________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
કર એ મહિલા સાથે પોતાના પિતાને સંબંધ હતો એ વાત કુટુંબના વડીલરૂપ વકીલ દ્વારા જાણતાં લગનની દિશામાં આગળ ધપવા માંડેલાં કદમ એ થોભાવી દે છે. એટલું જ નહીં, જેને કારણે, પ્રણય-પરિણયની આ અતૃપ્ત ઈરછા ઉદ્દિપ્ત થઈ બળવાન બની એ પરેશ-શુભાંગી સાથે હવે એક ઘરમાં રહી નર્વી શકાય એવો નિર્ણય લઈ, એની જાણુ એમને કરી દઈ, મનની આંધળી ગલીમાં એકલા જીવતર ખેડી નાખવાને શાપ એ સામે ચાલીને વહોરી લે છે, તેનું કારણ પિતાની ગુપ્ત વાત તેને જાણવા મળતાં આધાત લાગ્યો હોય એવું પ્રથમ નજરે લાગે, પરંતુ એ સાચું નથી. તેનું ખરું કારણ તો એ આઘાતજનક સમાચારથી તેનું ભ્રમનિરસન થતાં તે આત્મજાગૃતિ પામે છે તે છે. લગ્ન કરીને તેની ઈરછા તે પરેશ-શુભાંગી જેવું પ્રણયજીવન પામવાની હતી, પણ પિસ્તાલીશની પાકટ ઉંમરે કદાચ એવો પુરુષ અને એવું પ્રણયજીવન ન મળે એનું ખરું ભાન
એને થાય છે. અને વળી જેના સાથે વર્ષો સુધી રહી એ પિતાને એ પૂરી ઓળખી ન શકી તો મિ. પારેખ જેવા કેઈ અજાણ્યા પુરુષને કેટલો ઓળખી શકશે, એની સાથે કેવો ઘરસંસાર નભાવી શકશે, પોતે દામ્પત્યજીવનમાં કેટલું સમાજન સાધી શકશે એને ખરો ખ્યાલ આવતાં કદાચ એ આ પગલું ભરે છે. અને એટલે જ પરેશ-શુભાંગી જેવાં પ્રેમસભર પ્રસન્ન ધન્ય દામ્પત્યજીવનના રંગીન પણ હવાઈ તરંગને પડતો મૂકી પોતાની ઢળતી ઉંમર, ગ્લાન યૌવન અને સ્થગિતકુંઠિત જીવનમદશાની વાસ્તવિકતાને એ સ્વીકાર કરે છે. પરિસ્થિતિ અને ભાગ્યનો વિપર્યય તથા સાચી વસ્તુને મોડેથી થતો સાક્ષાત્કાર એ બે હેતુબીજના સજનથી લોખકાએ એક નારીની આત્મજાગૃતિની વાત આ લઘુનવલમાં રજુ કરી છે. મને વૈજ્ઞાનિક આધારવાળી એક દાર્શનિક, સમસ્યાનું રૂપાયન સાધવાનું હોવા છતાં લેખિકા કનિમાં સમયનું મનોમય પરિમાણુ ઊપસાવવામાં અને કુંદનના મનોગતને તેના આંતરદ વડે પ્રગટ કરવામાં અસફળ રહયાં છે. તેથી કૃતિની અપીલ વેધક બનતી નથી.
- ચંદ્રકાન્ત બક્ષીની 'પેરેલિસિસ ” અને રઘુવીર ચૌધરીની “તેડાગર ” એ બે લઘુનવલોમાં આત્મબંધનું વિષયવસ્તુ ખપમાં લેવાયું છે. “પેરેલિસિસ ” એક સંવેદનકથા છે અને તેને વર્યવિષય છે વેદના. જીવનની ગતિ ધણી અકુળ છે. કોઈ માણસના જીવનમાં કયારેક સાવ
અકારણ અને અણધારી કરુણતા આવી પડે છે, તેના જીવનમાંથી સ્વજન , સુખ, જીવનહેતુ બધું ચુંટવાઈ જાય છે, ત્યારે એ માણસને રિકતતા અને શૂન્યતા ભારે અકળાવે છે. જીવવું અકારું લાગે છે. પણ એને જીવવું પડે છે, કઈને કઈ રીતે જીવી નાખવું પડે છે. પત્ની પુત્રીના અકાળ અને આઘાતજનક મરણથી ભાંગી ગયેલા અને વીગત જીવનનાં કડવાંમીઠાં સંસ્મરણોથી ઘેરાયેલા એક બુદ્ધિજીવી માણસને જીવી જવાને પુરુષાર્થ પેરેલિસિસ' માં નિરુપાયે છે. એ માણસ છે પ્રોફેસર અરામ શાહ. દારુણ વેદનાને હૈયામાં ઉડે ધરબીને એ હિલસ્ટેશન પર આવે છે. એ આવ્યો છે વિગત જીવનની યાદો ભૂલવા. એટલે એ નિશ્ચય કરે છેઃ રડવું નથી, ખાટું જ પણ હસવું છે, જીવવું છે. પણ સ્મરણશેષ થઈ ગયેલું જીવન એમાં એને સફળ થવા દેતું નથી. આવ્યો હત તનમનની તંદુરસ્તી માટે એને બદલે “પેરેલિસિસ' ને ભોગ બની બેસે છે. એનું અ* શરીર અને આખું મન લકવાગ્રસ્ત થઈ જાય છે. અપંગની જેમ અડધું હસતાં અડધું રડતાં, એક અડધી જિંદગી જીવતાં કે મરતાં ટકી રહેવાને તરીકે એને બેટો જણાય છે. આવું જીવન અને
For Private and Personal Use Only