________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવલોકન
૩૭૫
પ્રદેશે કંઈને કંઈ પ્રદાન કર્યું હતું. આવાં પ્રદાનેને જે વ્યવસ્થિત અભ્યાસ થાય તે આપણા આ મહાયજ્ઞ અંગે આપણામાં સાચી સમજ આવે એટલું જ નહિ પણ જે તે પ્રદેશના ચારિત્ર્ય ઘડતર માટે જરૂરી બને. ડો. બાવીસી આ લેખ દ્વારા ઇતિહાસવિદોને અંગુલીનિર્દેશ કરી શક્યા છે તે ખરેખર સ્તુત્ય છે.
કચ્છ અને સૌરાષ્ટ્રનાં રજવાડાંઓના બ્રિટિશકાલીન ઇતિહાસને અત્રે ઉલ્લેખ થયો છે અને લગભગ આમાં ત્રણ લેખો છે. સામંતશાહી સૌરાષ્ટ્ર ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ છે. આ પ્રદેશનું આપણું સમાજજીવનમાં આગવું સ્થાન છે. જો કે ડે. બાવીશીએ અહીં કેવળ રાજકીય ગતિવિધિ દર્શાવવાનું ઈષ્ટ માન્યું છે અને તે સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ કે લેખક આ પ્રદેશને સર્વગ્રાહી અભ્યાસ કરે અને ગુજરાતની પ્રજાને તેમના વતનને પ્રદેશને આસ્વાદ કરાવે.
કરસનદાસ મૂળજી પરનો એમને અંતિમ લેખ લીબડી રાજ્યના સંદર્ભમાં લખાયો છે. આમ વિષયવસ્તુની મર્યાદામાં રહીને લેખકે કરસનદાસના જીવન અને તેમનાં મૂલ્યોને સુંદર ખ્યાલ આપ્યો છે. ઓગણીસમી સદીના આ સમાજસુધારકની મુંબઈની પ્રવૃત્તિઓને ઘણે ઉલલેખ થાય છે પણ આ વિભૂતિ એક કાઠીઆવાડી રજવાડામાં પણ એ જ મિજાજ અને ખ્યાલથી વહીવટ કરે તે દર્શાવીને લેખકે આ વીર પુરુષને ઉચિત ખ્યાલ આપે છે.
દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થળો વિશે જેટલી તેમની પાસે ઉપલબ્ધ માહિતી હતી તેને આધારે નોંધ લખી છે. એટલે આ લેખ સર્વગ્રાહી ન બને એ સ્વાભાવિક છે. આમ છતાં તેમણે સાલવારીની અને વ્યક્તિની વ્યવસ્થિત ચકાસણી કરીને આ લેખ ઐતિહાસિક ભૂમિકામાં લખ્યો છે.
આશા રાખીએ કે આ લઘુપુસ્તિકા વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે.
એસ. કે. દેસાઈ
૨૧, રિલિફ કોલેની, પાણીગેટ બહાર, વડોદરા.
કેનવાસ પર: લે. સતીશ ડણક, પ્રકાશક: સતીશ ડણાક, ૧૮, સયાજી સંસાયટી, કારેલીબાગ, વડોદરા ૩૯૦૦૧૮, પ્ર.આ, ૧૯૯૦, મૂલ્ય : રૂા. ૩૩=૦૦.
કેનવાસ પર ' ગુજરાતી સાહિત્ય અને વિવેચન પરત્વે સમાન અભિરુચિ ધરાવતા શ્રી સતીશ ડણકનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. છેલ્લા ત્રણેક દાયકા દરમ્યાન જુદાં જુદાં નિમિત્તે, સાહિત્યના વિવિધ વિષયો વિશે લેખકે તૈયાર કરેલા અભ્યાસલેખે અહીં ગ્રંથસ્થ થયા છે, સ્વા. ૨૩
For Private and Personal Use Only