________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
પ્રહૂલાદ પ્ર. પટેલ
તેમાંથી નિર્મળ, સુરમ્ય સરોવર સયું તે યશોવિજયજીની લાક્ષણિક કૃતિ દૌરાગ્ય કલ્પલતા. જો કે પરવતી જૈન સાહિત્યમાં ભાગ્યે જ એ કઈ રૂ૫કસાહિત્યસર્જક હશે કે જેની ઉપર ઉપમિતિની અસર ન પડી હોય.
વૈરાગ્રકલ્પલતાને સાહિત્યિક સ્વરૂપે મૂલવતાં એમાં અનેક તરનું સંમિશ્રણ જેવા મળે છે. છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્ય જેવી લાગે છે જ્યારે બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ જોતાં મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિઓને કોઈ ચોક્કસ કાવ્યસ્વરૂપે ઢાળવામાં મુશ્કેલી પડે છે તેવું આ કૃતિની બાબતમાં પણ છે.
અહીં કૃતિના સ્વરૂપનું શૈથિલ્ય એ દુર્ગણ નથી પરંતુ વૈશિષ્ટ્રય છે. આ કૃતિ કથાસાર મહાકાવ્ય છે તેથી એમાં અલંકારશાસ્ત્રકથિત કેટલાંક લક્ષણો અનાયાસે જોઈ શકાય છે.
જે કે અલંકારશાસ્ત્રની સુદીર્ધ પરંપરામાં અનેક આલંકારિકોના હાથે, અનેક પ્રકારનાં સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણ તથા તત્કાલીન અસર નીચે વ્યાખ્યા ઘડાતી આવી હોવાથી સર્વલક્ષણયુક્ત મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે.
આમ છતાં કાવ્યશાસ્ત્રસંમત અનેક મહાકાવ્ય લક્ષણે જેવાં કે –સર્ગબદ્ધતા, છંદયેજના, પ્રારંભ, પુરુષાર્થનિરૂપણ, સતે ભાવિકથનસૂયન, ઋતુવર્ણન, સૂર્યોદય, સૂર્યાસ્ત ચંદ્રોદય, સંધ્યારાત્રિવર્ણન, મંત્રણા, દૂતપ્રેષણ, યુદ્ધવર્ણન, રસનિરૂપણ, વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનું સભાનતાપૂર્વકનું અનુસરણ છે.
આમ રૂપકકથાઓમાં જેમ ઉપમિતિ. સર્વોત્તમ શિખર છે તેમ સંક્ષિપ્ત કથાસાર મહાકાવ્યમાં વરાશ્યકતા છે.
યશોવિજયજી જેવા મહાન તાકિક, દાર્શનિક, કવિ, અને પરમતખંડનપટુએ ઉપમિતિ. જેવી વિશાળકાય કૃતને સંક્ષેપ કરીને કોરાગ્યકલ્પલતા જેવી નવ્ય કતિ આપી માત્ર જૈન સાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે.
For Private and Personal Use Only