SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત અમૃત ३८ પરિણમનને મારું પરિણમન માન્યું તો અજ્ઞાની થઈ ગયો. એમ. (શ્રોતા :- જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું) જ્ઞાનનું અજ્ઞાન થયું એમ અજ્ઞાની થયો થકો નાશ પામે છે. - ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું, જુઓ ! સ્વરૂપથી જ્ઞાનરૂપથી તપણે પ્રકાશે છે. જ્ઞાન તો જ્ઞાનરૂપે છે. શેયના પરિણમનરૂપ જ્ઞાન ક્યાં વયું ગયું ? અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને, જ્ઞાન જ્ઞેયરૂપે નથી પણ જ્ઞાન જ્ઞાનરૂપે જ છે. એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે. જુઓ ! કેવો ચોખ્ખો શબ્દ છે જ્ઞાતાપણે પરિણમનને લીધે, અપરિણામી છે કે પરિણામી ? (શ્રોતા :- પરિણામી) જ્ઞાનરૂપે પરિણમે છે આત્મા હોં ! (શ્રોતા : પરિણમે છે ત્યારે સાધ્યની સિદ્ધિ થાય છે.) જ્ઞાતાપણે પરિણમનને લીધે, જ્ઞાની કરતો થકો અથવા જ્ઞાની થયો થકો કરતો થકો, એટલે થયો થકો. અનેકાંત જ સ્યાદ્વાદ જ તેને ઉદ્ધારે છે, નાશ થવા દેતો નથી. જ્ઞાન ટકી રહે છે. (શ્રોતા :- બહુ સરસ !) આમ જાણે તો જ્ઞાનનું અજ્ઞાન ન થાય. (શ્રોતા :- ત્રણ લાઈન બહુ સરસ ! બધું આવી ગયું એમાં સ્યાદ્વાદ ઉદ્ધાર કરે છે અનેકાંત ઉદ્ધાર કરે છે. વાહ !) હું શેયરૂપે પરિણમું છું એ બુદ્ધિ થતી નથી. શેયરૂપે પર પદાર્થ પરિણમે છે. હું તો જ્ઞાનરૂપે પરિણમું છું. જ્ઞાનરૂપે પરિણમું છું પણ હું શેયરૂપે પરિણમતો નથી. એ ક્યાં નજર જાય એની, જ્ઞાન ઉપર નજર હોય તો, જો જ્ઞેયને જાણવા રોકાય તો એ પરિણમન મારું છે એમ ભાસ્યા વગર રહે જ નહીં એટલે અજ્ઞાન થઈ ગયું. ખરેખર તો પરની સામે જોવાનું જ નથી. જોવાની જ સખત મનાઈ છે. પરની સામે જોવે છે એ જ્ઞેયના પરિણમનને પોતાનું પરિણમન માની લે છે અને જો જ્ઞાન ઉપર નજર કરે છે તો હું તો જ્ઞાનરૂપે પરિણમું છું. સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપે તો પુદ્ગલ પરિણમે છે. મારે ને એને લેવા દેવા શું ? (શ્રોતા પરને જાણવું એ જ ભૂલ છે) એ જ ભૂલ છે. (શ્રોતા :- અજ્ઞાનનું મૂળિયું છે) મૂળ ભૂલ છે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. ચાલો ટાઈમ થઈ ગયો ! એક બોલ થયો, તપણાનો બોલ થયો. હજુ થયો નથી પૂરો. (શ્રોતા :- થઈ ગયો. અડધો થયો. તપણું થયું અત૫ણું નથી થયું) અતપણું હવે થાશે. પછી લઈ લઈશું. : = = તત્ અતત્ક્ષણું બે ધર્મો છે એટલે આત્મા જ્ઞાનરૂપે રહે છે પણ શેયરૂપે થતો નથી. (શ્રોતા :- આહાહા ! એમાં તો અસ્તિ નાસ્તિ અનેકાંત આવી ગયું.) પરિણમન તત્ અતત્ક્રાં એમ જ છે. તત્ એટલે જ્ઞાનરૂપે છે અતત્ એટલે શેયરૂપે પરિણમન મારું નથી. શેયરૂપે પરિણમન પર પદાર્થનું છે. ૫૨૫દાર્થ બધા જ્ઞેય છે. છ એ દ્રવ્ય જ્ઞેય છે. એનું પરિણમન એ મારું પરિણમન ક્યાંથી હોય ? એમ. કેમકે એ અતત્ છે. શેયની મારામાં નાસ્તિ છે અને શેયનું પરિણમન મારામાં ના આવે અને જ્ઞાનનું પરિણમન મારામાંથી છૂટે નહીં અને
SR No.008403
Book TitleAnekanta Amrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2008
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Discourse
File Size863 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy