Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 185
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થસ્થાવલોકન સહી શકતું નથી, દલિત થાય છે અને તરંગના દોર પર ઝૂલવા લાગે છે. પિતાનું ધરે, દીવાનખાનું, છત, બાગનો પથ્થર, દીવાલનો રંગ, આંગણાના કુલછોડ- સૌ સાથે ચિત્ત સંવાદ સાધે છે, એમને સંવેદે છે અને શબ્દબદ્ધ કરવા મથે છે. રોજિંદા જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવેશેલી સંવેદનજડતા-રેઢિયાળતાને ડંખ અનેક રચનાઓમાં વ્યક્ત થાય છે. “ યાદ પણ નથી , * વૃક્ષોપનિષદ', 'હવે' જેવી કતિઓ પ્રકૃતિ પ્રત્યેની પ્રગાઢ સંવેદનશીલતા પ્રગટ કરે છે. અહીં અમુક ચોકકસ રીતે જગતને-જીવનને અનુભવવાની–આલેખવાની વૃત્તિ-પ્રવૃત્તિ એકવિધ અને કાવ્યાભાસી યનાઓમાં રાચવા પ્રેરે તેવું બને છે. ગદ્યનું માધ્યમ અનુકૂળ હવા છતાં પ્રસ્તાર, શિથિલતા, સપાટતા, મુખરતા જેવાં ભયસ્થાને ઓળંગી શકાયાં નથી. સંવેદનભાવ-વિચાર કે ઊર્મિ અત્યંત સ્પર્શક્ષમ હોય; પરંતુ તે અખિલાઈમાં એક જીવંત કલાકૃતિનું નિર્માણ ન કરતાં હોય એવું બનતું રહે છે. “આંખની નાનકડી હથેલી ', “ હાથીદાંતની બંગડી જેવી મારી નિદ્રા '-માં જોવા મળે છે તેમ ક૯૫ના બહુ પ્રભાવક કે રોચક રૂપે ઊઘડતી ન હોય, પ્રત્યક્ષીકરણની ક્ષમતા ન ધરાવતી હોય તેવું બને છે. આમ છતાં “શન્ય મને ', ' વૃક્ષેપનિષદ', શબ્દના આકાશમાં ', “યાદ પણ નથી ', “ સાચું કહું તો '—જેવી કૃતિઓ સ્પર્શી જાય છે. કવયિત્રીને ગદ્યમુક્તકાની સારી ફાવટ છે. “મીણબત્તી 'માં હાઈકુનું સૌંદર્ય કેવું નિખરી આવે છે ! અંધારાની સારવાર કરતી સફેદ વસ્ત્રોમાં સજજ મૂગી પરિચારિકા (૮૬) સાદગીને પણ સૌદર્ય હોય છે. સીધી-સરળ અભિવ્યતિમાં રાચતી કલમ સહેજમાં આવું નાજુક ક૫ન રચી લે છે ! આકાશ તે એ કોઈનાં પગલાં સાચવતું નથી. (૧૩૪) કવિતાની “ આકાશમાં પગલાં મૂકી જવાની” આ મથામણ આવાં સ્થાનોને લીધે જ સાર્થક બને છે. આર્ટસ ઍન્ડ કૅમર્સ કોલેજ, વ્યારા, જિ. સૂરત, ૩૯૪૬૫૦. દક્ષા વ્યાસ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192