Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 145
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પત્રસુધા’માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાય જીની દાપત્યવ્રુતિ ૩૩૨ આમ ાવા ઉપરાંત સાહિત્યનાં ખીન્ન સ્વરૂપેણ કરતાં પત્રસ્વરૂપનું ભિન્નત્વ એ છે કે તેમાં બે પરિચિતા, તે ય એક સમાન પશ્ચાદ્ભથી પરિચિત વ્યક્તિએ વચ્ચેના વ્યવહારવિનિમય છે. તેથી જ વાચકને પત્રોમાં વ્યક્તિ, પ્રસ`ગાદિ ઉલ્લેખા કોઈ સ્પષ્ટીકરણ વિનાના મળે છે. કારણ કે તે અત્યંત personal ઉલ્લેખ હાય છે. પરાયા . માટે તે કાયડા જેવા રહે છે. નવા વિચારોના પ્રચાર-પ્રસાર માટે પત્રા ઉત્તમ માધ્યમ છે. એમાં ચિંતન-કથન-વિચાર ધડવાનું કામ થયા કરે છે કારણ કે એ વ્યક્તિ વારાફરતી પરસ્પર વિચારીને વિનિમય કરે છે. એમાં Rambling ( સ્વૈરવિહાર ) શકય બને છે તથા Informal medium of expressionરજૂઆતનુ અનૌપચારિક માધ્યમ વરતાતું જાય છે. પત્રસ્વરૂપનાં આ બધાં અંગોના વિચાર કરીને જાતાં ઉપેન્દ્રાચાય જીએ લખેલા ‘પત્રસુધા’ના પત્રો ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ જોવા મળે તેવા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રે અનેાખું પ્રદાન કરનાર ઉપેન્દ્રાચાર્ય જીનું આ પત્રસાહિત્ય સાથે જ નોંધપાત્ર છે. ' પત્રસુધા 'માં આ કાલીન ઋષિદ'પતી જેવું જીવન જીવતાં બે વ્યક્તિત્વા ધબકે છે. પત્રો લખ્યા છે તે ઉપેન્દ્રયા એ પણ પત્રોનુ* વાચન કરતાં ઉપેન્દ્રાચાય જીની સાથે સાથે જયન્તીદેવીના વ્યક્તિત્વનાં અનેક પાસાં વાચક સમક્ષ ઊધડી આવે છે. એ આ પત્રોની ખૂબી ગણી શકાય. જુદા જુદા પ્રસંગોએ લખાયેલા પત્રોમાં કયાંય કાઇ આચાયના ઊંચા પદના ભાર નથી વાતા. એમાં તે છે નિર્ભેળ પ્રેમ. સ્પષ્ટ સમજદારીપૂર્વક પેાતાની પ્રિય પત્નીને લખાયેલા આ પત્રો છે. જગતને પાતાની પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન કરનાર આવા મહાપુરુષોની વિચારસરણી વિશ્વના કોઇપણ ખૂણે કેવી એક સમન હેાય છે તેની પ્રતીતિ આપણને આ પત્રો વાંચ્યાથી થાય છે. શ્રી ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને ઉદ્દેશીને આપેલ સલાહ-શિખામણા વ્યક્તિમાત્રને માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી ગણી શકાય. દા. ત. “ હુંમેશાં આનંદમાં રહેવુ...'' એમ તેઓએ ધણા પત્રોમાં જુદી જુદી રીતે દર્શાવ્યું છે. ઇશ્વરેચ્છાથી જે જે કઈ આવી મળે તેના સ્વીકાર કરવા અને પ્રસન્ન રહેવુ. એ કઈ નાનીસૂની વાત નથી. ફક્ત ઉચ્ચાત્માએને જ સાધ્ય એવી આ કલા આ દંપતીના જીવનમાં સહજપણે વણાઈ ગયેલી જોઈ શકાય છે. * પત્રસુધા ' ના આ પત્રો આપણને બતાવે છે કે આધ્યાત્મિક સાધના ગૃહસ્થાશ્રમમાં પણુ સરળ રીતે સાધી શકાય છે. પેાતાના જીવનકાર્ય થી આ સાધના કરતાં કરતાં તેએાએ દંપતીજીવનને ઉચ્ચગામી કરે તેવું સાહિત્ય સજર્યું એ આ દપતીની સમાજને અણુમાલ ભેટ છે. કારણ કે પલાયનવાદ ( Escapism )ના આ યુગમાં તેએાએ સામાજિક જવાબદારીઓમાંથી છટકવા કરતાં તેને અદા કરતાં કરતાં ઉચ્ચતા પ્રાપ્ત કરવાને માર્ગ બતાવ્યા છે. ૬ પત્રસુધા ’ ના પત્રો આ રીતે સમાજના દામ્પત્યજીવનને ધડનાર પણુ ગણી શકાય. પોતાની આસપાસ બનતાં બનાવાના ઉલ્લેખ જગતને નિરપેક્ષભાવે જોવાની રીત અને દરેક બાબતમાંથી સાર શોધવાની ઇચ્છા એ બધું ાણીને વાચક એવી અનુભૂતિ કર્યા વિના રહી શકતે નથી કે હા, આ તે અમારા જ જીવનની વાત છે ! અને એમાંથી આટલે સારા ઉકેલ પણુ મળી શકે ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192