SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત અમૃત નિષેધ કરવો છે. એમાં તો એકલી અસ્તિ લીધી હતી. આમાં એમ કહે છે કે જે તત્ છે તે તતની સિદ્ધિ ક્યારે થાય? કે તે પરરૂપથી તતુ નથી અતત્ છે ત્યારે એક તની સિદ્ધિ થાય. જ્ઞાન જ્ઞાનથી છે ને શેયથી નથી. અનેકાંત અમૃત છે હો ! અમૃત છે આ. અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તપણું હોવા છતાં પરરૂપથી અતપણું છે. છએય દ્રવ્યો લઈ લેવા. સ્વરૂપે સતા અને પરરૂપે અસતા એવા બે ભાવ વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. સૂત્ર છે ઈ. તે પરરૂપથી તત્ નથી અર્થાત્ દરેક વસ્તુ દરેક તત્ત્વના સ્વરૂપથી તપણું-તેપણું, તપણું એટલે તેપણું, પોતાપણું હોવા છતાં પરરૂપથી અતપણું છે તેમ માનતો હોવાથી વિશ્વથી ભિન્ન એવા, વિશ્વ ભલે જણાય, તો તેનાથી મારું જ્ઞાન ભિન્ન છે. વિશ્વથી ભિન્ન એવા વિશ્વના નિમિત્તથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહીં એવા આ અર્થાત્ સમસ્ત શેય વસ્તુઓના આકારે થવા છતાં જો જ્ઞાનની પર્યાય જોયાકાર થાય છે પણ શેયરૂપ જ્ઞાન નથી થતું, તે પરમ છે. શેયાકારે અહીંયા જ્ઞાન થાય છે પણ શેયો અહીંયા જ્ઞાનમાં આવતાં નથી. અતતું સ્વરૂપે છે. શેયાકાર તો જ્ઞાનની પર્યાય છે, ઈ તો આત્મા છે. ઈ જોય નથી. (શ્રોતા :જોયાકારોને જોઈને જોય મારામાં આવી ગયા તે ભ્રાંતિ થાય છે.) હું જાણે શેયરૂપ છું તેમ ભ્રાંતિ થાય છે અને શેયથી જ્ઞાન થાય છે તેવી ભ્રાંતિ થાય છે. રાગ જણાતાં હું રાગી, દુ:ખ જણાતાં હું દુ:ખી, તેવી ભ્રાંતિ થાય છે. દુઃખ તો તને જણાય છે. દુઃખ જણાય તેથી દુઃખ તારામાં ક્યાં આવી ગયું છે. હું દુઃખને ભોગવું છું તે તારી મૂઢતા છે. દુઃખને ક્યારે ભોગવે કે દુઃખરૂપ આત્મા થાય તો, ઈ તો અતરૂપ છે. દુઃખની તારામાં નાસ્તિ છે. તને દુઃખનું વેદન ક્યાંથી આવ્યું? દુઃખ જણાય છે તેવું જ્ઞાન થાય છે તે બરાબર છે. અહીંયા એટલો વાંધો નથી કોઈ જાતનો. (શ્રોતા :- ઈ તો જ્ઞાની છે એને ક્યાં દુઃખ છે?) હા. વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નથી થયો. અર્થાત્ સમસ્ત શેયવસ્તુઓનાં આકારે થવા છતાં સમસ્ત જ્ઞેય વસ્તુથી ભિન્ન એવા પોતાના નિજ તત્ત્વને સ્પર્શે છે, અનુભવે છે. જોયાકાર જ્ઞાન થયું પણ શેયરૂપ ન થયું. જોયો નિમિત્ત છે પણ તે નિમિત્ત ઉપાદાન નથી થતું. ઉપાદાન તો જ્ઞાન છે અને ઓલું નિમિત્ત છે. જ્ઞાન તે ઉપાદાન અને વિશ્વ તે નિમિત્તમાત્ર છે. (શ્રોતા :- ઉપાદાનમાં નિમિત્તની નાસ્તિ છે) હા. એમાં નાસ્તિ છે. એને નિમિત્તથી આંહી જ્ઞાન નથી થયું. નિમિત્ત તો અતરૂપે છે. સમસ્ત વસ્તુથી ભિન્ન એવા પોતાના
SR No.008403
Book TitleAnekanta Amrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2008
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Discourse
File Size863 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy