Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
એ સૂરિવરે-દર્શન વિરલા પાસે
સત્ત્વશાળી એવા હતા કે જે સાધનાયોગ હાથમાં લે તેને સાંગોપાંગ પાર પાડતાં. ૯૯મી વર્ધમાનતપની ઓળીનું પારણું સાણંદમાં કર્યુ અને ૧૦ મી ઓળી કયારે પૂર્ણ થાય ? અને આપણા સાણંદ સંઘને લાભ મળે ? એ માટે ચાતક ડોળે સંધવાળા રાહ જોતા હતા. તેવા સમયે જૈનશાસનમાં અનેકવિધ વાદ-વિવાદ અને વિખવાદોના વંટોળ ચાલતાં હતાં જેથી જે સ્વ. પૂજ્યપાદ આ. પ્રેમસૂરિ મહારાજાના વર્ષો સુધી પડખા સેવ્યા હતા તે મહાપુરુષની શાસનહિત અને સંઘ એકતાની ભાવનાઓને નજર સમક્ષ રાખી પોતાના જીવનની ચરમસાધના કરી લેવા સત્ત્વ અને શૌર્ય ને કામે લગાડ્યું.... શાસનના રગડા-ઝઘડા, ફ્લેશ-કંકાસ, નિંદા-કૂથળી તેમને ખૂબ દઝાડવા લાગ્યા હતાં, તેમાંથી એક વ્યથાની આગ ભભૂકી ઉઠી અને એક ભિષ્મસંકલ્પ દ્વારા જીવનની ઘોર સાધનાનો આરંભ કર્યો અને સો.... બસો...પાંચસો... હજાર.... દોઢ હજાર.... આયંબિલનો તપ થતાં વાયુમંડળમાં તપની અસર થતી જણાય અને રાજનગર મધ્યે ભરાયેલા મુનિસંમેલનમાં મહદ્અંશે સફળતા પ્રાપ્ત થતાં સકળસંઘના ગીતાર્થપૂજ્યોના અતિઆગ્રહથી પારણું કર્યું પરંતુ ઇષ્ટ પરિણામની પ્રાપ્તિ ન જણાતાં થોડા જ વખતમાં પુનઃ આયંબિલની આરાધના માંડી અને લગભગ જીવનના અંતિમ વર્ષો પર્યત તેઓ શાસનમાટે ઝઝુમતા રહ્યા.
શા! મહાપુરુપે સtd 1ો શૌર્ય દ્વારા જ બરજરd શામળપ્રમુids Sાર્ય કર્યું છે, જેની જિતાશાના ઇવિકાસણમાં સુવર્ણાક્ષરે નોંધ લેવા યોગ્ય છે. તેઓશ્રીના 11 મહાપુરુષાર્થો શાસનપ્રેaખો sદાપિ વિસરી શકશે નહી.
પ્રાંતે તેઓશ્રીએ જીવનના બે આરાધ્યતીર્થોની છેલ્લા વર્ષોમાં સ્પર્શના આરાધના કરી.
ગિરનાર ગિરિવરના પરમસાંનિધ્યમાં મહાભયંકર એવી વેદનાઓ વચ્ચે પણ ‘અરિહંત” અને “નેમિનાથ’’નું ધ્યાનરટણ કરતાં કરતાં સકલજીવ રાશિને ખમાવી પરલોકની વાટે પગરવ માંડ્યો....
- પ. પૂ. પં. યશોભૂષા વિ.ગણિT. | ચરમતીર્થપતિ, કરુણાસાગર ભગવાન મહાવીરે સ્થાપેલ શાસનની અવિચ્છિન્ન પરંપરા અનેક સુવિહિત મુનિવરો-સૂરિવરોએ આજદિન સુધી ચલાવી છે. એ અવિચ્છિન્ન પરંપરાને ચલાવવા મુનિવરો-સૂરિવરોએ ભગવાનની આજ્ઞાની સહેજ પણ બાંધછોડ કરી નથી. જરૂર પડે તો પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો છે. પોતાના આચારસંપન્ન જીવનને કયાંય કલંક લગાડવા દીધું નથી.
* * પ્રાણ જાય... પણ (a[[વવાવાળું શાસન [HR Reો * * * || હell ૉ મુદ્ધિવરો સુરિવરોના હૃદયll and. * અયોગ્ય એવા બાલચંદ્રને આચાર્ય પદવી ન આપવી એ ગુરુની આજ્ઞા હતી. રાજા અજયપાલે આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીને કહ્યું તમે બાલચંદ્રને આચાર્ય પદવી આપો... ન આપવી હોય તો કડકડતી ઉકળતી તેલની કઢાઇમાં પડી જાવ... રાજાના આ આદેશને બાજુએ રાખી ગુરુ-આજ્ઞાને (અર્થાત્ પ્રભુની આજ્ઞા માથે) હૃદયમાં રાખી મરણને શરણ થયા.... પણ આજ્ઞાનો લોપ ન કર્યો. गुरुणामाज्ञा गरीयसी.
HITી તો કંઇ lika||ો- મુળવરો-સૂરિવર શૉ ગવાવાળા શાસળી ધુરાË olીગળ _ધપાવવા જાતળું લદાd ofપી દીધું
વર્તમાનકાળે થઇ ગયેલ એક વિરલવિભૂતિ એટલે સંયમમૂર્તિ તપસ્વીસમ્રાટ સૂરિવર હિમાંશુસૂરીશ્વરજી મહારાજ ! પગમાં કાંટો વાગ્યો હોય- અસહ્ય વેદના હોય... શબ્દોથી વેદનાને વ્યક્ત ન કરતાં વ્યકિતના મુખ ઉપર તો કાંઇક અવ્યક્ત ગ્લાનિ જણાઇ આવતી હોય....
પૂજ્યપાદ આચાર્ય ભગવંતના મુખ ઉપર સદા ગ્લાની બેચેની હાસ્ય તો કવચિત્ જોવા મલે.. શેની વ્યથા..?
ઘન્ય તેઓશ્રીના સવ In Education અન્ને ક્યૌર્યને લાખ લાખ વંદot.
For Private & Personal Use Only
www.inelibrary.org