________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરુણા કે, પહેલ
* આ રામ હસે છે, રામ ખાલે છે, રામ રડે છે વગેરે. આમ નાટ્યપ્રયોગ દરમ્યાન પ્રેક્ષકને નટમાં થતી રામત્વની પ્રતીતે, એ વિલક્ષણુ, લેત્તર પ્રતીતિ છે અને તેને ‘પંચત્રતુરગ’ની ઉપમા વડે સમજાવી શકાય.
ચિત્રતુરંગન્યાય અને પ્રાચીન-વિવેચક :~
શંકુકના ચિત્રન્તુરગન્યાય પ્રાચીન તેમજ અર્વાચીન આલાયક્રાને માટે રસના વિષય બન્યા છે. તેના નજીકના ( ૧ ) અનુગામી ભટ્ટે તોતે તેને પ્રતિભાસ તરીકે ઓળખાવ્યો છે :
અત एव सिन्दुरादयो गवायवसन्निवेशसदृशेन सन्निवेश विशेषेणावस्थिता गौसदृगिति પ્રતિમાસસ્ય વિચ:।''૮
ભટ્ટ તોતે શ'કુકના મતનું વિવેચન કરતાં “તુરંગ 'ને બદલે‘ ગે ’ શબ્દ પ્રયોજીને ચિત્રતુરંગને પ્રતિભાસ તરીકે વહુબ્યો છે. ચિત્રતુરંગ એ પ્રતિભાસ છે કેમ, તે નિષ્ણુય કરતાં પહેલાં પ્રતિભાસ એટલે શું, તે સમજી લઈએ.
પ્રતિભાસ :—પ્રતિભાસ અંગે રાજશેખર જણાવે છે કે—“ શાસ્ત્ર કરતાં કાવ્યની વિલક્ષણતા એ છે, શાસ્ત્રમાં વિશ્વના વિષયોનું યથાતથ નિરૂપણ હોય છે, જયારે કાવ્યમાં એ પદાર્થો જેવા દેખાય છે, તેનું નિરૂપણુ હાય છે. આમ, શાસ્ત્રોમાં થયેલું વર્ણન ‘ સ્વરૂપનિધન ’ હેય છે. કાવ્યમાં થયેલું વર્ણન • પ્રતિભાસ નિબંધન ' હાય છે. આ પ્રતિભાસ એ ભ્રમ નથી, પરંતુ પ્રતિભાસને જ વસ્તુનું સ્વરૂપ સમજી કોઇ પ્રતિક્રિયા કરવા લાગે, તો ભ્રમની અવસ્થા થાય. ઉદા. તરીકે, છીપ, ચાંદી જેવી ચળકતી દેખાય તે કેવળ પ્રતિભાસ છે, પરંતુ તેને ચાંદી સમજીને તેને લઈ લેવા માટેના પ્રયત્ન, તે ભ્રમ. આમ, પ્રતિભાસ એ એક પ્રતીતિ છે, અને પ્રતીતિની દષ્ટિએ તેમાં સત્ય છે. ભટ્ટ તોતને અનુસરીને આધુનિક હિન્દી વિવેચકેા ‘ ચિત્રતુરંગન્યાય ’તે પ્રતિભાસ તરીકે એળખાવે છે. કેટલાક વિવેચકો ‘ અવભાસ ’ શબ્દ પ્રયુક્ત કરે છે. પ્રતિભાસ અંગેનું રાજશેખરનું વિવરણુ શ્વેતાં એમ લાગે છે કે પ્રતિભાસ નિબંધનમાં કવિની કલ્પના કારણભૂત હોય છે. ચિત્રકળામાં પણ ચિત્રકારની કલ્પના હોય છે. આમ છતાં, ચિત્રને આપણે પ્રતિભાસ કહી શકીએ નિહ. બંને વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે, ચિત્રકાર પોતાની કલ્પના અનુસાર ચિત્ર આલેખે છે. પરંતુ તેમાં કલ્પનાના સ્વૈરવિહાર નથી હોતા. ધેડે કવા હૅય તેની તે કલ્પના કરે છે અને તેનું યથાતથ નિરૂપણ કરવા પ્રયત્ન કરે છે. વાસ્તવની તદ્દન નજીક આવવા તે પ્રયત્ન કરે છે. આમ, ચિત્રકારના નિરૂપણુ પાછળ અનુકરણના યાથાસ્થ્ય ના પ્રયત્ન છે. પ્રતિભાસ એ તે આભાસ
(8) Bhatta Tauta-Bharatas Nityas'astra, Vol. I, G.O.S. Vol. 36, p. 276 જુએ : હૅમચંદ્રરચિત કાવ્યાનુશાસન ( સ. આર. સી. પરીખ ) અ. ૨, પૃ. ૯૩-૯૬. ( ૯ ) રાજશેખર-કાવ્યમીમાંસા–સ. રાયગ`ગાસાગર, ચૌખમ્મા વિદ્યાભવન. વારાણુસી, ૧૯૮૨, પૂ. ૧૦૦
For Private and Personal Use Only