Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 188
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ર જી. એ. પાંડાર છતાં અહીં જવાહરલાલ નહેરૂના “Discovery of India”ને કંઈક ઉલેખ કરીએ તે અસ્થાને નહિ ગણાય. “ ભારતની જ ' કરવાની અને તે દ્વારા તેને સમજવાની જરૂરત તેમને સ્વાતંત્ર્યચળવળ વખતે લાગી હતી. અને એના પરિપાકરૂપે તેમણે ઉપર નિર્દિષ્ટ પુસ્તક લખ્યું. આ જ રીતે મુનશીએ ગુજરાતની અસ્મિતાની બેજ કરી અને એના પરિપાકરૂપે “The Glory that was Gurjar Desha” નામનું પુસ્તક લખ્યું. લેખકે આ સંદર્ભ માં વિચાર્યું હોત તે મુનશીનું એક દષ્ટા તરીકેનું સુંદર આલેખન થયું હોત. આ ઉપરાંત લગભગ ચાર નિબંધે સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોને લગતા છે. ડે. બાવીસી જો કે આ અંગે નિષ્ણાત છે અને તેમના સંશોધનને મૂળ વિષય સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોને છે તેથી સ્વાભાવિક આ વિષય માટે તેમની પાસે વિપુલ સામગ્રી છે અને તેના આધારે તેઓ વધુ વિશ્વસનીયતા અને ઊંડાણથી જોઈ શકે છે. આશા રાખીએ કે ડો. બાવીસી ગુજરાતના સંશોધનકારોને આ દિશામાં વધુને વધુ રસપ્રદ માહિતી આપતા રહેશે. દક્ષિણ ગુજરાત ડે. બાવીસીનું કાર્યક્ષેત્ર છે. તેમણે આ પ્રદેશની વધુ ને વધુ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તે તેમના સુરત અને રાજપીપળા વિશેના લેખો ઉપરથી કલિત થાય છે. ખાસ કરીને “ સુરતમાં ખિલાફત ચળવળ” લેખ દ્વારા ડે. બાવીસીએ ગુજરાતના મુસલમાનોએ સ્વાતંત્ર્યચળવળમાં લીધેલા ભાગની માહિતી આપી પ્રશંસનીય કાર્ય કર્યું છે. કારણકે આ બાબતમાં કોંગ્રેસ અને મુસ્લીમ લીગને ધ્યાનમાં રાખી ગુજરાતના મુસલમાનેએ ખાસ કરીને ગાંધીયુગ દરમ્યાન સ્વાતંત્ર્યચળવળમાં કયાં કયાં સ્થળોએ કેવા પ્રકારને ફાળો આપ્યો હતો તેની ખૂબ જ ઓછી ઐતિહાસિક માહિતી આપણી પાસે છે. ગુજરાતના ઇતિહાસની આ ખૂટતી કડી તરફ સંશાધકો અને ઈતિહાસકારેનું ધ્યાન જાય એ જરૂરી છે. આધુનિક ગુજરાતમાં ઈતિહાસ સંશોધનની આછી ઝલક” એ લેખ ગુજરાતમાં ઈતિહાસ વિશે સંશોધન કરતી સંસ્થાઓ અને તેમણે આપેલા પ્રદાનની વિગતો આપત છે. ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ અને તેમના ઇતિહાસ વિભાગોમાં સંશોધનનું કામ કરતા વિદ્વાનની સંશોધન પ્રવૃત્તિઓને તેમણે સારે ખ્યાલ આપ્યો છે. એક રીતે જોવા જઈએ તે આ લેખ માહિતી પ્રચુર છે અને આ લેખ લખીને લેખકે ઇતિહાસની કેડી કંડારવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડયું છે. છેલે લેખકની શૈલી રસાળ અને રેચક હોવા છતાં કેટલીક વખત વધારે પડતી સ્પષ્ટતા કરવાની વૃત્તિને કારણે વાચકની સમજશક્તિ પર લેખકને વિશ્વાસ ન હોય તેવો ભાસ થાય છે. દા. ત. “ વાંકાનેર રાજ્યની હરિજન ઉદ્ધારની નીતિ ” એ લેખમાં વાંકાનેર રાજવીની હરિજન પ્રત્યેની મમતાની સુંદર છણાવટ તેમણે કરી છે. પણ એક પ્રસંગોંધ તેમણે પાન નં. ૬૪ ઉપર આપી છે. હરિજને જમણવારના એક ઉત્સવમાં બળતણની તંગી અનુભવતા હતા ત્યારે આ રાજવીએ “ રસેડેથી ગાડું ભરીને લાકડાં ત્યાં મેકલી આપ્યાં હતાં. એ સમયે છાણાં અને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192