Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયના છે. ઠાકર દુઃખી હોય છે. કોઈને એક પ્રકારનું સુખ હોય છે તે બીજા પ્રકારનું દુઃખ હોય છે, અને બીજાને વળી તેથી ઊલટું જ હોય છે. તેને થયું આટલી બધી વિષમતા કેમ હશે? અને મૃત્યુ તે બધાને જ વળગેલું છે! શું આ જગતમાં કોઈ જ સર્વથા સુખી નહિ હોય ? શું આ દુઃખ માત્રને દૂર કરવાને કોઈ જ ઉપાય નહિ હોય ? અને મૃત્યુના ભયને ટાળી શકાય એવી કોઈ જ યુક્તિ નહિ હોય? ૨ ઊકલની શોધ: માણસ પ્રકૃતિથી આશાવાદી છે, નિરાશાવાદી નથી. તેથી તેણે આ અને આવા અન્ય અનેક પ્રશ્નોના ઉકેલ શોધવા પ્રયત્ન આદર્યા. ભારત જેવા દેશમાં હવા-પાણી-ખેરાક-નિવાસ જેવી જીવનની જરૂરિયાત સરળતાથી મળી શકતી હેવાથી ચિન્તનશીલ ઋષિમુનિઓ એકાન્તમાં બેસીને લાંબા સમય સુધી વિચારમાં ડૂબી જઈ આ રહસ્યને ઉકેલ શોધવા મથી રહ્યા. એક તો તેમને આ જગતના મૂળમાં રહેલી વ્યવસ્થાનું કારણ શોધી કાઢવું હતું, અને વળી તેમને સવિશેષ પ્રયત્ન દુઃખમાંથી તેમ જ મૃત્યુના ભયમાંથી કાયમને માટે છૂટવાને ઉપાય શોધવા માટે હતે. “વેદ” એ જગતનું પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય ગણાય છે. વૈદિક સંહિતાઓમાં આવાં ચિન્તનેના પુષ્કળ નિર્દેશે પ્રાપ્ત થાય છે. આ ચિન્તને, “ બ્રાહ્મણ” તેમ જ “આરણ્યક' મળ્યમાં થઈને, વૈદિક સાહિત્યના અતભાગમાં આવેલાં હોઈ તથા સમસ્ત વેદના હાર્દને પ્રકટ કરતાં હાઈ વેદાન્ત' એવા યથાર્થ નામથી ઓળખાતાં ઉપનિષદમાં પૂર્ણતયા વિકસિત થયેલાં જોવા મળે છે. આ ઉપનિષદના ઋષિઓએ આપેલાં આલેખનની તલસ્પર્શિતા, રોચકતા તથા સરળતા ઉપરથી સમજાય છે કે આ મહાન ઋષિઓએ આ સમસ્ત સૃષ્ટિની પાછળ સંતાઈને વિલસી રહેલા પરમ તત્વને સાક્ષાત્કાર અનુભવ્યો હશે જ. ઉપનિષદના અમુક અંશે તે જગતના શ્રેષ્ઠ સાહિત્યમાં સ્થાન પામ્યા છે. શહેનશાહ શાહજહાનના જયેષ્ઠ પુત્ર દારા સુકાહ. ૪૦ જેટલાં ઉપનિષદોને ફારસીમાં અનુવાદ કરેલે, જેના જર્મન ભાષાન્તરથી પ્રભાવિત થઈ ખ્યાતનામ જર્મન ફિલસૂફ રોપેનહેવર (૧૭૪૮–૧૮૬૦) ઉપનિષદના અનુવાદના તે ગ્રન્થને માથે મુકીને નાચતાં નાચતાં પુલકિત બનીને બોલી ઊઠેલે કે-“It is the solace of my life, the solace of my death!—-તે તે મારા જીવનની પરમ શાંતિ છે, મારા મૃત્યુની પરમ શાંતિ છે. " ૩ અતઃ દૌદિક ઋષિઓએ પ્રકતિમાં વ્યાપી રહેલી ઉપર વર્ણવી તેવી અપરિવર્તનશીલ નતિક વ્યવસ્થાને “ઋત” એવું નામ આપ્યું છે. આ સંજ્ઞાને મૂળ અર્થ “સીધી લીટી', “નિયમ એવો થાય છે. તે ઉપરથી આ વિશ્વમાં જે અબાધ્ય નિયમ પ્રવર્તે છે તેને માટે આ મહર્ષિઓએ એ સંજ્ઞા આપી છે. આ “ડત' કેવળ બાહ્ય સૃષ્ટિના નિયમને જ નહિ પણ નીતિ તથા ધર્મના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192