Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સંકલ્પોનન્ય
- પ.પૂ. ગણિવર્ય હર્ષતિલક વિ.મ.સા.
ક્ષેત્ર કોઇપણ હોય, તેમાં સફળતા મેળવવા માટે વ્યકિતને સૌ પ્રથમ તીવ્ર કોટિનો સંકલ્પ કરવો પડે છે. અને જ્યારે સંકલ્પ મજબૂત બને છે, ત્યારે પ્રાયઃ સિદ્ધિની વરમાળા અવશ્યમેવ સામે ચઢીને મલ્યા વિના રહેતી નથી. અને માટે જ સાધનાના ક્ષેત્રમાં આગળ વધવા માટે સૌ પ્રથમ પ્રણિધાન નામના આશયની મુખ્યતા સાધક માટે અનિવાર્ય માનવામાં આવી છે. પ્રણિધાનમાં જ ઢીલાશ હોય તો સાધક માટે સફળતાની સિદ્ધિની આશા નહીવત્ બની જતી હોય છે. આવા પ્રકારના શાસ્ત્રપૂત વચનોના મર્મને હૃદયસ્થબનાવનાર લોખંડી મનોબળના સ્વામી સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીરત્ન પૂ. આ.શ્રી હિમાંશુ સુ. મ.સા. આજે સ્થૂલ દહે આ વિશ્વમાં વિદ્યમાન નથી પરંતુ તીવ્રતમ કોટિના સંકલ્પની બળે તેઓશ્રીએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ જયારે આંખ સામે ખડી થાય છે, ત્યારે મનોમન તેઓશ્રીને અભિનંદવાનું મન થયા વિના રહેતું નથી.
| પૂજ્યશ્રીના સૌ પ્રથમ દર્શન વંદન વિ.સં. ૨૦૩૩ માં સિદ્ધોની ખાણ એવાં સિદ્ધક્ષેત્રમાં થવા પામેલ. તે વખતે પૂજ્યશ્રીની નિશ્રામાં મહારાષ્ટ્રભુવન પાલિતાણા ખાતે ઉપધાન તપની આરાધના ચાલી રહેલી.
મુમુક્ષુ અવસ્થામાં કચ્છ માંડવીથી યાત્રાર્થે પાલિતાણા આવવાનું નક્કી થતાં પ્રાતઃ સ્મરણીય મહાન તપસ્વીસમ્રાટ, વર્ધમાનતપની ૧૦+૧+ ૮૯ ઓળીના અજોડ આરાધક, ભવોદધિતારક પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્વિજય રાજતિલક સુ.મ.સા.નો પૂજ્યશ્રી સાથેનો ઘનિષ્ઠ પરિચય હોવાથી પૂજ્ય ગુરુદેવના કથનથી જ આ સૌભાગ્ય સાંપડેલ.
ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીની જિનશાસનના ઇતિહાસમાં અજોડ ગણાય તેવી વર્ધમાન તપની ૧+૧0 ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે અમદાવાદ ગિરધરનગર મધ્યે પૂજ્યશ્રીનું પદાર્પણ થયું.
| પૂજય ગુરુદેવ પ્રત્યેના જીવંત અહોભાવ 8ારણે શા/રિઝ પ્રd5U1dહોવા છતાં પોતાના પta| તારક ગુરુદેd a[l[ શાસનપ્રd|Id૬ વાવાdશરોણ
dશા(HIRછiધd પુજાપાદ Mાયાઈ દેવેશ શ્રીdiદ વિ જ ય રાયot[{ીસ્વરજી મહારાજાની વિશ્રામાં માયોજિત જu[{td શારHotપ્રભાds પ્રસંગે પધારેલ પુજયશ્રીળા પરિચયમાં ઠીક-ઠીs on's olીવવાનું શવેલ. afd{થા તો મુajમુળી હતી..... પણ કૃપા સારી તુવી .... oળે દીક્ષા જcદી વેજે... જોવા આશીર્વાદ આપ્યા. દીક્ષા બાદ સંયalgotal પણ પુજય ગુરુદેવશ્રીની સાથે અનેક dખતે પરિચયમાં શણાવવવાનું શવાથી ફુદરતી રીતે જ dhોશ્રી પ્રબો શાદરપાd વૃદ્ધિગd 0[fો ગયેલ. પૂજયશ્રી પણ શવિસરે અવસરે સુયોગ્ય હિdશક્ષાદિ પ્રદiot stવા GIRI SDU uddi Tèci.
- યોગાનુયોગ વિ.સં. ૨૦૫૪ ના શ્રાવણવદ-૫ બુધવારના દિને અમદાવાદ ગિરધરનગર મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીની ચિરવિદાય થઇ. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીના સાંનિધ્યમાં વાસણા-નવકાર ફ્લેટમાં પહોંચવાનું થયું જેફ વયે અપ્રમત્તભાવે, ચઢતા પરિણામે ચાલી રહેલી સાધના જોઇને મન ઝુક્યા વિના રહેતું નહીં.
ૐવી શlIRIધશાળી ભિરુચિ ! Èવો પ્રચંડ સંscપ !
તે અવસરે પણ બપોરે બે-બે વાગે આયંબિલ કરવા બેસતાં.... સ્વાભાવિક રીતે જ પૂજ્યશ્રીની સેવામાં ખડે પગે રહીને વૈયાવચ્ચનો અજોડ આદર્શ ખડો કરનાર પૂજ્યશ્રીનાં અંતેવાસી ન હોવા છતાંય પૂજ્યશ્રીના એકમાત્ર પડછાયાની જેમ જ રહેનાર તપસ્વી મુનિવર્યશ્રી હેમવલ્લભ વિ.મ.સા.ને મેં કહ્યું કે ગોચરી આટલી બધી મોડી કેમ ? ત્યારે મને કહે કે “હર્ષતિલક મ.સા.! આ તો રોજીંદો ક્રમ છે. જયાં સુધી જાપથી માંડીને પરમાત્માના દેવવંદનો આદિની ક્રિયા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી ગમે તેટલો આગ્રહ કરીએ પણ પૂ.તપસી મ.સા. પચ્ચકખાણ પારવાનું નામ નથી લેતાં ઘણી વખત તો ૪-૫ વાગે આયંબિલ કરવા બેસે છે. ગોચરી આવેલી એમ જ પડી રહે છે.'' ત્યારે મને પણ પૂજ્યશ્રીને હેજે કહેવાનું મન થયું, ઉઠીને હું પૂજ્યશ્રી પાસે પહોંચ્યો, કેમ આવ્યો ? મેં કહ્યું “સાહેબ” ! આપ આયંબિલ આટલું મોડું કેમ કરો છો ? ‘ભાઈ ! આમે આ શરીરને ૨૪ કલાકમાં એક વખત ભાડું આપવાનું છે.
in Suche
vale & Personal use only