________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
૨૭
ફીજ, ટી. વી. જેવી વસ્તુઓ સાથે હતુ! પતિના ઘરમાં પોતે સુખી અને સંતુષ્ટ નથી ? એ પ્રશ્ન એને ખળભળાવી મૂકે છે. આમ તે પતિ દ્વારા એને શરીર, ધનવૈભવ, ઈજજતઆબરૂ વગેરેનું ધણુંય સુખ મળ્યું હતું. પણુ કશાકને અભાવ રહી ગયે હતો. પિતાને શું જોઈતું હતું, શું ન મળ્યું, કયારે ન મળ્યું, કોણે ન આપ્યું એ વિશે ભારે માનસિક યાતના વેઠીને ૫, લગ્ન પછી પંદર વર્ષે લગ્નજીવનનું સત્ય શોધવા એ મથે છે. ભારે મને મંથન પછી તેને એ સત્ય સમજાય છે. પંદર વર્ષના લાંબા સહવાસ દરમ્યાન પતિએ એને કેવળ બહારથી જ જોઈ હતી. એ એની આજબાજ છો પણ એના અંતરમાં ન પ્રવેશ્યો. લગ્ન નામની ગાંઠથી બંધાયાં હતાં બંને પણ સહ અનુભવથી સંબોધાયાં હતાં. દામ્પત્યજીવનની ખરી સાર્થકતા સહ-વાસમાં નહીં સહ-અનુભવમાં, સાહચર્યમાં છે. પતિ એ ચૂકી ગયે. પતિ પાસેથી પંદર વર્ષોમાં જે ન પમાયું એ સાહચર્ય અજનબી નંદ સાથેના ચાર દિવસના સંગાથમાં તે પામી ! પંદર વર્ષના એના લગ્નજીવનનું સરવૈયું હતું અકળાતે ખાલી ! દરિયાના દેશમાં આવી કોશા રણની દાહકતાને અનુભવ પામે છે. પતિ પાસે હઠ કરી માગેલો ગોવાને પ્રવાસ, પતિની ગેરહાજરીમાં એકલા રહેવાને આયાસ, અને અજાણ્યા પ્રવાસી પુરુષને મિત્ર બનાવી સહાનુભવ પ્રાપ્ત કરવાને એને પ્રયાસ-દેખીતી રીતે કોશાનું આ નાનકડું સાહસ હતું પણ એ તેને ધણું મોંઘું પડયું ! અન્યની નહીં, સ્વની સન્મુખ થવાનું સાહસ ઘણું મોંધુ હોય છે. કોશાની કથા આવા માંધા સાહસની કથા છે. એક નારીના લગ્નજીવનની વાતને નિમિત્ત કરતી આ કથા, વાસ્તવમાં, maifestation and realization of selfની કથા છે. આવા દાર્શનિક વિષયવસ્તુને કળાત્મકરૂપે સાકાર કરતી આ રચના ગુજરાતીની એક અત્યંત આસ્વાદ્ય રચના છે.
ઈલા આરબ મહેતાની “દરિયાને માણસ ' આ વિષયવસ્તુને જુદી રીતે કળારૂપ આપે છે. કોઈ શીપીંગ કંપનીમાં રેડીઓ ઓફિસર તરીકે કામ કરતો દરિયાને માણસ દેવાંગ, કીડની નિષ્ફળ જવાને કારણે દરિયામાં વહેતી જિદગીને બદલે હોસ્પિટલના બિછાને સ્થગિત હાલતમાં પડઘો છે. ડોકટરે કીડની ટ્રાન્સપ્લાન્ટને મૂકેલો વિચાર પત્ની ચારુમાં આશા જગવે છે. પણ કીડની ગમે તેની ન ચાલે. બ્લડ ગ્રુપ અને ટિસ્યુ મેચ થવા જોઈએ. અને એ તે નિકટનાં સ્વજને સાથે જ થાય. કુટંબીઓ હોવા વિશેના દેવાંગના વારંવારના નન્ના પછી પણ ચારુ દેવાંગના કુટુંબીઓની બેજ કર્યા કરી, તેના ભાઈ હેમાંગની ભાળ મેળવી તેને કીડનીદાન માપવા વિનવે છે. હેમાંગ કીડની આપવા આવે છે પણ દેવાંગ એનું દાન સ્વીકારવા તૈયાર નથી. કેમ કરીને એ સ્વીકારે ? આ એ જ હેમાંગ, જે વાતે વાતે મા પાસે વહાલ થઈ પિતાને અળખામણે કરનાર, પિતાને મળેલા એડમિશનને પત્ર છુપાવનારે, અમીષા ઉપરના પ્રેમપ્રત્રો તેના પિતાને પિષ્ટ કરી દઈ પિતાને બદનામ કરનારે, અમીષા સાથે “પાપ” આચર્યા પછી પિતાને હલકો પાડી, ઉદારતાનું નાટક કરી અમીષાને પત્ની તરીકે અપનાવનાર માણૂસ. દેવાંગની મુખ્ય સમસ્યા જ એ છે કે જેણે હંમેશાં પિતાની સાથે દેષભાવ અને વેરભાવ દાખવ્યું હોય,
પર્ધા અને દગો કર્યો હોય, એ કારણે પોતે જેને હમેશાં તિરસ્કાર્યો હોય એ માણસના એક અંગને શા માટે અપનાવવું તેની કીડની સ્વીકારી તેને ઉપકાર શા માટે માથે ચડાવશે વધારે આપાતજનક વાત તો એ હતી કે કીડનીદાન આપતી વખતેય હેમાંગ સદાબાજી કરવા હવા ૧૭
For Private and Personal Use Only