________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
82
ન્યાવલાન
• ક્ષેત્રજ્ઞ ’શબ્દના અર્થ માગધી રૂપ વિષેની સરસ ચર્ચાને એક આખા અઘ્યાય ફાળવ્યા છે. વિવિધ આવૃત્તિએમાં આવતાં આ સંસ્કૃત શબ્દનાં કુલ નવ પ્રાકૃત રૂપાનું, મુદ્દાસર વિવેચન અહીં કર્યું છે. પ્રખ્યાત પ્રાકૃત શબ્દકોષ ‘- વાદ્ય-સદ્-મળયો'માં આ નવમાંથી * ક્ષેમળ શબ્દનું સંસ્કૃત રૂપ * લેવજ્ઞ ' એવું આપ્યું છે. અને ખાકીનાં આઠ રૂપ એ શબ્દકોષમાં છે જ નહિ તે હકીકત પણું અધ્યયનશીલ લેખકના ધ્યાન બહાર રહી નથી. ટીકાકાર શીલાંકાયા આ • લેવજ્ઞ ’ના અર્થ ‘ પ્રાણીઓના દુઃખને છેદનાર ' એવા આપે છે, જે અં દર્શાવનાર શબ્દ તા * પ્લેઇન ” હેાઈ શકે ! ક્ષેત્રજ્ઞ' શબ્દનાં ધ્વનિવિષયક પ્રાકૃત રૂપાંતરી ‘લેત્તક્મ’, ‘ ક્ષેત્તન્ન’, ‘ વેતન્ન ’, ‘ ફ્લેશ ' અને ‘ સ્વેયન ’નું ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર વિશ્લેષણુ અહીં કરેલું છે. આ સઘળી ચર્ચામાંથી એ સ્પષ્ટ થાય છે કે મૂળ અ માગધી રૂપ ક્ષેતન' જ હતું અને આગમેાના નવા સૌંસ્કરણુમાં તે જ રૂપ સ્વીકારાવું જોઈએ.
"
પછીના અધ્યાયમાં ‘ આચારાંગસૂત્ર'ના ઉપદ્માતના વાકય પુરું કે અસલ ! તેનં ( પાઠાંતર તેજ ) માયા થમહાયં... 'ની શબ્દચેાજનાની વિશદ છાવટ કરી છે, જેને અંતે એવું પ્રતીત થાય છે કે તે વાકય ખરેખર આ પ્રમાણે હેવું જોઈ એ :
'सुतं मे आउसंतेण भगवता एवमक्खातं'.
અંતિમ અધ્યાયમાંના સૌંક્ષિપ્ત વિવેચન પરથી સમજાય છે કે જુદા જુદા સ‘પાદાએ, ઐતિહાસિક વિકાસ, સમય, ક્ષેત્ર અને ઉપદેશકની વાણીના સ્વરૂપને ધ્યાનમાં લીધા વિના જ, તપોતાની ભાષાકીય સિદ્ધાન્તાની માન્યતા મુજબ જ તથા, જે સમયની દૃષ્ટિએ ઐતિહાસિક છે જ નહિ અને અર્ધમાગધી ભાષાની વિશેષતાઓને સ્પષ્ટ કરતા જ નથી, તેવા, પ્રાકૃત વ્યાકરણુકારાના નિયમાના પ્રભાવમાં આવીને, જુદા જુદા પાઠા સ્વીકાર્યા છે. આનું મુખ્ય કારણુ એ છે આપણને કાઈ તૈયાકરણ પાસેથી અર્ધમાગધી ભાષાનું વ્યાકરણુ સ્પષ્ટતયા પ્રાપ્ત થયું જ નથી ! પરિણામે પ્રાચીનતમ આગમ ‘ આચારાંગસૂત્ર 'માં યે ભાષાની ખીચડી થઈ ગઈ છે ! જે પ્રાચીન રૂપી ઉપલબ્ધ થાય છે તે અધ માગખીને પાલિ તેમ જ માગધીની નજીક લઈ જાય છે, મહારાષ્ટ્રો તરફ બિલકુલ નહિ. જ્યારે હાલ પ્રાપ્ત સંસ્કરણેામાં મહારાષ્ટ્રી પ્રાકૃતના પ્રયાગાની જ પ્રચુરતા જણાય છે !
અંતે દરેક અધ્યાયના નિરૂપ્યમાણુ વિષયના સ્પષ્ટ ખ્યાલ આપતી ‘ વિષય સૂચી ’ સાડા ત્રણ પૃષ્ઠમાં આપી છે, જે વિષયની ક્રમબદ્દતા રજૂ કરતી હૈઇ ઉપયોગી બની રહે તેમ છે.
For Private and Personal Use Only
આ રીતે આ લઘુપુસ્તક અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ભાષા સરળ અને ચોટદાર છે; શૈલી પણ નિરાડ બર રહી છે. લખાણ બિલકુલ મુદ્દાસર છે. શુસ્પ્રિંગ આદિ લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાનેાની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર ડૉ. ચંદ્ર આર્દશ સ`શોધક તરીકે ઊપસી આવે છે અને સર્વથા પ્રાત્સાહનના અધિકારી બને છે. તેમણે અહીં રજૂ કરેલું અધ્યયન–સાધન આગમેની હસ્તપ્રતને આધારે અમાગધી ભાષાનું અસલ સ્વરૂપ પુનઃ પ્રસ્થાપિત કરીને તદનુસાર શ્વેતાંબર જૈન આગમાનું નવું સસ્કરણું પ્રકટ કરવાની આવશ્યક્તા પ્રતિપાદિત કરે છે