________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
નરેન્દ્રકુમાર પી. મહેતા જોઈએ. બાલારિષ્ઠભંગ અંગેના ચંદ્રના યોગો અને વિવિધ રંગે તથા તેના ઉપચારનું એક સાથે લેખકે સુંદર નિદર્શન કર્યું છે. હવે કમશઃ દરેકનું રસપ્રદ અને ઉપયોગી મૂલ્યાંકન કરીશું.
૧ વાયરેગના નાશ માટે બસ્તિક્રિયાઃ
સારાવલીના ૧૧ મા અધ્યાયના ૪ થા શ્લોકમાં ચંદ્રગથી થતા બાલારિષ્ટભંગના તિષવિષયક નિરૂપણમાં લેખકે જણાવે છે કે જે પૂર્ણ કળાઓથી યુક્ત ચંદ્ર જન્મસમયે મિત્રના નવમાંશ ચંદ્રમાં સ્થિત હોય અને તે શુક્રથી દષ્ટ હોય તે અરિષ્ટ દૂર કરવાવાળા ગોમાં આ કોષ ગ છે. આ બાબત સમજાવવા માટે લેખક વૈદકીય ઉદાહરણ સાથે તુલના કરતાં જણાવે છે કે જેમ વાયુરેગના નાશ માટે બસ્તિક્રિયા શ્રેષ્ઠ મનાય છે તેમ અરિષ્ટના નાશ માટે ચંદ્રથી બનતે ઉપર્યુક્ત યોગ કોષ્ઠ છે.
- વાયુરેગના નાશ માટે આયુર્વેદિક ઉપચારોમાં સૂંઠ, ગંઠોડા, મેથી, હિંગાષ્ટક વગેરે ઔષધે જાણીતાં છે, છતાં બસ્તિક્રિયા (વિવિધ રીતે કરવામાં આવતી શરીરની આંતરિક શુદ્ધિ ) વાયુરોગના વિનાશ માટે ઉત્તમ માનવામાં આવે છે. બસ્તિક્રિયાથી શરીર વાયુદોષરહિત અને રૂતિવાન તથા તંદુરસ્ત રહે છે. બસ્તિક્રિયાને એક પ્રકારની યોગિક ક્રિયા પણ માનવામાં આવે છે.
•
લેખકે અહીં જ્યોતિષવિષયક નવમાંશનું એક રાશિના નવ ભાગ નક્ષત્રપદ્ધતિનું મહત્ત્વ પણ બતાવી દીધું છે. જ્યોતિષશાસ્ત્રમાં નવમાંશ કુંડળીનું વર્ગીય, દશવગીય વગેરે કુંડળીઓમાં વિશેષ મહત્ત્વ જોવા મળે છે. .
૨ કફ અને પિત્તષના વિનાશ માટે વિરેચન અને વમનક્રિયા –
* આ અધ્યાયના પાંચમા શ્લોકમાં જલાબ અને ઊલટી દ્વારા કફ તથા પિત્તના દેશના શમનની ચર્ચા છે. જેમ કફ અને પિત્તના દેશને જુલાબ (રેચ) એ વમનથી દૂર કરી શકાય છે તેમને ચંદ્ર જન્મસમયે પરમ ઉચ્ચને એટલે કે વૃષભ રાશિમાં ત્રણ અંશને હોય અને તે શુક્રથી દુષ્ટ હોય તે અરિષ્ટનો નાશ થાય છે. અર્થાત બાલારિષ્ટને ભંગ થાય છે.
અહીં જુલાબ તેમજ ઊલટીના ઉપચારથી કફ અને પિત્તદોષ શરીરમાંથી નીકળી જાય છે અને તે શાંત થાય છે તે વિચાર રજૂ થાય છે. ઉચ્ચના પ્રહનું મહત્વ પણ અંકાયું છે. ભારતીય
તિષમાં ઉચના ગ્રહોને પ્રબળ અને શક્તિશાળી–પ્રભાવશાળી માનવામાં આવે છે. નૈસર્ગિક શુભ ગ્રહ શુક્ર અને તેની દૃષ્ટિનું પણ મહત્ત્વ જોવા મળે છે.
૯ એજન, ૫, ૭૦, ૮૦ અને ૮૧ (વિવિધ રોગ અને ઉપચારે) ૧/૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૩ અને ૧૫ (.) .
For Private and Personal Use Only