________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય વિજયજીત મેગ્યકપલતા રૂપકાત્મક કથાસાર..
२७५
અલંકારશાસ્ત્રકથિત મહાકાવ્યવિષયક લક્ષણથી કરતા ત્યાં સામીને વિચાર કર્યા વગર, કોઈ નિશ્ચિત થેય અગર આગવા દૃષ્ટિબિંદુની પૂર્તિ માટે જેન સર્જકોએ પ્રાકૃત સંસ્કૃત મહાકાવ્યોકથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યા છે અને એ પરંપરા વિમલસૂરિકૃત “પઉમરિય” થી શરૂ કરીને છેક સત્તરમી સદીની યશવિજયની કૃતિ દૌરાગ્યક૯૫લતા સુધી વિસ્તરી.
જો કે આ પ્રકારની પ્રવૃત્તિનાં મુળ ઘડ્યાં પ્રાચીન છે. ગૌડાભિનંદે કાદંબરીને સારસંક્ષેપ કર્યો છે. ઉપરાંત પદ્યુમ્નસૂરિકૃત “સમરાદિત્ય સંક્ષેપ”, ધનપાલ કૃત “તિલકમંજરી” ના ચારેક સારસંક્ષેપ થયા છે. ઉપમિતિના સારસંક્ષે નોંધપાત્ર છે. જેમ કે વર્ધમાન
રિકત “ ઉપમિતિભવપંચાકથાનામ સમુચ્ચય” હંસગણીકત “ઉપમિતિભવપ્રપંચ કથાસારો ધાર " દેવસૂરિકૃત “ઉપમિતિપ્રપંચે ધાર.” આ ઉપરાંત હેમચંદ્રાચાર્યકુત "ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર 'ના ચારેક સંક્ષેપ સુવિદિત છે.
આવી કથાસાર કૃતિઓના સજન પાછળ અનેક ઉદેશે કામ કરે છે, જેમ કે “સમરા દિત્યસંક્ષેપ ”માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે તમનઃ ફ્રેતા પરંતુ ખાસ તે જે તે કૃતિની ભવ્યતા, ધામિતા, સત્વશીલતા વધુ પ્રેરક રહી છે.
યશોવિજયજી તો સાક્ષાત કર્યાલી શારદા હતા તે તેમણે નવી કતિ રચવાને બદલે સારસંક્ષેપ કેમ કર્યો ? એનું ગૂઢ કારણ એ હોઈ શકે કે સમગ્ર જૈન સિદ્ધાંતને એક કથાના રૂપમાં મૂકવાને સૌથી મહાન અને સફળ પ્રયત્ન ઉપમિતિ.માં થયો છે અને યશોવિજયજીની નેમ હતી સર્વ જીવોને શાસનરસિત કરવાની, તેથી સર્વ જીવપરોપકારાર્થે ઉપમિતિને સારસંક્ષેપ કર્યો હશે.
* રાકલ્પલતા” એ ઉપમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી, પરંતુ તેમાં મૌલિક નવસર્જન સાથે તેનું સ્વરૂપગત પરિવર્તન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યું હોય તેમ લાગે છે. ઉપમિતિ. કથા કેટલાકને મતે ચંપૂકાવ્ય છે પરંતુ વૈરાગ્રકલ્પલતા ઉરચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું કથાસાર મહાકાવ્ય છે.
જે કે સમગ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યને ઉલેખ સરખે નથી.
આ કૃતિ એના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ ટૌરાગ્ય કલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં રૂપકકથા તથા કથાસાર મહાકાવ્ય તરીકે અનેખી કૃતિ છે.
આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમ જ પદેશિક સાહિત્યનાં ઉગ શિખરે સર કર્યા છે કારણ કે અલંકારશાસ્ત્રીય બંધનરહિતતાની મોકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે : પરિણામે જૈન આગમ સાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ધીમે ધીમે
ઓપદેશિક્તાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિદ્ધર્ષિ સુધીમાં તે મહાનદ બની જાય છે, પછી તે તેના વિશાળ વારિરાશિમાંથી પરવતી રૂપક-સાહિત્યની અનેક નહેરો નીકળી; પરંતુ હવા ૧૧
For Private and Personal Use Only