SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત અમૃત ૪૩ આપણે વધારે સમજવાનું છે, પરને જાણતો નથી, પરને જાણતો નથી ને એની સામેની આ વાત છે. પર જણાય જાય છે એમ અમે કહીએ છીએ, પરને જાણતો નથી. દેખે છે ને છતાં દેખતો નથી. એ શબ્દ તો મુનિરાજનો છે એટલે દેખાય છે તેનો નિષેધ નથી પણ હું તેને દેખતો નથી. દેખાય છે મારી સ્વચ્છતામાં એનો હું નિષેધ ક્યાં કરું છું? હું એને દેખતો નથી. ઈ દેખાય સામે આવીને અને તમે એને દેખો નહીં? (શ્રોતા :- કેમકે અમારું લક્ષ આત્માની ઉપર છે) લક્ષ તો એક ઉપર છે કાં સ્વ ઉપરને કાં પર ઉપર. આ અંદરનું રહસ્ય છે. અભૂત વાતો છે. દરેક વાતનો ઉકેલ છે એમાં. આ બોલ શા માટે વિશેષ ચર્યો કે આપણે કહીએ છીએ ને કે આત્મા પરને જાણતો જ નથી. ન્નયાકારનો તમે ત્યાગ કરવા માંગો છો? પરના લક્ષ વગર જોયો જ્ઞાનમાં ઝળકે છે. એવા શેયાકાર જ્ઞાનને અમે જાણીએ છીએ. અને અમે બે પ્રકારના જોયને જાણીએ છીએ. એક પ્રકારનું શેયાકાર નથી થતું, જ્ઞાયક પણ શેય છે ને પર પણ શેય છે, એવા શેયાકાર જ્ઞાનને અમે જાણીએ છીએ. એકલા શૈયાકાર જ્ઞાનને નહિ. સ્વજ્ઞેય ને પરગ્નેય એવું જે બે પ્રકારનું શેયાકાર જ્ઞાન થાય છે. જ્ઞાયક જણાય તે શેયાકાર નથી? તે શેયાકાર જ્ઞાન છે. અજ્ઞાની એકલા જ્ઞયાકાર જ્ઞાનને જાણે તો યાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. પહેલા જોયાકાર જ્ઞાનનો તિરોભાવ કર ને સામાન્યનો આવિર્ભાવ કર. પછી બેય જણાય છે. બેયનું નામ જ્ઞયાકાર છે લે. આહાહા ! દ્રવ્યથી એકપણું છે ને પર્યાયોથી અનેકપણું છે. એમાં કયાં એનો ત્યાગ કર્યો? પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો, અનેકાંત જ તેને પોતાનો નાશ થવા દેતો નથી. દ્રવ્ય પર્યાય બેયને જાણે છે. પ્રમાણજ્ઞાનમાં દ્રવ્યને એકપણે જાણે છે ને પર્યાયોને અનેકપણે જાણે છે. સ્વદ્રવ્ય જ સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. એક અનેકને યુગપદું જાણે છે. એક સમયમાં બે છે. (શ્રોતા :- જ્ઞાયકનું લક્ષ રહે છે માટે એકાકાર એકને જાણે છે અને અનેકાકાર થાય છે તેને પણ જાણે છે, જાણે છે તેનું જ્ઞાન થાય છે બસ. અનેકાંત એટલે બે ધર્મો. દ્રવ્યને જાણે છે અને પર્યાયોને જાણે છે. એક સમયમાં બે ધર્મોને યુગપ જાણે છે તે અનેકાંત. બે ધર્મોને યુગપ જાણવું તેનું નામ અનેકાંત છે. એક સમયમાં જણાય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં એક સમયમાં દ્રવ્ય પર્યાય જણાય છે. પહેલા દ્રવ્ય જણાય ને પછી પર્યાય જણાય એમ નથી. ૧૧૪માં લીધું છે કે પહેલા પર્યાયાર્થિક ચક્ષુ બંધ કર. સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો, પછી દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કર અને પછી પર્યાયને જો. પછી દ્રવ્યપર્યાયને બંનેને જો. એમ આવે છે તે પ્રમાણથી લીધું છે. પ્રમાણ પોતે કાઢ્યું. મૂળમાં નહોતું. ટીકાકારે પ્રમાણ લીધું.
SR No.008403
Book TitleAnekanta Amrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2008
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Discourse
File Size863 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy