Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 170
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ સુભાષ વે કરુણતાને તે અંદાજ જ શા લગાવવા ? ! આંગળિયાતની કુટુમ્બમાં તે સમાજમાં જેવી ઉતરતી આબરૂ છે એવું જ તા કંઈક આ કામ સમસ્ત પ્રત્યે શિષ્ટ મમાજનું અળવીતરું વર્તન તે નથી ને? ‘ આંગળિયાત ’નું કથાવિશ્વ જે રીતે આ કથાકૃતિમાં નિરૂપાયું છે તે આવા ચિતનપ્રેરક પ્રશ્ન ઊભા કર્યા વિના રહી શકે નહિ ! કેન્દ્રવર્તી કથાના આસ્વાદ મળે, એ રીતે · આંગળિયાત 'ની કથાસૃષ્ટિમાં ડાકિયું કરીએ. • આંગળિયાત' મારી દષ્ટિએ ટીહા–મેથી માની પ્રેમકથાનિમિત્તે શાષિત વણુકરસમાજની વ્યયાકયા છે. મારી ધરતીની મ્હેક 'માં આંગળિયાતની સર્જનકથા નાંધતાં શ્રી મેકવા લખ્યું છે કે “ મારી મનભાવતી વાત રેતરમાં તમાકુની ખળીમાં ખાનાખરાબ થતાં, શાષાતાં, રખાતાંનાં જીવતર ઉપર જ કથારૂપે કઈક લાંખુ લખવાની. એમાંથી જ મેં ‘ મનખાની મીરાત 'નું માળખું કંડારવું આરંભ્યું પણ એના ધડતર માટે જેમજેમ હું વિચારતા ગયેા તેમતેમ એમાંથી મારું ધ્યાન એક સ્ત્રી વિલિત કરતી હતી. એ સ્ત્રી તે · મેઠી મા '. એમની અડે।અડ‘ કંકુભાભી 'ની કરુણુ મુખમુદ્રા ઉપસતી રહે અને ટીા મારા રુદિયામાં ટાયા કરે, ‘ વાલજી ' અને ‘દાનજી ’ સતત મારાં નયણે નીર ભરતા રહે તે · ગા' તે મારા સાથી, મારાથી મેાટા તે ગોકળગાય કરતાંય ગરીબડા સ્વભાવના. અળવીતરાં એને ‘ આંગળિયાત ’– આંગળિયાત ' કરી ચીડવ્યા કરે, ના એ કદી ખિાય ના કદી ગિન્નાય. બસ ધ શાળાની એટલીએ સાવ નિરૂપદ્રવ ભાવે બેસી રહે. અહીં ઉલ્લિખિત વ્યક્તિસંદર્ભે વ્યક્તિસંદર્ભો હશે કે નહિ એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. શ્રી મેકવાન આપણને સ્પષ્ટ સૂચવે છે કે ' આંગળિયાત 'ની આ પાત્રસૃષ્ટિ ને કથાસૃષ્ટિ પેાતાની વ્યક્તિસ કચેતનાએ આસપાસમાંથી ઝીલી છે. એવી રીતે કે વાસ્તવ કરતાંય અદકેરા વાસ્તવ અહીં ભૂત થઈ ઊઠયા છે. પોતાની સનસૃષ્ટિના વાસ્તવ સાથે વાસ્તવસામગ્રી સાથેને હૃદિયાને સબધ પાત્રનિરૂપણમાં તેમ જ પ્રસગાની પરિકલ્પનામાં આપણું અનુભવી શકીએ છીએ, એમાં લેખકની કલાભિવ્યક્તિની સિદ્ધિ છે. ટીડ્ડા એની શ્રમિલ અને સુધારક પ્રકૃતિને કારણે પથકમાં પકાયેલા વણુકર છે. કામ પર સવર્ડ્ઝની શેષણખારીથી છંછેડાય એવા એ સ્વમાની છે. મેઘો વણુવી તે ગુજરીમાં જઇ વેચવી એ એને વ્યવસાય છે, વણુકરકા માં નિષ્ઠા તે વ્યવસાયમાં પ્રામાણિકતા એની આગવી સ ંપત્તિ છે. શરીરે એ કાઢે છે તે મનથી પૂરા નિર્ભીક પશુ છે. ટીહાની આ આંતરબહિર્ વ્યક્તિમત્તા મૂ થઇ ઊઠે એવી પ્રસ`ગાવલિએ સહજપણે આવિષ્કાર પામી છે. એના હૃદયજીવનમાં મીઠીનો પ્રવેશ થયા એમાંય મૂળભૂત આવા જ કશેક પ્રસંગ નિમિત્ત બને છે. પણ એ એવા તા સહજસ્ફુરિત અનુભવાય છે કે એ રીતે જ ટીહો વાસ્તવનું કલારૂપ પામી શકે ઃ એક વાર મેઠી કસબાના બારમાં સાડી ખરીદતી હતી. દુકાનદાર જરા વસમું હસ્યા ને મેઠી છંછેડાઈ ! હરાજી કરતા ટીહાએ આ એયું તે દુકાનદારને ફરી વળ્યા !! આવી શાખવાળા ટીહા પાસેથી મેડીએ રૂમાલ ખરીદ્યો ને લેખક લખે છે કે, ‘રૂમાલ ખરીદતાં-ખરીદતાં મેઢી કશુંક ખાઇ બેઠી હતી ! ' આ મેઠી, આમ તા શીલાપુર પાસેના કેડિપારની. શીલાપુરના ત્રણ-ચાર જુવાનિયા પટેલેએ એક વાર મેઠીને કાંકરીચાળા કર્યો ત્યારૈય ટીહા–વાલજી ગુજરીમાં હરાજી કરતા હતા. એનાથી આ ન જોવાયું ને એણે તકરાર માથે વ્હારી લીધી. પરિસ્થિતિએ એવા વળાંક લીધા કે સવર્ણી-વણકરાના સ ધ એમાંથી ભભૂકી ઊઠયેા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192