Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 140
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ આત્મપ્રસ્થા૫નાનું વિષયવસ્તુ સરોજ પાઠકની “ઉપનાયક ' લઘુનવલમાં મને વૈજ્ઞાનિક ભૂમિકાએ મુકાયું છે. તેને નાયક એક મનો૨ણ માણસ છે. એનું બાળપણ, તણાઈ અને યુવાની-બધી અવસ્થાઓ સમસ્યાગ્રસ્ત રહી છે. પોતાના જન્મ અને ઉછેર અંગે, પિતાને દત્તક તરીકે પાળનાર માસી સાથેના તેના સંબંધ અંગે તેને કુતૂહલયુક્ત અજપે છે. પોતે માસીના કન્યાકાળના “પાપાચાર'નું સંતાન એ સત્ય જાણતાં પિતા પ્રત્યે અનુભવાતી હીણપત અને માસી પ્રત્યે અનુભવાતી અણગમાની લાગણીને કારણે પોતે પરણશે તો એવી સ્ત્રીને જે પિતાની ચારિત્ર્યની, પ્રેમની, લાગણીની વફાદારીની બધી અપેક્ષાઓને સંતોષે એવું નકકી કરી ગૌરીને પરણે છે. પણ સુહાગરાતે પત્ની ગૌરીને ભ્રષ્ટ હેવાને નિખાલસ એકરાર સાંભળતાં જ ફરી એ પિતાની જાતને ઊતરતી પડતી અનુભવે છે. અપવિત્ર મા અને પત્નીને તરછોડ્યા પછી અપરાધભાવ અનુભવતો અહીંતહીં આથડી મનની શાંતિ શોધવા ફાંફાં મારત કથાનાયક પડોશી બ્રાહ્મણપરિવારની કન્યાના સંપર્કમાં ટયુશનને કારણે આવે છે અને સામે ચાલીને તેના દ્વારા થયેલી પ્રણયપરિણયની પહેલને સ્વીકારી નાયક બનવા જાય છે. ત્યાં આ શિષ્યા પણ લગ્નપૂ પ્રિયતમથી આપનસવા થયેલી હોવાનું જાણતાં ફરી આઘાત પામે અને મનેરુણુતામાં પછડાય. માતા, પત્ની અને શિષ્યા સમક્ષ તેમની ચારિત્ર્યગત શિથિલતા અને અશુદ્ધતાને કારણે નાયકપદ પામવાની ઈરછામાંથી પાછા પડતા માણસની આ કથામાં ખરેખર તે આત્મપ્રસ્થાપનાને મુદ્દો છે. જીવનમાં થયેલા ત્રણ સં૫ર્કો/સંબંધમાં છેતરાઈ ઉપનાયકપણું પામતા મનુષ્યની મૂળભૂત સમસ્યા આત્મપ્રસ્થાપનાની છે. પરંતુ લેખિકાએ આ સમસ્યાની મને વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં જેટલી કાળજી લીધી છે તેટલી દાર્શનિક ઢબે માવજત કરવામાં લીધી નથી. દિનકર જોશીની “યક્ષપ્રમ' લઘુનવલમાં આ વáવિષયની વાર્તાવશ સંવિધાનવાળી કથા છે. ભગીરથને પન્ના સાથે સુખભર્યો સંસાર ચાલતું હતું પરંતુ એક સમયે અચાનક તેને પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવતાં એ બેચેન બની જાય છે. પોતે ભગીરથ નહીં પણ આનંદ છે. પિતાને હાલઈ પત્ની નીલા છે, સહદય મિત્ર સુકેતુ છે. સહસા જાગી ઉઠેલી પૂર્વજન્મની આ મતિ તેને બેહદ અકળાવી મૂકે છે. પોતે ભગીરથ છે કે આનંદ પિતે ખરેખર કોણ એવો યક્ષપ્રશ્ન એની સામે ખડે થાય છે. રહેવાતું નથી ત્યારે સ્મૃતિના સહારે મુંબઈ જઈ પૂર્વભવના પિતાના ઘરને અને પત્નીનો પત્તો મેળવે છે. પત્ની નીલાને મળી એની સાથે કરેલ વિહાર સાથે સેવેલાં સ્વપ્ન, તેની અને મિત્ર સુકેતુ સાથેના નાજુક સંબંધની રજેરજ વિગતો રજૂ કરે છે. તેથી નીલા નાછૂટકે એને ઘરમાં સ્થાન આપે છે. ભગીરથ વિગતજીવનના અનેકાનેક પ્રસંગે વર્ણવી. પિતાને પતિ આનંદ તરીકે સ્વીકારી લેવા નીલાને વિનવે છે. પણ નીલા માટે મોટી સમસ્યા છે. આનંદ મૃત્યુ પામી ચૂક્યો છે એ સત્ય વર્ષોથી સમાજે, પોતે અને પુત્રે સ્વીકારી લીધું છે ત્યારે હવે આ નવાં નામરૂપમાં આવેલા પુરુષને પતિ આનંદના સ્વરૂપે પુનઃ સ્વીકાર કઈ રીતે ? એને જવાન પુત્રને, સમાજને અને ખુદ પિતાની જાતને પણ વિચાર કરવું પડે છે. તેથી નીલા ભગીરથના પ્રયત્નોને મચક નથી આપતી. ભગીરથ લાંબુ હૈયે ધરી શકતો નથી. દરિયાકિનારાના એકાંતમાં આવેશમાં આવી નીલાને સાહી લેવા એ ત૫ર બને છે ત્યારે એની આ છતાને સાંખી ન શકતી નીલા એને ધૂત્કારીને જતી રહે છે. ભગીરથમાંથી આનંદ ન બની શકે, નાસીપાસ થયેલ તે ઘેર પાછા ફરે ત્યારે એના ગૃહત્યાગના આધાતને જીરવી ન શકેલી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192