________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
- “ત' એટલે “તે'. “તરસ' એટલે “તેપણું' અર્થાત તે 'નું વાસ્તવિક સ્વરૂપ.
આ “તે' શું ? તેના બે અર્થ લેવાયઃ (૧) વિશ્વનું મૂળ કારણ, જેને માટે ઃ બ્રહ્મ' શબ્દ પ્રજાય છે; (૨) કોઈ પણ વસ્તુ. આમ “ તરવ' એટલે (૧) “વિશ્વના મૂળ કારણનું વાસ્તવિક સ્વરૂપ” અને (૨) “દરેક પદાર્થનું યથાર્થ સ્વરૂપ '. આ બનેનું જ્ઞાન–યથાર્થ કે સાચું જ્ઞાન-તે “તત્વજ્ઞાન'. તે તે એક જ હોય. સ્વરૂપ એક હોય તેમાં પરિવર્તન ન હોય તેથી તેનું જ્ઞાન તત્વજ્ઞાન-તે એક જ હેય. તેને સમજવા સારુ, તેને પામવા માટેના પ્રયત્ન તે “દશને', ત્યાં પહોંચવા માટેના વિચારાયેલા તે માગે છે. આવાં દર્શનમાં રજૂ થયેલું જ્ઞાન તે “તવ’નું સાચું “જ્ઞાન” જ હોય એમ કહી શકાય નહિ. જે ખરેખર એમ જ હેત, તે આટલાં બધાં દર્શનની જરૂર જ કયાં રહેત? પેલા અબ્ધ મનુષ્યની વાત અહીં નોંધવા જેવી છે. તેમની સમક્ષ હાથી ઊભે હતું, પરંતુ તેઓ તેને જોઈ શકતા ન હતા. તેથી તેમણે હાથી ઉપર હાથ ફેરવવા માંડયો અને તે દ્વારા હાથીનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કર્યો. એકને હાથ હાથીના પડખા ઉપર ફર્યો તેથી તેને લાગ્યું કે હાથી ભીંત જેવો છે. બીજાને હાથ તેના પગ ઉપર કરતાં તેને સમજાયું કે હાથી થાંભલા જેવો છે. જેને હાથ પૂંછડા ઉપર કર્યો તેને તે દોરડા જેવો જણાશે. આ રીતે દરેકને હાથીનું સ્વરૂપ પિતાના પ્રયત્ન અને જ્ઞાનની મર્યાદા અનુસાર જુદુ જુદું લાગ્યું. પરન્તુ તે તેમનાં દર્શને અધૂરાં હતાં. દર્શને ખેટાં ન હતાં, તેમની મર્યાદા અનુસાર તે સાચાં જ હતાં, પણ તે હાથીના માત્ર એક એક અંશને જ દર્શાવતાં હોવાથી અપૂર્ણ હતાં. પણ તે સર્વ દર્શનેને યોગ્ય રીતે સમન્વય કરવામાં આવે, તે હાથીનું સાચું અને પૂર્ણ દર્શન થઈ શકે. અને તે પૂર્ણ દર્શન તે જ તેનું યથાર્થ જ્ઞાન, “ તત્વજ્ઞાન '. જે તે અંધ પુરુષોમાંના કોઈએ હાથીની આજુબાજુ ફરીને તેના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્યું. હત અને એકધ્યાન થઈને તેનાં વિવિધ પાસાં સમજવા પ્રયત્ન કર્યો હોત, તે સંભવ છે કે તે હાથીના યથાર્થ સવરૂપને તે સમજી શક્યો હોત. શંકરાચાર્ય જેવા કોઈકનું દર્શન “તત્ત્વજ્ઞાન ની કક્ષામાં આવી શકે, પણ બધાં દર્શનેને “તવજ્ઞાન' ન કહેવાય-જો આ શબ્દને સાચે તાત્વિક અર્થ સમજીએ તે. આમ કહેવામાં દર્શને ઉજારી પાડવાને હેતુ નથી. પરંતુ વાસ્તવિક્તા સમજવા પ્રયત્ન માત્ર છે. કોઈક ઉત્કૃષ્ટ કોટિનું દર્શન “તત્ત્વજ્ઞાન” દર્શાવે, પણ બધાં નહિ. એ સર્વને સમન્વય કરવામાં આવે, તે “તત્ત્વજ્ઞાન' થવાને સંભવ ખરો.
અંગ્રેજી શબ્દ “ Philosophy' (ફિસેફી) મૂળ ગ્રીક શબ્દ “Philos” (ફિલોસ) અને “Sophia.” (સેફિયા) ઉપરથી બનેલ છે. “ફિલસ” એટલે પ્રેમ, અનુરાગ; અને
સેક્યિા” એટલે વિદ્યા, જ્ઞાન. આથી “ફિલોસોફી'ને ખરે અર્થ “વિદ્યાનુરાગ” કે “ જ્ઞાનાનુરાગ –સાચું જ્ઞાન મેળવવાની ઈરછા-એવો થાય છે. ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯-૩૯૯ )ના જમાનામાં વિજ્ઞાન આદિના વિદ્વાને “sophist' (સેફિસ્ટ) કહેવાતા. “સેફિસ્ટ એટલે જ્ઞાનોપદેશક'. આ સેફિસ્ટાથી પોતાને જ પાડવા માટે સોક્રેટિસે પિતાને માટે “ફિલેસફર'-જ્ઞાનાનુરાગી', “જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ”—એ શબ્દ પ્રયોજે. સી વા ૬
For Private and Personal Use Only