Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
aff
પૂજ્યશ્રીના જીવનમાં અનેક ગુણોની વચ્ચે બે શ્રેષ્ઠતમ ગુણો મારી નજર સમક્ષ આજે પણ તરવરી રહ્યા છે, તે ગુણો હતા..(૧) શ્રેષ્ઠતમ વાત્સલ્ય (૨) તપ. અમને તેઓશ્રીજીની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. વડનગરથી તારંગાના છ‘રી | પાલિત સંઘમાં... . | પૂજ્યશ્રીનું જીવન તપોમય હતું... સંઘમાં પૂજ્યશ્રી ૧-૨ વાગે વિહાર કરીને પધારે... પછી ૩-૪ વાગે આયંબિલ કરે.. તે પાગ દાળ અને રોટલી “ ઇચ્છાનો 'રોધ” તે તપનો સાર છે. કોઇ પણ પ્રકારની ઇચ્છા તો તેમના જીવનમાં હતી જ નહી. તે વાત્સલ્યગુણ :- જયારે પાગ પૂજ્યશ્રીજીની પાસે જઇએ... અને વાસક્ષેપ મસ્તક ઉપર પડે... ત્યારે એવો અનુભવ થતો હતો કે જાણે વાત્સલ્યનો ધોધ મારા ઉપર પડ્યો.... | અમે પૂજ્યશ્રીની સાથે વિ.સં. ૨૦૫૭ માં જેન સોસાયટી હતા સંઘમાં પોષ દશમીના અઠમ કરાવેલ પૂજ્યશ્રીની નિશ્રામાં મને પણ અઠમ કરવાની ભાવના થઇ, મેં સાત વરસથી એક પાગે અઠમ કરેલો નહી અને મને પહેલા ઉપવાસથી જ ઉલટી ચાલુ થઇ જાય. ત્રાગે દિવસ ઉલટી થાય. પાગ પૂજ્યશ્રીના સ્વમુખે કરેલા 'પચ્ચખાગના પ્રભાવથી અઠમ સરસ થયો... ત્રણ દિવસ જાપ, સ્વાધ્યાય,
આરાધના વિગેરેની ઝાંખી આજે પણ સ્મૃતિપથપર આવે છે, ત્યારે આનંદનો સાગર | હિલોળે ચઢે છે. | પૂજ્યશ્રીના જીવનમાંથી આ બે ગુણો પાગ યત્કિંચિત્ મારા જીવનમાં આવે... અને પૂજ્યશ્રીના આશીર્વાદથી હું પાગ સંયમજીવનમાં ઉત્તરોત્તર આગળ વધુ એજ મંગલ કામના... | પૂજ્યશ્રીના મુખકમલના દર્શનથી ભવ્યજીવોની ભવોભવની તરસ શમી જતી., પૂજ્યશ્રીના હૃદયભેદક વચનથી ધર્મજીવોના પાપ વિલય થઇ જતા. એવા તો પૂજ્યશ્રીના જીવનમાં અનેક ગુણો હતા. એમના ગુણોને આલેખવા બેસીએ તો , આપણું આયુષ્ય પણ ખૂટી જાય.
પચ્ચકખાણનો
પ્રભાવ !
- પ.પૂ.સા. પ્રશાંતનિલયાશ્રીજી દાદા સીમંધર સ્વામીના પુનિતપગલાંથી પાવન બનેલી સદાકાળ ચોથો આરો જયાં વર્તતો હોય તે મહાવિદેહક્ષેત્રની ધન્યવંતી ધરા ઉપરથી કોઇ આત્માએ ભૂલા પડી આ ભરતક્ષેત્રની ભોમકા ઉપર અવતરણ ન કર્યું હોય ? તેવા સંયમજીવનની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ સદાકાળ ચોથા આરા જેવું શકયતઃ શુધ્ધ અને જિનાજ્ઞાની કટ્ટરતાપૂર્વકનું જીવન જીવનારા વિશુદ્ધ સંયમપાલક પ.પૂ. આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના ગુણો ગાતા પાર ન આવે ! વર્તમાનકાળમાં તેઓશ્રીની જેવી આરાધના-સાધના કવચિત્ જ જોવા જાણવા કે સાંભળવા મળે ! | અમારા જીવનના એ ધન્ય દિવસો હતાં જયારે પૂજ્યપાદશ્રીની પાવનનિશ્રામાં સં. ૨૦૫૦નું ચાતુર્માસ અમારે શેફાલી ફલેટ્સ- વાસાણા-અમદાવાદ મુકામે કરવાનો અવસર પ્રાપ્ત થતો હતો. નિત્ય પૂજ્યપાદશ્રીના દર્શન-વંદન અને વ્યાખ્યાનવાણીનો પણ લાભ પ્રાપ્ત થતો હતો. પૂજ્યપાદશ્રી ૮૮ વર્ષની જૈફ વયે પણ ખૂબ સરળ અને સચોટ ભાષામાં સકળ સંઘમાં જિનવાણીનું શ્રવણ કરાવતાં હતાં.
ઘોરતપસ્વી આવા મહાપુરુષની નિશ્રા પ્રાપ્ત થતાં સૌના મનમયૂર કંઇક તપારાધના કરવા થનગની રહ્યાં હતાં. અમારા ગુરુમહારાજ પ. પૂ. સા. મુક્તિનિલયાશ્રીજીનું સ્વાથ્ય તે અરસામાં એટલું બધું નરમ રહેતું કે પ્રતિક્રમાગાદિ આવશ્યક ક્રિયાઓ પણ તેમને સંથારામાં કરાવવી પડતી હતી તેથી તેઓ સંઘમાં પણ શ્રાવિકાવર્ગને આરાધનાદિ કરાવવા અસમર્થ હતા તેવા સ્વાથ્યમાં અને આઠ મ ચૌદશના પણ બેસણુ ન કરી શકે છતાં પૂજ્યશ્રીએ ફરમાવેલ શુભમુહૂર્તે તેઓશ્રીના મુખેથી ધર્મચક્રતપનો પ્રારંભ કરવા અઠમના પચ્ચખાણ કર્યા તે ત્રણદિવસ દરમ્યાન સતત ૩-૪ ડીગ્રી તાવ રહેતો હોવા છતાં ગુરુમહારાજે ચોથા દિવસે પારણું કરી લેવાનો વિચાર પણ ન કર્યો અને તપને આગળ ચલાવવાનો નિર્ણય કર્યો. કસોટીમાંથી તેઓશ્રી પાર ઉતરી ગયા અને ધીમે ધીમે શારીરિક પ્રતિકૂળતાઓ દૂર થવા લાગી અને પૂજ્યશ્રીના પ્રભાવે દીર્ઘકાલીન ૮૨ દિવસનો તપ નિર્વિનતાપૂર્વક પૂર્ણ થવા પામ્યો હતો.
પૂજ્યશ્રીની પાવનનિશ્રા, અમીદ્રષ્ટિ અને વાસક્ષેપના પ્રભાવે ભલભલાના આધિ-વ્યાધિ-ઉપાધિ-ઉપસર્ગો પલાયન થતાં જાગ્યાં છે
શત શત વંદન હો તે ચોથા મારાના બણગાર ને!
Jain Education International
For Private &