેવાય નમઃ શ્રી સદ્ગુરુદેવાય નમઃ
નીલી આવી
અધ્યાત્મમૂર્તિ પૂ.કાનજી સ્વામીના પ્રમુખ શિષ્યરત્ન શુદ્ધાત્મવેદી પૂ. ‘ભાઈશ્રી’ લાલચંદભાઈના સમયસાર પરિશિષ્ટના શ્લોક ૨૪૭/૪૮/૪૯ તથા પ્રવચનસાર ગાથા - ૪૮/૪૯ પરના માર્મિક અનેકાંત સ્યાદ્વાદમય પ્રવચનો
ઃ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ ‘‘સ્વીટ હોમ’’ જીમખાના રોડ, જાગનાથ શેરી નં.
રાજકોટ - ૩૬૦૦૦૧. (સૌરાષ્ટ્ર)
Page #3
--------------------------------------------------------------------------
________________
ઈ.સ.
કહાન સંવત
૨૮
વીર સંવત ૨૫૩૪
5 ( વિક્રમ સંવત
૨૦૬૪
૨00૮
: પ્રકાશન : પૂ. “ભાઈશ્રી” લાલચંદભાઈ મોદીના ૯૯ માં જન્મદિન પ્રસંગે જેઠ સુદ-૯તા. ૧૨/૬/૨૦૦૮
પ્રથમ આવૃતિ - ૧000
પડતર કિંમત પપ/
મૂલ્ય - સ્વાધ્યાય
અનેકાંત અમૃત’ પ્રાપ્તિસ્થાન રાજકોટ : શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ,
‘સ્વીટ હોમ' જાગનાથ પ્લોટ, શેરી નં. ૬, જીમખાના રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ રાજકોટ : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજીસ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૧. ટે.નં. ૨૨૩૧૦૭૩ મુંબઈ : (૧) શ્રી શાંતિભાઈ સી. ઝવેરી
૮૧-નિલામ્બર, ૩૭ પેડર રોડ, મુંબઈ - ૪૦૦ ૦૨૬. ટે.નં. ૨૩૫૧ ૬૬૩૬ (૨) શ્રી મહેન્દ્રભાઈ મહેતા
સાકેત” સાગર કોપ્લેક્ષ, સાંઈબાબા નગર, જે.બી. ખોટ સ્કુલ પાસે,
બોરીવલી (વે.) મુંબઈ-૪૦૦૦૯૩ ટે.નં. ૨૮૦૫૪૦૬૬૦૯૮૨૦૩ ૨૦૧૫૯ (૩) શ્રી ભરતભાઈ સી. શાહ
૯૦૫/૯૦૬ યોગી રેસીડેન્સી, એક્સર રોડ, યોગીનગર, બોરીવલી (વે.)
મુંબઈ-૯૨. ટે.નં. ૦૯૩૨૨૨૮૨૧૬૬, ૨૮૩૩૦૩૪૫ સોનગઢ : ડૉ. માધુરીબેન એસ. નંદુ “ધ્રુવધામ', રાજકોટ-ભાવનગર મેઈન રોડ,
મુ.પો. સોનગઢ, જી. ભાવનગર. ટે.નં. ૦૨૮૪૬-૨૪૪૧૩૨
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated in "electronic form" to AtmaDharma.com by Shree Digambar Jain Kund Kund Kahanamrut Prabhavna Mandir Trust, "Sweet Home", Rajkot, who have allowed it to be made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Anekant Amrut is a faithful copy of the paper version. However if you find any errors please inform us rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
on
2) Keep checking the version number of the online shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
19 July 2008 First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય કલમે...
|
વર્તમાન શાસન નાયક મહાવીર ભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં કળિકાળ સર્વજ્ઞ એવા શ્રી કુંદકુંદાચાર્યદેવ બે હજાર વર્ષ પૂર્વે થયા. તેઓશ્રીએ વર્તમાન મહાવિદેહક્ષેત્રે બિરાજમાન શ્રી સીમંધર ભગવાનની સુખાનંદથી વહેતી દિવ્ય દેશનાને પ્રત્યક્ષ સદેહે ત્યાં જઈ સાક્ષાત મૂર્તિમંત કરીને ભરતક્ષેત્રમાં લાવીને દ્વિતીય શ્રુતસ્કંધમાંના સમયસાર આદિ પંચપરમાગમોની રચના કરી.
ત્યારબાદ એક હજાર વર્ષ પૂર્વે આ કાળના હાલતા ચાલતા સિદ્ધ એવા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ થયા. તેમણે સમયસાર આદિ અનેક શાસ્ત્રોની ટીકા કરી.
આ પરંપરામાં મોક્ષમાર્ગ પ્રાયઃ લોપ જેવો જ થઈ ગયેલો. મિથ્યાત્વ ગળાડૂબ થઈને તેનું એક છત્ર રાજ શરૂ થયેલું, તેવામાં જ જૈનશાસનમાં એક આધ્યાત્મિક મહાપુરુષ, આત્મજ્ઞસંત, નિષ્કારણ કરુણાના સાગર ને ભાવિ તિર્થાધિરાજ એવા નિર્ભય-નિડર ને નિશંક સિંહપુરુષ પ.પૂ.શ્રી કાનજીસ્વામીનો જન્મ થયો. તે પુરુષે આચાર્યોના હૃદયમાં પેસીને ચારે પડખેથી શાસ્ત્રોનો નિચોડ કાઢીને, પરમાગમના રહસ્યોને પોતાની પ્રજ્ઞાથી આત્મસાત કરીને, ભવ્યજીવોના શ્રેયાર્થે ૪૫ વર્ષ સુધી અતૂટધારાથી દેશનાની શૃંખલા વરસાવીને, અસંખ્ય જીવોને આધ્યાત્મિક વાતાવરણમાં તરબોળ કરી દીધા. ઘણાં જીવોએ પૂ.ગુરુદેવશ્રીના નિમિત્તે પોતાના આત્મસ્વરૂપને સમજી ને આત્મસાત્ કર્યું.
પૂ.ગુરુદેવશ્રીના ૪૫ વર્ષના સોનગઢના સુવર્ણકાળ દરમ્યાન અનેક શિષ્યરત્નો થયા. તેમાંના એક પ્રમુખ શિષ્યરત્ન એવા આદરણીય પૂ. ‘ભાઈશ્રી લાલચંદભાઈ થયા. તેમણે ઘણો સમય સોનગઢ પૂ.ગુરુદેવશ્રીની નિશ્રામાં રહી, આચાર્ય ભગવંતોના મૂળ તાત્ત્વિક રહસ્યોને પોતાના જ્ઞાનસરોવરના પ્રકાશ સાથે મેળવી ને આચાર્ય ભગવાન તથા પૂ.ગુરુદેવશ્રીએ જે રીતે શુદ્ધાત્માનું રહસ્ય ચારે પડખેથી વિસ્તૃત કરેલ છે તેને બરાબર અવધારીને છઠ્ઠી ગાથાના નિમિત્તે પોતાના શુદ્ધાત્માનો સ્પર્શ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખી લીધો.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ “અનેકાંત અમૃત” નામના પુસ્તકમાં (૨) વિભાગ પાડી કુલ (૮) પ્રવચનો પૂ. “ભાઈશ્રી' લાલચંદભાઈના પ્રકાશિત કરવામાં આવેલ છે.
વિભાગ – (૧) માં શ્રી અમૃતચંદ્રાચાર્યે સ્વતંત્ર જે પરિશિષ્ટ બનાવેલ છે તેના ૧૪ ભંગ ઉપર થયેલા પૂ.ભાઈશ્રીના ૮૯ ની સાલના (૪) પ્રવચન પ્રકાશિત કર્યા છે. તથા વિભાગ (૨) માં “આત્માનું સ્વરૂપ શું અને તેનો અનુભવ કેમ થાય” તથા “સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી ને એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી” તે પ્રવચનસારની ગાથા -૪૮ ૪૯ ઉપરના ૯૭ ની સાલના (૪) પ્રવચન પ્રકાશિત કર્યા છે. તે બંને વિભાગના અમુક મુદ્દાઓ કે જેના ઉપર પૂ.ભાઈશ્રીએ અપૂર્વ સ્પષ્ટીકરણ કરી વિસ્તાર કરેલ છે તે નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે.
વિભાગ - ૧
નિત્ય અપરિણામીપણું-નિત્ય પરિણામીપણું અને પરિણામ. છે. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ-અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદનો સદૂભાવ.
જ્ઞાનમાત્ર કહેતા સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી. એક જ આત્મામાં એક જ જ્ઞાનમાં સાધકપણું ને સાધ્યપણું. અસ્તિ નાસ્તિ અનેકાંતપૂર્વક સ્યાદ્વાદની સિદ્ધિ. જ્ઞાનની મધ્યસ્થતા ને જ્ઞાનનું પક્ષપાત રહિતપણું. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ. સામાન્ય પરિણામીપણું-વિશિષ્ટ પ્રકારનું પરિણામીપણું. રામચંદ્રજી-સીતાજી ને લવકુશના દષ્ટાંતથી દષ્ટિને જ્ઞાનની સિદ્ધિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અંદરના ચાર સત્તનું સ્વતંત્ર અસ્તિત્વ. અનાદિથી આત્મા જ્ઞાનરૂપે જ પરિણમે છે. આત્મા નિષ્ક્રિય છે-જ્ઞાનમાં ક્રિયા છે.
ધ્યેયપ્રધાન ને શેયપ્રધાન કથનને જેમ છે તેમ સમજતાં ક્યાંય દોષ જ ન આવે અને જ્ઞાન મધ્યસ્થ થતાં સમ્યતાનો જન્મ થાય.
અનેકાંત કેળવીને ખાય તો અમૃત છે. સમજીને પ્રયોગ કરે તો અમૃત છે. ભેદજ્ઞાનને છોડે તો અનેકાંત ઝેર છે. જ્ઞાન નિર્વિષય છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રતિભાસ કાઢી શકાતો નથી. નૈમિત્તિકભૂત યાકારો જ્ઞાનની પર્યાય છે. જોયાકાર તો જ્ઞાનમાં થાય છે તેનો નિષેધ ન થઈ શકે.
વિભાગ - ૨ જ્ઞાયક અબદ્ધ-મુક્ત છે તે પરમપરિણામિકભાવે છે. પ્રગટ થતો ઉપયોગ પર્યાયાર્થિક નયના પરિણામિકભાવે છે. તેમાં સ્વપરનો પ્રતિભાસ છે તેનું નામ જોયાકાર જ્ઞાન છે. અહીં સુધી તો સ્વભાવ છે. ત્યારબાદ લક્ષ ક્યાં જાય છે, તેના ઉપરથી કોઈ સમ્યજ્ઞાની થાય છે અને કોઈ મિથ્યાજ્ઞાની થઈ જાય છે. ઉપયોગમાં પ્રતિભાસ થઈ ગયો છે, થઈ રહ્યો છે. ઉપયોગમાં માત્ર જાણવું છે. આઠેય જ્ઞાનમાં પ્રતિભાસ છે. જ્ઞાન એક જ છે જ્ઞાન બે નથી. સ્વને પ્રકાશવાવાળું જ્ઞાન જુદું ને પરને પ્રકાશવાવાળું જ્ઞાન જુદું એમ બે જ્ઞાન નથી. ઉપયોગ આત્માના પરિણામ છે. નવતત્ત્વ આત્માના પરિણામ નથી. પ્રતિભાસનું પેટ બહુ મોટું છે. તેના કરતાં જ્ઞાનનું પેટ મોટું છે. પ્રતિભાસની મુખ્યતાથી ૪૮૪૯ ગાથા સાંભળજે તો જ તે સમજાશે.
પ્રતિભાસ થાય છે માટે જાણવું અનિવાર્ય છે? તેનો ખુલાસો. જ મિથ્યાષ્ટિનો ઉપયોગ પણ સ્વચ્છ છે.
જાણવું કેવી રીતે થાય ને જાણેલાનું શ્રદ્ધાન શું? પ્રતિભાસનો નિષેધ નથી લક્ષનો નિષેધ છે. પ્રતિભાસ બે ના લક્ષ એકનું. પ્રતિભાસ
ચમત્કારિક શબ્દ છે. જ ખરેખર લક્ષણ તો ઉપયોગ છે-મશ્રિત લક્ષણ નથી. શા માટે ?
આ “અનેકાંત અમૃત” પુસ્તકમાં પૂ.ભાઈશ્રીએ ઉપરોક્ત મુદ્દાઓ તથા બીજા ઘણાં બધાં વિષયો સ્પષ્ટ કરેલ છે. વધારે વિસ્તારથી ન લખતા મુમુક્ષુઓને આ પુસ્તકનો નિરંતર સ્વાધ્યાય કરવાથી જ બધું સ્પષ્ટ થઈ જશે.
પૂ. ‘ભાઈશ્રી લાલચંદભાઈની ૯૯ મી જન્મજયંતિના સુઅવસરે “અનેકાંત અમૃત નામનું પુસ્તક પ્રકાશિત કરતા સંસ્થા હર્ષ અનુભવે છે. આ પ્રવચનો ઓડિયો તથા વિડીયો કેસેટમાંથી અક્ષરશઃ ઉતારીને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ કાર્યમાં જે મુમુક્ષુઓનો સહકાર સંસ્થાને મળેલ છે તેનો સંસ્થા અંતઃકરણપૂર્વક આભાર માને છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂ.ભાઈશ્રી” ના આ પુસ્તકના પ્રકાશન અર્થે આત્માર્થી સ્વ. રેવાબેન નાગરદાસ ટીંબડીયાના સ્મરણ અર્થે રૂા. ૫૧,૦૦૦/- ની દાનરાશિ પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેમના આ કાર્ય બદલ ખૂબ આભારી છે.
આ પુસ્તકનું સુંદર રીતે લેસર ટાઈપ સેટીંગ તથા પુસ્તકના ફ્રન્ટ પેઈજ, કલર પેઈજ વિગેરે સુંદર બનાવી આપવા બદલ Designડદowહ વાળા શ્રી અમરભાઈ પોપટ તથા પુસ્તક છાપવામાં સહકાર આપવા બદલ ““શાર્પ ઑફસેટ પ્રિન્ટર્સ' વાળા શ્રી ધર્મેશભાઈ શાહનો સંસ્થા આભાર માને છે.
અમારા શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટનું આ “અનેકાંત અમૃત” તે નવમું પુસ્તક છે. આ પુસ્તક પ્રકાશનમાં અજાણતાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે બદલી અમો ક્ષમા માંગીએ છીએ. અને મુમુક્ષુગણ પાસે માર્ગદર્શનની અપેક્ષા પણ રાખીએ છીએ.
અંતમાં આ પુસ્તકના સ્વાધ્યાયથી સૌ મુમુક્ષુઓ પૂ. ભાઈશ્રી” નું હૃદય સમજી ને પોતાના જ્ઞાનમાં અવધારીને ત્વરિત પોતાના જ્ઞાયકદેવના દર્શન કરી ભે તેવી મંગલભાવના.
આ પુસ્તક http://www.AtmaDharma.com ની Website પર મૂકેલ છે.
શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ
રાજકોટ.
Page #10
--------------------------------------------------------------------------
________________
: પૂ.ભાઈશ્રીની નિશ્રામાં થયેલ પ્રકાશનો
ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી દ્રવ્યસ્વભાવ પર્યાય સ્વભાવ
ભેદજ્ઞાન ભજનાવલી
* શ્રી કુંદકુંદ કહાનામૃત સ્વાધ્યાય હોલના પ્રકાશનો:
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવની ચર્ચા
જાણનારો જણાય છે ચૈતન્ય વિલાસ આત્મજ્યોતિ
શુદ્ધ અંત તત્ત્વ મંગલ જ્ઞાનદર્પણ ભાગ-૧ જ્ઞાયક સ્વરૂપ પ્રકાશન
અનેકાંત અમૃત
|
“અનેકાંત અમૃત'' પુસ્તકમાં આવેલ દાનરાશિ |
૧૦૦૧
૫૧000 રેવાબેન નાગરદાસ ટીંબડીયા ૫000 શાંતાબેન બાલચંદભાઈ - થાણા
પ્રવિણભાઈ એચ. શાહ - સોનગઢ જ્યોત્સનાબેન કાંતિલાલ શાહ - સુરેન્દ્રનગર
શ્રેયા ભવિ સંઘવી -યુ.એસ.એ. ૧૦૦૧ આર્જવ, ઓજસ - જામનગર
૧૦૦૧
૧૦૦૧
Page #11
--------------------------------------------------------------------------
________________
(શ્રી સમયસારજી સ્તુતિ)
| (હરિગીત) સંસાર જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકુલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સૂણ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Page #12
--------------------------------------------------------------------------
________________
(શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં, આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદધન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત્ સત્, જ્ઞાન જ્ઞાન ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં – અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહીમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહમિા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Page #13
--------------------------------------------------------------------------
________________
( જિનાજીની વાણી )
(રાગ-આશાભર્યાઅમે આવિયા) સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, - જિનજીનીવાણી ભલી રે. વાણી ભલી, મન લાગે૨ળી, માંસાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે...સીમંધર. ગૂંચ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંથ્યપ્રવચનસારરે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્યનિયમસાર, ગૂંચ્યુંરયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.. સીમંધર. સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો ૩ૐ કારનાદરે,
- જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હુંકુંકુંદ, વંદુએ ૐ કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.. સીમંધર. હેડે હજ, મારા ભાવે હજ, મારા ધ્યાને હજ જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે...સીમંધર.
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રવચન નં.
વિભાગ
તારીખ
સ્થળ
| પેઈજ નં.
પ્રવચન નં. ૧ |
૧
| તા. ૨૫/૧૧/૮૯ | રાજકોટ
પ્રવચન નં. ૨ | '' | તા. ૨૬/૧૧/૮૯ | રાજકોટ
પ્રવચન નં. ૩
''
| તા. ૨૭/૧૧/૮૯ | રાજકોટ
પ્રવચન નં. ૪ | '' | તા. ૨૮/૧૧|૮૯ | રાજકોટ
પ્રવચન નં. ૫ | ૨
| તા. ૧૮૯૭ | રાજકોટ
૬૬
પ્રવચન નં. ૬
તા. ૨/૮૯૭
રાજકોટ
૭૮
પ્રવચન નં. ૭ | ''
તા. ૩૮૯૭ | રાજકોટ
૯૪
પ્રવચન નં. ૮ | ''
|
તા. ૪/૮/૯૭ | રાજકોટ
|| ૧૦૯
Page #15
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
શ્રી વીતરાગાય નમઃ
(પરિશિષ્ટ)
(અનુષ્ટુ૧)
अत्र स्याद्वादशुद्धयर्थ वस्तुतत्त्वव्यवस्थितिः । उपायोपेयभावश्च मनाग्मूयोऽपि चिन्त्यते ॥ २४७ ॥
૧
(પરિશિષ્ટ)
(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે-આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક ક૨શે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી ? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ-એ બન્ને કઈ રીતે ઘટે છે ?’ આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છે :-)
શ્લોકાર્થ :- (અન્ન) અહીં (સ્વાદાવ-શુદ્ધિ-અર્થ) સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે (વસ્તુતત્વ-વ્યવસ્થિત:) વસ્તુતત્ત્વની વ્યવસ્થા (૬) અને (ઉપાય-૭પેય-ભાવ:) (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપેયભાવ (મનાQ ભૂય: અપિ) જરા ફરીને પણ (વિજ્યંતે) વિચારવામાં આવે છે.
ભાવાર્થ :- વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક-ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. (તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજું, એક જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય-ઉપેયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.
Page #16
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधक मे कमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य । स तु सर्वमनेकान्तात्मकमित्यनुशास्ति, सर्वस्यापि वस्तुनोऽनेकान्तस्वभावतत्वात् । अत्र त्वात्मवस्तुनि ज्ञानमात्रतया अनुशास्यमानेऽपि न तत्परिकोप:, ज्ञानमात्रस्यात्मवस्तुन: स्यमेवानेकान्तत्वात् । तत्र यदेव तत्तदेवातत् यदेबैकं तदेवानेकं, यदेव सत्तदेवासत्, यदेव नित्यं तदेवानित्यमित्येकव वस्तुवस्तुत्वनिष्पादकपरस्पर विरुद्धशक्तिद्वयप्रकाशमनेकान्तः । तस्वात्मवस्तुनो ज्ञानमात्रत्वेऽप्यन्तश्चकचकायमानज्ञानस्वरूपेण
तत्त्वात्
बहिरुन्मिषदनन्तज्ञेयतापन्नस्वरूपातिरिक्तपररूपेणातत्त्वात्, सहक्रमप्रवृत्तानन्तचिदंश
૨
,
समुदयरुपाविभागद्रव्येणैकत्वात. अविभागैकद्रव्याप्तसहक्रमवप्रवृत्तानन्त्तचिदंशरुपपर्यायैरनेकत्वात्, स्वद्रव्यक्षेत्रकालभावभवनशक्तिस्वभावतत्त्वेन सत्त्वात्, परद्रव्यक्षेत्रकालभावाभवनशक्तिस्वभाववत्त्वेनाऽसत्त्वात्, अनादिनिधनाविभागैकवृत्तिपरिणतत्वेन नित्यत्वात, क्रमप्रवृतैकसमयावच्छिनानेकवृत्त्यंशपरिणतत्वेनानित्यत्वात्, तदतत्त्वमेकानैकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशते एव । ननु यदि ज्ञानमात्रत्त्वेऽपि आत्मवस्तुन: स्वयमेवानेकान्त प्रकाशते तर्हि किमर्थ मं र्हद्भिस्तत्साधनत्वेनाऽनुशास्यतेऽनेकान्तः ? अज्ञानिनां ज्ञानमात्रात्मवस्त्वेव प्रसिध्यति । तथाहि - इह हि स्वभावत एव बहुभावनिर्भरे विश्वे सर्वभावानां स्वभावेनाद्वैतेऽपि द्वैतस्य निषेद्धुमशक्यत्वात् समस्तमेव वस्तु स्वपररूपप्रवृत्तिव्यावृत्तिभ्यामुपपभावाध्यासितमेव । तत्र यदायं ज्ञानमात्रो भाव : शेषभावैः सह स्वरसभरप्रवृत्तज्ञातृ ज्ञेयसम्बन्धतयाऽनादिज्ञेयपरिणमनात् ज्ञानतत्त्वं पररूपेण प्रतिपद्याज्ञानी भूत्वा नाशमुपैति, तदा स्वरुपेण तत्त्वं द्योतयित्वा ज्ञातृत्वेन परिणमनाज्ज्ञानी कुर्वन्ननेकान्त ऐव तमुदमयति १ । यदा तु सर्व वै खल्विदमात्मेति अज्ञानतत्त्वं स्वरुपेण प्रतिपद्य विश्वोपादानेनात्मानं नाशयति, तदा पररूपेणातत्त्वं द्योतयित्वा विश्वाद्भिन्नं ज्ञानं दर्शयन्ननेकान्त एव नाशयितुं न ददाति २ । यदानेकज्ञेयाकारैः खण्डितसकलैकज्ञानाकारो नाशमुपैति तदा द्रव्येणैकत्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ३ । यदा त्वेकज्ञानाकारोपादानायानेकज्ञेयाकारत्यागेनात्मानं नाशयति, तदा पर्यायैरनेकत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ४ । यदा ज्ञायमानपरद्रव्यपरिणमनाद् ज्ञातृद्रव्यं परद्रव्यत्वेन प्रतिपद्य नाशमुपैति तदा स्वद्रव्येण सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्ञ्जीवयति ५ । यदा तु सर्वद्रव्याणि अहमेवेति परद्रव्यं ज्ञातृद्रव्यत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परद्रव्येणासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ६ ।
यदा परक्षेत्रगतज्ञेयार्थपरिणमानत् परक्षेत्रेण ज्ञानं सत् प्रतिपद्य नाशमुपैति तदा स्वक्षेत्रेणास्तित्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ७ । यदा तु स्वक्षेत्रे भवनाय परक्षेत्रगतज्ञेयाकारत्यागेन ज्ञानं तुच्छीकुर्वन्नात्मानं नाशयति, तदा स्वक्षेत्र एव ज्ञानस्यपरक्षेत्रगतज्ञेयाकार परिणमनस्वभावत्वात्परक्षेत्रेण नास्तित्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ८ । यदा
-
Page #17
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત पूर्वालम्बितार्थविनाशकाले ज्ञानस्यासत्त्वं प्रतिपद्य नाशमुपैति, तदा स्वकालेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ९ । यदा त्वालम्बनकाल एव ज्ञानस्य सत्त्वं प्रतिपद्यात्मानं नाशयति, तदा परकालेनासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १० । यदा ज्ञायमानपरभावपरिणमनात् ज्ञाायकभावंपरभावत्वेन प्रतिपद्य नाशमुपैति, तदा स्वभावेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ११ । यदा तु सर्वे भावा अहमेवेति परभावं ज्ञायकभावत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परभावेनासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १२। यदाऽनित्यज्ञानविशेषैः खण्डितनित्यज्ञानसामान्यो नाशमुपैति, तदा ज्ञानसामान्यरुपेण नित्यत्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति १३ । यदा तु नित्यज्ञानसामान्योपादानायानित्यज्ञान विशेषत्यागेनात्मानं नाशयति, तदा ज्ञानविशेषरूपेणानित्यत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न वदादि १४।
(હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે :-)
સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અખ્ખલિત (નિબંધ) શાસન છે, તે (સ્યાદ્વાદ) “બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશ છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત-સ્વભાવવાળી છે. (‘સર્વવસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે” એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ
| કહે છે.)
અહીંઆત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અતત્ છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે-એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, ત-અતત્પણું, એક-અનેકપણું, સત્-અસત્પણું અને નિત્યઅનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે-તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા; અનંત, જોયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપવડે (-જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપવડે-) અતત્પણું છે (અર્થાત્ તે રૂપે જ્ઞાન નથી); સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્યઅંશોના સમુદાયરૂપ અવિભાગદ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એકદ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવતે
Page #18
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસવ્પણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્પણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતપણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.)
૪
(પ્રશ્ન-) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો પછી અહંત ભગવંતો તેના સાધાન તરીકે અનેકાંતને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે છે ? (ઉત્તર-) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત (-સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે ઃ
સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે (અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલા છે). ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (-આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતાશેયના સંબંધને લીધે અને અનાદિકાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને (અર્થાત્ જ્ઞેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્વણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ (સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી. ૧.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘ખરેખર આ બધું આત્મા છે’ એમ અજ્ઞાનતત્ત્વને સ્વરૂપે (જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (-સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતપણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પર૫ણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો (-જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી. ૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક શેયાકારો વડે (-જ્ઞેયોના આકારો વડે) પોતાનો સકળ (-આખો, અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (-ખંડખંડરૂપ) થયો માનીને
Page #19
--------------------------------------------------------------------------
________________
૫
અનેકાંત અમૃત
નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક શેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવા પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્યણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૫. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ’ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે)’ એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૬.
જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (-પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ સ્વક્ષેત્રે હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત શેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત શેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા શેય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસત્પણું માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (-માત્ર જ્ઞેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સ૫ણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી (શેયના કાળથી) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે
Page #20
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-ભાવથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વભાવો હું જ છું એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨.
જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાન સામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૪.
(અહીં તત-અતના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સતુ-અસતના દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવથી ૮ ભંગ, અને નિત્ય-અનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે-એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે; અર્થાતુ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે.)
Page #21
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
વિભાગ
૧
વિડીયો પ્રવચન નં. ૧૯૩, સળંગ પ્રવચન નં. ૧ સમયસાર પરિશિષ્ટના શ્લોક નં. ૨૪૦ તા. ૨૫/૧૧/૮૯
-
શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે એની ૪૧૫ ગાથાની આત્મખ્યાતિ નામની ટીકા પૂરી થઈ. હવે આચાર્ય ભગવાન એક પરિશિષ્ટરૂપે વધારાનું સ્વતંત્રપણે વ્યાખ્યાન કરે છે. પાનું ૬૦૭ છે. પરિશિષ્ટ મથાળુ. અહીં સુધીમાં ભગવાન કુંદકુંદઆચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રઆચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યા.
હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ, તેથી કોઈ તર્ક કરશે કે ‘જૈનમત તો સ્યાદ્વાદ છે તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતું નથી ? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ એ બંને કઈ રીતે ઘટે છે ?' એક જ જ્ઞાનમાં એટલે એક જ આત્મામાં એમ લેવું, પર્યાયમાં નહીં, એક જ પર્યાય ઉપાયરૂપે અને ઉપેયરૂપે એમ નથી. એક જ જ્ઞાનમાં એટલે એક જ આત્મામાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ એ બંને કઈ રીતે ઘટે છે, આમ તર્ક કોઈને થશે માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્ય હવે પરિશિષ્ટરૂપે થોડુંક કહે છે તેમાં આ પ્રથમ શ્લોક કહે છે.
બોલો શ્લોક.
(અનુષ્ટુન)
अत्र स्याद्वादशुद्धयर्थ वस्तुतत्त्वव्यवस्थितिः ।
उपायोपेयभावश्च मनाग्मूयोऽपि चिन्त्यते ॥ २४७ ॥
શ્લોકાર્થ :- અહીં સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે, એટલે શું કહે છે ? સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે એટલે અનેકાંતથી, સ્યાદ્વાદથી તો જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થઈ ગયો છે. પણ હવે સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે વસ્તુતત્ત્વની વ્યવસ્થા-પદાર્થનું જ્ઞાન, આત્માનું જ્ઞાન જેને થાય છે એને પદાર્થનું જ્ઞાન થાય છે આખા પદાર્થનું. વસ્તુતત્ત્વની એટલે પદાર્થની વ્યવસ્થા. અને એક જ જ્ઞાનમાં એટલે એક જ આત્મામાં ઉપાયપણું એટલે સાધકપણું અને ઉપેયપણું એટલે સાધ્યપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા ઉપાય ઉપેયભાવ જરા ફરીને પણ વિચારવામાં આવે છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત ઉપાય ઉપેયની વાત ૧૬ મી ગાથામાં તો કરી ગયા છે અને ઠેકઠેકાણે ઈ વાત કરતા આવીએ છીએ પણ વધારે એ સ્પષ્ટ કરે છે. બે વાત અમે કહીશું પરિશિષ્ટમાં. એક તો વસ્તુ સ્થિતિની વ્યવસ્થા માટે સ્યાદ્વાદની શુદ્ધિના માટે એટલે જ્ઞાનની નિર્મળતા માટે એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય સ્વરૂપ આખી વસ્તુ એનું જ્ઞાન એને ચોખ્ખું થઈ જાય અને એક જ આત્મા સાધકપણે પણ રહે છે, એ જ પરિણમે છે અને સાધ્યપણે પણ એ પરિણમે છે. આખી પરિણામી દ્રવ્યની વાત છે. જે અપરિણામીની મુખ્યતાથી વાત ચાલતી હતી દૃષ્ટિ અપેક્ષાએ, દૃષ્ટિ કરાવવા અને દૃષ્ટિ પ્રાપ્ત જેને થાય છે અને એવું આત્મજ્ઞાન થાય છે. સ્યાદ્વાદ જ્ઞાનમાં છે. આત્મજ્ઞાનમાંથી સ્યાદ્વાદનો જન્મ થાય છે. જેને આત્મજ્ઞાન નથી એને યાદ્વાદનું સ્વરૂપ જ ખબર નથી. આ જે છે ને એ અનુભવ પછીની વાત છે. આ જે સ્યાદ્વાદનો જન્મ છે એ અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદનો જન્મ છે. આવ્યું હતું ને? પૂર્વ આચાર્યોએ કહ્યું છે. અનુભવમાં સ્યાદ્વાદનો જન્મ થાય છે એટલે સમ્યજ્ઞાનમાં સ્યાદ્વાદ હોય, મિથ્યાજ્ઞાનમાં સ્યાદ્વાદ ન હોય.
ભાવાર્થ :- આગળ બતાવ્યું. વસ્તુનું સ્વરૂપ જોયું. ઓલી વસ્તુની વ્યવસ્થા હતી ને? વસ્તુનું સ્વરૂપ આખી વસ્તુ, પદાર્થ જેને કહેવાય. વસ્તુનું સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મસ્વરૂપ હોવાથી તે સાદૂવાદથી સાધી શકાય છે. અનેકાંતાત્મક છે ને પદાર્થ એને સાદુદ્વાદથી સાધી શકાય છે, કેમકે સ્યાદ્વાદની શુદ્ધતા એટલે જ્ઞાનની નિર્મળતા. જ્ઞાન બધા પડખાને જેમ છે તેમ જાણી લે છે. ઉપાદેયની વાત નથી અત્યારે આમાં, જાણવાની મુખ્યતા છે. હેય ઉપાદેય તો થઈ ગયું છે. શુદ્ધાત્માનો અનુભવ તો થઈ ગયો છે. સમ્યકજ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે સમ્યકજ્ઞાનીને પણ જ્ઞાનમાં કેવી રીતે બધા પડખા યુગાદૂ એક સમયમાં જાણવામાં આવી ગ્યા'તા. હવે એને વિસ્તારથી વિચારે છે કે મારું આવું સ્વરૂપ છે.
સ્યાદ્વાદની શુદ્ધતા એટલે પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતિયતા સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ એટલે પદાર્થનું સ્વરૂપ વિચારવામાં આવે છે. તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સાદૂવાદ સાથે વિરોધ આવતો નથી. આત્માને અમે જ્ઞાનમાત્ર કહેતા આવીએ છીએ પણ જ્ઞાનમાત્ર કહેતા એમાં વિરોધ આવતો નથી, સ્યાદ્વાદ એમાં સમાઈ જાય છે.
વળી આ બાજુ હવે બીજો પ્રકાર, એક જ જ્ઞાનમાં એક જ આત્મામાં સાધકપણું તથા એક જ આત્મામાં સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો સાધક સાધ્ય અર્થાત્ સાધક સાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. હવે આ શ્લોક તો પૂરો થયો.
Page #23
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
આ શ્લોકનું કળશ ટીકામાંથી લઈએ ૨૪૭ સાથે સાથે લેતા આવશું ને તો ઠીક પડશે. આખી વાત અહીંયા પૂરી થાય છે. પ્રમાણજ્ઞાનનો વિષય છે. પ્રમાણજ્ઞાનની મુખ્યતાથી આ આખો સ્યાદ્વાદ અધિકાર છે. પણ એમાંય અસ્તિનાસ્તિ અનેકાંત દૃષ્ટિનો પણ લેતા આવશે પછી. પણ મુખ્યપણે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ ની વાત છે). કેમકે પશુ છે ને ઈયે એકાંત છે અને સ્યાદ્વાદ છે ઈ અનેકાંત છે. અનેકાંતિક દ્રવ્યને દ્રવ્યરૂપને પર્યાયને પર્યાયરૂપ જાણે છે. સ્યાદ્વાદ અધિકાર (કળશ ટીકા) પાનું ૨૨૯ છે. શ્લોક તો વંચાઈ ગયો છે. જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય એમ કહેતું થયું સમયસાર નામનું શાસ્ત્ર સમાપ્ત થયું.
તદુપરાંત કાંઈક થોડોક અર્થ બીજો કહે છે. જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય છે એટલે ઈ જ્ઞાયક તે જીવદ્રવ્ય છે એમ અમે કહેતાં આવીએ છીએ. આ શાસ્ત્રમાં દૃષ્ટિ અપેક્ષાના કથનની વાત પૂરી થઈ ગઈ. દૃષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્મા એટલે ઈ દૃષ્ટિનો વિષય પણ છે. અને જ્ઞાનમાત્ર આત્મા પ્રમાણનો વિષય પણ છે. ઈ જ્ઞાનમાત્રમાં બધું સમાઈ જાય છે. દ્રવ્ય, ગુણ, પર્યાય. પણ જ્ઞાનમાત્રમાં બે અર્થ છે. એક જ્ઞાનમાત્ર શુદ્ધ જ્ઞાનમાત્ર. જ્ઞાનમાત્ર આત્મ વસ્તુ છે ઈ દૃષ્ટિનો વિષય છે. ઈ સમયસારની પદ્ધતિમાં છે. હવે જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય એમ કહેતું થયું સમયસાર નામનું શાસ્ત્ર પૂરું થયું એ દૃષ્ટિપ્રધાન કથન છે.
તદુપરાંત કંઈક થોડોક અર્થ બીજો કહે છે. ભાવાર્થ આમ છે કે ગાથાસૂત્રના કર્તા છે શ્રી કુંદકુંદઆચાર્યદેવ તેમના દ્વારા કથિત ગાથાસૂત્રનો અર્થ સંપૂર્ણ થયો. સાંપ્રત. અત્યારે ટીકાકર્તા છે અમૃતચંદ્રસૂરી તેમણે ટીકા પણ કરી. તદુપરાંત અમૃતચંદ્રસૂરી કાંઈક કહે છે. શું કહે છે ? આમાં દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ તો જીવદ્રવ્ય આવતી'તી. પણ જીવદ્રવ્ય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પર્યાય સ્વરૂપ છે એવા પ્રમાણની મુખ્યતાથી નહોતું લખાણ થયું. પર્યાય તો અભૂતાર્થ છે. આત્મામાં છે જ નહીં એટલે જ્ઞાનમાત્ર વસ્તુ છે. પર્યાય તો અવસ્તુ છે, પરદ્રવ્ય છે, પુદ્ગલના પરિણામ છે એમ સમયસારમાં કહેતા આવીએ છીએ. પણ ઈ જ્ઞાનમાત્ર વસ્તુમાં જ્ઞાનમાત્ર વસ્તુનું જે જ્ઞાન થાય ત્યારે સામાન્ય વિશેષાત્મક વસ્તુ જ્ઞાનમાત્ર જ જણાય છે. જ્ઞાનમાત્ર જ જણાય છે. રાગ કે દેહવાળી જણાતી નથી એમ. (શ્રોતા :- અને જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા એમાં એકાંત થાય છે એવું નથી એમાં જ અનેકાંત છે.) જ્ઞાનમાત્ર તો અનેકાંત છે એટલે જ પ્રશ્ન કરે છે કે જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા અનેકાંત, એકાંત નહીં થઈ જાય? એમ કે ના. આચાર્ય ભગવાન કહે છે કે ના. કે જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા તેમાં અનેકાંતપણું આવી જાય છે.
ઈ આ જ્ઞાનમાત્ર વસ્તુને જ્યાં સાધી ત્યાં આંહીં જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાને જ્ઞાનમાત્ર વસ્તુને સામાન્ય વિશેષાત્મકપણે જાણી લીધી. ધ્યેયપૂર્વક બ્રેય થાય છે. આમ તો પેલી
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૦.
અનેકાંત અમૃત પર્યાયને પરદ્રવ્ય જ કહે છે. પર્યાયને પુદ્ગલના પરિણામ કહે છે. પર્યાયની તો નાસ્તિ છે ઈ પ્રમત અપ્રમતનો અભાવ છે. બરાબર ! એટલે જ્ઞાનમાત્ર વસ્તુ દૃષ્ટિનો વિષય દૃષ્ટિમાં આવતા અનુભવ થાય છે. એ અનુભૂતિ પણ એમ જાણે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું. જ્ઞાનમય છે ને જ્ઞાનમાત્ર વસ્તુ છે. આ રાગ તે જ્ઞાયક નથી એટલે. (શ્રોતા :- અનુભવનો વિષય પણ જ્ઞાનમાત્ર છે અને અનુભવ થયો એ પણ જ્ઞાનમાત્ર છે) હં...જાણનારો જણાય છે. જાણનારો જ જણાય છે એમાં બેય આવી ગયું કે નહીં ? આપણે એક સૂત્ર લ્યોને જાણનારો ઈ તો જ્ઞાનમાત્ર તો છે પણ જણાયો તે તે જ છે, જ્ઞાત તે તો તે જ છે, તે જ છે. જ્ઞાયક તો, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. તેમાં બે ભાવ આવી ગયા કે નહીં? જ્ઞાયક તો જ્ઞાયક છે. આવી ગયા કે નહીં બે ભાવ. અને જ્ઞાનમાત્ર તેમાં પણ બે ભાવ આવે એમ કહે છે. એટલે ધ્યેયપૂર્વક શેય જે છે ને એ વસ્તુ અલૌકિક છે. ઈ જૈન દર્શન છે.
જીવદ્રવ્યનું જ્ઞાનમાત્ર સ્વરૂપ જે પ્રકારે છે તે પ્રકારે કહે છે. વળી શું કહે છે? મોક્ષનું કારણ જે પ્રકારે છે તે પ્રકાર, સકળ કર્મનો વિનાશ થતાં જે વસ્તુ નિષ્પન્ન થાય છે તે પ્રકારે કહે છે. એ વાત આવી ગઈ. કહેવાનું પ્રયોજન શું તે કહે છે. જ્ઞાનમાત્ર જીવદ્રવ્યમાં સ્યાદ્વાદ એક સત્તામાં અસ્તિનાસ્તિ, એક-અનેક એક જ સત્તામાં હોં. એક જ સત્તામાં સત્તા એક છે એમાં અસ્તિ-નાસ્તિ, એક-અનેક, નિત્ય-અનિત્ય ઈત્યાદિ અનેકાંતપણું જ્ઞાનમાત્ર જીવ દ્રવ્યમાં જેવી રીતે ઘટે છે તેવી રીતે કહેવાનો છે અભિપ્રાય જેમાં, એવા પ્રયોજન સ્વરૂપ કહે છે.
ભાવાર્થ આમ છે કે અત્યારે તો અમારું પ્રયોજન ઈ છે કે જ્ઞાનમાત્ર વસ્તુનો અનુભવ થતાં વસ્તુ સામાન્ય વિશેષાત્મક, દ્રવ્યપર્યાય સ્વરૂપ આખો આત્મા જ્ઞાનમાં જોય થાય છે. કાંઈપણ જાણવાનું બાકી રહેતું નથી. એમ આખો કહેવાનો આશય સ્યાદ્વાદ અધિકારમાં છે.
ભાવાર્થ આમ છે કે કોઈ આશંકા કરે છે કે જૈનમત તો સ્યાદ્વાદમૂલક છે, અહીં તો જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” એમ કહ્યું, ત્યાં એમ કહેતાં એકાંતપણું થયું, સ્યાદ્વાદ તો પ્રગટ થયો નહિં. ઉત્તર આમ છે કે “જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય” આમ કહેતાં અનેકાંતપણું ઘટે છે. જ્ઞાયક તે જીવદ્રવ્ય એમ કહેતાં અનેકાંતપણું આવી જાય છે. જ્ઞાયક હું ત્યાં અનેકાંત થઈ ગયું. (શ્રોતા :- જ્ઞાયકનો સ્વીકાર કરી લીધો તો અનેકાંત થઈ ગયું) અનેકાંત થઈ ગયું. કીધું કે નહીં. જ્ઞાયક તે હું. જ્ઞાયકમાં હુંપણું થયું તો હુંપણું કરનાર તો પર્યાય છે તો દ્રવ્યપર્યાય બેનું જ્ઞાન થાય કે નહીં? આનંદનું જ્ઞાન ન થાય? (શ્રોતા :- થાય જ બરાબર છે) આનંદમૂર્તિનું જ્ઞાન થયું અને આનંદ પ્રગટ થયો તેનું પણ જ્ઞાન થયું તો સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત થઈ ગયું, એમ છે. આ બેન એવું છે. થોડુંક જ્ઞાન મધ્યસ્થ હશે એને ધ્યેયપૂર્વક શેય
Page #25
--------------------------------------------------------------------------
________________
૧ ૧
અનેકાંત અમૃત થાય છે ઈ ખ્યાલમાં આવે છે. કાં તો જોયનો એકાંત પક્ષપાત કાં તો ધ્યેયનો એકાંત પક્ષપાત. કોઈ તો શેયના એકાંત પક્ષમાં પડી ગયા પ્રમાણના વિષયમાં. અને સાંખ્યમત આદિ એકાંત દષ્ટિના વિષયના પક્ષમાં ચડી ગયા એ ભૂલ છે. એમ નથી હોતું. ઈ અનુભવ નથી ત્યાં સુધી એકાંત છે, અનુભવ થતાં અનેકાંત છે. અનુભવ નથી ત્યાં સુધી એકાંતિક જ્ઞાન છે. અનુભવ થયો ત્યાં અનેકાંત જ્ઞાન થયું. (શ્રોતા :- પોતે અનેકાંત છે) પોતે અનેકાંતમૂર્તિ છે લે. આ અનેકાંતની વાત બહુ સારી રીતે શરૂ થઈ છે. એ બહુ સારી વાત છે. એની પૂર્ણાહુતિ કેવળજ્ઞાનમાં આવશે એવું આવશે લખી રાખજો. એવું સ્વરૂપ છે મધ્યસ્થ છે ને જ્ઞાન, એમાં પક્ષપાત ક્યાં છે.
જે રીતે ઘટે છે તે રીતે અહીંથી શરૂ કરીને કહે છે, સાવધાન થઈને સાંભળો. ૨૪૭ (કળશ) પૂરો થયો. સમજી ગયા ! હવે ૨૪૮ કળશ આવે છે ઈ સમયસારમાંથી પહેલા વાંચીએ. પછી ૨૪૮ કળશટીકાના તો ત્રણ પાના ભર્યા છે. હવે ૨૪૮ કળશ પર જે કૌંસ છે તે વંચાય છે. અહીં તત-અતના બે ભંગ ૬૨૭ પાના ઉપર ૨૪૭ કળશ પછી ૨૪૮ કળશ છે. ટીકા લઈ લઈએ ટીકામાં બધું છે. કળશ તો એના ઉપર છે તો લઈ લઈએ. ટીકા કળશ તો એના ઉપર છે. કળશ પહેલા બધું કહી દીધું. આંહી આ પરિશિષ્ટ આપણે વાંચ્યું છે બરાબર છે ને ! અને એના પછી.
હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે. સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અહંત સર્વજ્ઞનું એક અખ્ખલિત શાસન છે તે બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશ છે. સમસ્ત વસ્તુ છએય દ્રવ્ય હો. છએય દ્રવ્ય. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમ.
આ અનેકાંતમયદ્રવ્યપર્યાય સ્વરૂપ તો પર્યાયથી રહિત દ્રવ્યને જાણે તેને જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન થાય. જે સ્વપ્રકાશકને જાણે તેને સ્વપરપ્રકાશક સમ્યજ્ઞાન પ્રગટ થાય. સ્વપ્રકાશકને જાણતો નથી એનું સ્વપરપ્રકાશકજ્ઞાન અજ્ઞાનમય છે. એમ જે શુદ્ધ પર્યાયથી ભિન્ન નિજ શુદ્ધાત્માને જાણતો નથી તેનું જે જ્ઞાન એ અનેકાંતરૂપ જ્ઞાન દ્રવ્ય-પર્યાય સ્વરૂપ એ મિથ્યાજ્ઞાન છે. કેમકે પર્યાય પણ તેમાં ઉપાદેય આવી ગઈ. હેય તત્ત્વને પણ ઉપાદેય કરે છે. પ્રમાણ પૂજ્ય નથી. આ પ્રમાણ પૂજ્ય નથી. કેમકે એમાં વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ નથી એટલે નિષેધ કરતું નથી એટલે આત્મજ્ઞાન ઉદય પામતું નથી. આ ક્યારે લીધું ખબર છે? અનુભવ થયા પછી. આ સ્યાદ્વાદ અધિકાર ક્યારે લીધો? (શ્રોતા :- અનુભવ થયા પછી) કે ભૂતાર્થના આશ્રયે સમ્યક્દર્શન થયું, સમ્યજ્ઞાન પ્રગટ થયું તેણે થોડું તો જાણી લીધું છે. થોડું સંક્ષેપથી, પૂરું જાણ્યું પણ વિસ્તારથી જાણ્યું નથી એટલે જ્ઞાનની સંશુદ્ધિ માટે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧ ર
અનેકાંત અમૃત દૃષ્ટિની શુદ્ધિ માટે નથી આ. (શ્રોતા :- નહીં દૃષ્ટિની શુદ્ધિ તો એક સમયમાં થઈ જાય છે) દૃષ્ટિની શુદ્ધિ તો એક સમયમાં થઈ જાય છે. દષ્ટિની શુદ્ધિ તો એક સમયમાં થઈ ગઈ અને જ્ઞાન પણ શુદ્ધ થઈ જાય છે. તમે કહો છો કે જ્ઞાનની નિર્મળતા પછી વધે છે. ધીમે ધીમે વધે છે ને અડખા પડખા બહુ સ્પષ્ટ થાય છે પાછળથી. જ્ઞાની માટે જ છે આ. અને અજ્ઞાનીને અજ્ઞાનતા ટળી જાય તેટલા માટે છે બસ.
આ ઉપાદેય તત્ત્વ નથી શેય તત્ત્વ છે. એનો વિચાર એમ આવ્યો કે એક ફ્રુટવાળાને ત્યાં છે જાતના ફુટ હતા, છ જાતના. આને લેવી હતી મોસંબી. છ માં મોસંબી પણ હતી પણ બીજા પાંચ પદાર્થ હતા સફરજન, સીતાફળ, જામફળ વિગેરે તો એણે એમ કહ્યું કે મારે તો મોસંબી જોઈએ છીએ. તો એણે કીધું કે આ ચીજ સારી છે. આનો ભાવ ? આ આનો ભાવ આ. મારે તો ભાઈ મોસંબી જોઈએ છીએ એટલે મોસંબી એણે ગ્રહણ કરી એટલે પાંચની નાસ્તિ થઈ ગઈ. એકમાં પાંચની નાસ્તિ. ઈ ઘરે ગયો મોસંબી લઈને પછી મોસંબીમાં છોતાની નાસ્તિ અને રસને ઉપાદેય કરી લીધો. (શ્રોતા :- બહુ સરસ દૃષ્ટાંત બહુ જ સરસ)
એમ છ દ્રવ્યથી ભરેલો લોક છે કે નહીં? છે. એમાંથી એણે જીવદ્રવ્ય ચૂંટી કાઢ્યો. પોતે એકલો, અનંત જીવ છે તો બીજા. એમાંથી પોતાના આત્મદ્રવ્યને, દ્રવ્યને જુદું તારવ્યું અને મોસંબી પણ ઢગલો હતી પણ એમાં તો એને ત્રણ મોસંબી જ જોતી હતી. એટલે ત્રણ જ લીધી. બીજી મોસંબી તો હતી એની પણ એને નાસ્તિ. બીજા પાંચ ફુટની તો નાસ્તિ. બીજી મોસંબીની નાસ્તિ. એક મોસંબીની અસ્તિ. એક લ્યો ને. બસ હવે ઘરે ગયો મોસંબી ખાતો નથી પણ એકમાંથી પાછું ભેદજ્ઞાન કર્યું. પહેલા અનેકમાંથી ભેદજ્ઞાન કરીને એકને લીધું અને એકમાંથી ભેદજ્ઞાન કરીને રસને ચૂસ્યો ને છોતાને ફેંકી દીધા. છોતા હેય છે. એવું આ છે. ઈ બપોરે વિચાર આવ્યો ઉઠ્યા પછી ઘરે બપોરે જે આવવાનું હોય ને એના વિચારો ચાલે ને. (શ્રોતા :- એક મોસંબી લીધી તો એ અન્ય ફુટથી જુદી પડી ગઈ) અનેક ફૂટથી જુદી પડી અને અનેક બીજી મોસંબી હતી તેનાથી પણ જુદી પડી. સિદ્ધ ભગવાન જુદા પડી ગયા. (શ્રોતા :- અને એક મોસંબીમાં છીલકા જુદા પડી ગયા અને રસનું ગ્રહણ થઈ ગયું એટલે અસ્તિ નાસ્તિ બેય ક્લીયર થઈ ગયા.)
પહેલા અસ્તિનાસ્તિમાં પરથી જુદા થઈ ગયા અને અંદર અસ્તિનાસ્તિથી છોતાથી જુદા પડી ગયા એક આત્મભગવાન જ્ઞાયક પ્રભુ. બસજાણનારો જણાય છે પર જણાતું નથી. છ દ્રવ્ય જણાતા નથી અને છતાય જણાતા નથી. મને તો વિચાર આવી ગયો કે સ્વપરપ્રકાશક અજ્ઞાનમય ભાવ છે. એમાંથી પરને હું જાણતો નથી ને સ્વને હું જાણું છું
Page #27
--------------------------------------------------------------------------
________________
૧ ૩
અનેકાંત અમૃત ત્યારે સ્વપ્રકાશક થાય અને સ્વપ્રકાશકપૂર્વક પાછું સ્વપરપ્રકાશક જ્ઞાન તો જ્ઞાનીને થાય જ. એમ. એ તો દૃષ્ટાંત છે.
એમ અનેકાંતનું જ સ્વરૂપ છે ઈ દ્રવ્યપર્યાય સ્વરૂપ છે. એમાંથી સમ્યફ એકાંત કાઢે તો અનુભવ થાય. અનુભવ થતાં દ્રવ્યપર્યાય સ્વરૂપનું જ્ઞાન થઈ જાય. આનંદ આવ્યો એનું જ્ઞાન થાય, કોઈને પૂછવાની જરૂર નથી. એકલા દ્રવ્યને જાણે છે એમ નથી. દ્રવ્ય પર્યાય બેયને જાણે યુગપ એક સમયમાં અક્રમે અતિન્દ્રિયજ્ઞાનમાં, ઈન્દ્રિયજ્ઞાનના સહારા વિના, પર્યાયના લક્ષ વિના પર્યાયનું જ્ઞાન થાય. પર્યાયના લક્ષે પર્યાયનું સમ્યકજ્ઞાન ન થાય. આહાહા !
કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત સ્વરૂપ સ્વભાવે છે. સમસ્ત વસ્તુ લીધીને આમાં ૬૦૮ પાને. સર્વ વસ્તુઓ અનેકાંત સ્વરૂપ છે એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે. - અત્યારે એજન્ડા ઉપર સાદ્વાદ અધિકાર અનેકાંત સ્વરૂપ આખા પદાર્થની સિદ્ધિ કરે છે. જેમ આસ્ત્રવ અધિકારમાં આસ્ત્રવની સિદ્ધિ, સંવર અધિકારમા સંવરની સિદ્ધિ, એમ અધિકાર પ્રમાણે સિદ્ધિ કરે છે. અધિકાર જે ચાલે તેમાં ને તેમાં તમારું ચિત્ત લગાવવું કે અત્યારે આચાર્ય ભગવાન મને શું સમજાવવા માગે છે. અત્યારે પર્યાયની નાસ્તિ નથી. પર્યાયની મારામાં અસ્તિ છે એવું પદાર્થનું સ્વરૂપ છે). પદાર્થ કહે છે ને. (શ્રોતા :પદ્રવ્યથી ભિન્ન કરવાની વાત છે ને) પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ છે. પણ પહેલા અને પછીમાં ફેર છે. પહેલા અને પછી. સ્વપરપ્રકાશક એ પછી છે એના બદલે એનો નંબર પહેલા આવ્યો એટલે સ્વપ્રકાશક ગાયબ થઈ ગયું. એમ સમ્યકુ એકાંતપૂર્વક અનેકાંત થાય છે, એમાં સમ્યક એકાંતને છોડ્યું અને અનેકાંતને વળગી ગયો, (તો અજ્ઞાન થઈ ગયું). અજ્ઞાન મોસંબી છોતા સહિત ખાવા લાગ્યો. પશુ છે. બટકા ભરે છે. પશુ છે. ખરેખર સમયસાર ! હું એમ કહું છું સર્વોપરી શાસ્ત્ર છે. ગ્રંથાધિરાજ ! બાર અંગનો સાર છે. પ્રવચનસારેય આવી જાય, નિયમસાર આવી જાય, પરમાત્મપ્રકાશ આવી જાય, ગોમ્મસાર-ધવલ, મહાધવલ બધું આમાં આવી જાય.
અનેક શાસ્ત્ર આમાંથી જ નીકળ્યા છે, યથાર્થ છે. તાકાત ઘણી છે અમૃતચંદ્રાચાર્યની. ઘણી તાકાત છે. આ સ્પેશ્યલ અધિકાર પોતાનો છે. હવે ૨૪૬ કળશ સુધી ટીકામાં આવ્યું. ૨૪૭ કળશથી સ્વતંત્ર પોતે કરે છે. અહીં આત્મા નામની વસ્તુને જો આત્મતત્ત્વને કહેતા જ નથી અહીંયા. જીવદ્રવ્યની વાત ચાલે છે. આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં, છતાં પણ સાદૂર્વાદનો કોપ નથી. કેમકે આત્મવસ્તુ એકલી જ
Page #28
--------------------------------------------------------------------------
________________ 1 4 અનેકાંત અમૃત જ્ઞાનમાત્ર જ્ઞાયક જ્ઞાયક કહેતા આવે છે તો પણ એમાં કાંઈ દોષ નથી. સ્યાદ્વાદ તો એમાં ગર્ભિત આવી જાય છે જ્ઞાનમાત્રમાં. સ્યાદ્વાદમાં કોપ નથી. કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયંમેવ અનેકાંતપણું છે. આહાહા ! ત્યાં અનેકાંતનું એવું સ્વરૂપ છે કે જે વસ્તુ તત્વ છે તે જ અતત્વ છે. જે વસ્તુ એક છે તે જ અનેક છે. જે સત્ છે તે જ અસત્ છે. જે નિત્ય છે તે જ અનિત્ય છે. એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ જ્ઞાનમાત્રપણું હોવા છતાં તત્ અતપણું, એક-અનેકપણું, સતુ-અસતપણું, નિત્ય-અનિત્યપણું પ્રકાશ જ છે. જ્ઞાનમાત્ર કહેતા નિત્ય-અનિત્ય એમાં આવી ગયું. એક-અનેક આવી ગયું. તત-અતત્ તો આવે જ છે. પણ એક-અનેક અને નિત્ય-અનિત્યપણું પણ આવી ગયું. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય આવી ગયું એમ. જ્ઞાનમાત્રપણું હોવા છતાં આ પ્રકાશે જ છે. કારણ કે તેને જ્ઞાનમાત્ર આત્મવસ્તુને અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે. પોતાપણું છે અને જોયની એમાં નાસ્તિ છે. અને બહાર પ્રગટ થતા, ઓલું અંતરંગમાં, અંતરંગમાં હતું અને હવે આ જોય બહાર છે. બહાર પ્રગટ થતા અનંત શેયપણાને પામેલા. અનંત આવી ગયા કે નહીં. આહાહા ! જોયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે અતપણું છે. અર્થાત્ તે રૂપે જ્ઞાન નથી. શેયરૂપે જ્ઞાન નથી. શેયરૂપે જ્ઞાન નથી એટલે આત્મા શેયરૂપ નથી હોં. પછી હજી એમાં ને એમાં છે. સહભૂત સાથે પ્રવર્તતા, હવે એક-અનેક આવે છે ને. સહભૂત સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે. દ્રવ્ય-ગુણ ને પર્યાય હો. ક્રમ ને અક્રમમાં ગુણ અક્રમ અને પર્યાય ક્રમ એ બે આખું દ્રવ્ય આવી ગયું એમ. ઈ એકપણું છે. દ્રવ્ય એકપણું છે ઈ દ્રવ્ય કેવું છે? ક્રમ ને અક્રમે પ્રવર્તતા બધા ભાવો સહિત અભેદ ઈ એકપણું છે. દ્રવ્ય એક અને પર્યાયે અનેક એમ અહીંયા એકપણું નથી. (કેમ) હા જો ને સહભૂત સાથે પ્રવર્તતા અનેક સાથે તો કોણ પ્રવર્તે કે ગુણો બરાબર અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશો, બેય ગુણો પણ અનંત અને પર્યાયો પણ અનંત અંશો એટલે ગુણપર્યાય બેય. (શ્રોતા:- ગુણોની અપેક્ષાએ કે પર્યાયની અપેક્ષાએ) જો ફરીથી સહભૂત છે ને સહભૂત સભૂત નથી. સહભૂત એટલે સાથે દ્રવ્યની અંદર ગુણો અને પર્યાયો એક સાથે રહેલા છે એવું દ્રવ્ય છે. (અભેદથી એક જ છે અને) ઉત્પાદુવ્યયધ્રુવયુક્ત સતુ એક, એકમે એક સત્ છે. એકમ એ દ્રવ્ય છે ને એને દ્રવ્ય કહેવાય અને ઈ ને ઈ અનેક, કે ભેદની અપેક્ષાએ પર્યાયની
Page #29
--------------------------------------------------------------------------
________________
૧
૫
અનેકાંત અમૃત અપેક્ષાએ ન લેવું. (ભેદની અપેક્ષાએ) ભેદ કહેવો એમ વિચારવું હો. પર્યાયનો ભેદ કહેતા પર્યાય આવશે. ભેદમાં તો ગુણ ને પર્યાય બે આવશે.
આમ ને આમાં ખુલાસો આપશે. હમણાં બીજો બોલ આવશે ને આનો અનેક. તમે વાંચશો ને એટલે ઓલી વાત તમને બેસી જશે હૃદયમાં. ઓલો અર્થ કર્યોને આપણે ઈ અર્થ અનેક કેમ છે ઈ લેશું ને આપણે એટલે ઈ ખ્યાલમાં આવી જશે. વધારે આખો બોલ વાંચીને ઈ પછી ચર્ચા કરીશું. આપણે શું કામ છે બીજું ? આ જ કામ છે આપણે. કાંઈ વાંચવાની ઉતાવળ નથી. એક એક આ શાના માટે લીધું છે? એક એક ગુણને ક્લીયર કરવા. સાવ ક્લીયર કર્યું છે. જો ફરીથી વાંચીએ. બેન ! સમજાણું ને? (હા)
સહભૂત સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશોના સમુદાયરૂપ અવિભાગ અભેદ દ્રવ્ય વડે એકપણું છે. અને અવિભાગ એક દ્રવ્યમાં જે અવિભાગ, એક દ્રવ્ય કહ્યું ને ગુણ-પર્યાયવાળું એમાં વ્યાપેલા એટલે રહેલા સહભૂત પ્રવર્તતા ગુણો અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશરૂપ પર્યાયો વડે એટલે ભેદ વડે અનેકપણું છે. પર્યાયો એટલે ભેદ. એકલી ઉત્પાદ વ્યય ન લેવી. ગુણ પણ પર્યાયનો વિષય થયો. પર્યાયાર્થિકનયનો, એટલે ભેદ લેવો. ભેદથી સમજાય તમને. અભેદથી એક વસ્તુ એકરૂપ છે એને એ વસ્તુ ભેદથી જુઓ તો અનેકરૂપ છે. એકપણું કેમ? કે ગુણપર્યાયથી અભેદ આત્મામાં અમને અત્યારે ભેદ દેખાતો નથી. અને જ્યાં એને એ વસ્તુને જ્યાં અવિભાગ ભેદથી જુઓ તો એમાં અનંત ગુણો છે ને અનંત પર્યાયો છે તો દ્રવ્ય અનેકપણે દેખાય છે. એક જ દ્રવ્ય એક જ સમયે એકરૂપે દેખાય ને એ જ દ્રવ્ય અનેકરૂપે દેખાય. એક અનેકરૂપનું જ્ઞાન થાય છે. બેન ! ભેદભેદનું જ્ઞાન થાય છે. - આ જ્ઞાનની તાકાત છે, આ ખરેખર તો કેવળી થઈ ગયો. ઈ શ્રુતકેવળી કેવળી થઈ ગયો, ઈ ભેદભેદને જાણે છે. ભેદભેદ એટલે આ. અત્યારે બોલ ચાલે છે ઈ એકઅનેક, આહાહા ! અભેદ પણ છે એટલે અભેદ એકલા અનંતગુણથી અભેદ ઈ નહીં. (શ્રોતા :- ઈ નહીં આખો અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક) અનંત ધર્માત્મક આખો એક એકમ અને ઈ ને ઈ ભેદથી જુઓ તો ઈ અનેક પણ છે અને આનીકોર જુઓ તો એકરૂપ દેખાય છે અને આમ જુઓ તો અનેકરૂપ દેખાય છે.
એક અનેકરૂપ દેખાય પણ એક અનેકનો પક્ષ ને વિકલ્પ નહીં હો. વિકલ્પાતીત છે. આ વાત પછી વિકલ્પમાં આવીને ક્રમે ક્રમે જગતના જીવોને સમજાવે છે. (શ્રોતા :- બહ સરસ અનુભવ તો જ્ઞાનમાત્રનો થાય છે પણ જ્ઞાનમાત્ર આત્મા કેવો છે? કેવું છે એક અનેક સ્વરૂપ? અભેદથી એક સ્વરૂપ છે અને ભેદથી અનેક સ્વરૂપ છે) અનેક સ્વરૂપ મેં મેળવ્યું
Page #30
--------------------------------------------------------------------------
________________
૧ ૬
અનેકાંત અમૃત બસ. અમારી સ્વતંત્રપણે વિચાર કરવાની ટેવ છે. (શ્રોતા :- એટલે જ તો આટલું બધું કાઢી શકો છો) મારી પદ્ધતિ પાઠ પ્રમાણે આચાર્યની હારે ચાલવાની છે. બેન ! એટલે તો નીકળે છે. (શ્રોતા :- પક્ષ નથી કોઈ વાતનો) પક્ષ નથી. (શ્રોતા :- વિશાળબુદ્ધિ ને મધ્યસ્થતા) મધ્યસ્થતા. અવિભાગ પાછું રાખ્યું છે એમાં, વિભાગ નથી એટલે. એક દ્રવ્ય અને એવો અવિભાગ દ્રવ્યમાં. એમાં ને એમાં ભેદ કરો તો ગુણો અનંત અને પર્યાય પણ અનંત એવું છે. બે બોલ થયા. તત્ અતતું અને એકઅનેક.
(શ્રોતા :- એ એક કેટલું સરસ એક અનેકમાં બહુ સરસ) ચમત્કારીક (ચમત્કારીક) એ પર્યાયો શબ્દ લખ્યા છે એટલે જ જીવ ભૂલી જાય. (શ્રોતા :- ભેદો છે) ભેદો. (શ્રોતા :સહવર્તી અને ક્રમવર્તી બેય લીધાને) લીધા ને એટલે. (શ્રોતા :- ગુણ પર્યાય બંને) ગુણોને પણ ભેદથી પર્યાયનો વિષય કહ્યો. પર્યાય કહો કે ભેદ કહો. આહાહા ! એક અનેક સ્વરૂપે છું. આનું નામ નિશ્ચય વ્યવહાર છે અંદરનું સ્વપપ્રકાશક આ અંદરનું છે બધું.
હવે પોતાના સતઅસતુ. આપણે ઉતાવળ નથી. આ બોલ એકઅનેકનો ક્લીયર થઈ ગયો પછી જ આગળ વધીએ. તતુ અતમાં તો સીધું જ છે. આત્મા જ્ઞાન સ્વરૂપે છે ને શેય સ્વરૂપે નથી એમ. પછી આગળ આવશે કે શેયના જ્ઞાન સ્વરૂપે છે ઈ આવશે. આખું જ્યારે લ્યોને તમે ત્યારે. અત્યારે તો આ એક-અનેક સહવર્તી ગુણ અને ક્રમવર્તી પર્યાય એનાથી અભેદ, જુઓ એકરૂપે છે. આત્મા અને એક અવિભાગ આખું દ્રવ્ય, તેનો જ ભાગ પાડો ભેદથી તો આત્મા અનેકરૂપ દેખાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય એવી પર્યાયો એવા ધર્મો અનેકરૂપે દેખાય છે. આહાહા ! આશ્ચર્યકારી છે. આચાર્ય ભગવાન કહે છે કે આ વસ્તુ આશ્ચર્યકારી છે. જગતને આ સ્યાદ્વાદનું સ્વરૂપ સમજાતું નથી. - આચાર્ય! તમે એક પણ કહો છો? કે હા. અનેકરૂપે આત્મા છે? કે હા ! તો અનેકરૂપે જો જાણશો તો પછી પર્યાયદષ્ટિ થશે અને એકરૂપે જાણશો તો સાંખ્યમત આવશે. નિશ્ચયાભાસી થશો, તો કે નહીં. આહાહા! આખો વિષય જ્ઞાનનો છે, સમ્યકજ્ઞાનનો વિષય છે આ. મિથ્યાજ્ઞાનનો વિષય નથી. સમ્યકજ્ઞાનનો વિષય છે સ્યાદ્વાદનો, આપણે આવી ગયું છે ને. આ સ્યાદ્વાદનો જન્મ અનુભવમાં થાય છે. અનુભવ છે તો સમ્યકજ્ઞાન થયું કે નહીં. આપણે જામનગરમાં શું કહ્યું. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ પણ આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ. એકઅનેકને જાણે છે ઈ આ. આત્મા એકરૂપે છે? કે હા. આત્મા અનેકરૂપે છે? કે હા. એકની વ્યાખ્યા કરો. કોઈ કહે એકની વ્યાખ્યા કરો. અનંત ગુણ, અનંત પર્યાય, અનંતધર્મ અભેદ આત્મા એકરૂપ. અરે તમે ક્યાંથી, કેમ બોલો છો આવું. એવું સ્વરૂપ છે. ખેંચતાણનો વિષય નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
જ્ઞાનનો સ્વભાવ જેમ છે તેમ જાણે. જ્ઞાનનો સ્વભાવ જેવું વસ્તુનું સ્વરૂપ છે ત્યાં જ્ઞાન વ્યાપક છે. જ્ઞાનમાં અનંતગુણો અને અનંતધર્મો જણાય જાય છે અને જેવું સ્વરૂપ છે તેવું જણાય. સાધક થાય ત્યારે એવું જણાય. કેવળી થાય ત્યારે એવું જણાય. સિદ્ધ થાય ત્યારે એને યોગ્ય જણાય. કેટલાક ધર્મો વયા ગયા એમ ન જણાય. સાધકને કેટલાક ધર્મો છે એનું સ્વરૂપ પણ જણાય. ધર્મો છે, એટલે મૂળ સ્વભાવ નથી. (શ્રોતા :- એકમાં તો અનંત ગુણાત્મક અનેક પર્યાયાત્મક જ્ઞાનપણે આત્મા એ અભેદ શેય છે) અભેદ શેય છે, તો અભેદ શેયમાં ભેદ કરો તો આત્મા અનેકરૂપે દેખાય, એક જ આત્મા. ગુણોમાં અનેકરૂપે ને પર્યાય અનેકરૂપે એમ નહીં હો. આત્મા અનેકરૂપ દેખાય છે. ઓમાં આત્મા એકરૂપ દેખાય. આત્મા લગાડો મેઈન.
(શ્રોતા:- આખો પરિણામી આત્મા) પરિણામીની વાત છે. આ સ્યાદ્વાદ અધિકારમાં પરિણામીની વાત છે, અપરિણામીની વાત નથી. અપરિણામી છૂપો છે અંદર રહેલો છે. (શ્રોતા :- એવા એક-અનેક, મને એવો ભાવ આવ્યો કે એકરૂપે એટલે અનંત ગુણોથી અનંત ગુણાત્મક એક સામાન્ય એ રીતે દ્રવ્યથી જોઈએ તો એકરૂપે અને પર્યાયથી જોઈએ તો અનેકરૂપ છે. આમાં જુદું લ્ય છે આમાં. અનંતગુણ, અનંત ધર્માત્મક આખો એક અભેદ પરિણામી ધર્મી આત્મા. પરિણામી આત્મા આખો એક છે અને એમાં ધર્મોના ભેદો ગુણોના ભેદો એ અનેકરૂપે છે એમ. કેમ કે શેય છે તો એમાં ધ્યેય તો છે જ અંદર)
પણ ધ્યેયપૂર્વક જ જોય હોય છે. (એકરૂપ પણ છે જોય અને અનેકરૂપ પણ છે શેય) એકલા દૃષ્ટિના વિષયમાં એકરૂપ છે એમ નથી. જ્ઞાનના વિષયમાં પણ એકરૂપ દેખાય છે. આ મર્મ જ્ઞાની જાણે છે. (શ્રોતા :- બહુ ગહરાઈ છે આમાં) આ મર્મ જ્ઞાની જ જાણે છે. અને જરાય દૃષ્ટિમાં મચક નથી આવતી. બેન! દૃષ્ટિપૂર્વકની વાત ચાલે છે. (શ્રોતા :- આત્મા જ એકરૂપ ને આત્મા જ અનેકરૂપ) હા. આત્મા જ. ગુણ ને પર્યાય અનેકરૂપ નથી દેખાતા. આત્મા જ એકરૂપ દેખાય છે. કેમ ? કે ગુણધર્મ ને પર્યાયધર્મ આત્માના છે. પુદ્ગલના નથી. એટલે એક જ આત્મા કથંચિત્ એકરૂપ દેખાય છે ને એક જ આત્મા કથંચિત અનેકરૂપ દેખાય છે. એનું નામ સ્યાદ્વાદ છે. ચમત્કારીક વાત છે. આપણે આ અધિકાર લીધો ઈ સારું થયું. જ્ઞાન સ્પષ્ટ થાય. હજી નવું નવું ઘણું આવવાનું છે. કાળ શરૂ થઈ ગયો.
(શ્રોતા :- એક જ આત્મા એક જ સમયમાં એકરૂપે છે ને તે જ આત્મા અનેકરૂપે છે.) એક જ સમયમાં જો તમે અભેદથી જોવો તો એકરૂપે દેખાય છે. ને એને ને એને ભેદરૂપે જોવો તો જ્ઞાન છે ઈ સવિકલ્પ છે એટલે અભેદરૂપ જાણે ને ભેદરૂપ જાણે તો પણ રાગ ઉત્પન્ન ન થાય. ભેદરૂપ જાણે તો પણ રાગ ઉત્પન્ન થતો નથી. વાત ઈ છે. સવિકલ્પ
Page #32
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૧૮
જ્ઞાનનો સ્વભાવ છે. સ્વભાવ છે તેવું તો જાણે ને. લક્ષ ભેદ ઉપર ક્યાં છે. તે તો સામાન્ય ઉપર લક્ષ છે ને સામાન્ય વિશેષ બેય જણાય જાય છે. લક્ષ ફરતું નથી. અભેદ ઉપર લક્ષ છે. અહંમ તો જ્ઞાયક ઉપર છે.
(શ્રોતા :- તો શેયમાં પણ બે પ્રકાર છે) નહીં. નહીં. નહીં. એ તો પહેલી વાત ન કરી. (શ્રોતાઃ- લક્ષ વગર પરિણામી જણાય છે) લક્ષ વગર, પણ અપરિણામી ૫૨ જ લક્ષ છે. પરિણામીનું જ્ઞાન થાય છે. પરિણામીનું અવલોકન નથી. પરિણામીનું અવલંબન નથી. એમાં તો રાગ પણ આવી જાય સાધકનો. કહું છું એમાં બિલકુલ લક્ષ ફરતું નથી, અભેદ ઉપર લક્ષ છે. પણ અભેદ ઉપર લક્ષવાળું જે જ્ઞાન છે ઈ અપેક્ષાએ આશ્રયભૂતની અપેક્ષાએ ત્યાં એ જ્ઞાનને શુદ્ધનય કહેવાય, નિશ્ચયનય કહેવાય. અને એની શક્તિ એવી છે બધું જાણી લેવાની સામર્થ્ય, તો ઈ અપેક્ષાએ એક ભેદને જાણે છે તો વ્યવહાર. અભેદને જાણે છે તો નિશ્ચય. ભેદાભેદને જાણે તે પ્રમાણ, સમય એક.
એક સમયમાં દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડી તો અનુભવ થયો ત્યારે પરિણામી દ્રવ્ય થયો કે નહીં ? (શ્રોતા :- હા થયો) થઈ ગયો ને પરિણામી, જ્ઞેય થઈ ગયું ને, તો હવે લક્ષ તો જ્ઞાનનું પણ આત્મા ઉપર છે. બરાબર, પણ જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. શ્રદ્ધામાં એવું નથી. ભેદને, અભેદને કે ભેદાભેદને પ્રતીત કરતી નથી. એની પ્રતીતનો વિષય એક જ છે, નિર્વિકલ્પ છે. જ્ઞાન એક જ સવિકલ્પ છે. જ્ઞાન એક સવિકલ્પ હોવાથી એ દૃષ્ટિના વિષયને તો જ્ઞાન ગ્રહણ કરે જ છે. પણ જ્ઞાનમાં પ્લસ એવો એક સ્વભાવ છે કે ઈ ઉપાદેયપણે એકને જાણે અને ગુણપર્યાયથી અભેદ છું એવા એકને જાણે છે. પણ એવા એકને લક્ષ વગ૨ જાણે ને લક્ષ વગર.
=
(શ્રોતા :- એમાં જે એકઅનેકપણું લીધું ધર્મો તો એવા એકઅનેકને તો લક્ષ વગર જાણે છે ને ?) હા. લક્ષ વગર. (શ્રોતા :- એક જ્ઞાયકભાવ છે અનંતગુણ સ્વરૂપ એને તો લક્ષપૂર્વક જાણે છે) બસ, બસ, બસ. (શ્રોતા :- અને એક છે પરિણામી આત્મા એને લક્ષ વગર જાણે છે) એ ઉપાદેય છે એવું જ્ઞાનમાં આવતું જ નથી. (શ્રોતા :- એક પ્રશ્ન છે. લક્ષની વાત આવીને તેથી લક્ષ તો દૃષ્ટિના વિષય ઉપર છે. અભેદ જ્ઞાયક ઉ૫૨-જ્ઞાનમાં જે જ્ઞાન પ્રગટ થયું તેમાં બે પ્રકારે જાણે છે. ભેદને પણ જાણે છે ને અભેદને પણ જાણે છે) હા. ત્રણ પ્રકારે જાણે છે (૧) અભેદને (૨) ભેદને (૩) ભેદાભેદને.
:
(શ્રોતા :- એમાં લક્ષ અભેદ ઉપર છે ?) હા. અભેદ ઉપર લક્ષ છે. હવે જુઓ. પ્રમાણજ્ઞાનની વાત છે ને અત્યારે તો પ્રમાણજ્ઞાન છે તે નયપૂર્વક હોય કે નયને છોડીને પ્રમાણ હોય. (શ્રોતા :- નયપૂર્વક જ હોય.) બસ તો શ્રદ્ધાનો વિષય ને શુદ્ધનયનો વિષય તો
Page #33
--------------------------------------------------------------------------
________________
૧
૯
અનેકાંત અમૃત એક જ રહ્યો. લક્ષ ઉપરાંત. (શ્રોતા :- તો લક્ષ તો ધ્યેય ઉપર જ છે ત્રિકાળ જ્ઞાયક અભેદ ઉપર જ છે.) હા. જ્ઞાનનું પણ લક્ષ અભેદ ઉપર છે. જાણેલાની પ્રતીતિ થાય છે. પણ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ હોવાને કારણે એ સામાન્યને પણ જાણે અને સામાન્ય વિશેષાત્મક આખા પદાર્થને પણ જાણે.
(શ્રોતા :- સામાન્યને તો ભાઈ લક્ષપૂર્વક જાણે છે પણ સામાન્ય વિશેષાત્મક આત્મા જે શેય થયો તેને લક્ષપૂર્વક જાણે છે?) ના. ના. ના. (શ્રોતા:- શેય તરીકે આવે છે અભેદ જોય તરીકે) અભેદ જ્ઞય તરીકે, આપણે ધ્યેયપૂર્વક જે શેયની વાત કરી છે એ અપૂર્વ વાત છે (શ્રોતા - ભાઈ એમાંથી તો ઘણું નીકળશે એવું લાગે છે) ઘણું નીકળશે, પાર વગરનું નીકળશે. કેમ કે આ તો શેયની વાત આવીને. ધ્યેયપૂર્વક જોય કેવું થયું કે ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ એક, ઈ પણ એકને શ્રદ્ધયું અને એકને એકપણે જાણ્યું અને એકને અનેકપણે પણ જાણ્યું અને એકને એકઅનેકપણે પણ જાણું. એકને એકપણે જાણ્યું, એકને અનેકરૂપે જાયું અને એકને એકઅનેકરૂપે જાણ્યું. તાકાત છે ને સવિકલ્પ સ્વભાવ છે. શ્રદ્ધાનો વિષય એક જ છે એનો. એકઅનેક ને એક એવું કાંઈ છે જ નહીં. (શ્રોતા :- એવું કાંઈ છે જ નહીં આમાં) જ્ઞાનમાં ઈ બધું છે. (શ્રોતા :- આ બધું જ્ઞાનના વિષયનું વર્ણન છે) આ બધું જ્ઞાનનું વર્ણન છે. (શ્રોતા :- ને ઈ બધું લક્ષ વગર જ્ઞાનમાં જણાય છે) લક્ષ વગર જણાય જાય લક્ષ તો ફરતું જ નથી.
અને જેટલું જણાય છે એટલું ઉપાદેય છે કાંઈ? (શ્રોતા:- નહીં) તો પછી ઉપાદેય તત્ત્વ તો એક જ જણાય ને લક્ષપૂર્વક તો. (શ્રોતા :- લક્ષમાં એક જ જણાય અને લક્ષ વગર ઘણું જણાય છે અને લક્ષપૂર્વક એક જ જણાય છે) એક સતી સ્ત્રી છે સીતાજી, દાખલો આપું છું. એના પતિ રામચંદ્રજી છે ક્ષાયિક સમ્યક્રદૃષ્ટિ, સીતાજી પણ ક્ષાયિક સમ્યદૃષ્ટિ. બેય સમ્યદૃષ્ટિનો દાખલો લઈએ છીએ. હવે ઈ રામચંદ્રજીને તો લક્ષપૂર્વક જાણે છે. લવ-કુશને તો લક્ષ વગર જાણે છે. પતિ તો એક જ છે ને આ પતિની પ્રજા છે. પ્રજા પર લક્ષ ન હોય. (શ્રોતા :- જ્ઞાન હોય પણ લક્ષ ન હોય) જ્ઞાન તો છે કે નહીં. એટલે જ્યાં જ્ઞાન હોય ત્યાં લક્ષ હોય એવું નથી. જ્યાં લક્ષ હોય ત્યાં તો જ્ઞાન હોય પણ જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં લક્ષ એમ નથી, સમવ્યાપ્તિ નથી. આ દાખલો આપ્યો.
રામ અધિક છે કે લવ-કુશ. (શ્રોતા :- રામ) બેય સમ્યગ્દષ્ટિનો દાખલો. લવ-કુશને જાણે છે ત્યારે રામનું લક્ષ છૂટી જાય છે? (શ્રોતા :- નહીં. એના લક્ષ વિના તો એનું જ્ઞાન પણ નથી થાતું) તો એમ છે. આ રામના પુત્ર છે એમ કહે છે ઈ. રામ છે તો પુત્ર છે. મારો રામ. આ દાખલો છે. એમ જ્ઞાયક, મારો જ્ઞાયક અને એના આશ્રયે બધી પર્યાયો પ્રગટ
Page #34
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૨૦
થઈ, પૂત્ર. પણ અધિક તો રામ છે આત્મારામ. આહાહા ! અપૂર્વ જૈનદર્શન છે. ભલભલાએ ગોથા ખાધા દ્રવ્યલિંગી મુનિ પણ ગોથા ખાઈ ગયા. ગહન છે શિષ્યવાત. કહી સંક્ષેપે સાર. જ્ઞાન તો અનેકને વિષય કરે છે જાણવા માટે, જણાય જાય છે એના વિષય અનેક છે, અનંત છે. પણ શ્રદ્ધાનો વિષય એક જ છે. શ્રદ્ધા નિર્વિકલ્પ છે. લવ-કુશ ઉપર પ્યાર કરે છે પણ જે પ્રેમ અને જે પ્યાર સીતાને રામ ઉપર છે એ કોઈ ઉપર આવે નહીં. લવ-કુશની વાત તો જવા દ્યો. એટલે પરપુરુષનો દાખલો મેં આપ્યો નહીં. સતી સ્ત્રી છે. એના જ સંતાન છે લવ-કુશ. એટલે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર એના જ સંતાન છે પણ અધિકતા જ્ઞાયક ઉપર રહે છે. (શ્રોતા :- બરાબર ! તો જ સમ્યગ્દર્શન ચાલુ છે ને) તો જ ચાલુ રહે. (શ્રોતા :નહીં તો કુશીલનો દોષ આવી જાય) દોષ આવી જાય. અને કોઈક એના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જાણે ભેદને, તો મિથ્યાદષ્ટિ થઈ જાય પર્યાયને જાણે તો ? આમ તો પ્રશ્ન પૂછવાની આદત નથી તો પણ પ્રશ્ન પૂછું છું. જાણવામાં તો આવ્યું કે નહીં સમ્યક્દર્શન. તો શું કાંઈ પર્યાય દષ્ટિ થઈ ગઈ ? એ તો જ્ઞાનનો વિષય છે. (શ્રોતા :- તમે કહ્યું દ્રવ્યદૃષ્ટિ છૂટે તો પર્યાયષ્ટિ થાય છે પર્યાય જણાય તેથી કાંઈ પર્યાય દષ્ટિ ન થાય) ન થાય. (શ્રોતા :દ્રવ્યદૃષ્ટિ રાખીને જો પર્યાય જણાય તો પર્યાયષ્ટિ ન થાય) એ તો લક્ષ ફરતું નથી પર્યાય જણાય ત્યારે. પર્યાય જણાય ત્યારે લક્ષ ફરે છે ? (શ્રોતા :- નહીં. નહીં.) ભેદને જાણે તો લક્ષ ફરી જાય ? (ના.) તો ઠીક.
=
(શ્રોતા :- નિર્વિકલ્પમાં પણ એનું જ્ઞાન થાય છે. સમ્યજ્ઞાન પણ અલૌકિક જ્ઞાન છે) સમ્યજ્ઞાન પણ અલૌકિક જ્ઞાન છે. શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાન બેય સરખા, ઈ આ. સહજ છે એવી સ્થિતી સમ્યક્ત્તાનની જેવું રૂપ હોય તે રૂપે પરિણમે છે બસ. એનું રૂપ જ છે. એનું સ્વરૂપ જ એવું છે અભેદને જાણે, ભેદને જાણે, ભેદાભેદને જાણે. (શ્રોતા :- લક્ષ અભેદ ઉ૫૨) એમાં તો ટંકોત્કીર્ણ. (શ્રોતા :- જ્ઞાન અભેદનું અને ભેદનું અને ભેદાભેદનું) ધૃતરાષ્ટ્ર અને એની પત્ની ગાંધારી ઈ ગાંધારીને ધૃતરાષ્ટ્ર પર લક્ષ હતું. સો પુત્રો પર લક્ષ નહોતું. સો પુત્ર હતા પતિ એક. (શ્રોતા :- પતિ તો એક જ હોય ને. લક્ષ તો એકનું જ.)
:
ઠીક પત્ની અને પુત્ર બે છે. સમજી ગયા ! પતિ પણ ઊભા છે ને પત્ની, દીકરા પણ ઊભા છે. સતી સ્ત્રી છે, ઊભી છે. એમાં કોઈ મારવા આવ્યો. સમજી ગયા ! તો પુત્રને બચાવશે કે પતિને ? મને જવાબ ઘો. (શ્રોતા :- પતિને પહેલા બચાવશે) પતિ હશે તો પુત્ર થશે પણ પતિ જશે તો પુત્ર નહીં થાય. એકનો એક પુત્ર હતો તોય એનો ભોગ આપી દીધો ને પતિને બચાવી લીધો. દાખલો સમજાણો. (શ્રોતા :- આ તો સૂત્ર થઈ જશે પતિ હશે તો પુત્ર થશે એમ દ્રવ્યદૃષ્ટિ હશે તો પર્યાયનું અનંતધર્મોનું જ્ઞાન થશે. આહા !) જૈનદર્શન !
Page #35
--------------------------------------------------------------------------
________________
૨ ૧
અનેકાંત અમૃત જેમ જેમ એમાં ઊંડા ઉતરીએ છીએ, આહાહા ! સ્વપ્રકાશને છોડીને સ્વપરપ્રકાશકને પકડ્યું એમ સમ્યફ એકાંતને છોડી અને અનેકાંતને જીવો વળગી ગયા.
દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ, દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ. તમે કટકા કેમ કરો છો ? એ તો અનેકાંત સ્વરૂપ ઉપાદેય થઈ ગયું તને. એમાં હેયતત્ત્વને ઉપાદેયપણે ભેગું ગણી લીધું તો. (શ્રોતા :- અનેકાંત ઉપાદેય નથી અનેકાંત તો શેય છે) અનેકાંત ઉપાદેય નથી, અનેકાંત શેય છે. બરાબર કીધું તમે. અચ્છા શેયને આપે એક કહ્યું તો જોય અનેક છે? તો કે હ. ધ્યેય અનેક છે? તો કે ના. ન્નેય અનેક છે? તો કે હા. (શ્રોતા :- શેયમાં બે ભેદ છે. શેયમાં તો બે ભેદ છે એકઅનેક પણ ધ્યેયમાં એવા બે ભેદ નથી) નથી. આ ધ્યેયપૂર્વક જ્ઞયની જે વાત છે ને ઈ અપૂર્વ છે. આખો સાર કહ્યો આમાં. (આખો સાર છે સાચો છે) શેયમાં તો દ્રવ્યપર્યાય સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે ન્નય થાય ને પરિણામી, તમે જવાબ બરાબર આપ્યો તો. પર્યાયનું જ્ઞાન થાય કે પર્યાયનું જ્ઞાન ન થાય. દષ્ટિ છૂટે અને પર્યાયનું લક્ષ કરે તો પર્યાયષ્ટિ થાય. પણ દ્રવ્યનું લક્ષ તો છૂટતું નથી સમકિતીને.
(શ્રોતા :- દ્રવ્યનું લક્ષ ચાલુ રહીને પર્યાયનું જ્ઞાન થાય છે) પતિને જાણતા જાણતા પુત્રને જાણે છે. (શ્રોતા :- એટલે ભાઈ એના પુત્ર ઉપર લક્ષ નથી હોતું) લક્ષ નથી હોતું. જ્ઞાન થાય અને પૂત્રને મારો પણ કહે પણ અધિક તો પતિ છે. (શ્રોતા :- કેમ કે એને ખબર છે ને પતિને આશ્રિત મારું જીવન છે પૂત્રને આશ્રિત મારું જીવન નથી.) બરાબર છે. પછી ચર્ચા કરશું આપણે ગમે ત્યારે. હજી ચર્ચાનો વિષય છે. દરિયો છે પણ મધ્યસ્થ થઈને. મધ્યસ્થતા અને વિશાળતા બે શબ્દો છે. એ બેય આમાં લાગુ પડે છે. એકાંતે એકપણું પણ નથી અને એકાંતે અનેકાંતપણું પણ નથી. એકઅનેકપણું છે.
(શ્રોતા :- બહુ સરસ. સ્યાદ્વાદ એકઅનેકને જાણે છે) સાદૂવાદ એક અનેકને જાણે છે એનું નામ સ્યાદ્વાદ જ્ઞાન છે. એ જ્ઞાનની એક પર્યાયનું નામ છે. સ્યાદ્વાદ જ્ઞાનનું લક્ષણ છે. શ્રદ્ધાનું લક્ષણ છે? (શ્રોતા :- નહીં. શ્રદ્ધામાં તો સ્યાદ્વાદનો અભાવ છે) બરાબર ! અને શ્રદ્ધાના વિષયમાં? (શ્રોતા :- એમાં પણ, શ્રદ્ધામાં અભાવ હોય તો તેના વિષયમાં તો અભાવ જ હોય ને) ઠીક છે.
આ દાખલો બહુ સરસ હતો. પુત્રને પતિ બે હતા મારવા આવ્યો અને બચાવ્યો. (શ્રોતા :- કેમકે પતિ હશે તો પુત્રો અનેકો થવાના છે) અનેક થશે. એમ જ્ઞાયક હશે તો પર્યાય તો અનંતી પ્રગટ થશે. (શ્રોતા :- અનંતકાળ સુધી થવાની. ભાઈ ! બહુ સરસ વાત છે) આ જ્ઞાનની શુદ્ધિ થાય છે. આ છે ને જ્ઞાનની શુદ્ધિ છે. સમ્યક્દર્શન થયા પછી પણ બાપુજી કહેતા હતા કે જ્ઞાન ઉઘડે છે, ધીમે ધીમે.
Page #36
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત (શ્રોતા :- ને એમાં શ્રદ્ધા પણ તો નિર્મલ થતી જાય છે ને સાથે જ્ઞાનનો વિષય છે અને શ્રદ્ધાનો વિષય નથી, જ્યારે શ્રદ્ધા એમાં વિશેષ દૃઢ થાય છે.
આ તો જ્ઞાનનો વિષય ! જ્ઞાનનો વિષય ! જ્ઞાનનો વિષય ! તો શ્રદ્ધા ઉલટી દઢ થાય છે. શ્રદ્ધાને મચક ન આવે. (શ્રોતા :-શ્રદ્ધા ક્ષાયિક થતી જાય છે. એક અનેકનું જ્ઞાન છે પણ શ્રદ્ધામાં તો એવા એક અનેકથી જુદું એવું એનું એક સ્વરૂપ આત્મા છે, બરાબર છે. ઓલા એકમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવે અને ઓલા એકમાં અનંતગુણ જ આવે. એ એક એકમાં ફેર છે. બેયમાં એકમ્ છે. જ્ઞાનનો વિષય પણ એક અને શ્રદ્ધાનો વિષય પણ એક. (શ્રોતા :- બહુ સરસ! એક એકમાં ફેર છે) એકએકમાં ફેર છે. એક એકમાં અનંત ગુણ છે અને બીજા એકમાં અનંત ગુણ અનંત પર્યાય અનંત ધર્મ છે
એવું એકમ્ છે. બેયમાં એકમ્ લખ્યું છે હો. એવી વાત છે.
વિડીયો પ્રવચન નં. ૧૯૪, સળંગ પ્રવચન નં. ૨
તા. ૨૬/૧૧/૮૯
સ્વભાવવાનપણા વડે, અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી, વસ્તુ કેવી છે? પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ અને પોતાનો ભાવ. સ્વચતુષ્ટયરૂપે રહેલો છે આત્મા, એથી સત્પણું છે અને પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે નહીં હોવાથી શક્તિરૂપ એ સ્વભાવ, તે સ્વભાવવાનપણા વડે અસરૂપ છે. આખું પ્રમાણનું દ્રવ્ય લીધું. સમજી ગયા !
દ્રવ્ય તે સત્ ને પર્યાય તે અસત્ એ અહીં વાત નથી. સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય આખું પ્રમાણનું દ્રવ્ય સ્વ અને પ્રમાણની બહાર જેટલા પદાર્થો છે તે પરચતુષ્ટયમાં જાય. આ આખો સ્યાદ્વાદ અધિકાર, આની કોર દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઓનીકોર દ્રવ્ય-ગુણ-પર્યાય એનામાં બે ભાગલા. દ્રવ્ય-દ્રવ્ય વચ્ચેનું ભેદજ્ઞાન છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન તો ૪૧૫ ગાથામાં કહેવાઈ ગયું છે. એ અમારે હવે કહેવું નથી. ઉપરાંત જે કહ્યું, ઉપરાંત અમારે સ્યાદ્વાદ અધિકાર કહેવો છે. “પરિશિષ્ટ’માં એ બેઝ છે આખો. સમજાણું? છે ચોખ્ખો આમાં પાઠ છે.
પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ પોતામાં, દ્રવ્ય-ગુણ-પર્યાય પોતામાં હોવાથી, હોવાની શક્તિરૂપ તે સ્વભાવ. તે સ્વભાવપણા વડે સત્પણું છે અને પરના દ્રવ્ય, ક્ષેત્ર,
-- @ઝ
Page #37
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૨૩ કાળ, ભાવરૂપે નહીં હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસપણું છે. આ જે સ્વચતુષ્ટય પરચતુષ્ટય ભિન્ન છે, એ અનુભવ પછી જ પ્રમાણ થાય છે. અને અનુભવ પહેલાં તો સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની એકતા છે.
(શ્રોતા :- સહી હૈ બરાબર હૈ !) અનેકાંત પ્રમાણ જે પ્રગટ થાય છે ઈ ઉપાદેયપૂર્વક થાય છે. સમ્યફ એકાંતપૂર્વક અનેકાંત થાય છે. (શ્રોતા :- બરાબર હૈ !) આ અજ્ઞાની પાસે નથી. સ્યાદ્વાદ જ્ઞાનમાં હોય અજ્ઞાનમાં ન હોય. (શ્રોતા :- બરાબર ! એટલે પહેલાં જેને પરિણામથી ભિન્ન આત્મા દૃષ્ટિમાં આવ્યો છે એને જ પરથી ભિન્ન આત્મા જ્ઞાનમાં આવે છે.) જ્ઞાનમાં આવે છે. અને ત્યાં સુધી પરથી પણ અભિન્ન જ આવે છે, પર્યાય ને રાગથી અભિન્ન એટલે લોકાલોકથી અભિન્ન માને છે.
(શ્રોતા:- ભાઈ આ મૂળ વાત છે!) મૂળ વાત છે ! લોકાલોકથી અભિન્ન માને છે. અને આવા સ્વચતુષ્ટયથી જે અભિન્ન માને છે. દ્રવ્ય અને પર્યાયનું ભેદજ્ઞાન નથી થયું અને અભિન્ન માને છે એ રાગથી અભિન્ન અને પરથી અભિન્ન માને છે. પરની નાસ્તિ ક્યાં આવી? રાગની નાસ્તિ વિના પરની નાસ્તિ ન આવી શકે. રાગની નાસ્તિથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થાય. કેમકે આમાં સ્વચતુષ્ટયને પોતાના લીધાં. એટલે અજ્ઞાની સ્વચતુર્ય પોતાના માને છે. (શ્રોતા :- રાગને પોતાનો માને છે.) રાગને પોતાનું માને છે. (શ્રોતા :રાગને પોતાનો માન્યો એટલે રાગના નિમિત્તને પોતાનું માન્યું) રાગને પોતાનો માન્યો એટલે લોકાલોકની હારે એકતા પર્યાયની હારે એકતાબુદ્ધિ. પર્યાય દૃષ્ટિ તે મિથ્યાષ્ટિ.
(શ્રોતા :- પર્યાયદૃષ્ટિ તે મિથ્યાષ્ટિ) આ વિદ્વાનો અને ઉપાદેય માને છે. (આ બહુ ગહન વિષય છે, જૈન દર્શનનો પ્રાણ છે.) બહુ ગહન છે પ્રાણ છે, આ પ્રાણ છે.
પહેલાં સ્વચતુષ્ટયમાં દ્રવ્ય તે ક્ષેત્ર નથી, ક્ષેત્ર તે કાળ નથી, કાળ છે તે ભાવ નથી, ભાવ છે તે કાળ નથી, કાળ છે તે ક્ષેત્ર નથી. ક્ષેત્ર છે તે દ્રવ્ય નથી. અને અંદર-અંદર ચાર પ્રકારના ભેદજ્ઞાન થઈને અનુભવ થાય ત્યાર પછી આ પ્રકારે સ્થિતિ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચાર અંશ છે. (શ્રોતા તો ચાર સિદ્ધ થાય ને !) તો ચાર સિદ્ધ થાય. હવે એ તો દ્રવ્યમાં ક્ષેત્રની નાસ્તિ, ક્ષેત્રમાં કાળની નાસ્તિ, કાળમાં ભાવની નાસ્તિ એ અંદર-અંદર જ્યારે ભેદજ્ઞાન થઈને અનુભવ થાય પછી સ્વચતુષ્ટય તે જોય થઈ ગયું આખું. એ બરાબર છે ત્યારે પરથી ભિન્ન થાય.
(શ્રોતા :- પરિણામથી ભિન્ન પડે તો જ પરથી ભિન્નતા ખ્યાલમાં આવે.) બસ ! પરિણામની એકતાબુદ્ધિ છે ત્યાં સુધી લોકાલોકની હારે એકતાબુદ્ધિ છે બસ ! (શ્રોતા :પરિણામ કી એકત્વબુદ્ધિ છૂટતે હી અકર્તા કી દૃષ્ટિ હુઈ !) હાં ! (શ્રોતા:- તો ફીર પર કી
Page #38
--------------------------------------------------------------------------
________________
૨ ૪
અનેકાંત અમૃત દૃષ્ટિ છૂટ જાતી હૈ) છૂટ જાતી હૈ (શ્રોતા - તબ દ્રવ્ય-પર્યાય કા જ્ઞાન હો જાતા હૈ) હો જાતા હૈ! (શ્રોતા :- Most Important Point છે!)
આ પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં એ બે વાત આમાં આવી
ગઈ
(શ્રોતા :- બે વાત આવી ગઈ) આવી ગઈ ને ! પ્રમાણની બહાર જવું નહીં એટલે એકતા થાય નહીં. અને પ્રમાણમાં અટકવું નહીં એટલે પર્યાયમાં એકતા ના થાય. પ્રમાણમાં અટકે તો? (શ્રોતા - પર્યાયથી એકત્વબુદ્ધિ થઈ જાય) હાં.....અને પ્રમાણની બહાર જાય તો? (શ્રોતા :- પરથી એકત્વબુદ્ધિ થઈ જાય) હાં...જોયું? પ્રમાણની બહાર જાય તો પરથી એકત્વ અને પ્રમાણમાં અટકે તો? રાગથી એકત્વ. પ્રમાણની બહાર જાવું નહીંને પ્રમાણમાં અટકવું નહીં એ અસાધારણ છે સૂત્ર. એ લખજો એમાં મેં કહ્યું એ પ્રમાણે.
પ્રમાણમાં અટકેલો જીવ નિશ્ચયનય વડે પર્યાયનો નિષેધ કરી શકતો નથી. (શ્રોતા :નથી કરી શક્તો. કેમકે પ્રમાણમાં તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આવે ને !) એને ઉપાદેય માને છે. એમાં પર્યાયનો નિષેધ આવ્યો નહીં. દ્રવ્યના આશ્રય વિના પર્યાયનો નિષેધ ન થાય. પર્યાયનો નિષેધ ન થાય તો એકત્વ તૂટે નહીં. જ્ઞાતા થાય નહીં. કર્તબુદ્ધિ રહી જાય. (શ્રોતા :- પ્રમાણમાં અટકે તો પ્રમાણનું દ્રવ્ય ઉપાદેય થઈ જાય) ઉપાદેય થઈ જાય છે. અને પર્યાયને-દ્રવ્યની એકતા. પ્રમાણમાં અટકે તો દ્રવ્ય પર્યાયની એકતા અને પ્રમાણની બહાર જાય તો પરદ્રવ્ય ને સ્વદ્રવ્યની એકતા. એ મેઈન ચીજ છે બે. (શ્રોતા :- બરાબર ! આ સૂત્રમાં બે વાત આવી જાય છે પરથી ભેદજ્ઞાન થાય છે ને પરિણામથી ભેદજ્ઞાન થાય છે.) ભેદજ્ઞાન થાય છે બસ ! સૂત્ર છે “પ્રમાણની બહાર જાવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં' મોટા ભાગના જીવો તો પ્રમાણની બહાર જ છે. થોડા જીવ પ્રમાણમાં આવ્યા હોય તો અટકી જાય. બસ !
(શ્રોતા :- આહાહા ! અદ્ભુત વાત છે ભાઈ આ. એક સૂત્રમાં પરથી ભિન્નતા ને પર્યાયથી ભિન્નતા થઈ અને ખરેખર પર્યાયથી ભિન્નતા થાય ત્યારે જ ખરેખર પરથી ભિન્નતા સાચી સિદ્ધ થાય.) પર્યાયની એકતા તો આખા લોકાલોકની એકતા. કેમકે પર્યાય પોતે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની એકતા. પર્યાય તો નામ છે બાકી પરદ્રવ્ય છે (શ્રોતા:પર્યાય તો નામ છે બાકી તો પરદ્રવ્ય છે આહ...વાહ પ્રભુ !) છે કે નહીં. (શ્રોતા :- અમૃત ઝરે છે.)
આપણે તો આચાર્ય ભગવાનની સાથે સાથે ચાલવું. એની જરાય (આગળ પાછળ નહીં) (શ્રોતા :- પોતે આચાર્ય જેવા થઈ જાવ છો) તેમજ આચાર્ય થવાયને. તીર્થંકર થયા
Page #39
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૨૫
પહેલા તો આચાર્ય થાય જ ને. આચાર્ય થયા પછી એક સ્વાંગ આવશે. (શ્રોતા :- પર્યાય તો નામ છે બાકી પરદ્રવ્ય છે. ઉસકા અભિપ્રાય તો પરદ્રવ્ય સે હી એકત્વ કા રહા ના ? પર્યાય સે એકત્વબુદ્ધિ હૈ તો પર્યાય તો પણ ૫૨ દ્રવ્ય છે ને)
પરદ્રવ્ય એની હારે એકત્વ. (શ્રોતા :- તો પરદ્રવ્યકી જાતસે એકત્વ હૈ તો પછી પરદ્રવ્યસે એકત્વ હી હુઆ ના !) એકત્વ હો ગયા ના ! એટલે હાથ હલાવી શકું છું, બોલી શકું છું, રોટલીના કટકા કરી શકું છું એટલે પરની કર્તૃત્વબુદ્ધિ એકત્વબુદ્ધિ છે માટે કર્તૃત્વબુદ્ધિ છે. અને એક રાગની એકત્વબુદ્ધિ છે માટે પરની એકત્વબુદ્ધિ લંબાઈ જાય છે. અહીંથી (અંદરથી) તૂટે તો ઓલી લંબાઈ નહીં. (શ્રોતા ઃ- બરાબર ! એકદમ બહુ સરસ ! મૂળ તો અહીંથી (અંદરથી) તૂટવું જોઈએ.) મૂળ અહીંથી તૂટે છે. મૂળ અહીંથી તૂટે છે. ખરેખર ભેદજ્ઞાન તો અંદર જ છે ને બહાર તો પદાર્થ ભિન્ન જ છે.
(શ્રોતા :- આપ કહો છો ને ! હેય-ઉપાદેય તો અંદર જ છે !) અંદર જ છે ! (શ્રોતા ઃબહાર તો બધું જ્ઞેય છે) અને ૩૮ મી ગાથામાં અંદર જ લીધું. ૫૦ મી ગાથામાં અંદર બહારની વાત જ નહીં. નવ તત્ત્વ જે પર્યાય છે એનાથી આત્મા ભિન્ન છે. અજીવ પણ પર્યાય છે. અજીવનો વિકલ્પ એ અજીવ છે પોતે. સ્વચતુષ્ટયમાં આખું પ્રમાણનું દ્રવ્ય લીધું અને પ્રમાણના દ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તિ લીધી. (શ્રોતા :- પ્રમાણ કે દ્રવ્ય મેં પર દ્રવ્યની નાસ્તિ) હાં. પ્રમાણનું દ્રવ્ય લીધું છે.
હવે આગળ, નિત્ય-અનિત્યનો બોલ આવે છે. નિત્યમાં જોવો જો. નિત્યનો બોલ આવે છે. વાંચો ! અનાદિનિધન અવિભાગ, જેમ ઓલા સહવર્તી ને ક્રમવર્તીમાં અવિભાગ આવ્યું તું ને ! એમ નિત્યમાં પણ એકલું સામાન્ય નથી, સામાન્ય વિશેષાત્મક આખો નિત્ય છે. ધીમે ધીમે વાંચો.
અનાદિ નિધન, બરાબર, છે. અનાદિ અનંત અવિભાગ એકવૃત્તિરૂપે પરિણતપણા વડે પરિણામી દ્રવ્ય. અનાદિ નિધન અવિભાગ એકવૃત્તિરૂપે એટલે નિત્યવૃત્તિ પરિણતપણા વડે, જો તમે ઓલું નિત્ય લ્યો તો એ પરિણામી ના હોય. સામાન્ય જે સ્વભાવ કુટસ્થ અપરિણામી એ નિત્ય નથી. તેનું તે, તેનું તે, પરિણમે છે તો પણ નિત્ય નિત્ય નિત્ય નિત્ય નિત્ય રહ્યા કરે છે. એમ ! જેવી રીતે એક ને અનેકમાં આપણે લીધું તું તેમ. (શ્રોતા :- જૈસે પરિણામીમેં એક અનેક ઘટાયા થા) હાં. એવો એક પરિણામી છે.
(શ્રોતા :- પરિણામીમાં નિત્ય-અનિત્ય ?) દ્રવ્ય નિત્ય પર્યાય અનિત્ય એમ નથી. દ્રવ્ય જ નિત્ય છે ને આખું દ્રવ્ય અનિત્ય છે. (શ્રોતા :- અચ્છા !) હાં. નિત્ય-અનિત્ય ધર્મ એક દ્રવ્યનો છે. (શ્રોતા :- એક દ્રવ્યનું છે એક પરિણામનું નહીં !) એક દ્રવ્યનો ને એક પર્યાયનો
Page #40
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૨
એવું નહીં. (શ્રોતા :- એમ નહીં, એમાં એને શું કહેવું છે ઈ ?) કહેવું ઈ છે કે એ જ્ઞેય છે આખો. ‘‘આખો જ્ઞેય એવું જણાય છે જ્ઞાનમાં’’ ફરીથી આપણે વાંચશું. આ નિત્ય અનિત્યનો બોલ સારો છે. જેમ એક અનેકનો બોલ હતો ને એવું આમાંથી જ નીકળે છે. જુઓ ! આમાંથી જ ! ઓલું છે ને બેન ! કે દ્રવ્યના વિષયની વાત ડીપોઝીટ રાખીને અથવા અનુભવ થઈ ગયેલ હોય એ અનુભવી પુરુષ એમ કહે છે કે મારું નિત્યપણું કેવું છે ? કે નિત્ય પરિણામીપણું છે. કે હું નિત્ય પરિણામરૂપે પરિણમું છું નિત્ય.
હું નિત્ય રહું છું ને પરિણામ પરિણમી જાય છે એમ નથી. હું પોતે જ પરિણમું છું અને હું પોતે કેવો પરમગું છું ? સમયે સમયે તે રૂપે તે રૂપે પરિણમું છે. એવો નિત્ય પરિણામી છું. નિત્ય અપરિણામી ને નિત્ય પરિણામી.
@
‘‘નિત્ય અપરિણામી દૃષ્ટિનો વિષય અને નિત્ય પરિણામી શૈય’' એ જો આમાંથી નીકળે છે. અનાદિ નિધન અવિભાગ એકવૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે. આખું વાંચી લઈએ એટલે ખબર પડશે અને ક્રમે પ્રવર્તતા એક સમયની મર્યાદાવાળા અનેકવૃત્તિઅંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે ‘‘આત્મા જ નિત્ય અને આત્મા જ અનિત્ય છે’’
(શ્રોતા :- એક પરિણામી આત્મામાં જ બે ધર્મો સિદ્ધ કરવા છે !) બસ ! એક સિદ્ધ કરવું છે. પરિણામીની અહીંયા વાત છે પ્રમાણની વાત છે આખી. પેલામાંય પરિણિત લીધી છે. પરિણમે છે, પરિણમે છે તો પણ નિત્ય રહેતો રહેતો પરિણમે છે. નિત્ય રહેતો રહેતો રહેતો નિત્ય એ ધારાવાહીક પરિણમે છે માટે નિત્ય પરિણામી છે. નિત્ય જેમ અપરિણામી છે એમ નિત્ય પણ પરિણામી, એ નિત્યપણે ધર્મ છે એનો કાયમ અનાદિ અનંત નિત્ય છે આત્મા પરિણામી. અપરિણામી નિત્ય અને પરિણામી પણ નિત્ય. અહીંયા પરિણામી નિત્ય છે. પરિણામી નવો નથી થતો. (શ્રોતા :- હં પરિણામી પણ નિત્ય છે ! અનાદિ નિધન છે.) ઉત્પાદ વ્યય સહિતથી ઉત્પાદ વ્યયરૂપે પરિણમે છે. ઉત્પાદવ્યયરૂપે પરિણમે છે. (શ્રોતા :- હાં. અહીં છે ઉત્પાદ વ્યયથી સહિત પણ અનાદિ અનંત છે.) અનાદિ અનંત છે.
(શ્રોતા ઃ- ને ઉત્પાદ વ્યયથી રહિત પણ અનાદિ અનંત છે) અનાદિ અનંત. (શ્રોતા :ગજબ છે ભાઈ સ્વરૂપ !) ‘‘દષ્ટિ અપેક્ષાએ નિત્ય અને જ્ઞાન અપેક્ષાએ નિત્ય.’’ (શ્રોતા:આ શું...વાતો નીકળે છે પણ !) કોઈ વાંધા નહીં. આમાંથી આપણે પહેલાં વાંચી લઈને પછી એની ચર્ચા કરશું નિત્ય અનિત્યની. આપણે છોડવું નથી. (શ્રોતા :- નહીં છોડવું નથી) છોડવું નથી ! (શ્રોતા :- પરિણામી પણ નિત્ય છે ને !) હું એમ કહું છું કે પરિણામી થયો ઈ પહેલાં અપરિણામી હતો અને પછી પરિણામી કેદી' થયો. તું મને બતાવ ?
:
Page #41
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૨ ૭. (શ્રોતા :- ના, ના, પરિણામી અનાદિ નિધન છે એ પણ સ્વભાવ છે ને !) સ્વભાવ છે ને. ઉત્પાદવ્યયધુવયુક્તસતુ સ્વભાવ છે. પરિણામી પણ સ્વભાવ અને અપરિણામી પણ સ્વભાવ. પરિણામી સ્વભાવ પ્રમાણ અપેક્ષાએ છે. અપરિણામી છે એ નિત્ય છે, એ દૃષ્ટિ અપેક્ષાએ છે. એક ધ્યેય છે અને બીજું શેય છે. અને એ જોય ને ધ્યેય અનાદિ અનંત છે. જેમ દ્રવ્ય અનાદિ અનંત અને જ્ઞાન એને જાણે છે એ અનાદિ અનંત એમ અનાદિ અનંત છે. અપરિણામી પણ અનાદિ અનંત નિત્ય અને પરિણામી પણ નિત્ય અનાદિ અનંત. તમે મને સમજાવો કે પરિણામી કે દિ' થયો તમે મને કહો ! પરિણામી અનાદિ છે કે નહીં? (શ્રોતા :- અનાદિ) અનાદિથી છે તો અનાદિથી નિત્ય પરિણામી, નિત્ય પરિણામો આવ્યો કે નહીં? નિત્યપણું છે એનું. પરિણામીપણું એનો સ્વભાવ નિત્ય રાખે છે.
જો આમાં એકાંત જ્ઞાનના પક્ષવાળો મરી જાય. એકાંત જ્ઞાનના પક્ષવાળો, વ્યવહારના પક્ષવાળો, વ્યવહારના પક્ષવાળો આમાં મરે ! મૃત્યુ થઈ જાય. (શ્રોતા :- સાચું છે ! આ તો દષ્ટિપૂર્વકની વાત છે !) પહેલાં અપરિણામી નિત્ય પછી પરિણામી નિત્ય એવું જ્ઞાન થાય છે. નિત્ય એવા અપરિણામીનું ભાન ને જ્ઞાન થાય છે. અરે ! હું તો અનાદિ અનંત પરિણમતો જ નથી, પરિણમતો જ નથી ને. હું તો અપરિણામી નિત્ય છું. ત્યાં દૃષ્ટિ અંદર દ્રવ્યમાં આવે છે ને ઠરે છે. ઠરે છે ને પછી. ઓહોહો ! હું તો અનાદિથી ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદવ્યયરૂપે પરિણામી રહ્યો છું. હું આજે નવો પરિણામી નથી થયો. આજે જે પરિણામીપણું મારા જ્ઞાનમાં આવ્યું એ ભૂતકાળમાં પણ હું પરિણામી હતો. વર્તમાનમાં હું પરિણામી જોય મને જ્ઞાનમાં આવ્યું ને ભવિષ્યકાળમાં પણ હું પરિણામી જ રહેવાનો છું. (શ્રોતા :- આહાહા...બહુ સરસ ! બહોત બઢિયા) જૈનદર્શન બહુ વિશાળ છે...દરિયો છે...આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાયે અનિત્ય છે એ અહીંયા વિષય નથી. (શ્રોતા :- એ વાત નહીં અહીંયા...) એ વાત તો ગઈ, ૪૧૫ ગાથામાં ગઈ.
ટંકોત્કીર્ણ એક નિત્ય ધ્રુવ પરમાત્મા ! એ ધ્રુવનું વિશેષણ નિત્ય છે. આ પરિણામીનું વિશેષણ નિત્ય છે. પરિણામી પણ અનાદિનો હતો ને ! (શ્રોતા:- નિત્ય, અનાદિ નિધન છે ને !) આ જ આત્મા તે ઉત્પાદવ્યય સહિત હોવા છતાં ઉત્પાદવ્યયથી રહિત તો ઉત્પાદ વ્યયથી સહિત ક્યારનો છે? એ ખબર છે. (શ્રોતા :- અનાદિનો છે ને.) તો અનાદિનું પરિણામી લીધું કે નહીં. (શ્રોતા :- હાં પરિણામી લીધું ને, બરાબર.) એ વસ્તુની સ્થિતિ છે અને એ સ્વભાવ છે. પરિણમવું એ પણ એનો સ્વભાવ અને ન પરિણમવું પર્યાયરૂપે એ પણ એનો સ્વભાવ. (શ્રોતા :- વાહ ! પર્યાયરૂપે ન પરિણમવું ઈ સ્વભાવ છે ને પર્યાયરૂપે પરિણમવું એ પણ સ્વભાવ છે !) એ પણ એનો સ્વભાવ છે !
Page #42
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
-
નિત્ય પરિણામી છે. આમાં લખેલું છે. આમાં લખેલું છે એની આપણે વાત કરીએ છીએ. (શ્રોતા :- સત્ય જ લખેલું છે ને !) આમાં લખેલું છે જુઓ ! અનાદિ નિધાન એટલે અનાદિ અનંત ! અનાદિ નિધન એટલે અનાદિ અનંત થઈ ગયું ! અવિભાગ એટલે દ્રવ્યપર્યાયના વિભાગ વિનાનું નિત્યપણું છે. દ્રવ્ય પર્યાયનો તેમાં વિભાગ નથી. (શ્રોતા :ત્યારે તો પરિણામી સિદ્ધ થાય છે !) હાં...બેન, બસ ! બસ ! જો દ્રવ્ય પર્યાયને જુદા પાડો તો ? (શ્રોતા :- તો પરિણામી સિદ્ધ ન થાય) સિદ્ધ ન થાય. તો પરિણામી સિદ્ધ ન થાય તો કોઈનો મોક્ષ નહીં થાય. (શ્રોતા :- કૈસે લીખે હમારી તો સમજમેં નહીં આતા ! લખાતું નથી.) લખાતું નથી. સાચી વાત છે.
:
(શ્રોતા :- દ્રવ્ય પર્યાયનો ભેદ કરો તમે તો પછી પરિણામી સિદ્ધ ન થાય ને !) તો પરિણામી સિદ્ધ ન થાય ને તો પરિણામી છે તેવું જ્ઞાનમાં શેય તમારું ન થાય તો સમ્યગ્દર્શન નથી. (શ્રોતા :- સમ્યગ્દર્શન નથી બરાબર છે !) ‘ધ્યેયપૂર્વક શેય’’ ધ્યેય અપરિણામી ને શેય પરિણામી આપણે આ બે વાત છે ઈ તો હાલી આવે છે કે નહીં. (શ્રોતા :- હાં હાલી આવે છે !) ઈ ને ઈ વાત છે. ધ્યેય છે ઈ તો અપરિણામી છે અને જ્ઞેય થયું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે પરિણમ્યો કે ન પરિણમ્યો. (શ્રોતા :- પરિણમ્યો ને) તો પરિણમ્યો છે. ઈ તો પરિણમવું એનો સ્વભાવ છે. પણ ઓલું છે અનાદિ અનંત છે એ ઉત્પાદ વ્યયથી પરિણામી છે અનાદિ અનંત અને એ આ ઉપરિકત થઈ નવું સમ્યગ્દર્શન થયું. (શ્રોતા :બિલકુલ સાચી વાત છે !) ઉપ૨કિત છે આ વિશેષ, આ વિશેષ છે. ઓલું સામાન્ય હતું. ઓલું સામાન્ય પરિણામીપણું અને વિશિષ્ટ પ્રકારનું પરિણામીપણું. એમાં ફેર પડી ગયો. (શ્રોતા :- બરાબ૨) પરિણામીપણું તો અનાદિ અનંત છે ! એનું ભાન નવું થાય છે, જ્ઞાન નવું થાય છે ! જ્ઞાન નવું થાય છે. (શ્રોતા :- ઈ એની ઉપરિકત છે) હાં. ઉપરિકત છે. બસ ! સમ્યગ્દર્શનરૂપે પરિણમ્યો ત્યારે પરિણામી થયો એમ નથી. (શ્રોતા પરિણામીપણું તો અનાદિનું છે.) આપણા ન્યાયમાં છે ને અનાદિથી જ્ઞાનરૂપે પરિણમે છે. એટલે શું ? પરિણામી આવ્યું કે નહીં. (શ્રોતા :- આવ્યું ને ! આહા !) આ તો આધાર તમને ત્યાંનો. અનાદિથી જીવ જ્ઞાનરૂપે પરિણમે છે એટલે પરિણામીપણું આવ્યું કે નહીં. ઠીક. સમયનો અર્થ જાણે અને જાણવારૂપે પરિણમે છે કે નહીં. એ અનાદિનું છે કે નહીં. સમયનો અર્થ શું કર્યો ? જાણે છે અને જાણવારૂપે પરિણમે છે.
:
૨૮
કુટસ્થ નથી. (શ્રોતા :- પરિણામી આત્મા લીધો હવે) લીધો કે નહીં. કેમકે સમય. દ્રવ્ય, છએ દ્રવ્યની સિદ્ધિ કરતાં એમાં જીવ જુદો પાડ્યો. જાણે છે અને પરિણમે છે. (શ્રોતા :ઉત્પાદ વ્યય સહિત વસ્તુ ભી અનાદિ સે હી હૈ ન) અનાદિકી હૈ ! નઈ નહીં ! સમ્યગ્દર્શન
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૯
અનેકાંત અમૃત થયું એટલે ઉત્પાદ વ્યય થયો? (શ્રોતા:- ના, ના અનાદિથી છે) હાં. ઠીક ઉત્પાદવ્યયધ્રુવયુક્તસ છે ઈ જે સૂત્ર છે એ અનાદિ અનંત છે કે નહીં? (શ્રોતા:- અનાદિ અનંત છે) હાં. ઉત્પાદવ્યયધ્રુવયુકતંતુ અનાદિ અનંત છે કે નહીં? (શ્રોતા :- અનાદિ અનંત) કે સમ્યગ્દર્શન થયું ત્યારે ઉત્પાદ વ્યય શરૂ થયો, પહેલાં કુટસ્થ હતો. (શ્રોતા :- ના, ના. અનાદિ અનંત છે. જે હતું જ નહીં એને કરે કોણ?) હાં ! હતું જ નહીં. જો ઉત્પાદ વ્યયથી પહેલાં રહિત હતો તો સહિત ક્યાંથી થાય? ઉત્પાદ વ્યયથી તો સહિત છે પણ એની ઉપરકિત નવી શરૂ થાય છે. મિથ્યાત્વ જાય છે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. બસ એટલું! એનું વિશેષણ, ઉત્પાદ વ્યયનું વિશેષણ. ઘોડા ઘોડા ઘોડા કોઈ રાતો ને કોઈ ઘોડો કાળો. ઘોડો એ સામાન્ય છે. રાતો ઘોડો ને કાળો ઘોડો એ વિશેષણ છે, એમ વાત છે. ઉત્પાદવ્યય સામાન્ય છે અને ઉત્પાદવ્યયમાં દુઃખરૂપ ને સુખરૂપ એ એનાં વિશેષ છે એમ મારું કહેવાનું તમને ઈ છે.
જૈન દર્શન, આહાહા ! વિશાળતા અને મધ્યસ્થ થઈને પક્ષપાત રહિત. અહીંયા આમ લખે છે તો એનું શું કારણ? આમ છે, પરિણામી પણ નિત્ય ને અપરિણામી પણ નિત્ય. પર્યાયને ગૌણ કરો તો ધ્રુવ તો નિત્ય છે તે છે છે છે. અને પરિણામ સાપેક્ષથી જોઈએ તો પરિણમે છે એ પણ નિત્ય પરિણામી છે. નિત્ય પરિણામી ને નિત્ય અપરિણામી બે ધર્મો એકમાં રહેલાં છે. એક સમયમાં વિરુદ્ધ. (શ્રોતા :- ત્યારે તો પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું થાય) ત્યારે પદાર્થની સિદ્ધિ થાય. અહીંયા પદાર્થની સિદ્ધિ થાય છે. - ગજબ છે! અને એ આમાં જુઓ ચોખ્ખું લખ્યું છે. અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. દ્રવ્યનું અનિત્યપણું. એક સમયની મર્યાદાવાળો એક અંશ જુઓ તો એ અનિત્યપણું છે. આત્મા અનિત્ય છે હો. પર્યાય અનિત્ય નહીં. અનિત્ય નામનો ધર્મ આત્માનો છે. પર્યાયનો અનિત્ય ધર્મ છે, ઈ દ્રવ્ય ને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનથી. આખું દ્રવ્ય એનો ધર્મ નિત્યપણું અને અનિત્યપણું દ્રવ્યનો ધર્મ છે. આત્મા અનિત્ય છે. પર્યાય અનિત્ય ન લેવી અહીંયા. આત્મા જ નિત્ય ને આત્મા જ અનિત્ય છે.
અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું ઓમાંય પરિણત લીધા અને આમાંય પરિણત લીધું અનિત્ય. પછી વિચાર આવે તો એનો સ્વાધ્યાય કરવા ચર્ચા કરશું અત્યારે જ કરીએ ચર્ચા. (શ્રોતા :- એક સમયની મર્યાદાવાળા અનેકવૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે.) કેવું? (શ્રોતા:- આત્માનું) પર્યાયનું નહીં. (શ્રોતા :- આત્માનું અનિત્યપણું એક એક સમયની) પર્યાય જે ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય થાય છે અને નાશ થાય છે. (શ્રોતા:- હવે એ પરિણામીને
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૦.
અનેકાંત અમૃત ભેદથી જોવાથી તો પરિણામરૂપે જોતાં તો અનિત્યપણું લાગશે ને !) હાં. પરિણામની અપેક્ષાએ અનિત્યપણું છે. એક સમયની મર્યાદાવાળા, અને પરિણામીની અપેક્ષાએ નિત્યપણું છે. પરિણામીમાંથી પરિણામ જુદું પાડો. પરિણામી તે દ્રવ્ય છે. અનાદિ અનંત અનાદિ નિધન પરિણામીપણું. હવે એ પરિણામીમાંથી એક સમયની પર્યાયના મર્યાદાવાળો જુઓ તમે, તો આત્મા અનિત્ય દેખાય છે. અને એ ભેદ કાઢી નાખો, એક સમયની મર્યાદાવાળો તો પરિણામીપણું નિત્ય છે.
(શ્રોતા :- આ બધું નિત્ય અનિત્ય બધું પરિણામી દ્રવ્ય વચ્ચે છે) પરિણામીમાં છે. (શ્રોતા:-પરિણામી ને પરિણામ વચ્ચે છે) હાં. પરિણામી ને પરિણામ વચ્ચે છે. અપરિણામી તો સુરક્ષિત છે. અહીંયા જોયપ્રધાન છે. (શ્રોતા :- શેયપ્રધાન ભાઈ ! આપે કીધું કે આત્મામાં ચાવડ્વાદનો અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદ છે આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદની વાત ચાલે છે) આત્મજ્ઞાન પ્રગટ થયું છે. આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદ છે. બસ ! (શ્રોતા :જ્ઞાનમાં સ્યાદ્વાદ છે) આત્મા નિત્ય અનિત્યરૂપ ક્યાં છે? આત્મા તો ત્રિકાળ નિત્યરૂપ છે. અનિત્ય છે જ નહીં એનામાં ઉપાદેય ત વમાં. (શ્રોતા :- એ તો અલગ છે. એ તો અંદર છે. એ તો સુરક્ષિત છે. અત્યારે તો શેયની વાત ચાલે છે) શેયની વાત છે પરિણામીની. પરિણામી અને પરિણામ. પરિણામી તો નિત્ય છે અને એક સમયની પર્યાયથી જુઓ તો દ્રવ્ય અનિત્ય છે. બીજું બીજું બીજું દેખાય છે. ઓલું તેનું તે તેનું તે તેનું તે તેનું તે દેખાય છે. પરિણામી જુઓ તો તેનું તે તેનું તે છે પરિણામથી જુઓ તો બીજું બીજું બીજું દેખાય છે. આત્મા બીજો દેખાય છે. (શ્રોતા :- સાચું છે. આ વાત કેવી સહેલી નથી કાંઈ?) ના સહેલું નથી હોં. જો પેલો પક્ષ થઈ ગયો હોય તો સહેલું નથી. પક્ષ ન હોય મધ્યસ્થ હોય તો સહેલું છે. આપણે વાત કરીને પરિણામી દ્રવ્ય ક્યારથી થયો? સમ્યગ્દર્શન થયું ત્યારથી ? પહેલાં અપરિણામી હતો એમ છે? પણ તમે મને બતાવો ! (શ્રોતા :- ના એમ નથી)
આપણા ન્યાયમાં આવ્યું છે. આત્મા જ્ઞાનરૂપે અનાદિથી પરિણમી રહ્યો છે. પોતે પોતાને જાણવારૂપે પરિણમી રહ્યો છે. તો પરિણામી દ્રવ્ય થયો કે નહીં? (શ્રોતા :- બરાબર ! પરિણામી દ્રવ્ય છે ને અનાદિ અનંત છે પરિણામી) છે ! (શ્રોતા :- એ સ્વભાવ છે.) એ પરિણામ જો સ્વઆશ્રિત આવે તો વીતરાગતા ને પર આશ્રિત હોય તો (વીતરાગતા નહીં). (શ્રોતા :- આ પરિણામના બે વિશેષ છે) બે પરિણામના વિશેષ છે. પરિણામ તો સામાન્ય છે. એ તો સ્વભાવ છે, ઉત્પાદવ્યય તો સ્વભાવ છે. ઉત્પાદવ્યય સુખદુઃખનું કારણ નથી. (શ્રોતા :- એમાં પ્લસ થાય છે એ સુખ-દુઃખનું કારણ છે)
(શ્રોતા :- અમે નિત્ય અનિત્યમાં દૃષ્ટિના વિષય અને જ્ઞાનના વિષય એમ બેને મેળવીને
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૧
અનેકાંત અમૃત
અનેકાંત લેતા હતા પણ એ તો ડીપોઝીટ છે. આમાં જ્ઞાનમાં જ સ્યાદ્વાદ લીધો છે. દૃષ્ટિનો વિષય તો અત્યારે ડીપોઝીટ રાખ્યો છે) સમ્યજ્ઞાન પ્રગટ થયું તે સમ્યજ્ઞાન વસ્તુને કેવી રીતે જાણે છે ? (શ્રોતા :- આ રીતે જાણે છે)
અહીં દષ્ટિની વાત તો છે જ નહીં. દૃષ્ટિ તો પ્રગટ થઈ ગઈ. દૃષ્ટિની સાથે સમ્યજ્ઞાન થયું તો સમ્યજ્ઞાનમાં સ્યાદ્વાદ છે. અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદ છે. દ્રવ્યમાં ક્યાં સ્યાદ્વાદ છે ? તો તો નિત્ય અનિત્ય દૃષ્ટિનો વિષય બની જાય. જો એમાં સ્યાદ્વાદ હોય તો. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. (શ્રોતા ઃ- બરાબર ! એકદમ સાચી વાત છે !) આત્મા અપરિણામી છે ત્રણેકાળ, પરિણમતો જ નથી એક સમયમાત્ર. આત્મા નિષ્ક્રિય છે એમાં ક્યાં ક્રિયા છે. જ્ઞાનમાં ક્રિયા છે. આ જૈનદર્શનને કોઈ લગતું નથી. એનું કારણ છે કે સ્યાદ્વાદ કોઈ સમજતું નથી. સ્યાદ્વાદ પણ સમજવા જેવો છે. અનેકાંત સ્વરૂપ એનું સમજવા જેવુ છે બસ.
(શ્રોતા :- આ સૂત્ર એકદમ સાચું છે. આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે) શાસ્ત્રજ્ઞાનમાં નહીં, આત્મજ્ઞાનમાં સદ્ભાવ છે. આ આત્મજ્ઞાની છે. આ આત્મજ્ઞાની લખે છે. નિત્ય અનિત્ય વિરુદ્ધ બે ધર્મ છે એક દ્રવ્યમાં. બે દ્રવ્યમાં વિરુદ્ધ બે, એક છે પરસ્પર વિરુદ્ધ એટલે દ્રવ્યની સિદ્ધિ થાય. (શ્રોતા :અનંત ધર્માત્મક વસ્તુની સિદ્ધિ થાય) સિદ્ધિ થાય એમ ! અનંત ધર્મ એમાં છે દ્રવ્યના. (શ્રોતા :- પરિણામીમાં છે) પરિણામીમાં છે. પરિણામીમાં જ હોય ને અનંતધર્મ. અપરિણામીમાં અનંતધર્મ અનિત્ય ધર્મ એમાં છે ? એમાં સ્યાદ્વાદનો તો અભાવ છે. કથંચિત્ નિત્ય, કથંચિત્ અનિત્ય એવો આત્મા નથી. અને કથંચિત્ નિત્ય અનિત્ય જ્ઞાનમાં છે, છે ને છે. એમાંથી ઉડાડે તો દષ્ટિ ખોટી છે. જ્ઞાન ખોટું તો દૃષ્ટિ ખોટી.
શ્રદ્ધા કહે છે જ્ઞાનને કે નિત્ય અનિત્યને તું શું કામ જાણે છે ? હું નિત્યને પકડું છું તું ય નિત્યને પકડી લે ! કે હું જો તારા કહેવામાં આવીશ ને તો જ્ઞાન મારું ચાલ્યું જશે, અજ્ઞાન થઈ જશે. અને અજ્ઞાન થતાં તારો નાશ થશે. હું તો નિત્ય અનિત્ય છે એમ જાણું છું. નયપૂર્વક આ પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાનમાં અનંત ધર્મ એક સમયમાં યુગપદ્ અક્રમે જણાય છે. (શ્રોતા :- દૃષ્ટિપૂર્વક જે જ્ઞાન પ્રગટ થાય છે તો એમાં એમ જાણી શકાય કે દૃષ્ટિ અપેક્ષાએ નિત્ય છે અને જ્ઞાન અપેક્ષાએ પરિણામી છે તો અનિત્ય છે.) બરાબર છે ! દૃષ્ટિ અપેક્ષાએ કહી શકાય બરાબર છે ! (શ્રોતા :- એમ જાણી શકાય ને ?) દૃષ્ટિ અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે અને અનિત્ય નથી. હું ! અનિત્ય તો પર્યાયનો ધર્મ છે મારો ધર્મ નથી એમ કહી દેવું. (શ્રોતા ઃ- એ તો અસ્તિ નાસ્તિ અનેકાંતમાં ચાલી ગઈ ને દૃષ્ટિની વાત તો)
Page #46
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
દ્રવ્ય ને પર્યાયની વચ્ચે ભેદજ્ઞાન અસ્તિ નાસ્તિ અનેકાંત. હું દ્રવ્યરૂપ છું અને પર્યાયરૂપ નથી. પર્યાય તો પ૨ દ્રવ્ય છે. આમાં દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આમાં સ્યાદ્વાદ હોય છે.
જામનગરમાં ખૂબ સારું આવ્યું છે. (શ્રોતા :- બહુ સારું આવ્યું છે બાર અંગનો સાર આવ્યો છે) સ્યાદ્વાદનો આત્મામાં અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે. પહેલા જે અંદર વાત કરી ત્યારે સ્યાદ્વાદનો અભાવ કહ્યો પછી વિચાર તો ચાલતાં જ હોય ને પછી એટલે મોટરમાં બેઠા. બેન ! હજી બેઠા ત્યાં શું કહ્યું ? બેન ! આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે પણ આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે. બેનને બેસી ગયું ને એને તો રાત્રે ખુલ્લે આમ બેધડક કહી દીધું સમાજમાં. એટલે દૃષ્ટિ ને જ્ઞાનને કાંઈ વિરોધ નથી આવતો. બેય સમ્યક્ પ્રગટ થાય છે. (શ્રોતા ઃ- સમ્યક્ ! અને કેટલાં સમર્થ, દૃષ્ટિ પણ કેટલી સમર્થ અને જ્ઞાન પણ કેટલું સમર્થ) બેમાંથી કોઈ મચક ખાતા નથી. બેના સંવાદમાં બેય પોતપોતાના સ્વભાવને રાખે છે. (શ્રોતા :- મજબૂત) બેય મજબૂત છે હો.
=
જ્ઞાન કહે છે હું એક ધર્મને જાણું ને બીજાને ન જાણું મારું નથી. (શ્રોતા :- આવો પક્ષપાત મારામાં નથી. પક્ષપાત નથી !) બેન ! આ શબ્દ બરાબર ! આ શબ્દની સખ્ત જરૂર હતી. પક્ષપાત નથી. (શ્રોતા :- જ્ઞાનમાં પક્ષપાત નથી હોતો) જ્ઞાન મધ્યસ્થ હોય છે. આ શબ્દની સખ્ત જરૂર હતી. પ્રેમચંદજી બોલે છે. સખ્ત જરૂર હતી આ શબ્દની. (શ્રોતા : સાચું છે) પક્ષપાત નથી. મધ્યસ્થ છે કે નહીં ? જેવું છે એવું જાણે છે.
નિત્ય પરિણામી છે. (શ્રોતા ઃ આ નિત્યપણું તો કોઈ દિ’ વિચાર્યું નથી. આવું નિત્યપણું છે.) પણ આપણે એની ચર્ચા કરીને. (શ્રોતા :- હા પણ છે જ ને !) છે જ ને અનાદિ અનંત પરિણામી છે કે નહીં. અનાદિ અનંત જો પરિણામી હોય તો પરિણામીનું નિત્યપણું સિદ્ધ થઈ ગયું. આ અનાદિ નિધન શબ્દ લખ્યો છે. (શ્રોતા :- હા છે ને ! નિત્યની સાથે એકવૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્ય) પરિણત ! (શ્રોતા :- પરિણત લખ્યું છે માટે !) લખ્યું છે અને ઈ પરિણત લખ્યું છે માટે પરિણામી દ્રવ્ય નિત્ય છે, અનાદિ અનંત એમાંથી નીકળે છે એમ. અનાદિ નિધન અને પરિણત બે શબ્દ લખ્યાં એમાં નિત્ય પરિણામી સિદ્ધ થઈ ગયું. (બરાબર !) જો પરિણત ન લખ્યું હોત તો દૃષ્ટિનો વિષય આવી જાત. (શ્રોતા :- તો દૃષ્ટિનો વિષય આવી જાય) આ પરિણત લખ્યું છે ને !
=
અરે મજા આવે એવું છે, મજા આવે એવું છે. (શ્રોતા :- આ વાતમાંથી, આ અધિકારમાંથી એમ જ લાગે છે કે આત્મજ્ઞાનમાં સ્યાદ્વાદનો સદ્ભાવ છે, આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. આ સૂત્ર ઉપર જ જાણે આખો આ અધિકાર લખાણો હોય એમ.)
૩૨
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૩
અનેકાંત અમૃત આતમજ્ઞાની લખે છે. અનુભવી લખે છે. નહિંતર તો મને ખાઈ જાય. સમજી ગયા! હા. આખો સમાજ છે ને આ તો. અરે આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે. એને મેં કીધું આમાં કાંઈ ઉહાપોહ થયો? મેં પૂછ્યું'તું ને જવાહરને સોનગઢમાં, કે કાંઈ ઉહાપોહ થયો નથી. કેમ થાય? મને કહે આચાર્ય ભગવાનનું લખાણ છે.
સ્યાદ્વાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. (શ્રોતા :- એણે પણ ગજબ કરી દેવસન આચાર્યે ભાઈ ! આવું લખાણ ક્યાંય નહીં હોય !) ક્યાંય નથી. (શ્રોતા :- આ તો ખુલ્લું થઈ ગયું) આત્મામાં સ્યાદ્વાદનો અભાવ અને આત્મામાં સ્યાદ્વાદ નથી એમ આપણે જાણીએ ને માનીએ તો આપણને નિશ્ચયાભાસપણું આવે જ નહીં. (શ્રોતા :- દૃષ્ટિ સમ્યક થાય એમાં તો નિશ્ચયાભાસની ક્યાં વાત છે?) દૃષ્ટિ સમ્યક થયા પછી જ્ઞાન સમ્યફ થાય પછી સ્યાદ્વાદ લખ્યો. જ્ઞાનમાં સ્યાદ્વાદ, એમાં ને એમાં છે. એમાં ને એમાં પાનામાં સ્યાદ્વાદ લખ્યો જ્ઞાનમાં. સર્વથા ભિન્ન ને સર્વથા અભિન્ન બધું કહ્યું. એ કથંચિત એ જ્ઞાનમાં.
(શ્રોતા :- કથંચિત્ ભિન્ન અભિન્નમાં જ સ્યાદ્વાદની સિદ્ધિ છે. બરાબર છે ! તમે કહ્યું પરિણામી ન હોય તો મોક્ષમાર્ગની સિદ્ધિ થતી નથી) ખલાસ! તો ઉત્પાદત્રયની સિદ્ધિ ન થાય તો ઉત્પાત્રેયધ્રુવયુક્તસત્ દ્રવ્ય. ખોટું પડે સૂત્ર આપ્યું. એમ નથી પરિણામી છે. પરિણમે છે. ટકીને પલટે છે. (શ્રોતા :- પલટે છે ને !) પલટવું એનો સ્વભાવ છે એ સ્વથી પલટે છે પરથી નહીં. (શ્રોતા :- પલટવાનો એ સ્વભાવ છે એ સ્વભાવ પણ નિત્ય છે.) અને ટકવાનો પણ સ્વભાવ અને પલટવાનોય સ્વભાવ. નિત્ય પલટે છે. નિત્ય એનો સ્વભાવ છે પલટવું. પર્યાય સાપેક્ષથી જુઓ તો પરિણમે છે એ નિત્ય પરિણમે છે. એક અંશથી જુઓ તો એ અનિત્ય છે.
(શ્રોતા:-પરિણામથી જુઓ તો અનિત્ય છે. પરિણામીથી જુઓ તો નિત્ય છે જોયપ્રધાન નિત્ય, ઓલું ધ્યેયપ્રધાન નિત્ય અને આ શેયપ્રધાન નિત્ય) શેયપ્રધાન નિત્ય છે આ. અને શેયનો એક અંશ જોવો તમે એક વૃતિઅંશ એક, ભેદથી જુઓ ભેદ, પરિણામીમાં ભેદ કરો તો અનિત્ય દેખાય છે પણ એ ભેદને ગૌણ કરો તો નિત્ય દેખાય છે. નિત્ય પરિણામી છે. (શ્રોતા :- આમાં ભંડાર છે.) એટલે નિત્ય અનિત્ય સ્વરૂપ જણાય છે ને ! ભેદાભેદ, એકઅનેક એક સાથે જણાય છે.
મેં તમને કહ્યું હતું એમ ચાલે છે. આચાર્ય ભગવાન સાથે જ સીધું ચાલે છે. જુઓ આ રીતે સ્વાધ્યાય પૂર્વે મેં પણ નહોતો કર્યો, આ વખતે થાય છે. કેમકે અનેકાંતનું આવ્યું ને એટલે. ૨૫૮ નંબરના કળશથી ઉપડ્યું છે ને ! (શ્રોતા:-હા અપરિણામીના લક્ષે પરિણામી
Page #48
--------------------------------------------------------------------------
________________
३४
અનેકાંત અમૃત ને પરિણામનું જ્ઞાન થઈ જાય છે !) પરિણામીનું જ્ઞાન ને પરિણામનું પણ જ્ઞાન. (શ્રોતા - અપરિણામીનું તો ધ્યાન થાય છે એનું જ્ઞાન તો હોય જ આ તો અપરિણામીના લક્ષે પરિણામ ને પરિણામનું જ્ઞાન થયું, બેનું જ્ઞાન થયું) નિત્ય અનિત્ય બેય.
પરિણામી નિત્ય છે પરિણામ અનિત્ય છે. નિત્ય પરિણામી, કોઈ કહે પરિણામી નિત્ય હોય કોઈ દિ'? (શ્રોતા - હોય) પરિણામી તો અનિત્ય હોય કે નહીં. નિત્ય છે પરિણામી. પરિણામ અનિત્ય છે. પરિણામી અનિત્ય નથી. (શ્રોતા :- અને પરિણામનો ભેદ કરીને જુઓ તો આત્મા અનિત્ય છે) હા. એવું છે બે ધર્મને જુઓ તો અનિત્ય છે આત્મા. (શ્રોતા :સાપેક્ષથી જુઓ તો અનિત્ય છે. નિરપેક્ષથી જુઓ તો નિત્ય છે. આ તો જુદા પ્રકારનું છે ને? જ્ઞાનપ્રધાન છે. જ્ઞાનપ્રધાન પણ કોઈ આમ વિશેષતાવાળું છે) સમ્યજ્ઞાન છે ને ! સર્વજ્ઞ ભગવાનની વાણીમાં સ્યાદ્વાદ આવ્યો છે. (શ્રોતા :- એને પરિણામી નિત્ય કહેવામાં કંઈ સંકોચ લાગતો નથી) જો તો ખરા... (શ્રોતા:- મને તો ઈ લાગે છે પરિણામી બેપરવાહ નિત્ય કહે છે કે પરિણામી નિત્ય છે) જેની અપરિણામીની માસ્ટરી દૃષ્ટિના વિષયની માસ્ટરી, કુંદકંદ ભગવાન અને અમૃતચંદ્રાચાર્યની. પછી કહે છે, ઉભા રહો, મારે હજી થોડુંક કહેવું બાકી રહી ગયું છે ! કુંદકુંદ ભગવાને તો કહ્યું, મેં ટીકા કરી પણ મને સ્વતંત્ર વિચારો આવે છે, માટે આ સ્વતંત્ર પરિશિષ્ટ લખ્યું છે. પરિશિષ્ટ એટલે કહેવાઈ ગયું, એ પણ કહીશ અને વધારાનું પણ કહીશ સ્વતંત્રપણે. એટલે સમયસારનું નામ ટોચ ઉપર છે. સાચી વાત છે એકલું દૃષ્ટિપ્રધાન છે ને કે દૃષ્ટિપૂર્વક જ્ઞાનનું પણ આમાં વિવેચન આવ્યું છે. (શ્રોતા :કેવું આવ્યું છે પણ? કોઈ દિ' સાંભળ્યું ન હોય એવું) એવું કોઈ દિ' સાંભળ્યું ન હોય એવું આવ્યું છે.
એકાંત પક્ષ હોયને દૃષ્ટિના વિષયનો તો નીકળી જાય. (શ્રોતા :- નીકળી જાય ભાઈ ! કોઈ પ્રકારનો દોષ નથી આવતો. એ કહ્યું ને કે જ્ઞાનની શુદ્ધિ માટે છે. બિલકુલ સાચું. શબ્દ પણ સાચા છે) શબ્દ, જ્ઞાનની શુદ્ધિ માટે છે. “સંશુદ્ધિ’ સમ્યક પ્રકારે શુદ્ધિ જ્ઞાનની. (શ્રોતા :હવે એવા એ શબ્દ તો લખે છે આમાં અને આપણે પણ સાંભળી લઈએ, હા, સંશુદ્ધિ માટે પણ કેમ એ છે સંશુદ્ધિ હવે એ ખ્યાલમાં આવે છે, પરિણામી નિત્ય અને પરિણામનો ભેદ જુઓ તો અનિત્ય. અનાદિ નિધન એટલે અનાદિ અનંત થઈ ગયું કે નહીં?
અને પરિણત એટલે પરિણામી થયું તો એ અનાદિ અનંત નિત્ય છે, અનાદિ અનંત પરિણામી દ્રવ્ય નિત્ય છે. આ આના શબ્દનો અર્થ ચાલે છે. અનાદિ નિધન એટલે અનાદિ અનંત. અને પરિણત એટલે પરિણામી. (શ્રોતા :- પરિણામી અને જ્ઞાનરૂપે અનાદિથી પરિણમે જ છે ને !) પરિણમે જ છે. (શ્રોતા :- એને શું કહેશો તમે?) એને શું કહેશો?
Page #49
--------------------------------------------------------------------------
________________
૩ ૫
અનેકાંત અમૃત સમયનો અર્થ શું કરશો? અને ઉત્પાદું વ્યયથી સહિત છે અનાદિ અનંત એનો અર્થ શું કરશો? ચાલો. (શ્રોતા :- આ જ છે અર્થ એનો. આહાહા ! આપણા ન્યાયમાં પણ ઓલું છે ને કે ઉત્પાદથી કથંચિત્ સહિત છે. ન્યાયમાં પણ છે ઉત્પાદ વ્યયથી સહિત હોવા છતાં ઉત્પાદુ વ્યયથી રહિત છે એવું છે કાંઈક) હા બરાબર છે ! પણ એ તો પરમાત્મ પ્રકાશમાં છે ને. (શ્રોતા :- નહીં એમાંય ન્યાયમાંય છે) બરાબર છે! (શ્રોતા :- એક ન્યાય છે એવો) હશે કાઢજો પછી જોજો. (શ્રોતા :- એ જીવ ત્યાં હતો, હા, એ કેમ ખબર પડે કે આ જીવ તે છે) હા, જીવ છે એ એનાથી સહિત ને એનાથી રહિત અનન્ય છે. પૂર્વે એ જીવ હતો, તો એ ભલે એ પર્યાય ચાલી ગઈ પણ એ સમયે એ પર્યાયથી અનન્ય દ્રવ્ય હતું એમ અત્યારે જણાય છે. એટલે આ જીવ પૂર્વે હતો ઈ જ અત્યારે છે અને ઈ જ અત્યારે ઉત્પાદથી અનન્ય છે. જે પૂર્વે ઉત્પાદથી અનન્ય હતો એ પર્યાય ભલે વ્યય થઈ ગઈ પણ દ્રવ્ય સળંગ છે, તો દ્રવ્યને જોતાં એ દ્રવ્ય વર્તમાનની પર્યાય છે એનાથી અનન્ય છે, તો તેનો તે છે. - પર્યાય પલટે પણ અનન્ય થઈને પલટે છે એટલે અનન્ય અનન્ય અનન્ય. અરે ! આ તો તે જ છે. મને એ ન્યાય બહુ ગમી ગયો છે. (શ્રોતા:- એમાં પણ પરિણામીની સિદ્ધિ થાય છે, પરિણામીની સિદ્ધિ થાય ત્યારે તો આ આહારદાન કોણે આપ્યું? રાજકુમાર, રાજા, ઋષભદેવ ભગવાનને? (શ્રોતા :- શ્રેયાંસ રાજા) શ્રેયાંસ રાજા કે પૂર્વે હું આ મારા પતિ ને હું એની પત્ની હતી. એને આહારદાન આપ્યું'તું. એ વિધિ જાણી લીધી, એણે જાતિ સ્મરણ જ્ઞાનમાં. તો ઈ તો દ્રવ્ય તરીકે તો સળંગ છે ને ! પણ એ પર્યાયે જ્યારે પરિણમતો પરિણમતો આવ્યો, તો એ પરિણામથી પણ અનન્ય છે ને? એ અનન્ય જુએ છે એટલે હું જ છું. આ હું છું અને આ પૂર્વે મારા પતિ અત્યારે ઋષભદેવ ભગવાન છે તે મુનિરાજ છે. (શ્રોતા - બરોબર ! પર્યાય કથંચિત્ અનન્ય છે એટલે પૂર્વે આ જીવ હતો એ વર્તમાનમાં પ્રગટ થાય છે, એટલે જો જ્ઞાન અપેક્ષાએ અનન્ય ન હોય તો મોટો દોષ આવી જાય અને દૃષ્ટિ અપેક્ષાએ અનન્ય હોય તો દૃષ્ટિખોટી. દૃષ્ટિઅપેક્ષાએ અન્ય, જ્ઞાન અપેક્ષાએ અનન્ય. એટલે બેય વિકલ્પ છૂટી જાય. જેમ છે એમ અનુભવ થાય.
(શ્રોતા:- અન્ય હોય તો પણ ઠીક અનન્ય હોય તો પણ ઠીક) અન્ય હોય તો પણ ઠીક, હું તો જેવો છું એવો છું બસ! મારે તો અન્યનો પક્ષપાત નથી ને અનન્યનો પણ હું પક્ષપાતી નથી. હું તો જ્ઞાતા છું. આહાહા ! વચમાં તે પક્ષપાત શબ્દ સારો વાપર્યો. સારો શબ્દ આવી ગયો. (શ્રોતા :- જ્ઞાનમાં પક્ષ નથી હોતો) જ્ઞાનમાં પક્ષ નથી હોતો. આ જ્ઞાનની વાત છે.
જેવા આત્માના ધર્મો છે એવું જાણે છે સમુદ્ર છે. સમુદ્ર. તેત્રીસ સાગરોપમ સુધી ચર્ચા કરતાં હશે સવાર્થ સિદ્ધિના દેવો અને ખૂટે નહીં તો કેટલો સમુદ્ર હશે ને, આ તો હજી કાંઈ
Page #50
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૩
નથી. બાર અંગમાં આ તો જે પાંચમું આવ્યું અને એમાંથી વીસ બોલને એમાંથી એક એવી જે પરંપરા લખી છે ને ! સમુદ્રમાં બિંદુ છે આ. આ અત્યારે સમયસાર છે એ સમુદ્રમાં બિંદુ છે. પણ ‘‘સમયસાર છે એ સમુદ્ર છે’’ આ (અંદરના) સમુદ્રને બતાવે છે. (શ્રોતા :- કેમકે સમુદ્રનું બિંદુ સમુદ્રને જ પ્રસિદ્ધ કરે છે ને ?) પ્રસિદ્ધ કરે છે.
આ રીતે જ્ઞાનમાત્ર આવા આત્મવસ્તુને પણ એટલે છએ દ્રવ્યોમાં તો છે, પણ આમાં આત્મવસ્તુને પણ તત્ અતપણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે. આવ્યુંને, હવે આગળ.
પ્રશ્ન :- જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ પોતાની મેળે અનેકાંત પ્રકાશે છે તો પછી અર્હત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને સ્યાદ્વાદને શા માટે ઉપદેશે છે ? એટલે જ્ઞાનમાત્ર તો સ્વયમેવ અનેકાંત છે તો એના ઉપદેશની જરૂ૨ શું છે ? સ્વયમેવ પોતાની મેળે અનેકાંત એનો સ્વભાવ છે જ્ઞાનમાત્રનો, તો પછી અનેકાંતનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે ? સ્યાદ્વાદનો.
ઉત્તર :- અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધ કરવા માટે ઉપદેશે છે. જ્ઞાનમાત્રના બે અર્થ થાય છે. ત્રિકાળી દ્રવ્ય અપરિણામી ને પરિણામી બેય. જ્યાં જે હોય એમ સમજવું. જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત-સ્યાદ્વાદ વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. જો જ્ઞાન ખોટું છે તો દષ્ટિ ખોટી છે એમ કહે છે. અને દૃષ્ટિ સાચી થાય ત્યારે જ્ઞાન સાચું થાય જ છે, એમ નિયમ છે. સ્યાદ્વાદ સાથે સુસંગત એવી દૃષ્ટિ હોય છે સમ્યગ્દર્શન. ખરેખર અનેકાંત (સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે.
સ્વભાવથી જ બહુભાવોથી ભરેલા વિશ્વમાં સર્વભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બંને ભાવોથી અધ્યાસિત છે. આહાહા ! શું કહે છે ? કે અનંતદ્રવ્યો છે. એ આમ જુઓ તો અદ્વૈત છે. અને એક એક દ્રવ્ય એક એકથી ભિન્ન છે એટલે દ્વૈતપણું પણ છે. દ્વૈત એટલે જુદા જુદાપણું બીજા બીજાપણું. દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી અન્યમતિ કહે છે આ બધું અદ્ભુત છે. નહીં અદ્વૈત નથી. બધું થઈને એક છે એમ નથી. આહાહા...! એમ નથી.
સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ, જો સ્વરૂપમાં પ્રવૃત્તિ એટલે સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ. છે ને. બંને ભાવોથી અધ્યાસિત છે. સ્વરૂપે સત્તા ને પરરૂપે અસત્તા.
Page #51
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૩૭ પોતે પોતારૂપે પરિણમે છે પરરૂપે પરિણમતિ નથી. ચેતન ચેતનરૂપે પરિણમે, પ્રવૃત્તિ ખરી એની જાણવા દેખવાની, પણ જડરૂપે પ્રવૃત્તિ એની નથી. અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી સ્વરૂપ એટલે સ્વભાવ, પરિણામ સ્વભાવ, ઉત્પાદ વ્યય સ્વભાવ એમાં પ્રવર્તે છે. સ્વરૂપમાં હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલાં છે. આ સ્વચતુષ્ટય ને પરચતુષ્ટયનું ભેદજ્ઞાન. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની નાસ્તિ. આ પ્રમાણની સપ્તભંગી છે.
ત્યાં જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ આત્મા શેષ બાકીના ભાવો સાથે નિજરસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા શેયના સંબંધને લીધે. જુઓ ! આત્મા જ્ઞાતા ને છ દ્રવ્ય શેય. એવા સંબંધને લીધે અને અનાદિકાળથી જોયોના પરિણમનને લીધે. શેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને અર્થાત્ શેયરૂપે અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે. એકતા કરી નાંખી. શેયનું પરિણમન દેખીને હું શેયરૂપે પરિણમુ છું એમ. એક લોટણ બિલ્લી આવે છે લોટણ બિલ્લી. અમુક પ્રકારના ચોમાસામાં એવા વૃક્ષ થાય છે, આમ ! બીલ્લી છે ને લોટણ બિલ્લી એ બિલ્લી હોય ને બીલી એમ આમ લોટ્યા કરે. બિલ્લી મિંદડી (બિલાડી) બિલાડીને એને જોઈને લોટે આમ, આમ. એ લોટણ નામનું વૃક્ષ થાય છે. એને જોઈને બિલ્લી આમ લોટી જાય છે.
એમ શેયનું પરિણમન જોઈને એ પરિણમન મારું છે પોતાથી જ્ઞાનમાંથી છૂટીને શેયરૂપે ભાસે છે પોતાને, પરના પરિણમનને પોતાનું માને છે. (શ્રોતા:-હું શેયરૂપ થઈ ગયો એમાં શું લેવું જ્ઞયને જાણું છું એમ લેવું?) શેયરૂપ થઈ ગયો એટલે જ્ઞયનું પરિણમન તો છે જ, જડનું પરિણમન છે. હવે જડના પરિણમનનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને, છે તો શેયનું પરિણમન અને માને છે મારું પરિણમન, જ્ઞાનનું પરિણમન માને છે. એ જ્ઞાનનું પરિણમન નથી, જ્ઞાન તો જાણવારૂપે પરિણમે છે, સ્પર્શ, ગંધ, વર્ણરૂપે તો પુદ્ગલ પરિણમે છે. (શ્રોતા :- પુદ્ગલ પરિણમે છે બરાબર છે.) એનું પરિણમન દેખીને એ હું પરિણમ્યો છું એમ એને ભાસે છે. (શ્રોતા:- આહાહા ! જેમ આ લખવાની ક્રિયા થાય છે, આ તો જડની ક્રિયા પુદ્ગલની ક્રિયા છે અને એવું જ્ઞાનમાં જણાયું કે લખવાની ક્રિયા જણાણી તો હું લખું છું) હા. લખું છું એટલે શેયના પરિણમનને પોતાનું પરિણમન માને છે. એ અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની થયો થકો નાશ પામે છે. જ્ઞયના પરિણમનને પોતાનું પરિણમન માન્યું એના પરિણમનથી મારું જ્ઞાન પરિણમન જુદું છે એવું ભેદજ્ઞાન નથી કરતો.
(શ્રોતા:-હું તો માત્ર જ્ઞાનપણે પરિણમું છું) જ્ઞાનપણે પરિણમું છું જોયપણે પરિણમતો નથી. (શ્રોતા :- આ શેયના તો અનંત ભેદ છે ને જ્ઞાન તો એક જ પ્રકારનું છે) હાં. શેયના
Page #52
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
३८
પરિણમનને મારું પરિણમન માન્યું તો અજ્ઞાની થઈ ગયો. એમ. (શ્રોતા :- જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું) જ્ઞાનનું અજ્ઞાન થયું એમ અજ્ઞાની થયો થકો નાશ પામે છે.
-
ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું, જુઓ ! સ્વરૂપથી જ્ઞાનરૂપથી તપણે પ્રકાશે છે. જ્ઞાન તો જ્ઞાનરૂપે છે. શેયના પરિણમનરૂપ જ્ઞાન ક્યાં વયું ગયું ? અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને, જ્ઞાન જ્ઞેયરૂપે નથી પણ જ્ઞાન જ્ઞાનરૂપે જ છે. એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે. જુઓ ! કેવો ચોખ્ખો શબ્દ છે જ્ઞાતાપણે પરિણમનને લીધે, અપરિણામી છે કે પરિણામી ? (શ્રોતા :- પરિણામી) જ્ઞાનરૂપે પરિણમે છે આત્મા હોં ! (શ્રોતા : પરિણમે છે ત્યારે સાધ્યની સિદ્ધિ થાય છે.) જ્ઞાતાપણે પરિણમનને લીધે, જ્ઞાની કરતો થકો અથવા જ્ઞાની થયો થકો કરતો થકો, એટલે થયો થકો. અનેકાંત જ સ્યાદ્વાદ જ તેને ઉદ્ધારે છે, નાશ થવા દેતો નથી. જ્ઞાન ટકી રહે છે. (શ્રોતા :- બહુ સરસ !) આમ જાણે તો જ્ઞાનનું અજ્ઞાન ન થાય. (શ્રોતા :- ત્રણ લાઈન બહુ સરસ ! બધું આવી ગયું એમાં સ્યાદ્વાદ ઉદ્ધાર કરે છે અનેકાંત ઉદ્ધાર કરે છે. વાહ !)
હું શેયરૂપે પરિણમું છું એ બુદ્ધિ થતી નથી. શેયરૂપે પર પદાર્થ પરિણમે છે. હું તો જ્ઞાનરૂપે પરિણમું છું. જ્ઞાનરૂપે પરિણમું છું પણ હું શેયરૂપે પરિણમતો નથી. એ ક્યાં નજર જાય એની, જ્ઞાન ઉપર નજર હોય તો, જો જ્ઞેયને જાણવા રોકાય તો એ પરિણમન મારું છે એમ ભાસ્યા વગર રહે જ નહીં એટલે અજ્ઞાન થઈ ગયું. ખરેખર તો પરની સામે જોવાનું જ નથી. જોવાની જ સખત મનાઈ છે. પરની સામે જોવે છે એ જ્ઞેયના પરિણમનને પોતાનું પરિણમન માની લે છે અને જો જ્ઞાન ઉપર નજર કરે છે તો હું તો જ્ઞાનરૂપે પરિણમું છું. સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપે તો પુદ્ગલ પરિણમે છે. મારે ને એને લેવા દેવા શું ? (શ્રોતા પરને જાણવું એ જ ભૂલ છે) એ જ ભૂલ છે. (શ્રોતા :- અજ્ઞાનનું મૂળિયું છે) મૂળ ભૂલ છે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. ચાલો ટાઈમ થઈ ગયો ! એક બોલ થયો, તપણાનો બોલ થયો. હજુ થયો નથી પૂરો. (શ્રોતા :- થઈ ગયો. અડધો થયો. તપણું થયું અત૫ણું નથી થયું) અતપણું હવે થાશે. પછી લઈ લઈશું.
:
=
=
તત્ અતત્ક્ષણું બે ધર્મો છે એટલે આત્મા જ્ઞાનરૂપે રહે છે પણ શેયરૂપે થતો નથી. (શ્રોતા :- આહાહા ! એમાં તો અસ્તિ નાસ્તિ અનેકાંત આવી ગયું.) પરિણમન તત્ અતત્ક્રાં એમ જ છે. તત્ એટલે જ્ઞાનરૂપે છે અતત્ એટલે શેયરૂપે પરિણમન મારું નથી. શેયરૂપે પરિણમન પર પદાર્થનું છે. ૫૨૫દાર્થ બધા જ્ઞેય છે. છ એ દ્રવ્ય જ્ઞેય છે. એનું પરિણમન એ મારું પરિણમન ક્યાંથી હોય ? એમ. કેમકે એ અતત્ છે. શેયની મારામાં નાસ્તિ છે અને શેયનું પરિણમન મારામાં ના આવે અને જ્ઞાનનું પરિણમન મારામાંથી છૂટે નહીં અને
Page #53
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત શેયમાં જાય નહીં.
સ્વજ્ઞેય છે ને એ. દ્રવ્યપર્યાય બેયનું જ્ઞાન તમને હતું. દ્રવ્યના જ્ઞાનપૂર્વક પર્યાયનું જ્ઞાન થાય છે અનેકાંતનું. તો એમાં દોષ ક્યાંથી (હોય). એ તો સ્વભાવ છે. (શ્રોતા :- એ તો જ્ઞાનનો ગુણ છે) ગુણ છે. દોષ નથી. (શ્રોતા :- જ્ઞાનનો ગુણ છે એ તો બરાબર !) અને કથંચિત્ ભિન્ન તો પરિણામ આવ્યું. (શ્રોતા :- કથંચિત્ ભિન્ન અભિન્ન તો પ્રમાણ આવી ગયું એ તો છે જ.) કચિત્ અભિન્નમાં પર્યાય આવી એટલે આખું પરિણામી આવી ગયું ને ? કથંચિત્ ભિન્ન એટલે પરિણામીમાંથી પરિણામ ભિન્ન છે. પરિણામી અને પરિણામ. (શ્રોતા :- પરિણામી ને પરિણામ) પરિણામ, પરિણામી ને પરિણામ.
=
=
(શ્રોતા :- આ સ્યાદ્વાદનો વિષય છે. સ્યાદ્વાદ અપરિણામીને તો અડતો જ નથી) એનો વિષય જ નથી. (શ્રોતા :- કેમ કે અભાવ છે ને ! આત્મામાં તો સ્યાદ્વાદનો અભાવ છે. સ્યાદ્વાદ તો આત્માને અડતો જ નથી. સ્યાદ્વાદ તો પરિણામી ને પરિણામને અડે છે. જાણે છે ) જાણે છે બસ ! બરાબર છે. એવું જ છે (શ્રોતા :- આ નવી વાત છે ભાઈ ! આ સ્યાદ્વાદ છે તે પરિણામી અને પરિણામને જાણે છે એનું નામ સ્યાદ્વાદ, દૃષ્ટિનો વિષય દૃષ્ટિમાં આવી ગયો છે) એ તો અપરિણામી છે. (શ્રોતા :- એ તો અપરિણામી છે) ત્યાં પરિણામી નથી ને પરિણામ પણ નથી ત્યાં. (શ્રોતા :- ત્યાં પરિણામ પણ નથી) તે પરિણામી પણ નથી અને તે ચીજમાં પરિણામ પણ નથી. પરિણામની તો નાસ્તિ છે. અનાદિ અનંત પ્રમત અપ્રમતની. (શ્રોતા ઃ- એટલે તો આત્મામાં સ્યાદ્વાદનો અભાવ છે.) અભાવ એટલે અભાવ. (શ્રોતા :- પરિણામનો ને પરિણામીનો અભાવ છે) બેયનો અભાવ છે. જ્ઞાનમાં પરિણામી ને પરિણામનો સદ્ભાવ છે. (શ્રોતા :- આ શું થાય છે પણ ? કેટલું બધું ખુલ્યા કરે છે પણ ? અમે તો લખીને પરેશાન છીએ.)
=
વિડીયો પ્રવચન નં. ૧૯૫, સળંગ પ્રવચન નં. ૩ તા. ૨૦/૧૧/૮૯
૩૯
જુઓ આમાં ઉપર જે મથાળું બાંધ્યું છે ને. તેમાં આખા પ્રમાણનું દ્રવ્ય કહેવા માંગે છે. સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, સર્વ પદાર્થો પોતાની અપેક્ષાએ એકપણું અભેદ છે અને દ્વૈતનો નિષેધ કરવો અશક્ય,
Page #54
--------------------------------------------------------------------------
________________
४०
અનેકાંત અમૃત એટલે બીજા પદાર્થો નથી એમ નિષેધ ન કરી શકાય. બીજા પદાર્થો પણ છે. આત્મા પણ છે અને બીજા પદાર્થો પણ છે.
સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે. બે પદાર્થ સ્વ અને પર જગતમાં છે એમ સિદ્ધ કર્યું. એટલે આખું પ્રમાણનું દ્રવ્ય લ્ય છે, સમજી ગયા. અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી, ઉત્પાદવ્યયધુવયુક્ત સમાં ટકે છે. એમાં એ ટકે છે ઈ એનો પ્રવર્તતી એનો સ્વભાવ છે અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી, આપણે પ્રમાણની વાત કરી હતીને, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ભિન્ન છે. દરેક વસ્તુમાં બને ભાવો રહેલા છે. ક્યાં? જ્યારે આ જ્ઞાનમાત્રભાવ આત્મા, જ્ઞાનમાત્રના બે અર્થ (જ્યાં જે યોગ્ય હોય તે સમજવું.) છે. - જ્ઞાનમાત્રભાવ આત્મા શેષ બાકીના ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતાશેયના સંબંધને લીધે અને અનાદિ કાળથી યોના પરિણમનને લીધે એક જ્ઞાતા-શેયનાં સંબંધને લીધે અને અનાદિકાળથી તે શેયોનાં પરિણમનને લીધે બે વાત લીધી. જ્ઞાન તત્ત્વને પરરૂપે માનીને, શેયના પરિણમનને પોતાનું પરિણમન માને છે અર્થાત જ્ઞયરૂપે અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું, હવે વિષય આપણો આવ્યો, તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી, સ્વરૂપ નહિ, સ્વ-રૂપથી જ્ઞાનરૂપથી તપણું પ્રકાશીને અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અર્થાત્ થયો થકો અનેકાંત જ સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે. નાશ થવા દેતો નથી.
શેયનું પરિણમન ભલે હો પણ એ શેયની મારામાં નાસ્તિ છે. હું તો જ્ઞાનરૂપે છું, શેયરૂપે નથી. એ જોયનું પરિણમન મારામાં આવતું નથી, મારાથી જુદું છે. એક વાત કરી તપણાની.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ખરેખર આ બધું આત્મા છે એમ અજ્ઞાનતત્ત્વને સ્વરૂપે જ્ઞાનરૂપે માનીને, અજ્ઞાનતત્ત્વ એટલે પર પદાર્થો છે એ દ્રવ્ય સ્વરૂપે (અજ્ઞાનરૂપે) માનીને અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે, કે વિશ્વ છે તે જ હું છું. વિશ્વમય હું થઈ ગયો એમ છે. જુદો એનાથી ભાસે છે વિશ્વમય, સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરી જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો (જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૧
અનેકાંત અમૃત
બીજું હવે એકપણું અને અનેકપણું આવે છે ને, હવે એ આવશે. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક શેયાકા૨ો વડે (જ્ઞેયોના આકારો વડે) પોતાનો સકળ (આખો, અખંડ) એક જ્ઞાન આકાર ખંડિત થયો થકો માનીને નાશ પામે છે. અનેક શેયાકારોનું અહિં જ્ઞાન થતા, હું અનેકરૂપ થઈ ગયો, જ્ઞાન તો એકરૂપ રહે છે, કાંઈ અનેકરૂપે થતું નથી છતાં તેની નજર જ્ઞાન ઉપર નથી અને પર્યાયષ્ટિ છે એટલે જ્ઞેયો અનેક પ્રકારના પ્રતિભાસતા હું અનેકરૂપે થઈ ગયો એવી ભ્રાંતિ થાય છે એમ.
ત્યારે તે (જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. ભલે જ્ઞેયાકારો જ્ઞાનમાં જણાય પણ દ્રવ્ય અપેક્ષાએ તો એકપણું છે એમ. દ્રવ્ય અપેક્ષાએ એક અને પર્યાય અપેક્ષાએ અનેક એમ કહે છે.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન આકારનું ગ્રહણ કરવા માટે અનેક શેયાકારોના ત્યાગ વડે, પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે) કેમકે અનંત જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. તેઓ મારા જ્ઞાનમાં અનેકપણું પ્રતિભાસે છે, તે ખોટું છે તે કાઢી નાખવા માંગે છે. જ્ઞાનમાંથી એ શેયાકારોને કાઢવા માંગે છે, એ જ્ઞેયાકારો તો ભિન્ન છે. નિમિત્તભૂત જ્ઞેયાકા૨ો તો ભિન્ન છે પણ નૈમિત્તિકભૂત જ્ઞેયાકા૨ો છે તે તો જ્ઞાનની પર્યાય છે એ આત્માનું રૂપ છે. એનો જ ધર્મ છે અને એ તો વસ્તુનું સ્વરૂપ છે એમ.
જો કુછ ઝલકતા જ્ઞાનમેં વહ શેય નહીં બસ જ્ઞાન હૈ. શેયકૃત અશુદ્ધતા તેમાં નથી. એમાં બધું જણાય. રાગ જણાય, દ્વેષ જણાય, ક્રોધ જણાય, સિંહ જણાય, વીંછી જણાય, સર્પ જણાય, દુઃખ જણાય-જણાયને. ભલે જણાય. એટલે જ્ઞેયાકારોનો ત્યાગ કરે છે. જ્ઞેયના લક્ષનો ત્યાગ તો બરાબર છે પણ શેયાકારનો ત્યાગ થોડો થઈ શકે ? એ તો ન થઈ શકે. એ તો જીવની પર્યાય છે. એ પર્યાય સ્વઆશ્રિત છે. આત્માશ્રિત છે. ૫૨ જેમાં જણાય છે તે પર્યાય સ્વઆશ્રિત છે આત્માશ્રિત છે. સ્વ જણાય કે ૫૨ જણાય જ્ઞાનની પર્યાય તો આત્માશ્રિત જ હોય. સ્વપરપ્રકાશક એ પોતાનું સામર્થ્ય છે. એ પર્યાય પોતાના આશ્રયે પ્રગટ થાય છે. એટલે ઈ આ જ્ઞેયાકારોને હું કાઢી નાખું એ એની ભૂલ છે. શેયનું લક્ષ છોડી જ્ઞાયકનું લક્ષ કર, તો પર્યાયમાં એ પ્રતિભાસે તો કોઈ વાંધો નથી એમ. થોડીક અટપટી આ વાત છે. સમજી ગયા. જ્ઞેય જણાતું જ નથી એ વિષય જુદો, અને તેના લક્ષનો નિષેધ છે તેના પ્રતિભાસનો ક્યાં નિષેધ છે ? તેના પ્રતિબિંબનો નિષેધ ક્યાં છે?
બિંબનું લક્ષ કર્યા વિના આત્માના લક્ષે પ્રતિબિંબો છે એ જણાય છે. બિંબ નથી જણાતું. શેયાકાર જ્ઞાન જણાય છે. એ આવે છે કે એકવાર વિશેષ શેયાકાર જ્ઞાનનો તિરોભાવ કર,
Page #56
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
સામાન્યનો આવિર્ભાવ કર. પછી પરમાર્થથી જોવામાં આવે તો શેયાકાર જ્ઞાનમાં કે સામાન્ય જ્ઞાનમાં એક આત્મા જ જણાય છે ઈ આ. જરા બોલનું સ્પષ્ટીકરણ એટલા માટે કરું છું કે મને ન જણાવ, મને ન જણાય, મને ન જણાય એમ નહિ, ઈ તો જણાયા વગર રહેશે જ નહિ. હું આને (પરને) જાણું છું એ લક્ષ છોડી દે ને હું આત્માને જાણું છું. જાણનાર જણાય છે તો જાણનાર જણાતા લોકાલોક તેમાં જણાય, પ્રતિબિંબને કાઢી શકાતું નથી ને તેનો પ્રતિભાસ કાઢી શકાતો નથી, કેમકે પ્રતિબિંબ ને પ્રતિભાસ તે જ્ઞાનની અવસ્થા છે. જ્ઞેયની અવસ્થા નથી. અને જ્ઞેય સાપેક્ષથી તે જ્ઞેયાકાર છે ને આત્મ સાપેક્ષથી જ્ઞાનાકાર છે. ઈ જ પર્યાયનું નામ.
કેવળી ભગવાનને જ્ઞાનમાં લોકાલોક પ્રતિભાસે છે તેથી જ્ઞાન મેલું થાય છે ? જ્ઞાનમાં પરનું લક્ષ આવી જાય છે ? અથવા પ૨ જણાય છે ઈ બધા, તો એને દુઃખ આવી જાય છે ? નારકીનું દુઃખ નિગોદનું દુઃખ જ્ઞાનમાં પ્રતિભાસે છે. ઓલો સહન કરી ન શકે એવું દુઃખ અહીંયા (જ્ઞાનમાં) પ્રતિભાસે છે, તો પણ અહીંયા આનું રૂંવાડું ફરકે નહિ. શેયાકાર જ્ઞાન તો આપણું છે. ત્યાં તો લક્ષ જ નથી. લક્ષથી સુખ દુઃખની સિદ્ધિ છે. શેયાકાર જ્ઞાનથી સુખ દુઃખ નથી. સ્વનું લક્ષ કરે તો સુખી ને પરનું લક્ષ કરે તો દુ:ખી. શેયાકાર જ્ઞાન તો જ્ઞાન જ છે. અજ્ઞાનીનું લક્ષ દુઃખ ઉપર છે એટલે દુ:ખી થાય છે. કેવળી ભગવાનનું લક્ષ ઈનિગોદના દુઃખ ઉપર નથી. આત્મા ઉપર છે. હવે એ જ શ્રેણિક મહારાજાનું લક્ષ તો આત્મા ઉપર છે એટલે દુઃખી નથી. લક્ષ ક્યાં છે ? બસ. (એના ઉપર આધાર છે) પર ઉપર લક્ષ છે તો હું દુઃખી થઈ ગયો ને લક્ષ આત્મા ઉપર છે તો દુઃખ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, તો નિર્જરા થાય છે. એકત્વબુદ્ધિનું દુઃખ નથી. અસ્થિરતાનું દુઃખ છે એ ગૌણ છે, એ જ્ઞાનના શેયમાં જાય છે.
નિગોદના જીવોને કેટલું દુઃખ ? એમ કહે છે કે નારકીના દુ:ખ કરતા પણ વધારે. એનું કારણ છે મેં ઘણાં વર્ષ પહેલાં વાંચેલું મને ઈ પોઈન્ટ ગમ્યો. કે જ્ઞાનનો જેને ઉઘાડ છે તે સમાધાન કરી શકે છે થોડું. પણ જેનું જ્ઞાન બિડાઈ ગયું છે તેને તો પારાવાર દુઃખ છે. જ્ઞાનનું બિડાઈ જવું ઈ દુઃખ છે. સ્વભાવ બિડાઈ ગયો ને, સંકોચ પામીને.
૪૨
શેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે. હું પરને જાણતો નથી તેમાં શેયાકારનો ત્યાગ નથી. આ એટલા માટે ખુલાસો થોડોક કરુ છું. કોઈ કહે કે તમે પ૨ને જાણવાનો નિષેધ કરો છો તો એનો અર્થ કે જ્ઞેયાકાર જ્ઞાનનો તમે ત્યાગ કરો છો, પણ એમ નથી. શેયાકાર જ્ઞાનનું અમે ગ્રહણેય નથી કરતાં. અમે તો આત્માનું ગ્રહણ કર્યું છે, એમાં શેયાકારનું જ્ઞાન થાય છે ઈ જણાય છે, બસ. શેયાકાર જ્ઞાનનો ત્યાગેય ન કરાય ને ગ્રહણેય ન કરાય. બસ જેમ છે તેમ જાણે-કારણ કે લક્ષ તો જ્ઞાયક ઉપર છે ને. ગ્રહણ એકનું હોય અને જ્ઞાન અનંતનું હોય. લક્ષ એકનું ગ્રહણ કહો કે લક્ષ કહો એક જ છે. અટપટી વાત છે હોં.
»
Page #57
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૪૩ આપણે વધારે સમજવાનું છે, પરને જાણતો નથી, પરને જાણતો નથી ને એની સામેની આ વાત છે. પર જણાય જાય છે એમ અમે કહીએ છીએ, પરને જાણતો નથી. દેખે છે ને છતાં દેખતો નથી. એ શબ્દ તો મુનિરાજનો છે એટલે દેખાય છે તેનો નિષેધ નથી પણ હું તેને દેખતો નથી. દેખાય છે મારી સ્વચ્છતામાં એનો હું નિષેધ ક્યાં કરું છું? હું એને દેખતો નથી. ઈ દેખાય સામે આવીને અને તમે એને દેખો નહીં? (શ્રોતા :- કેમકે અમારું લક્ષ આત્માની ઉપર છે) લક્ષ તો એક ઉપર છે કાં સ્વ ઉપરને કાં પર ઉપર. આ અંદરનું રહસ્ય છે. અભૂત વાતો છે. દરેક વાતનો ઉકેલ છે એમાં. આ બોલ શા માટે વિશેષ ચર્યો કે આપણે કહીએ છીએ ને કે આત્મા પરને જાણતો જ નથી. ન્નયાકારનો તમે ત્યાગ કરવા માંગો છો? પરના લક્ષ વગર જોયો જ્ઞાનમાં ઝળકે છે. એવા શેયાકાર જ્ઞાનને અમે જાણીએ છીએ.
અને અમે બે પ્રકારના જોયને જાણીએ છીએ. એક પ્રકારનું શેયાકાર નથી થતું, જ્ઞાયક પણ શેય છે ને પર પણ શેય છે, એવા શેયાકાર જ્ઞાનને અમે જાણીએ છીએ. એકલા શૈયાકાર જ્ઞાનને નહિ. સ્વજ્ઞેય ને પરગ્નેય એવું જે બે પ્રકારનું શેયાકાર જ્ઞાન થાય છે. જ્ઞાયક જણાય તે શેયાકાર નથી? તે શેયાકાર જ્ઞાન છે. અજ્ઞાની એકલા જ્ઞયાકાર જ્ઞાનને જાણે તો
યાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. પહેલા જોયાકાર જ્ઞાનનો તિરોભાવ કર ને સામાન્યનો આવિર્ભાવ કર. પછી બેય જણાય છે. બેયનું નામ જ્ઞયાકાર છે લે. આહાહા ! દ્રવ્યથી એકપણું છે ને પર્યાયોથી અનેકપણું છે. એમાં કયાં એનો ત્યાગ કર્યો? પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો, અનેકાંત જ તેને પોતાનો નાશ થવા દેતો નથી. દ્રવ્ય પર્યાય બેયને જાણે છે. પ્રમાણજ્ઞાનમાં દ્રવ્યને એકપણે જાણે છે ને પર્યાયોને અનેકપણે જાણે છે. સ્વદ્રવ્ય જ સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે.
એક અનેકને યુગપદું જાણે છે. એક સમયમાં બે છે. (શ્રોતા :- જ્ઞાયકનું લક્ષ રહે છે માટે એકાકાર એકને જાણે છે અને અનેકાકાર થાય છે તેને પણ જાણે છે, જાણે છે તેનું જ્ઞાન થાય છે બસ. અનેકાંત એટલે બે ધર્મો. દ્રવ્યને જાણે છે અને પર્યાયોને જાણે છે. એક સમયમાં બે ધર્મોને યુગપ જાણે છે તે અનેકાંત. બે ધર્મોને યુગપ જાણવું તેનું નામ અનેકાંત છે. એક સમયમાં જણાય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં એક સમયમાં દ્રવ્ય પર્યાય જણાય છે. પહેલા દ્રવ્ય જણાય ને પછી પર્યાય જણાય એમ નથી. ૧૧૪માં લીધું છે કે પહેલા પર્યાયાર્થિક ચક્ષુ બંધ કર. સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો, પછી દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કર અને પછી પર્યાયને જો. પછી દ્રવ્યપર્યાયને બંનેને જો. એમ આવે છે તે પ્રમાણથી લીધું છે. પ્રમાણ પોતે કાઢ્યું. મૂળમાં નહોતું. ટીકાકારે પ્રમાણ લીધું.
Page #58
--------------------------------------------------------------------------
________________
४४
અનેકાંત અમૃત હવે સત્ અસત્નો બોલ આવે છે. બે બોલ થયા. તત્વ-અત૮, એક-અનેક અને હવે સ-અસતુ. જ્યારે આ જ્ઞાનમાત્રભાવ, જ્ઞાનમાત્ર પર્યાય નહીં, જ્ઞાનમાત્ર દ્રવ્ય નહીં, ‘જ્ઞાનમાત્ર ભાવ” ભાવમાં બે આવી ગયા. પરિણામી દ્રવ્યની વાત છે ને ! જ્ઞાનમાત્રભાવ જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યરૂપે માનીને અંગીકાર કરીને નાશ પામે છે. પરદ્રવ્ય જ્યાં જણાયું ત્યાં પરદ્રવ્ય મારું. ત્યારે તે (જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. - જ્યારે આ જ્ઞાનમાત્રભાવ જાણવામાં આવતાં એવા પરદ્રવ્યો, જોયું, સ્વદ્રવ્ય નહીં, પદ્રવ્યોના પરિણમનને લીધે, જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે. હું પરદ્રવ્ય સ્વરૂપે થઈ ગયો. જ્યાં દેહ જણાયો ત્યાં હું દેહરૂપ થઈ ગયો એમ. એ ખોટું છે. હવે કોણ એને બચાવે ? અનેકાંત બચાવે. સ્વપણે છું ને પરપણે નથી. (શ્રોતા :જ્ઞાનપણે છું ને શરીરપણે નથી) ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વદ્રવ્યથી સતપણું, અસ્તિપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. હવે અસનો બોલ. સત્ અને અસતુનો બે છે ને.
વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ, સર્વ દ્રવ્યો હું જ છું. (અર્થાત સર્વ દ્રવ્યો આત્મા જ છે) આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એમ ચાર લ્ય છે. પહેલા દ્રવ્યની વાત કરે છે. વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ, સર્વદ્રવ્યો હું જ છું. (અર્થાત્ સર્વે દ્રવ્યો આત્મા જ છે) એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) પદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકો હું મારાથી પરદ્રવ્યપણે થઈ ગયો. ખોટી વાત છે. તો કહે પરદ્રવ્યની તો તારામાં નાસ્તિ છે-અસત્ છે તારામાં છે નહીં. (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.
જો આની અંદર પણ ભેદજ્ઞાનથી સિદ્ધિ કરે છે. આ અનેકાંત પણ ભેદજ્ઞાન છે. ઓલું અંદરનું અનેકાંત પણ ભેદજ્ઞાન છે. આમાં પરથી જુદું પાડે છે પ્રમાણ, પ્રમાણ પરથી જુદું પાડે. ત્યારે પ્રમાણજ્ઞાનનો વિષય દ્રવ્ય થઈ જાય. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવ. પરિણામી દ્રવ્ય સ્વદ્રવ્ય થઈ જાય અને એનાથી આખું લોકાલોક ભિન્ન છે તેની મારામાં નાસ્તિ છે એ પરદ્રવ્ય છે એમ. એ અનેકાંતમાં દ્રવ્યપર્યાય સ્વરૂપ આનીકોર આવી જાય અને પરદ્રવ્ય ભિન્નરૂપે દેખાય. એટલે પરદ્રવ્યની સાથે એકતાબુદ્ધિ છૂટી જાય એમ.
પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.) સ્વદ્રવ્યપણે પણ છું ને
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૫
અનેકાંત અમૃત પદ્રવ્યપણે પણ છું, એ તો અજ્ઞાન છે. ઈ ક્યાં છે એવું સ્વરૂપ? સ્વદ્રવ્યપણે છું ને પરદ્રવ્યપણે નથી. અને સ્વક્ષેત્રપણે છું ને પરક્ષેત્રની મારામાં નાસ્તિ છે. સ્વકાળપર્યાયપણે હું છું અને પરકાળની મારામાં નાસ્તિ છે. આખું ચતુષ્ટય લઈ લીધું. નદ્રવ્ય ખંયામિ, ન ક્ષેત્રે ખંયામિ, ન કાળે ખંડ્યામિ, ન ભાવે ખંડ્યામિ. આખું દ્રવ્ય. સમજી ગયા બેન ! દ્રવ્ય દ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાન કરી અનેકાંત જિવાડે છે. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ, અનેકાંત જિવાડે છે. અતિ નાસ્તિ છે ને!
સ્વકાળમાં પરકાળની નાસ્તિ. આ પર્યાયમાં પરની પર્યાયની નાસ્તિ. પર જણાય છે ભલે, પરનું પરિણમન હોય ભલે પણ પરનું પરિણમન આમાં નથી આવતું. જ્ઞાનરૂપે છે ને શેયરૂપે નથી. સ્વકાળમાં પર્યાય લેવી. ભાવમાં ગુણ લેવો. જ્ઞાનગુણ જ્ઞાનગુણરૂપે છે અને પુદ્ગલના ગુણરૂપે સ્પર્શ, ગંધ, રૂપરૂપે નથી. ગુણે ગુણનું ભેદજ્ઞાન. એક ગુણમાં બીજા ગુણની નાસ્તિ. એક પર્યાયમાં બીજા દ્રવ્યના પર્યાયની નાસ્તિ. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ. આ દ્રવ્ય કેવું છે? ખબર છે? એનું ક્ષેત્ર, એનો કાળ ને ભાવમય એક દ્રવ્ય છે. સ્વચતુષ્ટમય એક પદાર્થ છે. પરથી જુદું પાડવું છે ને. એના ચાર ભેદ પાડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ.
હવે ક્ષેત્રનો બોલ આવે છે. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (પર ક્ષેત્રે રહેલા) શેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સતુ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. જેમકે આ મકાન છે. જેમકે આ મકાનનું ક્ષેત્ર છે તે મારું છે તો નાશ થઈ ગયો. કેમકે સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ છે. અસ્તિનાસ્તિ ન કરતાં ખીચડો કર્યો. એમ ખાટી મીઠી પર્યાય પુગલની તેનું અહીંયા જ્ઞાન થયું તો પરકાળનો મારામાં અભાવ છે.
એમ ગુણ. આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે, પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને, અંગીકાર કરીને નાશ પામે છે. પરક્ષેત્ર છે તો સ્વક્ષેત્ર છે. પરક્ષેત્ર નથી તો સ્વક્ષેત્ર પણ નથી, પોતાના સ્વક્ષેત્રનો નાશ કર્યો. જેમ હું પરને જાણનારો છું તો તેમાં સ્વજોયનો નાશ કર્યો. સ્વજોયને આહીંથી (આત્મામાંથી) ઉથાપ્યું ને ત્યાં (પરમાં) શેયને સ્થાપ્યું. આપણે ભિંડમાં વાત કરી હતી ને તે આ. બધા બહુ ખુશી થઈ ગયા. ન્યાય હતો એમાં. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. સ્વક્ષેત્રમાં જ્યાં આવ્યો ત્યાં પરક્ષેત્રની એકતા તૂટી ગઈ. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ.
વળી જ્યારે જ્ઞાનમાત્રભાવ સ્વક્ષેત્ર હોવાને (રહેવાને પરિણમવાને) માટે, પરક્ષેત્રગત શેયોના આકારોના ત્યાગ વડે, વ્યંજન પર્યાય, આકારો લીધાને ક્ષેત્રમાં, આકારોના ત્યાગ
Page #60
--------------------------------------------------------------------------
________________
૪ ૬
અનેકાંત અમૃત વડે, જોયાકારો છે બધામાં. શબ્દ તો જોયાકારો જ છે. અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શેયોના આકાર આવે છે એટલે પ્રતિભાસે છે. આકારોના ત્યાગ વડે તેમનો ત્યાગ કરીને જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે. જ્ઞાન ન રહ્યું. પ્રતિબિંબ થાય છે ત્યારે જ્ઞાનને ઉડાડ્યું. ત્યારે સ્વક્ષેત્રે રહીને, જુઓ સ્વક્ષેત્રે રહીને ઈમ્પોર્ટન્ટ છે. પરક્ષેત્રગત શેયોના આકારરૂપે એટલે સ્વક્ષેત્રનું લક્ષ કરીને, પરક્ષેત્રનું લક્ષ કર્યા વિના પરક્ષેત્રનું લક્ષ જ નહીં. શેયનું લક્ષ કર્યા વિના જણાય છે. નાસ્તિરૂપે જણાય છે પરક્ષેત્ર. સ્વદ્રવ્યમાં રહીને, સ્વક્ષેત્રમાં રહીને, સ્વકાળમાં રહીને, સ્વભાવમાં રહીને. ચારેયમાં લઈ લેવું. સ્વક્ષેત્રે રહીને જ પરત્રગત શેયોના આકારોરૂપે, પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.
ભલે પરક્ષેત્ર જણાય. પણ પરક્ષેત્રની મારામાં નાસ્તિ છે. પરક્ષેત્રના આકારો ભલે આવે પણ પરક્ષેત્ર ન આવે. પરક્ષેત્રના આકારની તો અસ્તિ છે પણ તેમાં પરક્ષેત્રની નાસ્તિ છે. સ્વાભાવિક નૈમિત્તિકની અસ્તિ અને નિમિત્તની નાસ્તિ. ક્ષેત્ર નિમિત્ત છે ને પર. આ તો પર્યાય છે પોતાની એ સ્વક્ષેત્ર નથી? ક્ષેત્ર ત્રણેમાં વ્યાપે છે હો-દ્રવ્ય, ગુણ, પર્યાયમાં આખું. દ્રવ્યપર્યાયનું એક ક્ષેત્ર છે એક પ્રદેશ છે હો. પ્રદેશ ભિન્ન નથી. (શ્રોતા :- ત્યારે તો પરિણામી સિદ્ધ થશે એક ક્ષેત્ર છે તેથી.) જૈન દર્શન બહુ વિશાળ છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તેહ' તેમાં વીતરાગતા છે. એમાં વિચાર કરવો. ખેચતાણમાં તો રાગદ્વેષ થાય. આહાહા ! - જ્યારે આ જ્ઞાનમાત્રભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું) એવા જ્ઞેય પદાર્થોના વિનાશ વખતે, જ્ઞાનનું અસત્પણું માનીને, જો પૂર્વકાળે શેયાશ્રિત જ્ઞાન થયું અને શેયો ચાલ્યા ગયા તો જ્ઞાનનો નાશ માને છે. નિમિત્તરૂપે પૂર્વે જોયો હતા. દા.ત. હિંમતનગર હતું. હવે હિંમતનગર તો ચાલ્યું ગયું, તો જ્ઞાન ચાલ્યું જાય છે? એમ માને છે કે શેય ખસી ગયું તો જ્ઞાન પણ સાથે ગયું. એ ખોટું છે. ખુલાસો કરે છે. કે શેય પદાર્થોના વિનાશ વખતે જ્ઞાનનું અસતપણું માનીને અંગીકાર કરીને નાશ પામે છે.
ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી-જો પર્યાય આવી, સ્વકાળથી, જ્ઞાનના કાળે સપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. સ્વકાળ સત્ છે અને એમાં ને એમાં અતભાવ છે. પર્યાય સ્વકાળ છે. દ્રવ્ય સ્વકાળ નથી. પર્યાયનું નામ કાળ છે, દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. (શ્રોતા :- દ્રવ્ય ને પર્યાય બે સત્ સિદ્ધ થાય છે.) હા. દ્રવ્ય ને પર્યાય સિદ્ધ થાય તો જ બે રહે, નહિં તો બે રહેતા નથી. અંદર ને અંદરમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચાર સત્ રહેલા છે. અતભાવ છે ને ! અભાવ નથી. દ્રવ્ય દ્રવ્યરૂપે છે, સ્વદ્રવ્યરૂપે અને
Page #61
--------------------------------------------------------------------------
________________
૪ ૭
અનેકાંત અમૃત સ્વકાળ છે તે સ્વકાળરૂપે છે. સ્વકાળની ઓમાં નાસ્તિ છે. જેમ પરની તો નાસ્તિ છે એમ હવે અંદરમાં આવો એમાંય અતદ્ભાવ છે. ચાર સત્ ક્યારે સિદ્ધ થાય? એક સત્ બીજા સરૂપે ન હોય તો, આ ગળે ઉતરતું નથી. જગતને ઓલું ઊતરે હજી.
(શ્રોતા:- સ્વકાળ છે તે પર્યાય છે તે દ્રવ્યના કારણે નથી. પરદ્રવ્યના કારણે તો નથી પણ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, ભાવના કારણે નથી.) સ્વકાળ નિર્વિષયી છે તેનો કોઈ વિષય જ નથી. (શ્રોતા :- સત્ છે ને.) સતુ છે ને ! બસ, સતુ અહેતુક હોય. આત્માથી પણ નહિ ને શેયથી પણ નહિ. એ તતુ સમયની યોગ્યતા બસ પર્યાયની.
અહિંયા તો અત્યારે સ્વકાળમાં પરકાળની નાસ્તિ. આ તો ઉપરથી આપણે લીધું. શું કામ લીધું? કે ચાર સત્ અંદરમાં જુદા જુદા પાડ્યા. નહિતર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ ને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ. અહીંયા ચારેય બોલ જુદા જુદા પાડ્યા. ચારેય જુદા છે ને માટે. જૈનદર્શન ગહન છે. (શ્રોતા :- ચારનું એક અંદરમાં લઈને પરથી જુદું પાડી શકાય) ચાર ભેદ કરવાની શી જરૂર હતી ? ચારેયમાં ભૂલ્યો છે. કોઈ દ્રવ્યથી ભૂલે, કોઈ ક્ષેત્રથી ભૂલે, કોઈ કાળથી ભૂલે, કોઈ ભાવથી ભૂલે. ચારેય ભેદ હોવા છતાં ચારેયમાં જુદું જુદું અનેકાંત ઉતાર્યું.
(શ્રોતા :-ચારમાં જુદું ઉતાર્યું ને !) એટલે ચાર સત્ છે. એક સતુ હોવા છતાં ચાર સત છે. અભેદથી એક સત ભેદથી ચાર સતુ. આ ચાવાદ છે. ચારેયમાં સત સ્થાપ્યું છે. સત હોય એ (ividal) સ્વતંત્ર હોય. સર્વથા એક સત્તા નથી, કથંચિત્ ચાર સત્તા છે. (શ્રોતા :- સર્વથા અભેદ પણ નથી ને સર્વથા ભેદ પણ નથી) કેમકે સ્યાદ્વાદ અધિકાર ચાલે છે એટલે કથંચિત્ છે. જ્ઞાન એમ જાણે છે. (શ્રોતા :- સર્વથા એક સત્તા હોય તો તો ચાર સત્ જ ન રહે ને) તો તો વ્યાખ્યા કરવાનો પ્રશ્ન જ નથી. તો તો સ્વકાળ પર્યાયનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. જો એક સતુ હોય તો જ્ઞાન છે તે દર્શન થઈ જાય. દર્શન છે તે જ્ઞાન થઈ જાય. ભાવમાં અતભાવ ન રહે. આહાહા ! જૈનદર્શન વિશાળ છે. ભાગ્યજોગે હાથમાં આવે, લોટરી લાગી ગઈ. સ્વકાળથી જ્ઞાનના કાળથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ ખરેખર તેને જિવાડે છે, નાશ પામવા દેતું નથી. બરાબર !
હવે પરકાળનો બોલ છે ને. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (માત્ર શેય પદાર્થોને જાણવા વખતે જ) આલંબન એટલે જાણવા વખતે શેયનું આલંબન ન હોય. પર લક્ષ તો અભાવાતુ છે. પદાર્થોના આલંબન કાળે જ (માત્ર શેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સત્પણું માનીને ઘટનું જ્ઞાન છે તો જ્ઞાન છે. ઘડો ફૂટી જાય તો જ્ઞાન ગયું એમ માને છે. જ્ઞાનનું સત્પણું માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
४८
અનેકાંત અમૃત ત્યારે તે (જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી -શેયના કાળથી) અસતપણું પ્રકાશતો થકો, કારણ કે ઘટ છે તે પરકાળ છે. માટી તો દ્રવ્ય છે. ઘટની પર્યાય પરકાળ છે. સમજ્યા! ઘટની પર્યાયનો નાશ થયો પરકાળનો તો સ્વકાળનો નાશ થયો એમ માને છે. પરકાળમાં ગમે તેટલા ફેરફાર થાય પણ સ્વકાળમાં કાંઈ ફેર પડતો નથી. પરકાળથી (-જ્ઞયના કાળથી) અસતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. બરાબર છે.
આગળ, જ્યારે આ જ્ઞાનમાત્રભાવ જાણવામાં આવતા એવા પરભાવોના, હવે કાળ ગયો ને ભાવ આવ્યો. પરભાવોના પરિણમનને લીધે ખાટું મીઠું ઈત્યાદિ, જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વભાવથી, સ્વભાવ નહીં. સ્વ-ભાવથી સ્વગુણથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે, નાશ પામવા દેતો નથી.
વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ “સર્વ ભાવો હું જ છું'' એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્રભાવનું) પરભાવથી અસપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. જ્યારે આ જ્ઞાનમાત્રભાવ, આવી ગયું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એમ ચાર થયા. હવે આટલું છે પૂરું કરી લઈએ.
જ્યારે આ જ્ઞાનમાત્રભાવ, અનિત્ય જ્ઞાન વિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે. પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય એમ કેટલાક માને છે. બૌદ્ધમતિ એમ કહે છે. પર્યાયનો નાશ થયો તેથી દ્રવ્યનો નાશ થયો એમ માને છે, નવું જન્મ દ્રવ્ય એમ. જ્યારે આ જ્ઞાનમાત્રભાવ અનિત્ય જ્ઞાન વિશેષો વડે પોતાનું નિત્યજ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે. સામાન્ય ખંડિત થઈ ગયું એમ માને છે. ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું) જ્ઞાન સામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. જ્ઞાન સામાન્ય તે નિત્યપણું છે.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે. જુઓ, આહાહા ! કેટલી વિદ્વતા છે. જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરવા માટે-અનિત્ય જ્ઞાન વિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે. પર્યાયનો ત્યાગ, પર્યાયનો ત્યાગ થઈ શકે જ નહિ. પર્યાય હેય નથી, જોય છે. અહીંયા હેય નથી, જોય છે. શેયની સિદ્ધિ છે. (અર્થાત જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે) આશ્રય માટે પર્યાય હેય છે. (શ્રોતા:- હેયપૂર્વક જોય છે.) હેય તો છે પણ એ સ્વગ્નેય છે પાછું પર શેય નથી. અભેદ શેયની સિદ્ધિ કરવી છે. પ્રમાણનો વિષય છે. પર્યાયનું લક્ષ (જ્ઞાન) કરે તો પર્યાયષ્ટિ થાય કે નહિ? કે ન થાય. ઈ આવ્યું,
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૯
અનેકાંત અમૃત આવ્યું ને. તમે પર્યાયનો ત્યાગ ન કર્યો. જો એમ કીધું હોત કે પર્યાયને જાણતા પર્યાયદૃષ્ટિ થાય તો તેણે પર્યાયનો ત્યાગ કરી નાખ્યો. તમે ત્યાગ ન કર્યો. પર્યાયનું લક્ષ છોડ્યું. પર્યાય રાખી. પર્યાય રાખી જ્ઞાનના જોયમાં. (શ્રોતા :- સ્યાદ્વાદી છે ને સાંખ્યવાદી નથી) ઈ વખતે પણ સ્યાદ્વાદી જ હતો. આ તો વિશેષ ખુલાસા માટે. બાકી એને તો સ્પર્શ થઈ ગયો તો. (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે, ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું) જ્ઞાન વિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો નિત્યપણું ને અનિત્યપણું તે હું-અનેકાંત જ તેને પોતાનો નાશ પામવા-કરવા દેતો નથી.
અહીં તત્ અતના બે ભંગ, એક અનેકના બે ભંગ, સત્ અસના, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આઠ ભંગ અને નિત્ય અનિત્યના બે ભંગ એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે. અર્થાત એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી. સ્વરૂપમાં પરિણમતો નથી. સ્વરૂપે પરિણમતો જ નથી અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે. જણાય છે. સ્વરૂપમાં પરિણમે છે.
બેન ! આ જ્ઞાન ને શ્રદ્ધા એ બે વિષયને જુદા પાડશે ત્યારે સમજાશે. ત્યારે ચોખ્ખું થાશે, નહિંતર નહીં સમજાય. ગોટાળો થઈ જાશે. જગતે જોયને જ ધ્યેય બનાવ્યું છે. પરિણામી દ્રવ્યને જ આત્મા માન્યો છે. (શ્રોતા :- ક્રમભંગ કર્યો છે) ક્રમભંગ કર્યો છે. અસ્તિનાસ્તિ અનેકાંત અહિંથી ઉપાડવું જોઈએ. પછી અસ્તિનાસ્તિ અનેકાંતનું જ્ઞાન થાય તો પરથી છૂટો પડી જાય. (શ્રોતા :- આ ભાઈ એટલું બધું અદ્ભત રહસ્ય બહાર આવી ગયું. દૃષ્ટિપ્રધાન અનેકાંત ને જ્ઞાનપ્રધાન અનેકાંત) અનેકાંતની બે વ્યાખ્યા છે. અત્યારે જ્ઞાનપ્રધાન અનેકાંતની વાત છે. સમયસારની ૬ઠ્ઠી ગાથામાં દૃષ્ટિપ્રધાન અનેકાંતની વાત છે. (શ્રોતા :- બહુ સ્પષ્ટ થઈ જાય છે વિષય) આ અનેકાંતનું સ્વરૂપ જે આવ્યું છે ને ઈ બહુ સારું આવ્યું છે. એકદમ ફલો આવ્યો અંદરથી. પછી આપણે ચોખવટ કરીને કે અંદરમાં અતભાવરૂપ છે અભાવ. ઓમાં તો સર્વથા અભાવ. (શ્રોતા :- આપ તો બહુત વિસ્તાર કરો છો.) અમે તો એ વાતનો વિચાર કરતા હતા તો બહુ વિસ્તાર થઈ ગયો.
--
@
Page #64
--------------------------------------------------------------------------
________________
૫O
અનેકાંત અમૃત
વિડીયો પ્રવચન નં - ૧૯૬, સળંગ પ્રવચન નં. ૪
કળશ - ૨૪૮-૨૪૯ તા. ૨૮-૧૧-૮૯
શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. એનો પરિશિષ્ટ સ્યાદ્વાદનો અધિકાર પાનું ૬૧૩ છે. અહીં નીચે પ્રમાણે ૧૪ ભંગોના કળશરૂપે ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે. પ્રથમ પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે. એટલે તનો પહેલા પછી અતનો આવશે. भवन्ति चात्र श्लोका :
(શાર્વવિદિત). बाह्याथै : परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररुप एव परितो ज्ञानं पशो: सीदति । यत्तत्तत्तदिह स्वरुपत इति स्यावादिनस्तत्पुन
•रोन्मनधनस्वभावभरत: पूर्ण समुन्मजति ॥ २४८ ॥ (પ્રથમ, પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થઃ-(વાઢ-અર્થે પરિવતન) બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, (ઉષ્ણત-નિન-પ્ર-િરિમવા) પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથીખાલી (-શૂન્ય) થઈ ગયેલું, (રિત:પરáવિશાન્ત) સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું(Gશો:જ્ઞાન) પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) (રીતિ) નાશ પામે છે; ( નિ:તતપુન:) અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, (‘યત તા તરફ જતઃ ત’ ત્તિ) “જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વનેવસ્તુને સ્વરૂપથી તત્પણું છે)” એવી માન્યતાને લીધે, (દૂ-નન-ધન-માવા-મરત:) અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, (પૂર્ણ સમુન્નતિ) સંપૂર્ણ ઉદિત (પ્રગટ) થાય છે.
ભાવાર્થ:- કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જોયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જોયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.
આ પ્રમાણે સ્વરૂપથી તપણાનો ભંગ કહ્યો. ૨૪૮.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૧
અનેકાંત અમૃત
શ્લોકાર્થ :- બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું પોતાની વ્યક્તિને, પ્રગટતાને છોડી દેવાથી ખાલી (શૂન્ય) થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું એવું પશુનું જ્ઞાન (તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) નાશ પામે છે.
શું કહે છે? કે બાહ્ય પદાર્થો વડે જ્યારે બાહ્ય પદાર્થો જણાય છે, ત્યારે પોતાનો આત્મા એને બિલકુલ જણાતો જ નથી. એટલું બધું થઈ ગયું છે કે આ બાહ્ય પદાર્થોનું જ અસ્તિત્વ છે પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. એ જ્ઞાનમાં પદાર્થો જણાય છે, તેવા જ્ઞાનનાં અસ્તિત્વને ભૂલી અને પર પદાર્થો એમાં જ આખી અર્પણતાની બુદ્ધિ થાય છે. અને પોતાની વ્યક્તિને છોડી, પોતાના દ્રવ્યને તો છોડ્યું પણ પોતાની જ્ઞાનની વ્યક્તિ જે છે પ્રગટતા, જેમાં પર પદાર્થ જણાય છે, એને છોડી દે છે. સહજ ઉદાસીન અવસ્થા જ્ઞાતાદૃષ્ટાની એનો ત્યાગ કરે છે. એટલે દ્રવ્યનો તો ત્યાગ થઈ ગયો, કેમકે દ્રવ્યને આશ્રયે તો જ્ઞાન થાય ને જ્ઞાન જણાય છે તો દ્રવ્ય જણાય. પણ તેને પર પદાર્થો જ જણાય છે. એટલે પોતાની વ્યક્તિને છોડી દેવાથી ઉદાસીન અવસ્થાનો ત્યાગ કર્યો. ત્યાગ કરવાથી જાણે ખાલી શૂન્ય થઈ ગયું જ્ઞાન. હવે ખાલી ખોખું જ્ઞાનમાં, જ્ઞાનમાં જાણે કાંઈ છે જ નહીં.
પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે દ્રવ્ય ગુણ પર્યાયનું. પરને અર્પણતા થઈ જાય છે. બીજી રીતે કહીએ તો, શેય જ્ઞાયક સંકરદોષ સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત, આખે આખો હું જાણે આ પરણેયોરૂપ જ છું. એવું એમાં વિશ્રામ લ્ય છે અર્થાત્ પર ઉપર જ આધાર રાખતું. જ્ઞાન આત્માને આધારે થાય છે એ ભૂલી ગયો અને જ્ઞાન પરના આધારે, તો જ્ઞાનને ભૂલી ગયો અને પર આધાર છે નિમિત્તરૂપ અને એ રૂપે હું થઈ ગયો તો જ્ઞાનની વ્યાપ્તિનો તિરસ્કાર નાશ થઈ ગયો. પશુનું જ્ઞાન તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન નાશ પામે છે. જ્ઞાન નાશ પામે છે. શક્તિની વ્યક્તિ જ્ઞાન પ્રગટ થવું જોઈએ એ ન થયું. જ્ઞાન નાશ પામે છે.
અને સાદ્વાદીનું જ્ઞાન તો જે તત્વ છે તે સ્વરૂપથી તપણું છે અર્થાતુ દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી તત્પણું છે. એવી માન્યતાને લીધે દ્રવ્ય, ગુણ ને પર્યાય એ તત્ છે. એમાં શેયોનો અભાવ છે એ અત છે. પણ એકાંતવાદી તો) જોયોને જ જ્ઞાન માને છે, શયોને જ આત્મા માને છે અને આખો આત્માને ભૂલી ગયો છે. સ્યાદ્વાદીનું જ્ઞાન તો જે તત્ છે, તે સ્વરૂપથી તત્ છે એમ. સ્વરૂપથી તત્ છે એટલે કે પરરૂપથી અતત્ છે એમ ઈ જાણે છે સ્યાદ્વાદી. એવી માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા, જો અત્યંત પ્રગટ થયેલાં જ્ઞાનધનરૂપ સ્વભાવના ભારથી સામર્થ્યથી જ્ઞાન પ્રગટ થયું. શેય ભલે જણાય પણ અહીંયા (અંદર)
Page #66
--------------------------------------------------------------------------
________________
૫ ૨.
અનેકાંત અમૃત
આવી ગયો એટલે જ્ઞાન પ્રગટ થયું, ઓલું જ્ઞાનને છોડી દીધું'તું. સ્યાદ્વાદી જ્ઞાનનું ગ્રહણ કરે છે. સંપૂર્ણ ઉદિત પ્રગટ થાય છે. એટલે જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન પ્રગટ ક્યારે થયું કે એણે તત્પણે જાણ્યું તો. એટલે હું જ્ઞાનરૂપ જ છું અને ઓલો માનતો હતો કે હું શેયરૂપ છું એટલે જ્ઞાનનો નાશ થયો, એમ.
ભાવાર્થ :- કોઈ સર્વથા એકાંતી તો વખતોવખત સર્વથા શબ્દ આવશે. (શ્રોતા :કેમકે સ્યાદ્વાદ્ અધિકાર છે ને. સ્યાદ્વાદ અધિકારમાં સર્વથાનો નિષેધ છે. ભાઈ આપે કહ્યું હતું કે જયસેન આચાર્યની પંચાસ્તિકાય ટીકા) ઈ આપણે લેશું. એમાં પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી બે સપ્તભંગી ઉતારી છે. એમાં એના એમ શબ્દો છે સ્યાદ્ અને સ્વાદુએવ એમાં બેમાં ફેર પાડ્યો. સ્યાદ છે એ તો પ્રમાણ સપ્તભંગી છે અને સાવ એમાં નય સપ્તભંગી છે. હું જોઈ લઈશ પંચાસ્તિકાય કાઢીને. પંચાસ્તિકાય ઘણાં વર્ષો પહેલાં, ઘણાં વર્ષો થઈ ગયા પંચાસ્તિકાયને વાંચ્યાને. (શ્રોતા :- આ જયસેન આચાર્યની ટીકા બીજે
ક્યાંય નથી. આપની પાસે છે) છે ને મારી પાસે છે. ત્યાંની છે ને મહાવીરજીની. અમારી પાસે બે ભાગ હતા પંચાસ્તિકાયના. એ તો અમે મોકલી દીધા ત્યાં જયપુર તો ત્યાંથી પાછા જ નથી આવતા. પંચાસ્તિકાય અને પ્રવચનસારના બધાય ભાગ મેં આપી દીધાં. શીતલ પ્રસાદજીનો. પણ ઓલા મેં મારી પાસે રાખ્યા પ્રવચનસાર અને પંચાસ્તિકાય બેય છે. મહાવીરજીનું હિન્દી છે મારી પાસે. (શ્રોતા :- એમાં જયસેન આચાર્યની ટીકા છે ?) હાં. જયસેન આચાર્યની છે ને. (શ્રોતા - અને એમાં હિન્દી છે?) હા. હિન્દી છે. (શ્રોતા :એની હિન્દી છે કે સંસ્કૃત ટીકા છે?) હિન્દી ! સંસ્કૃત ને હિન્દી બેય. અને તમને ન આપી હોય તો જોઈ લઈશ હું. જોવું છે અટાણે, જોઈ લ્યો ને. (શ્રોતા :- મને એક મિનિટ લાગશે.) જોઈ લ્યો વાંધો નહીં જોઈ લ્યો, જો તમને મેં આપી જ દીધી હોય તો જુદી જ વાત છે. (શ્રોતા :- પછી એમાંથી કાઢી લેશું) હા.
અનેકાંત તો અમૃત છે. જેમ જેવી રીતે વૈદ્ય વિષને પણ કેળવીને ખાય તો મરણ ન થાય એમ એક અનેકાંત વાક્ય છે. એક અનેકાંતને સમજીને અપનાવે તો અનુભવ થાય. સમજ્યા વિના મરણ થઈ જાય, ઝેર છે અનેકાંત. અનેકાંતના અર્થ તો બે થાય ને. દ્રવ્ય ગુણ પર્યાય સહિત અનંત ધર્માત્મક આખો પદાર્થ ઈ અનેકાંત છે. મોસંબી અનેકાંત છે પણ મોસંબી ખવાય નહીં. મોસંબીમાં ભેદજ્ઞાન કરવું જોઈએ. એ અનેકાંત છે. ત્યારે રસ પીવાય, છોતરા નાખી દેવાય અને પહેલા તો એ છ જાતના ફુટ હતાં. એમાંથી છએ જાતનાં મોસંબીના ઢગલાં હતાં પણ મોસંબીમાં મોસંબીઓ ન લીધી, મોસંબી લીધી એક. કેમકે જીવો તો અનંત છે ને એટલે એમાંથી એક લીધું અને પછી એમાંથી ભેદજ્ઞાન કર્યું. પહેલાં
Page #67
--------------------------------------------------------------------------
________________
૫
૩
અનેકાંત અમૃત પરથી જુદો પછી રાગથી જુદો પાડીને અનુભવ.
(શ્રોતા:- પરથી ભેદજ્ઞાન કરી પ્રમાણમાં લાવ્યા છે. પ્રમાણમાં અટકવા માટે પ્રમાણમાં નથી લાવ્યા.) જો તમને કહું બેન કે જૈનદર્શન પહેલું, પ્રમાણમાં જ લાવે છે. વિકલ્પાત્મક પ્રમાણ સવિકલ્પ પ્રમાણ. એનું કારણ છે કે ઈ આખી દુનિયાથી જુદો પડી જાય છે. પૂરી દુનિયામાં એવો ધર્મ નથી કે પ્રમાણથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત છે જ નહીં. ક્યાંય છે જ નહીં. જો આખું તત્ત્વાર્થસૂત્ર જોઈ લ્યો તમે કે પ્રમાણ સપ્તભંગી છે. પરથી જુદું પાડે છે. પાંચ ભાવ જીવભાવ છે. પાંચભાવમાં મિથ્યાત્વભાવ આવી ગયો, એ જીવભાવ પરથી જુદું પાડે છે. બસ ! ત્યાં સુધી આવ્યા તત્ત્વાર્થસૂત્ર-પ્રવચનસાર સુધી, સમયસાર કોઈએ વાચ્યું જ નહીં. પૂ.ગુરુદેવ એક પુરુષ પાક્યા, આ સમયસાર વાંચીને વિસ્તાર કરવાવાળા.
અનેકાંત કેળવીને ખાય તો અમૃત છે. સમજીને પ્રયોગ કરે તો અમૃત છે. (શ્રોતા :અનુભવ છે અનેકાંતનો) અનેકાંતમાં અનુભવ છે ને. અસ્તિનાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન છે ને. ભેદજ્ઞાન પરખ છે એ જ્ઞાન પરખ છે. (શ્રોતા :- એ જ્ઞાન પરખ અનેકાંત ભેદજ્ઞાનપૂર્વક હોય છે) હા. ભેદજ્ઞાનને છોડો તો તો ઝેર થઈ ગયું અનેકાંત, ઉપાદેયવાળું થઈ જાય. બરાબર ! ચાલો કાંઈ નહીં. બેનને વિચાર આવ્યો છે સમ્યક છે, કે આ અનેકાંત ઉપર ચેપ્ટર લખવું છે. બરાબર છે. લખજો લખીને મને વંચાવજો. (શ્રોતા :- લોકોની ભૂલ અનેકાંતમાં જ છે ને) મેં બેનને કાલે ફોનમાં બહુ કહ્યું. સાવ જુદું અનેકાંત માને છે લોકો. મને કહે સાચી વાત છે. અમારે ત્યાં એવું જ ચાલે છે. બધા હવે કાંઈ નથી વાત. એક વ્યક્તિ પાસે ગયા'તા. અમે સોનગઢના છીએ ને એટલે એ અમને જાણે, તો કહે કે જૈનદર્શન અનેકાંતવાદ છે, સ્યાદ્વાદ છે. ઠીક આપણે તો કાંઈ ચર્ચા કરાય નહીં અને એને વિશેષ કાંઈ ખબર નથી. બુદ્ધ છે ઈ. એને તત્ત્વનો અભ્યાસ જ નથી.
સ્વભાવ અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ધર્મરૂપ સ્વભાવના ભારથી સામર્થ્યથી સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે. સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે બરાબર.
ભાવાર્થ :- કોઈ સર્વથા એકાંતી તો, જુઓ સર્વથા શબ્દ આવ્યો. અહીં સર્વથાનો પ્રયોગ છે ને કથંચિત્ જોઈએ પ્રમાણમાં, પ્રમાણની સિદ્ધિમાં સર્વથા નહીં અને નયની સિદ્ધિમાં કથંચિત ન હોય. નયમાં સર્વથા હોય અને પ્રમાણમાં કથંચિત્ હોય. (શ્રોતા :ભાઈ સૂત્રો નીકળે છે તો એકદમ. પ્રમાણની સિદ્ધિમાં સર્વથા ન હોય ને નાની સિદ્ધિમાં કથંચિત ન હોય) ન હોય. પણ પ્રમાણમાં જો સર્વથા દ્રવ્યરૂપ છે અને સર્વથા પર્યાયરૂપ છે એ તો અજ્ઞાન થઈ ગયું. ત્યાં કથંચિત્ હોય. પ્રમાણમાં કથંચિત્ લાગુ પડે. એટલે જ્ઞાનમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૫૪
કથંચિત્ છે. વસ્તુમાં કથંચિત્ ક્યાં છે. વસ્તુમાં નથી. ઈ તો સર્વથા શુદ્ધ છે લ્યો. નય વાક્ય થયું ને એમ મારું કહેવું છે. નય વાક્યમાં સર્વથા આવે. (શ્રોતા :- આમ જ એકાંતવાદી એવું માને છે કે હું પરને જ જાણું છું. એકાંત માને છે.) એકાંત માને છે. સ્વને જાણતા જાણતા પર જણાય જાય છે. ઈ સ્યાદ્વાદી ઈ અનેકાંત થઈ ગયું. ઈ અનેકાંત થયું. અહીંયા ઈ અનેકાંત છે. સ્વપરપ્રકાશક અનેકાંત છે અહીંયા. સ્વને જાણતા જાણતા, જ્ઞેયને જાણતા જાણતા, શેયો જણાઈ જાય છે ઈ આ. કે ના. હું તો શેયને જ જાણું છું. જ્ઞેયો મને જણાતા જ નથી. તો એકાંત થઈ ગયું. શેય ઊડી ગયું. તમને સારો વિચાર આવ્યો કે પહેલા આપણે આ લઈ લઈએ પછી ઓલું લેશું.
(શ્રોતા :- કેમકે આ વિષય ચાલે છે ને) હા. ચાલે છે ઈ ચાલે છે ને. આ તો સર્વથા શબ્દ આવ્યો ને, પ્રમાણમાં ‘સર્વથા’ ઝેર છે. ઝેર છે હાં, હાં અને નયમાં ‘કચિત્’ ઝેર છે. શુદ્ધ છે. ઉભા રહો ભાઈ. કથંચિત્ શુદ્ધ છે, ઝેર થઈ ગયું. (શ્રોતા :- નયમાં નહીં આવે. શુદ્ધનય પ્રગટ નહીં થાય) નહીં થાય પ્રગટ. (શ્રોતા :- પ્રમાણમાં સર્વથા ઝેર છે. બધો પક્ષ છૂટી જાય) હા. મધ્યસ્થ થઈ જાય. (શ્રોતા ઃ- એવું વિચારવું જોઈએ કે પ્રમાણથી વાત ચાલે છે કે નયથી) બસ આ કઈ નયનું કથન છે. પ્રમાણનું કથન છે કે નયનું, બસ એટલું બેયનો ભાગ જુદો પાડે અને પ્રયોજન શું સિદ્ધ ક૨વું છે બસ. ભેદજ્ઞાનનું પ્રયોજન છે કે જાણવાનું. બસ. એમાંય બે વાત છે. ભેદજ્ઞાનનું પ્રયોજન છે કે જાણવાની વાત છે બસ.
=
(શ્રોતા :- ભેદજ્ઞાનમાં સર્વથા, જાણવામાં કથંચિત) જાણવામાં કથંચિત્ ભેદજ્ઞાનમાં નયમાં સર્વથા. જેમ દાખલા તરીકે કહું એનું કે ભાઈ, આત્મા શુદ્ધ છે. શું ? (શ્રોતા :- શુદ્ધ છે ને અશુદ્ધ નથી.) નહીં એમ નહીં. કોઈ જ્ઞાની કહે કે આત્મા શુદ્ધ છે. શુદ્ધ જ છે એમ કહે. નયમાં ‘જ’ આવે, શુદ્ધ જ છે. તો કોઈ કહે કે કથંચિત્ શુદ્ધ છે, ગયો દુનિયામાંથી. શુદ્ધ આત્મા હાથમાં નહીં આવે. એમાં કથંચિત્ ન હોય. એમાં સર્વથા છે અને પ્રમાણજ્ઞાનમાં સર્વથા ન હોય કથંચિત્ હોય. પ્રમાણમાં કથંચિત્ અને નયમાં સર્વથા શુદ્ધ છે. સર્વથા પરિપૂર્ણ સર્વથા મુક્ત છે, એમ. કેમકે એ ઉપાદેયતત્ત્વ બતાવવું છે ને બેન. પછી ભલે નયથી સમજાવે ત્યારે નયનો વ્યવહાર કહે, પછી અભૂતાર્થ છે એનું છોડી ઘે, એવું બધું આવે. આપણી જે વાત છે ને એ તો એકદમ ટોપમોસ્ટ પ્રકારની છે. ટૂંકાણમાં સમજે ઈ સમજે કે શું છે.
અહીંયા કહે છે કે સર્વથા માને છે ઈ ખોટું છે. પ્રમાણમાં કથંચિત્ હોય આ કથન એકાંતવાદીનું છે. આ એકાંત એકાંતમાં ફેર છે. કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે, એકાંતી તો એમ માને છે કે ઘટજ્ઞાન ઘટના આધારે થાય છે. જો ઉપરમાં લીધું’તું આધાર
Page #69
--------------------------------------------------------------------------
________________
પપ
અનેકાંત અમૃત આધેય સંબંધ. લીધું'તું એને બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવ્યું'તું. પોતાની રીતે એ આવે છે. સમસ્તપણે પરરૂપમાં એ વિશ્રાંતે, ઘટજ્ઞાન ઘટના આધારે થાય. આધાર આધેય સંબંધ જ્ઞાનનો ઘટની સાથે કર્યો એણે એટલે કર્તકર્મ સંબંધ થઈ ગયો. ઘટ હોય તો જ્ઞાન થાય એને માટે જ્ઞાન સર્વપ્રકારે જોયો પર જ આધાર રાખે છે. એ એકાંતવાદી શેયને જાણે તો જ્ઞાન થાય. શેયને ન જાણે તો જ્ઞાન શેનું? એમ. પરના આધારે પોતાનું જ્ઞાન માને છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શેયો પી ગયા. લૂંટી ગયા. જ્ઞાન ન રહ્યું.
જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. આપણે વાત કરી'તી ને કે જ્ઞાનનો જ એણે ત્યાગ કર્યો. ઉદાસીન જ્ઞાતાદૃષ્ટા અવસ્થા જે સ્વભાવભૂત ક્રિયા તેનો ત્યાગ કરી દીધો અને શેયને જ પોતાનું માનવા મંડ્યો. સ્યાદ્વાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તરૂપ જ છે. તત્ સ્વરૂપ જ છે જ્ઞાન સ્વરૂપ જ છે. તેનો અર્થ કર્યો. જ્ઞાન સ્વરૂપ જ છે. શેયાકાર થવા છતાં જો એ જોયાકારનો સ્વીકાર કરે જ છે સાદૂવાદી, પણ શેયથી જ્ઞાન થાય એમ માનતો નથી. શાસ્ત્રથી જ્ઞાન થાય એમ માનતો નથી. અજ્ઞાની શાસ્ત્રથી જ્ઞાન થાય એમ માને છે. દેશનાલબ્ધિથી સમ્યક્દર્શન થાય એમ માને છે, ખોટી વાત છે. શેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતો નથી.
આ આપણે પંદરમી ગાથામાં છે ને પરમાર્થથી જોવામાં આવે તો તો તે શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે તે જ સામાન્ય જ્ઞાનનો અવિર્ભાવ છે. ઈ આ પ્રમાણ લીધું છે એમાં. પહેલાં નય લીધું છે. પછી પ્રમાણ, નયપૂર્વક પ્રમાણ થાય છે અનુભવ થતાં. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે, એકાંત સમજણ નહીં. ઈ સમજણ અનેકાંતપૂર્વક છે. જોયો જ્ઞાનમાં જણાય છે, તો પણ જ્ઞાન જ્ઞાનરૂપે અને શેય શેયરૂપે રહે છે. તેમ શેયથી જ્ઞાન થયું તેમ જ્ઞાની સ્યાદ્વાદી જાણતા નથી જ્ઞાન તો જ્ઞાનથી થાય છે. અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન પ્રગટ પ્રકાશે છે. અર્થાત જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે. લ્યો આ તતનો બોલ થયો. - હવે અતતુ. આમ તો આસ્તિ નાસ્તિ જેવું છે. જ્ઞાનરૂપે છે અને શેયરૂપે નથી. પણ તત અને અત૮ શબ્દ વાપર્યા છે. (શ્રોતા :- એટલે અહીંયા એકાંતવાદી છે એનો પરિહાર સ્યાદ્વાદથી કરે છે.) હા. સ્યાદ્વાદથી પરિહાર કરે છે, બરાબર. બસ બરાબર છે. સ્યાદ્વાદ જ એને નાશ કરીને એને જિવાડી ઘે છે જ્ઞાની. (શ્રોતા :- અનેકાંતી એકાંતે એમ માની રહ્યો છે કે હું પરને જાણું છું. આ મિથ્યા એકાંત છે. આ મિથ્યા એકાંતનો અભાવ સમ્યક્રએકાંતથી જ થાય છે) હાં. સમ્યફ એકાંતથી થાય છે કે જાણનારો જણાય છે ને પર જણાતું નથી. એમ ત્યાં સ્વપર બેય જણાય છે એમ ન લેવાય. જ્ઞાનની ઉત્પત્તિ તો એકલા
Page #70
--------------------------------------------------------------------------
________________
૫ ૬
અનેકાંત અમૃત સ્વઆશ્રિત છે. ત્યારે સ્વ જણાતાં પર જણાય છે, ત્યારે સ્વપર જણાય છે, કે એ સમ્યક છે, એ એકાંત નહીં. એ અનેકાંત થઈ ગયું. સ્વને જાણતા પર જણાય છે એમ. શેયાકાર જ્ઞાનને ઉડાડતો નથી. પહેલા તો એને ભેદજ્ઞાનમાં પરને જાણતો જ નથી, જાણનારો જણાય છે.
(શ્રોતા :- કેમકે આપ કહો છો કે મિથ્યા એકાંતનો નિષેધ કરવા માટે સમ્યફ એકાંત આવવું જોઈએ) હાં અને સર્વથા ઈ કહે છે કે પરને હું જાણું છું. જ્ઞાની કહે છે કે સર્વથા જ્ઞાન સ્વને જ જાણે છે પરને જાણતું જ નથી. (શ્રોતા :- તો એને આત્માનું જ્ઞાન પ્રગટ થાય) અને પછી કથંચિત આવે. હા. અનુભવ જ્ઞાનમાં જ કથંચિત છે. અનુભવ કરવા માટે કથંચિત નથી. અનુભવ કરવા માટે કથંચિત ન હોય, સર્વથા હોય. જે સ્વને જાણે છે એ જ્ઞાન પરને જાણે છે એમ ન હોય. અનુભવ જ્ઞાનમાં કથંચિત્ છે. અનુભવ કરવા માટે સર્વથા સ્વ જણાય છે પર જણાતું નથી.
બાપુ ! વ્યવહારનો નિષેધ કર્યા વગર નિશ્ચય ક્યાંથી પ્રાપ્ત થાય? વ્યવહાર સઘળો અભૂતાર્થ છે. એ તો આવી ગયું કે નહીં. તો પરને જાણે છે ઈ તો અસભૂત વ્યવહાર છે આખો. હજી અસદ્દભૂત વ્યવહારનો નિષેધ નથી આવતો એને. અનુભવ કેમ થાય ઈ જુદી વાત અને અનુભવ થયા પછી શું થાય એ જુદી વાત. ઈ જવાહરે સારું પકડ્યું છે. અનુભવ કેમ થાય? મારું પ્રવચન અનુભવ કેમ થાય એના ઉપર છે. અનુભવ થશે એટલે તને ખબર પડશે, તારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે. પહેલાં અનુભવ કેમ થાય છે ઈ શીખી લે. આ જગતના જીવો અજ્ઞાની છે ઈ અનુભવ થવા પહેલા જ્ઞાનીના વ્યવહારને આગળ કરે છે અને જ્ઞાનીના નિશ્ચયને ભૂલી જાય છે.
ગુરુદેવને પૂછી જુઓને કે તમને સાહેબ જ્ઞાન જણાય છે કે શેય જણાય છે. અમને જ્ઞાન જ જણાય છે, શેય જણાતું નથી. તો પછી કાંઈ આગળ? તો કે હા. જ્ઞાનને જાણતા જોય જણાય જાય છે. આજે સવારે ન આવ્યું, શેયને જાણતા જોયો જણાય જાય છે. ઈ કહે પાછા. તો પેલો કહે સાહેબ પહેલેથી અમે એ જ કહીએ છીએ. પણ તું તો જોયોને જાણું છું એમ કહેતો આવ્યો તો. હું તો કહું છું કે શેયોને જાણતો નથી અને જ્ઞાન જ જણાય છે એમ પહેલા લે અને પછી જોય થાય અહીંયા (અંદરમાં) જોય થાય તો જોયો જણાય. હવે જોય ન થાય તો ક્યાંથી જણાય? અને જોય ક્યારે થાય? ધ્યેયનો ધ્યાતા થાય એને જોય થાય. આવું છું.
આજ સવારની વાત ઊંચા પ્રકારની હતી. (શ્રોતા :- શેયને જાણતાં શેયો જણાય જાય) મંત્ર છે ઈ. (શ્રોતા:- શેયને નહીં જાણે તો જોયો નહીં જણાય) શેયને જાણ અને શેય કેવી રીતે થાય કે ધ્યેયનું ધ્યાન કરે તો જોય થાય, જ્ઞાન થાય. એટલે જોયને જાણતા જોય જણાય જાય છે. શેયોને જાણવાનો પુરુષાર્થ નથી અને શેયને જાણવામાં પણ ખરેખર પુરુષાર્થ
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૭
અનેકાંત અમૃત નથી. ધ્યેયના ધ્યાનમાં પુરુષાર્થ છે. લક્ષ ફરતું નથી જ્ઞાયક જ જણાય છે. શેય થયું તે જણાય પણ તેમાં પુરુષાર્થ નથી. કેમકે એનું લક્ષ નથી. પરિણામી ઉપર લક્ષ નથી. પરિણામી તો વ્યવહારનો વિષય થઈ ગયો. લક્ષ હોય તો એ ઉપાદેય થઈ ગયું પરિણામી. પર્યાય સાપેક્ષ દ્રવ્ય થઈ ગયું. (શ્રોતા :- એ તો ફળ છે. ફળ ઉપાદેય ન હોય) હાં. એ તો જાણવા માટે છે બસ.
આહાહા ! હજી તો લોકો પરનું ધ્યાન કરવામાં નિમિત્તના ધ્યાનમાં રોકાણા છે. દુઃખી થાય છે. હવે ચાલો આગળ. હવે અતતુનો બોલ આવે છે ને. એ કાંઈ કેવા જેવું, ચર્ચા કરવા જેવું? ચર્ચા કરવા જેવું હોય તો કાઢો.
(શ્રોતા :- સ્યાદ્વાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ છે. જ્ઞાન જ્ઞાનરૂપ છે. જ્ઞાન થી જ્ઞાન થાય છે. શેયથી નહીં. શેયનું નહીં. તો એ સ્યાદ્વાદી) હાં. સાદ્વાદીને જ્ઞાન પ્રગટ થાય છે આમાં અને એ જ્ઞાન પરને જાણે છે. શેય જે જ્ઞાનને જાણે ઈ એવી રીતે જાણે કે જ્ઞાન જ્ઞાનરૂપે છે અને શેયરૂપે નથી. ઓલો શેયને જ જ્ઞાન માનતો તો. આ કહે છે કે અમે ફક્ત જ્ઞાનને જ જ્ઞાન માનીએ છીએ, એમાં અનુભવ થાય, અને અનુભવ થતાં એ જોયો જ્ઞાનમાં જણાય છે બસ.
અહીંયાં શું છે કે ઘટજ્ઞાનથી જ્ઞાન થાય. આધાર આધેય સંબંધ એણે તોડી નાખ્યો. શેયથી જ્ઞાન થાય એ તોડી નાખ્યું, કેમકે તત્ સ્વરૂપ જે હોય એને એનાથી ભિન્ન હોય એના આધારની એના અવલંબનની કંઈ જરૂર નથી. સમજી ગયા. કાંઈ જરૂર નથી. પછી આ તત્ સ્વરૂપના બે બોલ પૂરા થાય ને તત્ સ્વરૂપના, પછી એક બીજું તત્ સ્વરૂપ લેવું છે. જ્ઞાનનું સ્વરૂપ પંચાધ્યાયીમાંથી. જ્ઞાન શેયના સહારાનું છે કે જ્ઞાન પોતાના સહારાનું છે કે સ્વપર શેયના સહારાનું છે, એમ આવશે ઓલામાં. પછી લેશું. હમણાં નહીં. હમણાં તો આ જે ચાલે છે પ્રમાણનું. આ પ્રમાણની વાત છે ઓલી વાત તો ટોપમોસ્ટ છે.
આત્માના અવલંબન વિના જ્ઞાન થાય છે સત્ અહેતુક છે ને પંચાધ્યાયીમાં એ વાત. જ્ઞાન નિર્વિષય છે જ્ઞાન. આ તો ઓલું વાંચ્યું ને કે જ્ઞાન શેયના સહારાનું છે કે જ્ઞાન પોતાના સહારાનું છે એમ. એ આવશે. પ્રમાણની વાત જુદી ને ઓલી વાત જાદી. એ અંદરની વાત છે. (શ્રોતા :- અંદરની વાત છે કે જ્ઞાન આત્માના આશ્રયે પણ થતું નથી એ અંદરના દ્રવ્ય પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન) હા. કેમકે પરના આશ્રયે જ્ઞાન થાય એમ જે માનતો'તો, તેને કહે કે પરના આશ્રયે થાય નહીં. પર લક્ષ અભાવાત. પછી સ્વલક્ષ સ્વભાવાત એમ લખ્યું નથી એમાં. (શ્રોતા - વાત તો સાચી છે આપની) એટલું જ લખ્યું છે. પણ પરના લક્ષે ન થાય એટલે કે સ્વના લક્ષે થાય આ એટલું અંદરમાં આવ્યું પછી કહે કે, ઈ પછી લેશું આપણે. (શ્રોતા :- આ એવી વાત થઈ કે એકવાર ભાઈસાબના પ્રવચનમાં આવ્યું કે રાગ પરદ્રવ્ય
Page #72
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૫૮ નથી કરાવતું તો એ કોને કીધું કે આત્મા રાગને કરે છે) આ કોણે કીધું. આનો એ અર્થ તો નથી નીકળતો. (શ્રોતા :- જેમ કર્મના ઉદયથી રાગ થતો નથી તો આત્માથી થાય છે તેમ કોણે કીધું? એટલે પર્યાય પર્યાયથી થાય છે. જેમ કર્મથી થતી નથી એમ આત્માથી પણ થતી નથી.)
હા. એમ બરાબર છે બસ. એ રીતે આ વાત છે. સતુ અહેતુક છે. જૈનદર્શન મસ્તક આપણું નમી જાય ને આપણા ભાગ્યમાં આવી ગયું આ. ભાગ્યશાળી કે આ આપણને આવા શાસ્ત્રો મળ્યા. તમે તો કુળમાં જન્મેલા તમે તો નામેય સાંભળ્યું હશે. મારા એક મિત્રએ કહ્યું મને કે “સમયસાર” કાનજીસ્વામી બહુ વાંચે છે. કોણ કાનજી સ્વામી? કે સ્થાનકવાસી હતા અને પછી દિક્ષા છોડીને હવે સમયસાર વાંચે છે. સમયસાર શાસ્ત્રનું તો ક્યાંય નામ સાંભળ્યું નથી. અમારામાં કલ્પસૂત્ર અને ભગવતી ને બધું આવે છે. સમયસાર શાસ્ત્ર છે? પછી સમયસાર બતાવ્યું મને. ઘણાં વર્ષો પહેલાં ઘણો વખત થયો અહિંયા.
હું ત્યારે વેરાવળ રહેતો હતો. બહુ વર્ષો પહેલાં લગભગ સમજોને પંચાવન વર્ષ પહેલાની વાત છે. લગભગ સાંઈઠ વર્ષ પહેલાની ત્યારે તો દિગંબર ધર્મ છે એમ પહેલું સાંભળ્યું. મને કહે ત્રણ ફિરકા છે, મેં કીધું શું કહો છો? તો કહે કે હા ત્રણ. એટલે અમે તો ત્યાં જન્મેલાને વાત જ નહતી. અમે તો વેરાવળ ખૂણામાં હતા. તે બંદર છે. જુનાગઢથી આગળ, જુનાગઢથી ત્રણેક કલાકનો રસ્તો છે, ટ્રેન છે એક જાય છે ત્યાંથી પ્રભાસપાટણને એ છે ને સોમનાથ. જનમ લીંબુડામાં. બહુ પહેલા પર્યાય પલટીને પિતાજીની એટલે આફ્રિકા ગયા. જનમ તો અમારો ત્યાં જ અને પિતાજી આફ્રિકા ગયા પછી મુંબઈ પેઢી કરી પછી કાપડની દુકાન બંધ કરી, વેરાવળમાં દુકાન કરી. સમજી ગયા. એવા એવા પલટા આવી ગયા. હું ધોરાજી ભણતો હતો દાદીમાની સાથે. મારા પિતાજીના પિતા અને પિતાજીની માતા છે અને એક હું ત્રણ બસ ત્રણ. હું અભ્યાસ ત્યાં કરતો હતો. પર્યાયના બહુ પલ્ટા આવ્યા. પર્યાય તો પલટે જ ને એનો સ્વભાવ છે. સ્વભાવ છે.
અતત બરાબર વાંચો ઓગણપચાસમો શ્લોક આપણે આ બે શ્લોક વાંચી અને પછી ઓલ લેશું. તતુ અતના એ બે બોલ, તત અતતુના બે બોલ, એમ જ કરીશું ને પૂરું થઈ ગયું એક વિષય બોલો.
હવે ૪૯ મો શ્લોક. વાંચો. આપણે આ બે શ્લોક વાંચીને પછી ઓલુ લેશું. તત અતના આ બે બોલ અને તત્ અતના ઓલા બે બોલ એમ કરશું એટલે એક વિષય પૂરો થઈ જશે.
Page #73
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૫૯
(શારીડિત) विश्वं ज्ञानमिति प्रतळ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशु: पशुरिव स्वच्छन्दमाचेष्टते । यत्तत्तत्पररुपतो न तदिति स्याद्वाददर्शी पुन
विश्वाद्विन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९॥ શ્લોકાર્થઃ- (પશુ:) પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, (‘વિષ્ય જ્ઞાનન’ તિ પ્રત) વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થો આત્મા છે)” એમ વિચારીને (સવ તસ્વ-ભાશયાણા) સર્વને (-સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને (વિશ્વના:
વા) વિશ્વમય (-સમસ્ત જ્ઞયપદાર્થમય) થઈને, (૫: પુત્ર વિશ્વન બાત) ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે; (પુન:) અને (ચાલશ) સ્યાદ્વાદદર્શી તો (-સ્યાદ્વાદનો દેખનાર તો), (‘યત તત સત પરરુપત: તત્ત’ તિ) “જે તત્ છે તે પરરૂપથી તતુ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તપણું હોવા છતાં પરરૂપથી અતાણું છે)” એમ માનતો હોવાથી (મ્બિર મન વિશ્વ-વિશ્વરિત) વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત શેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન એવા (તચસ્વતરરંપૂરા) પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
ભાવાર્થ - એકાંતવાદી એમ માને છે કે-વિશ્વ (-સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેકવિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતસ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, પરંતુ પર શેયોના સ્વરૂપથી અતસ્વરૂપ છે અર્થાત્ પર શેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો. ૨૪૯
શ્લોકાર્થ :- પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી. આહાહા ! જુઓ-સર્વથા એકાંતવાદી અજ્ઞાની વિશ્વ જ્ઞાન છે અર્થાત સર્વ જ્ઞેય પદાર્થો આત્મા છે એટલે આખો આત્માયે ગયો દ્રવ્ય ગુણ પર્યાયવાળું આખું પ્રમાણનું દ્રવ્ય વહી ગયું. (શ્રોતા :- કેમકે પરદ્રવ્યરૂપ પોતાને માન્યું.) જો ખડી ભીંતને સફેદ કરે તેમ માને તો ખડી ગાયબ થઈ ગઈ તેનો વિચ્છેદ થઈ ગયો. તેમ હું પરને જાણું છું તેમાં આત્માનો નાશ થઈ ગયો. આ વાત એ સેટીકાની ગાથામાં
Page #74
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
છે. સેટીકામાં લીધું છે કે હું પરને જાણું છું તે તો પ્રમાણથી બહાર ગયો. તેમાં પ્રમાણ ક્યાં રહ્યું ? આ અમારી જગ્યા તો મોર્ડન ગુફા જેવી છે.
જો આ આવ્યું ને પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની છે તે કહે છે કે હું પરને જાણું છું. વિશ્વ જ્ઞાન છે અર્થાત્ સર્વ શેય પદાર્થો આત્મા છે તેથી ભેદજ્ઞાન ન થયું ને પ્રમાણની બહાર ગયો. પ્રમાણની બહાર ગયો એટલે બે દ્રવ્યની એકતા થઈને જ્ઞેય જ્ઞાયકનો સંકરદોષ થઈ ગયો. એમ વિચારીને સર્વને સમસ્ત વિશ્વને નિજતત્ત્વની આશાથી દેખીને આ બધું હું છું, આ બધું મારું છે. આ બધું દેખાય છે ને તે મારું છે તેમ માન્યું. દેખનાર જુદો અને દેખાય જુદું તેમ ન આવ્યું. નિજ તત્ત્વની આશાથી દેખીને વિશ્વમય સમસ્ત જ્ઞેય પદાર્થમય થઈને ઢોરની માફક, જ્ઞાન તેનું બિડાઈ ગયું.
બેન, આ સાધારણ ભૂલ નથી. જે જીવ હું પરને જાણું છું તેવા પક્ષમાં છે, પોતાને જાણતાં પર જણાય તે જુદો વિષય તે અલગ વાત છે. એ વાત આપણે લીધી'તી હિંમતનગરમાં. કે જ્ઞાનભવનમાત્ર જે અવસ્થા જ્ઞાતાદષ્ટા તેનો ત્યાગ કરીને આ રાગાદિ ક્રિયા હું કરું છું તેમ પ્રતિભાસે છે તો ખલાસ થઈ ગયું. આ અગ્રહિત મિથ્યાત્વ છે. અગ્રહિત મિથ્યાત્વ જાવું બહુ મુશ્કેલ છે. ગ્રહિત તો જાય, કુદેવ કુગુરુને દેવી દેવલાને પગે લાગતો હોય તે તો શલ્ય નીકળી જાય પણ આ શલ્ય હું પરને જાણું છું તે નીકળવું મુશ્કેલ છે. તેમાં આખો સ્વ ચૂકાઈ ગયો.
પહેલા એમ કહેતો હોય કે સ્વને જાણતાં ૫૨ જણાઈ જાય, ભલે મિથ્યાદષ્ટિ હોય તેનો કાંઈ વાંધો નહીં પણ તેણે આત્માને વિચારકોટિમાં રાખ્યો છે. જ્ઞાનભવનમાત્ર ઉદાસીન અવસ્થા જ્ઞાતાદૃષ્ટાનો ત્યાગ કરી દીધો. અને પરને કરું છું ને પરને જાણું છું તેમ માન્યું. પશુ લખવાનો પણ હેતુ છે, એને કોણ બચાવી શકે. દિકરા-દીકરી હોય તેને કોઈ બચાવી શકે નહીં. ઊંધી માન્યતા હોય તે ફેરવે તો બચે. બાકી તો ઊંધી માન્યતા લઈને જાય. પ્રેમચંદજી બહુ કહે છે જ્યારે મળે ત્યારે પહેલો શબ્દ તેમનો હોય કે તમે અમને બચાવી લીધા.
પરને જાણવાનો નિષેધ કરે ત્યારે જાણનાર જણાઈ જાય છે. તેમાં તારું હિત છે અને પછી ૫૨ જણાય તે વ્યવહાર કહેવાય તે જુદી વાત છે.
નિજતત્ત્વની આશાથી દેખીને વિશ્વમય (-સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે, વર્તે છે અને સ્યાદ્વાદદર્શી તો સ્યાદ્વાદનો દેખનાર તો ‘જે તત્ છે તે પર રૂપથી તત્ નથી’, ઓમાં એમ આવ્યું હતું કે જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે એટલું લીધું હતું તેમાં, અને આમાં અસ્તિ નાસ્તિ અનેકાંત ભેળવ્યું. શું કામ ભેળવ્યું? કેમકે ઓનો
{ @>
Page #75
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત નિષેધ કરવો છે. એમાં તો એકલી અસ્તિ લીધી હતી. આમાં એમ કહે છે કે જે તત્ છે તે તતની સિદ્ધિ ક્યારે થાય? કે તે પરરૂપથી તતુ નથી અતત્ છે ત્યારે એક તની સિદ્ધિ થાય. જ્ઞાન જ્ઞાનથી છે ને શેયથી નથી. અનેકાંત અમૃત છે હો ! અમૃત છે આ. અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તપણું હોવા છતાં પરરૂપથી અતપણું છે. છએય દ્રવ્યો લઈ લેવા. સ્વરૂપે સતા અને પરરૂપે અસતા એવા બે ભાવ વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. સૂત્ર છે ઈ.
તે પરરૂપથી તત્ નથી અર્થાત્ દરેક વસ્તુ દરેક તત્ત્વના સ્વરૂપથી તપણું-તેપણું, તપણું એટલે તેપણું, પોતાપણું હોવા છતાં પરરૂપથી અતપણું છે તેમ માનતો હોવાથી વિશ્વથી ભિન્ન એવા, વિશ્વ ભલે જણાય, તો તેનાથી મારું જ્ઞાન ભિન્ન છે. વિશ્વથી ભિન્ન એવા વિશ્વના નિમિત્તથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહીં એવા આ અર્થાત્ સમસ્ત શેય વસ્તુઓના આકારે થવા છતાં જો જ્ઞાનની પર્યાય જોયાકાર થાય છે પણ શેયરૂપ જ્ઞાન નથી થતું, તે પરમ છે.
શેયાકારે અહીંયા જ્ઞાન થાય છે પણ શેયો અહીંયા જ્ઞાનમાં આવતાં નથી. અતતું સ્વરૂપે છે. શેયાકાર તો જ્ઞાનની પર્યાય છે, ઈ તો આત્મા છે. ઈ જોય નથી. (શ્રોતા :જોયાકારોને જોઈને જોય મારામાં આવી ગયા તે ભ્રાંતિ થાય છે.) હું જાણે શેયરૂપ છું તેમ ભ્રાંતિ થાય છે અને શેયથી જ્ઞાન થાય છે તેવી ભ્રાંતિ થાય છે. રાગ જણાતાં હું રાગી, દુ:ખ જણાતાં હું દુ:ખી, તેવી ભ્રાંતિ થાય છે. દુઃખ તો તને જણાય છે. દુઃખ જણાય તેથી દુઃખ તારામાં ક્યાં આવી ગયું છે. હું દુઃખને ભોગવું છું તે તારી મૂઢતા છે. દુઃખને ક્યારે ભોગવે કે દુઃખરૂપ આત્મા થાય તો, ઈ તો અતરૂપ છે. દુઃખની તારામાં નાસ્તિ છે. તને દુઃખનું વેદન ક્યાંથી આવ્યું? દુઃખ જણાય છે તેવું જ્ઞાન થાય છે તે બરાબર છે. અહીંયા એટલો વાંધો નથી કોઈ જાતનો. (શ્રોતા :- ઈ તો જ્ઞાની છે એને ક્યાં દુઃખ છે?) હા.
વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નથી થયો. અર્થાત્ સમસ્ત શેયવસ્તુઓનાં આકારે થવા છતાં સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન એવા પોતાના નિજ તત્ત્વને સ્પર્શે છે, અનુભવે છે.
જોયાકાર જ્ઞાન થયું પણ શેયરૂપ ન થયું. જોયો નિમિત્ત છે પણ તે નિમિત્ત ઉપાદાન નથી થતું. ઉપાદાન તો જ્ઞાન છે અને ઓલું નિમિત્ત છે. જ્ઞાન તે ઉપાદાન અને વિશ્વ તે નિમિત્તમાત્ર છે. (શ્રોતા :- ઉપાદાનમાં નિમિત્તની નાસ્તિ છે) હા. એમાં નાસ્તિ છે. એને નિમિત્તથી આંહી જ્ઞાન નથી થયું. નિમિત્ત તો અતરૂપે છે. સમસ્ત વસ્તુથી ભિન્ન એવા પોતાના
Page #76
--------------------------------------------------------------------------
________________
૬ ર.
અનેકાંત અમૃત નિજ તત્ત્વને સ્પર્શે છે, અનુભવે છે. લ્યો આ સ્યાદ્વાદી તો પોતાના જ્ઞાનને અનુભવે છે કે જે જ્ઞાનમાં વિશ્વની નાસ્તિ છે. - વિશ્વ આકારે થયેલું જ્ઞાન વિશ્વરૂપ થતું નથી. વિશ્વરૂપે વિશ્વના આકારે થયેલું જ્ઞાન પણ વિશ્વરૂપ થતું નથી. આહાહા ! (શ્રોતા :- પ્રતિબિંબો બિંબરૂપ થતા નથી) પ્રતિબિંબ બિંબરૂપે થતા નથી. બસ એ જ મર્મ છે. પ્રતિબિંબ તો જ્ઞાનની પર્યાય છે ઈ બિંબની ક્યાં પર્યાય છે? સ્ફટિકમણીની સ્વચ્છ પર્યાય છે, ઈ પર્યાય ફૂલની ક્યાં છે? ઈ પર્યાય ફૂલની નથી, ફૂલ તો બિંબ છે. લાલ પીળી ઝાંય દેખાણી ઈ તો તેની સ્વચ્છતાનું ઘાતક છે. ઈ એમ નથી કહેતું કે આ સ્ફટિકમણી લાલ થઈ ગયું એમ છે જ નહીં. પણ અસ્તિ નાસ્તિ અનેકાંત છે. ફૂલનો ભાવ જ્ઞાનની પર્યાયમાં ક્યાંથી ગરી જાય? ભેદજ્ઞાનનો અભાવ છે અને એકતા થાય છે બસ.
ભાવાર્થ :- એકાંતવાદી એમ માને છે કે વિશ્વ એટલે સમસ્ત વસ્તુઓ જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. પોતાને ભૂલી ગયો ને એટલે પર પોતારૂપે જ ભાસે. પોતાને ભૂલે અને પોતાના અસ્તિત્વમાં શ્રદ્ધા ન સ્થાપી તો પર જણાય તે શ્રદ્ધાનો વિષય થાય અને જાણેલાનું શ્રદ્ધાન થયા વગર રહે નહીં. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, જો વિશ્વ સાથે એકતા કરીને, પોતાને વિશ્વમય માનીને એકાંતવાદી ઢોરની જેમ હેયઉપાદેયના વિવેક વિના. આહાહા ! વિશ્વ છે તે હેય છે. આત્મા છે તે ઉપાદેય છે. આવું હેય ઉપાદેયનું કે
સ્વપરનું કાંઈ ભાન નથી. પોતાને જાણતો નથી ઈ પરને સમ્યફ પ્રકારે જાણી શકતો નથી. હેયઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્વછંદ એટલે મિથ્યાદૃષ્ટિ.
સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપે છે તે જ વસ્તુ આત્મા જ પરના સ્વરૂપથી અતનું સ્વરૂપે છે. એટલે કે પરરૂપે નથી. પર જણાય તો પણ પરરૂપે ન થાય તેમ કહેવાનો આશય છે. પર જણાય છે તેનો નિષેધ નથી. પણ પરરૂપે તું નથી તેનો નિષેધ કરે છે. માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્ સ્વરૂપ છે, પરંતુ પર શેયોના સ્વરૂપથી અતત્ સ્વરૂપ છે. અર્થાત્ પર શેયોના આકારે થવા છતાં તેનાથી ભિન્ન છે. આહાહા !
અહીંયા પરનો આકાર થાય તમે કહ્યું ને ત્યાં બિંબ છે અહીંયા પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબની સાથે તો અભિન્ન છે આત્મા અને બિંબની સાથે ભિન્નતા છે એમ કહે છે. પ્રતિબિંબમાં પણ ઈ ઝળકે છે એમ. પ્રતિબંબનો અર્થ એવો નથી કે જે બિંબ છે લાલફૂલ તેવું અહીંયા લાલ થાય છે, તેનું નામ પ્રતિબિંબ નથી. જેવો પદાર્થ હોય જોય તેવું જ્ઞાનમાં ઝળકે
Page #77
--------------------------------------------------------------------------
________________
૬ ૩
અનેકાંત અમૃત
@
તેનું નામ પ્રતિબિંબ છે. બિંબ લાલ હોય તો જ્ઞાન લાલ ન થઈ જાય. તો તો પછી જ્ઞાન જ ક્યાં રહ્યું ? એકતા થઈ ગઈ. અતપણું છે એ રૂપે નથી, તેના જ્ઞાનરૂપે છે. અત્યારે લાલ ફૂલ છે, પીળું ફૂલ છે, તે સ્ફટિકમણીમાં ઝળકે અને પરિક્ષક જાણે છે એટલે અપરિક્ષક છે ઈ એમ કહે છે કે લાલ થઈ ગયું. સ્ફટિકમણી લાલ છે તેમ તેને ભાસે છે. ભ્રાંતિ છે ભ્રાંતિ. આહાહા !
કર્મકૃત મિથ્યાત્વ આદિના જ્ઞાન સમયે જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે જ્ઞેયને અને રાગને પોતાનો માને છે. બહુ સમયસારે આપ્યું છે. ઢગલો આપ્યો છે પર્યાયના ષટ્કારક, પર્યાય તો સત્ અહેતુક છે, એ તો ઊંચા પ્રકારની વાત છે. જે હમણાં યુગલજીએ કહ્યું ને કે જ્ઞાનની પર્યાય એવી છે જેને કોઈ વિષય નથી તે નિર્વિષય છે. જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે અને પરને જાણે છે માટે જ્ઞાન છે તેમ નહીં. જ્ઞાન તો જ્ઞાનથી છે.
એમણે કહ્યું પછી આપણે અત્યારે બેઠા છીએ એટલે આ બોલાય બાકી સમાજમાં આ ન ચાલે. તમારી સાથે વાત કરું છું. સમાજમાં ન ચાલે. જ્ઞાન નિર્વિષયી છે એ એમનો શબ્દ છે. એને અસત્ લક્ષણ કહ્યું ને ? મૂળમાં અસત્ લક્ષણ કહ્યું છે. કારણ કે પ્રમાણથી સ્વપરપ્રકાશક છે ને. વ્યવસાયાત્મક જ્ઞાન તે પ્રમાણથી વાત કરી છે. આ કુંદકુંદભગવાનની ગાથા તેમાં જે જ્ઞાન તે પ્રમાણથી વાત કરી, ઈ વાત કહે છે કે જ્ઞાનની પર્યાયનું જે લક્ષણ અસત્ છે તે લક્ષણ યોગ્ય નથી. અસત્ છે. મૂળમાં સંસ્કૃતમાં છે એટલે સાચું લક્ષણ નથી.
જેમ ઓલું સ્વપરપ્રકાશક લક્ષણ તેમાં અતિવ્યાપ્તિનો દોષ આવે તેમ આ પર્યાય છે તે આત્માથી થતી નથી, પરથી તો થાય જ નહીં. કેમકે આત્મા તો પ્રથમથી જ હતો. તો કેમ જ્ઞાન પ્રગટ ન થયું? જ્ઞાન જ્ઞાનથી થાય છે ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર છે, એટલે આત્માથી આત્માનું જ્ઞાન થયું તેવો ઉપચાર ને વ્યવહાર છે.
એ વિશે વિચાર આવ્યો થોડોક કે ઓલું અસદ્ભૂત વ્યવહારમાં પરથી ઉપચાર અને અભેદમાં ઉપચાર નહીં પણ વ્યવહાર. સમજી ગયા ! એના વિચારો પણ આવ્યા. (શ્રોતાઃએમાં આપે કહ્યું’તું રાકેશ શાસ્ત્રીનું) હા એમાં છે. ભેદ અને ઉપચાર એવા બે અર્થ કર્યા છે બે અર્થ કર્યા છે. એક સદ્ભુત વ્યવહાર ને એક અસદ્ભૂતનો. હાં આપણે ઉપચારની વાત કરી એ નિર્મળ પર્યાયનો પણ ઉપચારથી કર્તા છે ઈ પણ બરાબર નથી. વ્યવહારે કર્તા છે એમ નહીં ઉપચારથી પણ કર્તા નથી. ઉપચારથી કર્તા છે હજી, ઉપચારથી કર્તા નથી. ઉપચાર લીધું. ઉપચાર લીધું એમ મારું કેવું ઈ. ત્યાં વ્યવહાર નથી લીધો સદ્ભુત વ્યવહાર. એટલે આ વિચાર કરશું આપણે ઉપચાર શબ્દ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. (શ્રોતા :- દૃષ્ટિના
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૪
અનેકાંત અમૃત વિષયમાં તો અસબૂત જ છે ને)
અસભૂત છે ને એવું જોવો, છે. બસ. બસ. છે ને એ થાય નાસ્તિ છે કે નહીં. નાસ્તિ નાસ્તિ. નાસ્તિ છે તો ક્યાંથી કરે છે તો ઉપચારથી કરે છે. પરિણામ પરિણામને કરે છે અને દ્રવ્ય કરે છે એ તો ઉપચાર થઈ ગયોને, થઈ ગયો. પરિણામ પરિણામને કરે અને દ્રવ્ય પણ કરે એમ એક ભાવના બે કર્તા ન હોય. ચાલો આપણે તો આપણો સ્વાધ્યાય કરીએ.
એકલો આવ્યો અને એકલો જાય. હે! એકલો બંધાય ને એકલો મૂકાય, એકલો ચાર ગતિમાં રખડે અને એકલો મોક્ષમાં બિરાજમાન થાય. અને જો કે આ વિષય સમજાવવાથી કોઈ સમજે એવું નથી. એની યોગ્યતા હોય એની પાછળ પડે તો સમજાય. અમે તો આની પાછળ પડ્યા'તા નાની ઉંમરેથી સાંઈઠ વરસથી સ્વાધ્યાય કરીએ છીએ. કેટલા? સાંઈઠ વરસ. એકવીસ વરસની ઉંમરથી શ્રીમદ્ રાજચંદ્રજી હાથમાં આવ્યું ત્યારથી. ઓહોહોહો ! આપણે આ કાંઈક કરીએ છીએ, પણ શ્રીમદ્ કહે છે ઈ બરાબર છે. એમ અંદરથી પરોક્ષપણે એના પ્રત્યે ખૂબ બહુમાન આવ્યું. જ્ઞાનીનું વચન હતું ને મૂળ તો, એમ. એટલે સત. પણ એટલું કાંઈ સમજીએ નહીં અમે. એ વખતે જ્ઞાનનો ઉઘાડ એટલો નહીં, પણ એટલો આંતરો પડી ગયો. એ કાંઈ સાધારણ વાત ન હતી. એમાંથી શોધ ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ હોં, એમાંથી શોધ ચાલુ થઈ.
ઓલો એક ગાર્ડ છે ગાર્ડ, સમજી ગયા ! ગાર્ડી જૈન છે લાખો કરોડો રૂપિયાનું દાન આપે છે. એનું કારણ છે કે તેને જમીનોમાંથી અબજો રૂપિયાની જમીન અબજોની કિંમત થઈ ગઈ. એટલે હવે ગામો તે દત્તક લે છે ગામના ગામ. અને ઈ ગામને બધું જેટલું જોઈએ એટલું પૈસા રસ્તા, નિશાળો, હોસ્પિટલ બધું કરાવી ઠે. ઈ લંડનમાં મળ્યાં'તા. મને જમવાનું કહ્યું. મને કહે અમને શાસ્ત્ર વાંચવાનો ટાઈમ નથી. તમે કેટલા વર્ષથી અભ્યાસ કરો છો? મેં કહ્યું પચાસ વર્ષથી. ઈ વખતે પચાસ થયા'તાં લંડનમાં. બસ મને કહે પચાસ વર્ષના અભ્યાસનો નિચોડ કહી દો એટલે અમારે વાંચવું નહીં. તૈયાર માલ મળી ગયો. એવો હુશિયાર, એડવોકેટ છે ઈ વકિલ મોટી ઉંમરના છે. પાંસઠ વર્ષના હશે. (શ્રોતા :પછી આપે શું આપ્યું પચાસ વર્ષનો નિચોડ) ભેદજ્ઞાન. શુભભાવથી પુન્યથી ધર્મ થાય નહીં. આ વાત ઝીણી તો કાંઈ કરાય નહીં. આત્માનો અનુભવ થાય ત્યારે ધર્મ થાય. ત્યારે છુટે. મોટો માણસ એટલે લોકો બહુમાન કરે માન પત્ર આપે. ઓહોહો ! મોટા માણસ તો આપની પાસે જ આવે ને. બિચારો, પ્રેમથી જમવા બોલાવ્યા
ભટ્ટારકને, એને ગમે તે પ્રકારે ખ્યાલ આવ્યો, એને કંઈ ખ્યાલ આવ્યો, ક્યાંક ખ્યાલ
Page #79
--------------------------------------------------------------------------
________________
૫
અનેકાંત અમૃત
આવ્યો. બહુ આકર્ષણ ભાઈ ! બહુ આકર્ષણ, ઈ કહે બહારગામ જાઉં છું તમારી યાદ જ રહ્યા કરે. ગમે ત્યાં જાઉં ભૂલાતું નથી. તમે ભુલાતા નથી બોલો. પણ બહારગામથી આવ્યા સવારે તરત જ આવી ગયા. આવ્યા સવારે સાત વાગે તો હાજર થઈ ગયા. હાજર થઈ ગયા, ઈ. બહુ યાદ આવતી'તી આપની. એટલે એટલો ટાઈમ ચાલો એના માટે સારું પણ આપણે તો શું લેવા દેવા.
ટીકા :- દ્રવ્ય પર્યાય સ્વરૂપ એમાં ક્યાંય કરવાની વાત નહીં આવે. જ્ઞાન છે ને જ્ઞાનમાં કરવાનું હોતું જ નથી. (શ્રોતા :- ક૨વાની વાત નહીં આવે) દ્રવ્યનું સ્વરૂપ આવું છે ને પર્યાયનું સ્વરૂપ આવું છે. બસ. કેમકે આત્મા અકર્તા છે, જ્ઞાતા છે ને અને જ્ઞાતા થઈ ગયા પછીની વાત છે આ. એમાં કરવાની વાત ક્યાંથી આવે ? એટલો વિચાર કરે તો કર્તાબુદ્ધિ છૂટી જાય. સ્યાદ્વાદ અધિકાર વાંચે તો ય, સમજાણું ? કર્તાબુદ્ધિ છોડીને આવે તો જ આ અધિકારમાં પ્રવેશ છે. અધિકાર બહુ સારો છે. અમૃત છે અનેકાંત.
Page #80
--------------------------------------------------------------------------
________________
૬ ૬
અનેકાંત અમૃત
નવિભાગ - ૨ સળંગ પ્રવચન નં -૫
તા. ૧-૮-૯૦
જીવતત્ત્વ સામાન્ય એ અબદ્ધતત્ત્વ છે, ત્રિકાળ મુક્ત છે. એને કર્મનો સંબંધ થતો નથી. અને એ કર્મના ઉદયમાં કોઈ કાળે જોડાતો નથી. એ તો પરમાત્મા પરમાત્માપણે કાયમ માટે આત્મા બિરાજમાન છે. હવે એને એક સામાન્ય ઉપયોગ પ્રગટ થાય છે એ ઉપયોગ પણ એક અપેક્ષાએ શુદ્ધ છે અને એક અપેક્ષાએ સ્વચ્છ પણ છે. અત્યારે આપણે સ્વચ્છની મુખ્યતાથી વાત લઈએ છીએ. શુદ્ધ એટલા માટે છે કે કોઈ કાળે એને કર્મનો સંબંધ થયો નથી. જેમ જીવને થયો નથી એમ સામાન્ય ઉપયોગ થયો નથી. માટે તે અપેક્ષાએ તેને શુદ્ધ પણ કહેવામાં આવે છે. - હવે એ ઉપયોગ છે બીજા બોલમાં. પહેલો જ્ઞાયકભાવ છે, બીજો ઉપયોગ પ્રગટ થાય છે સામાન્ય, એમાં જાણવું જાણવું જાણવું જ, કોને જાણવું અને કોને ન જાણવું એ એમાં નથી. એમાં બે ક્રિયા છે. જાણે પણ છે અને પરિણમે પણ છે એવી બે ક્રિયા તેને સમય કહેવામાં આવે છે. હવે આ બે વાત થઈ.
હવે એક ત્રીજી વાત છે એમાં, કે એ ઉપયોગ પ્રગટ થાય છે. એમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે, સમયે સમયે પ્રતિભાસ થવા છતાં પણ એ તો અનાદિ અનંત ઉપયોગ જેવો છે તેવો જ છે, શુદ્ધ નિર્મળ છે. એમાં કોઈપણ પ્રકારનો ડાઘ આવતો નથી. અથવા શેયકૃત અશુદ્ધતા એને લાગુ પડતી નથી. એ તો પ્રતિભાસ થાય છે પરપદાર્થનો એની સ્વચ્છતામાં. એ ત્રીજો બોલ છે.
સ્વ અને પર એમાં સ્વપરની વ્યાખ્યા કરતાં કુંદકુંદ ભગવાન એમ કહે છે કે અર્થવિકલ્પ જ્ઞાનમ્ પ્રમાણમ્ - અર્થ એટલે સ્વ અને પર એના વિભાગપૂર્વક આખું જે વિશ્વ એના આકારોનું એટલે એના સ્વરૂપનું જે અવભાસન એટલે પ્રતિભાસ થાય છે, તેનું નામ જ્ઞાન છે. આ ત્રીજો બોલ છે.
એક જ્ઞાયકભાવ છે, ઉપયોગ પ્રગટ થાય છે અને એ ઉપયોગમાં પોતાનો આત્મા, પોતાનો આત્મા કેવો જણાય છે? જણાય છે એટલે કે પ્રતિભાસ થાય છે કે પોતાના આત્માની ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણકાળની પર્યાય સહિતનો આત્મા એમાં પ્રતિભાસ થઈ ગયો છે. નિગોદના પરિણામ પણ પ્રતિભાસે છે. સાધક થવાનો છે એના પરિણામ પ્રતિભાસે અત્યારે અને મોક્ષની પર્યાય થવાની છે એનોય પ્રતિભાસ અત્યારે થાય છે. એમ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬
૭
અનેકાંત અમૃત ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનો પોતાનો આત્મા વર્તમાન જે ઉપયોગ પ્રગટ થાય છે ત્રીજા નંબરની વાત કરી, એમાં પ્રતિભાસ થાય છે. અવભાસન થાય છે ઝલકે છે.
આ ત્રણ પ્રકાર છે એ સ્વભાવભૂત છે. આ ત્રણેય પ્રકાર છે એ સ્વભાવભૂત છે વિભાવભૂત નથી. સમજી ગયા. પરનો પ્રતિભાસ થાય છે તો પણ એમાં મલિનતા કિંચિત્માત્ર પણ આવતી નથી. પણ એ પ્રતિભાસ થાય છે. મિથ્યાત્વાદિ પરિણામોનો પ્રતિભાસ થાય છે. સમ્યક્દર્શનનો પણ પ્રતિભાસ થાય છે, મોક્ષનો પણ પ્રતિભાસ થાય છે. પણ એ જે સાપેક્ષ પરિણામ છે એનો માત્ર પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે એની સ્વચ્છતામાં પણ એ ભાવો સ્વાંગ છે. એ સ્વભાવભૂત નથી.
જેનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એ સ્વચ્છતા એ તો જ્ઞાનની પર્યાય છે. એ કાંઈ મિથ્યાત્વની પર્યાય નથી. નિગોદમાં હતો ત્યારે મિથ્યાત્વ હતું, તો પણ મિથ્યાત્વના પરિણામ છે ભૂતકાળમાં ગયા એનો પ્રતિભાસ રહી ગયો, મિથ્યાત્વ તો વધુ ગયું-મિથ્યાત્વ તો રહેતું નથી પણ એનો પ્રતિભાસ રહી જાય છે. એવી રીતે સાધક એવી રીતે પરમાત્મા. બધાનો પ્રતિભાસ અત્યારે એમાં થઈ ગયો છે. નવો કાંઈ થવાનો છે જ નહિ. એટલે એમાં ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ થાય છે. આત્મા અકર્તા છે એમ પણ એમાં સિદ્ધિ થાય છે. કોઈ પરિણામને કોઈ જીવ ફેરવી શકતો નથી. નિશ્ચિત છે પરિણામ. જે કાળે જે સમયે જે દ્રવ્યની જે ક્ષેત્રે જેમ થવાનું હોય પોતાના પરિણામ થયા જ કરે છે. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે, આ સ્થિતિ છે. - હવે જે બે પ્રકારના પ્રતિભાસ થાય છે એમાં એક જીવની મેં વાત કરી. એમ બીજા જીવો અનંતા છે. એ અનંતા જીવો એકેક જીવની ભૂત-ભવિષ્યની વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતનું દ્રવ્ય એવા અનંતા દ્રવ્યો જીવના, એ પણ પ્રતિભાસ થઈ ચૂક્યો છે અત્યારે, નવો થતો નથી કાંઈ-નવું થવાનું જ નથી કાંઈ-થઈ ગયું છે. થઈ ગયું છે, એને થઈ રહ્યું છે એમ પણ કહેવાય. પણ થઈ ગયું છે, કાંઈ નવું થવાનું નથી. એવી રીતે અનંતા જીવો એકેક પરમાણું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ-છયે દ્રવ્યના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતના દ્રવ્યો. વર્તમાન જે ઉપયોગ છે પ્રગટ થાય છે એમાં એનો પ્રતિભાસ થઈ ગયો છે અત્યારે એનું નામ આખું વિશ્વ કહેવાય છે. - સ્વ અને પર પદાર્થો એના વિભાગપૂર્વક જેમ છે તેમ જ્ઞાનમાં પ્રતિભાસ થઈ ગયો છે. જ્ઞાયકભાવ એક છે એનો ઉપયોગ પણ એકાકાર એક છે. એકાકાર હોવા છતાં પ્રતિભાસની અપેક્ષાએ અનેકાકાર પણ કહેવામાં આવે છે. અનેકાકાર કહેવામાં આવે છે છતાં અનેકાકાર
Page #82
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત ઉપયોગ થયો નથી એ તો એકાકારપણું છૂટતું નથી એમાં-એવો ઉપયોગ છે. - હવે એ ઉપયોગ છે. એ ઉપયોગને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. બે પ્રકારના જોયો એમાં પ્રતિભાસે છે. માટે એને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. આત્મ આકાર જ્ઞાન ને જ્ઞાયકાકારજ્ઞાન એમ નહીં, જોયાકાર જ્ઞાન નામ છે પર્યાયનું હજી. એક સમયની પર્યાયમાં બે પ્રકારના પ્રતિભાસ થાય છે, એનો હવે શાસ્ત્રનો આધાર આપીને હું તમને સમજાવીશકે બે પ્રકારના પ્રતિભાસ થાય છે જડ ચેતન બધા-કોઈ બાકી નથી વિશ્વમાં.
જેમ સર્વજ્ઞ ભગવાન ત્રિકાળવેતા છે. ત્રણકાળના દ્રવ્ય, ગુણ, પર્યાયને સમયમાત્રમાં યુગપ જાણે દેખે છે. કેવળી ભગવાન જાણે દેખે છે, એમ સાધકનો જીવ હોય, નિગોદનો જીવ હોય કે અભવીનો જીવ હોય તેના ઉપયોગમાં જેમ સર્વજ્ઞ ભગવાનમાં પ્રતિભાસે છે તેમ બધું પ્રતિભાસે છે. જેટલું કેવળજ્ઞાનમાં પ્રતિભાસે છે, દેખાય છે, જણાય છે એને પ્રત્યક્ષ, એટલાં જ ભાવો સહિતના દ્રવ્યો બધા જીવોમાં પ્રતિભાસ થઈ રહ્યો છે. કાંઈ હિણું અધિક ઓછું કાંઈ છે જ નહિ, પ્રતિભાસની અપેક્ષાએ. એનું નામ શેયાકાર જ્ઞાન છે.
હવે જોયાકાર જ્ઞાન તો બધાને પ્રગટ થાય છે સમયે સમયે અહીંયા પુરુષાર્થ છે. એ શેયાકાર જ્ઞાનનું નામ સમ્યજ્ઞાન નથી. મિથ્યાજ્ઞાન નથી. એનું નામ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન નથી. એ જ્ઞાનનું નામ કુમતિ-કુશ્રુત-કુઅવધિ કાંઈ છે જ નહિં. એ તો ઉપયોગ ઉપયોગ ઉપયોગ ઉપયોગ જાણવું જાણવું જાણવું જાણવું કોને જાણવું અને કોને ન જાણવું એમાં એનો પ્રશ્ન કાંઈ છે જ નહિ. (શ્રોતા :- એટલે જોયાકાર જ્ઞાન કહો કે સામાન્ય ઉપયોગ કહો) એકાકાર એક જ વસ્તુ છે. એટલે સામાન્ય ઉપયોગ જે કહ્યો ઈ અને પછી જે જોયાકાર કહ્યું ઈ એનો ભેદ છે કે સામાન્ય ઉપયોગ કહ્યો, પછી આપણે બીજો એનો ભેદ કર્યો કે સ્વપરનો પ્રતિભાસ થાય છે. માટે એ સામાન્ય ઉપયોગનું નામ હવે ફર્યું. તેને શેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. ઉપયોગનું જ નામ શેયાકાર જ્ઞાન. (શ્રોતા :- શેયાકાર જ્ઞાન)
પહેલો ઉપયોગ હતો (શ્રોતા :- હવે ઉપયોગનું વિશેષ એ સ્વપરનો પ્રતિભાસ) એ હજી વિશેષ નથી. એ હજી સામાન્ય છે શેયાકાર જ્ઞાન, શેયાકાર જ્ઞાન શા માટે કહ્યું? કે બે પ્રકારના પ્રતિભાસ એમાં થાય છે જોયો, સ્વ અને પર, પ્રતિભાસ થાય છે માટે સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું કે એ જ્ઞાનનું નામ હવે તમે જોયાકાર જ્ઞાન લ્યો, તમને આત્માનો અનુભવ કરવાની પ્રક્રિયા હું બતાવું છું. આ જાણવામાં રોકાવાનું નથી. આ જ્ઞાયક છે અને આ ઉપયોગ છે ને એમાં બેનો પ્રતિભાસ થાય છે એનું નામ શેયાકાર જ્ઞાન છે ત્યાં સુધી તો જાણવું. હવે પ્રયોગની વાત આવે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૬ ૯
અનેકાંત અમૃત
આટલું જો એને બેસી જશે તો જ એ પ્રયોગ કરી શકશે. સમજી ગયા. હવે એનો આધાર હું તમને આપું-પંચાધ્યાયી ભાગ ૧-ગાથા ૫૫૮ છે. જ્ઞાયક-ઉપયોગ પછી બેનો પ્રતિભાસ ચોથું જ્ઞેયાકાર જ્ઞાન-આ ત્યાં સુધી બંધેય નથી અને મોક્ષેય નથી. ત્યાં સુધી આત્મિક સુખ પણ નથી અને પરાશ્રિત દુઃખ પણ નથી. સુખેય નથી અને એનામાં દુઃખેય નથી. એ તો જે છે એ છે. અહીંયા ચાર પ્રકાર છે. ત્યાં સુધી તો કાંઈ વાંધો નથી. હવે એમાં પ્રયોગ કરવાનો છે.
(શ્રોતા : :- ચાર પ્રકાર ફરીથી) ફરીથી. એક જ્ઞાયક છે અનાદિ અનંત-એ બંધ મોક્ષથી રહિત છે, અબદ્ધ છે, ત્રિકાળ મુક્ત છે-એ જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એટલે મોક્ષસ્વરૂપ જ છે બધા આત્મા ત્રિકાળ દ્રવ્ય સામાન્ય. દ્રવ્ય સામાન્ય.
(૨) હવે પર્યાય, જે ઉપયોગ છે-એને દ્રવ્યને સામાન્ય કહીએ ત્યારે આને વિશેષ કહેવાય. પણ એ મતિ-શ્રુત એ વિશેષ આમાં નથી- (શ્રોતા :- બરાબર પ્રભુ એકદમ સ્પષ્ટ) એ સામાન્ય ઉપયોગ કહેવાય જેમાં કર્મની અપેક્ષા બિલકુલ નથી. ઉદયાદિની. તો એને પર્યાયાર્થિકનયનો પારિણામિકભાવ કહેવામાં આવે છે, એ ઉપયોગને. (શ્રોતા ઃ- જેમ દ્રવ્ય નિષ્કર્મ છે એમ આ ઉપયોગ પણ નિષ્કર્મ છે.) આ નિષ્કર્મ એટલે કર્મથી રહિત છે. નિષ્ક્રિય નહિ. ક્રિયા થાય છે. નિષ્કર્મ એટલે ભાવકર્મ દ્રવ્યકર્મ, નોકર્મ એમાં નથી ઉપયોગમાં. ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં ક્રોધાદિ નથી. બીજા નંબરે ઉપયોગ આવ્યો.
પહેલા શાયક આવ્યો. બીજા નંબરમાં શું આવ્યું ? સામાન્ય ઉપયોગ.(૩) હવે એ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. કેમકે એની (ઉપયોગની) સ્વચ્છતા છે દર્પણની માફક-દર્પણ જેમ સ્વચ્છ છે અને બધા પદાર્થો એમાં પ્રતિભાસે છે. કોલસો પ્રતિભાસે તો પણ દર્પણની સપાટી જે સ્વચ્છ છે એમાં મલિનતા કિંચિંત્માત્ર આવતી નથી. એમ આ ઉપયોગ છે એની અંદર મિથ્યાદષ્ટિ હોય તો પણ એનો પ્રતિભાસ થાય પણ મિથ્યાત્વની મલિનતા ઉપયોગમાં આવતી નથી બિલકુલ-એનો પ્રતિભાસ થાય છે.
(શ્રોતા :- મિથ્યાદષ્ટિ હોય ત્યારે) ત્યારની વાત છે. પર્યાયની મલિનતા ઉપયોગમાં પ્રવેશ થતી નથી. ઉપયોગ એનાથી જુદો ને જુદો રહે છે. એને ભેદજ્ઞાન નથી એટલે એકતા કરે છે એ તો એની ભૂલ છે. એ હવે આવશે. બાકી ઉપયોગ તો ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં મિથ્યાત્વ છે જ નહિ. સમજી ગયા. આહાહાહા !
હવે બીજા નંબરનો ઉપયોગ કહ્યો. પછી એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. સમજી ગયા. ત્રણ પ્રકાર આવ્યા. હવે સ્વપરનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાયનું નામ શું ? કે જ્ઞેયાકાર જ્ઞાન. એનું નામ શેયાકાર જ્ઞાન. એ શેયો બે પ્રકારના છે માટે જ્ઞેયાકાર
Page #84
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૭૦
CON
જ્ઞાન કહ્યું-એક જ પ્રકારનું જ્ઞેય પ્રતિભાસે છે અને બીજું પ્રતિભાસતું નથી એમ નથી. બે પ્રતિભાસ છે માટે ભેદજ્ઞાનની કળા હાથમાં આવી ગઈ છે. જેને બે પ્રકારનો પ્રતિભાસ બેસે છે એ ભેદજ્ઞાન કરીને અંદર જતો રહેશે. અને કેમ આવવું અંદ૨માં ઈ આંહી એ ૫૫૮ ગાથા પંચાધ્યાયીની છે તેમાં છે.
જે પંચાધ્યાયી છે એ આખા દિગંબર સમાજને પ્રમાણભૂત છે. આ શાસ્ત્ર છે એ પ્રમાણભૂત છે. સમજી ગયા. એક અપેક્ષાએ પંડિતો તો એમ કહે છે કે આ શાસ્ત્ર કદાચ અમૃતચંદ્રાચાર્યની કૃતિ હોય એવું લાગે છે. કેમકે અમૃતચંદ્રાચાર્યની ટીકાઓની હારે કેટલુંક આમાં મળે છે. એટલે પંડિતોનો વિચાર એમ છે કે કદાચ આ અમૃતચંદ્રાચાર્યનું હોય અને કોઈ કોઈને તો કોઈના જ્ઞાનમાં એ આવી પણ ગયું છે પણ એ આધાર ન આપી શકાય. પંડિતોના આધાર આપણે અપાય. છે આ અમૃતચંદ્રાચાર્યનું.
ચાર પ્રકાર થયા પછી હવે કેવી રીતે અનુભવ થાય આત્માનો અને કેવી રીતે અનુભવ ન થાય અને રખડે સંસારમાં- શું કરે તો સંસાર-અને શું કરે તો મોક્ષ બસ. અહીંયા પીક પોઈન્ટ છે એનો. જ્યાં રુચે ત્યાં જાવ. એ હવે આવે છે. આ પ્રયોગની વાત આવે છે. હવેજાણવાની વાત તો જાણી પણ જાણીને પ્રયોજનભૂત શું છે એ એમાંથી કાઢવું જોઈએ. આપણું પ્રયોજન તો આત્માના અનુભવનું છે ને આત્મદર્શનનું.
હવે એમાં એમ કહે છે-અર્થ વિકલ્પો શાન ભવતિ તદ્ એકમ. હવે એનો અર્થ કરે છે. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. હવે જ્ઞાન એટલે સ્વપર પદાર્થને વિષય કરે છે. સ્વપરનો પ્રતિભાસ થાય છે એમ અર્થ ન કરતાં-વિષય કરે છે. સમજી ગયા. અને આ સ્વપરને વિષય કરે છે અને સ્વપરને પ્રકાશે છે.
આ સમયસારની બીજી ગાથામાં આવો અર્થ કર્યો છે. એ અર્થ કર્યા પછી કોઈ વિચક્ષણ પુરુષે એનો કૌંસ કર્યો કે ભલે એમાં અર્થ કર્યો સંસ્કૃતની અપેક્ષાએ-ભાષાની અપેક્ષાએ થતું પણ હશે. ભાષાવિષારદ હું તો નથી. પણ કોઈ ભાષા વિષારદે અર્થ કર્યો કૌંસ કરીને કે મૂળમાં તો સ્વપરનું અવભાસન છે અને સ્વપરને પ્રકાશે છે એમ કેમ કર્યું-એમને ખ્યાલ આવ્યો એટલે કૌંસ કરીને સ્વપરનું અવભાસન તો સંસ્કૃતમાં છે તો એનો અર્થ કર્યો કે સ્વપરને પ્રતિભાસે છે.
(શ્રોતા :- બીજી ગાથાના મૂળ સંસ્કૃત ટીકામાંથી અવભાસન શબ્દનો પ્રતિભાસ એમ અર્થ કર્યો અને એ કૌંસમાં લખી નાખ્યું) અને અવભાસનનો અર્થ જ પ્રતિભાસ થાય છે. પ્રકાશે છે એમ થતો નથી. પણ ભાષાની અપેક્ષાએ અથવા કોઈ વિવક્ષાથી કોઈ જગતને સમજાવવા માટે નિશ્ચયની વાત લક્ષમાં છે તો પણ એને વ્યવહારથી સમજાવવામાં આવે
Page #85
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૭૧ છે. વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. તો પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. સ્વપરને પ્રકાશે છે એ અનુસરવા યોગ્ય નથી. સ્વપરનો પ્રતિભાસ થાય છે એ અનુસરવા યોગ્ય છે. (શ્રોતા :- એ તો શરૂઆત છે ભેદજ્ઞાનની. બે વિષય હાથમાં આવ્યા પછી કોને સ્વીકારવો) કેના તરફ જાવું ને કેનું લક્ષ કરવું અને કેનું લક્ષ છોડવું-બસ એ એના હાથની વાત છે એ આમાં સમજાવે છે. એ સમજાવે છે.
જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. જ્ઞાનનો અર્થ કરે છે. જ્ઞાન એટલે શું ? કે સ્વપર પદાર્થને વિષય કરે છે. આપણે એમ અર્થ કરવો કે સ્વપરનો પ્રતિભાસ થાય છે એનું નામ જ્ઞાન. આપણે એવો અર્થ કરવો. સમજી ગયા. આપણે આગમથી જરા અધ્યાત્મમાં જઈને એનો આવો અર્થ કરવો. આગમથી આગળ અધ્યાત્મની વાત લઈને એનો પ્રતિભાસ થાય છે એવો અર્થ કરવો-અને એ આપણી પાસે કુંદકુંદ ભગવાનનો આધાર છે-અમૃતચંદ્રાચાર્યનો આધાર છે. અમારી પાસે ઘણાં આધાર છે. સમજી ગયા. પણ કોઈ આધાર માગે તો કોઈ મુમુક્ષુ હોય એને આધાર આપીએ પણ જેને ગુરુદેવની એલર્જી હોય એને કાંઈ લખીએ નહિ-જવાબેય લખતા નથી.
જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે. સમજી ગયા. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. શું કહ્યું? સ્વપરનો પ્રતિભાસ થાય છે તો પણ સ્વનો પ્રતિભાસ કરનારું જ્ઞાન જાથું અને પરનો પ્રતિભાસ કરનારું જ્ઞાન જુદું એમ નથી. મહત્વની વાત છે આ. સ્વપર બેયને ક્યારે જાણે કે બે પ્રકારના જ્ઞાન હોય તો જાણી શકે. (શ્રોતા:- પણ અહીંયા તો એક છે શબ્દ) એકમ લખ્યું છે ખાસ. શબ્દ છે એકમ એનો અર્થ કરે છે. જ્ઞાન બે પ્રકારના હોય? જ્ઞાન એક જ પ્રકારનું હોય. એક જ પ્રકારનું ઉત્પન્ન થાય છે. અને એક જ પ્રકારપણે આત્માને જાણે છે. (શ્રોતા :- એ શું કહ્યું પ્રભુ!) કે એક જ પ્રકારે ઉત્પન્ન થાય છે ઉપયોગ અને એ ઉપયોગ અંતર્મુખ થઈને એક જ પ્રકારે આત્માનો અનુભવ કરે છે. પોતાનેય અનુભવે ને રાગનેય અનુભવે એમ છે જ નહીં. કેમકે રાગ તો એમાં છે જ નહિ. રાગનો પ્રતિભાસ થાય પણ રાગ જ્ઞાનમાં આવતો નથી. જ્ઞાનમાં ન આવે તો જ્ઞાયકમાં તો ક્યાંથી આવે? ઉપયોગમાં ઉપયોગ છે બસ. (શ્રોતા :- એ રીતે એક પ્રકારનો આત્માનો અનુભવ
કરે છે)
જ્ઞાન એક જ પ્રકારનું અને અનુભવમાં પણ એક જ પ્રકાર કામ કરે છે. બે પ્રકાર છે નહિ. કામ ક્યાંથી કરે? છે નહિ એવું, એ કહેશે હમણાં કહેશે. ક્યાં ભૂલે છે જીવ અને ક્યાં ભૂલ ભાંગી જાય છે એ કહેશે હમણાં. આમાં આખો પ્રયોગ બતાવે છે, પ્રયોગ. આખો પ્રયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાથા છે આ. આમાં લખ્યું છે “ઘણું જરૂરી લાલ અક્ષરે ઘણું
Page #86
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૭૨
જરૂરી. સમજી ગયા. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જો સ્વપરનો પ્રતિભાસ થાય તો પણ જ્ઞાન એક જ પ્રકારનું રહ્યું પણ સ્વપરને પ્રકાશે છે તો જ્ઞાન એક પ્રકારનું રહેતું નથી. (શ્રોતા : - બરોબર જ્ઞાન એક રહેતું નથી. એક સ્વને પ્રકાશવાવાળું અને એક પરને પ્રકાશવાવાળું એમ બે જ્ઞાન થઈ જાય) બરોબર છે પણ બેનો પ્રતિભાસ દેખીને સ્વપરને પ્રકાશે છે એવો વ્યવહાર કરવામાં આવે છે.
બેનો પ્રતિભાસ દેખીને સ્વપરને પ્રકાશે છે એવો વ્યવહાર કરવામાં આવે છે. વ્યવહારથી જીવને સમજાવવામાં આવે છે પણ એમ છે નહિ. જ્ઞાન એક જ છે. હવે કહે છે કેમકે જ્ઞાન એક જ કેમ છે. જ્ઞાનના બે પ્રકાર કેમ નથી એનો ખુલાસો કરે છે. કેમકે અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. કુમતિ, કુશ્રુત, કુઅવધિ-ત્રણ અજ્ઞાનમાં-મતિ-શ્રુતઅવધિ-મનઃ પર્યય અને કેવળજ્ઞાન પાંચ સમ્યક્ આઠેય જ્ઞાનમાં અર્થવિકલ્પપણું છે. (શ્રોતા :એટલે શું કહ્યું પ્રભુ) એટલે કે બહિરાત્મા હોય તો પણ એના જ્ઞાન ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. અંતરાત્મા હોય તો પણ એના જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. અને પરમાત્મા હોય તો પણ એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એવું જે સ્વપરનું પ્રતિભાસપણું એ આઠેય જ્ઞાનમાં છે-આઠેય જ્ઞાનમાં અજ્ઞાન નથી. પણ આઠેય જ્ઞાનમાં જ્ઞાન છે અને જ્ઞાન એક પ્રકારનું છે એમાં બે પ્રકારનો પ્રતિભાસ થાય છે છતાં જ્ઞાન એક જ પ્રકારનું રહે છે.
(શ્રોતા :- બહુ સરસ. સ્પષ્ટ આવી ગઈ બધી વાત-આઠેય જ્ઞાનમાં જ્ઞાન છે) આઠેય જ્ઞાન જ્ઞાન છે. (શ્રોતા ઃ- બે પ્રકારનો પ્રતિભાસ હોવા છતાં પ્રતિભાસમય તો એ એક જ છે.) એક જ છે. પ્રતિભાસ તો એક જ જ્ઞાનમાં થાય છે. બે જ્ઞાનમાં નહિ. સ્વનો પ્રતિભાસ આ જ્ઞાનમાં થાય અને પરનો પ્રતિભાસ બીજા જ્ઞાનમાં થાય એમ જ્ઞાનના બે ભેદ જ નથી. જ્ઞાન એક જ પ્રકારનું છે. એકમ શબ્દ વાપર્યો છે આમાં. (શ્રોતા :- સ્વનો પ્રતિભાસ આ જ્ઞાનમાં એટલે આત્મજ્ઞાનમાં થાય અને પરનો પ્રતિભાસ અજ્ઞાનમાં થાય એમ બે પ્રકારનું જ્ઞાન જ નથી) જ્ઞાન એક જ છે. પ્રતિભાસ બે પ્રકારના છે. એમાંથી કોઈ સમ્યજ્ઞાની થાય અને કોઈ મિથ્યાજ્ઞાની થાય એટલી વાત સાચી છે. એ હમણાં આવશે.
અર્થવિકલ્પપણું બધા જ્ઞાનોમાં આઠેય જ્ઞાનોમાં છે. (શ્રોતા :- આઠેય જ્ઞાનમાં અજ્ઞાન નથી બેનો પ્રતિભાસ છે.) પણ પ્રતિભાસ થયા પછી એનું લક્ષ સ્વ ઉપર જાય છે કે ? પર ઉપર જાય છે. પર ઉપર લક્ષ જાય તો અજ્ઞાન અને સ્વ ઉપર લક્ષ જાય તો સમ્યજ્ઞાન થઈ જાય છે. આ જરાક જેટલી ભૂલમાં સંસાર વધી ગયો.
સ્વપર બેયને જાણે છે એ વ્યવહારનું કથન છે અને વ્યવહાર સાચો લાગે છે એ અજ્ઞાન
Page #87
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
છે. સ્વપપ્રકાશક વ્યવહાર છે નિશ્ચય નથી. અને સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પ્રમાણજ્ઞાન છે. પણ એ આત્મા તરફ વળતું જ્ઞાન છે. (શ્રોતા ઃ- વાહ રે વાહ. છે તો પ્રમાણ પણ આત્મા તરફથી દિશાવાળું છે.) આત્મા તરફથી દિશાવાળું છે. ઓલું સ્વપરને જાણે છે તો ઉપયોગ તો બહાર જતો રહ્યો ને. અને સ્વપરનો પ્રતિભાસ થાય છે. તો શેમાં ? મારા જ્ઞાનમાં, તો જ્ઞાનમાં એ આવી ગયો ને !
હવે સ્વપરનો પ્રતિભાસ થાય છે એવું જે શેયાકાર જ્ઞાન તો થયું-બધાને થાય છે હોંઅહીંયા સુધી બધાનું જ્ઞાન સરખું-હવે એ જ્ઞેયાકાર જ્ઞાનમાં જો જ્ઞાયક જણાય છે તો સમ્યજ્ઞાન અને જો જ્ઞેય જણાય છે તો મિથ્યાજ્ઞાન. (શ્રોતા :- એવા જ્ઞાનના વિશેષોના નામ પામે છે. વિષયભેદે નામ ભેદ છે.) એ કહેશે હમણાં, અહીંયા વિષયભેદ થાય છે. ત્યાં સુધી તો ચાર પ્રકાર સરખા છે. જ્ઞાયક-ઉપયોગ-સ્વપરનો પ્રતિભાસ અને જ્ઞેયાકાર જ્ઞાન. એ ચારેયમાં કાંઈ બંધ મોક્ષ નથી. બંધેય નથી એમાં મોક્ષેય નથી એમાં. એ તો વસ્તુની સ્થિતિ છે. (શ્રોતા :- ચારેયમાં ક્યાંય બંધ મોક્ષ નથી. એ સ્થિતિરૂપ છે) સ્થિતિ છે બસ, વસ્તુની સ્થિતિ બતાવી.
૭૩
હવે વસ્તુની સ્થિતિ બતાવ્યા પછી કોઈ જીવ અંતરમાં જતો રહે છે અને કોઈ જીવ બહિર્મુખ થાય છે-બે પ્રકારના જીવો છે. બે પ્રકારના જીવો તો અનાદિ અનંત રહેવાના જ છે. આ ચાર પ્રકાર તો અનાદિ અનંત છે. (શ્રોતા :- અનાદિ-અનંત વસ્તુ સ્થિતિ છે) વસ્તુ સ્થિતિ છે બસ, કોઈ કહે જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક ન જણાય. કોઈ કહે એકલું પર જણાય. પરનો પ્રતિભાસ થાય. કોઈ કહે એકલા સ્વનો પ્રતિભાસ થાય. નહિ ખોટો છો તું. પ્રતિભાસ બેયનો થાય.
પ્રતિભાસ બેના લક્ષ એકનું – બસ, પ્રતિભાસ બેના લક્ષ એકનું કાં સ્વનું અને કાં પરનું બસ. જ્ઞાન એક અને લક્ષ પણ એકનું હોય. જ્ઞાન એક અને લક્ષ બેનું ? (શ્રોતા :- એમ ક્યાંથી હોય ?) કેમકે સ્વપરપ્રકાશક છે તો આત્માને પણ જાણે અને રાગને પણ જાણે એમ હોય ? (શ્રોતા :- ન હોય. પ્રતિભાસ એકનો ન હોય અને લક્ષ બેનું ન હોય) પ્રતિભાસ બેના લક્ષ એકનું. (શ્રોતા :- કેમકે જ્ઞાન એક છે) અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરે ત્યારે લોકાલોકનો પ્રતિભાસ તો રહી ગયો-પ્રતિભાસ છૂટતો નથી. કેમકે જે જ્ઞાન આત્માને જાણે છે, એ લોકાલોક સ્વ ને પરના પ્રતિભાસમય છે એ.
એ જ્ઞાનની પર્યાય પ્રતિભાસમય છે માટે એ સર્વજ્ઞ છે. આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ છે. આત્મજ્ઞાનમયી એટલે જે જ્ઞાન અંતરમાં આવ્યું-એ વાત તો આપણે પહેલા ચોથા બોલમાં લઈ લીધી છે ને કે સ્વપરનો પ્રતિભાસ થઈ ગયો છે થઈ રહ્યો છે, એવું શેયાકાર
Page #88
--------------------------------------------------------------------------
________________
७४
અનેકાંત અમૃત જ્ઞાન જ્યારે અંતરમાં વળે છે ત્યારે એ પ્રતિભાસ અને પ્રતિભાસના વિષયને દૂર નથી કરતુંપ્રતિભાસનો વિષય તો દૂર જ છે પણ જે પ્રતિભાસ થાય છે પર્યાયમાં, એ તો જ્ઞાન છે એને દૂર કોણ કરે? અને એ પ્રતિભાસમય જ્ઞાન છે. એ જ્ઞાન આત્મામય હોવાથી આત્માને જાણતા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ, અંશે વર્તમાનમાં દેડકા ને હરણીયાને પ્રગટ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને અંશે પ્રગટ થઈ જાય છે. સર્વને જાણે છે તે એક આત્માને જાણે છે, એ આ સર્વને જાણે છે ચોથા ગુણસ્થાનવાળો. પણ એ પ્રતિભાસ અને પ્રતિભાસ તરફનો પર્યાય એના તરફ લક્ષ નથી. એ જેમાં પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસમય જે જ્ઞાન છે એ જ્ઞાન તો જ્ઞાયકમાં અભેદ થઈને અનુભવ કરી લે છે. પ્રતિભાસ રહી ગયો અને અનુભવ થઈ ગયો. આ પ્રક્રિયા છે. એ જ્ઞાયક જ છે એ જોય થઈ ગયું-પર્યાય ન રહી હવે-એ આત્મા થઈ ગયો.
પહેલો પારો ધ્યેયનો છે, બીજો પારો શેયનો છે. છઠ્ઠી ગાથામાં ૪૧૫ ગાથાનો સરવાળો છે. આહાહા ! નિર્વિકલ્પ ધ્યાનમાં એણે બધું જાણી લીધું. જેણે આત્માને જાણ્યો એણે સર્વને જાણ્યું અને સર્વને જાણ્યું એણે આત્માને જાણ્યો. (શ્રોતા :- કેમકે આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ છે) એ આધાર જોવો હોય તો પ્રવચનસારની ગાથા ૪૮-૪૯, માં આ વાત છે. એકને જાણે તે સર્વને જાણે અને સર્વને જાણે છે તે એકને જાણે છે. જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. એટલે પ્રતિભાસને ઉડાડે છે એમ કહેવું છે. પ્રતિભાસ ઉડી શકતો નથી. (શ્રોતા :- પ્રતિભાસનો નિષેધ ન થઈ શકે) આ ડોલી ઉઠે એવી વાત છે
(શ્રોતા :- પ્રતિભાસનો નિષેધ નહિ, અને જાણવાનો અવકાશ નહિ) અવકાશ નહિ, બિલકુલ નહિ એની તરફ લક્ષ ક્યાં છે. એટલે સોગાનીજીએ એક શબ્દ એવો વાપર્યો કે જણિત જાતા હે, જણિત જાતા હૈ. પર પદાર્થ જણિત જાતા હૈ-જણિત જાતા હૈ એટલે પ્રતિભાસ થઈ રહ્યો છે એમ કહેવું છે-અને જણિત જાતા હૈ- જણાય જાય છે. આપણી ગુજરાતી ભાષામાં જણાય જાય છે એટલે એ પ્રતિભાસ છે. (શ્રોતા :- એ પ્રતિભાનો જ ધ્વનિ છે) એટલે ઉપયોગ મૂક્યા સિવાય પુરુષાર્થ કર્યા સિવાય એ જણાય જાય છે. (શ્રોતા :- એટલે એ પ્રતિભાસ જ થયો. બરોબર છે).
એનો વિષય શું છે. સામાન્યનો વિષય તો કાંઈ છે જ નહિ. એ તો એમાં પ્રતિભાસ થાય છે એમાં, બીજાં કાંઈ છે નહિ. અલૌકિક ચીજ છે. ઓહોહો ! સમજાણું? વિશેષ વિષયોની અપેક્ષાએ, પેલું તો સામાન્ય હતું-એમાં કાંઈ આને જાણે ને આને ન જાણે એવું ન હતું. જાણવું જાણવું એ તો સામાન્ય હતું-હવે વિશેષ આવ્યું. વિશેષ વિષયોની અપેક્ષાએ એ જ જ્ઞાન, જ્ઞાન તો એક જ છે. એ જ જ્ઞાન, એકમ્ કહ્યું ને. તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય
Page #89
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૭૫ છે. જ્ઞાન તો એક જ હતું પણ બે ભેદ થઈ જાય છે. વિષયની અપેક્ષાએ કોઈ સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન-પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. એ લખે છે- (૧) સમ્યજ્ઞાન કાં મિથ્યાજ્ઞાન. વિષયભેદ કર્યો-જો શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ સમયે પર જણાતું નથી તો સમ્યજ્ઞાન થઈ જાય છે. અને એ જ શેયાકાર જ્ઞાનમાં પોતાનો આત્મા જણાતો નથી અને રાગ જણાય છે. શરીર જણાય છે, મોટર જણાય છે, પણ જણાય છે તો એ મિથ્યાજ્ઞાન થઈ ગયું.
એક સમયનો પુરુષાર્થ છે. એક સમયનો સંસાર માં એક સમયનો મોક્ષમાર્ગ. કાં તો જ્ઞાનનું જ્ઞાનવ થઈ જાય કાં તો જ્ઞાનનું અજ્ઞાન. એ ઉપયોગમાં આ ઉપયોગનું પછી વિશેષ થાય છે-ઉપયોગ સામાન્ય છે પણ વિષયના ભેદે એનું નામ વિશેષ જ્ઞાન થઈ ગયું-વિષયના ભેદે જે સામાન્ય જ્ઞાન હતું એનું વિશેષ જ્ઞાન થઈ જાય, વિષયના ભેદ. સ્વને જાણે તો સમ્યજ્ઞાન-વિશેષ જ્ઞાન એટલે સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન...વિષયના ભેદે આમ થઈ ગયું.
ચાર પ્રકાર બહુ સરસ આવ્યા આજે. (શ્રોતા :- બહુ સરસ-એકદમ સ્પષ્ટ અભૂત) હમણાં પેલો કાગળ આવ્યો છે ને એટલે ધોલન વધી જાય. (શ્રોતા :- વિશેષ વિષયના ભેદે નામ ભેદ પામે છે) નામ ભેદ પામે છે-જ્ઞાન તો એક જ હતું. ઉપયોગ-જ્ઞાન હતું તેનું નામ. જાણવું જાણવું હતું. (શ્રોતા :- એનું મૂળ નામ તો એક જ હતું) એક જ (શ્રોતા :- એનું જે વિશેષ વિષયભેદ નામભેદ પામે છે. જો આત્માનો વિષય કરે તો સમ્યજ્ઞાન-પરનો વિષય કરે તો મિથ્યાજ્ઞાન) ખલાસ- બસ એક સમયનો પુરુષાર્થ છે.
(શ્રોતા :- વિષયભેદે નામ ભેદ દેખાય છે પણ વસ્તુ તો અભેદ એકરૂપ જ્ઞાનરૂપ છે) એ જ્ઞાનરૂપ છે પણ એમાં સુખદુઃખ નથી અને પ્રયોજન તો જીવને સુખનું છે. એટલે જ્ઞાન સામાન્યમાં સુખ દુઃખ નથી. સમજી ગયા. પ્રયોજન તો અનાદિકાળથી જે દુઃખી છે એ દુઃખનો પર્યાય વ્યય થઈ અને આત્મિક સુખ કેમ પ્રગટ થાય-એ જીવમાત્રને પ્રયોજન છે સુખનું એ સુખ કેમ પ્રગટ થાય-કે મને શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે પર જણાતું નથીવિધિ નિષેધ કરવો પડે, અહીંયા જોરદાર હો.
વિધિ નિષેધમાં બે વિકલ્પ ઉત્પન્ન થાય-નિષેધનો વિકલ્પ પહેલા ઉત્પન્ન થાય કે પરનો જાણતો જ નથી એ વિકલ્પ-પછી એ વિકલ્પ છૂટીને આવ્યો કે જાણનારો જણાય છે એ પણ છે વિકલ્પ-જાણનારો જણાય છે એ પણ વિકલ્પ, એમાં પણ અનુભવ નથી. જાણનારો જણાય છે. જુઓ હવે નિશ્ચયના પક્ષમાં આવ્યો-પણ એ પક્ષીતિક્રાંત થાય ત્યારે અનુભવ થાય છે. ત્યારે એ વિધિનો વિકલ્પ પણ છૂટી જાય. નિશ્ચયનય આવ્યો ત્યાં સુધી
Page #90
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
શું? તેથી શું? હું શુદ્ધ છું, એક છું, અભેદ છું. શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે-જ્ઞયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. નથી જણાતો જા તને- (શ્રોતા :- કેમકે જ્ઞાયક પરિકો નહિ જાનતા, જ્ઞાયક જ્ઞાયક કો હી જાનતા કે દોનો તો નય પક્ષ હૈ-જ્ઞાયક નયા સે પાર, પ્રભુ મેં હો ગયા ભવ સે પાર.)
બસ યાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાયો એમાં વિકલ્પ નથી-(શ્રોતા :- ચાર ચાર બોલથી જાણવું પણ જાણીને પ્રયોજન સિદ્ધ ન થાય તો જાણું શું કામનું ?) કાંઈ નહિ એ તો ધારણામાં રહી ગયું-એ જાણવાની પાછળ આત્મદર્શન કેમ થાય, એ શીખવાનું છે. દુઃખ જાય અને સુખ કેમ પ્રગટ થાય એ પ્રયોજન છે.
જ્ઞાયક, ઉપયોગ, સ્વપરનો પ્રતિભાસ-જોયાકાર જ્ઞાન. હવે જોયાકાર જ્ઞાનમાં વિષય શું આવે છે એના ઉપર આધાર છે. ન્નયાકાર જ્ઞાન તો થઈ રહ્યું છે બધાને સમયે સમયે એનો વિષય ફેરવવો જોઈએ એણે-શેય ફરી જવું જોઈએ. એક બહેને કહ્યું પાવાગઢ જાત્રાએ ગયા હતા અમે-હંસાબેનના દીકરાની વહુ પૂછવા માંડી. મેં કહ્યું તું પૂછ માં-હું તને બે વાત કરું એ તું લક્ષમાં લે અને એનો વિચાર કરીને વળતાં તું મને એનો જવાબ દેજે. ચૂપ થઈ ગઈ. ભલે ભાઈ-બે વાત કરી. વળતા કહે મારી જાત્રા ફળી-ભાઈ, આજે મારી જાત્રા ફળી-શું થયું બહેન? આહાહા! કે આત્મા પરનો કર્તા નથી. એ તો વિકલ્પની ચરમસીમા છે. છેલ્લો વિકલ્પ હોય, પછી તો દૃષ્ટિમાં આવી જાય અંદરમાં.
પછી આત્મા પરને જાણતો નથી-ભાઈ આખું શેય ફરી ગયું-આખું શેય ફરી ગયું મારુંએ વખતે વિચાર આવ્યો, આ કોઈ પૂર્વનો સંસ્કારી જીવ છે. (શ્રોતા :- નહિતર શેય ફરી જવું એ મુકેલ વાત છે) એને શેય ફરી ગયું તો એ વાતમાં પ્રભાબેન ગુજરી ગયા ડગલી એને ચોટ લાગી ગઈ-ઓહો ! એમ કહ્યું. જોય ફરી ગયું? શેય ફરી ગયું ભાઈ-ગ્નેય ફરી ગયું તો એક અપેક્ષાએ બુદ્ધિ સમ્યક્ થઈ ગઈ. આને જાણું છું અને જાણુ છું એ નીકળી ગયું શલ્ય. વિકલ્પમાં ભલે કર્તબુદ્ધિ તો ચેતનભાઈ કદાચ જાય, સવિકલ્પદશામાં ધારણામાં જાય પણ પરને જાણતો નથી એ ધારણામાંય આવતું નથી. પંકજ ! પરને હું જાણતો નથી અને જાણનારો જણાય છે એ ધારણામાંય આવતું નથી. હજી લોકો-વિધિ નિષેધમાંય આવતા નથી. શું થાય?
પરને નહિ જાણે તો જ્ઞાન નહિ રહે-એકાંત થઈ જશે–અનેકાંતનો-ઘાત થાશે. લોપ થઈ જશે અનેકાંતનો. સ્વપરપ્રકાશકમાં અનેકાંત જીવંત રહે છે-(શ્રોતા :- આવી દલીલ કરે) હવે આને શું કરવું? (શ્રોતા :- પરને નહિ જાણે તો ઉપયોગ કોને જાણશે ?) ઉપયોગ સ્વને ને પરને બેયને જાણે-દીવો છે એ સ્વપરપ્રકાશક છેને? એ ઘડાને ન પ્રસિદ્ધ કરે ? દીવો
Page #91
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત દીવાનેય પ્રસિદ્ધ કરે અને ઘડાનેય પ્રસિદ્ધ કરે. બધા હા પાડે એમાં એક જ્ઞાની ના પાડે, કે ના. ઘડાને દીવો પ્રસિદ્ધ નથી કરતો-દીપકને જ પ્રસિદ્ધ કરે છે. દષ્ટાંત બેસવાય કઠણ.
(શ્રોતા :- જે જેનું છે તે તેને પ્રસિદ્ધ કરે એમ કહે છે-) આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞયનું જ્ઞાન જ ન હોય. એના માટે બે વાક્ય મૂક્યા છે. (૧) વસ્તુ સ્વભાવ પરથી ઉત્પન્ન થઈ શકતો નથી એટલે જ્ઞાન શૈયથી શાસ્ત્રથી ઉત્પન્ન થઈ શકતું નથી. વસ્તુનો સ્વભાવ છે એ શેયથી ઉત્પન્ન થઈ શકતો નથી. જ્ઞયને જાણે તો આત્મજ્ઞાન થાય એમ છે નહિ, એક વાત. (૨) બીજી વાત માર્મિક કરી, કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે આત્માનું જ્ઞાન કોઈને શેય બનાવી શકતું જ નથી. આ શાસ્ત્રમાં છે. સમયસારમાં છે-આધાર પણ છે. પણ આધાર કોને આપવા-કે જે ગુરુદેવને માનતા હોય એને-ગુરુદેવની એલર્જી હોય એને નહિ. (શ્રોતા :- વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી એટલે જ્ઞાનનું કોઈ શેય થઈ શકતું નથી.) એક જ શેય છે. એ (૨૭૧ કળશની) છ કેસેટમાં ગુરુદેવે કહ્યું-છ દ્રવ્યો છે એ તો બહિર્મુખ જ્ઞાન અને પ્રસિદ્ધ કરે છે, એટલે ઈન્દ્રિયજ્ઞાનનો વિષય છે. આત્મજ્ઞાનનો વિષય એક જ છે.
શેયાકાર જ્ઞાન તો થઈ રહ્યું છે. પણ એ ગોથું ક્યાં ખાય છે પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું છું એ શલ્ય અનાદિનું છે. (શ્રોતા :- એ પરના પ્રતિભાસનો સ્વીકાર કરે છે જ્ઞાનમાં કે આ પરનો પ્રતિભાસ છે અને હું જાણું છું.) પરના પ્રતિભાસને સ્વીકાર નથી કરતો, હું પરને જાણું જ છું. એમ આવે છે. પરને શેય બનાવે છે. (શ્રોતા :- પ્રતિભાસનો સ્વીકાર કરે તો અભેદનો ભેદ છે.) તો તો કામ થાય એનું-પચાસ ટકામાં આવી જાય. (શ્રોતા :- ભેદને છોડીને અભેદમાં જવાનો ચાન્સ છે.) પણ હું પરને જાણું છું. (શ્રોતા :- એ તો પ્રમાણથી બહાર છે.) આખું ડોકુ મરડી નાખે છે જ્ઞાનનું. એને તો પંચાધ્યાયી કર્તાએ નયાભાસ કીધો છે. શું કહેવું આપણે એને તો નયાભાસ કીધો છે. નયની વ્યાખ્યા કરી. તદગુણ સભૂત જ્ઞાનનય.
અભેદના ભેદને જાણે એ નય છે. અભેદથી દ્રવ્ય ગુણ પર્યાયથી ભિન્ન પદાર્થ છે એને જાણે છે બાધ્ય બોધક નયાભાસ છે. વ્યવહાર નથી નયાભાસ છે. (શ્રોતા :- અભેદના ભેદને જાણે તે નય છે.) પ્રતિભાસ થાય છે એ વ્યવહાર-પરને જાણે છે એ નયાભાસ. (શ્રોતા :- અભેદના ભેદને જાણે છે એ નય છે-ભિન્નને જાણે છે એ નયાભાસ છે) એ નયમાં આવતું નથી લાગુ પડતું જ નથી. આ પંચાધ્યાયની શૈલી છે હોં.
કુંદકુંદભગવાને તો કહ્યું છે-દેહને આત્મા એક છે એ વ્યવહારનયે છે-પછી આણે કહ્યું એ લોકવ્યવહાર છે. લૌકિક વ્યવહાર છે કે જે આત્માથી અજાણ છે-મૂંઢ જીવ ઈ બોલે છે
Page #92
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૭૮
બકે છે એય પાછું લોક વ્યવહાર. (શ્રોતા :- લોકોત્તર વ્યવહાર તો જુદો પ્રતિભાસ થાય છે એ.) પ્રતિભાસ થાય છે એ વ્યવહાર છે પણ લોકોત્તર. આહાહા ! સમજાણું જ્ઞાયક ? પ્રતિભાસ થાય છે એ શું ? લોકોત્તર વ્યવહાર અને અનુભવ થાય એ નિશ્ચય છે. બસ, એક મુમુક્ષુએ મને કહ્યું ભાઈ આ વાત ક્યાંય નથી. ફક્ત અમુક અહીંનાં એરિયામાં જ દેખાય છે, બાકી ક્યાંય નથી.
ક્યાંથી હોય ? બધાને અઘરું પડ્યું ને પરને જાણતો નથી એ સ્વીકાર ન કર્યો. ગુરુદેવે તો દાંડી પીટીને કહ્યું છે કાંઈ છાનું નથી રાખ્યું-પરને જાણે એમ માને એ દિગંબર જૈન નથી. (શ્રોતા :- અહીં તો એમ કહે છે પ૨ને જાણે એમ માને એ દિગંબર નહીં) કરવાની વાત તો છે નહિ. (શ્રોતા :- કોઈ કહે છે પ૨નો કર્તા ન માને એ દિગંબર જૈન નહિ. અહીંયા તો એમ કહે છે પરને જાણે એ દિગંબર જૈન નહિ.) પણ એલર્જી હોય એને. એને કાંઈ નહીં.
=
વિડીયો કેસેટ નં. ૬૮૪
સળંગ પ્રવચન નં
તા. ૨-૮-૯૭
-
G
ગઈકાલે એક વિષય આવ્યો હતો-એ થોડો ફરીથી રીપીટ કરી લઈએ એટલે સાંભળેલું હોય અને બીજીવાર સાંભળે તો વધારે દઢતા થાય, પરિપક્વ સ્થિતિ આવી જાય. કેટલાક નવા હોય નો સાંભળ્યું હોય એને પણ સાંભળવા મળે.
ગઈકાલે એમ વાત થઈ કે જે અનુભવનો વિષય છે, જે ઉપાદેય તત્ત્વ છે, એ તો એક જ્ઞાયકભાવ છે. જે બંધ મોક્ષથી રહિત, પ્રમત્ત અપ્રમત્તથી રહિત, પર્યાય માત્રથી રહિત એવો શુદ્ધાત્મા છે. એ જે શુદ્ધાત્મા છે તે અનાદિ અનંત છે. તેની ઉત્પત્તિ કોઈ સંયોગથી નથી અને કોઈ વિયોગ થાય તો એનો નાશ ન થાય એવી એક શાશ્વત ચીજ છે, અનાદિ અનંત નિત્ય ધ્રુવ. એવો એક શાયકભાવ એ કર્મથી બંધાણો નથી, બંધાતો નથી અને બંધાશે પણ નહિ. અને એ ભગવાન આત્મા કર્મના ઉદયમાં જોડાતો પણ નથી અને જોડાશે પણ નહિ એવો પરમાત્મા બધાની અંદર બિરાજમાન છે, એને જ્ઞાયકભાવ કહેવામાં આવે છે-એ નિરપેક્ષ તત્ત્વ છે.
હવે બીજો પ્રકાર એવો છે-એ જ્ઞાયકભાવ છે એ તો દ્રવ્ય છે-હવે એ જ્ઞાયકતત્ત્વ
Page #93
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત દ્રવ્યરૂપ છે-જ્ઞાયકતત્ત્વ છે એ દ્રવ્યરૂપ છે. જે ઉપાદેય તત્ત્વ છે, આશ્રયભૂત તત્ત્વ છે, અહં કરવા યોગ્ય તત્ત્વ છે એમાં માત્ર અનંત ગુણો જ રહેલા છે એમાં પર્યાય નથી. એ ક્રિયાવાન નથી, એ નિષ્ક્રિય છે-ધ્રુવતત્ત્વ છે. એવું એક દ્રવ્ય સામાન્ય. સમજી ગયા.
અહીંયા આપણે ઉપયોગને સામાન્ય કહેવો છે. દ્રવ્યને સામાન્ય કહેવું નથી. નહીં તો દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એમ કહેવાય-અત્યારે એ નથી લેવું-અત્યારે દ્રવ્ય જે શુદ્ધ આત્મા છે સામાન્ય તત્ત્વ એની અંદર એક ઉપયોગ પ્રગટ થાય છે, એ થાય એની બહારમાં ઉપયોગ, અંદર ધ્રુવ તત્ત્વમાં એ ઉપયોગ નથી એટલે પ્રગટ થતો નથી પણ ઉપયોગ પ્રગટ થાય છે એ એક હકીકત છે-ઉપયોગ એટલે જાણવાની ક્રિયા એક સમયમાં આત્મા જાણે પણ છે અને પરિણમે પણ છે. એનું નામ સમય કહેવામાં આવે છે. તો એ જ્ઞાયકતત્ત્વ તો ધ્રુવ છે, અને એક ઉપયોગ પ્રગટ થાય છે એ ઉત્પાદ-વ્યયરૂપ છે. એક ધ્રુવતત્ત્વ છે દ્રવ્ય-અને પ્રગટ થાય છે ઉપયોગ અને ઉત્પાદવ્યય સ્વરૂપ કહેવામાં આવે છે. અને એ ઉપયોગમાં જાણવાની ક્રિયા નિરંતર થાય છે જાણવું-જાણવું એ ઉપયોગનો સ્વભાવ છે.
દ્રવ્ય સ્વભાવ એક અને એક ઉપયોગનો પણ સ્વભાવ છે. એ પણ પરિણામિકભાવે છે. પહેલું દ્રવ્ય પારિણામિકભાવે છે દ્રવ્યાર્થિકનયનો વિષય અને આ ભેદ છે એ વ્યવહારનયનો વિષય હોવા છતાં પણ એ પારિણામિક ભાવે છે. પરિણામિક ભાવ કોને કહેવાય કે જેને કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની અપેક્ષા ન હોય. નિરપેક્ષ હોય એને પારિણામિકભાવ કહેવામાં આવે છે. આ પર્યાયાર્થિકનયનો પારિણામિકભાવ છે. અને જ્ઞાયકભાવ છે તે દ્રવ્યાર્થિકનયનો પારિણામિકભાવ છે. એ બેમાં ફેર એટલો છે બેય સ્વભાવ છે. - હવે જે ઉપયોગ છે જેને સ્વભાવ કહ્યો, એ ઉપયોગ છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ ઉપયોગનું લક્ષણ છે. એ લક્ષણ કોનું છે? બેનો પ્રતિભાસ થાય છે જેમાં એટલે ઉપયોગમાં એ ઉપયોગનું લક્ષણ પ્રતિભાસ થાય જેમાં એવી સ્વચ્છતા છે. એ સ્વચ્છતા આત્મામાં એક સ્વચ્છત્વ નામની શક્તિ છે. એ દ્રવ્યમાં વ્યાપે છે. ગુણમાં વ્યાપે છે અને એની પર્યાયમાં ઉપયોગમાં પણ એની સ્વચ્છતા વ્યાપે છે.
૪૭ શક્તિમાં-૧૧ મી શક્તિ છે. ““અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે.” અહીંયા બેનો પ્રતિભાસ થાય છે એ લક્ષણ કહેવું છે ને, એટલે અનેકાકાર કહેવામાં આવે છે. સમજી ગયા! એકાકાર હોવા છતાં પણ બેનો પ્રતિભાસ થાય છે. માટે લોકાલોક, લોક ને અલોક
--
Page #94
--------------------------------------------------------------------------
________________
૮O
અનેકાંત અમૃત સ્વ ને પર બધું આવી ગયું. પ્રકાશમાન લોકાલોકના આકારોથી, આકાર એટલે સ્વરૂપ, લોકાલોકનું જેવું સ્વરૂપ છે એવો અહીંયાં ઉપયોગમાં પ્રતિભાસ થાય છે. એ જે પ્રતિભાસ થાય છે એ પણ સ્વચ્છતા જ છે. એ મલિનતા નથી. સ્વચ્છ રહેવું એ ઉપયોગનો સ્વભાવ છે. પ્રતિભાસ થાય લોકાલોકનો-મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે.
આ ઉપયોગનું લક્ષણ શું-કે સ્વપરને જાણવું એમ લીધું નથી. ગુરુદેવના પ્રતાપે ઘણાં વર્ષોથી ગુરુદેવના પરિચયમાં આવ્યા એટલે ઘણું ઘણું તો સાંભળ્યું અને સમજ્યા તો ખરૂં પણ એક મહત્વની વાત છે એ આપણે મુખ્ય કરીએ છીએ. ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે આની ઉપર-ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ, દ્રવ્યમાં સ્વચ્છત્વશક્તિ છે.એના જ્ઞાન ગુણમાં સ્વચ્છત્વશક્તિ શક્તિરૂપે છે અને ઉપયોગમાં વ્યક્તિરૂપે સ્વચ્છત્વશક્તિ છે. ઉપયોગ તો પ્રગટ થાય છે સમયે-સમયે એમાં સ્વચ્છતા આવે છે. એ દ્રવ્યગુણમાં જે છે શક્તિમાં એ પ્રવાહ પર્યાયમાં આવ્યો સ્વચ્છત્વ શક્તિ, બધા જીવોને એ લાગુ પડે. ભવી હો કે અભવી-મિથ્યાદૃષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ એ એનો સ્વભાવ છે.
ઉપયોગનો સ્વભાવ લોકાલોકનો પ્રતિભાસ થાય એવો સ્વભાવ છે એ ઉપયોગનું લક્ષણ છે. લક્ષણ એટલે એનો સ્વભાવ છે ઈ અનાદિ અનંત. જેમ ઉપયોગ અનાદિ અનંત છે એમ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત છે. એ ગુણ છે દોષ નથી. સ્વપરનો પ્રતિભાસ થાય છે એ ઉપયોગનો ગુણ છે એ ઉપયોગનો દોષ નથી. ઉપયોગ મલિન નથી, એમાં રાગનો પ્રતિભાસ થાય. લોકાલોક એમાં આવી ગયું ને. રાગનો પ્રતિભાસ થાય. સમજી ગયા. મિથ્યાદૃષ્ટિ હોય એને મિથ્યાત્વનો પ્રતિભાસ થાય પણ મિથ્યાત્વ ઉપયોગમાં ન આવે. એ ઉપયોગ તો સ્વચ્છ જ રહે છે. એ ઉપયોગ ને રાગ ભિન્ન ભિન્ન છે. રાગ તો શેયમાં જાય છે અને ઉપયોગ તો આત્મામાં આવે છે. પણ એનો પ્રતિભાસ થાય છે છતાં એ સ્વચ્છ છે એ મલિન થતો નથી. ઉપયોગ કોઈ કાળે મલિન ન થાય. એવો એનો સ્વભાવ છે.
ઉપયોગનો જાણવું અને જાણવા ઉપરાંત સ્વચ્છત્વ એ એનો સ્વભાવ છે. એટલે દર્પણમાં કોલસો, અગ્નિ પ્રતિભાસે તો પણ દર્પણ કાળો ન થાય. દર્પણની પર્યાય (કાળી ન થાય) અને દર્પણની પર્યાય ગરમ પણ ન થાય. એ એનો સ્વભાવ છે સ્વચ્છ. દર્પણની પર્યાયનો સ્વભાવ છે સ્વચ્છ અને સ્વચ્છ સ્વભાવ ક્યાંથી આવ્યો? બહારથી આવે છે? ના. દ્રવ્યમાં રહેલી શક્તિ છે એના ગુણમાં શક્તિ છે દર્પણની અને એ સ્વચ્છત્વ શક્તિ બહાર આવે છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે દર્પણમાં.
એવી રીતે આ જ્ઞાન છે ઉપયોગ એ સ્વભાવ છે. જ્ઞાયકસ્વભાવ છે ત્રિકાળ, ઉપયોગ
Page #95
--------------------------------------------------------------------------
________________
૮ ૧
અનેકાંત અમૃત પણ પ્રગટ થાય છે એ પણ ત્રિકાળી સ્વભાવ છે, અને સ્વપરનો પ્રતિભાસ થાય છે લોકાલોકનો એ પણ ઉપયોગનું લક્ષણ સ્વભાવ છે. જ્ઞાન ઉપયોગનું લક્ષણ જ એવું છે કે સ્વપરનો પ્રતિભાસ થાય, થાય ને થાય જ. અને છતાં એ ગુણ છે દોષ નથી. (શ્રોતા :- જ્ઞાન ઉપયોગનું લક્ષણ છે સ્વપરનો પ્રતિભાસ થાય) હા. એ ઉપયોગનું લક્ષણ જ એવું છે કે જેમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છતાં મલિન થાય નહિ.
અને જેનો પ્રતિભાસ થાય એ એમાં આવે નહિ. લોકાલોક ઉપયોગમાં ક્યાં આવે છે. પ્રતિભાસ થાય, એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ-હવે કૌંસ કરીને ખુલાસો કરે છે. જેમ એટલે જેવી રીતે દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં-દળમાં નહિ. એના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે. ઘટપટ આદિજે પદાર્થો છે એ એમાં દર્પણમાં પ્રતિભાસ થાય છે. દેખાય છે. તેમ, તેવી રીતે આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં-કોના ઉપયોગમાં આત્માના ઉપયોગમાં, ઉપયોગ કોનો છે? આત્માનો છે કે પર પદાર્થનો છે? શરીરનો છે? શાસ્ત્રનો ઉપયોગ હોય? (શ્રોતા:- બિલકુલ નહિ) આત્માનો. તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે એટલે પ્રતિભાસે છે ઉપયોગમાં. આત્મા છે એનો ઉપયોગ પર્યાય છે. અને એનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ છે, સ્વચ્છત્વ શક્તિ છે એટલા માટે આવું એક સ્વરૂપ છે. હવે ત્રણ વાત થઈ.
(૧) જ્ઞાયક અનાદિ અનંત- (૨) ઉપયોગ પ્રગટ થાય છે તે અનાદિ અનંત અને એમાં (૩) સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત. અને ત્રણેય સ્વભાવભૂત છે. ત્રણમાંથી કોઈ વિભાવભૂત નથી. એ સ્વભાવ જ છે એનો જ્ઞાન ઉપયોગનો.
હવે ચોથી વાત છે. એ ચોથી વાત સમજવા જેવી છે કે જેમાં પ્રયોગ કરવાનો છે. ઈ જે સ્વપરનો પ્રતિભાસ થયો ઉપયોગમાં એ ઉપયોગનું નામ શું છે હવે. ઉપયોગનું લક્ષણ તો કહ્યું કે સ્વપરનો પ્રતિભાસ થાય. એ તો એનું લક્ષણ, એ ઉપયોગનું નામ શું છે ? એ ઉપયોગનું નામ ઉપયોગ ન રહ્યું પણ શેયાકાર જ્ઞાન એનું નામ પડ્યું - (૧) જ્ઞાયક છે. (૨) ઉપયોગ (પ્રગટ થાય) છે. (૩) ઉપયોગમાં વપરનો પ્રતિભાસ થાય) છે અને એ ઉપયોગનું નામ હવે (૪) જોયાકાર જ્ઞાન થઈ ગયું. યાકાર જ્ઞાન! - હવે શેયાકાર એટલે શું? કે સ્વપરના જોયો એમાં પ્રતિભાસે છે. એ વિવક્ષા લઈને એને જોયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હવે જોયાકાર જ્ઞાનનો વિષય શું છે? બસ પ્રયોજનભૂત વાત આ ચોથા પછી. ચાર બેસી જાય એને અનુભવ થવાની શક્યતા છે. અને સ્વપરને જાણે છે એને અનુભવ થવાની શક્યતા નથી. ભાઈ ! શું થાય? આહાહા ! ચાર પછી ઉપયોગનું નામ શું? જ્ઞયાકાર જ્ઞાન. એટલે જોયો પ્રતિભાસે છે એટલે જ્ઞયાકાર એટલે
Page #96
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૮૨
શેયોના જે સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ. એનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો ને. એનું નામ શેયાકાર જ્ઞાન. ઉપયોગની એવી ક્રિયા છે, ઉપયોગની ક્રિયા સ્વપરને જાણે છે એવી નથી.
(શ્રોતા :- સ્વપર પ્રતિભાસે એવી ક્રિયા છે જેમાં બંધ મોક્ષથી રહિતપણું છે.) એવી ક્રિયા છે કે જેમાં બંધ અને મોક્ષનો પ્રતિભાસ થાય. પણ બંધ મોક્ષ ઉપયોગમાં આવે નહિ. (શ્રોતા :- બંધ મોક્ષનો પ્રતિભાસ થાય) પણ એ બંધ મોક્ષ છે એ પરભાવ છે, પરદ્રવ્ય છે, એ વિભાવ છે, એ સ્વાંગ છે. સ્વાંગનો પ્રતિભાસ થાય પણ સ્વાંગ અંદર ન આવે-આવે ? (શ્રોતા :- સ્વભાવરૂપ ન થાય) આ તો એકદમ ક્રીમ છે ક્રીમ. ટેપ ઊતરી જાય છે વીડિયો તે સારું છે.
એટલે હવે શેયાકાર જ્ઞાન તો થઈ રહ્યું છે બધાની પાસે અત્યારે-જે આપણે ચાર વ્યાખ્યા કરી એમાં-૪ થા નંબરમાં આવ્યો કે સ્વપરનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનનું નામ, હવે આપણે કહીએ એટલે સંતોએ કહ્યું છે કે જ્ઞેયાકાર જ્ઞાન થયું. સંતો ફરમાવે છે કે આનું નામ જ્ઞેયાકાર જ્ઞાન છે. હવે શેયાકાર જ્ઞાન જે થયું એનો વિષયભેદે ભેદ છે. પંચાધ્યાયી-૧ લો ભાગ ૫૫૮ ગાથા. એ પ્રમાણભૂત છે જે બધાને માન્ય છે આખા સમાજને.
એનો અર્થ કરે છે ૫૫૮ ગાથાનો. જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે, થાય છે એમ નથી લખ્યું, જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન, જેને આપણે ઉપયોગ કહ્યો એવું જ્ઞાન. સમજી ગયા ? આ નવું મતિ શ્રુત થાય એની વાત નથી. (શ્રોતા :- જેને આપણે ઉપયોગ કહ્યો એવું જ્ઞાન) એ જ્ઞાન જે આપણે બીજા નંબરમાં ઉપયોગ કહ્યો-ત્રીજા નંબરમાં પ્રતિભાસ આવ્યો-ચોથા નંબરમાં શેયાકાર જ્ઞાન-આ બીજા નંબરનો જે ઉપયોગ છે એ જ્ઞાન છે-એ જ્ઞાન છે. એ પર્યાય છે.
જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અર્થાત્ એનો અર્થ કરે છે. અર્થાત્ જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, અહીંયા એમ છે. હવે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જો સ્વપ૨ને વિષય કરે છે તો બે થઈ જાય છે. અને સ્વપરનો પ્રતિભાસ થાય છે તો એક રહે છે. (શ્રોતા :- સ્વપરને વિષય કરે તો બે થઈ જાય છે.) જ્ઞાન સ્વને ય જાણે અને જ્ઞાન ૫૨ને જાણે તો બે થઈ જાય છે. પણ બેપણું એમાં નથી. શેયાકાર જ્ઞાન, શેયાકાર જ્ઞાન ત્રણેય કાળે એકને જ જાણે છે. પ૨ને જાણતું નથી. પ૨ને જાણે છે એ જ્ઞેયાકાર જ્ઞાન નથી. એ ઈન્દ્રિયજ્ઞાન અજ્ઞાન છે. (શ્રોતા :- ત્યારે તો જ્ઞાનનું એકપણું સિદ્ધ થાય છે) આમાં એમ કહ્યું ને-તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. એનોય ખુલાસો કરશે.
ફરીથી, જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અનાદિ અનંત જ્ઞાનનો-સ્વભાવ ઉપયોગનો એમાં સ્વપર બેય પ્રતિભાસે છે. જેમ દર્પણમાં પ્રતિભાસે તેમ. એવો એનો સ્વભાવ છે, એ
Page #97
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
८७ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું. સ્વપરને જાણે એ લક્ષણ ન બાંધ્યું. (શ્રોતા :- શેયાકાર જ્ઞાનનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ બાંધ્યો) કહ્યું ને. (શ્રોતા :- પણ સ્વપરને જાણે એ લક્ષણ ન બાંધ્યું. સ્વભાવ નથી એવો) સ્વભાવ હોય તો પરને જાણતાં આનંદ પણ આવવો જોઈએ. પણ પરને જાણતાં તો કોઈને આનંદ આવતો નથી. માટે પરને જાણવું એ છે નહિ, એ જ્ઞાનમાં છે નહિ. એ અજ્ઞાનમાં જાય છે. પરને જાણે છે ઈ ઈન્દ્રિયજ્ઞાન છે-પરસત્તાવલંબી જ્ઞાન છે. પરસમ્મુખ જ્ઞાન, એ આત્માનો સ્વભાવ નથી, અહીંયા તો આત્મા અને આત્માના પરિણામનો સ્વભાવ, આત્માનો સ્વભાવ શું અને આત્માના પરિણામનો સ્વભાવ શું? કેને કહેવાય આત્માના પરિણામ? કે ઉપયોગને આત્માના પરિણામ કહેવામાં આવે છે. નવ તત્ત્વને આત્માના પરિણામ કહેવામાં આવતા નથી. આ ઊંચા પ્રકારનો માલ છે.
કેમ કે નવતત્ત્વને તો પરદ્રવ્ય-પરભાવ કીધા અને પ્રગટ થાય છે તે તો પરદ્રવ્ય છે. નવતત્ત્વ પ્રગટ થાય છે માટે મને પરદ્રવ્ય છે અને જે પ્રગટ છે એ હું છું જ્ઞાયકભાવ. સ્વાંગ કહ્યો ને નવેય ને પરદ્રવ્ય, પરભાવ-કહ્યોને શાસ્ત્રમાં છે. શાસ્ત્રના આધારથી જ આપણે વાત કરીએ છીએ. સંતોએ કહ્યું છે, ગુરુદેવે એનું પ્રતિપાદન કર્યું છે દાંડી પીટીને-અને ગુરુદેવ પાસેથી આ વાત આપણે સાંભળી છે. ગુરુદેવ ન હોત તો આ વાત આપણા કાન સુધી આવત નહિ.
જ્ઞાન અર્થવિકલ્પાત્મક હોય છે. અનાદિ અનંત અર્થાત્ જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, એટલે પ્રતિભાસ થાય છે અને વિષય કરે છે એમ ઉપચારથી વ્યવહારથી કહેવામાં આવે છે, એથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ, વિશેષ નહિ એ સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. બે નથી જ્ઞાન. એક સ્વને જાણે એવું જ્ઞાન અને એક પરને જાણે એવું જ્ઞાન. એવા જ્ઞાનના બે પ્રકાર જ નથી.
આહાહા ! સમયસાર ! કુંદકુંદ ભગવાન ! ખલાસ ! જ્ઞાન એક જ પ્રકારનું છે. એક પ્રકારનું કયું? કે જેમાં સ્વપરનો પ્રતિભાસ થાય. તો પણ બે પ્રકાર થતા નથી. (શ્રોતા:- એ પ્રકારે એક પ્રકારનું છે. અનેકાકાર હોવા છતાં પણ એક છે.) એક છે એકાકાર-બેનો પ્રતિભાસ થાય પણ એ જ્ઞાન બે પ્રકારનું નથી. પ્રતિભાસ બેનો અને જ્ઞાન તો એક જ પ્રકારનું, એનું નામ જોયાકાર જ્ઞાન છે. એ જોયાકાર જ્ઞાનમાં બે શેયો પ્રતિભાસે છે છતાં પણ જ્ઞાન તો એક જ છે. શેયાકાર જ્ઞાન એનું નામ છે. સ્વપર બેયનો પ્રતિભાસ થાય છે તો પણ જ્ઞાન તો એક જ છે. આ વસ્તુનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ બાંધ્યું ને ઉપયોગનું. લક્ષણ બાંધ્યું સ્વપરનો પ્રતિભાસ. એ લક્ષણ છે. સ્વપરને જાણે છે એ લક્ષણ નથી. તે લક્ષણ જ નથી. પરને જાણતું જ નથી જ્ઞાન. તો પછી પરને જાણે છે એ લક્ષણ ઉપયોગમાં સમાય ક્યાંથી ?
Page #98
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૮૪
કોઈ સમજતું નથી શું થાય ? જે સમજશે તેનું કામ થશે એવું છે. આમાં શું થાય ?
જ્ઞાન સામાન્યની અપેક્ષાએ-વિશેષની અપેક્ષાએ બે ભેદ પડે છે એ કહેશે હમણાં. (શ્રોતા :- સામાન્યની અપેક્ષાએ શું છે એ તો સમજી લે) પહેલાં સમજ તો ખરો કે સામાન્ય જ્ઞાન કોને કહેવાય અને વિશેષ જ્ઞાન કોને કહેવાય. આમાં સામાન્ય વિશેષ જ્ઞાનમાં ઉતારો. ઓલું દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એ ન લેવું અત્યારે. બીજે ઠેકાણે લેવાય છે પણ અહીંયા અત્યારે એ ન લેવું. અહીંયા ઉપયોગ છે જે અનાદિઅનંત એ સામાન્ય જ્ઞાન કહેવાય. એ જ્ઞાનને સામાન્ય કહેવાય એ સામાન્ય જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ પાછો વિશેષમાં રહે છે. શાંતિથી સાંભળજો ભાઈ.
(શ્રોતા :- એ સ્વપરનો પ્રતિભાસ વિશેષમાં રહે છે) એ પ્રતિભાસ રહે છે જાતો નથી. (શ્રોતા :- અનાદિ અનંત છે ને) અનાદિ અનંત તો સામાન્યમાં છે. પછી સામાન્યનું વિશેષ થાય જ્ઞેયાકાર જ્ઞાન એમાં આત્મા જણાય જાય. ત્યારે સ્વપરનો પ્રતિભાસ જતો રહેતો હશે ? એકલો સ્વનો પ્રતિભાસ રહેતો હશે ? નહિં. પરનો પ્રતિભાસ બરોબર રહે છે. આહાહા ! પર આવતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી. આહાહા ! અને સ્વના પ્રતિભાસ ઉપર લક્ષ જાય છે તો સમ્યગ્નાન થઈ જાય છે. એ આવશે હમણાં ધીમે ધીમે(શ્રોતા :- પર આવતું નથી, પ૨ જણાતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી એ એના વિશેષમાં પણ આ પરિસ્થિતિ છે)
અને પ્રતિભાસ થાય છે માટે એને જાણવું અનિવાર્ય છે એમ પણ નથી. એનો ખુલાસો. સ્વપરનો પ્રતિભાસ થાય છે. પરનો પ્રતિભાસ થાય છે માટે પ૨ને જાણવું અનિવાર્ય છે એમ નથી. હવે જો પ૨ને જાણવું અનિવાર્ય હોય, પરના પ્રતિભાસને લઈને આપણે કહીએ, કે પરનો પ્રતિભાસ થાય છે તો પ૨ને જાણે છે એમાં શું દોષ ? મોટો દોષ આવે છે. સાંભળો. કે પરનો પ્રતિભાસ થાય છે માટે પ૨ને જાણવું અનિવાર્ય છે જીવને, એનો નિષેધ કરી શકાતો નથી જાણવાનો, સમજી ગયા ! એમ કોઈ દલીલ કરે તો, હું કહું છું કે તો સ્વનો પ્રતિભાસ થાય છે તો એનું જાણવું પણ અનિવાર્ય થાય છે તો કોઈ અજ્ઞાની બનશે નહિ. બધા જ્ઞાની થઈ જશે. ન્યાય સમજાય છે ?
(શ્રોતા :- ૫૨ના પ્રતિભાસને જાણવું અનિવાર્ય હોય તો સ્વનો પ્રતિભાસ થઈ જ રહ્યો છે તો ઈ પણ જણાય જાય, તો બધા જ્ઞાની હોય) હા. અનિવાર્ય થયું ને. (શ્રોતા :- નિયમ થઈ જાય.) અનિવાર્ય શબ્દ બધામાં લાગુ પડે જો તું આને-પરને જાણવું અનિવાર્ય છે તેમ કહે તો. કેમકે પ્રતિભાસ દેખીને જાણે જ છે અને જણાય છે એમ તું કહેતો હોય તો જ્ઞાની કહે
Page #99
--------------------------------------------------------------------------
________________
૮પ
અનેકાંત અમૃત છે મારી વાત સાંભળ, કે સ્વનો પ્રતિભાસ થાય છે કે નહિ? હા, થાય છે. સ્વપરનો બેયનો પ્રતિભાસ આપ કહો છો, શાસ્ત્ર કહે છે એટલે મને મંજૂર છે. સ્વનો પ્રતિભાસ જ્ઞાયકનો તારા જ્ઞાનમાં થાય છે-હા. તો પ્રતિભાસ થાય છે એને જાણવું જો અનિવાર્ય હોય તો તેને સમ્યજ્ઞાન હોવું જોઈએ અત્યારે. (શ્રોતા :- બહુ સરસ કોઈ જીવ અજ્ઞાની ન હોય) બધા જ્ઞાની થઈ જાય. (શ્રોતા :- બધા જ્ઞાની થઈ જાય તો ભેદજ્ઞાનનો ઉપદેશ દેવાની વાત ન
રહી)
કાલે કોઈ દિવસ નહિ, કાલે એવો ભાવ આવ્યો. અવારનવાર પંકજ અહીં આવે છે. કોઈ વખતે એવો ભાવ નહોતો આવ્યો. કાલે એવો ભાવ આવ્યો. ભાવ આવ્યો ત્યારે મેં ઘડીયાળ સામે જોયું ત્યારે એમ થયું કે એની ટ્રેઈન વીરમગામથી છૂટી ગઈ છે અને આ તરફ આવે છે એ પણ ભાવ સાથે આવ્યો-ત્યારે સાથે એમ આવ્યું કે મારા કુટુંબીજન આજે મને મળવા આવે છે. એવો ભાવ કોઈ દિવસ નહોતો આવ્યો-હવે કુટુંબીજન મળવા આવે એને તો બદામનો જ શીરો હોય ને લોટનો મેસૂબ હોય? એવી વાત કુદરતી-કુદરતી નીકળી ગઈ. આ કોઈ વ્યક્તિ વિશેષ માટે છે એમ ન લેવું. યોગાનુયોગ એવું બધું બની જાય છે. સમજી ગયા ! એ સિદ્ધાંતિક વાત છે.
બીજી-સિદ્ધાંતિક વાત અત્યારે તો તીર્થકર ગણધર અત્યારે છે નહિ-તો પણ સિદ્ધાંતિક વાત એવી છે કે જ્યારે તીર્થંકરની વાણી છૂટવાની હોય ત્યારે ગણધર હોય તો જ વાણી છૂટે. એવો એક નિયમ છે કુદરતી-૬૬ દિવસ સુધી વાણી ન ખરી. જુઓ આપણી નજર સામે છે ને મહાવીર ભગવાનની વાણી ન ખરી, જ્યાં ગણધર આવ્યા ને વાણી ધોધમાર છૂટી. સમજી ગયા! આવો કુદરતી નિયમ છે. યોગાનુયોગ છે. કોઈ વ્યક્તિ વિશેષથી વાત આવે છે એમ કોઈએ ન લેવું. સમજી ગયા ! પણ યોગાનુયોગ સૌ સૌની પાત્રતા હોય એ પ્રકારે વાણી છૂટે છે. વાણીનો કર્તાય આત્મા ક્યાં છે. આહાહા !
પ્રતિભાસ થાય છે માટે એને જાણે જ છે. એનો જાણવાનો નિષેધ નહિ કરી શકો-તો કાં પ્રતિભાસ નથી એમ ઉડાડો તો નથી જાણતો એ બરાબર છે. પણ પ્રતિભાસ રાખીએ અને જાણતો નથી એ વાત અમને બેસતી નથી એમ અજ્ઞાની કહે છે. પ્રસંગોપાત ખુલાસો કરવાની જરૂર છે એટલે આવે છે ખુલાસો. જો પ્રતિભાસ રાગનો ને શરીરનો ને લોકાલોકનો થતો હોય તો એ અનિવાર્ય છે કે જ્ઞાન એને જાણે. અમે તો કહીએ છીએ કે પરને જાણે જ છે. પ્રતિભાસ છે માટે જાણે છે. હવે પ્રતિભાસ છે માટે જાણે જ છે એમ નિયમ જો બાંધ તું. તો એક બીજી વાત તને પૂછું છું, કે જ્ઞાયકનો પ્રતિભાસ છે કે નહિ? હા-પ્રતિભાસ તો છે. નિયમ ત્યાં લાગુ પડે તો આમાં ન પડે કે જ્ઞાયક બધાને જણાવો જોઈએ-બધાને અનુભવ
Page #100
--------------------------------------------------------------------------
________________
૮ :
અનેકાંત અમૃત હોવો જોઈએ કોઈ અજ્ઞાની રહે નહિ. માટે એ નિયમ નથી.
પ્રતિભાસ થાય છે માટે એને જાણવું એ નિયમ નથી. મુકુંદભાઈ ! આ જરી સૂક્ષ્મ વાત છે-આમ ભમ્મર ઊંચા ચડી જાય છે એના. જરા આ વિષય એવો છે. થાવું જોઈએ હોં. એમ થાવું જોઈએ. આહાહા! માટે પ્રતિભાસ દેખીને ડરને જાણે છે એ નિયમ રહેતો નથી. આહાહા ! માટે જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. જુઓ-બેનો પ્રતિભાસ થવા છતાં જ્ઞાન તો એક જ છે. કેમકે-હવે એનું કારણ અર્થવિકલ્પપણું બધા જ્ઞાનમાં છે, આઠેય જ્ઞાનમાં છે. આઠેય જ્ઞાનમાં અર્થવિકલ્પપણું એટલે કે સ્વપરનો પ્રતિભાસ થાય એ ઉપયોગનું લક્ષણ છે તે બંધ ન થાય. જે બંધ થાય તો ઉપયોગ રહેતો નથી તો તો લક્ષણ પણ રહેતું નથી. જો લક્ષણ ન રહે તો ઉપયોગ ન રહે-ઉપયોગનું લક્ષણ બાંધ્યું. સ્વપરનો પ્રતિભાસ થાય એ એનું લક્ષણ બાંધ્યું. આઠેય જ્ઞાનમાં-કુમુતિ-કુશ્રુત ને અવધિ-અભવીના જ્ઞાનમાં, એનો ઉપયોગ છે અને એના ઉપયોગમાં પણ સ્વપરનો પ્રતિભાસ છે.
એનું નામ શેયાકાર જ્ઞાન છે. શેયાકાર જ્ઞાનમાં મને પર જણાય છે એમ અનાદિથી કરી રહ્યો છે, એટલે રખડે છે. અને જો પલટો થાય ભવી જીવનો સાંભળતા કે ભલે પ્રતિભાસ થાય રાગનો પણ મને રાગ જણાતો નથી. કેમકે રાગને જાણતાં ઈ રાગમાં એકત્વ કરશે અને રાગનું જાણવું બંધ થશે તો ઉપયોગનો વિષય એકલો આત્મા રહેશે અને આત્માને જાણતાં રાગ ઉત્પન્ન નહીં થાય અને અનુભવ થઈ જશે.
(શ્રોતા - રાગને જાણતાં રાગમાં એત્વ થાય છે) થાય જ. (શ્રોતા :- તે જાણતાં જ એકત્વ થાય ?) જાણેલાનું શ્રદ્ધાના આત્માને જાણવાનું ભૂલી ગયો અને રાગને જાણવા રોકાઈ ગયો. તો ક્યાંક તો અહં કરશે કે નહિ. એણે આત્મામાં અહં કર્યું નહિ તો રાગ ને શરીર ને કુટુંબમાં, મોટરમાં, પૈસામાં, હીરામાં ક્યાંક તો અહં કરશે ને? આહાહા ! (શ્રોતા :- તો જે પર્યાય જાણશે એ પર્યાયમાં એકત્વ થઈ જશે !) હા. એમાં એકત્વ થશે. એકત્વપણે પરને જાણતો અને એકત્વપણે પરિણમતો એનું નામ પર સમય છે. (શ્રોતા - એકત્વપણે પરને જાણતો અને એત્વપણે પરિણમતો-મિથ્યાષ્ટિ છે) અને જ્ઞાયકને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તે સ્વસમય છે. સમ્યગ્દષ્ટિ છે. (શ્રોતા :- સ્વસમય છે તે સમ્યગ્દષ્ટિ છે) આહા! આવી ઊંચી વાતો ક્યાંથી આવે છે? (શ્રોતા :- જાણવામાં શું દોષ ? પ્રભુ! જાણવામાં એકત્વબુદ્ધિનો દોષ છે) પાઠ છે. સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કરી કે રાગને જાણતા પરને જાણતા પરમાં એકત્વબુદ્ધિ કરીને-એકત્વપણે જાણતો. ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ-રાગ અને જ્ઞાન ભિન્ન છે. ત્યાં ભિન્નતાનું ભાન ન રહ્યું એટલે એક લાગ્યું. ઉપયોગ ને રાગ એક છે નહિ. બે ભિન્ન છે એક ચેતન અને એક જડ.
Page #101
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૮૭. રાગ જડ છે. બેન પટેલ છે. બેય આવે છે. પટેલ આત્મા છે. પટેલ-વાણીયા એમ ક્યાં છે. ભગવાન આત્મા છે.
ભગવાન આત્મા છે-પાછો ઉપયોગ પ્રગટ થાય છે અને એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એનું નામ જોયાકાર જ્ઞાન છે-આવા જોયાકાર જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય
જ્યારે ત્યારે અનુભવ થઈ જાય છે. બસ ! કેમકે અર્થવિકલ્પપણે બધા જ્ઞાનોમાં છે, આઠેય જ્ઞાનમાં હોં. પ્રવચનસાર જયસેનાચાર્ય ભગવાનની ટીકામાં બધા જ્ઞાનોમાં છે. પરંતુ, હવે જાઓ, બધા જ્ઞાનોમાં સ્વપરનો પ્રતિભાસ તો છે એટલે જ્ઞયાકાર જ્ઞાન તો બધાને થાય છે. પરંતુ હવે અહીંયા પરસમ્મુખ થાય છે કે સ્વસમ્મુખ થાય છે. એ વાત હવે કરે છે.
પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ-જ્ઞાન સામાન્ય કહ્યું હતું. હવે જ્ઞાનને વિશેષ કહે છે-વિશેષ એટલે સ્વનો સંબંધ એ પણ વિશેષ અને પરનો સંબંધ એ પણ વિશેષ. પેલો ઉપયોગ સામાન્ય છે એને કોઈ વિષય ન હતો. સાંભળજો. સામાન્ય કેમ કહ્યું? એનો વિષય કોઈ નથી. (શ્રોતા :- માટે બંધ મોક્ષની પ્રવૃત્તિ તો હતી નહિ) અને હવે, એ જે સામાન્ય હતું જ્ઞાન, જેમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, એવું જ્ઞયાકાર જ્ઞાન તો બધાની પાસે છે. હવે એવું જોયાકાર જ્ઞાન-તેના જ્ઞાનના બે ભેદ થઈ જાય છે-જ્ઞાન એક જ હતું. હવે જ્ઞાનના બે ભેદ-સમ્યજ્ઞાન ને મિથ્યાજ્ઞાન હો-બે ભેદ એટલે? જ્ઞાન તો એક જ છે પણ એનું નામ ભેદ છે. વિષયભેદે નામ ભેદ છે. (શ્રોતા :- વિષયભેદે નામ ભેદ) છે. જ્ઞાન તો એક જ છે. એક જ જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે હોય અને એ જ જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે હોય એમ નથી. અને એ જ જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે હોય અને બીજી જ્ઞાન મિથ્યાજ્ઞાનરૂપે હોય એમ નથી. જ્ઞાન એક જ છે. વિષયભેદે નામ ભેદ હોવા છતાં જ્ઞાન તો એક જ છે. સમજાણું? જ્ઞાનના બે પ્રકાર થઈ જાય? નહિ. જ્ઞાન તો એક જ પ્રકારે છે. સ્વસમ્મુખ થાય એને સમ્યજ્ઞાન અને પરમસન્મુખ થાય એને મિથ્યાજ્ઞાન કહેવાય. વિષયભેદે નામભેદ છે તો પણ જ્ઞાન તો એક જ છે. આહાહા ! - અજ્ઞાની પાસે અજ્ઞાનભાવ છે અને જ્ઞાની પાસે જ્ઞાનભાવ છે. બસ. આહાહા ! ઈન્દ્રિયજ્ઞાન છે એ કાંઈ જ્ઞાનીનું જ્ઞાન નથી એ શેયનું જ્ઞાન છે. ઈન્દ્રિયજ્ઞાન તો સંયોગ છે. હવે નવતત્ત્વ સંયોગ છે તો પછી ઈન્દ્રિયજ્ઞાનની તો વાત જ શું કરવી? બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે હોં. ઓહોહોહોહો ! વિશેષ વિષયોની અપેક્ષાએ, શેયાકાર જ્ઞાનમાં તું કોને જાણે છે વર્તમાનમાં ! વિશેષ-વર્તમાન જ્ઞયાકાર જ્ઞાન તો છે બધાની પાસે. સામે પદાર્થ રાખીને જો કે શેય જણાય છે કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પ્રયોગ કરને હવે. થીયરી તો આવી ગઈ. હવે પ્રયોગની વાત છે. જ્ઞાયક ! શેયાકાર જ્ઞાન તો થયું-હવે જો એનો વિષય પર હોય
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૮
અનેકાંત અમૃત તો મિથ્યાજ્ઞાન અને સ્વ થાય તો સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન બે એક સાથે રહેતા નથી. નિશ્ચય અને વ્યવહાર એક સાથે રહે-નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય એક સાથે રહે-પણ મિથ્યાજ્ઞાન હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાન હોય ત્યારે મિથ્યાજ્ઞાન એમ છે નહિ, જ્ઞાન એક જ છે. કાં સમ્યજ્ઞાન અને કાં મિથ્યાજ્ઞાન. કાં બંધમાર્ગમાં જાય છે અને કાં મોક્ષમાર્ગમાં આવી જાય છે.
એ જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. હવે બે ભેદના નામ આપે છે. બે ભેદના નામ આપે છે. વિષયભેદે બે નામ થઈ જાય છે. સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન નામ પામે છે. જ્ઞાયકને જાણે છે-સ્વને જાણે તો સમ્યજ્ઞાન છે અને પરનું લક્ષ કરીને પરને જાણવા જાય છે તો મિથ્યાજ્ઞાન નામ પામે છે. એ તો સંસાર છે ઈ પરસમય છે. પરને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તેને પરસમય કહેવામાં આવે છે. ભગવાન આત્માની સન્મુખ થઈને જે જ્ઞાન એકત્વપણે, એમ ભિન્ન રહીને એને નથી જાણતું જ્ઞાન. (શ્રોતા :- ત્યાં સુધી તો જોયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો.) ત્યાં સુધી અનુભવ નથી. એકત્વ થાય ત્યારે સ્વરૂપ પ્રકાશનની અવસ્થા થઈ, ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન હતું. આહાહા !
જ્ઞાયકને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો તેનું નામ સ્વસમય એટલે સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અને રાગની સન્મુખ થઈને પરની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનનું નામ-પરમાં એકત્વ થઈને જાણતો-એકાકાર થઈને જાણતો કે રાગ હું છું અને એકત્વપણે પરિણમતો પાછું એકત્વપણે જાણે છે એમ નહિ પણ એકત્વબુદ્ધિપણે પરિણમે છે. તેનું નામ મિથ્યાજ્ઞાન છે. તેને પરસમય કહેવામાં આવે છે. થઈ ગયો ટાઈમ પુરો. ત્રણ ચાર મિનિટ બાકી છે પણ હવે નહીં ચાલે વધારે.
પહેલાના કાળમાં તો ખબર ન પડે અને એક કલાક ચાલતું. મનેય ખબર ન પડે. હવે ખબર પડે છે કે ટાઈમ થઈ ગયો. (શ્રોતા :- પણ પૂરેપૂરું દઈ દીધા પછી ખબર પડે છે.) ચાર સુધી તો સ્વભાવ કહ્યો. (શ્રોતા :- હા જી પ્રભુ) પછી જ્ઞાનને સ્વ તરફ વાળવું કે પર તરફ વાળવું ઈ એની મરજીની વાત છે ઇચ્છા એની. શલ્ય છે હું પરને જાણું છું. એટલે પર તરફ વળવું એને વિભાવ હોવા છતાં સ્વભાવરૂપ ક્રિયા લાગી એટલે નિષેધ નથી આવતો. સ્વભાવરૂપ ક્રિયા લાગી. (શ્રોતા :- સ્વભાવરૂપ ક્રિયાનો નિષેધ કેવી રીતે આવે એ તો ઝેર છે એમ સમજે તો ખબર પડે) ઝેર જ છે. ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય એટલે મોહ ઉત્પન્ન થાય જ.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે કે જાણે એમાં મમત્વ કરે છે. ઈન્દ્રિયજ્ઞાન જેને જાણે છે એમાં મમત્વ કર્યા વગર રહેતું નથી. મમત્વ કહો-મોહ કહો કે રાગદ્વેષ કહો. એકાર્થ છે
Page #103
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત માટે ભાવઈન્દ્રિયને જીતવાનું કહ્યું છે. પહેલો પાઠ એ છે. મિથ્યાત્વને જીતવાનો પહેલો પાઠ છે. ૩૧ મી ગાથામાં ઈન્દ્રિયજ્ઞાનને જીતવાનું કહ્યું. ઈન્દ્રિયજ્ઞાનને કેમ જીતવું? એને જાણવાનું બંધ કરીને અધિક જાણે આત્માને. આત્માને જાણતાં ઈન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે, ક્ષય થતો નથી. (શ્રોતા :- બંધ થઈ જાય છે.) બંધ થઈ જાય છે. પછી પાછું ઉત્પન્ન થાય તો પણ તેમાં એકત્વ થતું નથી. અહીં એકત્વ થઈ ગયું ને એટલે ત્યાં એકત્વ થતું નથી.
(શ્રોતા :- ઈન્દ્રિયજ્ઞાન થાય એનો ક્યાં વાંધો છે – એકત્વ થાય એનો વાંધો છે, તે નીકળી ગયું) મમતા ન રહી. શાસ્ત્રજ્ઞાનના ઉઘાડમાં મમતા ગઈ. જોય છે ને. પછી પ્રતિભાસ દેખીને ઉપચારથી જાણેલો પ્રયોજનવાન કહેવાય. (શ્રોતા :- ઈન્દ્રિયજ્ઞાનનો પ્રતિભાસ દેખીને ઉપચારથી જાણેલો પ્રયોજનવાન કહેવાય.) જાણતો નથી. (શ્રોતા :- ફરીથી) જાણે છે ઈન્દ્રિયજ્ઞાન. ઈન્દ્રિયજ્ઞાન અને એના વિષયો બેય પ્રતિભાસે છે. જ્ઞાનમાં ઉપયોગમાં આવતા નથી. ઈન્દ્રિયજ્ઞાનેય આવતું નથી અને એનો વિષય પણ આવતો નથી.
પ્રતિભાસ કીધો પછી ઉડી ગયું-ભેદજ્ઞાન થઈ ગયું. આ તો ભેદજ્ઞાનની ચાવી છે. (શ્રોતા :- ભાઈ આ ચાવી હાથમાં ન આપી હોત તો કોઈ રીતે તાળું ખુલત નહિં.) સ્વપરપ્રકાશકમાં જીવો ગોથું ખાઈ ગયા-હજારો વાર સેંકડો વાર સંતો કહે છે. આગમ કહે છે. ગુરુદેવ પણ કહે છે. પણ પ્રતિભાસ તારો સ્વભાવ છે. (શ્રોતા :- પ્રતિભાસ શબ્દ રહસ્યમય છે. તેનો જરા વિચાર કરે તો રહસ્ય ખૂલી જાય.) સમયસારમાં બીજી ગાથામાં એનું રહસ્ય ખોલી નાખ્યું છે. બીજી ગાથાની ટીકામાં એ ખોલ્યું છે. ટીકા કરી છે એટલે અનુવાદ કર્યો છે-અનુવાદકર્તાએ બહુ સારી વાત કરી છે. પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી. પ્રકાશે છે બેયને.
જેણે સમસ્ત રૂપને પ્રકાશનાર એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. એ તો અનુવાદ કર્યો ગુજરાતી. હવે એનો કસ કર્યો કોઈએ કોણે કર્યો ઈ ખબર નથી. અર્થાત્ જેમ-જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, પેલામાં આવ્યું હતું પ્રકાશે છે-આમાં આવ્યું કે પ્રતિભાસે છે-એવા એક જ્ઞાનના આકારરૂપ જે છે-(શ્રોતા:- પાછું ત્યાં પણ એક જ કહ્યું) એક જ છે ને પણ જ્ઞાન તો એક જ હોય ને. અનેક પ્રતિભાસે એટલે જ્ઞાનના અનેક પ્રકાર થઈ ગયા? રાગને જાણનારું જ્ઞાન જુદું. ક્રોધને જાણનારું જ્ઞાન જુદું. દેવને જાણનારું જ્ઞાન જાદુ. શાસ્ત્રને જાણનારું જ્ઞાન જાદુ. સોનગઢને જાણનારું જ્ઞાન જાથું મુંબઈને જાણનારું જ્ઞાન જુદું. અમેરિકાને જાણનારું જ્ઞાન જુદું. એમ હોય કોઈ દિ' ?
Page #104
--------------------------------------------------------------------------
________________
co
અનેકાંત અમૃત
प्रवयनसार गाथा - ४८]
अथ सर्वमजानन्नेकमपि न जानातीति निश्चिनो ति
जोण विजाणदिजुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे। णादं तस्स ण सक्कं सपञ्जय दव्वमेगं वा ॥ ४८ ॥ योन न विजानाति युगपदर्थान् त्रैकालिकान् त्रिभुवनस्थान् । ज्ञातुं तस्य न शक्यं सपर्ययं द्रटमेकं वा ॥ ४८ ॥
જાણે નહિ યુગપદ ત્રિકાળિકત્રિભુવનસ્થ પદાર્થને,
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૪૮ मन्वयार्थ :- (य:) ४ (युगपद्) भेडीसाथे (त्रैकालिकान् त्रिभुवनस्थान) les त्रिभुवनस्थ (- नासनेत्रो मोन) (अर्थान्) पहोंने (न विजानाति) तो नथी, (तस्य) तेने (सपर्ययं) पर्याय सहित (एकं द्रव्यं वा) मे द्रव्य ५५॥ (ज्ञातुं न शक्यं) uj शस्य नथी.
इह किलेकमाकाशद्रव्यमेकं धर्मद्रव्यमेकमधर्मद्रव्मसंख्येयानि कालद्रव्याण्यनन्तानि जीवद्रव्याणि । ततोऽप्यनन्तगुणानि पुद्गलद्रव्याणि । तथैषामेव प्रत्येकमतीतानागतानुभूयमानभेदभिन्ननिरवधिवृत्तिप्रवाहपरिपातिनोऽनन्ता: पर्यायाः । एवमेतत्समस्तमपि समुदितं ज्ञेयम् । इहैवैकं किंचिजीवद्रव्यं ज्ञातृ । अथ यथा समस्तं दाह्यं दहन् दहन: समस्तदाह्यहेतुक समस्तदाहाकारपर्यायपरिणतसक लैक दहनाकारमात्मानं परिणमति, तथा समस्तं ज्ञेयं जानन् ज्ञाता समस्तज्ञे यहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकज्ञानाकार चेतनत्वात् स्वानुभवप्रत्यक्षमात्मानं परिणमति । एवं किल द्रव्यस्वभावः । यस्तु समस्तं ज्ञेयं न जानाति स समस्तं दाह्यमदहन् समस्तदा हेतुकसमस्तदाह्याकारपर्यायपरिणतसकलै कदहनाकारमात्मानं दहन इव समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकज्ञानाकारत्मात्मानं चेतनत्वात् स्वानुभवप्रत्यक्षत्वेऽपि न परिणमति । एवमेतदायाति य: सर्व न जानाति स आत्मानं न जानाति ॥ ४८॥
હવે સર્વને નહિ જાણનાર એક ને પણ જાણતો નથી એમ નક્કી કરે છે :
ટીકાઃ- આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે, એકધર્મદ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે, અસંખ્ય કાળદ્રવ્યો છે, અનંત જીવદ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગુણા પુદ્ગલદ્રવ્યો છે; વળી તેમને
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૧
અનેકાંત અમૃત જ પ્રત્યેકને અતીત, અનાગત અને વર્તમાન એવા (ત્રણ) ભેદોથી ભેટવાળા નિરવધિ ૨વૃત્તિપ્રવાહની અંદર પડતા (-સમાઈ જતા) અનંત પર્યાયો છે. એ રીતે આ બધોય (દ્રવ્યોને પર્યાયોનો) સમુદાય જોય છે. તેમાં જ એક કોઈ પણ (ગમે તે) જીવદ્રવ્ય જ્ઞાતા છે. હવે અહીં, જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક (-સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા) સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એક દહન જેનો આકાર છે એવા પોતારૂપે (-અગ્નિરૂપે) પરિણમે છે, તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા (-આત્મા) સમસ્તશેયહેતુક સમસ્તત્તેયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે-જે ચેતનપણાને લીધે સ્વાનુભવપ્રત્યક્ષ છે તે રૂપે-પરિણમે છે. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત શેયને નથી જાણતો તે (આત્મા), જેમ સમસ્ત દાહ્યને નહિ દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક સમસ્તદાહ્યાકારપર્યાયે પરિણમેલું સકળ એકદહન જેનો આકાર છે એવા પોતારૂપ પરિણમતો નથી તેમ, સમસ્તøયuતક સમસ્તøયાકારપર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે-પોતે ચેતનપણાને લીધે સ્વાનુભવ-પ્રત્યક્ષ હોવા છતાં પણ-પરિણમતો નથી (અર્થાત્ પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી જાણતો નથી). આ રીતે એમ ફલિત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને (-આત્માને) જાણતો નથી.
ભાવાર્થ:- જે અગ્નિ કાષ્ટ, તૃણ, પર્ણ વગેરે સમસ્ત દાહ્યને દહતો (-બાળતો) નથી, તેનો દહનસ્વભાવ (કાષ્ટાદિ સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા) સમસ્તદાહ્યાકારપર્યાયે નહિ પરિણમતો હોવાથી અધૂરારૂપે પરિણમે છે-પરિપૂર્ણરૂપે પરિણમતો નથી, તેથી પરિપૂર્ણ એકદહન જેનું સ્વરૂપ છે એવો તે અગ્નિ પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી, તેવી જ રીતે જે આત્મા સમસ્ત દ્રવ્ય-પર્યાયરૂપ સમસ્તયને જાણતો નથી, તેનું જ્ઞાન (સમસ્ત જોય જેનું નિમિત્ત છે એવા) સમસ્તન્નયાકાર પર્યાયે નહિ પરિણમતું હોવાથી અધૂરારૂપે પરિણમે છેપરિપૂર્ણરૂપે પરિણમતું નથી, તેથી પરિપૂર્ણ એક જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતારૂપે જ પૂર્ણ રીતે પરિણમતો નથી અર્થાત્ પોતાને જ પૂર્ણ રીતે અનુભવતો-જાણતો નથી. આ રીતે સિદ્ધ થયું છે કે જે સર્વને જાણતો નથી તે એકને-પોતાને-(પૂર્ણ રીતે) જાણતો નથી. ૪૮
૧. નિરવધિ = અવધિ-ઉદ-મર્યાદા-અંત વગરનું. ૨. વૃત્તિ = વર્તવું તે; ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય; અસ્તિત્વનું પરિણતિ. ૩. દહન = દહવું-બાળવું તે. ૪. આકાર = સ્વરૂપ. ૫. સકળ = આખું: પરિપર્ણ. ૬. પોતારૂપે = નિજરૂપે; આત્મારૂપે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૯ ૨
અનેકાંત અમૃત
પ્રિવચનસાર ગાથા - ૪૯]
अथैकमजानन् सर्वं न जानातीति निश्चनोति
दव्वं अणंतपज्जयमेगमणं ताणि दव्वजादाणि । ण विजाणदिजदिजुगवं किध सो सव्वाणि जाणादि॥ ४९॥ द्रव्यमनन्तपर्यायमेक मनन्तानि द्रव्यजानाति । न विजानाति यदि युगपत् कथं स सर्वाणि जानाति ॥ ४९ ॥
જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને
युग५६ नो , तोते उभो सर्वने ? ४८. * अन्वयार्थ :- (यदि) (अनन्तपर्यायं) अनंत पायवाणी (एकं द्रव्यं) मे. द्रव्यने (अनन्तानि द्रव्यजानाति) तथा अनंत द्रव्यसभूउने (युगपद्) युग५६ (न विजानाति) तो नथी (स:) तो ते (पुरुष) (सर्वाणि) सर्वने (-अनंत द्रव्यसभूडने) (कथं जानाति) ४७ रीते જાણી શકે ? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.)
__ आत्मा हि तावत्स्वयं ज्ञानमयत्वे सति ज्ञातृत्वात् ज्ञानमेव । ज्ञानं तु प्रत्यात्मवर्ति प्रतिभासमयं महासामान्यम् । ततु प्रतिभासमयानन्तविशेषव्यापि। तेच सर्वद्रव्यपर्यायनिबन्धना: । अथ यः सर्वद्रव्यपर्यायनिबन्धनान्तविशेषव्यापिप्रतिभासमयमहासामान्यरुपमात्मानं स्वानुभवप्रत्यक्षं न करोति स कथं प्रतिभासमयमहासामान्यव्याप्य प्रतिभासमयानन्तविशेषनिबन्धनभूतसर्वद्रव्यपर्यायान् प्रत्यक्षीकुर्यात् । एवमेतदायाति य आत्मानं जानाति स सर्व न जानाति । अथ सर्वज्ञानादात्मज्ञानमात्मज्ञानात्सर्वज्ञान मित्यवतिष्ठते । एवं च सति ज्ञानमयत्वेन स्वसंचेतकत्वादात्मनो ज्ञातृशेययोर्वस्तुत्वेनान्यत्वे सत्यपि प्रतिभासप्रतिभास्यमानयोः स्वस्यामवस्थायामन्योन्यसंवलनेनात्यन्तमशक्यविवेचनत्वात्सर्वमात्मनि निखातमिव प्रतिभाति । यद्येवं न स्यात् तदा ज्ञानस्य परिपूर्णात्मसंचेतनाभावात् परिपूर्णस्यैकस्यात्मनोऽपि ज्ञानं न सिद्धयेत् ॥ ४९॥
* २॥ ॥थानी भी शत अन्वयार्थ :- (यदि) हो (अनन्तपर्यायं) अनंत ५यायवाणा (एकं द्रव्यं) मे द्रव्यने (-२मात्मद्रव्यने) (न विजानाति) तो नथी (स:) तोते (पुरुष) (युगपद्) युग५६ (सर्वाणि अनन्तानि द्रव्यजानाति) सर्व अनंत द्रव्यसमूडने (कथं जानाति) 55 ते 20 : ?
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૩
અનેકાંત અમૃત
હવે એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છે :
ટીકા :- પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે; અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું (-રહેતું) પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે (પ્રતિભાસમય મહાસામાન્ય) પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે; અને તે વિશેષોનાં (-ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય (-વ્યપાવાયોગ્ય) જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી (જાણી) શકે? ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી.
હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન; અને આમ હોતાં; આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંતક હોવાથી, જ્ઞાતા અને શેયનું વસ્તપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને શેય, આત્માની-જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છે-જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે-અનુભવે છે-જાણે છે; અને પોતાને જાણતાં સર્વજોયો-જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે-જણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી શેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જ આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય.
ભાવાર્થ :- ૪૮ ને ૪૯ મી ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન અને સર્વનું જ્ઞાન એકીસાથે જ હોય છે. પોતે અને સર્વ-એ બેમાંથી એકનું જ્ઞાન હોય અને બીજાનું ન હોય એ અસંભવિત છે.
આ કથન એકદેશ જ્ઞાનની અપેક્ષાએ નથી પરંતુ પૂર્ણ જ્ઞાનની (કવળજ્ઞાનની) અપેક્ષાથી છે. ૪૯ ૧. જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો-ભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત શેયભૂત સર્વદ્રવ્યો અને પર્યાયો છે. ૨. નિખાત= ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું.
@
Page #108
--------------------------------------------------------------------------
________________
८४
અનેકાંત અમૃત
વિડીયો કેસેટ પ્રવચન નં. ૬૮૫ સળંગ પ્રવચન નં. ૭
તા. ૩-૮-૯૦
આપણે બે દિવસ થયા વિષય ચાલે છે કે આત્માનું સ્વરૂપ શું છે અને એનો અનુભવ કેમ થાય? એ વિષયની મુખ્યતાથી ચર્ચા ચાલે છે. એમાં ચાર બોલથી સ્વભાવની સિદ્ધિ કરી. એક જ્ઞાયક ભાવછે એ શુદ્ધ આત્મતત્ત્વ છે. એ અનાદિ અનંત પરિપૂર્ણ નિત્ય નિરાવરણ એને કોઈ પ્રકારનું ભાવકર્મ-દ્રવ્યકર્મ કે નોકર્મનું આવરણ નથી. એવો શુદ્ધ સ્ફટિક સમાન સ્વચ્છ અને શુદ્ધ છે આત્મા. એને કોઈની અપેક્ષા નથી. અનાદિ અનંત એ સ્વભાવ છે. છે ને છે. છે. છે ને છે એમ જ રહેવાનો અનાદિ અનંત. એમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી, એને આત્મા કહેવામાં આવે છે. એ આત્માનું લક્ષ કરતાં જીવને સમ્યગ્દર્શનાદિ ભાવો પ્રગટ થાય છે. એવા શુદ્ધાત્માને લક્ષ કરનારું જ્ઞાન પણ જોઈએ. જ્ઞાન વિના જ્ઞાયકને જાણે કોણ ? કેમ કે જ્ઞાયક જ્ઞાયકને નથી જાણતો-જ્ઞાન જ્ઞાયકને જ્ઞાયક થઈને જાણે છે. જ્ઞાયક તો નિષ્ક્રિય છે, એમાં તો ક્રિયા છે નહિ એટલે ક્રિયા જેમાં ન હોય એ આને જાણે ને આને ન જાણે એ એમાં રહેતું નથી.
પછી જ્ઞાયક ઉપરથી બીજો ભાવ લીધો કે એને જાણનાર જોઈએ. એને જાણનાર એક ઉપયોગ પ્રગટ થાય છે. કોને જાણનાર? જ્ઞાયકને જાણનાર - ધ્યાન રાખજો. પરને જાણનાર નહિ અને સ્વપરને જાણનાર નહિ. પરને જાણનાર એવો ઉપયોગ પ્રગટ થતો નથી, કોઈ કાળે, ભૂતકાળમાં થયો નથી. વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યકાળે થશે નહિ. અને એ ઉપયોગ પ્રગટ થાય છે એ પરને જાણનારો તો પ્રગટ થતો નથી પણ સ્વપરપ્રકાશક જ્ઞાન પણ પ્રગટ થતું નથી. એકલું સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. એનું નામ ઉપયોગ છે. હવે એ ઉપયોગ છે, જે પ્રગટ થાય છે તે પરિણામિકભાવે છે નિરપેક્ષ છે, એને કોઈ કર્મની અપેક્ષા નથી. - હવે એ બે નંબર થયાં. (૧) ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત અને (૨) ઉપયોગ પણ આવો અનાદિ અનંત છે. હવે ત્રીજા બોલમાં શું કહે છે કે ઉપયોગનું લક્ષણ શું? સ્વને જાણે એમ લક્ષણ ન બાંધતા, સ્વપરનો એમાં પ્રતિભાસ થાય છે એવું એનું લક્ષણ છે. નહિતર એકાંત થઈ જાય. કેમ કે જો એકાંતે આમ જ હોય તો કોઈ અજ્ઞાની અને કોઈ જ્ઞાની એવા બે ભેદ ન રહે માટે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વપરને જાણે છે એમ નહિ. સ્વપરનો
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૫
અનેકાંત અમૃત પ્રતિભાસ થાય છે. ત્રીજો બોલ એ કહ્યો. - હવે એ જે સ્વપરનો પ્રતિભાસ જેમાં થાય છે એ જ્ઞાનઉપયોગ સામાન્યમાં એ જ્ઞાન ઉપયોગનું નામ જોયાકાર જ્ઞાન છે, જોયાકાર એટલે સ્વ અને પર બે પ્રકારના જોયો છે-બેને જાણે છે માટે શેયાકાર છે એમ નહિ. બેનો પ્રતિભાસ થાય છે બે શેયનો, માટે એ જ્ઞાનની પર્યાયનું નામ જોયાકાર જ્ઞાન છે. હવે એ જોયાકાર જ્ઞાન જ સ્વને જાણે તો સમ્યજ્ઞાન પર જાણે તો મિથ્યાજ્ઞાન. અહીંયા ભેદજ્ઞાનની કળા રહેલી છે.
હવે આ પ્રતિભાસનું પેટ બહુ મોટું છે. પ્રતિભાસ છે ને એનું પેટ બહુ મોટું છે. એ એના કરતાં જ્ઞાનનું પેટ એવું મોટું છે કે લોકાલોક પ્રતિભાસે છે એને તો એ જ્ઞાન પી જાય છે, એના કરતાં અનંત અલોકાકાશ હોય તો પણ એને પ્રતિભાસીને પી જાય છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એક વિષય એવો આજે લેવો છે-ગૂઢ છે પણ સમજવા જેવો છે. આ વિષય સમજશે તો એને પ્રતિભાસનો મહિમા આવી જશે અને પરને જાણુ છું એ શલ્ય નીકળી જશે. એટલો એમાં આત્મલાભ થશે એવી વાત અત્યારે આપણે કરવાની છે એ પ્રવચનસારમાં છે.
આ બધું શાસ્ત્રમાં છે. પ્રવચનસાર એનો જે જ્ઞાન અધિકાર છે એમાં ૩૦ ગાથાથી વિષય ચાલતો ચાલતો ૪૮-૪૯ ગાથાએ પૂરો થાય છે. એમાં આપણે ૪૮ ગાથા લઈએ અને આપણે જે કહેવું છે એ ૪૯ ગાથામાં આવશે. પહેલાં હું ૪૮ ગાથા જોઈ જાઉં અને વાંચી જાઉં. પછી ૪૯ ગાથા આવશે એમાં ખૂબ વિસ્તાર કરવાનો છે. પ્રવચનસાર જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન ગાથા ૪૮.
હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી-અહીં આપણે પહેલાં શું કહ્યું કે સર્વને જાણવું એ સ્વભાવ નથી. પણ એકને જાણવું તે સ્વભાવ છે. જરાક વાત ગૂઢ ને ગંભીર છે. સમજી ગયા. અહીંયા એમ કહે છે કે જે સર્વને નહિ જાણનાર લોકાલોકને જે જ્ઞાન જાણતું નથી, એ એકને જાણતું નથી. આપણે શું કહ્યું કે લોકાલોકને જાણવાનો સ્વભાવ નથી. આપણે એમ કહ્યું ને ! તો પછી વિરોધ વાત આવી ને-ના. વિરોધ નથી અવિરોધ છે. તું પહેલા પ્રતિભાસને મુખ્ય રાખજે-પ્રતિભાસને મુખ્ય રાખીશ તો સમજાશે-પ્રતિભાસનું પેટ બહુ મોટું છે.
જે સર્વને નહિ જાણનાર, હવે સર્વને કેવી રીતે જ્ઞાન જાણે છે એ જગતને ખબર નથી. એનું અંધારું થઈ ગયું છે. લોકાલોકને જાણે કેવળી, છબસ્થ પણ પોતાના ક્ષયોપશમ અનુસાર સ્વપર બેયને જાણે-પણ જ્ઞાન કેવી રીતે પરને જાણે છે. (૧) પરસમ્મુખ થઈને જાણે છે (૨) પ્રતિભાસની સન્મુખ થઈને જાણે છે (૩) કે પ્રતિભાસ જેમાં-જ્ઞાનની પર્યાયમાં થાય એ
Page #110
--------------------------------------------------------------------------
________________
૯૬
અનેકાંત અમૃત જ્ઞાનની પર્યાયની સન્મુખ થઈને જાણે છે. (૪) કે જ્ઞાયકની સન્મુખ થઈને જ્ઞાયકને જાણતાં એ બધું જણાય જાય છે. છે શું? કેવી રીતે જાણે છે? જાણે છે એમ તો કહ્યું-કેવી રીતે જાણે છે એ સમજવા જેવું છે.
પરને જાણે છે એ તો દુનિયા આખી કહે છે-પણ જાણે છે કેવી રીતે પાને-પાને જાણે છે હોં, નથી જાણતો એમ નહિ. પરનું જાણવું ઉડતું નથી-પણ પરનું લક્ષ ઉડે છે અને પર જણાય જાય છે. પરનું લક્ષ છૂટી જાય છે અને લોકાલોક જણાય જાય છે. આહા ! અભૂત ચમત્કારિક વાતો છે આ બધી -(શ્રોતા :- પરનું જાણવું થઈ જાય છે ને પરનું લક્ષ છૂટી જાય છે આ જાણવાની ટેકનોલોજી છે) ટેકનોલોજી છે. અદ્ભુત વાત છે. જો થોડુંક મનને ચિત્તને એકાગ્ર કરીને જો સાંભળશે આ, તો થોડું સમજાશે અને વારંવાર વિચાર કરશે તો ઘણું સમજાશે.
હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી, આત્માને જાણતો નથી. જે લોકાલોકનો જાણતો નથી તે આત્માને જાણતો નથી. પહેલા આપણે એમ કહ્યું કે લોકાલોકને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી એમ આપણે કહ્યું પહેલાં, અને પછી આચાર્ય ભગવાન કહે છે કે જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. એ શું? તો તો વિરોધ આવ્યો. કે ના. એમાં વિરોધ નથી. અવિરોધ વાત છે જો સાંભળ તું. જાણવાની પદ્ધતિ આખી જુદી છે. એની રીત જુદી છે જાણવાની.
જાણે નહિ યુગપ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. જે સર્વને જાણતો નથી તે એક દ્રવ્યને જાણતો નથી.
અન્વયાર્થ : જે એકી સાથે-એકી સાથે સૈકાલિક ત્રિભુવનસ્થ. ત્રણે કાળમાં ત્રિભુવનસ્થ એટલે રહેલા, જગતમાં રહેલા પદાર્થો ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થોને જાણતો નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. આમાં પંડિતોએ ગોથું ખાધું. જુઓ આમાં ચોખ્ખું લખ્યું છે. સર્વને જાણે એ એકને જાણે-તમે કહો છો પરને જાણતો નથી-પરને જાણતો નથી. પ્રવચનસારની ગાથા ૪૮ વાંચો-આને માનો છો કે નહિં? હા. અમે કહીએ છીએ કે લોકાલોકને જાણે છે-લાલુભાઈ કહે છે આ? હા. હું કહું છું-લખી દઉં. હું લખીને આપું તને.
ત્રણે કાળના પદાર્થને પર્યાય સહિત જ્ઞાન જાણે છે. છદ્મસ્થનું જ્ઞાન જાણે છે. કેવળી તો જાણે પણ છબસ્થનું જ્ઞાન પણ જાણે છે. આહાહા ! પણ કેવી રીતે જાણે છે? આહાહા ! એ માલ છે એમાં.
Page #111
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
ટીકા :- આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે. એમ કોઈને લાગે કે ભાઈ આટલું બધું ઝીણું કેમ છે. ભાઈ ઝીણું નથી આ તો હજી જાડું છે. ઝીણું તો હજી ઘણું છે. આ તો હજી સ્થળ છે.
આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે, એક ધર્મદ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે. અસંખ્ય કાળદ્રવ્યો છે, અનંત જીવદ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગણા પુદ્ગલદ્રવ્યો છે. લ્યો દ્રવ્યો છે અને એ દ્રવ્યોને બધાને જાણે છે જ્ઞાન. દ્રવ્યોની સિદ્ધિ કરી શું કામ? કે જાણે છે એમ કહેવું છે એટલે એને જાણે છે. અવસ્તુ નથી હોં. અહીંયા એને જાણે છે એમ સિદ્ધ કરવું હોય ત્યારે અવસ્તુ નહિ. પણ દ્રવ્ય ઉપર દૃષ્ટિ દેવી હોય ત્યારે પદાર્થ તો અવસ્તુ છે, પણ નવતત્ત્વ પણ અવસ્તુ છે. એ વિષય જુદો આ વિષય જુદો છે. એ ધ્યેયનો પાઠ છે આ યનો પાઠ ચાલે છે. સ્વજ્ઞેયનો હો, ધ્યેયપૂર્વક શેય થાય છે.
વળી તેમને જ પ્રત્યેકને ઉપર કહ્યા તે બધા પદાર્થને-પ્રત્યેકને અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેદવાળા નિરવધિ વૃત્તિ પ્રવાહની અંદર પડતા, નિરવધિ એટલે અવધિ વિનાનો. હદ વિનાનો-અંદર પડતા સમાઈ જતા અનંત પર્યાયો છે-એ બધા અનંત દ્રવ્યોમાં અનંત પર્યાયો એમાં રહેલા છે. પર્યાયથી સહિત દ્રવ્ય છે-એ રીતે આ બધાય દ્રવ્યો અને પર્યાયોનો સમુદાય જોય છે. ધ્યેય નથી. લખ્યું છે શું? શેય છે. એ શેય લખ્યું હોય ને, હા..એટલે કહે જુઓ અમે નહોતા કહેતા કે પરિણામી દ્રવ્ય ઉપાદેય છે. શેય છે પર્યાય સહિતનો આત્મા-પર્યાય સહિતનો આત્મા સ્વય થાય છે એમ. એવો આત્મા જણાય છે.કેવું ગોથું ખાઈ જાય છે. જાઓ જોય છે એના ઉપર લક્ષ નથી રહ્યું. શેયને ધ્યેય બનાવ્યું એટલે ધ્યેય રહી ગયું અને જ્ઞય ખોટું, બેય ખોટું. આહાહા ! દ્રવ્યાનુયોગ અતિસૂક્ષ્મ અને ગંભીર છે, એમ શ્રીમજી લખે છે કે આ દ્રવ્યાનુયોગમાં પ્રવેશ તો સમ્યગ્દષ્ટિનો છે, છતાં કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો પણ એને દ્રવ્યાનુયોગનો ખ્યાલ આવે છે એટલું રાખ્યું છે.
શેય છે, તેમાં જ કોઈ ગમે તે એક જીવદ્રવ્ય જ્ઞાતા છે. બોલો. આ જીવો અનંત કહ્યાને, એમાંથી કોઈ એક જીવ જ્ઞાતા છે. કેમ કે જ્ઞેય છે તો જ્ઞાતા તો જોઈએ કે નહિ? જોય કહ્યું ને તો જ્ઞાતા કહ્યું. હવે અહીં, જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ, સમસ્ત દાહ્યને, લાકડા છાણા- કોલસા, ખડ સૂકેલું એને દાહ્ય કહેવાય, દહતો એટલે બાળતો અગ્નિ. સમસ્ત દાહ્યહેતુક સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે. લાકડા આદિ અગ્નિના આકારમાં નિમિત્ત છે.
અગ્નિને બાળે છે એમાં નિમિત્ત નથી, કેમકે બાળી શકતો નથી અગ્નિ લાકડાને, બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. લાકડા-છાણાં પદાર્થ જુદો અને અગ્નિ પદાર્થ જુદો છે. અગ્નિને એમાં ઓલા નિમિત્ત છે. જે પ્રકારની એની આકૃતિ છે એ પ્રકારની આકૃતિ અહીંયા એ આકૃતિરૂપે
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૮
અનેકાંત અમૃત પરિણમે છે. પરની આકૃતિરૂપે સ્વ પરિણમી જાય છે. અગ્નિ-અગ્નિ પોતે લાકડું જાડું હોય, પાતળું હોય, લાંબુ હોય એના આકારે અગ્નિ થાય છે અને દાહ્યાકાર કહેવામાં આવે છે. જેમ શેયાકાર એમ દાહ્યાકાર. સમજી ગયા.
સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા સમસ્ત દાહ્યાકાર પર્યાય પરિણમેલું સકલ એક દહન જેનો એક આકાર છે. પાછું અનેક એમાં નિમિત્ત છે પણ એનું એકાકારપણું તો દહન જ છે. એનો આકાર તો એક જ છે. સામે ઘણાં આકાર હોય પણ અહીંયા તો એનો આકાર એક જ છે. નિમિત્તો ઘણાં, ઉપાદાન એક છે. લોકાલોકના તો ઘણાં પ્રકારો કહ્યાને, એ નિમિત્તો છે પણ શેયાકાર જ્ઞાન તો એક જ છે. આવી ગયું? દહન જેનો આકાર છે એવા પોતારૂપે અગ્નિ, અગ્નિ લાકડારૂપે નથી પરિણમતી. પોતારૂપે અગ્નિ પરિણમે છે. અગ્નિ અગ્નિરૂપે પરિણમે છે, ઓલું તો નિમિત્તમાત્ર છે. એ તો ભિન્ન છે બિલકુલ.
તેમ, હવે દૃષ્ટાંત પૂરો થયો-તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા-કોઈ જ્ઞેય બાકી નહિ જાણવામાં, કેવળી ભગવાનને કોઈપણ શેય જાણવામાં બાકી નથી. એમ છદ્મસ્થ હરણ હોય હરણ, એને સમ્યગ્દર્શન થાય ને ત્યારે બધા શેયોને જેટલું કેવળી જાણે એટલું એ જાણેપરોક્ષ અને પ્રત્યક્ષનો ફેર છે. વિષય ઓછાવત્તો નથી. વિષય પૂરો જેટલું કેવળી જાણે એટલું હરણ જાણે. સિંહ મહારાજ એટલું જાણતા હતા. સમ્યગ્દર્શન થયું ને ભગવાન મહાવીરને. આહાહા
એ લોકાલોકની સન્મુખ થાવું ન પડે અને લોકાલોક જણાય જાય. આહાહા! જાણવાનો પુરુષાર્થ આત્માનો અને મફતના ભાવે ઓલું જણાય જાય. વગર પુરૂષાર્થે હો-એમાં પુરુષાર્થ નથી. કેમકે પ્રથમથી જ એમાં લોકાલોકનો પ્રતિભાસ થઈ ગયેલો છે. હા, હો. નવો આકારમંતર થતો નથી. નવો આકાર હવે પ્રતિભાસ થતો નથી. કેવળજ્ઞાન થાય ત્યારે કેવળજ્ઞાન થવાનું છે એનો પ્રતિભાસ અત્યારે થઈ રહ્યો છે બધામાં-મોક્ષ થવાનો છે એનો પ્રતિભાસ અત્યારે છે. મુનિ થવાના છે એનો પ્રતિભાસ અત્યારે છે. કોઈ ગણધર થવાના હોય તિર્થંકર-બળદેવ એનો બધાનો પ્રતિભાસ બળદેવનો (પણ) અત્યારે છે. ક્રોધનો પ્રતિભાસ પણ અત્યારે છે. - ભૂતકાળમાં ક્રોધ થઈ ગયો એનો પ્રતિભાસ જ્ઞાનમાં છે. અને ભવિષ્યમાં થોડો કાળ બાકી રહે ગૃહસ્થ અવસ્થામાં તો પાંચ મહાવ્રતના પરિણામ આવશે શુભભાવ, એનો પ્રતિભાસ અત્યારે છે. પણ પાંચ મહાવ્રતના પરિણામ જ્ઞાનમાં આવતા નથી અને જ્ઞાયકમાંય આવતા નથી. અને ખરેખર એની સન્મુખ થઈને જ્ઞાન જાણતું નથી. અને મિથ્યાષ્ટિને મિથ્યાત્વના પરિણામ એનો પ્રતિભાસ થાય છે પણ મિથ્યાત્વ જ્ઞાનમાં આવતું નથી.
Page #113
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં મિથ્યાત્વ નથી. આ ભેદજ્ઞાનની ચાવી છે. પ્રતિભાસથી તો ભેદજ્ઞાનની ચાવી હાથમાં આવી જાય છે.
સોગાનીજીને જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એટલો શબ્દ આવ્યો ત્યાં તો ભેદજ્ઞાન થઈને અનુભવ થયો-રાગ તો એની દશામાં છે. અરે ! રાગ એની દશામાં નથી, રાગનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન થાય છે એને-રાગ ક્યાં એમાં થાય છે ઉપયોગમાં. અને ઉપયોગ રાગની સન્મુખ ક્યાં છે. રાગનો પ્રતિભાસ થાય છે એ બરોબર છે. પણ એ પ્રતિભાસમય તો જ્ઞાન છે અને એ જ્ઞાન તો આત્માને જાણે છે-એ ક્યાં રાગને જાણે છે. અજબ ગજબની વાતો ભરી છે શાસ્ત્રમાં, સરખે સરખા બે-ચાર-પાંચ જણા જંગલમાં જઈએ ને તો પાંચેયને કેવળજ્ઞાન થઈ જાય. ત્યાં બીજું શું હોય, આ હોય.
સમસ્ત શેયને જાણતો જ્ઞાતા-આત્મા, સમસ્ત જોયહેતુક, શેયો જેમાં નિમિત્ત છે. અહીંયા પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ જ્ઞાનમાં થાય. પણ એનું નિમિત્ત તો જોયો છે. સમસ્ત શેયહેતુક સમસ્ત જોયાકાર પર્યાયે પરિણમેલું-સમસ્ત શેયાકારે, શેયનો આકાર છે ને પ્રતિભાસમાં તો આકાર છે, એ જ્ઞાનની પર્યાય છે-સમસ્ત જ્ઞયાકાર પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે. સમસ્ત લેવા છતાં જ્ઞાનનો આકાર તો એક જ છે. શેયોના આકાર ઘણાં અને જ્ઞાનનો આકાર એક. એ જોયો પ્રતિભાસે છે જ્ઞાનમાં તો પણ જ્ઞાનનો આકાર એક છૂટીને અનેક થતું નથી. નિમિત્ત અનેક છે ઉપાદાન એક છે. હેતુ કહ્યું કે, જ્ઞાનમાં હેતુ કહ્યું ને. હેતુ તો અનેક છે. એનો પ્રતિભાસ થાય છે પણ જ્ઞાન તો એક જ છે.
અને એ શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. એ જોયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે-એ કયા જ્ઞાનમાં? કે જેમાં લોકાલોકનો પ્રતિભાસ થઈ રહ્યો છે એવા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. તો જ્ઞાયકને જાણતાં લોકાલોકનું જ્ઞાન થઈ ગયું, આ રીતે પરને જાણે છે. એ જોયાકાર જ્ઞાન જ્યારે આત્માને જાણે છે, અભેદ થઈને ત્યારે એ જ્ઞાન તો રહી ગયું અને જ્ઞાનમાં પ્રતિભાસ પણ રહી ગયો અને પ્રતિભાસનું જ્ઞાન પણ થઈ ગયું. ડાયરેક્ટ નથી જાણતું-ઈન્ડાયરેક્ટ જાણે છે. જાણવાની પદ્ધતિ આખી જુદી છે. આમાં પંડિતો થાપ ખાઈ ગયા, અનુભવીને કળા હાથમાં આવી ગઈ.
સમસ્ત શેયહેતુક એમ કહ્યું ને-સમસ્ત જોયાકાર પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન. હા. એ એમ કહે છે કે એ જ્ઞાન તો એક જ છે. નિમિત્તો સમસ્ત છે લોકાલોક અનંતા. અનંતા નિમિત્તો હોવા છતાં અનંત નિમિત્તાનો પ્રતિભાસ થાય છે ત્યારે પણ એ શેયાકાર જ્ઞાન એક છે. અને એ જોયાકાર જ્ઞાન એકને જાણે છે બેને જાણતું નથી. “એક જ્ઞાન જેનો આકાર છે, એવા પોતારૂપે જે ચેતનપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે” તે રૂપે પરિણમે છે
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અનેકાંત અમૃત નિમિત્તરૂપે પરિણમતો નથી. નૈમિતિકરૂપે પરિણમતું નથી જ્ઞાન. (શ્રોતા - સ્વાનુભવ પ્રત્યક્ષ છે એ રૂપે પરિણમે છે જ્ઞાન) એ રૂપે પરિણમે છે, ભલે નિમિત્તાનો પ્રતિભાસ છે એની કયાં ના છે. પ્રતિભાસને કોઈ ઉડાડતું નથી. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે.
પરંતુ જે સમસ્ત જ્ઞયને નથી જાણતો-સમસ્ત જ્ઞયને નથી જાણતો એટલે જુઓ, સમસ્ત શેયને જાણે છે આમાં ચોખ્ખું લખ્યું છે. અને સોગનઢનો સંત કહે છે કે શેયને જાણે છે એ ભ્રાંતિ છે. હવે અમારે એ માનવું કે પ્રવચનસારનું માનવું ? આગમનો આધાર આપોને તમે, પણ શું અમે ગુરુદેવનો આધાર આપીએ છીએ તો શું ગુરુદેવ અપ્રમાણિક છે? તમારા મનમાં હશે અમારા મનમાં નથી. ના પાડો છો એનો અર્થ એને પ્રમાણિક લાગતું નથી. આહાહા ! બહુ ગોથું ખાધુ જીવે.
તે આત્મા જેમ સમસ્ત દાહ્યને નહીં દહતો અગ્નિ-અગ્નિ છે ને લાકડાને બાળે સૂકા ખડને ન બાળી શકે એમ કોઈ કહે તો એ સાચું હશે? ભલે સૂકું ખડ ન હોય એ વખતે પણ સમસ્ત દાહ્યને બાળવાનો એનો સ્વભાવ ક્યાં જાય? ભલે વ્યક્ત ન થાય. એમ છબસ્થને ભલે એક શેય જણાય-પણ સમસ્ત શેયને જાણવાનો સ્વભાવ તો રહી ગયો છે. એવું છે આ. આમાં દાખલો એવો આપ્યો કે સમસ્ત દાહ્યને જો ન બાળે તો એને અગ્નિ ન કહેવાય. પણ સાહેબ ! એ દાહ્યને બાળે તો એ લાકડું છે એ લાકડાને બાળે છે, એ વખતે કોલસા નથીછાણાં નથી તો એ સર્વને બાળતો નથી તો એને અગ્નિ કેમ કહેવાય? સમજી ગયા. એ એની શક્તિ જોને તું. શક્તિ સમસ્તને બાળવાની એક સમયમાં છે, એમ જ્ઞાનમાં એક સમયમાં સમસ્ત લોકાલોકને જાણવાની શક્તિ છે.
એક ભાઈ આવ્યા મુંબઈવાળા મારી પાસે મેં કીધું-હું કહું છું કે આત્મા પરને જાણતો નથી. આત્મા પરને જાણતો નથી. મેં કીધું જાણતો નથી એક વાત છે અને સર્વને જાણે છે એ બીજી વાત છે. શું કહો છો? સર્વને જાણે છે? –હા. મેં કીધું જે સર્વને જાણતો નથી ઈ તો આત્માને જાણતો નથી. છક્ક થઈ ગયો એ માણસ-એક બાજા કહો છો આત્મા પરને જાણતો નથી, અને પાછા કહો છો સર્વને ન જાણે એ એકને ન જાણે, એમ અમે માનીએ છીએ. પછી મેં કહ્યું ભાઈ જરા ઠપકારો આપ્યો. તમને અભ્યાસ કાંઈ નથી-પ્રસિદ્ધ વ્યક્તિ હતી વાંચનકાર, તમને કાંઈ અભ્યાસ નથી. ખાનગી અમે કાંઈ રાખતા નથી. આવું બધું પ્રવચનસારમાં છે તમે જરા અભ્યાસ કરો.
સમસ્ત દાહ્યહેતુક, સમસ્ત દાહ્યાકાર પર્યાય પરિણમેલો સકળ એક દહન. દહન એટલે બાળનાર-જેનો આકાર છે. સમસ્તને બાળે એવો આકાર છે. એવા પોતારૂપે પરિણમતો નથી. તેમ સમસ્ત જોયહેતુક, શેયો જેમાં નિમિત્ત છે જ્ઞાનમાં-પ્રતિભાસમાં. સમસ્ત જોયાકાર
Page #115
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૧૦૧ પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે પોતે ચેતનપણાને લીધે, સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમતો નથી. સકળને જાણતો નથી એકને જાણે છે.સમજી ગયા.
એને સકળ બધું પ્રતિભાસે છે એવું મારું જ્ઞાન છે કે જે જ્ઞાન આત્માને જાણે છે. ઈ એને ખબર નથી. અર્થાત્ પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી જાણતો નથી-“આ રીતે એમ ફલીત થાય છે કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી.' સર્વને જાણે તે પોતાને જાણે અને પોતાને જાણે તે સર્વને જાણે. બોલો અટપટી વાત. ચાદ્વાદની અભૂત વાત છે.
હવે ૪૯ ગાથા મૂળ ગાથા આપણે લેવી છે. એમાં પ્રતિભાસનું આવશે-મૂળ એમાં છે. ૪૯ ગાથામાં. - હવે એકને નહિ જાણનાર-એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી. જે આત્માને જાણતો નથી તે સર્વને જાણી શકતો નથી, મુખ્યપણે કેવળજ્ઞાનનો પાઠ છે. પછી આપણે જયસેનાચાર્ય ભગવાનની ટીકા લેવી છે, એમાં પ્રશ્ન કર્યો કે કેવળી છે એ સર્વને જાણે છે છબસ્થ તો જાણતો નથી સર્વને-તો સર્વને જાણતો નથી તો એને અનુભવ કેમ થાય? - સિદ્ધાંત તો તમે બાંધ્યો કે જે સર્વને જાણે તે એકને જાણે. તો છબસ્થ છે ચોથાવાળોપાંચમાવાળો-છઠ્ઠાવાળો-સામાવાળો-અધુરું જ્ઞાન એને છદ્મસ્થ કહેવાય. કેવળજ્ઞાન પહેલાનું અધુરું જ્ઞાન. હવે એ તો સર્વને જાણતો નથી તો એકને નહિ જાણી શકે-તો એને સમ્યગ્દર્શન નહિ થાય-કેવળીને જ સમ્યગ્દર્શન હોય. કેમ કે એ સર્વને જાણે છે. માટે એકને જાણે છે માટે એને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર છે. તો એણે જવાબ આપ્યો-આપણે લેશુંપુસ્તક છે.
કે ભાઈ છદ્મસ્થને પણ પરોક્ષપણે બધું જણાય છે-પરોક્ષપણે બધો પ્રતિભાસ જેટલો કેવળીને છે એટલો છે. અને એ જોયાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે, તો એમાં બધું આવી ગયું, જણાય ગયું, કાંઈ જાણવાની જરૂર નથી. એની સન્મુખ થવાની જરૂર નથી, લોકો એમ માને છે કે સન્મુખ થાય તો જ જાણે. કેમકે ઈન્દ્રિયજ્ઞાન સન્મુખ થાય તો જાણે એવો એને મહાવરો છે, અભ્યાસ છે. કે જેની સન્મુખ થાય એને જાણે. શબ્દની સન્મુખ થાય તો સાંભળે. બાહ્ય પદાર્થની રૂપની સન્મુખ થાય તો એને જાણે, એમ એમાં નથી. ઈન્દ્રિયજ્ઞાનમાં છે એવું આમાં નથી. સન્મુખ થયા વિના લોકાલોકને જાણે. આહાહા ! જ્ઞાનનું સામર્થ્ય આ ૨૬ માં આત્મધર્મમાં છે, બધું. સામર્થ્ય બહુ છે. એક દૃષ્ટાંત આપે છે. બિલાડી છે તે ઉંદરને પકડે અને પોતાના બચ્ચાને પણ પકડે એમ ગુરુદેવ કહેતા. સાત જગ્યાએ ફેરવે પકડી પકડીને, પણ પકડ પકડમાં ફેર છે. ઉંદરને પકડીને ખાઈ જાય અને બચ્ચાને તો એવી રીતે
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૨
અનેકાંત અમૃત પકડે કે એને જરાય પણ કષ્ટ ન થાય અને એક સ્થળેથી બીજા સ્થળે મૂકી દે. એમ આમાં જાણવા જાણવાની રીતમાં ફેર છે મોટો.
પણ જો સર્વને જ્ઞાન ન જાણતું હોય તો કોઈને ભૂત ભવિષ્યનો આવિર્ભાવ ન થાય. આ ન્યાય. કોઈપણ જીવને જો પર જણાય જ નહિ તો અત્યારે આ કાળમાં પણ, એક કરતા વધારે જીવો પાક્યા છે જે ભૂત ને ભવિષ્ય પોતાની પર્યાયને પણ જાણે છે અને બીજાની પર્યાયનું જ્ઞાન કહી દે છે. નામ ન લેવાય કોઈનું. સમજી ગયા. પણ એ સો ટકા સાચી વાત છે. એટલે કે સર્વને જાણવું એવું આવ્યું એમાં, સર્વનો પ્રતિભાસ છે એમાં. છદ્મસ્થ હોવાથી ક્રમે આવિર્ભાવ થાય છે અને કેવળીને અક્રમે આવિર્ભાવ થાય છે. જયકુમાર ! સમજાણું? (શ્રોતા :- છઘને એની પર્યાયની યોગ્યતા પ્રમાણે આવિર્ભાવ થાય છે) છદ્મસ્થ છે ને? કેવળજ્ઞાન નથી એટલે ક્રમિક જાણવું છે. પણ એ કહી દે, આનો ચોથા ભવે મોક્ષ છે. આનો છઠ્ઠા ભવે મોક્ષ છે. સો ટકા એ સત્ય વાત છે. સમ્યજ્ઞાન એટલે શું? કેવળજ્ઞાનનો અંશ છે એ. હા, પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો ફેર છે. આ ક્રમે જાણે છે. ઓલા અક્રમે જાણે છે, અક્રમે આવિર્ભાવ થાય છે. આને ક્રમે આવિર્ભાવ થાય છે.
આજે એકનું જ્ઞાન થાય, એક જીવનું. કાલે વળી બેઠો હોય તો બીજા જીવનો આમ વિચાર આવે સામે બેઠો હોય તો જોઈને હા-એ પણ મોક્ષગામી લાગે છે-મોક્ષગામી છે-લાગે છે એમ પહેલા કહે. પહેલા ઝાંખુ આવે-ઝાંખું આવે એટલે બોલે નહિ. પહેલા ઝાંખુ આવે પછી સ્પષ્ટ આવે-આવા બધા પ્રકારો-વર્તમાનકાળમાં એવા જીવો છે. પણ આની પાછળ લાગે તો આત્માનું જ્ઞાન થાય અને આત્માનું જ્ઞાન થાય એ ખરેખર નિધી છે અને પરનો આવિર્ભાવ થાય અને જણાય એ તો રિદ્ધિ છે. એમાં કાંઈ નથી.
એ તો જ્ઞાનના સામર્થ્યની આપણે વાત કરી, પણ જ્ઞાનનું સામર્થ્ય તો આત્માને જાણવાનું છે, એ લેવું-ઓલું જાણવાનો વિષય છે. જાણવાના વિષયથી એને જ્ઞાનમાં શ્રદ્ધા બેસે. ઓહો ! આવું જ્ઞાન અત્યારે આ કાળમાં અબજો વર્ષ પછી કોઈનો મોક્ષ થવાનો હોય. મનુષ્યનો, ઢોરનો-ગાયનો-ગાયને જોઈને કહી દે. (શ્રોતા :- સાગરોપમ પછી) સાગરોપમ પછી એટલે થઈ ગયાને અબજો વર્ષ ખલાસ. સંખ્યાનો હિસાબ જ નથી પણ કહી ઘે એ. કહી દે છે. આ કૂતરાનો મોક્ષ છે. આ ગાયનો મોક્ષ છે. ઢેઢ ગરોળીનો મોક્ષ છે કહી દે, કહેવાય જાય. એ સોટકા સાચી વાત છે. કોઈ માને કે ન માને. એ તો પૃફ થઈ ગયેલી વાત છે. એ જ્ઞાનીની વાત કરું છું પણ કોઈ કોઈ અજ્ઞાનીને પણ અપવાદરૂપે થઈ જાય છે. એ અપવાદ છે, પેલો તો સિદ્ધાંત છે.
પણ પ્રતિભાસ છે એનો જ આવિર્ભાવ થાય ને. (શ્રોતા :- જે છે એનો આવિર્ભાવ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૩
અનેકાંત અમૃત થાય) અત્યારે ક્યાં મોક્ષ છે, મોક્ષ તો છે નહિતો મોક્ષ થાય ત્યારે જ્ઞાન થાય એવું નથી. (શ્રોતા :- તો તો મોક્ષને આધિન જ્ઞાન થઈ ગયું-જ્ઞાન તો સ્વતંત્ર છે) જ્ઞાનનું સામર્થ્ય અચિંત્ય છે. એને જાણવાની કળા જાદા પ્રકારની છે. એની રીત જ પદ્ધતિ આખી જુદી છે. જ્ઞાન પરસમ્મુખ થાય જ નહિ, પરસન્ન થાય એ જ્ઞાન જ નથી. એ અજ્ઞાન છે.
અન્વયાર્થ :- જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને તથા અનંત દ્રવ્યસમૂહને યુગપદ્ જાણતો નથી તો તે સર્વને અનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે ? અર્થાતુ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.
ટીકા :-પ્રથમ તો આત્મા ખરેખર, આ એકદમ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ગાથા છે આ ૪૯ મી. પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી-થવાથી નહિ-હોવાથી. અનાદિ અનંત આત્મા જ્ઞાનમય છે અને રાગમય નથી. સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે, જ્ઞાતા એનો સ્વભાવ છે જ્ઞાન હોવાથી, કર્તા સ્વભાવ નથી એમ. જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે. અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું નિગોદથી માંડીને સિદ્ધ પરમાત્મા સુધી બધામાં જ્ઞાન રહેલું છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ નથી. ઉપયોગ વિના કોઈ જીવ હોઈ શકે નહિ. અને પ્રતિભાસ વિનાનો કોઈ જીવ હોઈ શકે નહિ.
જ્ઞાનનું લક્ષણ બાંધ્યું'તું ને આપણે જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય મહાસામાન્ય છે. પ્રતિભાસમય મહાસામાન્ય છે. સામાન્ય ઉપયોગની વાત છે પછી વિશેષ થાય છે અને વિશેષમાં પણ એ વ્યાપે છે. જે સામાન્ય છે એ વિશેષમાં વ્યાપી જાય છે. સામાન્યમાં સ્વપરનો પ્રતિભાસ છે ને એના વિશેષમાં જ્ઞાન હોય કે અજ્ઞાન? (શ્રોતા :આઠેયમાં વ્યાપે છે) સામાન્ય તો, જ્ઞાન અજ્ઞાન છે નહિ.
સામાન્યમાં જેમ પ્રતિભાસ છે એમ સામાન્યનું વિશેષ થયું કોઈને-પરનું લક્ષ કરે તો અજ્ઞાની થઈ ગયો-ત્રણ અજ્ઞાન, તો પણ એમાં સ્વપરનો પ્રતિભાસ છે. લોકાલોક પ્રતિભાસે છે અને સાધક થાય તો પણ એમાં લોકાલોક પ્રતિભાસે છે. આહાહા ! થોડોક અભ્યાસ કરે તો મજા આવે હોં-મજા આવે એવી વાત છે. આઠેય જ્ઞાનમાં પ્રતિભાસ છે ને, સામાન્યમાં તો પહેલા સ્થાપ્યો હતો આપણે-એ તો બંધ મોક્ષનું કારણ નહોતું-પછી સામાન્યનું વિશેષ થાય છે. એ સામાન્ય આપણે ઉપયોગ લેવું. દ્રવ્યને સામાન્ય અહીં ન લેવો-એ વાત નથી. ઉપયોગમાં છે બધાને. બધા જીવોને છે. નિગોદના જીવને છે અત્યારે-સ્વપરનો પ્રતિભાસ પણ એને ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે એટલે ભેદજ્ઞાન બિચારો કરી શકતો નથી, એટલું છે.
પ્રતિભાસમય મહાસામાન્ય છે. જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું કેવું છે? પ્રતિભાસમય.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૪
અનેકાંત અમૃત પ્રતિભાસ એકલો ન લીધો. પ્રતિભાસમય સ્વપરનો પ્રતિભાસમય એવી જ્ઞાનની પર્યાય એનું નામ મહાસામાન્ય છે. ઉપયોગ, સામાન્ય ઉપયોગ-પછી વિશેષ આવશે. તે પ્રતિભાસમય મહાસામાન્ય-પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે. જુઓ હવે એ વિશેષમાં વ્યાપે છે. સામાન્ય છે એ વિશેષમાં વ્યાપે છે. ત્રિકાળી દ્રવ્ય વિશેષમાં વ્યાપતું નથી.
ઉપયોગ સામાન્ય છે એનું વિશેષ બે પ્રકારે થાય છે-સમ્યજ્ઞાન ને મિથ્યાજ્ઞાન. છતાં પણ એમાં જ્ઞાન વ્યાપે છે-એ જ્ઞાન કેવું છે લક્ષણવાળું કે સ્વપરના પ્રતિભાસવાળું. અભવીને પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે એના જ્ઞાનમાં-પણ એને ભેદજ્ઞાનની શક્તિ નથી, બિડાઈ ગઈ છે બિચારાની. શું થાય? એ તો બધા જ્ઞાનોમાં-આમાં લખ્યું છે ને આમાં લખ્યું છે. અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું, પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે પ્રતિભાસમય મહાસામાન્ય પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું રહેલું છે. અને તે વિશેષોનાં, ભેદોના વિશેષ એટલે ભેદો-સામાન્યના ભેદ વિશેષ-ભેદોના નિમિત્ત. હવે જે ભેદ છે વિશેષ થયું જ્ઞાન. એમાં નિમિત્ત શું કે સર્વદ્રવ્યપર્યાયો છે. એક દ્રવ્યપર્યાય નથી નિમિત્ત. આહાહા ! ચોથા કાળ જેવું અત્યારે આમાં લખેલું દેખાય છે ચોથો કાળ. (શ્રોતા :- જેમ આચાર્ય ભગવાનને કહેવું છે તેમજ આબેહૂબ આવે છે) સ્પષ્ટ છે. જરાક પોતે મધ્યસ્થ થઈને વાંચે તો સૂઝે એને કે આમાં આવું લખ્યું છે એમ. એક થોડો ટાઈમ કાઢી, કલાક બે કલાક કાઢીને સ્વાધ્યાય કરે તો કામ થઈ જાય.
પ્રમાદમાં વિષય કાઢે છે. હવે જે પુરુષ સર્વદ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે-ઉપાદાન તો જ્ઞાન છે અને જ્ઞયો નિમિત્ત છે સર્વ-એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી, તે પુરુષ પ્રતિભાસમય મહા સામાન્ય વડે વ્યાપ્ય, વ્યપાવાયોગ્ય જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વદ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? (શ્રોતા:- એક આત્માને જાણતો નથી તો સર્વ વિષયોને કેવી રીતે પ્રત્યક્ષ કરી શકે ? કેવો આત્મા લીધો ઈ ખૂબી છે સર્વમહાસામાન્ય પ્રતિભાસમય એવો આત્મા) હા-કેવો આત્મા લીધો તે એવો આત્મા છે.
ફરીથી જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમનાં નિમિત્ત છે. એ નિમિત્તની વાત કરી લોકાલોક. એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય, મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. આહાહા ! તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય (વ્યપાવા યોગ્ય) પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વદ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે ? જે મહાસામાન્ય ઉપયોગ છે એ વિશેષમાં પણ પ્રતિભાસ છે અને જો જાણતો
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૫
અનેકાંત અમૃત નથી તો કેવી રીતે સ્વાનુભવ કરી શકે આત્માનો, એકને પૂરું જાણતો નથી એ અનુભવ ન કરી શકે-એક દ્રવ્યનો, દ્રવ્ય-ગુણ-પર્યાયને ન જાણી શકે તો અનંત દ્રવ્યના અનંત દ્રવ્ય-ગુણપર્યાયને જે જાણતો નથી. એ આત્માને કેવી રીતે જાણી શકે ?
આ પ્રતિભાસ છે ને? એ ચમત્કારિક શબ્દ છે. અને એ દિવ્યધ્વનિમાંથી આવેલો છે. અમૃતચંદ્રાચાર્યે એનો ઉપયોગ બહુ કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય પણ ત્યાંથી આવ્યા. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વદ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે ? ન કરી શકે. આ રીતે એમ ફલિત થયું કેસરવાળો એમ આવ્યો કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી.
જેને સર્વને જાણવું હોય, તને લોભ હોય-કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, હું નથી જાણતો મને કેવળજ્ઞાન જલદી થાય તો લોકાલોકને જાણું, અરે કેવળજ્ઞાન થવા પહેલાં શ્રુતજ્ઞાન તો પ્રગટ કર તો તું લોકાલોકને જાણી લઈશ પરોપક્ષણે-આ લેવાનો પણ હેતુ છે. સમજી ગયા. કેમકે આ ચર્ચાયેલો વિષય છે ને બહુ અત્યારે ભારતમાં.
અહીં કહે છે કે લોકાલોકને જાણતો નથી તે આત્માને નહીં જાણે. એક બાજુ કહે પરને જાણતો નથી, બીજી બાજુ કહે કે લોકાલોકને જાણે-અબી બોલા અબી ફોક. એમ નથી ભાઈ ! તું વિવિક્ષા સમજ- (શ્રોતા :- પરને જાણતો નથી એ સ્વભાવને અબાધિત રાખીને આ વાત છે.) આ વાત છે. કે આને જાણે છે એમ કહ્યું એ તો પ્રતિભાસ દેખીને કહ્યું છે. (શ્રોતા :- દર્પણમેં આયે હુએ પ્રતિબિંબ કે સમાન જાનતા હૈ) હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન-સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. સરવાળો બાંધ્યો.
અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંતક હોવાથી જ્ઞાતા અને શેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાયમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે-અન્ય હોવા છતાં અનન્ય છે-ધર્મની અપેક્ષાએ અન્ય છે. ધર્મની અપેક્ષાએ અનન્ય છે. ધર્મ એ કહ્યા-જ્ઞાતા ને શેય, બે ધર્મ કહ્યાને અને આ તો અનન્ય છે. જ્ઞાતાયે આત્મા અને શેય પણ આત્મા છે અભેદ વિવક્ષામાં-અર્થાત્ જ્ઞાન ને શેય-આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે.
જુઓ દૃષ્ટિનો વિષય સુરક્ષિત રાખે છે. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથીપ્રતિભાસને ભિન્ન કરી શકાતો નથી. ભિન્ન છે એને ભિન્ન જાણ. પણ પ્રતિભાસ તો જ્ઞાનથી અભિન્ન છે-પ્રતિભાસના નિમિત્તો છે જે લોકાલોક એ તો જ્ઞાનથી ભિન્ન છે. પણ લોકાલોકનો જે પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાનની પર્યાયથી તો
Page #120
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૧૦૬
પ્રતિભાસ અભિન્ન છે અને એ જ્ઞાન આત્માને જાણે છે તો એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. (શ્રોતા :- જે ભિન્ન છે એને જાણે કેવી રીતે અને જે અભિન્ન છે એને ન જાણે કેવી રીતે) કેવી રીતે. (શ્રોતા :- એ પ્રતિભાસ તો અભિન્ન છે લોકાલોકનો ને સ્વપરનો) એ તો જ્ઞાનની પર્યાય છે ને ! એકાકાર છે એ તો. કોકને એમ થાય કે અમારે ક્યાં પંડિત થાવું છે. આ વિદ્વતાની ક્યાં વાત કરો છો. આ તો અનુભવની વાત છે. આ તો મૂળ પ્રયોજનભૂત વાત છે ભાઈ-આમાં પંડિતાઈની વાત નથી.
એક પ્રતિભાસને લક્ષમાં તો લે, ને રાત દી’ વિચાર તો કર કે મારામાં મિથ્યાત્વ થાય છે કે મિથ્યાત્વનો પ્રતિભાસ થાય છે. મિથ્યાત્વ આત્મામાં થતું નથી. એ તો જ્ઞાન થાય છે. પણ એ કર્મકૃત મિથ્યાત્વનો અહીંયા પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ દેખીને હું મિથ્યાદષ્ટિ, હું રાગી, હું ક્રોધી, રહેવા દે ને હું તો જ્ઞાનમય આત્મા છું એમ લે ને. (શ્રોતા :- આ વાણી ખરે છે એનો પ્રતિભાસ થાય છે કે સાંભળે છે ?) પ્રતિભાસ થાય છે.
આમ હોતાં આત્મા જ્ઞાનમયપણાંને લીધે સ્વસંચેતક હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય (મિલન હોવાને લીધે-) પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાન તો એક જ છે. જ્ઞાન છે. અર્થાત્ જ્ઞાન અને જ્ઞેય. આત્માની-જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત એકમેકરૂપ હોવાને લીધે તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી-બધુંય જાણે કે આત્મામાં નિખાત, પેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે, જણાય છે.
પાછો પ્રતિભાસ કેવી રીતે, જ્ઞાનમાં જાણે આવી ગયું હોય બધું, લોકાલોક જ્ઞાનમાં આવી ગયું હોય, ડૂબી ગયું હોય એમ જણાય છે. લોકાલોક ભિન્ન છે પણ લોકાલોકનો પ્રતિભાસ અભિન્ન છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે, જાણે છે અને પોતાને જાણતાં સર્વ શેયો જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય-જાણે કે જ્ઞાનમાં આવી ગયા હોય પદાર્થો એ રીતે જણાય છે. જાણે મારામાં આવી ગયા હોય એવી રીતે જણાય છે. આવ્યા નથી. આવી ગયા હોય એમ જણાય છે. એટલે એને તો ઓલું સિદ્ધ કરવું છે અત્યારે-લોકાલોક સિદ્ધ કરવું છે.
જો આમ ન હોય તો અર્થાત્ આત્મા સર્વને ન જાણે તો જ્ઞાનને પરિપૂર્ણ આત્મ સંચેતનનો અભાવ હોવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. કેવળજ્ઞાન સિદ્ધ ન થાય એમ.
Page #121
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
१०७
પ્રવચનસાર જયસેનાચાર્યની ટીકા ગાથા ૪૯-૫૦ |
अथैकमजानन् सर्वं न जानातीति निश्चिनोति
दव्वं अणंतपज्जयमेगमणताणि दव्वजादीणि । (४९)
ण विजाणादि जदि जुगर्व किध सो सव्वाणि जाणादि।। ५०।। दव्वं द्रव्यं अणंतपज्जयं अनन्तपर्यायं एग एक अणंताणि दव्वजादीणि अनन्तानि द्रव्यजानित जोण विजाणादि योन विजानाति अनन्तद्रव्यसमूहान् किध सो सव्वाणि जाणादि कथं स सर्वान जानाति जुगवं युगपदेकसमये, न कथमपीति।
तथा हि-आत्मलक्षणं तावज्ज्ञानं तच्चाखण्डप्रतिभासमयं सर्वजीवसाधाराणं महासामान्यम् । तच्च महासामान्य ज्ञानमयानन्तविशेषव्यापि । ते च ज्ञानविशेषा अनन्तद्रव्यपर्यायाणां विषयभूतानां ज्ञेयभूतानां परिच्छेदका ग्राहका: । अखण्डैकप्रतिभासमयं यन्महासामान्यं तत्स्वभावमात्मानं यौऽसौ प्रत्यक्षं न जानाति स पुरुष: प्रतिभासमयेन महासामान्येन ये व्याप्ता अनन्तज्ञानविशेषास्तेषां विषयभूता: येऽनन्तद्रव्यपर्यायास्तान् कथं जानाति ? न कथमपि।
अब, एक को नहीं जानता हुआ सबको नहीं जानता है, ऐसा निश्चित करते हैं
जो एक द्रव्य अनंत पर्यय नन्तद्रव्य समूह को।
नहिं जानता युगपत् यदि वह कैसे जाने सर्व को ॥५०।। गाथार्थ :- यदि वह आत्मा अनन्त पर्यायों वाले एक द्रव्य (आत्मद्रव्य) को तथा अनन्त द्रव्य समूह को एक साथ नहीं जानता है तो वह सभी को कैसे जान सकेगा? नहीं जान सकेगा।
प्रकारान्तर से गाथार्थ - यदि यह आत्मा अनन्त पर्याय युक्त एक दव्य को नहीं जानता है तो वह सर्व अनन्त द्रव्य समूह को एक साथ कैसे जान सकेगा? नहीं जान सकेगा।
टीकार्थ-द्रव्य-द्रव्य अणंतपञ्जय-अनन्त पर्याय एग-एक अणंताणि दव्वजादीणि-अनन्त द्रव्य समूह को जो ण विजाणदि-जो नहीं जानता है, किध सो सव्वाणिजाणादि-वह सबको कैसे जान सकता है? जुग-युगपत्-एक समय में, किसी
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અનેકાંત અમૃત भी तरह नहीं जान सकता है।
वह इस प्रकार-ज्ञान आत्मा का लक्षण है और वह अखण्ड प्रतिभासमय सभी जीवों में सामान्यरुप से पाया जाने वाला महासामान्यरुप है। और व महासामान्य ज्ञानमय अनन्त विशेषों में व्याप्त है। और वे ज्ञान विशेष विषयभूत, ज्ञेयभूत अनन्त द्रव्य-पर्यायों के ज्ञायक-ग्राहक-जाननेवाले हैं। अखण्ड एक प्रतिभासमय जो महासामान्य उस स्वभाववाले आत्मा को जो वह प्रत्यक्ष नहीं जानता, तो वह पुरुष प्रतिभासमय महासामान्य से व्याप्त जो अनन्त ज्ञानविशेष, उनके विषयभूत जो अनन्त द्रव्य-पर्यायें, उन्हें कैसे जान सकता है ? किसी भी प्रकार नहीं जान सकता।
अथ एतदायातम्-य: आत्मानं न जानाति स सर्वं न जानातीति। तथा चोक्तम्
"एको भाव: सर्वभावस्वभाव: सर्वे भावा एकभावस्वभावाः।
एको भावस्तत्त्वतो येन बुद्ध, सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः॥" अत्राह शिष्य :- आत्मपरिज्ञाने सति सर्वपरिज्ञानं भवतीत्यत्र व्याख्यातं, तत्र तु पूर्वसूत्रे भणितं सर्वपरिज्ञाने सत्यात्मपरिज्ञानं भवतीति । यद्येवं तर्हि छद्मस्थानां सर्वपरिज्ञानं नास्त्यात्मपरिज्ञानं कथं भविष्यति ? आत्मपरिज्ञानाभावे चात्मभावना कथं ? तदभावे केवलज्ञानोत्पत्तिर्नास्तीति ।
परिहारमाह-परोक्षप्रमाणभूतश्रुतज्ञानेन सर्वपदार्था ज्ञायन्ते । कथमिति चेत्लोकालोकादिपरिज्ञानं व्याप्तिज्ञानरूपेण छद्मस्थानामपि विद्यते, तच्च व्याप्तिज्ञानं परोक्षकारेण केवलज्ञानविषयग्राहकं कथंचिदात्मैव भण्यते । अथवा स्वसंवेदनज्ञानेनात्मा ज्ञायते, ततश्च भावना क्रियते, तया रागादिविकल्परहितस्वसंवेदनभावनया केवलज्ञानंच जायते-इति नास्ति दोषः ॥ ५०॥ अथ क्रम प्रवृत्तज्ञानेन सर्वज्ञो न भवतीति व्यवस्थापयति
उप्पञ्जदिजदिणाणं कमसो अढे पडुच्च णाणिस्स। (५०) तं व हवदि णिच्चं ण खाइगं णेव सव्वगदं ॥ ५१।।
___इससे यह निश्चित हुआ कि जो आत्मा को नहीं जानता वह सर्व को नहीं जानता। वैसा ही कहा है
"एक भाव सर्वभाव-स्वभाववाला है, सभीभावएकभाव-स्वभाववाले हैं; अत: जिसके द्वारा एकभाव वास्तविकरुप से जान लिया गया है, उसके द्वारा सभी भाव वास्तविकरुप से जान लिये गये हैं।"
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૯
અનેકાંત અમૃત ___ यहाँ शिष्य कहता है-आत्मा की विशिष्ट जानकारी होने पर सभी की जानकारी होती है-ऐसा यहाँ कहा गया है, वहाँ पहले (४९ वीं गाथा में) सर्व की जानकारी होने पर आत्मा की जानकारी होती है-ऐसा कहा था। यदि ऐसा है तो छद्मस्थजीवों को तो सभी की जानकारी नहीं है, उन्हें आत्मा की जानकारी कैसे होगी? आत्मा की जानकारी के अभाव में आत्मभावना कैसे होगी? और उसके अभाव में केवलज्ञानी की उत्पत्ति नहीं होती है। ____ आचार्य इसका निराकरण करते हैं-परोक्ष प्रमाणभूत श्रुतज्ञान द्वारा सभी पदार्थ जाने जाते हैं। श्रुतज्ञान द्वारा सभी पदार्थ कैसे जाने जाते हैं? यदि यह शंका हो तो कहते हैं-छद्मस्थों के भी व्याप्तिज्ञान (अनुमान ज्ञान) रूप से लोकालोकादि की जानकारी पाई जाती है। तथा केवलज्ञान सम्बन्धी विषय को ग्रहण करनेवाला वह व्याप्तिज्ञान परोक्षरुप से कथंचित् आत्मा ही कहा गया है। अथवा स्वसंवेदनज्ञान से आत्मा जाना जाता है, और उससे भावना की जाती है, और उस रागादि विकल्प रहित स्वसंवेदनज्ञानरुप भावना से केवलज्ञान उत्पन्न होता है-इस प्रकार दोष नहीं है॥५०॥
વિડીયો પ્રવચન નં. ૬૮૬ સળંગ પ્રવચન નં. ૮
ता. ४-८-८७
આપણે પ્રવચનસારની ૪૮-૪૯ ગાથાનું અધ્યયન કર્યું. હવે એ જ વિષયને જયસેનાચાર્ય થયા છે એક બીજા, એને પણ એક અનુવાદ કર્યો છે પ્રવચનસાર ઉપર, એ પુસ્તકમાંથી હવે આજે આપણે એનું અધ્યયન કરવું છે, ચિંતવન કરવું છે. એટલે કે વિષય એવો ચાલે છે કે સમ્યફ એકાંતપૂર્વક અનેકાંત થાય છે. જેને દ્રવ્યદૃષ્ટિ થાય છે, નંબર વન તો એ જ છે. દ્રવ્યસ્વભાવ જ્ઞાયક તરફ એનો ઉપયોગ જાય છે ત્યારે એને જ્ઞાયકમાં અહં થાય છે અને વીતરાગીદશા પ્રગટ થઈ જાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન એનું નામ સમ્યક मेत छ. - હવે સમ્યજ્ઞાન જ્યારે થાય છે-ત્યારે જ્ઞાયક તો એના જ્ઞાનમાં જણાય છે પણ અનુભવીને એ શ્રુતજ્ઞાન પણ એમાં જણાય છે-શ્રુતજ્ઞાનનો વિષય આત્મા તો જાણવામાં આવ્યો અહંપણે પણ એને જાણનાર શ્રુતજ્ઞાન, એ શ્રુતજ્ઞાનનું પણ જ્ઞાન થાય છે. જ્ઞાયકનું જ્ઞાન થાય છે અને શ્રુતજ્ઞાનનું જ્ઞાન પણ અભેદભાવે થાય છે. એમાં એને ભેદ પાડવાની જરૂર ન પડે એનું
Page #124
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
૧૧૦
નામ અનેકાંત છે. એકને તો જાણે છે પણ અનેકને પણ જાણે છે-એનું નામ સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત કહેવામાં આવે છે.
હવે જે જયસેનાચાર્ય ભગવાનની ટીકામાં વિશેષતા એ આવી કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે જે સર્વને જાણે છે તે જ એક આત્માને જાણી શકે છે. જે સર્વને જાણતો નથી તે એક આત્માને પણ જાણી શકતો નથી. એવું અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું-ત્યારે બીજા એક ટીકાકાર એમાં પ્રશ્ન ઉઠાવશે હમણાં એમાં કે જે છદ્મસ્થનો જીવ છે. છદ્મસ્થ એટલે અલ્પજ્ઞાન. છદ્મસ્થનો અર્થ કેવળજ્ઞાન થવા પહેલાની જ્ઞાનની દશા, અધુરું જ્ઞાન એને છદ્મસ્થ જ્ઞાન કહેવામાં આવે છે.
કે તો અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન કરે છે શિષ્ય, કે અમૃતચંદ્રાચાર્યે તો એમ કહ્યું ૪૯ ગાથામાં કે સર્વને જાણે છે તે જ આત્માને જાણી શકે છે. જે સર્વને જાણતો નથી તે એક આત્માને જાણી શકતો નથી. ત્યારે અહીંયા શિષ્ય પ્રશ્ન ઉઠાવે છે કે અમે તો છદ્મસ્થ છીએ અમને કેવળજ્ઞાન તો થયું નથી, તો અમે સર્વને કેવી રીતે જાણી શકીએ. થોડા પદાર્થને જાણવાનું કહો તો અમે જાણીએ છીએ. હા પાડીશું. પણ બધા પદાર્થોને જાણનારું જ્ઞાન તો અત્યારે અમારું જ્ઞાન છે નહિ અમને છે નહિ-અને તમે કહો છો જે સર્વને જાણે તે જ એક આત્માને જાણે તો પછી અમને આત્માનો અનુભવ ન થાય-પછી આત્માની ભાવના જાગે નહિ. આત્માની ભાવના એટલે ફરી ફરીને ઉપયોગને આત્મામાં જોડવો એનું નામ આત્મભાવના કહેવામાં આવે છે.
આત્માની ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન, એ વિકલ્પ નથી એમાં આત્માની ભાવના એટલે આત્માની સન્મુખ થઈ સાધક આત્માઓ ફરી ફરીને ઉપયોગને આત્મામાં જોડે છે એને આત્મભાવના કહેવામાં આવે છે. આત્મભાવના વીતરાગી દશા છે. એ આત્મભાવના નિર્વિકલ્પધ્યાન છે. એટલે એ આત્મભાવના ભાવતા ભાવતા એટલે એકાગ્ર થતાં થતાં કેવળજ્ઞાનનો ભડકો થાય છે.
તો કહે છે અમે તો સર્વને જાણતા નથી. તો અમે એકને આત્માને નહિ જાણી શકીએતો એમ આવી જશે અને એમ આવતા તો અમને આત્માનો અનુભવ નહિ થાય. અનુભવ નહિ થાય તો અમને કેવળજ્ઞાન પ્રગટ નહિ થાય અમને મોક્ષ પ્રગટ નહિ થાય, એનું અમારે શું કરવું ? એવો આમાં એક પ્રશ્ન ઉઠાવ્યો શિષ્યે એનો જવાબ સરસ આપશે. હવે આપણે આમાંથી જોઈએ આ તો ઉપરથી વાત કરી.
જો એક દ્રવ્ય અનંત પર્યાય-અનંત દ્રવ્ય સમૂહકો નહિ જાનતા યુગપદ, યદિ વહ કૈસે જાને સર્વકો-એમ ગાથા છે. હવે એની ટીકા.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૧
અનેકાંત અમૃત
વહ ઇસ પ્રકાર-જ્ઞાન આત્માના લક્ષણ હૈ. રાગને કાઢી નાખ્યો. ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ બાદ થઈ ગયું અને જ્ઞાન આત્માકા લક્ષણ હૈ, તો આત્મા છે લક્ષરૂપ અને જ્ઞાન છે એનું લક્ષણ તો લક્ષણ દ્વારા, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે એટલે આત્માને તો પ્રસિદ્ધ કરે પણ રાગને ને પરને પ્રસિદ્ધ ન કરે. રાગ એનું લક્ષણ નથી. પુદ્ગલનું લક્ષણ હોય તો પ્રસિદ્ધ કરે આ તો લક્ષણ આત્માનું છે તો એ આત્માને જ પ્રસિદ્ધ કરે.
જ્ઞાન આત્માકા લક્ષણ હૈ ઔર વહ અખંડ પ્રતિભાસમય સભી જીવોમેં સામાન્યરૂપસે પાયા જાનેવાલા મહાસામાન્યરૂપ હૈ. આત્મા તો મહાસામાન્યરૂપ છે પણ એનું જે જ્ઞાનલક્ષણ કહ્યું, એ જ્ઞાનલક્ષણ પણ એમાં બધું જણાય જાય એવું એ મહાસામાન્ય છે. બધો પ્રતિભાસ આવી જાય. ઔર વહ અખંડ પ્રતિભાસમય સભી જીવો મેં સામાન્યરૂપસે પાયે જાનેવાલા મહાસામાન્ય હૈ. બધા જીવોમાં સામાન્ય જ્ઞાન ઉપયોગ પ્રગટ થઈ રહ્યો છે. જ્ઞાયક તો છે પણ ઉપયોગ પ્રગટ થાય છે અને સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને સામાન્ય કહેવાય અને આ ઉપયોગને વિશેષ કહેવાય એ વાત અહીંયા નથી અત્યારે, અત્યારે તો ઉપયોગ છે જે સામાન્ય અને સામાન્ય ઉપયોગ કહેવાય.
ઔર વહ મહાસામાન્ય જ્ઞાનમય અનંત વિશેષોમેં વ્યાપ્ત હૈ. હવે જે ઉપયોગ છે તે એના અનંત વિષયોમાં વિશેષોમાં વ્યાપે છે. એટલે કે એનામાં જે પ્રતિભાસ થાય છે એવો એ જોયાકાર જ્ઞાનમાં એ વ્યાપી જાય છે. આ જે છે એમાં તો પ્રતિભાસ જ થાય છે. જ્ઞાન સામાન્યમાં તો સ્વપરનો પ્રતિભાસ થાય છે. પછી એ પ્રતિભાસ થાય છે જેમાં એવું એક વિશેષજ્ઞાન જોયાકાર જ્ઞાન પ્રગટ થાય છે. એ વિશેષમાં પણ વ્યાપે છે. એ પ્રતિભાસ વિશેષ જ્ઞાનમાં પણ છે. એકલા સામાન્ય જ્ઞાનમાં રહી જાય અને એનું વિશેષ થાય (એમાં પણ છે). વિશેષ પર્યાય-ઓલું તો મહાસામાન્ય છે. પણ સામાન્ય હોય એનું વિશેષ હોયસામાન્યના વિશેષ આઠ પ્રકારના છે. કુમતિ, કુશ્રુત એ પણ સામાન્યનું વિશેષ છે. અહીં જ્ઞાન અજ્ઞાન ન લેવું હમણાં એમાં, એ પછી લેવું એ એમાં વ્યાપે છે. એમ શા માટે કહ્યું છે? કે આમાં જો પ્રતિભાસ છે સ્વપરનો તો એમાં પણ છે. પ્રતિભાસ એ કહેવા માટે કહે છે. કેમકે અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે એટલે એ ભેદજ્ઞાન કરીને અંદરમાં જઈ શકે છે. જો અજ્ઞાનમાં પણ સ્વપરનો પ્રતિભાસ ન હોય તો ભેદજ્ઞાન ન કરી શકે, વિધિ નિષેધ ન કરી શકે.
એને ખબર ન હોય પણ જ્યારે જ્ઞાની મળે કે તું પરને જાણે છે, પરને જાણે છે એમ કરી રહ્યો છો પણ તારામાં તો જ્ઞાયકનો પ્રતિભાસ થઈ રહ્યો છે. એ પ્રતિભાસ થઈ રહ્યો છે એ તને જણાતો નથી. અને કથંચિત્ એ ઉપયોગ અને આત્મા તન્મય છે અને શેયથી તો જ્ઞાન
--
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧ ર
અનેકાંત અમૃત તદ્દન ભિન્ન છે. તો એના પ્રતિભાસને તું પકડે છે અને આના પ્રતિભાસને છોડી દે છે. તારી ભૂલ છે-એ જ્યારે જ્ઞાનીનો યોગ થાય ત્યારે એને ખ્યાલ આવે અને પછી પ્રયોગ કરે અને પ્રયોગ કરતા સફળ થાય.
વહ મહાસામાન્ય જ્ઞાનમય અનંત વિશેષોમાં વ્યાપ્ત છે-ફેલાયેલું છે-પ્રસરેલું છે. ઔર વે જ્ઞાન વિશેષ વિષયભૂત-ઔર વે જ્ઞાન-જે વિશેષજ્ઞાન કહ્યું-સામાન્ય ઉપરાંત વિશેષ-વે જ્ઞાન વિશેષ વિષયભૂત-એનો વિષય છે. જે વિશેષ જ્ઞાન થયું એનો પણ વિષય છે. હવે એ જે સામાન્યજ્ઞાન છે એ પરમાં અહં કરતું નથી અને સ્વમાં અહં કરતું નથી. પણ એનું જે વિશેષ થાય છે. સામાન્યનું વિશેષ આઠેયજ્ઞાન એ કાં પરમાં અહં કરે ને કાં સ્વમાં અહં કરે.
ચાર બોલ તો સ્વભાવભૂત કહ્યા હતા. એટલે વિશેષ વિષયભૂત શેયભૂત-હવે શેય કેટલા છે. કોણ છે જ્ઞયભૂત અનંત દ્રવ્યપર્યાયો કે જ્ઞાયક, ગ્રાહક જાનનેવાલે હૈ ઔર વે જ્ઞાન વિશેષ વિષયભૂત શૈયભૂત અનંત દ્રવ્ય પર્યાયો કે, અનંત દ્રવ્ય પર્યાયો છે એનો જાણવાવાળો છે. જ્ઞાયક એટલે એને જાણે છે, જાણનાર છે. હવે જ્ઞાનના ભેદથી કહ્યું. પછી કહે છે જ્ઞાયક એને જાણે છે. જ્ઞાનના ભેદથી સમજાવ્યું પછી જ્ઞાયક એને જાણે છે, ગ્રાહક છે એમ કહ્યું.
અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્માકો-એ સ્વભાવવાળો આત્મા છે. આઠ જ્ઞાન નહિ. આઠ જ્ઞાન તો સાપેક્ષ છે ને નાશવાન છે. જે સામાન્યજ્ઞાન છે તે ખરેખર આત્માનું સ્વરૂપ છે. પેલું તો સાપેક્ષ છે અને નાશવાન છે. છતાં એ વિશેષ છે અને એમાં પ્રતિભાસ થાય છે, એ બરાબર છે.
અહીંયા અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્માકોઆત્માનો સ્વભાવ સામાન્ય જ્ઞાનરૂપ છે. વિશેષ જ્ઞાનરૂપ નથી. વિશેષ જ્ઞાન તો ઉત્પાવ્યયવાળું છે. આ ઉત્પાદ-વ્યયવાળું હોવા છતાં નાશવાન નથી અને આ અનાદિ અનંત છે. કેમકે એ ઉપયોગ ઉપયોગ ઉપયોગ ઉપયોગ કોઈ કાળે ઉપયોગ વિનાનો જ્ઞાયક ન હોય-અને એ ઉપયોગ સ્વમાં કે પરમાં અહં કરતો નથી, એનું જે વિશેષ થાય છે-જે ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ છે, એમ એના વિશેષ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન એમાં પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે, એમાં ભેદજ્ઞાન કરી શકાય છે. ભેદજ્ઞાન કરીને અંતરમાં જઈ શકાય છે. ઓલો ઉપયોગ નહિ. (શ્રોતા - એ તો સ્વભાવરૂપ છે) એને સામાન્ય કહ્યું.
પણ વિશેષ-વિશેષમાં ભેદજ્ઞાન હોય. સામાન્ય જ્ઞાનને તો માત્ર ઉપયોગનું લક્ષણ કહ્યું હતું-સ્વપરનો પ્રતિભાસ એમાં ભેદજ્ઞાનની શક્તિ નથી. છે ઉપયોગ તો પણ એ ઉપયોગ જે સામાન્ય છે એનું વિશેષ-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન, કુમતિ, કુશ્રુત,
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૩
અનેકાંત અમૃત કુઅવધિ એનાં વિશેષો છે.
એ વિશેષોનો વિષય અનંત દ્રવ્ય-ગુણ-પર્યાય છે. એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે-એમાં એ કહે છે વિશેષ જ્ઞાનનો વિષય શું છે? કે શેય છે. એ જોય કેવું છે? એ શેયને વિષય થાય છે એમાં-સાચી વાત છે પ્રતિભાસ થાય છે-પણ એ શેયભૂત અનંત દ્રવ્યપર્યાયોકે, અનંત દ્રવ્યપર્યાયોને જાણનારું તે વિશેષ. (શ્રોતા :- અનંત દ્રવ્ય પર્યાય એમ કેમ કહ્યું?) કે એ પર્યાયમાં અનંત દ્રવ્યપર્યાય પ્રતિભાસે છે. સ્વપર બેય, સ્વ પણ અનંત છે. સ્વ એવો જ્ઞાયકભાવ એમાં અનંત ગુણો છે, એની અનંત પર્યાયો છે એ પણ અનંતરૂપે છે અને લોકાલોક પણ અનંતરૂપે છે-અનંત છે. ગુણનો અંત નથી. એની વ્યાખ્યા કરે ગુરુદેવ, આ આકાશ ને અનંત અનંત એ વ્યાખ્યા કરે આપણને તો એ આવડે નહિ. એ પણ અનંત છે.
એ આત્મા કેવો છે? અનંત સ્વભાવી છે. અનંતગુણો છે, અનંત ધર્મો છે એમાં નિત્ય અનિત્ય આદિ અને અનંતકારકના ભેદો છે. એવું અનંતપણું એક આત્મામાં રહેલું છે, એનો પ્રતિભાસ થઈ રહ્યો છે વિશેષમાં-સામાન્યમાં છે પણ સામાન્ય જે છે એ શેયાકાર જ્ઞાન નહોતું-પ્રતિભાસરૂપ હતું. હવે આ યાકાર જ્ઞાન થયું, જોયાકાર જ્ઞાનમાં ભેદજ્ઞાન છે. (શ્રોતા :- વિષય લીધો એટલે જ જોયાકાર જ્ઞાન થયું ત્યાં સુધી નિર્વિષય હતું) એ તો સ્વભાવ છે ત્રિકાળ, એનો ત્રિકાળ સ્વભાવ છે ઉપયોગનો-પ્રતિભાસ થાય છે. સમજી ગયા. એ પ્રતિભાસ થાય છે એ તો એનું લક્ષણ કહ્યું હતું.
હવે જે પ્રતિભાસ થાય છે જ્ઞાન સામાન્યમાં એવું એક વિશેષ-જેને કહેવાય સાપેક્ષપેલું છે નિરપેક્ષ-જ્ઞાન સામાન્ય છે નિરપેક્ષ-અને એનું જે વિશેષ છે એ સાપેક્ષ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-કુમતિ, કુશ્રુત આદિ. એ બધું વિશેષ છે. પણ વિશેષ છે એ સાપેક્ષ છે. સાપેક્ષ છે એટલે ખરેખર એ આત્માનું લક્ષણ નથી. એ પરદ્રવ્ય છે, પરભાવ છે, સાપેક્ષ છે, નાશવાન છે. ઓલો ઉપયોગ તો અવિનાશી છે.
જેમ જ્ઞાયક અવિનાશી નિત્ય ધ્રુવ. એમ આ ઉપયોગ પણ ધ્રુવ છે. ધ્રુવ એટલે તેનું તે, તેનું તે, તેનું તે, એમ ઈ અપેક્ષાએ. (શ્રોતા :- ત્રિકાળી એમ નહિ. ઉત્પાદ વ્યય હોવા છતાં–તેનું તે, તેનું તે, એમ) ધારાવાહિક તેનું તે. જેમ જ્ઞાયક અનાદિ અનંત તેમ ઉપયોગ પણ અનાદિ અનંત છે. અને એ ઉપયોગમાં સ્વપરનો વિભાગ કરવાની ભેદજ્ઞાન કરવાની શક્તિ નથી, ઈ એના વિશેષમાં છે. અને એ વિશેષ જે છે-એ વિશેષમાં પ્રતિભાસ તો આવ્યો સ્વપર બેયનો, તો એમાં પરના પ્રતિભાસમાં શું લેવું? કે શેય લેવું એ શેય કેટલાં–કે અનંતા-અનંત દ્રવ્ય ગુણ પર્યાય બધું એનું શેય છે. એને એ જાણે છે. જાણે છે એટલે કે
@
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અનેકાંત અમૃત પ્રતિભાસ થાય છે અને ઉપચારથી જાણે છે એમ કહેવામાં આવે છે.
અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્મા કો, વિશેષ સ્વભાવવાળો આત્મા નથી. કેમકે વિશેષમાં ભલે સ્વપરનો પ્રતિભાસ થાય પણ એ વિશેષ સામાન્યમય નથી અને ઉપયોગ સામાન્ય એ તો દ્રવ્યમય છે. એમ કહેવા માંગે છે. કેમ કે પેલા સાપેક્ષ છે ને નાશવાન છે ને પરદ્રવ્ય છે ને પરભાવ છે. એટલે મતિધૃત લક્ષણ નથી. ઉપયોગો લક્ષણં-ઉપયોગો લક્ષણે ત્યાં તત્ત્વાર્થસૂત્રમાં મતિશ્રુતને લક્ષણ નથી કહ્યું અને સમયસારમાં પણ નથી કહ્યું-લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે અને વિશેષ જે છે તે લક્ષઅલક્ષ બેયને પ્રસિદ્ધ કરે-સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન-પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. (શ્રોતા :- બહુ સરસ-ફરીથી) એનામાં શક્તિ છે. દુરુપયોગ કાં સઉપયોગ. સમજાણું કાંઈ ?
(શ્રોતા :- વિશેષ છે એ લક્ષ-અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે.) હા. કરી શકે છે. સામાન્ય ઉપયોગ તો જ્ઞાનમય જ્ઞાયકમય છે. સમજી ગયા. અને આ જે સામાન્યનું વિશેષ પ્રગટ થાય છે એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એ વિશેષ છે. એ વિશેષમાં એ ભૂલ કરે છે-પરનો પ્રતિભાસ થાય છે અહં કરી લ્ય છે અને સ્વનો પ્રતિભાસ થવા છતાં તેમાં અહં કરતો નથી. આ જ્ઞાયક ચિદાનંદ આત્મા તે મારો છે ત્યાં સુધી એની નજર પહોંચતી નથી. આહાહા !
(શ્રોતા :- વિશેષ છે એ લક્ષ-અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે, અને બીજી ભૂલ શું થઈ-કે જે વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે-એમાં પરનો રાગનો પ્રતિભાસ થાય છે-પણ રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી, એમ કરે છે. પણ રાગી તો પુદ્ગલ છે એ ખ્યાલમાં આવતું નથી. એમાં બે છે વિશેષમાં. સામાન્યમાં સ્વપરનો પ્રતિભાસ-એ તો લક્ષણ બાંધ્યું. એ ગોથું ખાતો નથી. સામાન્ય ઉપયોગ ગોથું ખાતો નથી.
(શ્રોતા :- એટલે ઉપયોગમાં જે આત્મા એમ કીધું -મતિજ્ઞાનમાં આત્મા છે એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. એ વસ્તુ સ્થિતિમાં નહિ) ના, ના, ના. એમાં ખરેખર-એ શ્રુતજ્ઞાન જે અંતર્મુખ થઈ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માને જાણે છે એ વાત સાચી છે- પણ એ જે મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે એ તો નાશ થઈને કેવળજ્ઞાન થશે એટલે લક્ષણ કેમ કહેવાય. (શ્રોતા :- એ તો સાપેક્ષ છે એ લક્ષણ કેમ કહેવાય ?) નાશવાન છે. એ ટળતો ભાવ છે. (શ્રોતા :- લક્ષણ તો અનાદિ અનંત હોય) હા, લક્ષણ તો અનાદિ અનંત હોય. અને એ લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. અને વિશેષ તો અલક્ષને પ્રસિદ્ધ કરીને અજ્ઞાની બની જાય છે. (શ્રોતા :- અને વિષયભેદે નામભેદ પામે છે) આ પોઈન્ટ છે હોં ફરીને, શું કહ્યું? કે
--
Page #129
--------------------------------------------------------------------------
________________
૧ ૧૫
અનેકાંત અમૃત જે જ્ઞાન સામાન્ય છે એમાં તો સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ સ્વનું લક્ષ કરે અને પરનું લક્ષ કરે એવું એમાં નથી. પ્રતિભાસ થાય પણ એ સામાન્ય જ્ઞાનનું વિશેષ થાય છે જ્યારે, ત્યારે એ વિશેષમાં પ્રતિભાસ તો બેયનો છે-પણ એ ભૂલ ક્યાં કરે છે કે જે વિશેષમાં પરનો પ્રતિભાસ થયો એમાં અહં કરે છે અને સ્વનો પ્રતિભાસ થાય છે એમાં અહં કરતો નથી એટલે અજ્ઞાની બનીને રખડે છે. - જ્યારે પ્રતિભાસ પરનો થાય છે રાગનો-હવે એ રાગનો પ્રતિભાસ થાય છે, તો એ રાગ મારો છે ને મારામાં થાય છે એ એની ભૂલ છે. કેમ કે રાગ તો થાય છે કર્મની સત્તામાં ઈ શેયમાં થાય છે. જ્ઞાયકમાંય નહિ અને જ્ઞાયકના જ્ઞાનમાંય નહિ. (શ્રોતા :- બહુ સરસજ્ઞાયકમાંય નહિ અને જ્ઞાયકના જ્ઞાનમાં પણ નહિ.) જ્ઞાનમાં રાગ થાય? (શ્રોતા :- કેવી રીતે થાય - તો જ્ઞાન ક્યાં જાય?) અદભૂત વાત છે. (શ્રોતા :- વિશેષ લક્ષ અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે-એટલે આ ભેદજ્ઞાનની કળા છે.) ભેદજ્ઞાનની કળા-શું કહું? પ્રતિભાસ તો અમૃત છે. એક શબ્દ બસ છે બસ. (શ્રોતા :- અત્યારે અમૃત જ વરસે છે.)
પ્રતિભાસ ઉપર જેનું ધ્યાન ખેંચાશે, એમ લાગે છે એના ભવનો અંત આવી જશે-લક્ષ ખેચાવું જોઈએ કે હું પરને જાણું છું કે પરનો પ્રતિભાસ થાય છે બસ, એટલો વિચાર કરોમને આ મોટરનો પ્રતિભાસ થાય છે કે મોટર મારામાં જણાય છે કે હું મોટરને જાણું છું. જણાતી નથી મોટર અને એ જાણતો પણ નથી. પણ મોટરનો પ્રતિભાસ થાય છે, તો મોટર મારી એમ કેમ થયું? કે એનો પ્રતિભાસ દેખીને એનું લક્ષ એના ઉપર જાય છે. સંસારનું કારણ કહ્યું મેં-સંસારની પણ સિદ્ધિ કરવી જોઈએ ને, આ ફેક્ટરી જણાય છે, તો ફેક્ટરીમાં અહંબુદ્ધિ થઈ જાય છે. પણ ફેક્ટરીનો પ્રતિભાસ થાય છે તો ફેક્ટરીમાં અહંબુદ્ધિ નહિ થાય અને અહીંયા અહંબુદ્ધિ થતા વાર લાગે તોય વાંધો નથી. પણ એમાંથી તો અહબુદ્ધિ છોડી દઈશ. એમાં તો છે જ નહિ.
એટલે વિચાર એમ આવ્યો કે અમેરિકા એક અર્ચનાબેન છે. અભ્યાસી છે. એણે કહ્યું ચાર કેસેટ આમની સાથે મોકલજો-ચાર કેસેટ મોકલી દ્યો પછી ત્યાં કોપી ગમે તેટલી કરાવી
લેશે.
આ સમ્યફ એકાંતપૂર્વક અનેકાંતનો પાઠ છે. ધ્યેયપૂર્વક જોય અને એ પરયને કેવી રીતે જાણે છે જ્ઞાન. એ કળા છે. (શ્રોતા :- ધ્યેયપૂર્વક જોય તો કીધું પણ પરણેયને કેવી રીતે જાણે છે જ્ઞાન એ કળા છે)
પોતાનું ને પરનું ભવિષ્ય ખ્યાલમાં આવે છે અત્યારે. અસંખ્ય અબજ વર્ષ પછીનું હોં. આહાહા ! કેમકે સ્વર્ગમાં જઈને પછી બહાર નીકળશે ને, ઘણાં જીવો પહેલાં સ્વર્ગમાં જશે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧ ૬
અનેકાંત અમૃત પછી સાધના કરશે. અસંખ્ય અબજ વર્ષ જતાં રહે છે એક સાગરમાં, તો એવા સાગરો જતાં રહેશે પછી એને મોક્ષ થશે. પણ એ અસંખ્ય અબજ વર્ષ પછી મોક્ષ થવાનો છે એનું જ્ઞાન અત્યારે થઈ જાય છે. (શ્રોતા :- કેમકે એનો પ્રતિભાસ છે, તો પ્રતિભાસ છે ને તો એનો આવિર્ભાવ થાય.) જે જ્ઞાનને જાણે છે તે જોયને જાણે છે જે જ્ઞાનને જાણતો નથી તે શેયને જાણતો નથી. અરે આ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે ને એટલું કોઈકને ખ્યાલમાં આવે ને તો જ્ઞાનના સામર્થ્યમાં આવી જાય. અને પ્રતિભાસનો પક્ષ આવી જાય અને હું પરને જાણુ છું એ પક્ષ છૂટી જાય. ભલે અંદર જતા વાર લાગે પણ એનો પક્ષ છૂટી જાય. હું પરને જાણું છું એ પક્ષ છૂટી જાય.
પણ હું પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે. (શ્રોતા :- બરાબર-પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે) પંકજ ! જૈનદર્શન અપૂર્વ છે. જૈન ધર્મની ટોચે કોઈ આવતું નથી. (શ્રોતા :- પરને જાણતો નથી ત્યારે તો પરને જાણશે) બધું જણાય જશે. તું એકને જાણતો નથી એમ તો કહે તો અનેક જણાય જશે. એવું આમાં છે લખેલું. (શ્રોતા :- એક પણ પરને હું જાણતો નથી એમ કહે તો બધું પર જણાય જશે) વગર પુરુષાર્થે હોં-પુરુષાર્થ તો અંદરમાં જવાનો છે. એને જાણવાનો ક્યાં પુરુષાર્થ છે-પુરુષાર્થ વગર મફતના ભાવે જણાય જાય છે.
પહેલાના કાળમાં શાકભાજી લેવા જઈને તો કોથમરી મરચા મફત આપી દેતા-૭૦ વર્ષ પહેલાની વાત કરું છું. સમજી ગયા. આ તો આત્માને જાણતાં બધું જણાય જાય છે મફતના ભાવ-તારે જાણવાનો પ્રયત્ન નહિ કરવો પડે ભાઈ ! તૃપ્ત-તૃપ્ત થઈ જાઈશ જણાય ગયું બધુ. આત્માને જાણ્યો, એણે બધું જાણ્યું, કાંઈ બાકી ન રહ્યું. જાણવાની ઇચ્છા મરી જાય. ઇચ્છા એટલે એકત્વબુદ્ધિની ઇચ્છા-વાંછા નથી રહેલી જાણવાની.
(શ્રોતા - આત્માને જાણે એ પર્યાય તો સ્વપરના પ્રતિભાસમય છે. તો આત્માને જાણે છે તો જ્ઞાનની પર્યાય ન જણાય? એવું તો બને નહિ. અને એ તો પ્રતિભાસમય છે તો લોકાલોક જણાય જાય છે, જે જાણવાની ક્રિયાની રીત સમજાવી ભૂલ થવાનો અવકાશ નથી.) ઘણાં વર્ષો પહેલાં-વર્ષો થઈ ગયા સોનગઢમાં એક ઉદેપુરવાળા ભાઈ હતા એને કહ્યું કે આત્મા પરને જાણતો નથી. જાણે છે ખરો પણ ડાયરેક્ટ નથી જાણતો-ઇનડાયરેક્ટ જાણે છે-આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું? ઈનડાયરેક્ટ એટલે જ્ઞાનને જાણતાં જોયો જણાય જાય છે.
અખંડ એક પ્રતિભાસમય જો મહાસામાન્ય ઉસ સ્વભાવવાલે આત્માકો-વિશેષ આઠ પર્યાયવાળો આત્મા નથી. સામાન્યવાળો છે આત્મા-જો પ્રત્યક્ષ નહિ જાનતા આવા
Page #131
--------------------------------------------------------------------------
________________
અનેકાંત અમૃત
સ્વભાવવાળા આત્માને જે પ્રત્યક્ષ નથી જાણતો-તો વહ પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય સે વ્યાપ્ત જો અનંત જ્ઞાનવિશેષો ઉનકે વિષયભૂત જો અનંત દ્રવ્યપર્યાયે ઉન્હેં કૈસે જાન સકતા. નહિ જાન સકતા. કિસી ભી પ્રકાર નહિં જાન સકતા. ઇસસે યહ નિશ્ચિત હુઆ કી જો આત્મા કો નહિ જાનતા, વહ સર્વકો નહિ જાનતા-આત્માને જાણતો નથી એ સર્વને જાણી શકતો નથી. વૈસા હી કહા હૈં. હવે એક શ્લોક છે. એની અંદર એણે કોઈ શાસ્ત્રનો આધાર આપ્યો છે.
૧૧૭
એકભાવ સર્વભાવ સ્વભાવવાલા હૈ-સભીભાવ એકભાવસ્વભાવવાલા હૈ અથવા જિસકે દ્વારા એકભાવ વાસ્તવિક રૂપસે જાન લિયા ગયા હૈ ઉસકે દ્વારા સભી ભાવ વાસ્તવિકરૂપસે જાન લીયે ગયે હૈ.
અહીંયા શિષ્ય પ્રશ્ન કરે છે. જે સર્વને જાણે એ આત્માને જાણે. એમ આપે કહ્યું એમાંથી શિષ્યને પ્રશ્ન ઉઠ્યો. એ પહેલા આપણે ઉપરથી લીધું તે. આત્માકી વિશિષ્ટ જાનકારી હોને પર સભી કી જાનકારી હોતી હૈ ઐસા યહાં કહા ગયા હૈ. વહાં પહેલે ૪૯ મી ગાથામાં સર્વકી જાનકારી હોને પર આત્માકી જાનકારી હોતી હૈ ઐસા કહા થા. ૪૯ ગાથામાં. યદી ઐસા હો તો કે સર્વને જાણે તે જ આત્માને જાણે-એવું હોય તો-શિષ્ય પ્રશ્ન કરે છે. યદી ઐસા હૈ તો-છદ્મસ્થ જીવોંકો સભી કી જાનકારી નહિ હૈ-એના ક્ષયોપશમ અનુસાર થોડા પદાર્થને જાણે. બાજુના કમરામાં શું થાય છે એ જાણી ન શકે-તો બહારનું તો ક્યાંથી જાણી શકે?
યદી ઐસા હૈ તો છદ્મસ્થ જીવોં કો તો સભી કી જાનકારી નહીં હૈ. તો ઉન્હેં આત્મા કી જાનકારી કૈસે હોગી. જે સર્વને જાણતો નથી તો તેને આત્માની જાણકારી કેવી રીતે આવી શકે ? આપે કહ્યું કે સર્વને જાણે તે જ આત્માને જાણી શકે તો છદ્મસ્થ છે, અલ્પજ્ઞાન છે તે સર્વને તો જાણતો નથી. સર્વને જાણતો નથી તો આત્માને કેવી રીતે જાણી શકશે ? એટલે કે નહિ જાણી શકે, તમારા કહેવા પ્રમાણે એમ શિષ્ય કહે છે.
આત્મા કી જાનકારી કે અભાવમેં-જો આત્માને જાણતો નથી જીવ. સર્વને જાણતો નથી તો આત્માને જાણતો નથી તો એના અભાવમાં, આત્મભાવના કૈસે હોગી-આત્માને જાણે પછી આત્મભાવના પ્રગટ થાય. આત્માને જાણે અને શ્રદ્ધા કરે એટલે આત્મભાવના એટલે ઉપયોગને અંદરમાં લઈને એકાગ્રપણે એને ભાવવું-ભાવના એટલે નિર્વિકલ્પ ધ્યાન. આત્મભાવના ભાવતા લહે જીવ કેવળજ્ઞાન. એ ભાવના એટલે વિકલ્પ નથી. એ વાત વિકલ્પની નથી, રાગની નથી, ઈન્દ્રિયજ્ઞાનની નથી. ભાવના એટલે એકાગ્રતા. ઉપયોગ આત્મામાં એકાગ્ર થાય.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અનેકાંત અમૃત આત્મા કી જાનકારીકે અભાવમું આત્મભાવના કૈસે હોગી-ઔર ઉસકે અભાવમું કેવળજ્ઞાન કી ઉત્પત્તિ નહિ હોતી હૈ. શિષ્ય પ્રશ્ન કર્યો-એનો ઉત્તર આપે છે હવે. આચાર્ય ઉસકા નિરાકરણ કરતે હૈ-ખુલાસો કરે છે.
પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન દ્વારા-પરોક્ષ પ્રમાણભૂત સમ્યજ્ઞાનની વાત છે આ-પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન કે દ્વારા-અતીન્દ્રિયજ્ઞાનકે દ્વારા-ભાવશ્રુતજ્ઞાન-શ્રુતજ્ઞાન દ્વારા સભી પદાર્થ જાને જાતે હૈ-શ્રુતજ્ઞાનથી બધા પદાર્થ જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન દ્વારા સભી પદાર્થ કૈસે જાને જાતે હૈ-કેવળજ્ઞાન દ્વારા તો જાણવામાં આવે પણ શ્રુતજ્ઞાન દ્વારા કેવી રીતે જાણવામાં આવે-એમ પ્રશ્ન થાય.
યદી યહ શંકા હો તો કહતે હૈંઆચાર્યભગવાન. સાંભળ ! છHDોકે ભી આત્મજ્ઞાનઅનુમાનજ્ઞાનરૂપસે લોકાલોક આદિ કી જાનકારી પાઈ જાતી હૈ. છબી છે, ચોથું પાંચમું છઠ્ઠ ગુણસ્થાન છે. તો પણ એ પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન દ્વારા અનુમાન દ્વારા-જેને અનુભવ થયો હોય એને અનુમાન હોય. અજ્ઞાનીને અનુમાન ખોટું છે. જેને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો શ્રુતજ્ઞાન, એને અનુમાન દ્વારા-વ્યાપ્તિ જ્ઞાનરૂપસે લોકાલોક આદિકી જાનકારી પાઈ જાતી હૈ-તથા કેવળજ્ઞાન સંબંધી વિષયકો ગ્રહણ કરનેવાલા વહવ્યાપ્તિજ્ઞાન-અનુમાનજ્ઞાનપરોક્ષરૂપાસે કથંચિત્ આત્મા હી કહા જાતા હૈ. પરોક્ષરૂપે જાણે છે. લોકાલોકને પરોક્ષરૂપે જાણે છે. લોકાલોકને પરોક્ષ અનુમાનથી (જાણે છે) જેને અનુભવ છે એને અનુમાન સાચું. ભાવશ્રુતજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીનું અનુમાન ખોટું-પ્રત્યક્ષ વિના પરોક્ષ ન હોય. પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં છે, આને પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન દ્વારા-પરોક્ષ શું? પ્રત્યક્ષ શું? અનુમાન શું? પ્રત્યભિજ્ઞાન શું? જેને કાંઈ અભ્યાસ ન હોય-એને તો કાંઈ ખ્યાલમાં ન આવે. થોડો અભ્યાસ તો જોઈએ, તો કામ આવે.
પરોક્ષરૂપસે કથંચિત્ આત્મા હી કહ્યા ગયા હૈ-પરોક્ષપણે કથંચિત આત્મા હી કહ્યા ગયા હૈ. પરોક્ષરૂપે જાણે છે એ પણ આત્મા જ છે. પ્રત્યક્ષરૂપે જાણે એ પણ આત્મા અને પરોક્ષરૂપે જાણે એ પણ આત્મા જ છે સાધક. (શ્રોતા :- કેમકે એનું અનુમાન સાચું છે અનુભવી છે એટલે સાચું છે.) અથવા સ્વસંવેદનજ્ઞાનસે આત્મા જાના જાતા હૈ. ઓને અનુમાનથી જાણે છે અને આને અનુભવથી પોતે જાણે છે. આત્માને સ્વસંવેદનજ્ઞાનથી. (શ્રોતા :- એટલો તફાવત જાણવામાં) તફાવત એટલો છે.
કેમકે ઓલું છે ને અનુમાનજ્ઞાન એ માનસિક જ્ઞાન છે. અનુભવ છે એ આત્મિકજ્ઞાન અથવા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદન-પોતે પોતાને જાણવો એનું નામ સ્વસંવેદનજ્ઞાનપરને જાણવું એ નહિ. આત્મા જાના જાતા હૈ. ઉસરૂપસે ભાવના કી જાતી હૈ-ઔર ઉસ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧ ૧૯
અનેકાંત અમૃત રાગાદિ વિકલ્પ રહિત સ્વસંવેદન જ્ઞાનરૂપ ભાવનાને કેવળજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ. ઇસ પ્રકાર દોષ નહિ હૈ. અનુમાનથી તો આત્માને જાણે છે પણ સ્વસંવેદનજ્ઞાનથી પણ આત્માને જાણે છે. એમ બે પ્રકારે જાણે છે. અનુમાનથી અને અનુભવથી.
પર્યાયમાં પ્રતિભાસ તો જ્ઞાની ને અજ્ઞાનીને બેયને સ્વપરનો પ્રતિભાસ થાય છે. રાગનો પ્રતિભાસ પાંચ મહાવ્રતનો પ્રતિભાસ થાય છે જ્ઞાનીને-અજ્ઞાનીને ક્રોધનો પ્રતિભાસ થાય છે. અજ્ઞાની કહે હું ક્રોધી અને પેલો પ્રતિભાસ થાય છે પાંચ મહાવ્રતનો રાગનો તો (જ્ઞાની) કહે એ મારું સ્વરૂપ નથી. આહાહા ! કારણ કે જ્ઞાનને જાણતાં એના પ્રતિભાસને જાણી લીધું-પણ એકલા જ્ઞાનને નથી જાણ્ય-જ્ઞાન દ્વારા આત્માને જાણતાં એવું જ્ઞાન, એણે આ પ્રતિભાસને જાણી લીધો. (શ્રોતા :- એકલા જ્ઞાનને નથી જાણ્યું, એ જ્ઞાન દ્વારા આત્માને જાણતાં એ પ્રતિભાસનું જ્ઞાન થઈ જાય છે. એ અનેકાંત થયું) એ અનેકાંત. પોતાને જાણતાં પરનું જ્ઞાન થાય એ અનેકાંત. સમ્યક એકાંતપૂર્વક અનેકાંત. (શ્રોતા - એ જ્ઞાનને જાણતાં જ્ઞાન નથી થયું જ્ઞાન જ્ઞાયકને જાણે ત્યારે પ્રતિભાસનું જ્ઞાન થાય.) હા. એના વિના ન થાય.
જ્ઞયાકાર જ્ઞાન થયું તો જોયાકાર જ્ઞાનમાં એમ ન લીધું કે પરને જાણે છે એમ ન લીધું . સ્વપરને જાણે છે એમ ન લીધું. શેયાકારજ્ઞાનમાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાત : તે તો તે જ છે. જે જાણવામાં આવ્યો તેનો તે જ જાણવામાં આવ્યો. પહેલા પરોક્ષ અને પછી પ્રત્યક્ષ. (શ્રોતા :- પહેલા પરોક્ષ ને પછી પ્રત્યક્ષ) એમાં પહેલા પરોક્ષ ને પછી પ્રત્યક્ષ બે છે. કરણલબ્ધિના પરિણામમાં પરોક્ષ છે એમાં આનંદ નથી, સમ્યફદર્શન નથી. એની સન્મુખ છે એને સમ્યગ્દર્શન થાય જ. જેને કરણલબ્ધિના પરિણામ આવે એને થાય જ. સૂક્ષ્મ પરિણામ છે. આત્મા અભિમુખ તેની ધારા ચાલી છે. પ્રત્યક્ષ થાય ત્યાં પરોક્ષ ન હોય. અને જ્યાં પરોક્ષ હોય ત્યાં પ્રત્યક્ષ હજી નથી થયું, પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી આનંદ ન આવે. પરોક્ષમાં આનંદ નથી. આનંદની હવા તો આવી પણ આનંદ નથી. (શ્રોતા :- ઠંડી હવાથી તરસ ન છીપે પાણીથી છીપે) પહેલા આ હું બહુ લેતો હતો-સૂર્યનો ઉદય થવા પહેલા પોહ ફાટ્યો. એટલે પ્રકાશ થાવા માંડ્યો ને-સૂર્યના ઉદયને હજી વાર હોય તો પણ આમ પ્રકાશ થાય ને. એમ આત્માના અનુભવ પહેલા એને ખ્યાલ આવે છે. એની પાછળ હવે સૂર્યનો ઉદય જ થવાનો છે. પ્રકાશ આવશે-પેલું પરોક્ષમાં આવી ગયું. હમણાં સૂર્યનો પ્રકાશ થવાનો-થયો નથી પણ નિઃશંક છે એ.
(શ્રોતા :- વિશેષ લક્ષ અલક્ષ બે ને પ્રસિદ્ધ કરે માટે સાપેક્ષ છે.) અને સામાન્ય કોને પ્રસિદ્ધ કરે? (શ્રોતા :- એક જ્ઞાયકને જ બીજા કોઈને પ્રસિદ્ધ જ ન કરે.) એ અહં કરે છે?
Page #134
--------------------------------------------------------------------------
________________
૧ ૨૦.
અનેકાંત અમૃત (શ્રોતા:- ના, બીજે અહં કરે તો વિશેષ થઈ જાય છે. નિષ્ક્રિયમાં બંધ મોક્ષની પ્રવૃત્તિ નથી તેમ તેના સામાન્યમાં પણ બંધ મોક્ષની પ્રવૃ િનથી વિશેષમાં છે) વિશેષમાં છે. આહા ! (શ્રોતા :- પણ વિશેષની એક કચાશ છે લક્ષ-અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે જ્યારે એ લક્ષને પ્રસિદ્ધ કરી નાખે ત્યારે એનું નામ સમ્યકજ્ઞાન) વિષયભેદે નામ ભેદ.
બરોબર પોણા અગિયાર થયા ૪૫ મિનિટ થઈ. (શ્રોતા :- ૪૫ વર્ષનો નિચોડ આવી ગયો) પૂરું થઈ ગયું આજે. (શ્રોતા :- સાંભળનારને પણ સંતોષ થઈ જાય કે પ્રભુ વસ્તુનું સ્વરૂપ આવું છે. અંદર-બહાર સામાન્ય વિશેષ બધી રીતે સ્પષ્ટ થઈ જાય એવી વાણી. લક્ષ અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે. અને એ વિષયભેદે નામભેદ પામી જાય-ભાવભેદે નહિ અને તો પણ એ સાપેક્ષ છે માટે એ લક્ષણ નહિ. જે જ્ઞાનમાં-મતિજ્ઞાનમાં આત્મા જણાય. એ મતિજ્ઞાન આત્માનું લક્ષણ નહિ. કેમકે એ સાપેક્ષ છે અને લક્ષ અલક્ષ બેયને પ્રસિદ્ધ કરી શકે છે. એટલે એ વિશેષ છે એટલે એ લક્ષણ નહિ. સામાન્ય એ જ લક્ષણ) કારણ કે વિશેષજ્ઞાન શ્રુતજ્ઞાન આજે અંતર્મુખ થયું કાલે બહિર્મુખ થઈ જાય. એનો ભરોસો શું?
(શ્રોતા :- આજે સમ્યગ્દર્શન કાલે મિથ્યાદર્શન) એનો ભરોસો નહિ. એના ભરોસે ન રહેવું બહુ. (શ્રોતા :- અત્યારે થાય અને પાછું પડી પણ જાય જીવને) છે ને આગમમાં આધાર છે. આગમમાં તો આધારો છે બધા. આગમ પોકાર કરે છે. ભલે પછી અંતર્મુહૂર્તમાં પાછો આવે. (શ્રોતા :- એનો સો ટકા ભરોસો ન થાય, નિરંતર જેમ સામાન્ય ઉપયોગનો થાય. જેમાં લક્ષ થયા જ કરે છે.) સામાન્યમાં તો સ્વ કે પરનું લક્ષ કરવાનો પ્રશ્ન જ નથી. વિશેષમાં છે. જ્ઞયાકાર જ્ઞાન કાં સ્વને જાણે કાં પર જાણે બસ. તો એમાં સંસાર બંધ મોક્ષ આવી ગયું. (શ્રોતા :- બંધ-મોક્ષની પ્રવૃત્તિ વિશેષમાં છે.) બસ. જાણેલાનું શ્રદ્ધાન થઈ
જાય.
પણ પ્રતિભાસ થાય છે તે વખતે જ જેનો પ્રતિભાસ થાય છે એ જણાય છે-એ મરી ગયો એમાં ઈ મરી ગયો-જે વખતે પ્રતિભાસ થાય એ વખતે અહં થાય ત્યારે મર્યો-એમ લાગે કે અરે આમાં અહં ન થાય, ભલે પ્રતિભાસ થાય પણ અહં ન થાય. મારો નથી. પણ મારાથી ભિન્ન છે. (શ્રોતા :- પ્રતિભાસને જાણવું અનિવાર્ય છે એવું કોણે કીધું ) કોણે કીધું? પ્રતિભાસ થાય અને જાણે એ અનિવાર્ય નથી. એ લીધું તું કાલે. (શ્રોતા:- પ્રતિભાસ થાય એમાં અહં ન થાય. પણ પ્રતિભાસ થાય પ્લસ જણાય એમાં, તો અહં થાય) જાણતો જ નથી એ જ એનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. જાણતો નથી ત્યાં લોકાલોક જણાય જશે. ગજબની વાત છે ને.
(શ્રોતા :- પણ લૌકિકમાં છે ને કે ન માંગે તો દોડતું આવે.) પિતા મળ્યા પણ પિતા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૧
અનેકાંત અમૃત કેવા મળ્યા આમ કીધું તેણે-એટલે તરત જ શ્રદ્ધા ન બેસે કોઈને, કોઈને શ્રદ્ધા ઘડીકમાં ન બેસે. કારણ કે પ્રતિભાસનો જો ખ્યાલ નો હોય તો આવિર્ભાવનો ખ્યાલ નો આવે. ઈ ખોટું લાગે. કાં બનાવટ લાગે. ભાવનાત્મક લાગે. ભાવનામાં ખેંચાઈ જાય. અમે તો એને પ્રમાણ કર્યું. પ્રુફ કર્યું. એક જીવને આવ્યું તે જ પાછું બીજા જીવને આવી ગયું કે એ વાત સાચી છે. એટલે જ્ઞાનીને તો પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે. પણ અજ્ઞાનીને અપવાદરૂપ છે આ. બીજાઓને પણ થયો છે, થાય છે. બીજાનીય અમને ખબર છે મિથ્યાષ્ટિની હો.
જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય છે. જ્ઞાન છે ને મલિન થયું નથી. મિથ્યાષ્ટિનું જ્ઞાન સ્વચ્છ છે. સાંભળજે ! તો ઈ સ્વચ્છતામાં સ્વનો ને પરનો લોકાલોકનો પ્રતિભાસ થઈ ગયો છે અને એને આવિર્ભાવ થઈ શકે છે. ઉપયોગ સ્વચ્છ છે મલિન થયો નથી. ઉપયોગમાં રાગનો પ્રતિભાસ જ થયો છે તેમાં રાગ આવ્યો નથી. અજ્ઞાનીને પણ રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન જ રહ્યું છે. હા, એનો રાગનો પ્રતિભાસ થયો છે તે પ્રતિભાસ દેખીને ભૂલે છે કે હું રાગી, તો ઈ તો એની ભૂલ છે. સ્વરૂપની ભૂલ નથી થઈ. સ્વભાવ તો જ્ઞાન જ છે. આત્મા જ્ઞાનમય છે. અનાદિ અનંત જ્ઞાનમય છે.
અરે એવું પણ આવે છે કે અનાદિથી જીવ જ્ઞાનરૂપે પરિણમે છે અને મિથ્યાત્વરૂપે પરિણમતો નથી. એવું પણ ભગવાનની વાણીમાં આવ્યું છે. કોને કહેવું આ? અને ઈ સમયસાર કહે છે કે જો શુભાશુભરૂપે પરિણમે તો જડ થઈ જાય. શુભાશુભરૂપે પરિણમતો નથી એમ શાસ્ત્ર કહે છે. સમયસાર પોકાર કરે છે હોં. શુભાશુભભાવ તેના સ્વભાવે આત્મા કોઈ કાળે પરિણમતો નથી. પરિણમે તો શું થાય? કે જડ થઈ જાય. ત્યારે ઈ જ્ઞાનરૂપે તો પરિણમે છે તો શુભાશુભભાવોનું શું થયું? કે એનો પ્રતિભાસ થયા કરે છે. તેનો પ્રતિભાસ થયા કરે છે અને આત્મા જ્ઞાનરૂપે પરિણમ્યા કરે છે. એવું બધું શાસ્ત્રમાં ઘણું છે પણ શલ્ય ઘુસી ગયું છે. શું થાય? - મિથ્યાત્વના અને રાગદ્વેષના પરિણામ કોના છે તે પણ જીવને ખબર નથી, જીવની જાત નથી. કજાત છે. અણગણતો ભાવ છે. અને એમ માને છે કે મારામાં ક્રોધ થાય છે. અરે ભાઈ! તારામાં ક્રોધ નથી થતો તારામાં આત્માનું જ્ઞાન થાય છે. અને એમાં ક્રોધનો પ્રતિભાસ થાય છે. ક્રોધ જ્ઞાનમાં આવતો નથી, ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ક્રોધાદિ નથી. આહાહા ! આવી વાતો છે. થઈ ગયો ટાઈમ. કોઈ બીજાએ પ્રશ્ન ન કર્યો.
શ્રોતા:- ઉપયોગમાં જે સ્વચ્છતા છે તે નિરપેક્ષ છે કે સ્વચ્છત્વ શક્તિને કારણે છે?
ભાઈશ્રી :- નિરપેક્ષ છે. ઉપયોગ નિરપેક્ષ છે અને અનાદિ અનંત સ્વચ્છ છે. એ | સ્વચ્છત્વ શક્તિ તેમાં નિમિત્ત પડે છે. અને ઉપયોગ સ્વતંત્રપણે સ્વચ્છ છે. એમાં કારણ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧ ૨૨
અનેકાંત અમૃત કાર્ય કહેવું તે વ્યવહાર થઈ ગયો. એટલે એમ કહેવાય કે સ્વચ્છત્વ શક્તિ છે તે ઉપયોગમાં વ્યાપે છે. કહેવાય, ઈ વ્યવહાર છે. પણ સ્વતંત્રપણે ઉપયોગ સ્વચ્છ છે. (શ્રોતા :- પહેલાં નિરપક્ષની સિદ્ધિ કરી અને પછી સાપેક્ષ છે.)
ઉપયોગ અનાદિ અનંત સ્વચ્છ છે. જ્ઞાન ઉપયોગ નિરપેક્ષ સ્વતંત્રપણે અનાદિ અનંત સ્વચ્છ છે, તે તો આત્માનું લક્ષણ છે. તે શેયનું લક્ષણ છે ધ્યેયનું લક્ષણ નથી. ૧૦૫ વર્ષની ઉંમરના આત્માનંદજી ગુજરી ગયા તેમણે આ વાત કરી હતી. એક ભાઈ મારી પાસે આવ્યા તેમણે એમ કહ્યું કે આત્મારામજીએ એમ કહ્યું કે આત્માનું લક્ષણ તો પરમ પારિણામિકભાવ છે એટલે કે ધ્યેયનું લક્ષણ પરમપારિણામિક ભાવ છે અને શેયનું લક્ષણ ઉપયોગ છે. મેં કહ્યું. વાહ ! એટલો ભેદ પડ્યો ઈ બરાબર છે. આત્મા છે ને. તેની અધ્યાત્મની લાઈન હતી.
Page #137
--------------------------------------------------------------------------
________________ નમઃ મિme